શુક્રવાર, 29 માર્ચ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2019
Written By
Last Updated : ગુરુવાર, 7 માર્ચ 2019 (11:23 IST)

રાહુ કેતુનું રાશિ પરિવર્તન બનાવશે માલામાલ, જાણો તમારી રાશિને કેટલો મળશે લાભ

7 માર્ચ ગુરૂવારે રાહુ-કેતુ રાશિ પરિવર્તન કરી રહ્યા છે. રાહુ કર્ક રાશિથી મિથુન રાશિમાં ગોચર કરશે અને કેતુ મકર રાશિથી ધનુ રશિમાં ગોચર કરવા જઈ રહ્યો છે. 19 સપ્ટેમ્બર 2020 સુ ધી રાહુ મિથુન રાશિમાં અનેકેતુ ધનુ રાશિમાં જ રહેશે.  ત્યારબાદ ફરીથી તેમની રાશિ પરિવર્તન થશે અને આ પોતાનુ ઘર બદલશે.   રાહુ-કેતુની આ રાશિ પરિવર્તન આર્થિક સ્થિતિને પ્રભાવિત કરશે.  
 
 

રાશિમુજબ જાણો તમારી રાશિને કેટલો મળશે લાભ ? શુ તમે બની શકશો માલામાલ 
 
મેષ - નવી ઉર્જાનો સંચાર થશે. આર્થિક સ્થિતિ સારી રહેશે.  પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે. નાની યાત્રાઓ કરવી પડી શકે છે. તમારા ઈનકમના રસ્તા ખુલશે 
 
ઉપાય - આસમાની રંગના કપડા પહેરો 
 
વૃષભ - આર્થિક મામલે વધારો થશે.  આર્થિક વિચારમાં ફેરફાર થશે જે તમને લાભ અપાવશે. નિર્ણય લેવાની ક્ષમતા વધશે.  વિચારોમાં ટકરાવથી પાર્ટનરશિપમાં પરેશાની આવી શકે છે. 
 
ઉપાય - સ્ટીલના લોટા સફાઈ કર્મચારીને દાનમાં આપો 
 
મિથુન -  તમારા વ્યવ્હારમાં ચિડચિડાપણું આવશે. આર્થિક નિર્ણય લેવામાં અસમર્થ રહેશો. લાંબી દૂરીની યાત્રા કરવી પડી શકે છે.  ખર્ચ સતત વધશે અને ફાયદો ઓછો થશે. 
 
ઉપાય - 100 ગ્રામ રાંગાનો ટુકડો શનિવારે પીપળ નીચે દબાવી દો.  કોઈ સુહાગન સ્ત્રીને જવારનુ દાન કરો. 
કર્ક -  રાહુનુ રાશિ પરિવર્તન કર્ક માટે અશુભ છે.  બિઝનેસમાં કાયદાકીય કાર્યવાહીનો સામનો કરવો પડી શકે છે. કામને કારણે ફાલતૂ યાત્રા કરવી પડશે.  આવનારા 18 મહિના થોડા મુશ્કેલીભર્યા રહી શકે છે. 
 
ઉપાય - સતત 43 દિવસ 12 અસમાની ફુલ ગંદા નાળામાં ફેંકો 
 
સિંહ - આ રાશિ પરિવર્તનથી ઢગલો સફળતાઓ મળશે.  કેરિયરમાં સોનીરી તક મળશે.  વર્કપ્લેસ પર વિવાદની સ્થિતિ બનશે. પણ સ્થિતિ સંભાળી શકશો. બધા મામલામાં ધૈર્યથી કામ લો. તમને તમારા વિચારથી થોડો ફાયદો મળશે. 
 
ઉપાય - સરસ્વતી માં પર અડદ ચઢાવો અને ગણેશજી પર દુર્વા ચઢાવો. 
 
કન્યા -  કેરિયર મામલે ઉતાર-ચઢાવ રહેશે.  આર્થિક દ્રષ્ટિકોણ પ્રત્યે સાવધ રહેવુ પડશે. એકાગ્રતાથી કામ કરવા પર ભવિષ્ય ઉજ્જવળ થઈ શકે છે.  આઅર્થિક મામલા માટે ખૂબ સારુ રહેશે. 
 
ઉપાય - ગરીબ મજૂરને ભૂરા કપડા ભેટ કરો. 
 
તુલા - રાહુ 9માં ભાવમાં આવેલ રહેશે. સહયોગીઓ સાથે સંબંધોમાં કડવાશ ઉભી થઈ શકે છે. આર્થિક સંકટ ઉભુ થઈ શકે છે.  ગેરકાયદેસર વસ્તુઓથી દૂર રહો. ખોટા કાર્યમાં પડી શકો છો સાવધ રહો. 
 
ઉપાય -  માતા સરસ્વતી પર ભૂરા ફુલ અને ગણપતિ પર બિલિ પત્ર ચઢાવો. 
વૃશ્ચિક -  રાહુ 8માં અને કેતુ બીજા ભાવમાં છે.  ગેરકાયદેસર સાધનોથી ધન પ્રાપ્તિ થઈ શકે છે. તમારા વિચારથી વધુ લાભ થશે. પાર્ટનરશિપમાં થોડી શાંતિ બનાવીને રાખો. 
 
ઉપાય - સરસવના તેલમાં નીલ નાખીને પીપળાના ઝાડ નીચે દીવો પ્રગટાવો. 
 
ધનુ - રાહુના 7માં ભાવમાં ગોચર કરશે.  આર્થિક પરેશાનીઓનો સામનો કરવાની હિમંત આવશે. આર્થિક વિવાદ પણ દૂર થશે.  તમે આગળ વધશેઓ અને સક્સેસ મળશે.  આવક વધશે. 

ઉપાય -  18 મહિના સુધી બ્લૂ અને વ્હાઈટ કલરના  પ્રિટેડ કપડા પહેરો 

મકર - રાહુ છઠ્ઠા ભાવ અને કેતુ 12માં ભાવમાં ગોચર કરશે. આર્થિક પરેશાનીઓનો સામનો કરવાની હિમંત આવશે.  આર્થિક વિવાદ પણ નિપટાશે. તમે આગળ વધશો અને સફળતા મળશે. આવકમાં વધારો થશે. 
 
ઉપાય - લક્ષ્મી-ગણેશ અને સરસ્વતીની પૂજા કરો. 
 
કુંભ - રાહુ 5માં ભાવ અને કેતુ 1માં ગોચર કરશે.  લેખન સાથે જોડાયેલ લોકોની આર્થિક સ્થિતિ સારી રહેશે.  આર્થિક વિકાસની અનેક તક મળશે. તમારી યોજનાઓ સફળ રહેશે.   ધન લાભ થશે.  બેંક બેલેસ વધારવા માટે સમય ખૂબ સારો રહેશે. 
 
ઉપાય - ગરીબ બલકોને અડદનુ દાન કરો,  કાળી ગાયને રીંગણ ખવડાવો .. તમારા સહયોગીઓને મીઠાઈ ખવડાવો. 
 
મીન - રાહુના ચોથા ભાવ અને કેતુના 10માં ભાવમાં ગોચર કરશે. નિર્ણય લેવાની ક્ષમતા પર અસર પડશે. જે પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છો તે નિષ્ફળ થઈ શકે છે. ખૂબ મહેનત કરીને તમે ટારગેટ પૂરી કરી શકો છો. કામ માટે યાત્રા કરવી પડશે. સફળતા જરૂર મળશે. 
 
ઉપાય - ઘરેના નોર્થ ઈસ્ટ દિશામાં ગણપતિનુ ચિત્ર લગાવો. ઘરના સાઉથ ઈસ્ટ દિશામાં સરસ્વતીનુ ચિત્ર લગાવો.