લેખ | સલાહ
મુખપૃષ્ઠ જ્યોતિષશાસ્ત્ર » વાસ્તુ » સલાહ » વાસ્તુ પ્રમાણે આટલુ જરૂર કરો
સલાહ
Bookmark and Share Feedback Print
 

N.D
પ્રાચિન ભારતીય સસ્‍કૃતિ પ્રમાણે આપણે આપણા ભોજનમાંથી થોડો ભાગ કાઢીને વાસ્‍તુ પુરૂષને સમર્પિત કરીને ગાય અથવા કુતરાને આપવો જોઇએ.

- ઘરમાં બંધ પડેલ મ‍શીનને રાખવા જોઇએ નહીં. બંધ પડેલ મશીનને તાત્‍કાલીક રીપેર કરાવી લેવા અથવા તેને ઘરમાંથી દૂર કરવા જોઇએ.

- સાવરણીને એવી જગ્યાએ રાખવી કે બહારથી આવનાર ની નજર સીધી તેના પર ન જાય અથવા ઘરની બહારથી તે નજરમાં ન આવે. વળી સાવરણીને ઊભી પણ ન રાખવી.

- મંદિરમાં એક સાથે ત્રણ માતાજીની પૂજા ન કરવી.

- મંદિરમાં એક સાથે ત્રણ ગણપતીની મૂર્તિ પણ ન રાખવી.

- ઘરમાંથી બહાર આવી ત્‍યાં બગીચામાં વચ્‍ચે હંમેશા તુલસીનો ક્યારો રાખવો જોઇએ.

- બગીચામાં કાંટા વાળા છોડવાઓ ન વાવવા. જેવા કે, વિવિધ પ્રકારના થોર.

- ઘરમાં દરરોજ સવાર-સાંજ પૂજા કરવી જોઇએ. પૂજામાં હંમેશા ગાયના ઘીનો દીવો પ્રગટાવવો જોઇએ. સાથે-સાથે ધૂપ પણ કરવો જરૂરી છે.
સંબંધિત જાણકારી શોધો
આ પણ શોધો: વાસ્તુ, સૂચનો