શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી સાહિત્ય
  3. શિક્ષક દિન
Written By
Last Updated : શનિવાર, 4 સપ્ટેમ્બર 2021 (15:28 IST)

Teachers day 2021- ભારતમાં શા માટે 5 સપ્ટેમ્બરે શિક્ષક દિવસ ઉજવાય છે? જાણો તેનુ મહત્વ

ભારતમાં  5  સપ્ટેમ્બરે શિક્ષક દિવસ ઉજવાય છે. આ દિવસે પૂર્વ રાષ્ટ્રપતિ સર્વપલ્લી રાધાકૃષ્ણનનનો જન્મ થયો હતો  વર્ષ 1962થી ભારતમાં ટીચર્સ ડે ઉજવાઈ રહ્યો છે. 
દરે વર્ષ 5 સપ્ટેમ્બરે  ભારતમાં શિક્ષક દિવસ (Teacher's Day) ઉજવાય છે. આ દિવસ છે જ્યારે તમે તે લોકો પ્રત્યે તેમના પ્રેમ અને સમ્માન દર્શાવો છો, જેનાથી તમને જીવનમાં કઈક શીખવા મળે છે. આ શાળા ટીચરથી લઈને, કૉલેજ પ્રોફેસર સુધી, ટ્રેનરથી લઈને કોચ સુધી કોઈ પણ કોઈ પણ ક્ષેત્રના થઈ શકે છે. આ દિવસે ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને બીજા રાષ્ટ્રપતિ સર્વપલ્લી રાધાકૃષ્ણનનનો જનમદિવસ હોય છે. તેમનો જનમદિવસ ભારતમાં ટીચર્સ ડેના રૂપમાં જ ઉજવાય છે. 
 
સર્વપલ્લી રાધાકૃષ્ણનન ભારતીય સંસ્કૃતિના સંવાહક, પ્રખ્યાત અને મહાન દાર્શનિક હતા. રાજનીતિમાં આવવાથી પહેલા ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનન એક સમ્માનિક અકાદમિક હતા. તે ઘણા કોલેજોમાં પ્રોફેસર હતા. 
 
તે ઑકસફર્ડ વિશ્વવિદ્યાલયમાં 1936 થી 1952 સુધી પ્રાધ્યાપક રહ્યા. કોલકત્તા વિશ્વવિદ્યાલયના સમય દરમિયાન જાર્જ પંચમ કૉલેજના પ્રોફેસરના રૂપમાં 1937 થી 1941 સુધી કાર્ય કર્યું. 1946માં યુનેસ્કોમાં ભારતીય પ્રતિનિધિના રૂપમાં તેમની ઉપસ્થિતિ દાખલ કરાવી. 
 
આ દિવસે શિક્ષક દિવસ ઉજવવાની વાત આ છે કે ભારતના રાષ્ટ્રપતિ થયા પછી તેમના કેટલાક મિત્રો અને શિષ્યો તેમનો જનમદિવસ ઉજવવાની પરવાનગી આપવા કહ્યુ . જેના પર તેમણે કી કે મારા જનમદિવસનો પ્રસંગ ઉજવવાની જગ્યા 5 સપ્ટેમ્બરે  શિક્ષક દિવસના રૂપમાં ઉજવવા તો મને ગર્વ અનુભવશે. 
 
ત્યારેથી તેમના જનમદિવસને ભારતમાં શિક્ષક દિવસ ઉજવવા લાગ્યું. જુદા જુદા દેશમાં શિક્ષક દીવસ જુદી જુદી તારીખ પર ઉજવાય છે. જેમ કે ચીનમાં આ 10 સપ્ટેમ્બરે  ઉજવાય છે. તેમજ પાકિસ્તાનમાં 5 ઓક્ટોબરે ટીચર્સ ડે ઉજવાય છે.