શુક્રવાર, 29 માર્ચ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. તંત્ર મંત્ર ટોટકા
Written By
Last Modified: સોમવાર, 4 મે 2015 (13:07 IST)

ઘરે જ યંત્ર અને મંત્રની મદદથી વેપારમાં લાભ મેળવો

વેપાર કે વ્યવસાય કોઈપણ વ્યક્તિ માટે જીવનયાપનનું સાધન છે. કેટલાક લોકો મહેનત તો ખૂબ કરે છે પણ તેમને જોઈતું ફળ નથી મળતુ.  જેનાથી તેઓ નિરાશ અને હતાશ થવા માંડે છે. રૂપિયા પૈસાની કમીને કારણે તેઓ વેપારના પ્રચાર અને પ્રસાર માટે ઈચ્છવા છતા અન્ય કોઈ વિકલ્પને અપનાવી નથી શકતા. ઘરે જ યંત્ર અને મંત્રની મદદથી મનોવાંછિત ધન અને વેપારમાં ઉન્નતિ મેળવી શકાય છે. 
 
કૃષ્ણ પક્ષની ચતુર્દશી, રવિ કે ગુરૂપુષ્ય નક્ષત્રમાં વેપાર વૃદ્ધિ યંત્ર ભોજપત્ર, તાંબા, ચાંદી કે સુવર્ણ પત્ર પર શુભ મુહુર્તમાં બનાવડાવીને તેની પૂજા અર્ચના કરો. સફેદ આસન, સફેદ પુષ્પ, સફેદ વસ્ત્રનો પ્રયોગ કરી ૐ હીં શ્રી નમ: મંત્રની એક માળાનો જાપ 21 કે 51 દિવસ સુધી કરવાથી યંત્ર સિદ્ધ થઈ જાય છે આ યંત્રને તિજોરી, કબાટ કે વેપાર સ્થળ પર મુકવાથી વેપારમાં વૃદ્ધિ અને લાભ મળે છે. 
 
મંત્ર અને યંત્રને સિદ્ધ કરવા માટે પૂર્ણ સ્વચ્છતાનુ ધ્યાન રાખો. પૂજન કરતી વખતે સફેદ કપડાં પહેરો.