નવા ઘરમાં મંદિર ક્યાં બનાવશો?
જો તમારા ઘરમાં મંદિર અલગ જ રૂમમાં હોય તો સૌથી શ્રેષ્ઠ છે પરંતુ જો આવું ન હોય તો તેને એવા રૂમમાં રાખો જ્યાં તમે સુતા ન હોય. મંદિર બનાવતી વખતે અને પૂજા કરતી વખતે નીચેની બાબતોનું ધ્યાન રાખો- * મંદિરને ઉપરથી ગુબંદનો આકાર ન આપતાં સીધુ અને સપાટ બનાવો. * દેવાલય જ્યાં સુધી બની શકે ત્યાં સુધી ઈશાન ખુણામાં જ બનાવો. જો ઈશાન ખુણામાં શક્ય ન બને તો પૂર્વ કે પશ્ચિમમાં સ્થાપિત કરો. * મંદિરમાં કુલ દેવતા, દેવી, અન્નપુર્ણા, ગણપતિ, શ્રીયંત્ર વગેરેની સ્થાપના કરો. * કોઈ પણ તીર્થસ્થળોએથી ખરીદેલી મૂર્તિઓને મંદિરમાં ન રાખશો. પારંપરિક મૂર્તિઓની જ પૂજા કરો. * મૂર્તિઓ કોઈ પણ પરિસ્થિતિમાં ચાર થી પાંચ ઈંચ કરતાં વધારે લાંબી ન હોવી જોઈએ. * નાચતાં ગણપતિ, તાંડવ કરતાં શિવ, વધ કરતાં કાળી માતા વગેરેની મૂર્તિ અને ફોટાઓ ન રાખશો. * મહાદેવની લીંગના રૂપમાં આરાધના કરો, મૂર્તિ ન રાખશો. * પૂજા કરતી વખતે મોઢુ ઉત્તર કે પૂર્વ તરફ હોવું જોઈએ. * દિવો અગ્નિ ખુણામાં જ પ્રગટાવો. પાણીને ઉત્તરમાં રાખો. * પૂજામાં શંખ-ઘંટડીનો પ્રયોગ અવશ્ય કરો. * પૂજાના પવિત્ર પાણીને ઘરના દરેક ખુણામાં છાંટો. * ગળી વસ્તુઓનો ભોગ અવશ્ય ધરાવો. * ખંડિત મૂર્તિઓનું વિસર્જન કરી દો. વિસર્જન પહેલાં તેમને ભોગ અવશ્ય લગાવો.