<?xml version="1.0" encoding="UTF-8"?>
<rss version="2.0" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:atom="http://www.w3.org/2005/Atom">
  <channel>
    <title><![CDATA[સ્વતંત્રતા દિવસ]]></title>
    <link>https://gujarati.webdunia.com/indepandenace-day</link>
    <description><![CDATA[સ્વતંત્રતા પર્વની ઉજવણી કરો વેબ દુનિયા ઉપર, અહી ગુલામીથી લઇને આઝાદી સુધીની ચળવળ સહિતની વિગતો રજુ કરવામાં આવી છે.]]></description>
    <copyright>Copyright webdunia.com</copyright>
    <lastBuildDate>Mon, 15 Jun 2026 00:51:45 +0530</lastBuildDate>
    <language>en-us</language>
    <image>
      <title>સ્વતંત્રતા દિવસ</title>
      <url>https://gujarati.webdunia.com/indepandenace-day</url>
      <link>https://gujarati.webdunia.com/indepandenace-day</link>
    </image>
    <atom:link href="https://gujarati.webdunia.com/rss/indepandenace-day-1021102.rss" rel="self" type="application/rss+xml"/>
    <item>
      <title><![CDATA[ગુજરાતી મહિલા નવલકથાકાર - વિનોદીની]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/indepandenace-day/ગુજરાતી-મહિલા-નવલકથાકાર-વિનોદીની-107081300024_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/indepandenace-day/ગુજરાતી-મહિલા-નવલકથાકાર-વિનોદીની-107081300024_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[વિનોદીની નીલકંઠે ગુજરાતી સા‍હિત્ય જગતમાં વિવિધ રીતે યોગદાન આપ્યું છે. તેમણે ગુજરાતી સાહિત્યમાં નવલકથા, ટૂંકી વાર્તા, નિબંધ, બાળ બાર્તા, અનુવાદ... વગેરે પ્રકારમાં સાહિત્યનું ખેડાણ કર્યું છે. જીવનનાં આશરે 40 વર્ષો સુધી સમાચાર પત્રોનાં માધ્યમ દ્વારા]]></description>
      <content:encoded><![CDATA[- <font  style='font-size:11pt; color:#000000'>અક્ષેશ સાવલિયા <b></b></font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ગુજરાત સાહિત્યનાં પ્રસિદ્ધ સાહિત્યકાર રમણભાઇ નીલકંઠ કે જેમણે ગુજરાતી સાહિત્ય જગતને અમુલ્ય એવી 'રાઈનો પર્વત' અને ભદ્રંભદ્ર' કૃતિઓ આપી છે તથા ગુજરાતનાં પ્રથમ મહિલા સ્‍નાતક વિદ્યાબેનને ત્યાં ફેબ્રુઆરી 1907 માં પુત્રી તરીકે વિનોદીનીનો જન્મ થયો હતો. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>માતા- પિતાની વિદ્યાનો વારસો પુત્રી વિનોદીનીમાં આપ મેળે આવ્યો. વિનોદીની ગુજરાતી તથા અંગ્રેજી બંને વિષય સાથે સ્‍નાતક થયા બાદ વર્ષ 1929 માં ઉચ્ચ અભ્યાસ અર્થે શિષ્‍યવૃત્તિ મેળવીને અમેરીકા ગયા. અમેરીકામાં વધુ અભ્યાસ કરીને અનુસ્‍નાતકની પદવી મેળવી. જેવી રીતે માતા ગુજરાતનાં પ્રથમ મહિલા સ્‍નાતક બન્યા હતાં તેમ વિનોદીની પણ અમેરીકા જનાર પ્રથમ ગુજરાતી મહિલા બન્યા અને અન્ય યુવતીઓ માટે પ્રેરણાસ્‍ત્રોત બન્યા.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ગુજરાત આવ્યા બાદ વિનોદીની નીલકંઠે ગુજરાતી સા‍હિત્ય જગતમાં વિવિધ રીતે યોગદાન આપ્યું છે. તેમણે ગુજરાતી સાહિત્યમાં નવલકથા, ટૂંકી વાર્તા, નિબંધ, બાળ બાર્તા, અનુવાદ... વગેરે પ્રકારમાં સાહિત્યનું ખેડાણ કર્યું છે. જીવનનાં આશરે 40 વર્ષો સુધી સમાચાર પત્રોનાં માધ્યમ દ્વારા સ્‍ત્રી જાગૃતિ વિશે સિંહ ફાળો આપ્યો છે. સાદી છતાં સચોટ શૈલી દ્વારા ગુજરાતીની સીધી-સાદી સ્‍ત્રીઓને ધ્યાનમાં રાખીને ગાંધીયુગનાં વિચારો દ્વારા વિનોદીનીએ સ્ત્રીઓનાં હૃદયમાં ઉચ્ચ સ્‍થાન પામ્યા છે. તેમની અનેક કૃતિઓ પાઠ્યપુસ્‍તકોમાં પણ પ્રકાશિત થતી રહે છે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>તેમની જાણીતી વાર્તા 'દરિયાદિલ' પરથી પ્રખ્યાત ફિલ્મ 'કાશીનો દિકરો' બની છે. જે ફિલ્મને અનેક પુરસ્‍કારો મળ્યા છે. વિવિધ સ્‍થળોની મુલાકાત લઇને તેમને કાગળ પર વર્ણવાની કળા વિનોદીની નીલકંઠે સિદ્ધહસ્‍ત કરી છે. તેમણે ‍હિમાલય સહિત ભારતભરમાં અનેક પ્રવાસ કર્યા છે. પ્રકૃતિ અંગેના તેમના નિબંધ ગ્રંથો 'રસદ્વાર', 'આસીના ભીતરમાં' , 'નિજાનંદ' અને 'વિનોદિની' ઘણા પ્રસિદ્ધ થયા છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>સાહિત્ય સાથે શૈક્ષણિક ક્ષેત્રે પણ વિનોદીનીએ અમૂલ્ય ફાળો આપ્યો છે. વનિતા વિશ્રામ અને મ્યુનિસિપણ ગર્લ્સ હાઇસ્‍કુલનાં આચાર્ય તરીકે પણ પોતાની સેવા આપીને અમદાવાદમાં અગ્રેસર કરી હતી. કોલેજમાં પણ પ્રાધ્યાપિકા તરીકે દસ-દસ વર્ષ સુધી શૈક્ષણિક ક્ષેત્રે યોગદાન આપ્યું હતું. ગાંધીવાદી એવા વિનોદીનીએ દારૂ નિષેધમાં પણ અગ્રેસર રહ્યાં છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>સો વર્ષ પહેલા જન્મેલા વિનોદીની નીલકંઠનો અમુલ્ય ફાળો ગુજરાતની પ્રજા કદી પણ ભૂલશે નહીં......</font>]]></content:encoded>
      <pubDate>Wed, 15 Aug 2007 15:12:32 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 19:21:46 +0530</updatedDate>
      <category><![CDATA[Indepandenace Day]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[એક મહાન યોધ્ધા - રાષ્ટ્રપિતા]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/indepandenace-day/એક-મહાન-યોધ્ધા-રાષ્ટ્રપિતા-107081300021_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/indepandenace-day/એક-મહાન-યોધ્ધા-રાષ્ટ્રપિતા-107081300021_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[ગાંધીજી કે જેઓને દેશના રાષ્ટ્રપિતાનું બિરુદ મળ્યુ છે તેમનું નામ આટલા વર્ષો પછી પણ ખુબ જ હર્ષથી લેવામાં આવે છે.]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:12pt; color:#000000'></font><br/><!--Image--><p><table cellspacing='0' cellpadding='0' border='0'  Align=Right><tr><td valign='top'><img src='/gu/articles/0708/13/images/img1070813021_1_1.jpg' Border=0 class='imgArticle'></td></tr><tr> <td  class='imgSource'><table width='100%' cellpadding='0' cellspacing='0' border='0'><tr><td align='left'>ND</td><td valign='top'>N.D</td><td width='8'></td></tr></table></td></tr></table></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'>ગાંધીજી કે જેઓને દેશના રાષ્ટ્રપિતાનું બિરુદ મળ્યુ છે તેમનું નામ આટલા વર્ષો પછી પણ ખુબ જ હર્ષથી લેવામાં આવે છે. આઝાદીને આ વર્ષે 60 વર્ષ પુરા થશે કે જે આપણને આ મહાન યોધ્ધાને કારણે મળી હતી. અને આજે આપણે બધા જો આટલા બધા ખુશ અને સ્વતંત્ર રીતે રહી શકીએ છીએ તો તે ફક્ત અને ફક્ત મહાત્મા ગાંધીને કારણે જ. તો આવા મહાન યોધ્ધાને આપણે આજના દિવસે કેવી રીતે ભુલી શકીએ કે જેને એક પણ શસ્ત્ર ઉઠાવ્યા વિના લડાઇને જીતી લીધી અને અંગ્રેજોને તેમના દેશ ભણી કરી દીધા. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ગાંધીજીને આપણે ગમે તેટલાં વંદન કરીએ કે તેઓને લગતું કોઇ સારૂ કામ કરીએ છતાં પણ તે બધું તેમના કાર્યની આગળ તો કાંઇ જ નથી. ગાંધીજી એક એવી વ્યક્તિ હતાં જે હંમેશા અહિંસા અને સત્યમાં માનતાં હતાં. તેઓએ પોતાની આખી જીંદગી દરમિયાન કોઇ પણનું ખોટુ કામ નહોતું કર્યું કે કદી કોઇ પણ વિશે ખોટુ વિચાર્યું પણ નહોતું.તેઓ તો બીજાઓને પણ સલાહ આપતાં કે કદી કોઇ વિશે ખોટુ ન વિચારશો પણ નહી અને કાંઇ ખોટુ કરશો પણ નહી. તેઓએ હંમેશા બધા પ્રત્યે સમભાવ રાખ્યો હતો. તેઓની નજરમાં કોઇ પણ માણસ ક્યારેય પણ નીચો કે ઉંચો ન હતો. બધા જ સરખા હતાં. આટલી મહાન વ્યક્તિ અને તેઓનું જીવન કેટલું સરળ અને સાદુ હતું તે જોઇને બે ઘડી વિચાર આવે છે કે શું આવી મહાન વ્યક્તિ ભારતને બીજી વખત મળશે ખરી? </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ગાંધીજી પોતે પણ સત્યના માર્ગ પર ચાલતાં હતાં અને બીજા લોકોને પણ સત્યના માર્ગ પર ચાલવાનું શીખવ્યું હતું. તેઓનો ઉદ્દેશ્ય હતો સત્ય, અહિંસા અને પ્રેમ. તેઓએ ક્યારેય પણ કોઇ વ્યક્તિમાં ભુલ નહોતી જોઇ. પરંતુ જો કોઇ વ્યક્તિ ભુલ કરે તો તે કહેતા કે ભુલ કરો પણ તેમાંથી પણ કાંઇક શીખો.  </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ગાંધીજીનો જન્મ ગુજરાતમાં પોરબંદરની અંદર 2 ઓક્ટોમ્બર, 1869માં થયો હતો. તેઓનું આખુ નામ મોહનદાસ કરમચંદ ગાંધી હતું. તેઓ એકદમ સિધ્ધાંતવાદી માણસ હતાં અને આખી જીંદગી ખુબ જ પ્રામાણીકપણે જીવ્યાં હતાં. તેમના પત્ની કસ્તુરબા પણ તેમને ખુબ જ અનુસરતાં હતાં. તેઓએ ગાંધીજીને જીંદગીના છેલ્લા શ્વાસ સુધી દરેક કામમાં સાથ આપ્યો હતો. તે પણ ખુબ જ ભાવુક, સરળ, પ્રામાણીક અને સિધ્ધાંતવાદી હતાં. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ગાંધીજી ભગવાનમાં ખુબ જ માનતાં હતાં અને તેમની સવાર ભગવાનની પ્રાર્થના સાથે થતી હતી. આની પાછળ તેમની માતા પુતળી બાઇનો ખુબ મહત્વનો હાથ હતો. તેઓ હંમેશા મંદિરે જતી વખતે ગાંધીજીને લઈને જતાં હતાં. તેમને નાનપણથી જ ગાંધીમાં સારા સંસ્કારોનું સિંચન કર્યું હતું. ગાંધીજી ક્યારેય પણ કોઇ જાતિ કે ભેદભાવમાં માનતા નહોતા. તેઓના મતે સર્વ ધર્મ સમાન હતાં. તેઓ કહેતા હતાં કે હિંદુ અને મુસલમાન તેમની બે આંખો સમાન છે. વળી તેઓ કોઇ ઉચ્ચ-નીચમાં પણ માનતાં નહોતા. તેઓએ નીચી જાતિના લોકોને હરિજનનું બિરુદ આપ્યુ હતું. હરિજન એટલે પ્રભુના માણસો. </font><br/>     <font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>અંગ્રેજોના કેટલા બધા અત્યાચાર સહન કર્યાં બાદ પણ તેઓએ ખુબ જ શાંતિથી પ્રદર્શન કર્યું હતું. તેઓ કહેતા કે હુ અંગ્રેજોનો વિરોધ નથી કરતો પણ હુ તો ફક્ત તેમના શાસનનો વિરોધ કરુ છુ. જો તેઓને પણ ભારતમાં રહેવું હોય તો રહે પણ કોઇ પણના શાસન વિના. કેમકે તેઓને મંજૂર નહોતુ કે આપણો દેશ કોઇની ગુલામી કરે. આટલા બધા મહાન હોવા  છતાં પણ કેટલાં સરળ અને સાદા હતાં આપણા બાપુ તેથી તો તેમને મહાત્માનું બિરુદ આપ્યુ હતું.    </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>જો આપણે ગાંધીજીના આખા જીવનમાં ડોકીયુ કરીને જોઇએ તો ઘણી એવી બાબતો છે જે આપણને સ્પર્શી જાય છે. તેઓ જે સિધ્ધાંતોને માનતાં હતાં અને તેનું પાલન કરતાં હતાં તેમાંથી જો આપણે થોડા ઘણા પણ સિધ્ધાંતોને માનીએ અને તેની પર ચાલવાનો પ્રયત્ન કરીએ તો આપણો દેશ કદાચ દુનિયાના બધા જ દેશોમાંથી આગળ નીકળી જાય અને ગાંધીજીનું મહાન ભારતનું સ્વપ્નુ પણ પુરૂ થઈ જાય. તો આવો આજના આ શુભ દિવસે આપણે નિર્ણય લઈએ કે શક્ય હશે તેટલો ગાંધીના માર્ગ પર આપણે ચાલવાનો પ્રયત્ન કરીશું.</font>]]></content:encoded>
      <pubDate>Tue, 14 Aug 2007 21:33:12 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 19:21:46 +0530</updatedDate>
      <category><![CDATA[Indepandenace Day]]></category>
      <authorname>પારૂલ ચૌધરી</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[ભારતના પ્રતિકો]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/indepandenace-day/ભારતના-પ્રતિકો-107081300011_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/indepandenace-day/ભારતના-પ્રતિકો-107081300011_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[આ ગીતની રચના રવિન્દ્રનાથ ટાગોર દ્રારા કરવામાં આવી હતી.  આ ગીત 24 જાન્યુઆરી 1950 ના રોજ રાષ્ટ્રગીતના રૂપે સ્વીકારવામાં આવ્યું હતુ.]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:11pt; color:#000000'></font><br/>- <font  style='font-size:11pt; color:#000000'>આપણું રાષ્ટ્રગીત - જન-ગણ-મણ</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આ ગીતની રચના રવિન્દ્રનાથ ટાગોર દ્રારા કરવામાં આવી હતી.  આ ગીત 24 જાન્યુઆરી 1950 ના રોજ રાષ્ટ્રગીતના રૂપે સ્વીકારવામાં આવ્યું હતુ. આ ગીત પહેલીવાર 1911માં ગવાયું હતુ. જેને આજે દરેક રાષ્ટ્રીય તહેવારોના દિવસે ગવાય છે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>અને જ્યારે શહીદોની અંતિમયાત્રામાં પણ આ ગીતની ધૂન વગાડી તેનું સન્માન કરવામાં આવે છે. આ ગીતને 52 સેકંડમાં પૂરુ કરવું જોઈએ.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/>- <font  style='font-size:11pt; color:#000000'>વંદે માતરમ્ -  </font><br/><font  style='font-size:11pt; color:#000000'>વંદે માતરમ ગીતના બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયે સંસ્કૃતમાં કમ્પોઝ કર્યુ હતુ.  આ ગીત આઝાદીની લડાઈમાં જોશ અને પ્રેરણા આપતું હતુ. આ ગીત જન-ગણ-મણ ની જેમ જ સન્માનીય ગીત છે. આ ગીત સૌ પ્રથમ 1896 કોગ્રેસ અધિવેશનમાં ગવાયું હતુ. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આ ગીત સન્માનીય છે એનો મતલંબ એ નથી કે આ ગીતને જોઈને હાથ જોડવામાં આવે છે કે આ ગીતની પૂજા કરવામાં આવે છે. આ ગીત જ્યારે પણ વાગે ત્યારે આપણે એક ભારતીય હોવાને નાતે પોતાની જગ્યાએ ઉભા થઈ જવું જોઈએ. એ ગીત પછી કોઈ જાહેર જગ્યાએ વાગતું હોય કે રેડિયો પર વાગતું હોય. આ જ 'વંદે માતરમ' ગીતના પ્રત્યેનું આપણું સાચુ સન્માન છે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/>-  <font  style='font-size:11pt; color:#000000'>આપણુ રાષ્ટ્રિય પક્ષી - મોર</font><br/><font  style='font-size:11pt; color:#000000'>મોર- શબ્દ સાંભળતાં જ સૌ પ્રથમ આપણી સામે એક સુંદર નાચતો મોરનું દ્રશ્ય આવી જાય છે. મોર એક સુંદર પક્ષી હોવાની સાથે-સાથે એક પવિત્ર પક્ષી પણ ગણાય છે.  શ્રીકૃષ્ણ ભગવાને પણ મોરના પીંછાને પોતાના મુગટમાં સ્થાન આપ્યુ છે.  આ પવિત્ર પક્ષી આપણું રાષ્ટ્રીય પક્ષી છે. એક તો મોર આપણું રાષ્ટ્રીય પક્ષી છે અને બીજુ તે શ્રીકૃષ્ણ ભગવાનના મુગટમાં પીંછાના રૂપમાં શોભનીય છે તેથી ભારતીય લોકોના મનમાં મોર પ્રત્યે એક અલગ જ ભાવ છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/> - <font  style='font-size:11pt; color:#000000'>આપણુ રાષ્ટ્રીય પ્રાણી -  વાઘ</font><br/><font  style='font-size:11pt; color:#000000'>વાઘ આપણું રાષ્ટ્રીય પ્રાણી છે. વાઘ માત્ર શક્તિશાળી પ્રાણી જ નહી પણ તે ભારતીય દેવી શક્તિનું વાહન પણ છે. શક્તિની દેવીએ જ્યારે રાક્ષસોનો વિનાશ માટે લડાઈ કરી હતી ત્યારે વાઘ તેમની સવારી હતી. વાઘ ભારતના જંગલની શાન અને ગૌરવ છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>લોકોના શિકારના શોકને કારણે આ વાઘ નું પ્રમાણ ઘટી ગયું હતુ. આથી ભારત સરકારે વાઘના રક્ષણ માટે એક ખાસ કાર્યક્રમ ચલાવ્યો હતો, જેના કારણે આજે વાઘની સ્થિતિ સંખ્યાની દ્રષ્ટિએ સારી છે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/> - <font  style='font-size:11pt; color:#000000'>સિંહની પ્રતિકૃતિ</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આ પ્રતિક સામાન્ય રીતે દરેક ભારતીય સિક્કાઓ અને ચલણી નોટો પર જોવા મળે છે. આ સિંહની પ્રતિકૃતિ કુલ ચાર સિંહની બનેલી છે જેમાં ત્રણ સામે જ દેખાય છે અને બાકીનો એક પાછળ છુપેલો છે. આ પ્રતિક શોર્ય, શક્તિ અને વિશ્વાસનું પ્રતિક છે. આ પ્રતિકૃતિની નીચે અશોલ ચક્ર છે જેની આસપાસ ચાર દિશાઓ સૂચવનારા ચાર પ્રાણીઓ છે, જેમાં ઉત્તરમાં સિંહ, પૂર્વમાં હાથી, દક્ષિણમાં ઘોડો, અને પશ્ચિમમાં બળદ ચિત્ર છે. બાકીની જગ્યામાં સોળે કળાએ ખીલેલું કમળ છે. સોથી નીચે સત્યમેવ જયતે સત્યનો વિજય સૂચવે છે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/> - <font  style='font-size:11pt; color:#000000'>આપણો રાષ્ટ્રધ્વજ</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આપણી આઝાદીનું પ્રતિક છે આપણો તિરંગો, જેના વિશે આપણા પ્રથમ પ્રધાનમંત્રી શ્રી જવાહરલાલ નહેરું એ જણાવ્યુ હતું કે  ' રાષ્ટ્ર્ધ્વજ માત્ર ભારતની આઝાદીનું જ નહી પણ ભારતમાં રહેનારા દરેક નાગરિકની આઝાદીનું પ્રતિક છે. આ ધ્વજ ત્રણ રંગનો બનેલો છે. જેમાં ઉપરનો કેસરે રંગ શોર્ય અને ત્યાગનો સૂચક છે. જે ભારતના શહીદોની શોર્યતા અને ત્યાગને દર્શાવે છે.  વચ્ચેનો સફેદ રંગ સત્ય અને શાંતિનો પ્રતિક છે, જે દર્શાવે છે કે ભારતના લોકો સત્યપ્રેમી અને શાંતિનો સંદેશ આપનારા છે. લીલો રંગ વિશ્વાસ અને હરિયાળી બતાવે છે. જે દર્શાવે છે કે આપણો દેશ ખેતીથી સમૃધ્ધ છે. અને વિશ્વાસ એ આપણુ ઘરેણુ છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/> - <font  style='font-size:11pt; color:#000000'>રાષ્ટ્રીય ફુલ</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>કમળ એ ભારતનું રાષ્ટ્રીય ફુલ છે લક્ષ્મી દેવીએ તેને પોતાનું આસન બનાવ્યું છે તેથી તે એક ધાર્મિક ફુલ છે. પૌરાણિક દ્રષ્ટિએ  કમળ ભારતીય સંસ્કૃતિમાં શુભ સ્થાન ધરાવે છે. કમળ એ દિવ્યતા, હરિયાળી, સમૃધ્ધિ, જ્ઞાન, વિજય અને બોધ આપનારું પ્રતિક છે. કમળ કાદવમાં ઉગે છે અને હજારો વર્ષ સુધી ટકી રહે છે તેથી તે લાંબુ આયુષ્ય, સન્માન અને સારી તકોનું પણ પ્રતિક છે. </font>]]></content:encoded>
      <pubDate>Tue, 14 Aug 2007 19:29:14 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 19:21:46 +0530</updatedDate>
      <category><![CDATA[Indepandenace Day]]></category>
      <authorname>કલ્યાણી દેશમુખ</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[ગુજરાતનો સ્વાતંત્ર્યસંગ્રામ અને ઉદ્દવિકાસ]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/indepandenace-day/ગુજરાતનો-સ્વાતંત્ર્યસંગ્રામ-અને-ઉદ્દવિકાસ-107081300012_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/indepandenace-day/ગુજરાતનો-સ્વાતંત્ર્યસંગ્રામ-અને-ઉદ્દવિકાસ-107081300012_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[1 નવેમ્બર, 1956ના રોજ દ્વિભાષી મુંબઇ રાજયની રચનાં થતાં ગુજરાત, સોરાષ્ટ્ર અને કચ્છનું એકીકરણ થયું. મહાગુજરાતની રચના ન થતાં ભાષાકીય પ્રાંતરચનાની ચળવળે જોર પકડયું અને શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકની આગવાની નીચે આ લડત શરૂ થઇ.]]></description>
      <content:encoded><![CDATA[- <font  style='font-size:11pt; color:#000000'>અક્ષેશ સાવલિયા </font><font style='font-size:11pt;'></font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ગુજરાતમાં દેશ ભક્તિની પ્રવૃત્તિઓ 19મી સદીમાં શરૂ થઇ હતી અને કવિ નર્મદે ગુજરાતમાં રાષ્ટ્ર જાગૃતિ જગાવી. દાદાભાઇ નવરોજીએ મુંબઇ અને ગુજરાતમાં આર્થીક તથા રાજકીય ક્ષેત્રે પ્રજાને જાગૃત કર્યા. 1871માં સૂરત અને ભરૂચમાં તથા 1872માં અમદાવાદમાં 'પ્રજાસમાજ' નામની રાજકીય સંસ્થા સ્થપાઇ હતી.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>મુંબઇમાં 1885ના ડિસેમ્બરમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના કરવામાં ગુજરાતીઓએ મુખ્ય ભાગ ભજવ્યો હતો. આ કોંગ્રેસમાં ગુજરાતી આગેવાન દાદાભાઇ નવરોજી, ફિરોજશાહ મહેતા, દિનશા વાચ્છા, ડો. હરિ હર્ષદ ધ્રુવ, અંબાલાલ દેશાઇ વગેરે હતા. 1902માં અમદાવાદમાં કોંગ્રેસનું મહાઅધિવિશન ભરાયું તે ગુજરાત સભાને આભારી અને તેમાં જનતામાં રાષ્ટ્રીય જાગૃતિનો સંચાર જગાવ્યો.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/>1905<font  style='font-size:11pt; color:#000000'>ના સમયમાં ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિની પ્રેરણા વડોદરાની કોલજના અધ્યાપક અરવિંદ ઘોષ પાસેથી મળી.આ જ સમયે શ્યામજી કૃષ્ણ વર્માએ લંડનમાં 'ધી ઇંડિયન સોશિયોલોજિસ્ટ' નામનું માસિક શરૂ કરીને તથા 'ધી ઇંડિયન હોમરૂલ સોસાયટી' સ્થાપીને દેશ માટે ક્રાંતિકારી પ્રવૃતિ કરવાની શરૂવાત કરી હતી. 1916 ઓક્ટોબરમાં થિયોસોફિસ્ટ મગનભાઇ પટેલે અમદાવાદમાં એની બેસંટની હોમરૂલ લીંગની શાખા સ્થાપી હતી. ગુજરાતમાં હોમરૂલનો પ્રચાર કરવા મુંબઇથી 'બોમ્બે ક્રોનિકલ'ના તંત્રી બી.જી. હોમીભાભા, ક્નૈયાલાલ મુનશી, જમનાદાસ દ્વ્રારકાદાસ વગેરે નેતાઓ જોડાયા હતાં. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી 1915માં ભારત આવ્યા અને 1915ના મેના 25 તારીખે અમદાવાદમાં કોચરબમાં સત્યાગ્રહાશ્રમની સ્થાપના કરી. આ દરમિયાન જ પ્રથમ વિશ્ર્વ યુદ્ધ ચાલતું હતું. જેના કારણે મિલ માલિકો અને મજૂરો વચ્ચે ઝઘડાઓ ઊભા થતા તેના નિવારણ માટે ગાંધીજીએ પંચની રચના કરી અને અંતે 1920માં મજૂર મહાજનની સ્થાપના કરી હતી. 18મી ઓકટોબર, 1920ના રોજ અમદાવાદમાં ગૂજરાત વિધાપીઠની સ્થાપના પણ ગાંધીજીએ જ કરી.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/>- <font  style='font-size:11pt; color:#000000'>આમ ફકત એક વર્ષમાં એટલેકે 1921માં ગાંધીજીએ 'સ્વરાજ'નો નાદ દેશભરમાં ફેલાવ્યો. </font><br/>- <font  style='font-size:11pt; color:#000000'>ડિસેમ્બર 1921માં અમદાવાદમાં ભરાયેલા કોંગ્રેસના અધિવેશનની સ્વાગત સમિતિના અધ્યક્ષ વલ્લભભાઇ પટેલ હતાં.</font><br/>- 13<font  style='font-size:11pt; color:#000000'>મી એપ્રિલ, 1923ના રોજ નાગપુરમાં સિવિલ લાઇંસમાં ધ્વજ સહિતના સરઘસને પ્રવેશવા ન દેતાં, શરૂ થયેલા ઝંડા સત્યાગ્રહની આગેવાની વલ્લભભાઇ એજ કરી હતી.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/>8<font  style='font-size:11pt; color:#000000'>મી ઓગસ્ટ, 1942ના રોજ મુંબઇમાં મળેલી કોંગ્રેસની મહાસમિતિની બેઠકમાં 'હિંદ છોડો'નો ઠરાવ કરવામાં આવ્યો. 9મી ઓગસ્ટની સવારે દેશભરનાં નેતાઓ સહિત અમદાવાદમાં માવળંકર, ભોગીલાલ, અર્જુન લાલા સહિત 17, સૂરતમાં ચંપકલાલ, છોટુલાલ મારફતિયા સહિત 40, વડોદરામાં છોટુલાલ સુતરિયા, પ્રાણલાલ મુનશી સહિત 21 અને પંચમહાલ, ભરૂચ, ખેડા, સોરાષ્ટ્રનાં મોટા ભાગના તમામ નેતાઓની ધરપકડ કરવામાં આવી તેમજ તાલુકા કોંગેસ સમિતિઓને ગેરકાયદેસર જાહેર કરવામાં આવી.  </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/>2<font  style='font-size:11pt; color:#000000'>જું વિશ્ર્વયુદ્ધ પુરૂ થયા બાદ કેબિનેટ મિશન યોજના મુજબ 1946માં વચગાળાની સરકાર રચવામાં આવી. લોર્ડ માઉંટબેટન ગવર્નર-જ્નરલ તરીકે આવ્યા, બાદમાં 3 જૂન, 1947ની યોજના મુજબ દેશનું વિભાજન કરવાનું નક્કી થયું. 15મી ઓગષ્ટ, 1947ના રોજ ભારત આઝાદ થયું. તેની સાથે મોહમ્મદ અલી જીણાના કારણે પાકિસ્તાનનો ઉદ્દભવ થયો, આમ બે સ્વતંત્ર રાજયોનો ઉદ્દભવ થયો. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/>1 <font  style='font-size:11pt; color:#000000'>નવેમ્બર, 1956ના રોજ દ્વિભાષી મુંબઇ રાજયની રચનાં થતાં ગુજરાત, સોરાષ્ટ્ર અને કચ્છનું એકીકરણ થયું. મહાગુજરાતની રચના ન થતાં ભાષાકીય પ્રાંતરચનાની ચળવળે જોર પકડયું અને શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકની આગવાની નીચે આ લડત શરૂ થઇ. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/>8<font  style='font-size:11pt; color:#000000'>મી ઓગષ્ટ, 1956ના રોજ અમદાવાદમાં કોંગ્રેસ હાઉસ સામે દેખાવકારો પર પોલીસે ગોળીબાર કર્યા. તેમાં ચાર યુવાનો માર્યા ગયા અને 100 જેટલા ઘાયલ થયા. થોડા દિવસોમાં આ ચળવળ આખા ગુજરાતમાં ફેલાઇ ગઇ. ઇન્દુલાલ યાજ્ઞિકની આગેવાની હેઠળ સપ્ટેમ્બર, 1956માં મહાગુજરાત જનતા પરિષદની રચના કરવામાં આવી. હિંસક બનાવોના વિરોધમાં મોરારજી દેસાઇએ ઉપવાસ કર્યા. અમદાવાદમાં વડાપ્રધાન જવાહરલાલ નેહરૂની સભા સામે ઇન્દુલાલ યાજ્ઞિકની સમાંતર સભામાં લાખોની માનવમેદની ઊમટી પડી. છેવટે માર્ચ, 1960માં કેન્દ્ર સરકારે દ્વિભાષી મુંબઇ રાજયના વિભાજનનો ખરડો પસાર કર્યો અને 1મી મે, 1960ના રોજથી સોરાષ્ટ્ર, કચ્છ સહિત ગુજરાતના અલગ રાજયની રચના કરવામાં આવી. ગાંધીનગર તેનું પાટનગર(કેપિટલ) બન્યું.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/> <font  style='font-size:11pt; color:#000000'>છેલ્લે બળવંતરાય મહેતા સમિતિની ભલામણો પ્રમાણે ગુજરાત રાજયે સત્તાના વિકેન્દ્રિકરણનો સિદ્વાંત સ્વીકાર્યો, જેથી જિલ્લા, તાલુકા અને ગ્રામપંચાયત કક્ષાએ સત્તાનું વિકેન્દ્રિકરણ થયું અને વિકાસમાં જિલ્લા પંચાયતોનો ફાળો મળવાનો શરૂ થયો. આજનાં સમયમાં મોદી સરકારમાં ગુજરાતનો સુવર્ણયુગ શરૂ થયો છે અને વિકાસમાં સૌથી આગળ રાજયોમાં ગુજરાતનું નામ સૌથી આગળ આવે છે. 26મી જાન્યુઆરી, 2001ના રોજ કચ્છ્માં આવેલા ભયંકર ભૂંકપ અને પછી 2002માં ગોધરાકાંડ તથા કોમી દંગા થયા તો પણ ગુજરાતે વિકાસમાં પીછે હટ નથી કરી. આમ, ગુજરાતનો વિકાસ એ દેશનો વિકાસ છે જે ભારતને એક મહા સત્તાના રૂપે 2020માં લઇ આવશે તેવી ખાતરી ભૂ.પૂ. રાષ્ટૃપતિ અબ્દુલ કલામ આઝાદે કરી હતી. જય હિંદ..... </font>]]></content:encoded>
      <pubDate>Tue, 14 Aug 2007 19:28:34 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 19:21:46 +0530</updatedDate>
      <category><![CDATA[Indepandenace Day]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[ઊઠો, જાગો અને ધ્યેય પ્રાપ્ત કરો]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/indepandenace-day/ઊઠો-જાગો-અને-ધ્યેય-પ્રાપ્ત-કરો-107081300013_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/indepandenace-day/ઊઠો-જાગો-અને-ધ્યેય-પ્રાપ્ત-કરો-107081300013_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA['ઊઠો, જાગો અને ધ્યેય પ્રાપ્ત થાય, ત્યાં સુધી મંડીયા રહો' - આ સુત્રના રચાયતા સ્વામી વિવેકાનંદ હતા.]]></description>
      <content:encoded><![CDATA[- <font  style='font-size:11pt; color:#000000'>અક્ષેશ સાવલિયા </font><font style='font-size:11pt;'></font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/>'<font  style='font-size:11pt; color:#000000'>ઊઠો, જાગો અને ધ્યેય પ્રાપ્ત થાય, ત્યાં સુધી મંડીયા રહો' આ સુત્રના રચાયતા સ્વામી વિવેકાનંદનો જન્મ 12મી જાન્યુઆરી 1863ના રોજ કોલકોતામાં સીમલા નામના પરામાં વસતા દત્ત પરિવારમાં થયો હતો. તેમના પિતાનું નામ વિશ્ર્વનાથ દત્ત અને માતાનું નામ ભુવનેશ્ર્વરી દેવી હતું. તેમના પિતા શ્રીમંત વકીલ હતાં. તેઓને શિવભક્તિમાં અચળ શ્રદ્ધા હતી. માતા  ભુવનેશ્ર્વરીદેવી ભગવદ્ભક્તિ પરાયણ મહિલા હતા. કિશોર નરેન્દ્ર સત્યના આગ્રહી હતા. નિર્ભયતા અને સમયસૂચકતા એમના જીવનનો મૂળ મંત્ર હતો. તેમની  યાદશકિત હતી કે  જે પુસ્તક તે વાંચે તે મોઢે થઇ જાય. તેઓએ કોલકત્તાની જનરલ એસેમ્બલી કોલેજમાંથી બી.એનો અભ્યાસ ક્રમ પૂરો કર્યો તે પહેલા જ નરેન્દ્રના પિતાનું અવસાન થયું.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>પિતાના અવસાન બાદ પરિવારની તમામ જવાબદારી નરેન્દ્ર ઉપર આવી હતી. તેઓ પણ નોકરી માટે રાત દિવસ રખડયાં પણ તેઓને નોકરી ના  મળી. તેજ સમયમાં તેઓ રામકૃષ્ણ પરમહંસના શિષ્ય બન્યાં અને તેઓ અખાડામાં જતા ત્યારે તેઓને સ્વામી બ્રહ્માનંદ મળ્યા તેઓએ તેને બ્રહ્મ સમાજની ગંભીર  ઉપાસના ભર્યા ભજનો સંભળાવી પ્રભાવિત કરી દીધાં. તેમના ગુરૂની કૃપાથી તેઓને આધ્યાત્મિક જિજ્ઞાસા પરિતૃપ્ત થઇ અને તેઓએ 1884માં સંન્યાસ ધારણ  કર્યો અને છેવટે 'વિવેકાનંદ' નામ ધારણ કરી તેઓ અમેરિકા ગયા. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/>11<font  style='font-size:11pt; color:#000000'>મી સપ્ટેમ્બર, 1893ના રોજ અમેરિકાના શિકાગો શહેરના ભવ્ય કોલંબસ હોલમાં તેઓએ તેનું વક્તવ્ય શરૂ કર્યું ' માય ડિયર સિસ્ટર્સ એંડ બ્રધર્સ ઓફ  અમેરિકા' વિષય પર સંબોધન આપનારા 30 વર્ષના ભારતના યુવાન સંન્યાસી યુગપ્રવર્તક, યુગાચાર્ય, સ્વામી વિવેકાનંદે વિશ્ર્વધર્મ પરિષદના ધર્મસુધારકોને  સ્તબધ કરી દીધા હતા. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>સ્વામી વિવેકાનંદ કહેતા કે મને ચારિત્ર્યવાન 100 યુવાનો આપો, હું સમગ્ર રાષ્ટ્રની કાયાપલટ કરી બતાવીશ. તેઓ કહેતાં કે સારાં પુસ્તકો વગરનું ઘર સ્મશાન  જેવું છે. તેઓએ દેશ - વિદેશની યાત્રા કરીને ભારત પાછા ફર્યા ત્યારે યુગપુરૂષ બનીને આ ધરતી પર મૂકનાર સપૂતને સત્કારવા ઉત્સાહ અને આનંદનું મોજું ફરી વળેલું. 1897માં તેઓએ શ્રી રામકૃષ્ણ મિશનની  અને 1899માં બેલૂરમઠની સ્થાપના કરી હતી. આજે પણ દેશ-વિદેશમાં બેલૂરમઠના સંચાલન હેઠળની 165 જેટલા  આશ્રમો ચાલે છે. તેઓએ 1899માં હિમાલયની ઉત્તુંગ ગિરિમાળામાં અદ્વૈત આશ્રમની સ્થાપના કરી. પ્રવૃદ્ધ ભારત સામાયિકનું સંપાદન કરવાનું શરૂ કર્યું. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>વિદેશમાં  વેદાંત પ્રચારનું કાર્ય આગળ ધપાવતા તેઓ 29મી જૂન, 1899માં ફરી પશ્ર્વિમના પ્રવાસે ગયા. 9મી ડિસેમ્બર, 1990માં તેઓ હિન્દ પરત ફર્યા. તેઓની  તબીયત લથડતા તેઓએ બેલૂર મઠનું સંચાલન ટ્ર્સ્ટીમંડળને સોપ્યું અને આજથી એક સૈકા પુર્વે અર્થાત 4 જુલાઇ, 1902ના શુક્રવારના રોજ હિન્દુ અસ્મિતાના  આ ઉદ્દગાતાનું માત્ર 32 વર્ષની નાની વયે અવસાન થયું. આજે ભલે સ્વામી વિવેકાનંદને અવસાન પામ્યાને 10 વર્ષ પુરા થયા, પણ તેમના વિચારો વાગોળીને જરૂર સમાજને કંઇક કરી બતાવીશું તથા નવી પેઢીને  પણ પ્રેરણાદાયી બની રહેશે. </font>]]></content:encoded>
      <pubDate>Tue, 14 Aug 2007 19:27:58 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 19:21:46 +0530</updatedDate>
      <category><![CDATA[Indepandenace Day]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[સરદાર પટેલ એક અજોડ પ્રતિભા]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/indepandenace-day/સરદાર-પટેલ-એક-અજોડ-પ્રતિભા-107081300014_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/indepandenace-day/સરદાર-પટેલ-એક-અજોડ-પ્રતિભા-107081300014_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[સરદાર વલ્લભભાઇ પટેલનું નામ સાંભળતાની સાથે જ જાણે કે આપણે એક પ્રકારનો ગર્વ અનુભવીએ છીએ. સરદાર વલ્લભભાઇ પટેલ એક અજોડ પ્રતિભા  હતાં.]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>સરદાર વલ્લભભાઇ પટેલનું નામ સાંભળતાની સાથે જ જાણે કે આપણે એક પ્રકારનો ગર્વ અનુભવીએ છીએ. સરદાર વલ્લભભાઇ પટેલ એક અજોડ પ્રતિભા  હતાં.   </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આપણા લોક લાડીલા અને આઝાદીની ચળવળમાં મહત્વનો ભાગ ભજવનાર સરદાર વલભભાઇ પટેલને આપણે આજે આટલા વર્ષો પછી પણ ભુલી શકીએ તેમ નથી. કેમકે તેમને જે અમુલ્ય યોગદાન આપ્યુ છે આપણા દેશ માટે તેને આપણી કેવી રીતે ભુલી શકીએ! સરદાર વલ્લભભાઇ પટેલ કે જેઓને લોખંડી પુરુષ તરીકે ઓખવામાં આવે છે તેઓનો જન્મ ગુજરાતમાં નડિયાદના એક સામાન્ય ખેડુતના ઘરમાં 31મી ઓક્ટોમ્બર, 1875માં થયો હતો. તેમના માતા-પિતા ખુબ જ ધાર્મિક હતાં. વલ્લભભાઇએ તેમનું શિક્ષણ ગુજરાતીમાં જ લીધું હતું. ત્યાર બાદ તેઓ 1910માં વકીલાત માટે ઇગ્લેંડ ગયાં હતાં. 1913માં તેઓને વકીલની  પદવી મળ્યા બાદ ભારત પાછા ફર્યા હતાં. ત્યાર બાદ તેઓ ગાંધીજીથી પ્રભાવીત થઈને આઝાદીની ચળવળ માટે તેમની સાથે જોડાઇ ગયાં હતાં. ગાંધીજી અને સરદાર વલ્લભભાઇનો સંબંધ ગુરુ-શિષ્ય જેવો હતો. </font><br/>  <font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>વલ્લભભાઇને ખેડૂતો પ્રત્યે ખુબ જ પ્રેમ હતો. તેથી તેઓએ ખેડૂતો માટે ખુબ જ સારા કાર્યો કર્યાં હતાં. જ્યારે 1928માં સરકારે ખેડૂતો પર જમીનને લગતો ટેક્સ  નાંખો ત્યારે તેઓએ ખેડૂતોને સત્યાગ્રહ માટે તૈયાર કર્યાં અને તે ટેક્સ ભરવાની મનાઇ કરી દીધી. તેઓએ ખેડૂતો સાથે મળીને બારડોલી સત્યાગ્રહ કર્યો હતો.  </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>તેથી સરકારે વલ્લભભાઇને અને  ખેડૂતોને પણ જેલમાં પુરી દીધા હતાં. ત્યારથી ગાંધીજીએ તેમને 'સરદાર'નું બીરુદ આપ્યુ હતું.    </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/>1930 <font  style='font-size:11pt; color:#000000'>માં જ્યારે ગાંધીજીએ મીઠા માટે સત્યાગ્રહ કર્યો હતો ત્યારે તેમાં પણ વલ્લભભાઇ તેમની સાથે હતાં. 1942માં ગાંધીજીએ 'ભારત છોડો' આંદોલન શરૂ કર્યું  ત્યારે પણ બ્રીટીશ સરકારની વિરુધ્ધ વલ્લભભાઇ તેમની સાથે હતાં તેથી બ્રીટીશ સરકારે ગાંધીજી, જવાહરલાલ સહિત વલ્લભભાઇને પણ જેલમાં પુરી દીધા હતાં. તેઓ પોતાના દેશ માટે ઘણી વખત જેલમાં ગયાં હતાં. તેઓ જ્યારે જેલમાં હતાં તે સમયે જ તેઓના માતા પિતાનું મૃત્યું થઈ ગયું હતું છતાં પણ તેઓ સહેજ પણ નહોતા ડગ્યાં.   </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>તેઓનુ મૃત્યું 1950માં ડીસેમ્બરમાં બોમ્બેમાં થયું હતું. તે સમયે જાણે કે ગુજરાતે કોઇ મહાન યોધ્ધો ખોયો હોય તેટલો આધાત લાગ્યો હતો. ગુજરાતમાં આવા મહાન પુરૂષો પહેલા પણ હતાં અને આજે પણ છે અને હંમેશા થતાં આવશે. પણ બીજા સરદાર વલ્લભભાઇ પટેલ ક્યારે મળશે તે ખબર નથી. આવા મહાનુભવોને લીધે જ આજે ગુજરાતનો જયજયકાર થઈ રહ્યો છે. ભારતને આઝાદી અપાવવામાં ગુજરાતના પણ ઘણા મહાનુભવોનો ફાળો છે.   </font>]]></content:encoded>
      <pubDate>Tue, 14 Aug 2007 19:27:16 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 19:21:46 +0530</updatedDate>
      <category><![CDATA[Indepandenace Day]]></category>
      <authorname>પારૂલ ચૌધરી</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[સ્વતંત્રસંગ્રામની મહાન નારીઓ]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/indepandenace-day/સ્વતંત્રસંગ્રામની-મહાન-નારીઓ-107081300015_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/indepandenace-day/સ્વતંત્રસંગ્રામની-મહાન-નારીઓ-107081300015_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[આઝાદીના 60 વર્ષ થયા છતાં પણ આપણે તે મહાન નારીઓને નથી ભુલ્યા જેઓએ એક સમયે ભારત માતા માટે પોતાનો 

જીવ આપવાની પણ તૈયારી બતાવી હતી.]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ભારતમાં સદીઓથી સ્ત્રીઓ પુંજાતી રહી છે. ક્યારેક એક દેવીની રૂપે તો ક્યારેક માતાના રૂપે અને આઝાદીની ચળવળમાં ભાગ લેનાર મહિલાઓને પણ આપણે  દેવીથી ઓછુ સન્માન નથી આપતાં. આઝાદીના 60 વર્ષ થયા છતાં પણ આપણે તે મહાન નારીઓને નથી ભુલ્યા જેઓએ એક સમયે ભારત માતા માટે પોતાનો  જીવ આપવાની પણ તૈયારી બતાવી હતી. તેઓ પણ દેશ માટે જેલમાં ગયાં હતાં અને એટલુ જ નહી પણ બ્રિટીશ સરકાર સામે હિંમત પુર્વક લડ્યાં હતાં.  આઝાદી અપાવવા પાછળ ફ્કત પુરૂષોનો જ નહી પણ મહિલાઓનો પણ ખુબ જ મોટો ફાળો છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>તો આવો જોઈએ એવી કેટલીક મહિલાઓના નામ જેઓએ પોતાના દેશ માટે મહાન ફાળો આપ્યો હતો. જ્યારે આપણે આવી મહાન મહિલાઓના નામ યાદ  કરીએ છીએ ત્યારે સૌથી પહેલા આપણને રાણી લક્ષ્મીબાઇ યાદ આવી જાય છે. જેઓ પોતાના રાજ્યને બચાવવા માટે અંગ્રેજોની સામે લડ્યાં હતાં. તેમના પતિ  ગંગાધર રાવનું મૃત્યું થયું ત્યારે તેઓને કોઇ પણ પુત્ર હતો નહી તો તેઓએ દત્તક પુત્ર લીધો અને અંગ્રેજોને પોતાનું રાજ્ય સોંપવાની ના પાડી દીધી. તેઓએ  પોતાની સેનાને અંગ્રેજો સામે લડવા માટે તૈયાર કરી અને તેઓએ પોતે પણ એક પુરૂષના કપડા પહેરીને યુધ્ધમાં ગયાં હતાં અને છેલ્લા શ્વાસ સુધી લડ્યાં હતાં. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>તેઓએ અંગ્રેજો સામે યુધ્ધ કરવાનું પસંદ કર્યું હતું પણ તેઓને શરણે થવાનુ પસંદ નહોતું કર્યું. રાણી લક્ષ્મીબાઇ આજે પણ દરેક મહીલાઓ માટે એક પ્રેરણામૂર્તિ  સમાન છે કે જે સ્ત્રીઓ આર્મીમાં છે અને પોતાના દેશ માટે કાઇક કરવા માંગે છે. આવી વીરાંગનાઓની આજે પણ ભારતમાં કાંઇ ઉણપ નથી. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>કહેવાય છે કે દરેક સફળ પુરૂષ પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે. તો આવા એક બીજા મહાન મહિલા થઈ ગયાં જેમનું નામ હતું કસ્તુરબા ગાંધી જે આપણા  રાષ્ટ્રપિતા ગાંધીજીના પત્ની હતાં. જેઓએ ગાંધીજીને દરેક ક્ષણે હિંમત આપી હતી અને દરેક ક્ષણે તેમની સાથે જ હતાં. આઝાદી માટે જેટલી કુરબાનીઓ  ગાંધીજીએ આપી છે તેટલી કુરબાનીઓ તેમના પત્ની કસ્તુરબાએ પણ આપી છે. તેઓ પણ આઝાદી માટે બે વખત જેલમાં ગયાં હતાં. અને જેટલાં કષ્ટ બાપુએ  વેઠ્યાં હતાં તેટલાં જ કષ્ટ કસ્તુરબાએ પણ વેઠયા હતાં.  </font><br/>   <font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>સરોજીની નાયડુએ પણ પોતાના દેશ માટે અમુલ્ય ફાળો આપ્યો છે. આઝાદીની ચળવળ વખતે જ્યારે ગાંધીજીને જેલમાં પુરી દીધા હતાં ત્યારે તેઓએ લગભગ  2000 જેટલાં સ્વયંસેવકો તૈયાર કર્યાં હતાં. તેઓ પોતે પણ જેલમાં ગયાં હતાં. ગાંધીજી અને ગોખલેના સંપર્કમાં આવ્યા બાદ તેઓએ તેમને સલાહ આપી હતી કે  તમે તમારી બધી જ શક્તિ દેશનાનો હીત માટે ઉપયોગ કરો. તેઓએ લોકોને પ્રેરણા પુરી પાડવા અને દેશભક્તિ માટે ઉત્સાહીત કરવા માટે ઘણા બધા આર્ટીકલ  પણ લખ્યાં હતાં. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ઇંદીરા ગાંધી જે ભારતના પહેલા મહીલા વડાપ્રધાન હતાં તેઓએ ભારત માટે ખુબ જ મહત્વનાં કાર્યો કર્યાં હતાં. 1938માં તેઓ કોંગ્રેસના અધ્યક્ષ બન્યાં હતાં.  અને ત્યાર બાદ 1959માં ભારતનાં વડાપ્રધાન તરીકે તેઓની પસંદગી કરવામાં આવી હતી. તેઓએ ભારતના વિકાસને લગતાં ઘણા કાર્યો કર્યા હતાં. ભારતના  પછાત વર્ગોને આગળ લાવવા માટે પણ તેઓએ ઘણા પ્રયત્નો કર્યાં હતાં. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>તેવી જ રીતે મેડમ કામા, કમલા નહેરૂ, વીજયાલક્ષમી પંડિત, સુચીતા કૃપલાણી વગેરે જેવી મહાન નારીઓએ પણ ભારતના વિકાસ અને તેની આઝાદી માટે  ખુબ જ મહત્વનો ભાગ ભજવ્યો હતો. જે આજની નારીઓને પણ કાંઇક કરી બતાવવાની પ્રેરણા આપે છે અને સાથે સાથે એ પણ બતાવે છે કે એક સ્ત્રી ધારે તો  ઘણુ બધુ કરી શકે છે. જેમકે  હમણાનું જ એક તાજુ ઉદાહરણ લઇએ કલ્પના ચાવલા. કે જેનું એક અવકાશ યાત્રા દરમિયાન મૃત્યુ થયું હતું પણ તે મહિલાઓને  ઘણુ બધુ કરવાની પ્રેરણા અને હિંમત આપતી ગઈ. આજે પણ ભારતમાં આવી મહાન નારીઓ છે જેને લીધે ભારત દેશ મહાન કહેવાય છે. </font>]]></content:encoded>
      <pubDate>Tue, 14 Aug 2007 19:26:44 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 19:21:46 +0530</updatedDate>
      <category><![CDATA[Indepandenace Day]]></category>
      <authorname>પારૂલ ચૌધરી</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[ગાંધીજીનું પ્રોફેશનલ મેનેજમેંટ]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/indepandenace-day/ગાંધીજીનું-પ્રોફેશનલ-મેનેજમેંટ-107081300017_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/indepandenace-day/ગાંધીજીનું-પ્રોફેશનલ-મેનેજમેંટ-107081300017_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[ભારતને આઝાદી અપાવવામાં પરોક્ષરીતે વિશ્ર્વયુદ્ધ ભલે નિમિત બન્યું પરંતુ સ્વતંત્રતા માટે ક્રાંતિનો પહેલો ભડકો 

કરનાર વીર મંગલ પાંડે થી લઇને મહાત્મા ગાંધીજી અને લોખંડી સરદાર સુધીના દરેક શહીદોનું યોગદાન જેવું તેવું નહોતું.]]></description>
      <content:encoded><![CDATA[- <font  style='font-size:11pt; color:#000000'>અક્ષેશ સાવલિયા </font><font style='font-size:11pt;'></font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>બીજા વિશ્ર્વયુદ્ધમાં લશ્કરી તાકાતે જીતીને બળીયો સાબિત થયેલું બ્રિટન આર્થિકરીતે ભાંગી ગયું હતું અને તેના કારણે તેણે 1947માં ભારતને આઝાદ કરવું  પડયું.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આ વાતને ચાલુ મહિને 60 વર્ષ પુરા થયાં. ભારતને આઝાદી અપાવવામાં પરોક્ષરીતે વિશ્ર્વયુદ્ધ ભલે નિમિત બન્યું પરંતુ સ્વતંત્રતા માટે ક્રાંતિનો પહેલો ભડકો  કરનાર વીર મંગલ પાંડે થી લઇને મહાત્મા ગાંધીજી અને લોખંડી સરદાર સુધીના દરેક શહીદોનું યોગદાન જેવું તેવું નહોતું. સરફરોશ ક્રાંતિકારો હજારો હતાં, પણ  તે બધામાં સોથી વધુ પ્રસિદ્દિ ગાંધીજીને મળી. ફકત એટલા માટે નહિં કે જીવનના લગભગ ત્રણ દાયકા આઝાદીની લડત પાછળ તેમણે વીતાવી દીધા. દેશની  સેવામાં જવાહરલાલ નહેરૂ, આચાર્ય ક્રિપલાની, મોલાના આઝાદ, સુભાષચંદ્દ બોઝે પણ વર્ષોના વર્ષોના આપી દીધા હતાં. આમ છતાં ગાંધીજીની વિરાટ પ્રતિભા સામે બીજાનું યોગદાન ઓછું દેખાયું.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>અલબત, શા કારણે ? આજે પ્રોફેશનલ મેનેજમેંટના જમાનામાં મેનેજમેંટનીજ ભાષામાં વાત કરો તો કદાચ એ સવાલનો જવાબ મળી રહેશે. વકિલ મોહનદાસ  કરમચંદ ગાંધીની છબિ મેનેજેમેંટ ગૂરૂ તરીકે ઉપસી આવે તે સ્વાભાવિક છે. ગોરી હકૂમતને કયા મુદે સિફતપૂર્વક પડકારવી, મુદાને કેટલો અને ક્યાં સુધી  ચગાવવો અને છેવટે સત્યાગ્રહના ભાગરૂપે ઉપવાસ ઉપર ઊતરીને અંગ્રેજોને શી રીતે ઝૂકાવવા એ દરેક બાબતે ગાંધીજી ખૂબ જ સભાન હતાં. માટેજ સત્યાગ્રહનું  દરેક પગલું તેઓ ગણતરીપૂર્વક ભરતા હતાં.</font><br/> <font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>શસ્ત્રસજ્જ અંગ્રેજો સામે અહિસંક લડત આદરીને સમગ્ર વિશ્ર્વની નજરમાં અંગ્રેજોને વિલન પુરવાર કરી દેવાને  મળેલી સફળતા મેનેજમેંટમાં તેમની કોઠાસૂજનું ઉદાહરણ છે, તો બીજો દાખલો દાંડી યાત્રા પણ છે. કે જેમાં માત્ર અંગ્રેજો સલ્તનતને જ નહિં, પરંતુ સમગ્ર  દુનિયાને ખળભળાવ્યું. દાંડી યાત્રા એક અનોખો વિચાર હતો, જેનું દેશવ્યાપી માર્કેટિંગ કરવામાં વપરાયેલી પ્રોડક્ટ મીઠું એટલેકે સોલ્ટ હતી. આને જ કહેવાય મહાત્મા ગાંધીજીનું પ્રોફેશનલ મેનેજમેંટ. જો આજે ગાંધીજી જીવિત હોત તો તેઓને ભારતની સોથી બેસ્ટ આઇ આઇ એમ(</font><font style='font-size:11pt;'>IIM)</font><font style='font-size:11pt;'>માં મેનેજમેંટ ગુરૂનું સ્થાન  ધરાવતા હોત. શું તમારે પણ ગાંધીજી જેવું મેનેજમેંટ શીખવું છે? જો હા તો આજથી જ ગાંધીજીના જીવન ચરિત્રને ધ્યાનમાં લઇને આધ્યાત્મિક ગુરૂ બની જાવ,  તમને સફળતા જરૂર મળશે. તથાસ્તુ....</font><br/></font>]]></content:encoded>
      <pubDate>Tue, 14 Aug 2007 19:25:04 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 19:21:46 +0530</updatedDate>
      <category><![CDATA[Indepandenace Day]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA['વંદે માતરમ્' સંસ્કૃત નહીં સંસ્કૃતિ છે.]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/indepandenace-day/વંદે-માતરમ્-સંસ્કૃત-નહીં-સંસ્કૃતિ-છે-107081300018_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/indepandenace-day/વંદે-માતરમ્-સંસ્કૃત-નહીં-સંસ્કૃતિ-છે-107081300018_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA['વંદે માતરમ્'ના ગીતનો અર્થ ફકત રાષ્ટ્ર્ભક્તિનું ગીત નથી, પરંતુ તે આદર્શો અને સંકલ્પોને આપણા નિત્ય સાથે જોડવાનું છે, કે જેમણે આપણા દેશને 
સ્વાતંત્રતા સંઘર્ષને અનુપ્રાણિત કર્યું હતું.]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:11pt; color:#000000'></font><br/>'<font  style='font-size:11pt; color:#000000'>વંદે માતરમ્'ના ગીતનો અર્થ ફકત રાષ્ટ્ર્ભક્તિનું ગીત નથી, પરંતુ તે આદર્શો અને સંકલ્પોને આપણા નિત્ય સાથે જોડવાનું છે, કે જેમણે આપણા દેશને સ્વાતંત્રતા સંઘર્ષને અનુપ્રાણિત કર્યું હતું. પરંતુ આઝાદ ભારતના આ સમયમાં 'વંદે માતરમ્'ને લઇને ઘણા વિવાદો ઊભા થઇ ગયા છે. લેખક તેમજ પ્રશાસનિક અધિકારી શ્રી મનોજકુમાર શ્રીવાસ્તવએ 'વંદે માતરમ્'નામના પુસ્તક લખીને આ વિવાદોને હલ કરવાનો પ્રયત્ન કર્યો છે. હાજર છે આ ક્રાંતિ-ગીતના સાહિત્યેતિહાસિક અભ્યાસની એક નાની એવી રજુઆત - </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>હાલના સમયમાં ઘણા સ્વઘોષિત બુદ્ધિજીવી 'વંદે માતરમ્'ને લેખક બંકિમચંદ્રને દ્વિરાષ્ટ્રવાદના સિદ્ધાંતના જનકની જેમ રજૂ કરે છે. બ્રુસેલ્સમાં 2-4 મે, 2004ના દિવસે થયેલા આંતરરાષ્ટ્રીય કોમ્યુનિસ્ટ સેમિનારમાં એક ભારતીય પ્રતિનિધિ દળે તેના પેપરમાં કહ્યું કે હિન્દૂ રાષ્ટ્રના સિદ્ધાંતનું પહેલુ સ્પષ્ટ પ્રતિપાદન બંકિમચંદ્ર ચેટર્જીએ બંગાળી ભાષામાં લખેલા તેના ઉપન્યાસ આનંદ-મઠમાં કર્યું છે. 'વંદે માતરમ્' આ ઉપન્યાસનું અંગ છે. પાકિસ્તાનના સમાચાર-પત્ર 'ડેઇલી ટાઇમ્સ'માં ખાલેદ અહમદે લખયું છે (10.11.2002) કે જેમણે કુખ્યાત 'વંદે માતરમ્' લખ્યું તેમનું નામ બંકિમચન્દ્ર હતું. જોવાની વાત એ છે કે આ તે વ્યક્તિના માટે કહેવવામાં આવે છે જેમણે 1874માં બંગદર્શનમાં લખ્યું છે કે, બંગાળ એકલા હિન્દુઓની મિલકત નથી.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>પેઢીઓથી બંગાળમાં હિન્દૂ-મુસ્લિમ સાથે - સાથે રહેતા આવ્યા છે. આજે દુર્ભાગ્યવશ તેમની વચ્ચે અંતર વધતું જાય છે. બધાના હિતમાં આ દિવસોમાં સમુદાયોંમાં ભાઇચારો રહે તેવી લાગણી વ્યકત કરૂ છું. 'જો બંકિમચંદ્દ્ર મુસ્લિમ વિરોધી હોતા તો તેમના ઉપન્યાસ 'સીતારામ'(1886)માં એક પાત્ર દ્વ્રારા આવું કહેડાવતા કે 'જો તમે હિન્દૂ અને મુસલમાનને બરાબર ન સમજતા હોય તો હિન્દૂ અને મુસલમાન બન્ને દ્વ્રારા સમાયેલી આ જમીનમાં આપણા રાજ્યને સુરક્ષિત નહી રાખી શકો. તમારો અભિકલ્પિત ધર્મ રાજ્ય પાપના શાસનમાં અપધટિત થઇને રહી જાશે'. કેમકે આ લેખ આનંદ-મઠ કે બંકિમ ઉપર નથી, પરંતુ જે વાત અહીં નક્કિ કરવાની છે તે એ છે કે એક પાકિસ્તાની લેખક અને એક ભારતીય પક્ષના બંકિમના પ્રતિ એક જેવા વિચાર. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>હવે આ વાત ઉપર આવી એ કે 'વંદે માતરમ્' અંગ્રેજો વિરોધી નહોતું? આપણા 9 બુદ્ધિજીવીઓ આ ગીતને આનંદ-મઠમાં મુસ્લિમોંના વિરૂદ્ધ સક્રિય જોવે છે ના તો અંગ્રેજો વિરૂદ્ધ. પરંતુ ખૂદ અંગ્રેજોને આ વિષયમાં કોઇ શક નહોતો કે આ ગીતનું સાચું નિશાન કોણ હતું. 'આ એક ભયંકર દેવીના પારકા જૂલ્મની વિરૂદ્ધ સતત સહકાર છે'-તેવું સર વેલેંટાઇન ચિરોલે 'ઇંડિયન અનરેસ્ટ'નામના પુસ્તકમાં લખ્યું હતું. આના થોડા વર્ષો પહેલા જી.એ.ગ્રિયર્શન ધ ટાઇમ્સ (લંડન)માં પ્રકાશિત એક લેખમાં(12મી સપ્ટેમ્બર, 1906) લખ્યું કે 'વંદે માતરમ્'ની માં મૃત્યું અને વિનાશની દેવી છે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ચિરોલ-ગ્રિયર્શન વ્યાખ્યાને સરકારી મુજબ રોલેટ ક્મેટી રિપોર્ટ (1918)માં સમાવ્વામાં આવી, જેમાં માનવામાં આવ્યું કે ક્રમશઃ આ રાષ્ટ્રગીતના સ્તર સુધી આગળ આવી ગયું છે. આપણા નેતાઓને પણ કોઇ ભ્રમ ન્હોતો. બિપિનચંદ્દ્ર પાલના એક લેખ 'માતરમ્ ઇન વંદે માતરમ્' (વીકલી ન્યું ઇંડિયા, ઓક્ટોબર, 1906)માં કહ્યું કે ગીતની માતા રાષ્ટ્રમાતા છે. શ્રી અરવિન્દે લખ્યું કે (1908) 'ના ફકત  આ રાષ્ટ્રગીત નથી પરંતુ પવિત્ર મંત્રો વાળી સશક્ત ઉર્જાથી સંયુક્ત છે. આ ઉર્જા આનંદ-મઠના લેખકને પ્રાપ્ત થઇ, જેમને અભિ-પ્રેરિત રૂષિની સંજ્ઞા આપી શકાય'. 'બંકિમચંદ્દ્ર ચટર્જીએ સ્વયં આ ગીતના બાબતે કશું નહીં કહ્યું. હરીશચંદ્ર હલધરની 1885માં 'માં' પેંટિગમાં આ ગીતનો સીધી અસર દેખાય છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આજે પણ બલિદાન અને દેશપ્રેમની જ્વાળા આ 'વંદે માતરમ્' ગીતના અંદરથી ઓછી નથી થઇ. અક્ષરધામ મંદિરમાં આતંકવાદીઓ દ્વ્રારા બાળકોને ગોળી મારવાના પહેલા 'વંદે માતરમ્' કહેડાવવાનો મતલબ શું હતો? આજ 'વંદે માતરમ્'નો અનુવાદ કરીને એ.આર. રહેમાન 'માં તુઝે સલામ' ગીત ગાય છે તો તે ગજબ હોય છે. આવી હાલતમાં શું ઝગડો સલામ અને પ્રણામનો છે? 'વંદે માતરમ્'માં જો એક વાઇબ્રેટરી એનર્જી (પ્રતિક્મ્પનકારી ઉર્જા)છે. આ ઇતિહાસની અનુગૂંજ છે. આ સંસ્કૃત નથી, સંસ્કૃતિ છે. બલિદાન, સર્વસ્ય, સમર્પણ અને ત્યાગની સંસ્કૃતિ.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>દક્ષિણપંથની પ્રતિક્રિયામાં સંસ્કૃત અને સંસ્કૃતિમાંથી પણ રીસાવાનો એક નવો રિવાજ આ દિવસોમાં નવ-બુદ્ધિજીવિઓમાં મને જોવા મળે છે. પિયરે બોર્દોએ સાંસ્કૃતિક પૂંજીના પ્રતિ બેજ્વાબદાર બનવાથી કોમ્યુનિસ્ટોને આગ્રહ કર્યો હતો, કારણ કે નહિતર આ પૂંજીનું વિનિયોજન અને નિવેશન સામ્પ્રદાયિક તાકાતે કરીજ લેતી. પરંતુ આ દિવસો સહમતી, સબરગ જેવી સંસ્થાઓએ 'સાઝા સંસ્કૃતિ'નો જે એક પ્રક્લ્પ શરૂ કર્યો છે તેમાં જે કોઇ સાઝું નથી, તે બ્રાહ્મણવાદી અને સામ્પ્રદાયિક થવાને રોકી દેવાના લાયક માનવામાં આવે છે. પરંતુ આ ગીતને પુરાણીક નહીં, નવા પરીવર્તનની નઝરથી જોવું જોઇએ.  </font>]]></content:encoded>
      <pubDate>Tue, 14 Aug 2007 19:24:35 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 19:21:46 +0530</updatedDate>
      <category><![CDATA[Indepandenace Day]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[અહિંસાત્મક ક્રાંતિથી ખુશ નહતો : મોલાના]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/indepandenace-day/અહિંસાત્મક-ક્રાંતિથી-ખુશ-નહતો-મોલાના-107081300019_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/indepandenace-day/અહિંસાત્મક-ક્રાંતિથી-ખુશ-નહતો-મોલાના-107081300019_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[મોલાના અબ્દુલ કલામ આઝાદેઅ તેમની પુસ્તક 'આઝાદીની વાર્તા'માં ભારત છોડો આંદોલન અંગે લખ્યું છે કે કોંગ્રેસ કાર્યસમિતિનો પ્રસ્તાવ પ્રકાશિત થવાની સાથેજ આખા ભારતમાં વિજળીનું મોજુ ફરી વળ્યું.]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>મોલાના અબ્દુલ કલામ આઝાદેઅ તેમની પુસ્તક 'આઝાદીની વાર્તા'માં ભારત છોડો આંદોલન અંગે લખ્યું છે કે કોંગ્રેસ કાર્યસમિતિનો પ્રસ્તાવ પ્રકાશિત થવાની સાથેજ આખા ભારતમાં વિજળીનું મોજુ ફરી વળ્યું. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>લોકો એ પણ ના વિચારી શક્યા કે તેમાં કઇ કઇ બાબતો રાખવામાં આવી છે, પરંતુ તેઓએ એવું મહેસુસ કર્યું કે કોંગ્રેસ અંગ્રેજોને હિન્દુસ્તાનમાંથી ફેકી દેવા માટે જન આંદોલન શરૂ કરી રહી છે. તુરંત લોકો અને સરકાર બંને એની ચર્ચા 'ભારત છોડો આંદોલન'ના સ્વરૂપમાં કરવા લાગ્યા.આ પ્રસ્તાવને પાસ કર્યા પછી કાર્યસમિતિએ સરકારની પ્રતિક્રિયાની રાહ જોવાનો નિર્ણય લીધો. જો સરકારે આ માંગણીને સ્વીકારી લીધી અથવા ઓછામાં ઓછુ સહમતિ કરવાની પ્રવૃતિ દેખાડી તો આગળના વિચાર-વિમર્શ માટે આશા રહેશે અને જો સરકારે માંગ અસ્વીકાર કરી તો ગાંધીજીના નેતૃત્વમાં સંઘર્ષ શરૂ કરી દેવામાં આવશે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>વિદેશી સંવાદદાતા મોટી સંખ્યામાં વર્ધા આવી પહોચ્યા હતા કારણકે તેઓની એ જાણવાની પ્રબળ ઇચ્છા હતી કે કાર્યસમિતિએ શું નિર્ણય લીધો છે. 15મી જુલાઇના રોજ ગાંધીજીએ એક સંવાદદાતા સમ્મેલન બોલાવ્યું હતું. તેઓએ એક પ્રશ્ર્નના જવાબમાં જણાવ્યું કે આંદોલન પ્રારંભ થશે તો આ અંગ્રેજોની સતાની વિરૂદ્ધ એક અહિંસાત્મક ક્રાંતિ હશે.હું આ સ્વીકાર કરૂ છુ કે આ સ્થિતિથી હું ખુશ નહોતો. મે આ પ્રસ્તાવનો વિરોધ ન કર્યો, કે જેમાં સીધી કાર્યવાઇ ઉપર ભાર આપ્વામાં આવ્યો હતો, પરંતુ હુ આ પ્રસ્તાવના પરિણામની બાબતે વધુ આશાવાદી નહોતો.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>મેં ધાર્યું કે  સરકારની પ્રતિક્રિયા શું હશે. તે મુજબ જ્યારે વાઇસરોયે ગાંધીજી અથવા તેના પ્રતિનિધિને મળવાની ના પાડી તો મને કોઇ આશ્ર્ચર્ય ન થયું. આ ઘટનાથી મેં એવો નિર્ણય લીધો કે અખિલ ભારતિય કોંગ્રેસ સમિતિની એક બેઠક બોલાવવામાં આવે, જે આ મુદ્દા ઉપર વધારે ગંભીરતાથી વિચાર કરે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/>7<font  style='font-size:11pt; color:#000000'>મી ઓગસ્ટ, 1942ના રોજ મુંબઇમાં બેઠક બોલાવામાં આવી. ગાંધીજીએ પણ આ બૈઠકમાં તેમનું ભાષણ આપ્યું. આ વિષય ઉપર બે દિવસ સુધી વિચાર-વિમર્શ ચાલતો રહ્યો અને છેલ્લે થોડાક સામ્યવાદિયોંના વિરોધ પછી 8મી ઓગસ્ટની સાંજે 'ભારત છોડો' નો એતિહાસિક પ્રસ્તાવ પાસ થઇ ગયો. </font><font style=' color:#FF0000;'></font><br/>(<font  style='font-size:11pt; color:#FF0000'>નઇ દુનિયા) </font>]]></content:encoded>
      <pubDate>Tue, 14 Aug 2007 19:23:54 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 19:21:46 +0530</updatedDate>
      <category><![CDATA[Indepandenace Day]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[લાલ કિલ્લા પર 16 ઓગષ્ટે રાષ્ટ્રધ્વજ !]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/indepandenace-day/લાલ-કિલ્લા-પર-16-ઓગષ્ટે-રાષ્ટ્રધ્વજ-107081300020_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/indepandenace-day/લાલ-કિલ્લા-પર-16-ઓગષ્ટે-રાષ્ટ્રધ્વજ-107081300020_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[શું ખરેખર લાલ કિલ્લા ઉપર 16મી ઓગષ્ટે રાષ્ટ્રધ્વજ લહેરાયો હતો ? હા, લાલ કિલ્લા ઉપર 15મી ઓગસ્ટે રાષ્ટ્રિય ધ્વજ લહેરાવ્યો હતો એવી માન્યતા
લોકોના દિમાગમાં છે તે ધારણા ખોટી છે તેવું આઝાદીના 60માં વર્ષમાં દેશના ફૌજી અખબારે બતાવ્યું છે.]]></description>
      <content:encoded><![CDATA[- <font  style='font-size:11pt; color:#000000'>અક્ષેશ સાવલિયા </font><font style='font-size:11pt;'></font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>શું ખરેખર લાલ કિલ્લા ઉપર 16મી ઓગષ્ટે રાષ્ટ્રધ્વજ લહેરાયો હતો ? હા, લાલ કિલ્લા ઉપર 15મી ઓગસ્ટે રાષ્ટ્રિય ધ્વજ લહેરાવ્યો હતો એવી માન્યતા લોકોના દિમાગમાં છે તે ધારણા ખોટી છે તેવું આઝાદીના 60માં વર્ષમાં દેશના ફૌજી અખબારે બતાવ્યું છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/>30<font  style='font-size:11pt; color:#000000'>મી ઓગષ્ટ, 1947ના અંકમાં 15મી ઓગષ્ટનો સમગ્ર અહેવાલ ફૌજી અખબારે તેની રક્ષા પત્રિકામાં આપ્યો હતો. દેશની સૌથી જુની રક્ષા પત્રિકાની નકલ સંરક્ષણ મંત્રાલયે બહાર પાડી છે. આ અખબારમાં જણાવ્યા મુજબ આઝાદી મળયા બાદ તિરંગો ધ્વજ લાલ કિલ્લા ઉપર 15મી ઓગષ્ટના બદલે 16મી ઓગષ્ટ, 1947ના રોજ લહેરાવવામાં આવ્યો હતો. ફૌજી અખબારનું પ્રકાશન 1909માં શરૂ કરવામાં આવ્યું હતું જે હવે સંરક્ષણ મંત્રાલય સૈનિક સમાચારના નામથી કરે છે. ફૌજી અખબારમાં નોધવામાં આવ્યું છે તે મુજબ 15 ઓગષ્ટના રોજ તિરંગો લહેરાવવામાં આવ્યો, પરંતુ આ ધ્વજારોહણ લાલ કિલ્લા ઉપર નહીં, બંધારણ સણાના ઉપર સવારના સમયે અને પ્રિંસેસ પાર્કમાં સાંજના સમયે કરવામાં આવ્યું હતું. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આ અખબારમાં જણાવ્યા મુજબ 15મી ઓગષ્ટના દિવસે સવારે દિલ્હીમાં અને તેની આસપાસ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડયા હતાં. પોલીસ વ્યવસ્થા આ માનવ મહેરામણને રોકી ના શકતા ગાર્ડ ઓફ ઓનર માટે જમા થયેલા સશસ્ત્ર દળોના જવાનો પાસે લોકો પહોચી ગયા હતાં. ઉમટી પડેલા લોકો સામે સુરક્ષા જવાનોએ હથિયારો હેઠા મુકી દીધા હતાં. આ દરમિયાન ઔપચારિક સમારંભનું સંપૂર્ણપણે રિહર્સલ કરવામાં આવ્યું હતું. લોકોએ આખા વાતાવરણને ઉલ્લાસ અને ગગનભેદી નારાઓમાં ફેરવી દીધું હતું. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>બંધારણ સભામાં લોર્ડ માઉંટ બેટનને દેશના પ્રથમ ગવર્નર જનરલના સોગંધ સંધિય અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ કાનિયાએ અપાવ્યા હતાં. આમ, આ દિવસે એટલે કે 15મી ઓગસ્ટના રોજ બંધારણિય સભા ઉપર તિરંગો લહેરાયો હતો. જ્યારે 16મી ઓગષ્ટના રોજ લાલ કિલ્લા ઉપર તિરંગો લહેરાયો હતો. આ જાણકારી 60 વર્ષ બાદ આપણેને જાણવા મળે છે, આમતો આ વાત ઘણા લોકોને ખબર પણ હશે, તેમછતાં ફોજી અખબારે આપેલી માહિતિ બદલ તેને ધન્યવાદ આપ્વો જોઇએ. </font>]]></content:encoded>
      <pubDate>Tue, 14 Aug 2007 19:23:15 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 19:21:46 +0530</updatedDate>
      <category><![CDATA[Indepandenace Day]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[આઝાદીની સાર્થકતા - વરિષ્ઠો માટે]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/indepandenace-day/આઝાદીની-સાર્થકતા-વરિષ્ઠો-માટે-107081300022_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/indepandenace-day/આઝાદીની-સાર્થકતા-વરિષ્ઠો-માટે-107081300022_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[આપણે તો ખુશ થવું જોઈએ કે આપણે સ્વતંત્ર ભારતના 60 વર્ષ જોયા છે. આ સત્તાવન વર્ષ નિરર્થક નહી પણ સાર્થક વિત્યા કહેવાય. કારણકે આજે ભલે ઘઉ-ચોખા કે તેલના ભાવ આસમાન પર પહોંચી ગયા હોય પણ આપણે તેને સરળતાથી મેળવી તો શકીએ છીએ.]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આપણે તો ખુશ થવું જોઈએ કે આપણે સ્વતંત્ર ભારતના 60 વર્ષ જોયા છે. આ સત્તાવન વર્ષ નિરર્થક નહી પણ સાર્થક વિત્યા કહેવાય. કારણકે આજે ભલે ઘઉ-ચોખા કે તેલના ભાવ આસમાન પર પહોંચી ગયા હોય પણ આપણે તેને સરળતાથી મેળવી તો શકીએ છીએ. આજે આપણે આપણા બાળકોને વિદેશમાં ભણવા પણ મોકલી શકીએ છીએ અને પોતે પણ આરામથી વિદેશમાં ફરવા જઈ શકીએ છીએ</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આજે પણ દેશમાં સાત કરોડ લોકો એવા છે જેમણે 15મીઓગસ્ટ 1947ના દિવસે અંગ્રેજો તથા દેશી રાજના ગુલામીથી દેશને આઝાદ થતા જોયો હતો. અને એવી આશાઓ રાખી હતી કે મહાત્મા ગાઁધી અને જવાહરલાલ નહેરુંના માર્ગદર્શન હેઠળ દેશ એટલો આગળ વધશે કે રાજા અને પ્રજા, અમીર અને ગરીબ, શહેરી અને ગ્રામીણ, બ્રાહ્મણ અને શૂદ્ર વચ્ચે જે અસમાનતાની ખાઈ છે તે હટી જશે. દરેક ભારતીય વિકાસ, સુખ તથા ન્યાયના રસ્તા પર આગળ વધશે. ગરીબી,ભુખમરો બેકારી, બેરોજગારી, મોંધવારી, બીમારી, તથા ભ્રષ્ટાચારની તો કોઈએ પણ કદી કલ્પના પણ નહોતી કરી. સંવિધાન કાનૂન અને સામાજિક કલ્યાણનો મજાક પણ ઉડી શકે છે તેના વિશે પણ કદી કોઈએ વિચાર્યુ નહોતુ. આઝાદીના 60 વર્ષ પૂરા થયા પછી જો તે લોકોને આનો અનુભવ અને વિચારો પૂછવામા આવે તો તેમનો જવાબ શુ હોઈ શકે છે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>નક્કી તેમનાથી વધારે દુ:ખી બીજુ કોઈ નહી હોય. લાગે છે કે તેમણે  નકામી આટલી મહેનત અને સંધર્ષ કર્યો અને પ્રાણોની આહુતિ આપી.  આપના સ્વતંત્ર સેનાનીઓ નકામા ખુશ થઈ રહ્યા હતા કે દેશ આઝાદ થઈ ગયો છે અને દેશને એક એવું સંવિધાન સોંપવામાં આવી રહ્યુ છે જેમાં દુનિયાના મોટાભાગના દેશોના સંવિધાનોની ઉત્તમતા છે, અને દેશનો દરેક વયસ્ક નાગરિક સરકાર બનાવવા અને ચલાવવામાં સહભાગી થશે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>પણ ત્યારે તેમનો પણ શુ દોષ ? તે સમયે તેમનામાં એટલો જોશ હતો, જૂનૂન હતો, મસ્તી  હતી, આગ હતી, ક્રાંતિની આગ ભડકી રહી હતી. અટક થી કટક સુધી અને કાશ્મીર થી કન્યાકુમારી સુધી એક જ અવાજ હતો - 'અંગ્રેજો ભારતો છોડો'.  8 ઓગસ્ટ 1942 પછી કોઈ પણ  ભારતવાસી આના સિવાય બીજું કશુ પણ સ્વીકારવા તૈયાર જ નહોતો. જલિયાવાલા બાગ હત્યાકાંડ પછી તો અસહયોગ આંદોલન, સવિનય ભંગ આંદોલન,ચોરી-ચોરા કાંડ, પૂના સમજૂતી, નેહરૂ રિપોર્ટ, ક્રિપ્સ મિશન, કેબિનેટ મિશન, વેવલ યોજના  વગેરે ના ઉપર લોકોની જે પ્રતિક્રિયાઓ થઈ હતી. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>તેના કારણે બ્રીટિશ સરકાર ભારતને આઝાદ કરવા માટે વિવશ થઈ ગઈ હતી. પણ તેમને મનમાંથી તો દુશ્મની કાઢી નહોતી. તેમણે જોયુ કે ભારતીયોમાં ખૂબ એકતા છે આ તાકત જ કમજોર બનાવી દઈએ. આથી તેમને અંદરોઅંદર જ દેશને ખોખલો બનાવવા માંડ્યો. આથી તેમને ભારતના અનેક ભાગ પાડી દીધા અને આખરે ભારત અને પાકિસ્તાન બની જ ગયા. આ તો આપણા સરદાર વલ્લભભાઈની મહેનત કે તેમના પ્રયત્નોથી જૂનાગઢ, હૈદરાબાદ અને જમ્મૂ-કાશ્મીર વગેરે રાજ્ય ભારતમાં જોડાઈ ગઈ, પણ કાશ્મીરનો વિવાદ વારસામાં મળી ગયો.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>વિદેશી મૂડીને ભારતીય અર્થવ્યવસ્થામાં શોષણનું માધ્યમ માનીને સમાજવાદી સમાજ ની રચના તથા સંધીય ગણરાજ્ય વ્યવસ્થાને આદર્શ રૂપમાં સ્વીકારવામાં આવી.  તે સમયે લોકોની છાતી ફૂલી નહોતી સમાતી જ્યારે પ્રથમ વડાપ્રધાન શ્રી જવાહરલાલ નહેરુ એ લાલ કિલ્લા પર ત્રિરંગો ફરકાવતા ભાષણ આપ્યુ. અને ચક્રવર્તી રાજગોપાલાચારી પ્રથમ ભારતીય ગવર્નર જનરલ અને ડો. રાજેન્દ્ર પ્રસાદ ભારતીય ગણરાજ્યના રાષ્ટ્રપતિ બન્યા.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>જ્યારે વિદેશી કંપનીયો પર ભારતીયોનો અધિકાર થઈ ગયો, અને રિઝર્વ બૈક ઓફ ઈંડિયા અને ઈમ્પીરિયલ બેંક ઓફ ઈંડિયાનું રાષ્ટ્રીયકરણ થયુ  અને વિજ્યાલક્ષ્મી પંડિતને સંયુક્ત રાષ્ટ્ર સંધ મહાસભાની અધ્યક્ષ બનાવવામાં આવી.બહુઉદ્દેશીય નદી ઘાટી યોજનાઓની શરૂઆત થઈ. સામુદાયિક વિકાસ ખંડનો કાર્યક્રમ ચાલ્યો. અને ત્યારે હિન્દીને રાષ્ટ્રભાષા તરીકે જાહેર કરવામાં આવી. ત્યારે તો ખૂબ જ સારું લાગ્યુ હતુ. પણ મહાત્મા ગાધીની હત્યા...!! એ તો કદી ભૂલાય નહી. અને સાંપ્રદાયિકતાને દૂર કરવા ધર્મનિરપેક્ષતાનો નારો આપવામાં આવ્યો.  જાતિભેદ અને અસ્પૃશ્યતા નિવારણ માટે આરક્ષણની શરૂઆત કરવામાં આવી અને અહીંથી જ દેશમાં જે પણ થવાનું શરૂ થઈ ગયુ તે સારુ નહોતુ. તેનુ ખરાબ પરિણામ બીજા કોઈ નહી પણ દેશના ઓછામાં ઓછા સાત કરોડ વરિષ્ઠ નાગરિક તો ભોગવી જ રહ્યા છે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આ સાત કરોડ ઓછા ન કહેવાય. ચીન, રુસ, અમેરિકા, બ્રાઝિલ, ઈંડોનેશિયા, જર્મની, કે ભારત સિવાય બીજા કોઈ પણ દેશની કુલ જનસંખ્યા પણ આટલી નથી. આ વરિષ્ઠોને લાગી રહ્યુ છે કે તેમને ન તો આઝાદીનો અને ના તો તેમની 60 વર્ષની મહેનતનો  કોઈ લાભ મળી રહ્યો છે. જેમણે મળ્યો છે તે હમણા ભલે ધન-કુબેર ને યશસ્વી લોકોની લિસ્ટમાં આવી ગયા હોય, પણ તેમની આવનારી પેઢીઓ ચારિત્રિક પતનની શિકાર થઈને દુ:ખી, અને અપમાનિત જીવન વ્યતિત કરવા માટે વિવશ હશે.તે પોતાને શ્રાપિત અનુભવી રહ્યા છે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આનુ કારણ એ છે કે તેઓ ઉમંરના એ મુકામ પર આવી પહોંચ્યા છે જ્યા તેમની વ્યવસાયિક, સામાજિક, રાજનિતિક જીવનમાં સીમિત ઉપયોગિતા રહી જાય છે. અને તેમને વાનપ્રસ્થ કે સંન્યાસ આશ્રમમાં તેમણે જોડાઈ જવું જોઈએ. તેઓ માત્ર શારીરિક રીતે જ નહી પરંતુ માનસિક અને બૌધ્ધિક રીતે પણ તેમની ક્ષમતા ઘટી જાય છે. જેનો અનુભવ તેમને પૂર્વાગ્રસ્ત અને જીદ્દી બનાવી દે છે. આવામાં જો તેમની આવક અને મિલકત સિમિત હોય, અને જીવનનો ગુજારો કરવા માટે બીજા પ્ર આશ્રિત રહેવું પડે તો ઘર-પરિવાર, જાતિ, સમાજ અને રાજનીતિમાં તેમની ઉપેક્ષા થવા માંડે છે. આ જ કારણે મોટા ભાગના વરિષ્ઠ નાગરિકો જુના દિવસોની યાદ તાજી કરીને દેશની વર્તમાન સ્થિતિના પ્રતિ આક્રોશ વ્યક્ત કરતા નથી ચૂકતા. તે રાજનિતિક દળો, નેતાઓ, જમીનદારો, ઉદ્યમીઓ, પૂંજીપતિઓ, શિક્ષકો, કર્મચારિયો, અધિકારીયો અને પાશ્ચાત્ય સંસ્કૃતિથી પ્રભાવિત યુવા પેઢીને દોષ આપે છે. અને પોતાને ધિક્કારે છે. તે સ્પષ્ટ રીતે સ્વીકારે છે કે અંગ્રેજોનુ રાજ્ય અને મહારાજાઓના સમય આજથી વધુ સારો હતો. તેમના જેવા લોકોનો વિચાર આર્થિક સુધારાના કારણે અને બહુરાષ્ટ્રીય સંસ્થાઓ પ્રત્યક્ષ વિદેશી રોકાણ અને આયાતો પ્રત્યે ઉદારતાને કારણે દેશ ફરી ગુલામીની જંજીરોમાં જકડાઈ જવાની બીક ઉત્પન્ન કરવા માટે પૂરતી છે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>અંગ્રેજો અને મહારાજાઓના શાસનમાં શુ સારું હતુ? આ સવાલના જવાબમા તેઓ શુ કહેશે ? સૌ પ્રથમ તો તે વિભિન્ન વસ્તુઓ અને સેવાઓની કિમંતોની વાત જ કરશે. અને બીજી અનુશાસન. સંયુક્ત પરીવાર, જાતિ, ધર્મનું મહત્વ અને ભ્રષ્ટાચાર, ફૈશન, અવિનય અને અપરાધોની કમીની પ્રશંસા કરતા નથી થાકતા. ઘઉ, જુવાર, બાજરી, ચણા, તુવેર, ગોળ, ખાંડ, તેલ, ધી, દૂધ, ચાંદી, સોનાના ભાવ સંભળાવીને તો આપણને આશ્ચર્યમાં નાખી દે છે. અઢાર રુપિયે તોલા સોનુ અને એક રૂપિયા તોલા ચાંદી મળતી હતી.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>એક રૂપિયામાં પાઁચ કિલો ઘઉં આવતા હતા. પણ જ્યારે તેઓ આ સંભળાવતા ત્યારે તે કહેવાનું ભૂલી જતા કે ત્યારે માણસ ત્યારે કમાતો શુ હતો ? ખેતરમાં કેટલુ અનાજ ઉગતુ હતુ. ? પીવાનું પાણી કેટલા દૂરથી લાવવું પડતુ હતુ.? નહાવા-ધોવવાની સગવડ કેટલી હતી ? શહેર જવા માટે બેલગાડી પણ નસીબમાં હતી કે નહી ? અનુશાસન અને સમયની પાબંદીની તો કોઈ જોડ જડે તેમ નહોતી પણ ડંડો કે ચાબૂકની માર કેટલી વાર ખાવી પડતી હતી ?ચોથા ધોરણથી વધુ ભણવાંનો અવસર તો બેરિસ્ટર કે દીવાનના છોકરાને જ મળતો હતો. જો રાજા પોતે રૂપિયા, પત્ની, જમીન મિલક્ત છીનવી લે તો કોઈને પણ ફરિયાદ નથી થઈ શકતી. અંગ્રેજી  શાસન તો રાજા ને ગાદી પરથી હટાવી દેતા હતા. નિર્દોષ સ્વતંત્રતા સેનાનીયોને ફાઁસી આપવામાં આવી હતી.  મોટા મોટા મહેલો, ભવન, કિલા, પુલ, રસ્તા, રેલ, બંદર શહેરો જરૂર વસાવવામાં આવ્યા. જંગલો લગાવ્યા, જાનવરો પાળવામાં આવ્યા, તળાવો ખોદવામાં આવ્યા.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>પણ આ બધા માટે પૈસા તો ગરીબ લોકો પાસેથી ભેગા કરવામાં આવ્યા અને મજૂરો પાસેથી વેઠ ઉતારવામાં આવી. અંગ્રેજ અફસર, રાજા ના દરબારી, મામલતદાર અને પટવારી પણ લાંચ, ઘૂસ અને ભેટ લેતા હતા. જે મળતુ હતુ તે જ ખાવુ-પીવું અને ઓઢવુ પડતુ હતુ. દુષ્કાળ, પૂર કે ભૂકંપ કે મહામારીમાં લાખો લોકો મોતને ભેટતા હતા. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>દીકરો કદી બાપથી અને શિષ્ય કદી ગુરૂથી આગળ નહોતો વધી શકતો. એકવાર જો દેવું લીધુ  તો માણસનુ કુંટુબ સાત પેઢીયો સુધી બાંધેલી મજૂરી પર કામ કરતુ રહેતુ હતુ. ખેડૂત કર્જમાં જ જન્મતો, કર્જમાં જીવતો અને કર્જ છોડીને મરતો હતો.  સંયુક્ત પરીવાર, જાતિ,પ્રથા, સાંપ્રદાયિક કટ્ટરતા, અસ્પૃશ્યતા, રુઢિવાદિતા, અંધવિશ્વાસ, બાળ-વિવાહ, દહેજ પ્રથા, મૃત્યુ ભોજ જેવી પધ્ધતિયોએ દેશને પાછળ જ ધકેલ્યો. લાખો કરોડો લોકો વિવિધ પ્રકારના અત્યાચારો અને અનાચારો ચુપચાપ સહેતા રહ્યા. તેઓ ભૂલી ગયા છે કે તેમને ક્યારે, કોણે અને કેવી રીતે હેરાન કર્યા છે. અને આજની હાલતમાં લાવીને પટક્યા. આ તો ઠીક ન કહેવાય કે તેઓ સ્વાધીનતા ને કે સરકારનેઆપે.  કે આવનારી પેઢીને દોષ આપે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આજની હાલત એટલી પણ ખરાબ નથી જેટલી તેઓ વિચારી રહ્યા છે. વાત એમ છે કે જુદા જુદા લોકોએ તેમને પોતાના આંકડા, સમાચારો, વિચારો અને કર્તવ્ય પાલને તેમને ભટકાવી દીધા છે. તેમને એ તો ખબર છે કે આખા કૂવામાં ભાઁગ પડી છે પણ આ નથી ખબર કે કૂવામાઁ પાણી પણ છે. અને હજારો લોકો ભાઁગથી પરેજ કરે છે. આઝાદી પહેલાના દેશ થી આજ ના ભારતની તુલના કરવામાં આવે તો હજારો મુદ્દા એવા છે  જ્યા અમને વિકાસ ખુશી અને ચેન દેખાય છે. આ શું ઓછુ છે કે 60 વર્ષ પછી પણ દેશમાં લોકતંત્રને વ્યવસ્થા એવી ને એવી છે. અને અનેક રાજનીતિક દળોનું ગઠબંધન સરકાર દેશનું શાસન ચલાવવામાં સક્ષમ છે. સૈનિક શાસન અને તાનાશાહીને કોઈ મોકો નથી મળતો. પાકિસ્તાન જોડે ની લડાઈમાં પણ ભારત વિજયી રહ્યું  છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>સંયુક્ત રાષ્ટ્ર તથા આંતરરાષ્ટ્રીય સંગઠનોમાં ભારતની આગળ પડતી ભૂમિકા છે.  દેશની જનસંખ્યા 29 કરોડથી વધીને 103 કરોડ થઈ ગઈ, પણ વ્યક્તિ દીઠ આવક, વ્યક્તિ દીઠ વ્યય, વ્યક્તિ દીઠ બચત અને રોકાણ વધવાની સાથે-સાથે સરેરાશ જીવનની આશા, અનાજ, દૂધ, ધી, તેલ, શાક, ફળનો ઉપયોગ, ટેલીફોન અને ટેલીવિઝનની સુવિધા, શિક્ષા નું સ્તર, ચિકિત્સા સુવિધાની ઉપલબ્ધિ,  સંગઠિત ક્ષેત્રના કર્મચારિયોનો પગાર, અનુલાભ, ભથ્થો વગેરેમાં પણ વધારો થયો  છે. દસ પંચવર્ષીય યોજનાઓ હેઠળ વિકાસના કાર્યક્રમો પૂરા થયા છે. વિદેશી મુદ્રાનું સંકટ દૂર થયુ  છે. અને 120 અરબ ડોલરનો વિદેશી વિનિમય  કોષ લઈને દુનિયાના દરેક દેશના બજારમાંથી દરેક જરૂરો પૂરી કરવામાં દેશ સમર્થ છે. હવે ફક્ત રુસ કે સમાજવાદી દેશ જ નહી, અમેરિકા, બ્રિટેન, જાપાન, ફ્રાંસ, મોરિશિયસ, ચીન, સંયુક્ત અરબ અમીરાત, સઉદી અરબ, ઈંડોનેશિયા, થાઈલેંડ, કોરિયા જેવા બધા દેશ ભારત જોડેની દોસ્તીને મજબૂત બનાવવામાં લાગ્યા છે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>દેશમાં જે બદલાવ આવી રહ્યો છે તેને પસંદ કરો કે નહી, પણ તેને સ્વીકારવું તો પડશે. સારુ તો ત્યારે કહેવાશે જ્યારે પોતે પણ તે બદલાવમાં જોડાશો. માત્ર મૂક દર્શક કે સાક્ષી બનીને ન જીવો. પોતાના હકને સમજો અને તેના માટે સંધર્ષ કરો.  તમારી ઉંમર હજુ પૂરી નથી થઈ. જે પણ તમારી પાસે છે, તે એટલુ તો છે  જ કે  જેના આધાર પર તમે મનગમતુ લક્ષ પ્રાપ્ત કરી શકો છો.  અંગ્રેજો અને મહારાજાઓની શાસન વ્યવસ્થાને હટાવવા જેટલી મહેનત કરી હતી, તેટલી જ મહેનત દેશના વિકાસ,સુખ અને બદલાવ માટે જરૂરી છે. માત્ર નવી પેઢીના ભરોસે ના રહો પોતે પણ આગળ આવો. પાર્ટી ચાલી રહી છે તો પ્લેટ ઉઠાવો અને મેક્સિકન કે ચાઈનીઝનો સ્વાદ પણ લો. ડાંસ ચાલી રહ્યો છે તો તમે પણ થિરકવા માંડો.  મકાન બની રહ્યુ છે તો એક ઈંટ તમે પણ ઉઠાવીને મૂકો. મોબાઈલ પર તમે પણ વાત કરી શકો છો, અને ઈંટરનેટ પર તમે પણ મનગમતી જાણકારી મેળવી શકો છો. ઉંમર તમારી મજબૂરી નથી, તમારે તો ખુશ થવું જોઈએ કે તમે સ્વતંત્ર ભારતના 60 વર્ષ જોયા છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આ 60 નિરર્થક નહી પણ સાર્થક વીત્યા કહેવાય. સાર્થકતા એ વાતમાં છે કે  આજે ભલે ઘઉ-ચોખા કે તેલના ભાવ આસમાન પર પહોંચી ગયા હોય પણ આજે તમે તમારી જરૂરિયાત મુજબ તેને મેળવી તો શકો છો.  આજે આપણે આપણા બાળકોને વિદેશમાં ભણવા પણ મોકલી શકીએ છીએ અને પોતે પણ આરામથી વિદેશમાં ફરવા જવાંનો કાર્યક્રમ બનાવી શકીએ છીએ.  </font>]]></content:encoded>
      <pubDate>Tue, 14 Aug 2007 19:21:47 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 19:21:46 +0530</updatedDate>
      <category><![CDATA[Indepandenace Day]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[ઇસરોનું માનવીય મિશન]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/indepandenace-day/ઇસરોનું-માનવીય-મિશન-107081300023_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/indepandenace-day/ઇસરોનું-માનવીય-મિશન-107081300023_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[ભારતની અવકાશ એજન્સી(ઇસરો) ગંભીરતાથી માનવીય અવકાશી મિશન અંગે વિચારી રહ્યું છે. આ પ્રોજેકટમાં ઉપયોગમાં લઇ શકાય તેવી નવી કેપ્સુલ ટેકનોલોજી અંગે તેઓ એક વર્ષની અંદર એક અહેવાલ પણ તૈયાર કરશે, એમ ઇસરોના ચેરમેન જી.માધવન નાયરે જણાવ્યું હતું.]]></description>
      <content:encoded><![CDATA[- <font  style='font-size:11pt; color:#000000'>અક્ષેશ સાવલિયા </font><font style='font-size:11pt;'></font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ભારતની અવકાશ એજન્સી (ઇસરો) ગંભીરતાથી માનવીય અવકાશી મિશન અંગે વિચારી રહ્યું છે. આ પ્રોજેકટમાં ઉપયોગમાં લઇ શકાય તેવી નવી કેપ્સુલ ટેકનોલોજી અંગે તેઓ એક વર્ષની અંદર એક અહેવાલ પણ તૈયાર કરશે, એમ ઇસરોના ચેરમેન જી.માધવન નાયરે જણાવ્યું હતું.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>નાયરે એક પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યુ હતું, અમે માનવીય સ્પેશ મિશન વીશે ગંભીરતાથી વિચારી રહ્યા છીએ, પરંતુ તેના માટે અમારે માણસને સલામત રીતે અવકાશમાં મોકલી શકે અને પાછો લાવી શકે તેવી કેપ્સુલ વિકસાવવા માટેની નવી ટેકનોલોજીનો અભ્યાસ કરવો પડશે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>તેમણે જણાવ્યું હતું, ધ ઇંડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ઇસરો) આ નવી ટેકનોલોજી પર એક વર્ષની અંતર્ગત અહેવાલ તૈયાર કરશે અને તેને મંજૂરી માટે સરકાર પાસે મોકલી આપશે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>એક સવાલના જવાબમાં નાયરે જણાવ્યું હતું કે હાલમાં મગંળગ્રહ માટેનું મિશન વિચારણાના તબક્કામાં છે. ઇસરો આ લાલ ગ્રહ પર એક સેટેલાઇટ મોકલવાના પ્રોજેકટ અંગે પણ વિચારણા કરી રહ્યું છે. ઇસરોનું ચંદ્ર પરનું બેનામું મિશન આવતા વર્ષ સુધી તૈયાર થઇ જશે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ઇસરો ટૂંક સમયમાં જ મઘ્યપ્રદેશના ૧૨ ગામોમાં રિસોર્સ સેન્ટરો ઉભા કરશે. તે ટેલી મેડિસીન, ટેલી-એજયુકેશન અને રિમોટ સેન્સીંગ ડેટા જેવા જુદી જુદી જાતના અવકાશસ્થિત ઉત્પાદનો અને સેવાઓ માટે સિંગલ વિંડો ડિલીવરી સિસ્ટમ પુરી પાડશે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ઈસરો દ્વ્રારા એકસાથે ચાર ઉપગ્રહોનું સફળ પરીક્ષણ - </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>શ્રી હરિકોટા સ્થિત સતીષ ધવન અવકાશ કેન્દ્ર ખાતેથી ઈસરો ચાર ઉપગ્રહો સાથે 10મી જાન્યુઆરીના રોજ </font><font style='font-size:11pt;'>PSLV  C-7 </font><font style='font-size:11pt;'>સફળતાપૂર્વક પ્રક્ષેપણ કર્યુ હતુ. ભારતીય અવકાશ સંશોધન સંગઠનન અધ્યક્ષ માધવન નાયરે જણાવ્યુ હતુ કે </font><font style='font-size:11pt;'>PSLV  C-7 (</font><font style='font-size:11pt;'>પોલાર સેટેલાઈટ લોંચ વ્હિકલ)  ના સફળ પરીક્ષણને કારણે અવકાશ મિશન માટે દેશનો વિકાસ પુન: સ્થાપિત થયો છે. આ સાથે દેશની માનવસહિતની અવકાશ યાત્રા કરવાંની મહત્વાકાંક્ષી યોજનાના દ્વાર ખુલી ગયા છે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/>44.5 <font  style='font-size:11pt; color:#000000'>મીટર લાંબા અને 295 ટન વજન ધરાવતા પી.એસ.એલ.વી.સી-7 લોંચ વ્હિકલ છોડતા વિજ્ઞાનીઓમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો. તમામ માપદંડોમાં આ પ્રક્ષેપણ સફળ નીવડ્યુ હતુ. આ પ્રક્ષેપણ તેની સાથે ચાર ઉપગ્રહો લઈ ગયુ છે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ઈસરોના વડાના જણાવ્યા પ્રમાણે જેટલી ચોક્કસતાથી આ પ્રક્ષેપણ થયુ છે. એ એક પડકારજનક બાબત હતી. ઉલ્લેખનીય છે કે ભારતનું સ્પેસ કેપ્સૂલ રિકવરી એક્સપેરિમેંટ (એસ.આર.ઈ-1) ઉપગ્રહ 13 થી 30 દિવસ સુધી અંતરિક્ષમાં રહી પૃથ્વી ઉપર પરત આવશે. અને બંગાળના અખાતના સમુદ્રમાં પછડાશે. તેને પડ્યા પછી પાણી પર તરતો રાખવા આ ઉપગ્રહમાં એક વિશિષ્ટ રચના કરવામાં આવી છે. ઉપગ્રહ પુનરાગમનની આ ટેકનીક ભારતે પ્રથમવાર ઉપયોગમાં લીધી છે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>કોઈ યાનને પૃથ્વી પર પરત લાવવું એ ટેકનોલોજીકલ પડકાર છે. ઈસરો (</font><font style='font-size:11pt;'>ISRO- Indian Space Research Organisation) </font><font style='font-size:11pt;'>દ્વારા રિએંટ્રીનું આ પ્રથમ પરીક્ષણ છે. આ સફળતાથી ભારત ઉપગ્રહના પુનરાગમનની ટેકનીક ધરાવતા દેશોની હરોળમાં આવી ગયું છે. વિશ્વમાં આ પ્રકારનું પરીક્ષણ માત્ર ત્રણ જ દેશો, અમેરિકા, રશિયા અને ચીન દ્વારા કરવામાં આવ્યું છે. ભારત આવી ટેકનોલોજી બનાવનારો ચોથો દેશ બન્યો છે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>પી.એસ.એલ.વી. વિશે :</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ચારેય ઉપગ્રહોને અંતરિક્ષમાં છોડનાર 44.5 મીટર ઊંચા પી.એસ. એલ વી. નુ વજન 295 ટન છે. તે ચાર તબક્કામાંથી સંચાલિત થાય છે. આ પી.એસ.એલ.વી ઘન અને પ્રવાહી એમ બંને પ્રવાહીનો વારાફરતી ઉપયોગ કરી ગતિમાન થાય છે.  પ્રથમ તબક્કાનું 138 ટનનું પ્રોપેલંટ વિશ્વનું સૌથી મોટુ બુસ્ટર કહેવાય છે. બીજા તબક્કાનું પ્રવાહી પ્રોપેલંટ 41.5 ટન વજનનું છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>કાર્ટોસેટ-2 વિશે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ભારતે એસ.આર. ઈ-1 સાથે પી, એસ એલ વી. સી-7 દ્વારા પોતાનો રિમોટ સેંસિંગ ઉપગ્રહ કાર્ટોસેટ-2 પણ અંતરીક્ષમાં તરતો મૂક્યો છે. ભારતની રિમોટ સેંસિંગ  સેટેલાઈટ શ્રેણીનો આ 12 મો ઉપગ્રહ છે. આ ઉપગ્રહ જમીન સર્વેક્ષણ અંગેની મહત્વની માહિતિ મોકલશે. આ ઉપગ્રહ ગ્રામ્ય અને શહેરી વિસ્તારોન માળખાના વિકાસ માટે અગત્યની ભૌગોલિક માહિતી એકત્ર કરી મોકલશે. કાર્ટોસેટ -2 નું વજન 680 કિલો છે. આ ઉપગ્રહ અગાઉથી જ અવકાશમાં રહેતા 6 ઉપગ્રહોની હરોળમાં ગોઠવાઈ જશે. આ તમામ 6 ઉપગ્રહ હાલમાં કાર્યરત છે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ઈસરોન ચેરમેન જી.માધવન નાયરે પી. એસ. એલ. વી સી-7 ના પ્રક્ષેપણને ધાર્યા કરતાં વધુ સંતોષકારક અને સફળ બતાવતા કહ્યુ કે આ સેટેલાઈટ નિર્ધારિત 635 કિ.મીની ભ્રમણ કક્ષામાં મુકાયો છે. આપણા વિજ્ઞાનીઓની ચોક્સાઈભરી કાર્ય પધ્ધતિનું ઉદાહરણ છે. પૂર્વ રાષ્ટ્રપતિ એ પી જે કલામે ઈસરોને પી.એસ.એલ. વી સી-7 ના સફળ પ્રક્ષેપણ અને એસ.આર.ઈ-1 ઉપગ્રહના પ્રથમ સફળ પરીક્ષણ બદલ ભારતને ગૌરવ અપાવવા માટે હર્ષ વ્યક્ત કર્યો હતો. ઈસરોના ચેરમેને કહ્યુ કે ભારતમાંથી ચંદ્રનું માનવરહિત  મિશન મોકલવામાં ઓછામાં ઓછા આઠ વર્ષ લાગશે.</font>]]></content:encoded>
      <pubDate>Tue, 14 Aug 2007 19:20:34 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 19:21:46 +0530</updatedDate>
      <category><![CDATA[Indepandenace Day]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[માઉંટબેટેનના નામ ગાંધીજીનો પત્ર]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/indepandenace-day/માઉંટબેટેનના-નામ-ગાંધીજીનો-પત્ર-107081300025_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/indepandenace-day/માઉંટબેટેનના-નામ-ગાંધીજીનો-પત્ર-107081300025_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[હું તો આશ્ચર્યમાં છું કે તમે વિચારો છો કે કોંગ્રેશ અને લીંગ, બન્નેના પક્ષ ન્યાયસંગત છે અને લગભગ ઝિન્નાની માંગ વધારે મહત્વની છે.]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>હું તો આશ્ચર્યમાં છું કે તમે વિચારો છો કે કોંગ્રેશ અને લીંગ, બન્નેના પક્ષ ન્યાયસંગત છે અને લગભગ ઝિન્નાની માંગ વધારે મહત્વની છે. મારો સ્પષ્ટ મત છે કે આ શક્ય નથી. સરખામણી કરવીજ હોય તો પૂર્ણ સાતત્યથી કરો. જો તમારી દ્રષ્ટિએ કાયદા-આઝમ ઝિન્ના કોંગ્રેસની સરખામણીમાં વધારે સમજદાર અને ન્યાયપ્રિય છે તો તમારે મુસ્લિગ લીંગના નેતાઓં સાથે જ સલાહ-સૂચન કરવો જોઇએ અને ખુલેઆમ તેમની નીતિઓનો સ્વીકાર કરવો જોઇએ.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>તમે ઇશારો કર્યો કે લગભગ કાયદા-આઝમ તમને લોકોને 15મી ઓગસ્ટ સુધી સત્તાની વહેચણી નહીં કરવા દે, કારણ કે કોંગ્રેસ મંત્રિગણ અનુકૂળ સરકાર નહી આપી શકે. મારા માટે આશ્ચર્યમિશ્રિત દુશ્ર્વિંતાના સમાચાર છે. મેં તો શરૂઆતથી જ ભાગલાનો વિરોધ કર્યો છે. ભાગલાની રાયમાં બ્રિટિશ સામ્રાજ્યની શરૂઆતની જ ભૂલ છે. હજુ તમે આ ભૂલને સુધારી શકો છે, પરંતુ ખરાબ આચરણ અને વાકાપણાને વધારવામાં ન્યાય નથી. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>તમે ત્રીજી વખત મને ભોંયભેગો કરી દીધો કે અંગ્રેજોની હાજરીમાં જો ભાગલા ન થયા તો હિંદૂ બહુમતી મુસલમાનોંને ગુલામ બનાવીને રાજય કરશે અને તેઓને કયારેય ન્યાય નહીં મળી શકે. જેમેકે મેં તમને કહેલું કે, આ ધારણા ખરેખર કલ્પના છે. સંખ્યાનું મહત્વ આમાં છેજ નહી. એક લાખથી ઓછા અંગ્રેજોએ 40 કરોડ ભારતીયોનું શોષણ કરી તેના ઉપર રાજ કર્યું. તેમછતાં, તમારા વિચાર માટે નિચેની પાંચ સલાહ મોકલી રહ્યો છું.</font><br/>  <font  style='font-size:11pt; color:#000000'></font><br/>- <font  style='font-size:11pt; color:#000000'>કોંગ્રેસે ઘણી વખત ખુલ્લેઆમ એલાન કર્યુ છે કે તે કોઇ પણ પ્રાંતને બળજબરીથી ભારતીય યૂનિયનમાં નહીં જોડે.</font><br/>- <font  style='font-size:11pt; color:#000000'>જાત-પ્રાંતથી વિખેરાયેલા કરોડોં હિન્દુઓંની તાકાત નથી કે તે દસ કરોડ મુસલમાનોંનું શોષણ કરે જાય.</font><br/>- <font  style='font-size:11pt; color:#000000'>મુગલોં એ પણ અંગ્રેજોની જેમ હિંદુસ્તાન ઉપર લાંબા સમય સુધી સખ્ત શાસન કર્યું હતું.</font><br/>- <font  style='font-size:11pt; color:#000000'>મુસલમાનોંએ હરિજનોં અને આદિવાસિયોંને તેમની સાથે ભળાવાનો પ્રયત્ન શરૂ કરી દેધોં છે.</font><br/>- <font  style='font-size:11pt; color:#000000'>સુવર્ણ હિન્દૂ, જેનના નામ ઉપર ધમાલ થઇ છે, તેની સંખ્યા તો એકદમ નગણી શકાય તેટલી જ છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આ સિદ્ધ થઇ શકે છે કે આમાંથી પણ અત્યારે રાજપૂતોંમાં રાષ્ટ્રીયતાનો ઉદય ન થયો હોય. બ્રાહ્મણ અને વૈક્ષ્ણવ તો હથિયારા પકવાનું પણ નથી જાણતા. એમની કોઇ સત્તા હોય તો તે નૈતિક સત્તા છે. શૂદ્રો(નીચલી જાતી)ની ગણતરી હરિજનોંની સાથે થાય છે. એવો હિન્દૂ સમાજ એમની બહુમતીથી મુસલમાનોંને પદાક્રાંત કરી તેનો નામોશેષ કરી શકે, આ એકદમ પોકળ-કાલ્પિનીક વાર્તા છે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>એટલા માટે તમે સમજી શકશો કે સત્ય અને અહિંસાના નામ પર હું ફકત એકલો જ રહી જાય અને અહિંસાવાળો પુરૂષના પ્રતાપની સામે અણુશક્તિ પણ મામૂલી (હિન) થઇ જાય છે, તો નૌકાદળનો તો હિસાબ જ નથી. મેં આ પત્ર મારા મિત્રોંને નથી બતાવ્યો.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>												સાદર</font><br/><font  style='font-size:11pt; color:#000000'>										મોહનદાસ કરમચંદ ગાંધી</font><br/><font  style='font-size:11pt; color:#000000'>										તારીખ - 28મી જૂન, 1947 </font><br/></font>]]></content:encoded>
      <pubDate>Tue, 14 Aug 2007 19:18:35 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 19:21:46 +0530</updatedDate>
      <category><![CDATA[Indepandenace Day]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[નિયતિ જોડે સામનો - નહેરુનું ભાષણ]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/indepandenace-day/નિયતિ-જોડે-સામનો-નહેરુનું-ભાષણ-107081300026_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/indepandenace-day/નિયતિ-જોડે-સામનો-નહેરુનું-ભાષણ-107081300026_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[જ્યારે રાતના ટકોરા પડશે, ત્યારે આખી દુનિયા તો ઉંઘતી હશે, તે સમયે ભારત જાગીને જીવન અને સ્વતંત્રતા મેળવશે. એક એવી ક્ષણ છે જે ઈતિહાસમાં વારંવાર નથી આવતી.]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ઘણાં વર્ષો થયા આપણે ભાગ્ય સાથે એક સોદો કર્યો હતો, અને હવે આપણી પ્રતિજ્ઞા પૂરી કરવાનો સમય આવી ગયો છે. પૂરી રીતે અથવા જેટલી જોઈએ તેટલી તો નહી તો પણ મોટાભાગ સુધી,  જ્યારે રાતના ટકોરા પડશે, ત્યારે આખી દુનિયા તો ઉંઘતી હશે, તે સમયે ભારત જાગીને જીવન અને સ્વતંત્રતા મેળવશે. એક એવી ક્ષણ છે જે ઈતિહાસમાં વારંવાર નથી આવતી. જ્યારે આપણે જુનુ છોડીને નવા જીવનમાં પગ મૂકીએ છીએ. અને આ સમયે એક યુગનો અંત  થાય છે, જ્યારે રાષ્ટ્રની લાંબા સમય સુધી કચડાયેલી આત્માનો ઉદ્ધાર થાય છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આ સારું છે કે આ નાજુક સમયે આપણે ભારત માટે, કે તેમાં રહેતા લોકોના હિત માટે અને તેનાથી પણ વધુ માનવતાના હિત માટે સેવા અર્પણ કરવાના  સોંગધ લઈએ.  </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ઈતિહાસના અરુણોદયમાં ભારતે પોતાની અનંત શોધ શરુ કરી, મુશ્કેલ શિયાળા, તેના ઉદ્યોગ, તેની અપાર સફળતા અને તેની અસફળતાઓથી ભરેલા મળશે. સારા દિવસો રહ્યા હોય કે ખરાબ, તેણે આ શોધને આંખોથી દૂર નથી થવા દીધી. ન તો એ આદર્શોને ભૂલાવ્યા, જેમનાથી તેણે શક્તિ મેળવી.  આજે આપણે દુર્ભાગ્યની આ અવધિને પૂરી કરી છે અને ભારતે પોતાને ફરી એક વાર પોતાની ઓળખાણ મેળવી છે.  જે કિર્તિ પર આપણે આજે આનંદ મેળવી રહ્યા છે. તે વધુ મોટી કીર્તી અને મળનારી જીતની દિશામાં હજુ એક જ પગલું આગળ છે અને વધુ અવસર આગળ મળવાના છે. આ અવસરને પ્રાપ્ત કરવા અને ભવિષ્યના પડકારોનો સ્વીકાર કરવા માટે શું આપણામાં એટલું સાહસ અને બુધ્ધિ છે ?</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>સ્વતંત્રતા અને શક્તિ જવાબદારી પણ લાવે છે. તે જવાબદારી આ સભા પર છે. જે ભારતનું પ્રતિનિધિત્વ કરવાવાળી સંપૂર્ણ સત્તાધારી લોકોની સભા છે. સ્વતંત્રતાના જન્મ પહેલાં આપણે પ્રસવની બધી પીડાઓને સહન કરી છે. અને આપણું હૃદય આ દુ:ખની યાદોથી ભરેલું છે. તેમાંથી કેટલીક પીડાઓ તો હજું પણ આપણે અનુભવી રહ્યા છે. તે છતાં ભૂતકાળ પૂરુ થઈ ચૂક્યું છે અને ભવિષ્ય આપણું સ્વાગત કરી રહ્યું છે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આ ભવિષ્ય આરામ કરવા અને દમ લેવાં નથી, પણ સતત પ્રયત્ન કરવા માટે છે. જેના કારણે આપણે તે પ્રતિજ્ઞાઓને, જેને આપણે એટલીવાર કરી છે, અને આજે પણ કરી રહ્યા છે તેને પૂરી કરી શકીએ. ભારતની સેવા નો મતલબ કરોડો લોકોની સેવા કરવી બરાબર છે. આનો અર્થ દરિદ્રતા અને અજ્ઞાન અને અવસરની વિષમતા નો અંત કરવો છે. અમારી પેઢીના સૌથી મોટા માણસની આ આકાક્ષાં રહી છે કે દરેક આઁખના પ્રત્યેક આઁસૂને લૂછી નાખવામાં આવે. આવુ કરવું તે અમારી શક્તિની બહાર હોઈ શકે છે, પણ જ્યાં સુધી આસુ અને પીડા છે ત્યાં સુધી આપણું કામ પૂરુ નહી થાય.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>તેથી આપણે કામ કરવાનું છે અને પરિશ્રમ કરવાનો છે અને સખત પરિશ્રમ કરવાનો છે. જેના કારણે આપણા સપના પૂરા થાય. આ સપના ભારત માટે છે, પણ આ દુનિયા માટે પણ છે. કારણકે આજે દરેક રાષ્ટ્ર એકબીજા સાથે એ રીતે જોડાયેલા છે કે કોઈ પણ એક બીજાથી અલગ થઈને રહેવાની કલ્પના પણ નથી કરી શકતા. શાંતિ માટે તો કહેવાય છે કે તે અવિભાજ્ય છે. સ્વતંત્રતા પણ એવી જ છે. અને હવે સમૃદ્ધિપણ એવી જ છે, અને આ દુનિયામાં, જેના અલગ-અલગ ટુકડાંમાં ભાગલા પાડવા શક્ય નથી, તે સંકટ પણ એવું જ છે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ભારતના લોકોને જેના આપણે પ્રતિનિધિ છે, તેમને અનુરોધ કરીએ છીએ કે વિશ્વાસ અને નિશ્ચયની સાથે તે અમારી સાથે છે. યહ ક્ષુદ્ર અને વિનાશક આલોચનાનો સમય નથી. અસદ્ભાવના કે બીજા પર આરોપ મૂકવાનો પણ સમય નથી.  આ પણે સ્વતંત્ર ભારતની વિશાળ ઈમારતનું નિર્માણ કરવાનું છે, જેમાં આપણા સંતાનો રહી શકે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>મહોદય હું આ પ્રસ્તાવ રજૂ કરવાની આજ્ઞા માંગુ છુ -</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/>'<font  style='font-size:11pt; color:#000000'>આ નક્કી થાય કે -</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/>1. <font  style='font-size:11pt; color:#000000'>અડધી રાતના છેલ્લા કલાક પછી, આ અવસર પર હાજર સંવિધાન સભાના બધા સદસ્ય આ સોગંધ લે....</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/>' <font  style='font-size:11pt; color:#000000'>આ પવિત્ર ક્ષણમાં જ્યારે કે ભારતના લોકોએ દુ:ખ ભોગવીને અને ત્યાગ કરીને સ્વતંત્રતા મેળવી છે, હું જે ભારતની સંવિધાન સભાનો સદસ્ય છુ, સવિનયપૂર્વક ભારત અને તેના રહેવાસીયોની સેવા ના પ્રતિ, પોતાને આ ઉદ્દેશ્યથી અર્પિત કરું છુ કે આ પ્રાચીન ભૂમિ દુનિયામાં પોતાનું યોગ્ય સ્થાન મેળવે અને દુનિયામાં શાંતિ અને મનુષ્ય માત્રના કલ્યાણના માટે પોતાનું સંપૂર્ણ અને ઈચ્છા મુજબ યોગદાન આપે'.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/>2.  <font  style='font-size:11pt; color:#000000'>જે સદસ્ય આ અવસર પર હાજર નથી તે આ સોંગંધ(એવા શાબ્દિક પરિવર્તનોની સાથે કે જે સભાપતિ નિશ્ચિત કરે) તે સમયે લે જ્યારે તે બીજી વાર આ સભાના અધિવેશનમાં હાજર હોય.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/>(<font  style='font-size:11pt; color:#000000'>પ્રકાશન વિભાગમાં પ્રકાશિત પુસ્તક 'જવાહરલાલ નહેરૂના ભાષણ'માંથી આભાર સાથે)     </font>]]></content:encoded>
      <pubDate>Tue, 14 Aug 2007 19:18:07 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 19:21:46 +0530</updatedDate>
      <category><![CDATA[Indepandenace Day]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[ઉમા વૈશ્વિક વ્યવસ્થાના સૂરજ - પૂર્વાનુમાન]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/indepandenace-day/ઉમા-વૈશ્વિક-વ્યવસ્થાના-સૂરજ-પૂર્વાનુમાન-107081300027_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/indepandenace-day/ઉમા-વૈશ્વિક-વ્યવસ્થાના-સૂરજ-પૂર્વાનુમાન-107081300027_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[સંભવ છે કે 2050 માં વૈષ્વિક અર્થવ્યવસ્થામાં ભારતનું સ્થાન છે અને સન 2025 માં જ પ્રથમ ભારતીય અર્થવ્યવસ્થાનો વિકાસની દર સર્વોચ્ચ થાય.]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:11pt; color:#000000'>સંભવ છે કે 2050 માં વૈષ્વિક અર્થવ્યવસ્થામાં ભારતનું સ્થાન છે અને સન 2025 માં જ પ્રથમ ભારતીય અર્થવ્યવસ્થાનો વિકાસની દર સર્વોચ્ચ થાય. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આવનાર વીસ વર્ષોમાં </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>* ભારત અમેરિકા,ચીન અને અન્ય દેશોને પાછળ છોડી દેશે. *અમેરિકા,કેનેડા,ઓસ્ટ્રેલિયા,રૂસ,બ્રિટન,ફ્રાંસ,જર્મની,જાપાન,યુરોપ,અને અરબ દેશ ભારતને ચીન,કોરિયા,ઇંડોનેશિયા,હાંગકોંગ સિંગાપુર,થાઇલેડ,પાકિસ્તાન,બાંગ્લાદેશની અપેક્ષા વધારે મહત્વ આપી રહ્યાં છે.ભારતના સાથે દરેક સ્તરે સંબંધ વધારવામાં તેમની દિલચસ્પી વધતી જોવા મળે છે.*ભારતની જનસંખ્યા ચીન કરતાં વધારે હશે. ભારતનો મધ્યમવર્ગ વિશ્વનો સૌથી મોટો ઉપભોકતા બજાર છે.* ભારતીય યુવા શક્તિ માત્રા તથા ગુણવત્તાની દષ્ટિથી સર્વાધિક ઉત્પાદક માનવ સંશાધન હશે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>* શિક્ષા,સ્વાસ્થ્ય,મનોરંજન,પર્યટન,કળા,સંસ્કૃતિ,વિજ્ઞાન,ઓદ્યૌગિક તથા સંચાર સેવાઓની દ્રષ્ટિથી ભારત ટોચ પર હશે. * સરકારી અને સંગઠીત ક્ષેત્રમાં નવા રોજગારના કારણે યુવા શક્તિ ઉદ્યમની તરફ પ્રવૃત્ત હશે જેને કારણે વ્યવસાય, વ્યાપાર, લઘુ ઉદ્યોગ તથા ગતિવિધીઓનો ઝડપથી વિકાસ થશે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>દુનિયાના વિભિન્ન દેશોની બહુરાષ્ટ્રીય કંપનીઓ તેમજ વ્યવસાયીક સંસ્થાઓ ભારતમાં પોતાની શાખાઓ કે પછી સહાયક કંપનીઓ સ્થાપીત કરી લેશે. લગભગ એજ ઝડપથી ભારતીય વ્યાપારીક ઘરો પણ ટાટા અને લક્ષ્મી મિત્તલની શૈલીમાં વિદેશમાં પોતાનો વ્યાપાર વધારવાની કોશીષ કરશે. બે કરોડ ભારતીઓ વિદેશમાં પોતાની વિશેષજ્ઞ સેવાઓથી ધન અને યશ પ્રાપ્ત કરશે અને લગભગ 800 અરબ ડોલર એટલે કે 40000 અરબ રૂપીયા ભારત મોકલાવશે. પરંતુ ભારતીય કંપનીઓ પણ વીસ લાખ વિદેશી કંપનીઓની સેવાઓ લેશે. વૌશ્વિક આયાત-નિકાસ વ્યાપારમાં ભારતનું વર્તમાન યોગદાન 0.6 ટકાથી વધીને 2.0 ટકા થઈ જશે. ભારતીય સુચના પ્રધ્યોગીકી, આયુર્વેદ તેમજ જડીબુટ્ટીઓ, ઔષધીઓ, ખાદ્ય પદાર્થોતેમજ ફેશનના વસ્ત્રો, આભૂષણ તેમજ શ્રૃંગાર સામગ્રીની વિશિષ્ટ ઓળખાણ બનશે અને પશ્ચીમી દેશોની ઉપલબ્ધીઓને ગ્રહણ કરીને એક સમન્વીત સંસ્કૃતિનો વિકાસ થશે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>વધુમાં ભારતમાં વિદેશોથી મશીનરી, એંજીનીયરીંગ સામાન, પેટ્રોલીયમ ઉત્પાદન, રાસાયણીક ખનીજો, કોમ્પૂટર, ઉનના વસ્ત્રો, મોટર ગાડીઓ, દારૂ, કોલસો તેમજ ઉપભોક્તા સામગ્રીની આયાત ચાલુ રહેશે ત્યાં બીજી બાજુ વિદેશોને ભારતમાંથી જ આ વસ્તુઓની ભારે પ્રમાણમાં નિકાસ થશે.  આયાત નિકાસની વસ્તુઓમાં ભિન્નતા ઓછી થતી જશે. * બેંક, વીમા કંપનીઓ, પર્યટન સેવાઓ, સંપત્તિને લગતી સેવાઓ, માર્ગ વ્યવહારની સેવાઓ ઘરે પહોચીને સેવાઓ પ્રદાન કરવામાં સક્ષમ રહેશે અને તેમનું કાર્યસ્તર આંતરરાષ્ટ્રીય માનકોના અનુરૂપ રહેશે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>* સુરક્ષા વ્યવસ્થા તેમજ સૈન્ય શક્તિમાં ભારત આગળ હશે તેમજ સાજ- સમાન અને ઉપકરણોની માત્રા એટલી ઝડપથી વધશે કે દુનિયાના બધા જ દેશો ઇર્ષ્યા કરશે. અંતરીક્ષ અનુસંધાન તેમજ પરમાણું શક્તિની દ્રષ્ટીને કારણે તેની દુનિયાના પાંચ પ્રમુખ દેશોમાં ગણતરી કરવામાં આવશે. આખો દેશ બધાજ રસ્તાઓ એકબીજા સાથે જોડાઇ જવાથી એક થઇ જશે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>* શહેરીકરણની ઝડપ વધી જશે અને પચાસ મહાનગરો એવા હશે કે જ્યાં વીસ લાખ કરતાં પણ વધું વસ્તી હશે પાંચ લાખ કરતાં વધું પોતાના વાહનો તેમજ ત્રણ લાખ કરતાં પણ વધારે મકાનો હશે. * પાંચ કરોડ આવાસીય ઇકાઇઓનું નિર્માણ થશે. પાણી અને વિજળીની યોગ્ય માત્રામાં સુવિધા હશે અને ત્રણ કરોડ મોબાઇલ ફોન કામ કરતાં હશે. </font><br/> <font  style='font-size:11pt; color:#000000'></font><br/> <font  style='font-size:11pt; color:#000000'>સરકારી કાર્યાલયોના સ્થાને ગૈર સરકારી સંગઠન સાર્વજનીક હિતની ગતિવિધીઓનું સંચાલન કરશે. ભારતીય મુદ્રા દરેક દેશની મુદ્રામાં સંપૂર્ણ રીતે પરિવર્તીત થઈ જશે તેમજ ન્યૂયોર્ક, લંડન, પેરીસ, ટોઈયો, સિંગાપુર, લક્જમબર્ગ, શાંઘાઇ વગેરે જગ્યાએ ભારતની કંપનીની વસ્તુઓનું ખરીદ વેચાણ ચાલુ થઈ જશે. હવાલા (પ્રમાણ,દાખલો) ની લેવડ-દેવડ તેમજ તેનું બઝાર મહત્વ વિનાનું થઈ જશે અને ભારતીઓની વિદેશમાં રહેલી અઘોષીત જમા મૂડી ભારત આવવા લાગશે. ભારતમાં વ્યાજનો દર સૌથી ઓછો હશે. મૂલ્ય સંવર્ધિત કર પ્રણાલી લાગુ થઈ જશે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>જો નીચેની પરિસ્થિતિઓમાં બદલાવ ન આવ્યો તો ડર છે કે ઉપરોક્ત અનુમાન અધુરી કલ્પના રહી જશે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>* જો કેન્દ્ર તેમજ રાજ્યોની સરકારની વચ્ચે સમજુતી ન રહી શકી. * પ્રાથમિક તેમજ માધ્યમિક શિક્ષણની વર્તમાન વ્યવસ્થા જ ચાલતી રહી અને મકાનો, પીવાનું પાણી, સફાઇ, બ્લેક બોર્ડ, ફર્નીચર, પુસ્તકાલાય તેમજ શિક્ષકો વિના જ કામ ચાલતું રહ્યું. જો ખાનગી સંસ્થાઓ અને સરકારી વિધ્યાલયોની શિક્ષા વ્યવસ્થાની ઉપલબ્ધીઓની વચ્ચે અંતર વધતું રહ્યું. * અગીયારમી, બારમી, તેરમી અને ચૌદમી પંચવર્ષીય યોજનાઓનો સમાવેશ થાય પરંતુ તેના અમલની જવાબદારીથી સરકારી અને ગેરસરકારી સંગઠનો બચતાં રહ્યાં. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>* છઠ્ઠા અને સાતમા વેતન આયોગની સિફારીશોને લાગુ કરવાનો એક મત ન બની શક્યો તો. * વોટ બેંકો પર દબાણ બનાવવાના ચક્કરમાં દલિતો, નિર્ધનો તેમજ વિશેષ સમુદાયના લોકોને ખુશ રાખવાના પ્રયાસો ચાલુ રહ્યાં તેમજ અનામતની સુવિધાની માંગ થતી રહી. *  કામ વિના વેતન આપવા અને કાંઇ પણ શીખ્યા વિના પ્રમાણપત્ર અપાવવાની પધ્ધતિ પર કોઇ મનાઇ ન કરવામાં આવી. * સરકારી વિભાગમાં ભ્રષ્ટાચાર તેમજ ઘુસણખોરી વધતી રહી. * ગ્રાહકો અને નાગરિકોના હીતો તેમજ દેશની જરૂરતોની ઉપેક્ષા કરીને કમાઇ વધારવાના ઉપાયો પર જોર આપવામાં આવતું રહ્યું. તટસ્થતા તેમજ ગુટ નિરપેક્ષતાની નીતિને તિલાંજલી આપીને પૂંજીવાદી વિકસીત, ઔદ્યોગીક તેમજ શક્તિશાળી રાષ્ટ્રોના દબાણમાં આવીને નિર્ણયો લેવામાં આવ્યાં. * કૃષી, ખેતી, પશુપાલન, મત્સ્યપાલન, ખનીજ વ્યવસાયોની ઉપેક્ષા કરવામાં આવી. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>* ગામડાઓમાં સુવિધાઓ ઉપલબ્ધ ન કરી શકાઇ જે શહેરો અને મહાનગરોમાં ઉપલબ્ધ છે. * સરકાર ખોટની વિત્ત વ્યવસ્થા પર રોક ન લગાવી શકી. સોનું-ચાંદી, સ્થાયી સંપત્તી તેમજ શેર બજારમાં ચાલી રહેલ સટ્ટાના વ્યાપારમાં રોક ન લગાવી શકી. * વિશેષ આર્થિક ક્ષેત્રો તેમજ અન્ય વિકાસ યોજનાઓનો લાભ મોટા વ્યાપારિક ઘરોથી નાના ઉદ્યમીઓ, કર્મચારીઓ, ઉપભોક્તાઓને હસ્તાંતરીત ન થયાં. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>જુલાઇ 2006 ની સ્થિતિ</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>* ભારતનો વિદેશી મુદ્રા કોષ: 164 અરબ ડોલર * ડોલરનું રૂપીયામાં મુલ્ય: 46.60 રૂ. * દેશમાં મુદ્રાની માત્રા: 28 લાખ ડોલર રૂ. * વ્યાપારીક બેંકો દ્વારા આપવામાં આવેલ ઉધાર: 16 લાખ કરોડ રૂ. * સરકારી પ્રતિભૂતિઓમાં બેંક નિવેશ : 8 લાખ કરોડ રૂ. * બેંકોમાં જમા: 22 લાખ કરોડ રૂપિયા * સ્વયં સહાયતા સમુહોની સંખ્યા :23 લાખ * પ્રતિસ્વયં સહાયતા સમૂહ ઉધાર: 51 હજાર રૂ. * 12  એફએમસીજી કંપનીઓનું વાર્ષિક વેચાણ: 36 હજાર કરોડ રૂ. શેરડીની ઉપજ માટે અપાયેલ કેષી ભૂમિ: 45 લાખ હેક્ટર * ચોખાની ઉપજ માટે અપાયેલ કેષી ભૂમિ: 192 લાખ હેક્ટર </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>* દાળની ઉપજ માટે અપાયેલ કૃષી ભૂમિ: 75 લાખ હેક્ટર * તલના ઉપજ માટે અપાયેલ કૃષી ભૂમિ: 129 લાખ હેક્ટર * જુદા જુદા અનાજના ઉત્પાદન માટે અપાયેલ ખેતી માટેની જમીન: 679 લાખ હેક્તર જમીન * મોબાઇલ કનેક્શનોને સંખ્યા: 15 કરોડ રૂ. * સાર્વજનીક કંપનીઓ દ્વારા સરકારને કર તેમજ લાભ: 74120 કરોડ રૂ. * ઓએનસીજીનો વાર્સઃઇક શુધ્ધ લાભ: 14431 કરોડ રૂ. * મિત્તલની આવક: 32 અરબ ડોલર * શેર બજારનો સેંસેક્સ સુચકાંક: 11000. </font>]]></content:encoded>
      <pubDate>Tue, 14 Aug 2007 19:17:49 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 19:21:46 +0530</updatedDate>
      <category><![CDATA[Indepandenace Day]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[કાવ્ય - સ્વતંત્રતા દિવસ]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/indepandenace-day/કાવ્ય-સ્વતંત્રતા-દિવસ-107081300028_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/indepandenace-day/કાવ્ય-સ્વતંત્રતા-દિવસ-107081300028_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[આઓ દિલમાં જોશ જગાવીએ
ભારતનો જયકાર બોલાવીએ 
સૂતેલા દેશપ્રેમને જગાડી
ચાલો સ્વતંત્રતા દિવસ મનાવીએ...]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આઓ દિલમાં જોશ જગાવીએ</font><br/><font  style='font-size:11pt; color:#000000'>ભારતનો જયકાર બોલાવીએ </font><br/><font  style='font-size:11pt; color:#000000'>સૂતેલા દેશપ્રેમને જગાડી</font><br/><font  style='font-size:11pt; color:#000000'>ચાલો સ્વતંત્રતા દિવસ મનાવીએ...</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>જેમને પોતાના લોહીથી ભર્યો છે રંગ</font><br/><font  style='font-size:11pt; color:#000000'>જે ભેગા મળીને હંમેશા રહ્યા છે સંગ</font><br/><font  style='font-size:11pt; color:#000000'>આવો તેમનો આભાર મનાવીએ......ચાલો સ્વતંત્રતા</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>નહોતી તેમને કોઈ ખુરશીની ચાહત</font><br/><font  style='font-size:11pt; color:#000000'>ભારતમાતાને મુક્ત કરવામાં હતી રાહત</font><br/><font  style='font-size:11pt; color:#000000'>આવો તેમને શીશ ઝુકાવીએ ......ચાલો સ્વતંત્રતા</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>અંગ્રેજોનો ત્રાસ સહ્યો હતો જેમણે</font><br/><font  style='font-size:11pt; color:#000000'>દરેક સુખ ત્યજી દીધા હતા એમણે</font><br/><font  style='font-size:11pt; color:#000000'>તેમના જીવનમાંથી બોધ મેળવીએ...ચાલો સ્વતંત્રતા </font>]]></content:encoded>
      <pubDate>Tue, 14 Aug 2007 19:15:56 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 19:21:46 +0530</updatedDate>
      <category><![CDATA[Indepandenace Day]]></category>
      <authorname>કલ્યાણી દેશમુખ</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[કાવ્ય - બસ એક કલ્પના]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/indepandenace-day/કાવ્ય-બસ-એક-કલ્પના-107081300029_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/indepandenace-day/કાવ્ય-બસ-એક-કલ્પના-107081300029_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[જ્યાં સૌના ચહેરા હસતાં હોય, અને દુ:ખ કોઈને ન પડતા હોય.
આ કેટલા સુંદર સપના છે, બસ આ તો મારી કલ્પના છે.]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>જ્યાં સૌના ચહેરા હસતાં હોય, અને દુ:ખ કોઈને ન પડતા હોય</font><br/><font  style='font-size:11pt; color:#000000'>આ કેટલા સુંદર સપના છે, બસ આ તો મારી કલ્પના છે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>જ્યા બોમ્બ ન કદી બનતા હોય,બધા મુક્ત રીતે ફરતાં હોય</font><br/><font  style='font-size:11pt; color:#000000'>એક આવા દેશની ઝંખના છે, બસ આ તો મારી કલ્પના છે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>જ્યાં અલગ જાતિ ન બનતી હોય, બધા જ્યા ભારતીય હોય</font><br/><font  style='font-size:11pt; color:#000000'>એક એવા નગરની તમન્ના છે, બસ આ તો મારી કલ્પના છે.. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>જ્યા દરેક દિલમાં દેશભક્તિ હોય, અને એકતા જ્યાં શક્તિ હોય</font><br/><font  style='font-size:11pt; color:#000000'>એક એવી મારી વંદના છે, બસ આ તો મારી કલ્પના છે.</font>]]></content:encoded>
      <pubDate>Tue, 14 Aug 2007 19:15:15 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 19:21:46 +0530</updatedDate>
      <category><![CDATA[Indepandenace Day]]></category>
      <authorname>કલ્યાણી દેશમુખ</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[ભારત બાબતે મળતાં પરિણામો]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/indepandenace-day/ભારત-બાબતે-મળતાં-પરિણામો-107081300031_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/indepandenace-day/ભારત-બાબતે-મળતાં-પરિણામો-107081300031_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[સંસ્થા ‘એનએસએસ’ની મારફત થયાં એક સર્વે પ્રમાણે ભારતમાં  
બેકારી, કામકાજ અને જનસંખ્યાથી લાગેલાં પરિણામો બાબતે ગામો અને શહેરોમાં અલગ-અલગ રીતે આ 
પરિણામો સામે આવ્યાં છે :]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>જુલાઇ 2004 અને જૂન 2005 વચ્ચે એક સંસ્થા ‘એનએસએસ’ની મારફત થયાં એક સર્વે પ્રમાણે ભારતમાં બેકારી, કામકાજ અને જનસંખ્યાથી લાગેલાં પરિણામો બાબતે ગામો અને શહેરોમાં અલગ-અલગ રીતે આ પરિણામો સામે આવ્યાં છે : </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/>1.) <font  style='font-size:11pt; color:#000000'>સર્વેમાં કુલ 8000 ગામો અને 4600થી વધુ શહેરી વિસ્તારોને લેવામાં આવ્યું હતું. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/>2.) <font  style='font-size:11pt; color:#000000'>તેમાં કુલ 124,680 મકાનોને શામેળ કરવામાં આવ્યું હતું, જેમાંથી 79,306 મકાનો શહેરોમાં અને બાકી  45,374 મકાનો શહેરોમાં આવેલાં હતાં. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/>3.) <font  style='font-size:11pt; color:#000000'>કુલ 6 લાખથી વધુ લોકોને આ બાબતે પ્રશ્નો કરવામાં આવ્યાં હતાં, જેમાંથી લગભગ 4લાખ લોકો ગામોમાં અને બાકીના 2 લાખ લોકો શહેરોમાં હતાં. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/>4.) <font  style='font-size:11pt; color:#000000'>આમાં મુખ્ય રીતે સાત વર્ગના લોકોને લેવામાં આવ્યું હતું : હિંદુ, મુસ્લિમ, ઇસાઇ, સિખ, જૈન, બુદ્ધ અને અન્ય વર્ગ. તેમાં મુખ્ય રીતે ત્રણ વર્ગોના લોકો રહ્યાં છે- હિંદુ, મુસ્લિમ અને ઇસાઇ; જ્યારે કે એક ઘરના પ્રમુખે આપેલી વિગતો પ્રમાણે જ પૂરા કુટુંબ માટે ગણવામાં આવ્યું હતું. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/>5.) <font  style='font-size:11pt; color:#000000'>‘મકાનો’ બાબતે ગામોમાં 84 ટકા હિંદુઓમાંથી 83 ટકા પોતે તેમના જ મકાનમાં રહે છે; જ્યારે કે 10 ટકા મકાનોમાં 12 ટકા મુસ્લિમો રહે છે. આની સામે ફકત 2 ટકા ઇસાઇઓ પોતે તેમના જ મકાનમાં રહે છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/>6.) <font  style='font-size:11pt; color:#000000'>આની સામે ‘મકાનો’ બાબતે શહેરોમાં 80 ટકા હિંદુઓમાંથી 77 ટકા પોતે તેમના જ મકાનમાં રહે છે; જ્યારે કે 13 ટકા મકાનોમાં 16 ટકા મુસ્લિમો રહે છે. આની સામે ફકત 3 ટકા ઇસાઇઓ પણ પોતે તેમના જ મકાનમાં રહે છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/>7.) <font  style='font-size:11pt; color:#000000'>સ્ત્રીઓ અને પુરૂષો વચ્ચેનો અનુપાત : ઇસાઇ વર્ગમાં સૌથી ઓછો અંતર જોવામાં આવ્યો હતો. તે પ્રમાણે ગામો સાથે શહેરોમાં પણ 1000 પુરૂષો સામે 994 સ્ત્રીઓ બને છે; જ્યારે કે મુસ્લિમોમાં 1000 પુરૂષો સામે 968 સ્ત્રીઓ ગામોમાં, અને તેમજ 932 સ્ત્રીઓ શહેરોમાં રહી હતી. આ બધાં સામે સૌથી વધુ અંતર હિંદુ વર્ગ માટે બન્યો હતો; અને તે રીતે 1000 પુરૂષો સામે 961 સ્ત્રીઓ ગામોમાં ને 912 સ્ત્રીઓ શહેરોમાં રહી હતી. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/>8.) <font  style='font-size:11pt; color:#000000'>ગામોમાં કામકાજ ધરાવતાં લોકો :ગામોમાં પોતાનું કામકાજ રાખતાં લોકોમાં 37 ટકા હિંદુઓ છે, જે ખરી રીતે ફકત ખેતરવાડી માટેનું કામ મેળવે છે. આની સામે ગામોમાં 35 ટકા ઇસાઇઓ અને 26 ટકા મુસ્લિમો પોતાનું ખેતરવાડીનું કામ મેળવી રહ્યાં છે. તે પ્રમાણે જ, ખેતરવાડી સિવાય બીજાં કામકાજોમાં લાગેલાં 14 ટકા હિંદુઓ, 28 ટકા મુસ્લિમો અને તેમજ 15 ટકા ઇસાઇઓ આવેલાં છે. મજૂરી કરતાં ગામના લોકોમાં 37 ટકા હિંદુઓ સામે 32 ટકા મુસ્લિમો આવ્યાં છે;જ્યારે કે ઇસાઇઓ ઓછાં છે.  </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/>9.) <font  style='font-size:11pt; color:#000000'>શહેરોમાં કામકાજ ધરાવતાં લોકો : શહેરોમાં પોતાનું કામકાજ રાખતાં લોકોમાં 36 ટકા હિંદુઓ છે, આની સામે શહેરોમાં 27 ટકા ઇસાઇઓ અને 49 ટકા મુસ્લિમો પોતાનું કામ મેળવી રહ્યાં છે. તે પ્રમાણે જ, મજૂરીમાં  લાગેલાં લોકોમાં 43 ટકા હિંદુઓ, 30 ટકા મુસ્લિમો અને 47 ટકા ઇસાઇઓ આવેલાં છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'>અસ્થાયી રીતે થોડા સમય માટે કામ કરતાં શહેરી લોકોમાં 12 ટકા હિંદુઓ સામે 14 ટકા મુસ્લિમો આવ્યાં છે; જ્યારે કે ઇસાઇઓની સંખ્યા 11 ટકા રહી છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/>10.) <font  style='font-size:11pt; color:#000000'>અશિક્ષા બાબતેની સ્થિતિ : સૌથી વધુ ભણેલાં લોકો ઇસાઇ વર્ગમાં ( ગામો અને શહેરોમાં ) રહ્યાં છે; જ્યારે કે હિંદુઓ અને મુસ્લિમોમાં ‘અશિક્ષા’ની દિક્કત વધુ છે. તે રીતે, ઇસાઇ વર્ગના લોકોમાં 20 ટકા પુરૂષો અને 31 ટકા સ્ત્રીઓએ ગામોમાં રહેતાં કોઇ ભણતર કર્યું નથી; જ્યારે કે શહેરોમાં ફક્ત 6 ટકા ઇસાઇ વર્ગના પુરૂષો અને 11 ટકા સ્ત્રીઓએ ભણતર કર્યું નથી. આની સામે ગામોમાં હિંદુઓ અને મુસ્લિમોમાં એક સરખી રીતે લગભગ 59 ટકા સ્ત્રીઓ ભણેલી નથી. તે રીતે જ, શહેરોમાં પણ પુરૂષો બાબતે ભણતરમાં મુસ્લિમોની સંખ્યા હિંદુઓ સામે વધુ બને છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>અશિક્ષા અને બેકારી કઇ રીતે દૂર થઇ શકે છે ? </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/>1.) <font  style='font-size:11pt; color:#000000'>વધુમાં વધુ લોકોને ‘ભણતર’ આપવા બાબતે બનાવેલી યોજનાઓ સામે અમલ કરવું જોઇએ. </font><br/>2.) <font  style='font-size:11pt; color:#000000'>નવા કામકાજો માટેના અવસર શોધતાં સ્થાઇ રીતે રોજગાર આપવો જોઇએ.</font><br/>3.) <font  style='font-size:11pt; color:#000000'>સમાજમાં બનેલી કુરીતિઓ અને અપરાધો સામે સખત રીતે કાર્યવાહી થવી જોઇએ.  </font><br/>4.) <font  style='font-size:11pt; color:#000000'>નાના બાળકો સાથે વડીલોને પણ ‘મફત ભણતર’ માટેની યોજના બાબતે જણાવવું જોઇએ.  </font><br/>5.) <font  style='font-size:11pt; color:#000000'>નવા કામકાજ અથવા પ્રશિક્ષણ આપવાની માટેની બરોબર વ્યવસ્થાઓ રાખવી જોઇએ.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/></font>]]></content:encoded>
      <pubDate>Tue, 14 Aug 2007 19:14:27 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 19:21:46 +0530</updatedDate>
      <category><![CDATA[Indepandenace Day]]></category>
      <authorname>અલ્કેશ વ્યાસ</authorname>
    </item>
  </channel>
</rss>
