ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. »
  3. વાસ્તુ
  4. »
  5. વાસ્તુ સલાહ
Written By વેબ દુનિયા|

વાસ્તુ દ્વારા લાવો પરિવારમાં ખુશી

N.D
મકાનમાં સ્ટોર રૂમ અથવા ભંડાર ગૃહ ઉત્તર, ઉત્તર અને ઈશાન કોણના મધ્ય, પૂર્વ અને અગ્નેય કોણના મધ્ય કે દક્ષિણ અને અગ્નેય કોણના મધ્ય બનાવવાથી ગૃહ સ્વામી સદા ખુશ અને શક્તિશાળી રહે છે. પરિવાર ખુશી આવે છે અને કોઈ પણ પ્રકારનું કષ્ટ નથી થતુ.

મકાનમાં આંગણ બનાવવા પાછળનો ઉદ્દેશ્ય મકાન માલિક અને તેના પરિવારના સ્વાસ્થ્યની રક્ષા સાથે છે. જે સૂર્ય પ્રકાશ સાથે અને ખુલ્લી હવા સાથે સંબંધિત છે. જે ઘરમાં પ્રાકૃતિક હવા અને સૂર્ય પ્રકાશ સહેલાઈથી પહોંચી શકે તે ઘરના લોકો બહુ ઓછા બીમાર પડે છે. તેઓ હંમેશા ખુશ અને પ્રસન્ન રહે છે.

જો ઘરમાં બેઠક-કક્ષનો ઉપયોગ ખાવા પીવામાં પણ કરવો હોય તો ડાયનિંગ ટેબલ બેઠક-કક્ષના દક્ષિણ પૂર્વમાં મૂકો. જુદો ડાયનિંગ હોલ પૂર્વ કે પશ્ચિમ દિશામાં બનાવવો શુભ હોય છે.