બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 18 જુલાઈ 2017 (17:07 IST)

મોદી સાહેબ તમે ઉદ્ધાટન કરેલ બ્રિજ પર સળિયા બહાર આવી ગયા

ગુજરાતમાં ભારે વરસાદના કારણે ભારે નુકસાન થયુ છે. આ વખતે રાજકોટમાં પણ મેઘરાજાએ ભારે પધરામણી કરી હોવાથી રોડનું ધનોતપનોત નિકળી ગયું છે. ત્યારે શહેરના ગોંડલ રોડ પર આવેલો ટ્રાય એંગલ બ્રીજ પહેલેથી જ વિવાદિત રહ્યો છે. શહેરમાં  નવા બ્રીજમાં કૌભાંડ થયું હોય તેવા દ્રશ્યો પ્રજા સામે આવ્યા છે. 2010માં તત્કાલિકન સીએમ હાલના PM નરેન્દ્ર મોદીના હસ્તે  આ બ્રીજનું લોકાર્પણ કર્યું હતું. જેમાં આજે મસમોટું ગાબડું પડતા ભ્રષ્ટાચાર ઉડીને આંખે વળગી રહ્યો છે.

આ ગાબડું પડતા તેમાંથી સળિયા બહાર આવી ગયા છે.  જે તે કંપનીએ 46 કરોડનાં ખર્ચે 1.5  કિમીની લંબાઈ ધરાવતો અને 12 મીટર પહોળાઈ ધરાવતો આ બ્રીજ મવડી ગોંડલ રોડના ટ્રાફિકની સમસ્યા નિવારવા માટે બનાવ્યો હતો. ત્યારે 7 વર્ષના ટૂંકા ગાળામાં જ આ બ્રીજમાં ગાબડાં પડતા ભ્રષ્ટાચાર સામે આવ્યો છે. જે-તે સમયે શાસક ભાજપે મોટી-મોટી વાતો કરી હતી કે 50 વર્ષ સુધી આ બ્રીજને કશું જ નહીં થાય. હાલ આ પુલ પરથી ટ્રક, એસટી, સીટી બસ અને રોજના હજારો વાહનો પસાર થાય છે. આ તમામની સલામતી પર પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે.