<?xml version="1.0" encoding="UTF-8"?>
<rss version="2.0" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:atom="http://www.w3.org/2005/Atom">
  <channel>
    <title><![CDATA[ગુડબાય-08]]></title>
    <link>https://gujarati.webdunia.com/retro-08</link>
    <description><![CDATA[ગુજરાત, દેશ તથા દુનિયા માટે વર્ષ 2008 કેવું રહ્યું. મહત્વની બનેલી ઘટનાઓ સહિતની વિગતો આપના માટે માત્ર]]></description>
    <copyright>Copyright webdunia.com</copyright>
    <lastBuildDate>Tue, 09 Jun 2026 20:51:22 +0530</lastBuildDate>
    <language>en-us</language>
    <image>
      <title>ગુડબાય-08</title>
      <url>https://gujarati.webdunia.com/retro-08</url>
      <link>https://gujarati.webdunia.com/retro-08</link>
    </image>
    <atom:link href="https://gujarati.webdunia.com/rss/retro-08-1021217.rss" rel="self" type="application/rss+xml"/>
    <item>
      <title><![CDATA[રમત માટે યાદગાર...વર્ષ 2008]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/retro-08/રમત-માટે-યાદગાર-વર્ષ-2008-108122700029_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/retro-08/રમત-માટે-યાદગાર-વર્ષ-2008-108122700029_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[વર્ષ ર008નું વર્ષ રમતપ્રેમીઓ માટે ઘણીરીતે યાદગાર બની રહ્યું. ચીનમાં યોજાયેલા ઓલિમ્પિક્સમાં ભારતના અભિનવ બિન્દ્રાએ ગોલ્ડ મેડલ અપાવી દેશને ગૌરવ અપાવ્યું. તો અમેરિકાના માઇકલ ફ્લેપ્સે આઠ ગોલ્ડ મેડલ મેળવી એક અનોખો વિક્રમ બનાવ્યો હતો]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>વર્ષ ર008નું વર્ષ રમતપ્રેમીઓ માટે ઘણીરીતે યાદગાર બની રહ્યું. ચીનમાં યોજાયેલા ઓલિમ્પિક્સમાં ભારતના અભિનવ બિન્દ્રાએ ગોલ્ડ મેડલ અપાવી દેશને ગૌરવ અપાવ્યું. તો અમેરિકાના માઇકલ ફ્લેપ્સે આઠ ગોલ્ડ મેડલ મેળવી એક અનોખો વિક્રમ બનાવ્યો હતો. આ વર્ષ દરમિયાન ઓલિમ્પિક્સ ઉપરાંત ક્રિકેટ, આઇપીએલ, યુરો કપ સહિતની રમતોમાં વિવિધ પાસાઓ જોવા મળ્યા. તો આવો એક નજર નાંખીએ આ રોમાંચક પળો પર....</font><br/><font  style='font-size:11pt; color:#0000FF'></font><br/><font  style='font-size:11pt; color:#0000FF'><b>ભારતીય ગોલ્ડન શૂટર....</font><font style=' color:#000000;'></b></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ઓલિમ્પિક્સમા મેડલ મેળવવો એ ભારત માટે એક સ્વપ્ન જ રહેતું હતું. જોકે આ વખતે ભારતના અભિનવ બિન્દ્રાએ 10 મીટર એર રાઇફલમાં ગોલ્ડ મેડલ જીતી ઇતિહાસ સર્જ્યો હતો. 108 વર્ષોના ઇતિહાસમાં ભારતે પ્રથમ વખત વ્યક્તિગત ક્ષેણીમાં પ્રથમ ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. આ ઉપરાંત દેશના અન્ય બે સપૂતોએ પોતાનું કૌવત બતાવી વધુ બે મેડલ અપાવ્યા હતા. સુશીલ કુમારે રેશલીંગમાં અને વિજેન્દ્ર કુમારે બોકસીંગમાં દેશને બ્રોન્ઝ મેડલ અપાવ્યા હતા. </font><br/><font  style='font-size:11pt; color:#0000FF'></font><br/><font  style='font-size:11pt; color:#0000FF'><b>સચિન...રનોનો શહેનશા</font><font style=' color:#000000;'>હ</b></font><br/>17<font  style='font-size:11pt; color:#000000'>મી ઓક્ટોબર ક્રિકેટ ઇતિહાસમાં યાદગાર રહેશે. આ દિવસ ભારત તથા સચિન તેડુંલકર માટે સુવર્ણ અક્ષરે નોંધાશે. માસ્ટર બ્લાસ્ટર સચિને આ દિવસે ઓસ્ટ્રેલિયા સામે રમતાં ટેસ્ટમાં સૌથી વધુ રન બનાવવાનો લારાનો વિશ્વ વિક્રમ તોડ્યો હતો. આ વિક્રમની સાથે જ સચિન રનોનો શહેનશાહ બન્યો છે. રનની બાબતે સચિને કેટલાય રેકોર્ડ પોતાને નામ કર્યા છે. આ વર્ષ દરમિયાન તેણે એક હજાર રન કર્યા હતા. </font><br/><font  style='font-size:11pt; color:#0000FF'></font><br/><font  style='font-size:11pt; color:#0000FF'><b>સાયના અપ, સોનિયા ડાઉ</font><font style=' color:#000000;'>ન</b></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ભારતને બેડમિન્ટનમાં ઉભરતી પ્રતિભા સાયના નેહવાલના રૂપમાં પ્રાપ્ત થઇ છે. સાયનાએ વર્લ્ડ જુનિયર ચેમ્પિયનશીપ સહિત પાંચ આંતર રાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં ચેમ્પિયન બની પોતાનો પરચો બતાવ્યો હતો. આ પ્રદર્શન બદલ તેનું રેન્કીંગ ટોપ ટેનમાં થયું હતું. તો બીજી તરફ સોનિયા મિર્ઝાનું પ્રદર્શન એકદમ ખરાબ રહ્યું હતું. આ વર્ષ દરમિયાન તેના કંગાળ ફોર્મને કારણે રેન્કીંગમાં તે 101મા સ્થાને આવી ગઇ હતી. </font><br/><font  style='font-size:11pt; color:#0000FF'></font><br/><font  style='font-size:11pt; color:#0000FF'><b>બાદશાહ-એ-ચેસ...</font><font style=' color:#000000;'></b></font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ચેસ ચેમ્પિયન વિશ્વનાથ આનંદે વર્લ્ડ ચેમ્પિયન બનીને દેશના ગૌરવમાં વધારો કર્યો હતો. આનંદે ક્રેમિકને હરાવી ત્રીજીવાર વર્લ્ડ ચેમ્પિયન બનવા તરફ કદમ વાળ્યા હતાં. જોકે આનંદ માટે વર્ષની શરૂઆત નબળી રહી હતી. જેના કારણે આનંદે ટોચનું સ્થાન ગુમાવવું પડ્યુ હતું. પરંતુ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં આનંદે પાછી પાની ન કરતા જોરદાર પ્રદર્શન દ્વારા એક વાર ફરી સાબિત કરી દીધુ હતુ કે તે ચેસજગતના બાદશાહ છે. </font><br/><font  style='font-size:11pt; color:#0000FF'></font><br/><font  style='font-size:11pt; color:#0000FF'><b>ધોનીએ મચાવી ધૂમ...</font><font style=' color:#000000;'></b></font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ભારતીય ક્રિકેટ ટીમના કપ્તાન મહેન્દ્ર સિંહ ધોનીએ ચાર વર્ષ પહેલા એવી કલ્પના નહી કરી હોય કે તેઓ ભારતીય ટીમનું સુકાની પદ સંભાળશે. ધોનીના પગલા ક્રિકેટ જગતમાં પડતાની સાથે તેમણે એક પછી એક સિદ્ધીઓ ભારતને અપાવવાનું શરૂ કરી દીધું. વિકેટ કિપીંગની સાથે સાથે ધોની શાનદાર બેટ્સમેન તરીકે પણ ઉભરીને બહાર આવ્યા.ધોનીના શાનદાર પ્રદર્શનના કારણે આઈસીસી રેંકિગમાં તેમનું સ્થાન ટોચનું રહ્યુ છે. ધોનીમાં ટીમને મજબૂત કરવાની સમજ અને યોગ્ય સુકાનની કાર્યકુશળતાના કારણે તેમણે છેલ્લા ત્રણ મહિનાથી ભારતીય ટીમનું સૂકાન પદ સંભાળે છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#0000FF'></font><br/><font  style='font-size:11pt; color:#0000FF'><b>નિવૃત્તિ જ નિવૃત્તિ... </font><font style=' color:#000000;'></b></font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ભારતીય ક્રિકેટ જગતના બે નામદાર ખેલાડીઓએ 2008ના વર્ષમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ જગતને અલવિદા કરી દીધી હતી. જેમાં પૂર્વ કુશળ કપ્તાન સૌરવ ગાંગૂલી અને ઝડપી બોલર અનિલ કુમ્બલેનો સમાવેશ થાય છે. ભારતીય ટીમને દુનિયાની નજરમાં લાવવાની સફરના આ બંને ખેલાડીઓ સાક્ષી રહ્યા છે. આ બંને ખેલાડીઓએ તાજેતરમાં રમાયેલી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની વનડે શ્રેણી બાદ સન્યાસ જાહેર કર્યો હતો. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આની સાથે સાથે એડમ ગિલક્રિસ્ટ અને સ્ટિફન ફ્લેમિંગે પણ પોતાની કારકિર્દીનો અંત આણ્યો હતો. જ્યારે ટેનિસમાં જસ્ટિન હેનિને અને ગોલ્ફમાં એનિકા સોરેનસ્ટામે રમતજગત માંથી પોતાની નિવૃત્તિ જાહેર કરી હતી. આ રીતે 2008નું વર્ષ રમતજગતના કેટલાય તારલાઓને તેમની સાથે લઈ ગયુ છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#0000FF'></font><br/><font  style='font-size:11pt; color:#0000FF'><b>ભારતની મંજીલ નંબર-1... </font><font style=' color:#000000;'></b></font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ઈંગ્લેંડની બે ટેસ્ટ મેચવાળી ટેસ્ટ શ્રેણીમાં જીત મેળવવાની સાથે જ ભારત આઈસીસી ટેસ્ટ ચેમ્પિયંશિપ રેંકિંગમાં દક્ષિણ આફ્રિકાને પછાડીને બીજા ક્રમે પહોચી ગયુ છે.દક્ષિણ આફ્રિકા જો ઓસ્ટ્રેલિયાને ત્રણ મેચોની શ્રેણીમાં 1.0 કે 2.0થી હરાવી લે છે તો તે ફરી બીજા ક્રમે આવી જશે.અને જો શ્રેણી 3.0થી જીતી લેશે તો તે ઓસ્ટ્રેલિયાને પ્રથમ ક્રમથી હટાવી શકે છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>બીજી બાજુ ઓસ્ટ્રેલિયા છેલ્લી બન્ને મેચ જીતી લે છે તો દક્ષિણ આફ્રિકાની બીજા ક્રમે આવવાની આશા પર પાણી ફેરવાઈ જશે. વીરેન્દ્ર સહેવાગે પણ એ વાતનો વિશ્વાસ વ્યકત કર્યો હતો કે ભારત જરૂર નંબર વનની મંજીલ પ્રાપ્ત કરીને જ જંપશે. </font>]]></content:encoded>
      <pubDate>Sun, 28 Dec 2008 01:54:22 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 20:03:30 +0530</updatedDate>
      <category><![CDATA[Retro 08]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[આર્થિક મંદીનું સુનામી...]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/retro-08/આર્થિક-મંદીનું-સુનામી-108122600006_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/retro-08/આર્થિક-મંદીનું-સુનામી-108122600006_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[તેજી કે મંદી જેવા શબ્દો સામાન્ય રીતે શેરબજારમાં થતી હીલચાલ વખતે કાનને ક્યારેક અથડાતા. પરંતુ 2008માં આવેલી મંદી તો  જાણે લોકોના કાન ફાડીને કહેતી કે હોય મારૂ નામ મંદી. આ મંદીનો દૌર સૌથી પહેલા અમેરિકામાંથી શરૂ થયો અને તેની અસરતળે અન્ય દેશો પણ ડૂબતા ...]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>તેજી કે મંદી જેવા શબ્દો સામાન્ય રીતે શેરબજારમાં થતી હીલચાલ વખતે કાનને ક્યારેક અથડાતા. પરંતુ 2008માં આવેલી મંદી તો  જાણે લોકોના કાન ફાડીને કહેતી કે હોય મારૂ નામ મંદી. આ મંદીનો દૌર સૌથી પહેલા અમેરિકામાંથી શરૂ થયો અને તેની અસરતળે અન્ય દેશો પણ ડૂબતા ગયા..... </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>મંદીમાં સૌથી વધારે અસર આઈટી ક્ષેત્રને થઈ છે. અમેરિકામાં લાખો લોકો એક જ ઝાટકે બેરોજગારની હરોળમાં આવી ગયા. અને હજી આ સિલસિલો ચાલુ જ છે. જાપાન, બ્રિટન, ચાઈના, અને ભારત જેવા દેશોમાં પણ મોટી સંખ્યામાં લાખો કર્મચારીઓની નોકરીઓ છીનવાઈ ગઈ છે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>વણઆમંત્રીત આ મંદીની કઈ પહેલીવારની આ દસ્તક નથી. આ અગાઉ આવેલી મંદી પોતાના વાવાઝોડાથી બધુ ફનાફાતીયા કરી ગઈ હતી અને ભારત તેનું સાક્ષી રહ્યુ હતું. આજે દુનિયાભરના અખબારોમાં મંદી લખાઈ રહ્યુ છે, છપાઈ રહ્યુ છે, અને વંચાઈ રહ્યુ છે. અમેરિકામાં હાલમાં જ રાષ્ટ્રપતિની ચૂંટણી બાદ અખબારોમાં ઓબામાના સ્થાને મંદીની ગાથાઓ જોવા મળી રહી છે.અને કેમ ન હોય કારણ કે મૂડીવાદી વિચારધારાથી ટકી રહેલા અમેરિકાને આ મંદી સૌથી વધુ અસર કરી ગઈ છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>જો હજી આ મંદીનો દોર 20 મહિના જેટલો ચાલશે તો અન્ય મૂડીવાદી દેશોની સાથે સાથે અમેરિકાનું વિશ્વમાંથી આર્થિક આધિપત્યનો અંત આવી જશે. જોકે અમેરિકા આર્થિક મંદીમાં જીવતા અને તેમાંથી બહાર નીકળતા પણ શીખી ગયો છે. ઈ.સ 1854 થી 1990 સુધી અમેરિકામાં આવેલી મંદીનો ઈતિહાસ કહે છે વધુમાં વધુ 29 મહિના આર્થિક સંકડામણ અને તકલીફો વેઠવી પડે છે અને બાદમાં ધીરેધીરે તંત્ર રાબેતા મૂજબ ચાલવા લાગે છે. તાજેતરમાં પડેલી મંદીની મારના પગલે અમેરિકાની કંપનીમાં અન્ય દેશની કંપનીઓ રોકાણ કરતા પણ વિચાર કરશે. અમેરિકાએ પણ હવે દરેક દેશની જેમ ઉદ્યોગોને આકર્ષવા લાઈનમાં ઉભા રહેવુ પડશે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>મંદીની સૌથી વધારે અસર અમેરિકાના લેહમેન અને સિટી ગ્રુપને થઈ છે. તે અત્યાર સુધી 52 હજાર નોકરીઓ કાપી ચૂક્યુ છે. જેપી મોર્ગન ચેસ એંડ કંપનીએ 9200 કામર્જબેંકે 9000 અને જીએમએસી એલએકસીએ 5000 નોકરીઓ પાછી ખેચી લીધી છે. ગયા સપ્ટેમ્બર માસથી શરૂ થયેલી આ પ્રક્રિયામાં અત્યાર સુધી 1 લાખ બેહજાર 150 નોકરીઓમાં કપાતમાં આવી છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>દેશમાં પણ તેની ભારે અસર જોવા મળી રહી છે. હીરા, આઇટી, એવિએશન, ઓટોમોબાઇલ, કાપડ ક્ષેત્રમાં પણ તેનો ખરાબ પ્રભાવ પડ્યો હતો. ટાટાગ્રુપે 3000 હજાર અસ્થાઈ કર્મચારીઓને હટાવી દીધા છે. ઉપરાંત જેટ એરવેઝે પણ 1900 કર્મચારીઓની છટણી કરવાની જાહેરાત કરી હતી. બાદમાં વિરોધ થવાના કારણે છટણી કરવામાં આવી નહી. પ્રમુખ કંપનીઓમાં ઉચ્ચ વેતનદરમાં ઘટાડો કરવામાં આવ્યો છે અને નવી ભરતીઓ બંધ કરી દેવાઈ છે.      </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>જેનાથી સામાન્ય માણસ જાય તો આખરે ક્યા જાય. ઘણી કંપનીઓ પોતાનો ફાયદો કરવા માટે કર્મચારીઓને છૂટ કરી રહી છે કાંતો તેમના પગારમાં કપાત કરી સરહી છે. મંદી નામના આ રાક્ષસના ભયથી કર્મચારી બિચારો એક હરફ પણ ઉચ્ચારી શકતા નથી. માત્ર તે એટલી જ પ્રાર્થના કરતો રહે છે કે મંદીની તલવાર મારા માથે ન પડે તો સારૂ....</font>]]></content:encoded>
      <pubDate>Fri, 26 Dec 2008 11:20:37 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 20:03:30 +0530</updatedDate>
      <category><![CDATA[Retro 08]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[ચંન્દ્રાયાન : ભારતની અવકાશી સિધ્ધિ]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/retro-08/ચંન્દ્રાયાન-ભારતની-અવકાશી-સિધ્ધિ-108122500014_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/retro-08/ચંન્દ્રાયાન-ભારતની-અવકાશી-સિધ્ધિ-108122500014_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[ચંન્દ્રાયાનને શ્રી હરીકોટા સતિશ ધવન અંતરીક્ષ કેન્દ્ર ખાતે થી આ દિવસે સવારે 6-20 મિનિટે અંતરીક્ષમાં છોડવામાં આવ્યું અને ભારતનું નામ વિશ્વના અંતરીક્ષમાં સોનેરી અક્ષરોથી લખાયું]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:11pt; color:#000000'></font><br/>22<font  style='font-size:11pt; color:#000000'>મી ઓક્ટોબરના સોનેરી સૂર્ય કિરણો ભારત માટે યાદગાર બની રહ્યા. દક્ષિણ ભારતના શ્રી હરિકોટાથી અવકાશમાં સંશોધન માટે દેશનાં પ્રથમ ચંદ્ર અભિયાન ચંદ્રાયાન પ્રથમની ઉલટી ગણતરી શરૂ થઈ આ યાનને શ્રી હરીકોટા સતિશ ધવન અંતરીક્ષ કેન્દ્ર ખાતે થી આ દિવસે સવારે 6-20 મિનિટે અંતરીક્ષમાં છોડવામાં આવ્યું અને ભારતનું નામ વિશ્વના અંતરીક્ષમાં સોનેરી અક્ષરોથી લખાયું. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ભારતીય અંતરીક્ષ અનુસંધાન સંગઠન ઈસરોનાં સુત્રોનાં જણાવ્યા મુજબ શરૂઆત ખૂબ ખરાબ રહી હતી. પણ તેને ખુબ જલ્દીથી સુધારી લેવામાં આવી હતી. પીએસએલવી સી 11 રોકેટને ગત 18 ઓક્ટોબરનાં રોજ પ્રક્ષેપણ સ્થળે લાવવામાં આવ્યુ હતું. 44.4 મીટર લાંબા પીએસએલવી સી 11 દ્વારા ચંદ્રયાનને ચાંદામામા તરફ પ્રયાણ કરવા રવાના કરાયું જે એક મોટી સિધ્ધિ છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ચંદ્રયાન-1માં વિવિધ 11 જેટલાં ઉપકરણો લાગેલા છે. જેમાં 6 વિદેશી છે. જેની સહાયતાથી ચંદ્ર પર મોજુદ વિભિન્ન રસાયણો અને ખનિજોની રાસાયણિક સંરચનાનું આકલન કરવામાં આવશે અને તે ત્યાં પાણીની હાજરી શોધશે. ચન્દ્રાયાન-1 છોડવામાં આવ્યું. સફળતા પૂર્વક ઉડેલા આ યાનની સફળતાથી ભારતનો વિશ્વમાં ડંકો વાગ્યો સાથોસાથ આવનાર સમયમાં આપણે ઉર્જા સહિતના ઘણા કોયડા ઉકેલી શકીશું એવી આશા સેવાઇ રહી છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ગૌરવની વાત તો એ છે કે આ સમગ્ર પ્રોજેક્ટમાં ગુજરાતની અમદાવાદની સ્થિત ફિઝીકલ રિચર્સ લેબોરેટરીનો અહમ ફાળો છે. આ સંસ્થાના ત્રણ યુવા વૈજ્ઞાનિકોએ મહત્વની કામગીરી બજાવી છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><b><a href='http://gujarati.webdunia.com/newsworld/news/national/0812/25/1081225006_1.htm' target=_blank>દ્રિતિય ચંદ્રયાન 2012માં...</a></b></font>]]></content:encoded>
      <pubDate>Fri, 26 Dec 2008 11:03:54 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 20:03:30 +0530</updatedDate>
      <category><![CDATA[Retro 08]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[વિશ્વાસનો મત : કોંગ્રેસ ક્યારેય હારતી નથી]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/retro-08/વિશ્વાસનો-મત-કોંગ્રેસ-ક્યારેય-હારતી-નથી-108122500016_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/retro-08/વિશ્વાસનો-મત-કોંગ્રેસ-ક્યારેય-હારતી-નથી-108122500016_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[વિશ્વાસ મતના ચોપાટમાં કોંગ્રેસને કોઇ મહાત કરી શકતું નથી. એનું કારણ કોંગ્રેસને ગળગૂંથીમાં મળેલી સત્તામાં ચોંટી રહેવાની તીવ્ર ઝંખના છે. ભારત-અમેરિકા અણું કરારના મામલે ડાબેરીઓએ ટેકો પાછો ખેંચી લેતાં મનમોહન સરકાર માથે સંકટ તોળાયું હતું]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>વિશ્વાસ મતના ચોપાટમાં કોંગ્રેસને કોઇ મહાત કરી શકતું નથી. એનું કારણ કોંગ્રેસને ગળગૂંથીમાં મળેલી સત્તામાં ચોંટી રહેવાની તીવ્ર ઝંખના છે. ભારત-અમેરિકા અણું કરારના મામલે ડાબેરીઓએ ટેકો પાછો ખેંચી લેતાં મનમોહન સરકાર માથે સંકટ તોળાયું હતું. પરંતુ મનમોહનજીએ કાબેલિયત દાખવતાં તેઓ 22મી જુલાઇએ 275 વિરૂધ્ધ 256થી વિશ્વાસનો મત જીતી ગયા હતા અને વિપક્ષની મનની મુરાદ બર આવવા ન દીધી. અત્રે ઉલ્લેખનિય છે કે, કોંગ્રેસના ઇતિહાસમાં નરસિંહરાવની સરકારે પણ બે વખત વિશ્વાસ મતની કસોટી આપવી પડી હતી. જોકે તેઓ પણ વિશ્વાસ અકબંધ રાખી શક્યા હતા. </font><br/><font  style='font-size:11pt; color:#0000FF'></font><br/><font  style='font-size:11pt; color:#0000FF'><b>સાંસદ ખરીદવાનો આક્ષે</font><font style=' color:#000000;'>પ</b></font><br/><font  style='font-size:11pt; color:#000000'>વિશ્વાસનો મત મેળવવામાં કોંગ્રેસે નાણાં કોથળી ખુલ્લી મુકી હોવાની રાવ ઉઠી હતી. સીપીઆઇએમે આક્ષેપ કર્યો હતો કે, વિશ્વાસના મત દરમિયાન સરકાર તરફી મતદાન કરવા અથવા ગેરહાજર રહેવા માટે ડાબેરી સિવાયના 16 સાંસદોને ખરીદવામાં આવ્યા હતા કે તેમને બ્લેક મેઇલ કરવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનિય છે કે, નરસિંહરાવ સરકારે સાત સાંસદોને ખરીદી વિશ્વાસ મત મેળવ્યો હોવાની રાવ ઉઠી હતી. મનમોહનસિંહની સરકાર નરસિંહરાવની સરકારને પણ સારી કહેવડાવી જાય છે અવો સીપીઆઇએમ નેતા પ્રકાશ કરાતે આક્ષેપ કર્યો હતો. </font><br/><font  style='font-size:11pt; color:#0000FF'></font><br/><font  style='font-size:11pt; color:#0000FF'><b>ભાજપના સાંસદોનું ક્રોસ વોટીં</font><font style=' color:#000000;'>ગ</b></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ભાજપના સાત સાંસદોએ ક્રોસ વોટીંગ કર્યાનું પણ બહાર આવ્યું હતું. આ સાંસદોમાં બાબુભાઇ કટારા, સોમાભાઇ પટેલ, વ્રજભૂષણ, ચંન્દ્રભાણસિંહ રાઠોડ, ટી.એસ.સાંગિયાન, હરિભાણ રાઠોડ તથા મંજૂનાથનના નામ ઉપસી આવ્યા હતા. જેમને પાછળથી પક્ષે નોટિસ ફટકારી હતી.  આવ્યું હતું. </font><br/><font  style='font-size:11pt; color:#0000FF'></font><br/><font  style='font-size:11pt; color:#0000FF'><b>સાંસદમાં દેખાઇ નોટો....</font><font style=' color:#000000;'></b></font><br/><font  style='font-size:11pt; color:#000000'>મતદાનથી દુર રહેવા માટે પોતાને ખરીદવા માટે સરકારના મળતીયાઓ દ્વારા લાંચ આપવામાં આવી હોવાના આક્ષેપ સાથે ભાજપના ત્રણ સાંસદોએ રોકડ નાણાની થોકડીઓ સંસદગૃહમાં દેખાડી હતી. આ બનાવના સંસદમાં ઘેરા પડઘા પડ્યા હતા. </font>]]></content:encoded>
      <pubDate>Fri, 26 Dec 2008 11:00:52 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 20:03:30 +0530</updatedDate>
      <category><![CDATA[Retro 08]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[આરૂષિ હત્યાકાંડ : મૂલ્યો ચીંથરેહાલ]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/retro-08/આરૂષિ-હત્યાકાંડ-મૂલ્યો-ચીંથરેહાલ-108122500018_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/retro-08/આરૂષિ-હત્યાકાંડ-મૂલ્યો-ચીંથરેહાલ-108122500018_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[બહુચર્ચિત આરૂષિ-હેમરાજ હત્યા કેસમાં 50 દિવસની જેલ બાદ છેવટે આરૂષિના પિતા ડો. રાજેશ તલવારને હાશકારો મળ્યો હતો. સીબીઆઇની તપાસમાં પણ ડો. રાજેશ તલાવર વિરૂધ્ધ કોઇ નક્કર પુરાવા ના મળતાં ગાઝીયાબાદની કોર્ટે તલવારને રૂ. 10 લાખના જાત મુચરકા ઉપર જામીન આપ્યા ...]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>બહુચર્ચિત આરૂષિ-હેમરાજ હત્યા કેસમાં 50 દિવસની જેલ બાદ છેવટે આરૂષિના પિતા ડો. રાજેશ તલવારને હાશકારો મળ્યો હતો. સીબીઆઇની તપાસમાં પણ ડો. રાજેશ તલાવર વિરૂધ્ધ કોઇ નક્કર પુરાવા ના મળતાં ગાઝીયાબાદની કોર્ટે તલવારને રૂ. 10 લાખના જાત મુચરકા ઉપર જામીન આપ્યા હતા. આરૂષિ અને હેમરાજની 15મી મેના રોજ અડધી રાતે હત્યા કરવામાં આવી હતી</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આ સમગ્ર પ્રકરણની તપાસ કરી રહેલા સીબીઆઇના જોઇન્ટ ડાયરેકટર અરૂણ કુમારે જણાવ્યું હતું કે, તપાસમાં ઘરેલુ નોકરોની ભૂમિકા શંકાસ્પદ જણાતાં ધરપકડ કરાઇ હતી. આ કેસમાં ધરપકડ કરાયેલ કમ્પાઉન્ડર કૃષ્ણા અને બાજુના મકાનના નોકર રાજકુમાર સામે સીબીઆઇ આરોપપત્ર દાખલ કરવામાં નિષ્ફળ રહેતાં કોર્ટે બંનેને જામીન આપ્યા હતા. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>અત્રે ઉલ્લેખનિય છે કે, 14 વર્ષિય આરૂષિ નોઇડાની દિલ્હી પબ્લીક સ્કૂલમાં અભ્યાસ કરતી હતી. આ મામલે મીડિયાએ આરૂષિના પિતા તલવારના માથે ખૂબ માછલા ધોયા હતા. </font>]]></content:encoded>
      <pubDate>Fri, 26 Dec 2008 10:59:47 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 20:03:30 +0530</updatedDate>
      <category><![CDATA[Retro 08]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[બિહાર પૂર : લોકો રહ્યા ભગવાન ભરોસે]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/retro-08/બિહાર-પૂર-લોકો-રહ્યા-ભગવાન-ભરોસે-108122500020_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/retro-08/બિહાર-પૂર-લોકો-રહ્યા-ભગવાન-ભરોસે-108122500020_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[બિહારમાં આ વર્ષે કોશી નદી ગાંડી બનતાં બિહાર બેહાલ બન્યું હતું. કોશી સહિત નદીઓમાં પણ ભારે વરસાદથી ઘોડાપૂર આવતાં લોકો ભગવાન ભરોસે રહ્યા હતા. સરકારી તંત્ર પણ અસરગ્રસ્તોને પુરતી અને તાત્કાલિક મદદ કરી શક્યું ન હતું.]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>બિહારમાં આ વર્ષે કોશી નદી ગાંડી બનતાં બિહાર બેહાલ બન્યું હતું. કોશી સહિત નદીઓમાં પણ ભારે વરસાદથી ઘોડાપૂર આવતાં લોકો ભગવાન ભરોસે રહ્યા હતા. સરકારી તંત્ર પણ અસરગ્રસ્તોને પુરતી અને તાત્કાલિક મદદ કરી શક્યું ન હતું. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>પૂરને કારણે ભૂખમરાની નોબત આવી હતી. જીવન જરૂરીયાતની વસ્તુઓનાં ભાવ આસમાને ગયા હતા. સરકારી સહાય પણ નાગરિકો સુધી પહોચી શકી ન હતી. હેલીકોપ્ટરોને ઉડવામાં પણ તકલીફ પડી હતી. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>બિહારમાં કોસી નદીએ તેનું વહેણ બદલતાં 10 લાખ લોકોને ફરજિયાત સ્થળાંતર કરવાની ફરજ પડી હતી. પૂરની સ્થિતિ ગંભીર બનેલી છે. વડાપ્રધાન દ્વારા બિહાર પૂરને રાષ્ટ્રીય આપત્તિ હોવાની ઘોષણા કરી રૂ.1 હજાર કરોડની સહાયની જાહેરાત કરી હતી. નેપાળમાં કોસી નદી પરનાં બંધમાં ગાબડું પડતાં, નદીએ તેનાં વહેણની દિશા બદલી નાંખતાં આ વિકટ સ્થિતિ સર્જાઇ હતી. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>રાજ્ય સરકાર દ્વારા સેનાની મદદ લેવામાં આવી હતી. સેનાનાં હેલીકોપ્ટરોની મદદ લેવાઇ હતી પરંતુ તે નિષ્ફળ રહેતાં લોકોને કેટલાય દિવસો સુધી ભૂખ્યા રહેવાનો વારો આવ્યો હતો. આ દિવસોમાં એક કિલો ચોખાનો ભાવ રૂ. 100 અને એક લિટર દૂધનો ભાવ રૂ. 150 થઇ ગયો હતો. પશુઓની હાલત સૌથી વધુ ખરાબ બની હતી. સેકડો પશુઓ પૂરમાં તણાઈને મૃત્યુ પામ્યા હતા. </font>]]></content:encoded>
      <pubDate>Fri, 26 Dec 2008 10:58:32 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 20:03:30 +0530</updatedDate>
      <category><![CDATA[Retro 08]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[ચર્ચ ઉપર હુમલો : ધર્મનું રાજકારણ]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/retro-08/ચર્ચ-ઉપર-હુમલો-ધર્મનું-રાજકારણ-108122500021_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/retro-08/ચર્ચ-ઉપર-હુમલો-ધર્મનું-રાજકારણ-108122500021_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[ઓરિસ્સાના કંધમાલમાં ચર્ચો પર થયેલા વિવિધ હુમલાઓમાં હિન્દુ કટ્ટરપંથીઓની સંડોવણી બહારી આવી હતી. ચર્ચો પર થયેલા હુમલાઓની લઘુમતી માટેના રાષ્ટ્રીય પંચે કોમી એકતાને તોડવા માટે બજરંગ દળને જવાબદાર ઠેરવ્યું હતું]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ઓરિસ્સાના કંધમાલમાં ચર્ચો પર થયેલા વિવિધ હુમલાઓમાં હિન્દુ કટ્ટરપંથીઓની સંડોવણી બહારી આવી હતી. ચર્ચો પર થયેલા હુમલાઓની લઘુમતી માટેના રાષ્ટ્રીય પંચે કોમી એકતાને તોડવા માટે બજરંગ દળને જવાબદાર ઠેરવ્યું હતું. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ખ્રિસ્તી સમુદાય અને ચર્ચો પર થયેલા હુમલા બાદ લઘુમતી પંચના અધ્યક્ષ એમ.ડી શફી કુરેશીએ મેંગ્લોર, બેંગલોર, ઉડીપી સહિત તોફાનગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>અહેવાલમાં તેમણે જણાવ્યું હતું કે, ઉડીપી જિલ્લાના એસ.એસ.પી અને જિલ્લા મેજીસ્ટ્રેટે રાષ્ટ્રીય લઘુમતી પંચને જણાવ્યું હતું કે તોફાનો સંદર્ભે ધરપકડ કરાયેલા વ્યક્તિઓ બજરંગ દળના છે. આ તોફાનોને પગલે આ સંગઠનો દ્વારા બજરંગ ઉપર પ્રતિબંધ મુકવા માટે પણ ઉગ્ર રજુઆતો કરાઇ હતી. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>માઓવાદી નેતા સવ્યસાચી પાંડાએ ઓરિસ્સામાં વિશ્વ હિન્દુ પરિષદના નેતા સ્વામી લક્ષમણાનંદ સહિત અન્યોની હત્યા એમના જુથે કરી હોવાનો દાવો કરી સંઘ પરિવારને કટ્ટરપંથી હોવાનો આક્ષેપ કર્યો હતો. ભાજપના નેતા અડવાણી, વિહિપના અશોક સિંઘલ, પ્રવીણ તોગડિયા ડાબેરી પાંખના અંતિમવાદીઓનાં મુખ્ય નિશાન પર હોવાનો પણ તેમણે ઉલ્લેખ કર્યો હતો. </font>]]></content:encoded>
      <pubDate>Fri, 26 Dec 2008 10:57:29 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 20:03:30 +0530</updatedDate>
      <category><![CDATA[Retro 08]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[આસારામ આશ્રમ : લોહીથી  ખરડાયો]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/retro-08/આસારામ-આશ્રમ-લોહીથી-ખરડાયો-108122500028_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/retro-08/આસારામ-આશ્રમ-લોહીથી-ખરડાયો-108122500028_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[અમદાવાદ સ્થિત આસારામ આશ્રમમાં બનેલી ઘટનાના રાજ્યમાં ઘેરા પડઘા પડ્યા હતા. બે માસુમોના મોતને પગલે લોકોમાં ભારે રોષ ભભુકી ઉઠ્યો હતો. આશ્રમના ગુરૂકુળમાં અભ્યાસ કરતાં બે માસુમ દિપેશ અને અભિષેક ગત 3જી જુલાઇના રોજ એકાએક ગુમ થયા હતા.]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>અમદાવાદ સ્થિત આસારામ આશ્રમમાં બનેલી ઘટનાના રાજ્યમાં ઘેરા પડઘા પડ્યા હતા. બે માસુમોના મોતને પગલે લોકોમાં ભારે રોષ ભભુકી ઉઠ્યો હતો. આશ્રમના ગુરૂકુળમાં અભ્યાસ કરતાં બે માસુમ દિપેશ અને અભિષેક ગત 3જી જુલાઇના રોજ એકાએક ગુમ થયા હતા. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આ ઘટનાના બે દિવસ બાદ સાબરમતી નદીના પટમાંથી બંનેની ખરાબ હાલતમાં લાશ મળી આવી હતી. જોકે, પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પાણીમાં ડુબી જવાથી મોત થયાનું બહાર આવતાં આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>લોકોમાં જબરજસ્ત આક્રોશ ભભુકી ઉઠ્યો હતો. લોકો જાતે જ રસ્તા ઉપર આવી ગયા હતા અને સ્વયંભૂ બંધ પાળ્યો  હતો. લોકોની એક જ માંગ હતી કે, કસુરવાર ભલે કોઇ મોટો સંત હોય તો પણ તેને સજા કરો....</font><br/><font  style='font-size:11pt; color:#000000'>તો બીજી  બાજુ મૃત બાળકોના વાલીઓએ આમરણાંત ભૂખ હડતાળ આદરી  હતી. છેવટે સરકાર ઝુકી હતી અને આ સમગ્ર તપાસ સીબીઆઇને સોંપી હતી. જેને પગલે સીબીઆઇએ આશ્રમમાં રેડ કરી  હતી અને કેટલાક વસ્તુઓ જપ્ત કરી હતી. આ મામલાની હજી તપાસ ચાલુ  હતી ત્યાં છિંદવાડા સ્થિત આસારામ આશ્રમમાં પણ વધુ બે બાળકોના મોત નીપજતાં આ  મામલો વધુ ચગ્યો હતો. </font><br/><font  style='font-size:11pt; color:#0000FF'></font><br/><font  style='font-size:11pt; color:#0000FF'><b>સંતના સેવકો બન્યા ગુંડ</font><font style=' color:#000000;'>ા</b></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આ સમગ્ર પ્રકરણમાં લોકોએ જોરદાર વિરોધ કરતાં આસારામના કહેવાતા સંવકો ગુંડાગીરી ઉપર ઉતરી આવ્યા હતા અને ધોકા, પાઇપો સહિતના હથિયારો સહિત નિર્દોષ લોકો ઉપર તૂટી પડ્યા હતા.મીડિયા ઉપર પણ આ ગુંડાઓએ હુમલો કર્યો હતો. જેમાં પોલીસે કેટલાક શખ્સોની ધરપકડ કરી હતી. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/></font>]]></content:encoded>
      <pubDate>Fri, 26 Dec 2008 10:56:42 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 20:03:30 +0530</updatedDate>
      <category><![CDATA[Retro 08]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[બોલીવુડને મળ્યા નવા ચહેરા]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/retro-08/બોલીવુડને-મળ્યા-નવા-ચહેરા-108122500027_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/retro-08/બોલીવુડને-મળ્યા-નવા-ચહેરા-108122500027_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[બોલીવુડના આ વર્ષે ઈમરાન ખાન અને ફરહાન અખ્તરના રૂપમાં બે પ્રતિભાશાળી કલાકારો પણ મળ્યા]]></description>
      <content:encoded><![CDATA[<!--begin inline--><!--@@StartLeftBlock@@--><p class="innerBlock_Left"><table id="inlinebox" width="200" height="68" border="0" cellpadding="0" cellspacing="0" class="boxBdr"><tr><td><table width="100%" cellpadding="0" cellspacing="0" border="0"><tr><td class="padding"><span></span></td></tr></table></td></tr><tr><td class="padding"><table width="100%" cellpadding="0" cellspacing="0" border="0" class="kreative"><tr><td width="52%" align="left" class="innerBlock_Text"><span class='imgQuadLeft'>  </span><!--BD-->'ચાંદની બાર',  'પેજ થ્રી' અને 'ટ્રાફિક સિંગનલ'ના માટે રાષ્ટ્રીય પુરસ્કાર જીતનારા નિર્દેશક મધુર ભંડારકરની 'ફેશન' પણ ચર્ચામાં રહી. જોન અબ્રાહમ અને અભિષેક બચ્ચનની 'દોસ્તાના' સફળ તો રહી પરંતુ...<!--ED--><span class='imgQuadRight'>      </span></td></tr></table></td></tr><tr><td class="padding"><table width="100%" border="0" cellspacing="0" cellpadding="0"><tr><td class='QuadFooterColor'><!--BF--><!--EF--></td></tr></table></td></tr></table></p><!--@@EndLeftBlock@@--><!--end inline--> <font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>બોલીવુડને આ વર્ષે ઈમરાન ખાન અને ફરહાન અખ્તરના રૂપમાં બે પ્રતિભાશાળી કલાકારો પણ મળ્યા. જાને તૂ યા જાને ના થી પ્રેમની નવી પરિભાષા ગઢનારા ઈમરાને કિડનેપમાં બદલાની આગમાં તરફડતા એક પાત્રને ભજવીને સાબિત કરી દીધુ કે અભિનય કૌશલ તેમણે પોતાના મામા આમિર ખાન પાસેથી વિરાસતમાં મળ્યું છે. નિર્માતા નિર્દેશક અને હવે અભિનેતા ફરહાનની રોક ઓન પરોક્ષ  સફળતા મેળવનારી ફિલ્મોમા રહી. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>શ્યામ બેનેગલે પોતાની ટ્રેડમાર્ક સંજીદા ફિલ્મોથી હટીને 'વેલકમ ટૂ સજ્જનપુર' બનાવી. ગ્રામીણ પુષ્ઠભૂમિ પર બનેલી આ કોમેડીને વર્ષની પસંદગીની હિટ ફિલ્મોમાં ગણાવી શકાય છે.  </font><font style='font-size:11pt;'></font><br/> <font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>રોહિત શેટ્ટીની 'ગોલમાલ રિર્ટંસે'  પણ સો કરોડ રૂપિયાથી વધુનો કારોબાર કર્યો. ગયા વર્ષે 'જબ વી મેટ' ના તમામ પુરસ્કારો એકઠા કરનારી કરીના કપૂરની આ એકમાત્ર સફળ ફિલ્મ રહી.  શાહિદ કપૂરથી તેમનું છુટા પડવુ, સેફ અલી ખાન સાથે પ્રેમ પ્રસંગ અને સાઈઝ ઝીરો જ અધિક ચર્ચામાં રહ્યા. સેફ અને કરીનાની જોડીને ટશનમાં દર્શકોએ નકારી દીધી. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ક્રિકેટ અને મેચ ફિક્સિંગની પુષ્ઠભૂમિ પર મોહિત સૂરીની 'જન્નત' સફળ રહી અને આનુ સંગીત પણ ઘણું જ વખણાયું.  સંજય લીલા ભંસાલીની સુપરફ્લોપ સાંવરિયાથી શરૂઆત કરનારા રણબીર કપૂરે 'બચના એ હસીનો'  દ્વારા પોતાના કેરિયરનો ગ્રાફને સાચવ્યો. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/>'<font  style='font-size:11pt; color:#000000'>ચાંદની બાર',  'પેજ થ્રી' અને 'ટ્રાફિક સિંગનલ'ના માટે રાષ્ટ્રીય પુરસ્કાર જીતનારા નિર્દેશક મધુર ભંડારકરની 'ફેશન' પણ ચર્ચામાં રહી. જોન અબ્રાહમ અને અભિષેક બચ્ચનની 'દોસ્તાના' સફળ તો રહી પરંતુ સમલૈંગિકતા જેવા બિંદાસ વિષયને ઉઠાવવા માટે નિર્માતા કરણ જોહરને ઘણી ટીકાનો સામનો કરવો પડ્યો. </font>]]></content:encoded>
      <pubDate>Fri, 26 Dec 2008 10:56:09 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 20:03:30 +0530</updatedDate>
      <category><![CDATA[Retro 08]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[સૈન્ય યુધ્ધ માટે તૈયાર નથી !]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/retro-08/સૈન્ય-યુધ્ધ-માટે-તૈયાર-નથી-108122500022_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/retro-08/સૈન્ય-યુધ્ધ-માટે-તૈયાર-નથી-108122500022_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[દેશની લશ્કરી તાકાતની મોટી મોટી વાતો કરવામાં આવે છે પરંતુ દિવા તળે અંધારૂ દેખાઇ રહ્યું છે. કોમ્પટ્રોલર એન્ડ ઓડિટ જનરલે (કેગ) આ બાબતે ચોંકાવનારો પર્દાફાશ કરી સૌની ઉંઘ ઉડાડી દીધી છે.]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>દેશની લશ્કરી તાકાતની મોટી મોટી વાતો કરવામાં આવે છે પરંતુ દિવા તળે અંધારૂ દેખાઇ રહ્યું છે. કોમ્પટ્રોલર એન્ડ ઓડિટ જનરલે (કેગ) આ બાબતે ચોંકાવનારો પર્દાફાશ કરી સૌની ઉંઘ ઉડાડી દીધી છે.  </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>કેગે જાહેર કરેલા રિપોર્ટમાં કહેવાયું છે કે, ભારત યુધ્ધ માટે સક્ષમ નથી. અડધાથી વધુ સબમરીનો યુધ્ધમાં ઉતરવા તૈયાર નથી. સાથોસાથ દેશની રડાર સિસ્ટમ પણ જુની છે અને તેની સંખ્યા પણ ઓછી છે. જે યુધ્ધ સમયે વિશ્વસનીય રક્ષણ પુરૂ પાડી શકે તેમ નથી.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>રિપોર્ટમાં એવો ઉલ્લેખ કરાયો છે કે, સબમરીનો ઘરડી છે તેની સંખ્યા પણ મંજૂર કરાયેલી સંખ્યા કરતાં ઓછી છે. દેશની 16 સબમરીનનો કાફલો 23 વર્ષ અગાઉ મંજૂર કરાયેલી સંખ્યાથી ઓછી છે. </font>]]></content:encoded>
      <pubDate>Fri, 26 Dec 2008 10:55:55 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 20:03:30 +0530</updatedDate>
      <category><![CDATA[Retro 08]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[વર્ષ 2008 કેટરીના, અક્ષયને નામ]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/retro-08/વર્ષ-2008-કેટરીના-અક્ષયને-નામ-108122500026_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/retro-08/વર્ષ-2008-કેટરીના-અક્ષયને-નામ-108122500026_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[ગયા વર્ષે શ્રેષ્ઠ ફિલ્મો આપનાર હિન્દી ફિલ્મ ઉદ્યોગ વર્ષ 2008માં સ્તરીય વાર્તાઓના અભાવ માટે ઝઝૂમતું રહ્યુ જેમાં ઊંચી અપેક્ષાઓ અને મોટા કલાકારોની સાથે બનેલી ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ ગઈ. જોકે અક્ષય કુમાર બોલીવુડના નવા કિંગના રૂપમાં ઉભર્યા તો ...]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ગયા વર્ષે શ્રેષ્ઠ ફિલ્મો આપનાર હિન્દી ફિલ્મ ઉદ્યોગ વર્ષ 2008માં સ્તરીય વાર્તાઓના અભાવ માટે ઝઝૂમતું રહ્યુ જેમાં ઊંચી અપેક્ષાઓ અને મોટા કલાકારોની સાથે બનેલી ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ ગઈ. જોકે અક્ષય કુમાર બોલીવુડના નવા કિંગના રૂપમાં ઉભર્યા તો નાયિકાઓમાં બાજી મારી કેટરીના કેફે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>નમસ્તે લંડન, હે બેબી, વેલકમ, અને ભૂલ ભૂલૈયાની હિટ પ્રક્રિયાને યથાવત રાખતા અક્ષયે આ વર્ષે સૌથી મોટી હિટ સિંગ ઈઝ કિંગ આપી. પંજાબના લાડલા બનેલા અક્ષય અને તેમની મનપસંદ હીરોઈન કેટરીનાના અભિનયથી સજેલી આ ફિલ્મએ લગભગ 120 કરોડ રૂપિયા કમાવ્યા. કેટરીનાએ નંબર વનની રેસમાં એક પગલું વધુ આગળ વધારતા રેસના રૂપમાં બીજી હિટ આપી. અબ્બાસ મસ્તાનને આ સસ્પેંસ થ્રિલરે લગભગ સો કરોડ રૂપિયા કમાવ્યા.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>બચ્ચન પરિવારની વહુના રૂપમાં એશ્વર્ય પહેલીવાર દર્શકોની સામે આવી મહારાણી જોધના રૂપમાં. ઐતિહાસિક પુષ્ઠભૂમિ પર બનેલી આશુતોષ ગોવારીકરની જોધા અકબરમાં ઋત્વિક રોશન અને એશ્વર્યાની જોડી ફરી દર્શકોને ગમી. શાહરૂખ ખાન અને આદિત્ય ચોપડાની જોડીની 'રબ ને બના દી જોડી' એ પહેલા અઠવાડિયામાં 50 કરોડ રૂપિયાનો વ્યવસાય કર્યો. આ ફિલ્મમાં મધ્યમવર્ગીય સુરિન્દર સાહનીના રૂપમાં શાહરૂખનુ એક અલગ જ રૂપ જોવા મળ્યુ.    </font>]]></content:encoded>
      <pubDate>Fri, 26 Dec 2008 10:55:41 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 20:03:30 +0530</updatedDate>
      <category><![CDATA[Retro 08]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[હિરા બજારની ચમક ઘટી]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/retro-08/હિરા-બજારની-ચમક-ઘટી-108122500025_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/retro-08/હિરા-બજારની-ચમક-ઘટી-108122500025_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[દેશના રાજકારણીઓને ભલે આર્થિક મંદીની વાસ્તવિકતા સીધી રીતે સ્વીકારતા ના હોય પરંતુ ગુજરાતના હીરા ઉદ્યોગને આનો સીધો ઝટકો લાગ્યો છે. સુરત સહિત રાજ્યમાં કેટલાય દિવસ સુધી હિરા બજારના દરવાજા ના ઉઘડતાં રત્નકલાકારોની જીંદગી દોઝમ બની જવા પામી છે.]]></description>
      <content:encoded><![CDATA[<!--Image--><p><table style='margin: 3px 8px 0px 0px;' cellspacing='0' cellpadding='0' border='0' Align=Texttop><tr><td valign='top'><img src='/gu/articles/0812/25/images/img1081225025_1_1.jpg' Alt='' Border=0  HSPACE=4 VSPACE=4 class='imgArticle_New'></td></tr><tr><td class='imgSource'><table width='100%' cellpadding='0' cellspacing='0' border='0'><tr><td align='left'></td><td valign='top' align='right'>P.R</td></tr></table></td></tr></table></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>દેશના રાજકારણીઓ ભલે આર્થિક મંદીની વાસ્તવિકતા સીધી રીતે સ્વીકારતા ના હોય પરંતુ ગુજરાતના હીરા ઉદ્યોગને આનો સીધો ઝટકો લાગ્યો છે. સુરત સહિત રાજ્યમાં કેટલાય દિવસ સુધી હિરા બજારના દરવાજા ના ઉઘડતાં રત્નકલાકારોની જીંદગી દોઝમ બની જવા પામી છે. છેલ્લા કેટલાય મહિનાઓથી ઘરમાં એક રૂપિયો ના આવતાં શુ ખાવું શુ પીવું સહિત બાળકોના ભણતર ખર્ચને લઇને રત્ન કલાકારોના પરિવારમાં ભારે કકળાટ થઇ રહ્યો છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>અમેરિકાની મંદીથી ગુજરાતના રત્નલાકારોની સ્થિતિ હૃદયદ્રાવક બની છે. ગુજરાતમાં અંદાજે 16 હજાર જેટલા કારખાના છે. જેમાં લાખો કારીગરોને રોજગારી મળે છે ત્યારે છેલ્લા કેટલાક મહિનાઓથી કારખાન બંધ રહેતાં તેમના પરિવારો માથે આભ તૂટી પડ્યું છે. મજબુરીને લીધે રાજ્યમાં છેલ્લા આઠ મહિનામાં 30 જેટલા રત્નકલાકારોએ આપઘાત કર્યાના કિસ્સા નોંધાયા છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>સુરતમાં રત્ન કલાકારોએ દેખાવ કરતાં મોડે મોડે અસર દેખાઇ છે અને કારખાના પુનઃ શરૂ થઇ રહ્યા છે તો બીજી બાજુ મહાગુજરાત જનતા પાર્ટી પણ રત્ન કલાકારોની પીડાને લઇને આગળ આવી છે.</font>]]></content:encoded>
      <pubDate>Fri, 26 Dec 2008 10:55:15 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 20:03:30 +0530</updatedDate>
      <category><![CDATA[Retro 08]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[મંદિરો ઉપર ઝીંકાયા હથોડા !]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/retro-08/મંદિરો-ઉપર-ઝીંકાયા-હથોડા-108122500024_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/retro-08/મંદિરો-ઉપર-ઝીંકાયા-હથોડા-108122500024_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[ભાજપના ગઢ ગણાતા ગુજરાતમાં એકાએક ગઝની રાજ આવી ગયું કે શુ ? એવો હિન્દુ શ્રધ્ધાળુઓમાં આક્રોશ ફેલાઇ ગયો. ભાજપ શાસિત રાજ્ય સરકારને શુ થયું કે એકાએક મંદિરો ઉપર નિશાન સાધ્યું !]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ભાજપના ગઢ ગણાતા ગુજરાતમાં મંદિરો ઉપર એકાએક હથોડા ઝીંકાતાં ગઝની રાજ આવી ગયું કે શુ ? એવો હિન્દુ શ્રધ્ધાળુઓમાં આક્રોશ ફેલાઇ ગયો. વહીવટી તંત્રએ રસ્તાના વિકાસને લઇને મંદિરો ઉપર નિશાન તાકતાં ભારે રોષ ફેલાયો હતો. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>રસ્તા પહોળા કરવા તથા વિકાસ પ્રોજેક્ટ અંતર્ગત અડચણ રૂપ ધાર્મિક સ્થળો હટાવવાની શરૂ કરાયેવી ઝુંબેશમાં જોતજોતામાં એક પછી એક કરતાં બસોથી વધું મંદિરોને જમીન દોસ્ત કરી દેવાયા. જેને પગલે આ અભિયાનમાં મંદિરો જ કેમ એવા લોકોમાં આક્રોશ ભભૂકી ઉઠ્યો. મંદિર બચાવો સંઘર્ષ સમિતિ અને મહા ગુજરાત જનતા પાર્ટી હિન્દુ શ્રધ્ધાળુઓની પડખે આવ્યા અને આ ઝુંબેશનો વિરોધ કરાયો.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આમ છતાં આ અભિયાન ના અટકતાં છેવટે ગાંધીનગર બંધનું એલાન અપાયું અને વિશ્વ હિન્દુ પરિષદના સુપ્રિમો અશોક સિંઘલ ગાંધીનગર દોડી આવ્યા અને આવું કામ તો ગઝનીઓ કરે એવી હૈયાવરાળ ઠાલવી. છેવટે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની વિહિપ સુપ્રિમો અશોક સિંઘલ સાથે થયેલી બેઠક બાદ આ ઝુંબેશ અટકાવવામાં આવી. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>સુરતમાં મહિલાઓના માથા ફુટ્યા</font><br/><font  style='font-size:11pt; color:#000000'>શહેરના રાંદેર વિસ્તારમાં આવેલી દિપમાલા સોસાયટી નજીક આવેલ એક મંદિર તોડી પાડવાની ઝુંબેશનો સ્થાનિક મહિલાઓએ વિરોધ કરતાં પોલીસ તેમની ઉપર તૂટી પડી હતી અને મહિલાઓના માથા ફોડ્યા હતા. આ લાઠીચાર્જમાં છ જેટલી મહિલાઓને ગંભીર ઇજાઓ થવા પામી હતી. આ ઘટનાને પગલે લોકોમાં ભારે રોષ પ્રસર્યો હતો.</font>]]></content:encoded>
      <pubDate>Fri, 26 Dec 2008 10:54:39 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 20:03:30 +0530</updatedDate>
      <category><![CDATA[Retro 08]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[નેનો આવી ગુજરાતમાં....]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/retro-08/નેનો-આવી-ગુજરાતમાં-108122500023_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/retro-08/નેનો-આવી-ગુજરાતમાં-108122500023_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[સિગૂંરથી સીધા સાણંદ. દેશના અન્ય રાજ્યો જેને હાંસલ કરવા માટે લાલઝાઝમ બિઝાવી આવકારવા તૈનાત હતા એવામાં આપણા જાગતા મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ ત્યાં પણ પોતાનું જાદુ પાથરી કમાલ કરી દેખાડી.]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>સિગૂંરથી સીધા સાણંદ. દેશના અન્ય રાજ્યો જેને હાંસલ કરવા માટે લાલઝાઝમ બિઝાવી આવકારવા તૈનાત હતા એમાં આપણા જાગતા મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ પોતાનું જાદુ પાથરી કમાલ કરી દેખાડી. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>જમીનના મામલે નેનો પ્રોજેક્ટને સિંગૂરમાંથી હટવું પડ્યું હતું. અનેક વિટંબળાઓ, સંભાવનાઓને કુદતાં કુદતાં નેનો છેવટે સાણંદમાં આવી છે. નવરાત્રીના પવિત્ર દિવસોમાં ટાટા મોટર્સ અને મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી વચ્ચે થયેલી બેઠક બાદ આ કરાર વચ્ચે હસ્તાક્ષર થતાં સમગ્ર ગુજરાતમાં  આનંદોત્સવ છવાયો હતો. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>કેબિનેટની મળેલી બેઠકમાં નેનો કારના ઉત્પાદન માટે સાણંદ નજીક જમીન આપવા સહમતિ સધાઇ હતી. શરતોને આધીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદી તથા રતન ટાટા વચ્ચે આ મામલે હસ્તાક્ષર થયા હતા. સમગ્ર વિશ્વની આંખો જે માટે તરસી રહી છે એવી આ લાખેરી કારના ઉત્પાદન માટે અંદાજે 1100 એકર જેટલી જમીન ફાળવી છે. જેને લઇને કેટલાક ખેડૂતોએ કોર્ટમાં કેસ પણ કર્યો છે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>મળેલી માહિતી મુજબ અહી વાર્ષિક 2.5 લાખ કાર ઉત્પાદન ક્ષમતાવાળો પ્લાન્ટ કાર્યન્વત કરાશે. તો બીજી બાજુ નેનાના ગુજરાતમાં આગમનને લઇને લોકોમાં એક અનોખો આનંદ જોવા મળી રહ્યો છે.</font>]]></content:encoded>
      <pubDate>Fri, 26 Dec 2008 10:54:18 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 20:03:30 +0530</updatedDate>
      <category><![CDATA[Retro 08]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[અમદાવાદ ધડાકાઓથી ધ્રુજી ઉઠ્યું]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/retro-08/અમદાવાદ-ધડાકાઓથી-ધ્રુજી-ઉઠ્યું-108122500029_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/retro-08/અમદાવાદ-ધડાકાઓથી-ધ્રુજી-ઉઠ્યું-108122500029_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[અવાજ કરતું અમદાવાદ શહેર 26મી જુલાઇના કાળા શનિવારની સાંજે એકાએક થંભી ગયું. ગણત્રીની મિનિટોમાં એક પછી એક થયેલા શ્રેણીબધ્ધ 17 બોમ્બ ધડાકાઓએ શહેરને તહસનહસ કરી નાખ્યું હતું.]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>અવાજ કરતું અમદાવાદ શહેર 26મી જુલાઇના કાળા શનિવારની સાંજે એકાએક થંભી ગયું. ગણત્રીની મિનિટોમાં એક પછી એક થયેલા શ્રેણીબધ્ધ 17 બોમ્બ ધડાકાઓએ શહેરને તહસનહસ કરી નાખ્યું હતું. માનવતાના આ દુશ્મનોએ ઘાયલોને લઇ જવાયેલ હોસ્પિટલને પણ બોમ્બમાં ઉડાવતાં ઘાયલો બીજા હુમલામાં મોતમાં હોમાઇ ગયા હતા. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આ હુમલામાં 46થી વધુ મોત થયાનું તથા 150થી વધુ લોકો ઘાયલ થયા હતા. તપાસ દરમિયાન આતંકવાદીઓએ સાયકલ બોમ્બનો ઉપયોગ કર્યો હતો. પોલીસે હુલાના આ ષડયંત્રમાં સંડોવાયેલા અબુ બશર સહિત 17 જેટલા શખ્સોની બાદમાં ધરપકડ કરી હતી. </font><br/> <font  style='font-size:11pt; color:#0000FF'></font><br/><font  style='font-size:11pt; color:#0000FF'><b>સમય સ્થ</font><font style=' color:#000000;'>ળ</b></font><br/>6-30 <font  style='font-size:11pt; color:#000000'>મણીનગર ચાર રસ્તા પાસે</font><br/>6-30 <font  style='font-size:11pt; color:#000000'>રાયપુર ચકલામાં બે ધમાકા</font><br/>6-30 <font  style='font-size:11pt; color:#000000'>બાપુનગર ડાયમંડ માર્કેટ</font><br/>6-35 <font  style='font-size:11pt; color:#000000'>સારંગપુર ચકલા</font><br/>6-35 <font  style='font-size:11pt; color:#000000'>મણીનગર બસ સ્ટેન્ડ</font><br/>6-35 <font  style='font-size:11pt; color:#000000'>જવાહર ચોક</font><br/>6-35 <font  style='font-size:11pt; color:#000000'>ઇસનપુર ગોવિંદવાડી</font><br/>6-45 <font  style='font-size:11pt; color:#000000'>સારંગપુર સર્કલ</font><br/>6-42 <font  style='font-size:11pt; color:#000000'>બાપુનગર ડાયમંડ માર્કેટ</font><br/>6-45 <font  style='font-size:11pt; color:#000000'>નરોડા ગેલેક્સી સિનેમા</font><br/>7-52 <font  style='font-size:11pt; color:#000000'>મણીનગર એલ.જી હોસ્પિટલ</font><br/>7-52 <font  style='font-size:11pt; color:#000000'>સરખેજ જુહાપુરા રોડ </font><br/>7-54 <font  style='font-size:11pt; color:#000000'>સિવિલ હોસ્પિટલ ટ્રોમા સેન્ટર</font><br/>9-30 <font  style='font-size:11pt; color:#000000'>ગોતા-વડસર રોડ</font>]]></content:encoded>
      <pubDate>Fri, 26 Dec 2008 10:35:49 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 20:03:30 +0530</updatedDate>
      <category><![CDATA[Retro 08]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[ઘાતક અને સળગતું વર્ષ : 2008]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/retro-08/ઘાતક-અને-સળગતું-વર્ષ-2008-108122500030_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/retro-08/ઘાતક-અને-સળગતું-વર્ષ-2008-108122500030_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[અંતરીક્ષમાં ચંદ્રયાન-1 તરતું મુકી દેશે મોટી સિધ્ધિ મેળવી છે. નેનો મેળવી રાજ્યે વિકાસમાં ચાર ચાંદ લગાવ્યા છે આ સિધ્ધિઓની સામે આ વર્ષ દરમિયાન દેશે જે વિટંબણાઓ, ભયાનકતા જોઇ છે એ ધ્રુજાવનારી છે.]]></description>
      <content:encoded><![CDATA[<!--Image--><p><table style='margin: 3px 8px 0px 0px;' cellspacing='0' cellpadding='0' border='0' Align=Left><tr><td valign='top'><img src='/gu/articles/0812/25/images/img1081225030_1_1.jpg' Alt='' Border=0  HSPACE=4 VSPACE=4 class='imgArticle_New'></td></tr><tr><td class='imgSource'><table width='100%' cellpadding='0' cellspacing='0' border='0'><tr><td align='left'></td><td valign='top' align='right'>W.D</td></tr></table></td></tr></table></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>અંતરીક્ષમાં ચંદ્રયાન-1 તરતું મુકી દેશે મોટી સિધ્ધિ મેળવી છે. નેનો મેળવી રાજ્યે વિકાસમાં ચાર ચાંદ લગાવ્યા છે આ સિધ્ધિઓની સામે આ વર્ષ દરમિયાન આપણે જે વિટંબણાઓ, ભયાનકતા જોઇ છે એ ધ્રુજાવનારી છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'>એક સાંધોને તેર તૂટે એવો સમય એટલે વર્ષ 2008. આતંકવાદ, આર્થિક મંદીથી વીંટળાયેલા અને સળગતા આ વર્ષની ભયાનક એટલી તીવ્ર રહી કે દેશના તમામ લોકોને દઝાડી ગઇ. આ વર્ષની ભયાનકતા તો એ છે કે, આ વર્ષમાં લાગેલી આગની જ્વાળાઓ આગામી સમયમાં પણ દઝાડતી રહેશે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>દેશના ઇતિહાસમાં આતંકી હુમલાઓમાં આ વર્ષ ખરાબીની ટોચે રહ્યું. દેશના પાટનગર તથા આર્થિક મહાનગરી સહિત અન્ય શહેરોને આતંકવાદીઓએ એક પછી એક પોતાના નિશાન બનાવ્યા. દેશમાં વર્ષ દરમિયાન થયેલા હુમલામાં 352 લોકો જાન ગયા છે જ્યારે 1436 લોકો ઘાયલ થયા છે. 26મી નવેમ્બરના રોજ મહાનગરી મુંબઇ ઉપર કરાયેલા હુમલાએ તો જાણે કોહરામ મચાવી દીધો. મુંબઇમાં ત્રાટકેલા 10 પાકિસ્તાની આતંકીઓએ મુંબઇને રીતસર બાનમાં લીધુ. </font><br/><font  style='font-size:11pt; color:#000000'>ઐતિહાસિક હોટલ તાજ સહિત સ્થળોએ સ્થાનિક તથા વિદેશી નાગરિકો વચ્ચે મોતનું તાંડવ ખેલાયું. આ હુમલામાં 171 લોકોના મોત થયા હતા તથા 259 જેટલા ઘાયલ થયા હતા. પોલીસ તથા જવાનોએ 60 કલાકના જંગ બાદ છેવટે હોટલ તાજને આતંકવાદીઓથી મુક્ત કરાવી. દેશમાં થયેલા આતંકીઓ હુમલાઓ દેશની કમર તોડી રહ્યા છે. સરકારની સાથોસાથ હવે જનતાએ પણ જાગવાની જરૂર ઉભી થઇ છે. જો વધુ મોડું કરીશુ તો વધુ નુકશાન જાય એ વાત વિતેલા વર્ષના સરવૈયા પરથી સ્પષ્ટ વર્તાઇ રહી છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આતંકવાદ બીજુ ભયાનક પરિબળ આર્થિક મંદી છે કે જે દેશ સહિત સમગ્ર વિશ્વને દઝાડી રહ્યું છે. લેહમેન જેવી મોટી મોટી કેટલીય બેંકોએ નાદારી નોંધાવી છે. જ્યાં મોટી મોટી સંસ્થાઓ મંદીની ઝપેટમાં મરવા પડી છે ત્યારે નાની કંપનીઓની વાત કરવી કઠીન છે. એમાંય આ વર્ષ દરમિયાન મંદીને કારણે દેશ-વિદેશમાં લાખો લોકો બેકાર બન્યા છે. આર્થિક નિષ્ણાતોનું માનવું છે કે આ તો હજું શરૂઆત છે. આ ઉપરથી તો એવું જણાઇ રહ્યું છે કે, વર્ષ 2008ની ઘાતક અસરો આગામી વર્ષમાં જોવા મળી શકે છે. આવા કપરા દોરમાં કંપનીઓ કર્મચારીઓ ઉપર કાતર ફેરવી રહી છે. લાખો પરિવારો માટે આજીવીકા મોટો સવાલ થઇ માથે ભાર બની છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આર્થિક મંદીની સીધી અસર રાજ્યના હિરા બજાર ઉપર દેખાઇ છે. રાત દિવસ ધમધમતો આ વ્યવસાય છેલ્લા કેટલાય મહિનાઓથી બંધ પડ્યો હતો. જે વર્ષના અંતમાં પુનઃ ચાલું થયો છે જે એક રાજ્ય માટે સારી વાત છે. આમ છતાં આવતા વર્ષને લઇને ઘણી બધી સાવચેતીઓ રાખવાની જરૂર છે. નહીં તો આવનાર સમય પણ ભારે થઇ પડશે....!</font>]]></content:encoded>
      <pubDate>Fri, 26 Dec 2008 00:53:49 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 20:03:30 +0530</updatedDate>
      <category><![CDATA[Retro 08]]></category>
      <authorname>હરેશ સુથાર</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[વડોદરામાં રક્તદાનનું ઘોડાપુર]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/retro-08/વડોદરામાં-રક્તદાનનું-ઘોડાપુર-108122500019_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/retro-08/વડોદરામાં-રક્તદાનનું-ઘોડાપુર-108122500019_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[શહેરમાં 21મી ડિસેમ્બરે જાણે કે રક્તનો ધોધ ફુટ્યો હતો. અહી ઉજવાઇ રહેલા આત્મીય અમૃત મહોત્સવના ભાગરૂપે આજે આયોજિત કરાયેલ રકતદાન શિબિરમાં 15837 બોટલ રક્ત એકત્ર કરાયું છે. જે એક રેકોર્ડ બન્યો છે.]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>શહેરમાં 21મી ડિસેમ્બરે જાણે કે રક્તનો ધોધ ફુટ્યો હતો. અહી ઉજવાઇ રહેલા આત્મીય અમૃત મહોત્સવના ભાગરૂપે આજે આયોજિત કરાયેલ રકતદાન શિબિરમાં 15837 બોટલ રક્ત એકત્ર કરાયું છે. જે એક રેકોર્ડ બન્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે, દેશમાં આ અગાઉ પૂનામાં 14,886 બોટલ રક્ત એકત્ર કરાયું હતું. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>શહેરના વિશ્વામિત્રી બ્રીજ નજીક રાજમહેલ કમ્પાઉન્ડ ખાતે ઉજવાઇ રહેલા આત્મીય અમૃત મહોત્સવના ભાગરૂપે આજે મહા રક્તદાન શિબિરનું આયોજન કરાયું હતું. જેમાં રક્તદાતાઓ મોટી સંખ્યામાં ઉમટ્યા હતા અને એક પછી એક આ આંકડો આસમાનને આંબી ગયો હતો. 15837 બોટલ રક્ત એકત્ર કરાયું હતું જે રેકોર્ડ બન્યો છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આ શિબિરમાં ગુજરાતભરમાંથી 15 જેટલી બ્લડ બેંકો ઉપસ્થિત રહી હતી. જોકે આ શિબિરમાં 21 હજાર બોટલ રક્ત એકત્ર કરવાનો લક્ષ્યાંક હતો. આ રેકોર્ડ અગાઉ પૂનામાં નોંધાયો હતો. જેમાં 14,886 બોટલ રક્ત એકત્ર કરાયું હતું. </font>]]></content:encoded>
      <pubDate>Thu, 25 Dec 2008 16:28:20 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 20:03:30 +0530</updatedDate>
      <category><![CDATA[Retro 08]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[અમરનાથ જમીન : વિવાદનું રાજકારણ]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/retro-08/અમરનાથ-જમીન-વિવાદનું-રાજકારણ-108122500017_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/retro-08/અમરનાથ-જમીન-વિવાદનું-રાજકારણ-108122500017_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[જમ્મુમાં અમરનાથ શ્રાઇન બોર્ડને અપાયેલી જમીન પાછી ખેંચી લેવાતાં સર્જાયેલો વિવાદ 61 દિવસ બાદ શાંત પડ્યો હતો. આ આંદોલન દરમિયાન જમ્મુ સહિતના વિસ્તારમાં ભારે તોફાનો થયા હતા.]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>જમ્મુમાં અમરનાથ શ્રાઇન બોર્ડને અપાયેલી જમીન પાછી ખેંચી લેવાતાં સર્જાયેલો વિવાદ 61 દિવસ બાદ શાંત પડ્યો હતો. આ આંદોલન દરમિયાન જમ્મુ સહિતના વિસ્તારમાં ભારે તોફાનો થયા હતા. આ આંદાલનનુ નેતૃત્વ કરી રહેલા દળ અને જમ્મુ કાશ્મીરના રાજ્યપાલ દ્વારા નિયુક્ત કરાયેલી સમાધાન સમિતિ વચ્ચે સમાધાન થતાં આ આંદોલન સમેટાયું હતું. થયેલી સમજુતી મુજબ યાત્રા દરમિયાન શ્રાઇન બોર્ડ અસ્થાયી રૂપથી 40 હેક્ટર જમીનનો ઉપયોગ કરી શકશે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>શ્રી અમરનાથ સંઘર્ષ સમિતિ (એસ.એ.એસ.એસ) અને રાજ્ય સરકારના ચાર સભ્યોવાળી પેનલ વચ્ચે છ કલાક ચાલેલી લાંબી ચોથા તબક્કાની વાટાઘાટો બાદ આ શક્ય બન્યું હતું. શ્રી અમરનાથ શ્રાઇન બોર્ડને અસ્થાયી રૂપથી જમીનનો ઉપયોગ કરવા દેવા માટે અપાયેલી સહમતિ બાદ સંઘર્ષ કરી રહેલા સમુહે આંદોલન સ્થગિત કર્યું હતું. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>બેઠક બાદ સમિતિના સંયોજક લીલા કરણ શર્માએ કહ્યુ હતું કે અમે હાલ પુરતુ આંદોલન સ્થગિત કર્યું છે. પરંતુ તેને પુરૂ નથી કર્યું. કેમકે અમારી કેટલીક માંગણી હજુ પુરી કરવાની બાકી છે. બાલટલ અને ડોમૈલમાં જમીનને કોઇ પણ પ્રકારનું મૂલ્ય આપ્યા વિના અલગ રાખવા માટે સરકાર સહમત થઇ છે. પરંતુ વનભૂમિના માલીકીપણાના હકમાં કોઇ સુધારો કરાશે નહીં.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આ સમજુતિ અંગે સરકાર તરફથી એસ.એસ. બિલોરીયા અને સમિતિ તરફથી શર્માએ દસ્તાવેજ ઉપર સહી કરી હતી. આ સમજુતી અનુસાર શ્રી સાઇન બોર્ડ અધિનિયમ અનુસાર પોતાની જવાબદારીઓ નિભાવતી રહેશે અને રાજ્ય સરકારની સહાયતાથી યાત્રા દરિમાયન વ્યવસ્થા કરશે તેમજ તેનું નિરીક્ષણ કરશે. </font>]]></content:encoded>
      <pubDate>Thu, 25 Dec 2008 14:59:12 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 20:03:30 +0530</updatedDate>
      <category><![CDATA[Retro 08]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[ભારત-અમેરિકા અણું કરાર]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/retro-08/ભારત-અમેરિકા-અણું-કરાર-108122500015_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/retro-08/ભારત-અમેરિકા-અણું-કરાર-108122500015_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[ભારત-અમેરિકા અણું સમજુતિ અનેક મુશ્કેલીઓને પાર કરીને અંતે સેનેટ દ્વારા મંજુરી મેળવી ચુકી છે. 18મી જુલાઈ 2005ના રોજ વડાપ્રધાન મનમોહનસિંહ અને અમેરિકાના પ્રમુખ જ્યોર્જ બુશે વોશિંગ્ટનમાં સંયુક્ત નિવેદન ઉપર હસ્તાક્ષર કર્યા હતાં.]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ભારત-અમેરિકા અણું સમજુતિ અનેક મુશ્કેલીઓને પાર કરીને અંતે સેનેટ દ્વારા મંજુરી મેળવી ચુકી છે. 18મી જુલાઈ 2005ના રોજ વડાપ્રધાન મનમોહનસિંહ અને અમેરિકાના પ્રમુખ જ્યોર્જ બુશે વોશિંગ્ટનમાં સંયુક્ત નિવેદન ઉપર હસ્તાક્ષર કર્યા હતાં. જેમાં ઐતિહાસિક નાગરિક અણુ સહકાર સમજુતિનો પણ સમાવેશ કરાયો હતો. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આ મામલે ડાબેરીઓએ સંસદમાં ચર્ચાની માંગ કરી. દિવસે દિવસે આ વિવાદ એટલો ઉગ્ર બન્યો કે ડાબેરી પક્ષોએ યુપીએને સરકાર અથવા અણું સમજુતી બેમાંથી કોઇ એકની પંસદગી કરવાની વાત કરી સરકારને 6ઠ્ઠી માર્ચ સુધીની મહેતલ આપી. પરંતુ સરકાર પોતાની વાતમાં મક્કમ રહેતાં ડાબેરીઓએ ટેકો ખેંચી લેવાની જાહેરાત કરતાં સરકાર ભીંસમાં આવી ગઇ હતી. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>જોકે સમાજવાદી પાર્ટીએ સરકારને ટેકો આપવાની જાહેરાત કરી હતી. આવી વિકટ પરિસ્થિતિ વચ્ચે સરકારે 22મી જુલાઇના રોજ વિશ્વાસનો મત જીતી લેતાં સરકાર ઉપરથી ઘાત ટળી હતી. તો બીજી બાજુ 27 મી સપ્ટેબરે અમેરિકી પ્રતિનિધિ ગૃહે નાગરિક અણુ સહકાર માટેની 123 સમજુતિને 298 વિરુદ્ધ 117 મતે મંજુરી આપી હતી. જ્યારે સેનેટે આ બિલને 86 વિરૂધ્ધ 13 મતે મંજૂરી આપી હતી. </font>]]></content:encoded>
      <pubDate>Thu, 25 Dec 2008 14:54:21 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 20:03:30 +0530</updatedDate>
      <category><![CDATA[Retro 08]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
  </channel>
</rss>
