પશુ-પક્ષી દ્વારા ઘરમાં શાંતિ મેળવો
* જેમના ઘરની આર્થિક સ્થિતિ સારી ન હોય તેમણે પોતાના ઘરની અંદર ચોરસ સિક્કો રાખવો જોઈએ તેમજ કુતરાને દૂધ આપવું જોઈએ. * ઘરના ઉત્તર અને પૂર્વ ખુણામાં ક્યારેય પણ પગરખાં ઉતારવા નહિ. * બેડરૂમની અંદર પૂર્વ દિશામાં જ સ્ટડી ટેબલને મુકો અને વાંચતી વખતે ચહેરો પણ પૂર્વ દિશા તરફ રાખો. * વાસ્તુમાં એટેચ ટોયલેટને સ્થાન નથી. * સો ગ્રામ ચોખાને તેતાલીસ દિવસ સુધી નદીમાં પધરાવો તેનાથી તમારા કષ્ટનું નિવારણ થઈ જશે. * ચકલીઓને ચણ નાંખવાથી પ્રગતિ થાય છે. * કીડીઓને ગોળ અને જવનો લોટ નાંખવાથી મનને શાંતિ મળે છે અને ગૃહકલેશ દૂર થાય છે. * લક્ષ્મી પ્રાપ્તિ માટે 30 મણકાની રુદ્રાક્ષની માળાથી જાપ કરો.