ગુરુવાર, 18 એપ્રિલ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. તંત્ર મંત્ર ટોટકા
Written By

ઘરમાં કલેશનો નાશ કરી સુખ શાંતિ લાવશે આ સરળ ઉપાય

જો ઘરમાં ક્લેશ થાય છે અને ઘરના વાતાવરણ બગડી જાય છે તો સરળ જ્યોતિષીય ઉપાય અજમાવીને તમે તમારા ઘરની સુખ શાંતિ પરત લાવી શકો છો. 
 
1. ઘરના મંદિરમાં  મંગળવારે પં ચમુખી દીપક પ્રગટાવો અને દરરોજ કપૂર પ્રગટાવો. આથી ઘરની નકારાત્મકતા ઓછી થાય છે. 
 
2. ગુરૂવારે અને રવિવારે ગોળ અને ઘી મિક્સ કરી છાણા પર પ્રગટાવો. આથી ઘરના વાતાવરણ શાંત થશે. 
 
3. દરરોજ લોટ બાંધતા એમાં ચપટી મીઠું અને ચણાનો લોટ લો. માન્યતા છે કે આવું કરવાથી ઘરથી ક્લેશ દૂર થાય છે અને સુખ શાંતિ બની રહે છે. 
 
4. રાત્રે સૂતા પહેલા પીતળના વાસણમાં ઘીમાં પલળેલા કપૂર પ્રગટાવો. આથી તનાવથી મુક્તિ મળશે. 
 
5. અઠવાડિયામાં એક દિવસ ઘરમાં છાણા સળગાવી ધુની આપો. જેથી ઘરમાં શાંતિ બની રહેશે.