સ્વામી અગ્નિવેશના આગમનથી બિગ બોસના ઘરમાં યોગા શરૂ
સ્વામી અગ્નિવેશના બિગ બોસના ઘરમાં જોડાવવાથી એક ફાયદો એ થયો છે કે લડાઈ બંધ થઈ ગઈ છે. વાતાવરણ સકારાત્મક થયુ છે. જોવાનુ એ છે કે સ્વામી આ વાતાવરણ ને ટકાવી રાખવામાં ક્યા સુધી સફળ થાય છે. 39માં દિવસે આખા હાઉસમેટ્સ સૂર્યના ઉદય થતા જ ઉઠી ગયા. સ્વામી દ્વારા બતાવેલ યોગ અને પ્રાણાયામ તેમણે કર્યા. સવારની તાજી હવાએ તેમની અંદર ખુશી ઉત્પન્ન કરી. બ્રેકફાસ્ટ પછી સ્કાય એ સ્વામીને બહારની દુનિયા વિશે પૂછવુ શરૂ કર્યુ. સ્કાય જાણવા માંગે છેકે શો મા જે બતાડવામાં આવી રહ્યુ છે શુ તેનાથી તેમનો પરિવાર પ્રભાવિત થઈ રહ્યો છે. સ્વામી અગ્નિવેશે તેમને આશ્વાસન આપ્યુ કે બહારની દુનિયા આ વાતથી પરિચિત છે કે બિગ બોસના ઘરમાં રહેનારા કેવી પરિસ્થિતિમાં રહી રહ્યા છે. તેનાથી તેમનો વ્યવ્હાર થોડો વિચિત્ર થવો સ્વાભાવિક છે.