શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. વર્લ્ડ કપ સમાચાર
Written By
Last Modified: સોમવાર, 2 માર્ચ 2015 (12:00 IST)

ભારતને અનુકૂળ રહે એવી પિચો પર મેચ આપવામાં આવી - સરફરાજ નવાઝનો આરોપ

પાકિસ્તાનના પૂર્વ ઝડપી બોલર સરફરાઝ નવાજે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ પર વર્તમન વિશ્વ કપમાં ભારતીય ટીમનો પક્ષ લેવાનો આરોપ લગાવતા કહ્યુ કે અગાઉની ચેમ્પિયન ટીમને તેના મજબૂત પક્ષ મુજબ પિચો આપવામાં આવી રહી છે. 
 
પાકિસ્તાન તરફથી 55 ટેસ્ટ અને 45 વનડે રમનારા સરફરાજે એક ટીવી ચેનલ શો દરમિયાન કહ્યુ, "તમે વિશ્વ કપમાં અત્યાર સુધી રમાયેલ મેચોને જુઓ જ્યા ભારત એવી પિચો પર રમ્યુ જે તેમના મજબૂત પક્ષ મુજબ તૈયાર કરવામાં આવી હતી." 
 
સરફરાજે કહ્યુ કે પાકિસ્તાનને એવી પિચો પર રમાડવામાં આવી જે તેમને માટે સહેલી નહોતી. તેમણે કહ્યુ,  "આજની મેચને જુઓ. તેના પર ડબલ ઉછાળ હતો જે અમારા મજબૂત પક્ષમ મુજબ નથી. હુ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને આ મુદ્દો આઈસીસી સાથે ઉઠાવવ અને એ જાણવા માટે કહીશ કે શુ ચાલી રહ્યુ છે." સરફરાજે કહ્યુ કે પાકિસ્તાનને આઈસીસીમાં વિરોધ નોંધાવવો જોઈએ. કારણ કે જોઈ શકાય છે કે રમતની વૈશ્વિક સંસ્થા ભારતનો પક્ષ લઈ રહી છે.