માછલીનુ એક્વેરિયમ આમ તો લોકો શોખથી પોતાના ઘરમાં મુકે છે પરંતુ વાસ્તુશાસ્ત્રીઓની સલાહ માનીએ તો માહિતી વગર ઘરમાં એક્વેરિયમ મુકવુ નુકશાનદાયક સાબિત થાય છે. એટલુ જ નહી એક્વેરિયમને ફક્ત શોપીસની જેમ સજાવવાથી કામ નથી ચાલતુ, પરંતુ માછલીઓની દેખરેખ કરવી પણ જરૂરી છે. નાના-મોટા વિવિધ સાઈઝના એક્વેરિયમ દરેકે ક્યારેક ને ક્યારેક તો જોયા જ હશે. પરંતુ આ વાતો ઓછા લોકો જાણતા હશે કે એક્વેરિયમ ખરીદતી વખતે કેટલીક વાતોને ધ્યાનમાં રાખવી પડે છે.