એક મિત્ર મીઠાઈની દુકાને મળી ગયા. મને કહે - આજે માનું શ્રાદ્ધ છે. માને લાડુ બહુ બહવે એથી લાડુ લેવા આવ્યો છુ.' મારા અશ્ચર્યન પાર ન રહ્યો. હજી પાંચ મિનિટ પહેલાં તો હું એમની માને શાકમાર્કેટમાં મળ્યો હતો. હું કાંઈ બોલું તે પહેલા ખુદ એ માતાજી જ હાથમાં થેલી લઈને ત્યાં આવી પહોંચ્યા. મેં મિત્રના બરડે ધબ્બો લગાવતા પુછ્યુ - 'ભલા માણસ, આ શી મજાક માંડી છે...! માજી તો આ રહ્યા તારી બાજુમા..! મિત્રએ માતાના બન્ને ખભા પર હાથ મુક્યો અને હસીને કહ્યુ : 'દીનેશભાઈ, વાત એમ છે કે માના મર્યા બાદ ગાય-કાગડાને વાસમાં લાડુ મુકવાને બદલે હુ માના ભાણામાં લાડુ મુકી એમને જીવતાજીવત જ તૃપ્ત કરવા માંગુ છુ, હું માનુ છુ કે જીવતાજીવત જ માબાપને સર્વે વાતે સુખી કરો એ જ સાચું શ્રાદ્ધ ગણાય !'