શુક્રવાર, 29 માર્ચ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. તંત્ર મંત્ર ટોટકા
Written By
Last Updated : ગુરુવાર, 22 નવેમ્બર 2018 (05:23 IST)

ગુરૂવારે કરો આ કામ, જલ્દી મળશે Good News

જ્યોતિષશાસ્ત્ર મુજબ ગુરૂવાર માનવ જીવનમાં શૈક્ષણિક યોગ્યતા, ધાર્મિક ચિંતન, અધ્યાત્મિક ઉર્જા, નેતૃત્વ શક્તિ, સંતતિ, વંશવૃદ્ધિ, વિરાસત, પરંપરા, આચાર-વ્યવ્હાર, રાજનૈતિક યોગ્યતા, સભ્યતા, પદ પ્રતિષ્ઠા પૈરોહિત્ય, જ્યોતિષ, તંત્ર-મંત્ર અને તપસ્યામાં સિદ્ધિ પર પોતાનુ અધિપત્ય રાખે છે.   સંસારના બધા સુખોથી વધીને છે સંતાન સુખ. જે ગુરૂવારે અનુકૂલ થતા જ પ્રાપ્ત થાય છે.  જે દંપતિ આસુખથી વંચિત છે તે ગુરૂવારે કરે આ કામ જલ્દી મળશે શુભ સમાચાર.  શુક્લ પક્ષમાં વડના પાનને ધોઈને સાફ કરીને તેના પર કંકુથી સ્વસ્તિક બનાવીને તેના પર થોડા ચોખા અને એક સોપારી મુકીને સૂર્યાસ્ત પહેલા કોઈ મંદિરમાં અર્પિત કરો. 
 
- દંપતિએ ગુરૂવારે વ્રત રાખવુ જોઈએ. 
 
- ગુરૂવારના દિવસે પીળા વસ્ત્ર ધારણ કરો. પીળી વસ્તુઓનુ દાન કરો. યથાસંભવ પીળુ ભોજન કરો. 
માતા બનવાની ઈચ્છુક મહિલા ગુરૂવારના દિવસે ઘઉંના લોટની 2 મોટી લૂઆ બનાવીને તેમા પલાળેલી ચણાની દાળ અને થોડી હળદર મિક્સ કરીને નિયમપૂર્વક ગાયને ખવડાવો અને પ્રભુ પાસે સંતાનનુ વરદાન આપવા માટે પ્રાર્થના કરો. ચોક્કસ જ સંતાનની પ્રાપ્તિ થશે. 
 
- ગુરૂવારના દિવસે પીળા દોરામાં પીળી કોડીને કમરમાં બાંધવાથી સંતાંન પ્રાપ્તિના પ્રબળ યોગ બને છે. 
- માતા બનવાની ઈચ્છુક મહિલા પારદ શિવલિંગને રોજ દૂધથી અભિષેક કરે ઉત્તમ સંતાનની પ્રાપ્તિ થશે. 
- દર ગુરૂવારે ભિખારીઓને ગોળનુ દાન આપવાથી પણ સંતાન સુખ પ્રાપ્ત થાય છે. 
- પૂર્વાફાલ્ગુની નક્ષત્રમાં કેરીની જડને લાવીને તેને દૂધમાં ઘસીને સ્ત્રીને પીવડાવો આ સિદ્ધ અને પરીક્ષિત પ્રયોગ છે.  
 
રવિવાર છોડીને અન્ય બધા દિવસે નિસંતાન સ્ત્રી જો પીપળ પર દીવો પ્રગટાવે અને તેની પરિક્રમા કરતા સંતાનની પ્રાર્થના કરે તેની ઈચ્છા અતિ શીધ્ર પૂરી થશે. 
 
-શ્વેત લક્ષ્મણા બૂટીની 21 ગોળી બનાવીને તેને નિયમપૂર્વક ગાયના દૂધ સાથે લેવાથી સંતાન સુખની જરૂર પ્રાપ્ત થાય છે. 
 
- ઉત્તર ફાલ્ગુની નક્ષત્રમાં નીમની જડ લાવીને સદૈવ પોતાની પાસે મુકવાથી નિસંતાન દમ્પતિને સંતાન સુખ જરૂર પ્રાપ્ત થાય છે. 
 
- લીબૂની જડને દૂધમાં વાટીને તેમા શુદ્ધ દેશી ઘી મિક્સ કરી સેવન કરવાથી પુત્ર પ્રાપ્તિની શક્યતા વધી જાય છે. 
 
- પહેલીવાર બચ્ચાને જન્મ આપનારી ગાયના દૂધ સાથે નાગકેસરના ચૂરણનું સતત 7 દિવસ સુધી સેવન કરવાથી સંતાન પુત્ર પ્રાપ્ત થાય છે. 
 
- સવિનો ભાત અને મગની દાળ ખાવાથી વાંઝિયાપણું દૂર થાય છે અને પુત્ર રત્નની પ્રાપ્તિ થાય છે. 
 
- ગર્ભનો જ્યારે ત્રીજો મહિનો ચાલી રહ્યો હોય તો ગર્ભવતી સ્ત્રીને શનિવારે થોડુ જાયફળ અને ગોળ મિક્સ કરીને ખવડાવવાથી ચોક્કસ જ પુત્ર રત્નની પ્રાપ્તિ થશે. 
 
જૂના ચોખાને ધોઈને પલાળી દો. બનાવતા પહેલા તેન પાણીને જુદુ કરીને તેમા લીંબૂની જડને બારીક વાટીને તેનુ પાણી સ્ત્રી પી ને પોતાના પતિ સાથે સંબંધ બનાવે તો તે સ્ત્રી કન્યાને જન્મ આપશે.