શુક્રવાર, 29 માર્ચ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. »
  3. વાસ્તુ
  4. »
  5. વાસ્તુ લેખ
Written By વેબ દુનિયા|

દિશા અને તમારૂ સ્વાસ્થ્ય

N.D
પુર્વ : પુર્વ દિશા પિતૃઓનું સ્થાન છે અને પુરૂષ-સંતાનની ઉત્પત્તિનો સ્ત્રોત છે. એટલા માટે આ દિશામાં કોઈ પણ અવરોધ ન હોવો જોઈએ. આ દિશામાં કોઈ પણ અવરોધ હોય તો પિતૃઓ નારાજ થઈ જાય છે અને પુરૂષ-સંતાન ઉત્પત્તિ રોકાઈ જાય છે.

અગ્નિ ખુણો : અગ્નિ ખુણો સ્વાસ્થ્યનું પ્રતિક છે. આ દિશામાં દોષ આવવા પર ત્યાંના રહેવાસીઓનું સ્વાસ્થ્ય બગડી જાય છે.

દક્ષિણ : દક્ષિણ દિશા સુખ સંપન્નતાનો સ્ત્રોત છે. આ દિશા કોઈ પણ દોષ વિનાની રહે છે તો ઘરમાં કાયમ સુખ-શાંતિ જળવાઈ રહે છે અને પાક પણ સારો થાય છે.

નૈઋત્ય ખુણો : વ્યવહાર અને ચરિત્રના વિકાસ માટે નૈઋત્ય ખુણાનો નિર્દેશ હોવો જરૂરી છે. આ દિશા લાંબુ જીવન અને મોતના કારણ માટે પણ જવાબદાર છે. સારા સ્વાસ્થ્ય, દીર્ધ જીવન અને વ્યાવહારિક કુશળતા માટે નૈઋત્ય ખુણો યોગ્ય હોવો જરૂરી છે.

પશ્ચિમ : પશ્ચિમ દિશાનું સ્વાસ્થ્ય, સંપન્નતા, નામ અને યશ માટે નિર્દેશ હોવો જરૂરી છે.

વાયવ્ય ખુણો : આમાં વ્યાપાર, મિત્રતા અને શત્રુતામાં પરિવર્તનનો સ્ત્રોત સંતાયેલ છે.

ઉત્તર દિશા : ઉત્તર દિશા માતૃનું સ્થળ છે. આ દિશા નિર્દેશ થવા પર કન્યા-સંતાનની ઉત્પત્તિ થાય છે. આ દિશામાં કોઈ પણ પ્રકારનો દોષ ન આવવો જોઈએ.

ઈશાન ખુણો : સ્વાસ્થ્ય, વંશવૃદ્ધિ, સંપત્તિ અને સંપન્નતા માટે ઈશાન કોઈ પણ પ્રકારના દોષ વિનાનો હોવો જરૂરી છે.