ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. તંત્ર મંત્ર ટોટકા
Written By
Last Modified: મંગળવાર, 22 નવેમ્બર 2016 (17:52 IST)

નોટબંધીથી થઈ રહી છે સમસ્યાઓ..તો બેંક જાવ ત્યારે કરો આ ચમત્કારી ઉપાય

નોટબંધીથી ભલે આજે સમસ્યાઓ આવી રહી હોય પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાળા ધનના માટે  ઉઠાવેલ આ પગલા થોડાક દિવસોમાં ભારતવાસીઓના ઉજ્જવળ ભવિષ્યનુ નિર્માણ કરશે.  જ્યોતિષ શાસ્ત્રીઓનુ માનવુ છે કે બેંક જતા પહેલા બેંકમાં અથવા બેંકની અંદર કેટલાક ઉપાય કરી લેવામાં આવે તો બેંક બેલેંસમાં વધારો થવા માંડશે. 
 
- બેંક જવા માટે જ્યારે પણ નીકળો ત્યારે મનમાં ધનની દેવી લક્ષ્મીનો મંત્ર જાપ કરો. આ મંત્ર જાપ ત્યા સુધી કરો જ્યા સુધી પૈસા જમા કરાવીને બેંકમાંથી બહાર ન આવી જાવ. જમા રકમમાં બરકત થશે. 
 
મંત્ર 
 
1. ૐ મહાલક્ષ્મ્યૌ નમ: 
2. ૐ હ્વીં શ્રી મહાલક્ષ્મ્યૈ નમ: 
3. ૐ નમો ભગવતે વાસુદેવાય નમ: 
4. ૐ વિષ્ણવે નમ: 
5. ૐ નમો નારાયણ: 
 
- આવકના સ્ત્રોત વધારવા માટે શુક્લ પક્ષના શુક્રવારે શિવાલયમાં એટલા ચોખા અર્પિત કરો જેટલા તમારી બંને મુઠ્ઠીમાં આવી જાય 
- સેવિંગમાં વધારા માટે કાર્યસ્થાન પર જે મેજ પર બેસીને કામ કરો છો ત્યા મોતી શંખ સ્થાપિત કરો. 
- બેંક એકાઉંટમાં વધારા માટે પ્રતિદિન તુલસીના છોડ પર દીપદાન કરો અને મંત્રના જાપ કરો. 
મંત્ર - ૐ શ્રીં શ્રીં શ્રીં
- બેંકના લોકરમાં મુકો આ વસ્તુઓ કોડિયો.. લક્ષ્મીજીનુ ચિત્ર, લક્ષ્મીજીની ચરણ પાદુકા, ગોમતી ચક્ર, શંખ અને ચાંદીનો સિક્કો. 
- જ્યા પણ ધન મુકો અહી અત્તર જરૂર લગાવો. લક્ષ્મીજી ખૂશ્બુની તરફ આકર્ષિત થાય છે. 
- સેવિંગ અને ઈનકમ વધે છે. કિન્નર દ્વારા ભેટમાં આપવામાં આવેલ સિક્કો સાચવીને ધન સ્થાન પર મુકો.