મુખપૃષ્ઠ > જ્યોતિષશાસ્ત્ર > વાસ્તુ > સલાહ > નવા ઘરમાં મંદિર ક્યાં બનાવશો?
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
નવા ઘરમાં મંદિર ક્યાં બનાવશો?

P.R
જો તમારા ઘરમાં મંદિર અલગ જ રૂમમાં હોય તો સૌથી શ્રેષ્ઠ છે પરંતુ જો આવું ન હોય તો તેને એવા રૂમમાં રાખો જ્યાં તમે સુતા ન હોય.

મંદિર બનાવતી વખતે અને પૂજા કરતી વખતે નીચેની બાબતોનું ધ્યાન રાખો-

* મંદિરને ઉપરથી ગુબંદનો આકાર ન આપતાં સીધુ અને સપાટ બનાવો.

* દેવાલય જ્યાં સુધી બની શકે ત્યાં સુધી ઈશાન ખુણામાં જ બનાવો. જો ઈશાન ખુણામાં શક્ય ન બને તો પૂર્વ કે પશ્ચિમમાં સ્થાપિત કરો.

* મંદિરમાં કુલ દેવતા, દેવી, અન્નપુર્ણા, ગણપતિ, શ્રીયંત્ર વગેરેની સ્થાપના કરો.

* કોઈ પણ તીર્થસ્થળોએથી ખરીદેલી મૂર્તિઓને મંદિરમાં ન રાખશો. પારંપરિક મૂર્તિઓની જ પૂજા કરો.

* મૂર્તિઓ કોઈ પણ પરિસ્થિતિમાં ચાર થી પાંચ ઈંચ કરતાં વધારે લાંબી ન હોવી જોઈએ.

* નાચતાં ગણપતિ, તાંડવ કરતાં શિવ, વધ કરતાં કાળી માતા વગેરેની મૂર્તિ અને ફોટાઓ ન રાખશો.

* મહાદેવની લીંગના રૂપમાં આરાધના કરો, મૂર્તિ ન રાખશો.

* પૂજા કરતી વખતે મોઢુ ઉત્તર કે પૂર્વ તરફ હોવું જોઈએ.

* દિવો અગ્નિ ખુણામાં જ પ્રગટાવો. પાણીને ઉત્તરમાં રાખો.

* પૂજામાં શંખ-ઘંટડીનો પ્રયોગ અવશ્ય કરો.

* પૂજાના પવિત્ર પાણીને ઘરના દરેક ખુણામાં છાંટો.

* ગળી વસ્તુઓનો ભોગ અવશ્ય ધરાવો.

* ખંડિત મૂર્તિઓનું વિસર્જન કરી દો. વિસર્જન પહેલાં તેમને ભોગ અવશ્ય લગાવો.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
સંબંધિત જાણકારી શોધો
ઘણું બધુ
બેડ રૂમમાં ન રાખશો...
વાસ્તુ દોષ દૂર કરો
પંચભુતોનું ઘરમાં સ્થાન
અરીસો રાખો યોગ્ય જગ્યાએ
ઘરનો દરવાજો કંઈ બાજુ યોગ્ય?
પ્લોટ ખરીદતાં પહેલાં...