શુક્રવાર, 29 માર્ચ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. »
  3. વાસ્તુ
  4. »
  5. વાસ્તુ સલાહ
Written By વેબ દુનિયા|

પશુ-પક્ષી દ્વારા ઘરમાં શાંતિ મેળવો

N.D

* જેમના ઘરની આર્થિક સ્થિતિ સારી ન હોય તેમણે પોતાના ઘરની અંદર ચોરસ સિક્કો રાખવો જોઈએ તેમજ કુતરાને દૂધ આપવું જોઈએ.

* ઘરના ઉત્તર અને પૂર્વ ખુણામાં ક્યારેય પણ પગરખાં ઉતારવા નહિ.

* બેડરૂમની અંદર પૂર્વ દિશામાં જ સ્ટડી ટેબલને મુકો અને વાંચતી વખતે ચહેરો પણ પૂર્વ દિશા તરફ રાખો.

* વાસ્તુમાં એટેચ ટોયલટને સ્થાન નથી.

* સો ગ્રામ ચોખાને તેતાલીસ દિવસ સુધી નદીમાં પધરાવો તેનાથી તમારા કષ્ટનું નિવારણ થઈ જશે.

* ચકલીઓને ચણ નાંખવાથી પ્રગતિ થાય છે.

* કીડીઓને ગોળ અને જવનો લોટ નાંખવાથી મનને શાંતિ મળે છે અને ગૃહકલેશ દૂર થાય છે.

* લક્ષ્મી પ્રાપ્તિ માટે 30 મણકાની રુદ્રાક્ષની માળાથી જાપ કરો.