શુક્રવાર, 29 માર્ચ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. વાસ્તુ
  3. વાસ્તુ સલાહ
Written By
Last Modified: સોમવાર, 8 સપ્ટેમ્બર 2014 (15:21 IST)

વાસ્તુ શાસ્ત્ર - આ રીતે થશે તમારા વંશની ઉન્નતિ

ઘર જો વાસ્તુદોષથી દૂર હોય તો અઅનેક મુશ્કેલીઓ તમારાથી દૂર થઈ શકે છે. આપણે ઘર તો બનાવીએ છીએ પણ તેમા વાસ્તુદોષો પર વિચાર નથી કરતા. 
 
અહી તમને કેટલીક ટિપ્સ આપી રહ્યા છીએ જેનાથી તમારા ઘરના માત્ર વાસ્તુદોષ દૂર થવા  ઉપરાંત્ર તમારા વંશની ઉન્નતિ પણ થશે. 
 
- ઘરના ઉત્તર-પૂર્વમાં ક્યારેય પણ કચરો એકત્ર ન થવા દો અને ત્યા ભારે મશીન પણ ન મુકશો. 
- તમારા વંશની ઉન્નતિ માટે ઘરના મુખ્ય દ્વાર પર અશોકનુ વૃક્ષ બંને બાજુ લગાવો. 
- ઘરમાં પૂજા ઘરમાં દેવતાઓના વ્હિત્ર ભૂલથી પણ સામ સામે ન રાખવા જોઈએ.  આનાથી મોટો દોષ ઉત્પન્ન થાય છે. 
- ઘરના ઈશાન ખૂણાને સ્વચ્છ અને ખુલુ રાખો. તેનાથી ઘરમાં શુભત્વનો વધારો થાય છે.  
-ઘરના મંદિરમાં દેવી દેવતાઓ પર ચઢાવેલ પુષ્પ હાર બીજા દિવસે હટાવી લેવો જોઈએ.