શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. શ્રાવણ મહિનો
Written By
Last Updated : ગુરુવાર, 25 ફેબ્રુઆરી 2016 (15:46 IST)

ભગવાન શિવનું જ લિંગ રૂપમાં પૂજન કેમ થાય છે ?

ભગવાન શિવ દેવોના પણ દેવ છે. તેમનુ પૂજન દેવતા જ નહી દાનવ પણ કરે છે. તે સાકાર છે તો નિરાકાર પણ છે. સુષ્ટિના આદિ અને અંત તેમનામાં જ સમાયા છે. 
શિવજીના સંબંધમાં પ્રાય : આ પ્રશ્ન કરવામાં આવે છે કે તેમની જ પૂજા લિંગ રૂપમાં કેમ કરવામાં આવે છે ? હિંદુ ધર્મમાં 33 કરોડ દેવી-દેવતાઓની માન્યતા છે. પછી શિવ જ લિંગના રૂપમાં કેમ પૂજવામાં આવે છે ? 
 
આમ તો શિવજીની પ્રતિમા, ચિત્ર વગેરેનુ પૂજન પણ કરવામાં આવે છે પણ મોટાભાગે તેમના લિંગ રૂપનુ પૂજન થાય છે. હકીકતમાં લિંગ રૂપનો મતલબ છે ઉત્પત્તિ અને વિલયનુ સ્થાન. 
 
બધુ જ શિવ દ્વારા જ ઉત્પન્ન થાય છે અને એક દિવસ તેમની અંદર જ સમાય જાય છે. જો લિંગ રૂપનુ પૂજન થાય છે તો તેમા સમસ્ત બ્રહ્માંડનું પૂજન થાય છે. તેથી શિવ જ એવા ભગવાન છે જે પ્રતિમા અને લિંગ બંને રૂપમાં પૂજવામાં આવે છે. 
 
શિવલિંગ પ્રચંડ ઉર્જાનુ પણ પ્રતિક છે.  તેનાથી સંસારના જીવ પ્રાણશક્તિ પ્રાપ્ત કરે છે. બીજી બાજુ ગ્રહ-નક્ષત્ર પોતાના પથ પર ફરતા રહે છે. શિવલિંગ પર જળ ચઢાવવાથી એ શક્તિને નમન કરવામાં આવે છે. 
 
વેદોમાં લિંગ શબ્દ સૂક્ષ્મ શરીરના અર્થમાં પણ ઉપયોગ કરવામાં આવે છે. પૌરાણિક માન્યતા મુજબ સૂક્ષ્મ શરીરના મૂળમાં 17 તત્વ  છે. 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેદ્રિયાં, 5 વાયુ અને મન અને બુદ્ધિ. આ બધાના દાતા શિવલિંગ જ છે. પુરાણો મુજબ પ્રલયકાળમાં આ 17 તત્વ શિવલિંગમાં જ સમાય જાય છે. 
 
આ ઉપરાંત શિવ અને શક્તિ બંને લિંગ રૂપમાં સમાયેલ છે. શક્તિ વગર શિવ અધૂરા છે અને શિવ વગર શક્તિનુ અસ્તિત્વ નથી. તેથી લિંગ રૂપનુ પૂજન કરવાથી બંનેની કૃપા પ્રાપ્ત થાય છે.