શુક્રવાર, 29 માર્ચ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. વાસ્તુ
  3. વાસ્તુ સલાહ
Written By
Last Updated : મંગળવાર, 7 ઑગસ્ટ 2018 (18:07 IST)

વાસ્તુના 5 ઉપાય , ઘરમાં વધે છે સુખ સમૃદ્ધિ

ઘર કે ઑફિસમાં સુખ સમૃદ્ધિ વધારવા માટે વાસ્તુમાં ઘણા ઉપાય જણાવ્યા છે. આ ઉપાયોથી નકારાત્મક ઉર્જાને ખત્મ કરીને વાતાવરણને સકારાત્મક બનાવી શકાય છે. 


 
વાસ્તુ મુજબ પૂર્વ ઉત્તર દિશા વધારે ઉર્જાવાન દિશાઓ છે. આ દિશાઓથી સ્વાસ્થય , સમૃદ્ધિ અને રચનાત્મક શક્તિના વિકાસ થાય છેૢ લાકડીથી બનેલી વસ્તુઓ ઘર કે ઑફિસમાં પૂર્વ દિશામાં રાખવા શુભ હોય છે. અહીં જાણો વાસ્તુના ઉપાય. 
 
1. જો તમે ઘર , ઑફિસ કે શો રૂમના પૂર્વી ભાગમાં લાકડીના ફર્નીચર કે લાકડીથી બનેલી વસ્તુઓ જેમ કે અલમારી , શો-પીસ ,છોડ કે લાકડીના ફ્રેમથી સંકળાયેલા ફોટો લગાડશો તો સકારાત્મક લાભ મળી શકે છે. 
 
2. ઘર , દુકાન કે ઑફિસમાં સુખ શાંતિ વધારવા છે તો આ દિશાઓમાં છોડ કે લાકડીની વસ્તુઓ રાખવી જોઈએ. 

3. અણીવાળા સાધનો જેમ કે કાતર , ચાકૂ વગેરે ક્યારે પણ આ રીતે  નહી રાખવા જોઈએ કે એના અણી બહારની તરફ હોય . 
 
4. શયન કક્ષમાં છોડ નહી રાખવા જોઈએ. પણ રોગી માણસના કમરામાં તાજા ફૂલ રાખી શકો છો. આ ફૂલોને રાતમાં રૂમમાંથી હટાવી દેવા જોઈએ. 
 
5. માનસિક તનાવથી બચવા મટે ચંદનથી બનેલી ધૂપબતી પ્રગટાવો આથી તનાવ ઓછા થાય છે અને શાંતિ મળે છે.