<?xml version="1.0" encoding="UTF-8"?>
<rss version="2.0" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:atom="http://www.w3.org/2005/Atom">
  <channel>
    <title><![CDATA[મકર સંક્રાતિ]]></title>
    <link>https://gujarati.webdunia.com/sankranti</link>
    <description><![CDATA[મકરસંક્રાંતિની મજા વેબદુનિયાને સંગ. ઉત્તરાયણ પર્વની મોજ માણો, પતંગ, દોરા સહિત ઉત્તરાયણને લગતી વિશેષ માહિતીઓનો ખજાનો....]]></description>
    <copyright>Copyright webdunia.com</copyright>
    <lastBuildDate>Tue, 09 Jun 2026 12:38:40 +0530</lastBuildDate>
    <language>en-us</language>
    <image>
      <title>મકર સંક્રાતિ</title>
      <url>https://gujarati.webdunia.com/sankranti</url>
      <link>https://gujarati.webdunia.com/sankranti</link>
    </image>
    <atom:link href="https://gujarati.webdunia.com/rss/sankranti-1021201.rss" rel="self" type="application/rss+xml"/>
    <item>
      <title><![CDATA[ઉત્તરાયણ તો અમદાવાદની જ - NRI]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/sankranti/ઉત્તરાયણ-તો-અમદાવાદની-જ-NRI-108011800013_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/sankranti/ઉત્તરાયણ-તો-અમદાવાદની-જ-NRI-108011800013_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[લંડન-અમ્‍ોરિકામાં માહોલ, વાતાવરણ, મકાનોની બાંધણી પૈકી એક પણ બાબત પતંગ ચગાવવા યોગ્‍ય નથી હોતોઃ એન્‍ાઆરઆઈ ગુજરાતી યુવકોનું મંતવ્‍ય છે. પતંગોત્‍સવ દુનિયાનો જૂનામાં જૂનો ઉત્‍સવ છે. ખાસ કરીને એશિયામાં ચીન, જાપાન અને ભારતમાં જુદાજુદા સમયે પતંગોના પેચ..]]></description>
      <content:encoded><![CDATA[<!--Image--><p><table style='margin: 3px 8px 0px 0px;' cellspacing='0' cellpadding='0' border='0' Align=Left><tr><td valign='top'><img src='/gu/articles/0801/18/images/img1080118013_1_1.jpg' Alt='' Border=0  HSPACE=4 VSPACE=4 class='imgArticle_New'></td></tr><tr><td class='imgSource'><table width='100%' cellpadding='0' cellspacing='0' border='0'><tr><td align='left'>PR</td><td valign='top' align='right'>P.R</td></tr></table></td></tr></table></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>લંડન-અમ્‍ોરિકામાં માહોલ, વાતાવરણ, મકાનોની બાંધણી પૈકી એક પણ બાબત પતંગ ચગાવવા યોગ્‍ય નથી હોતોઃ એન્‍ાઆરઆઈ </font><font style='font-size:11pt;'>ગુજરાતી </font><font style='font-size:11pt;'>યુવકોનું મંતવ્‍ય </font><font style='font-size:11pt;'>છે. </font><font style='font-size:11pt;'>પતંગોત્‍સવ દુનિયાનો જૂનામાં જૂનો ઉત્‍સવ છે. ખાસ કરીને એશિયામાં ચીન, જાપાન અને ભારતમાં જુદાજુદા સમયે પતંગોના પેચ લડાવવાનો આનંદ લેવાય છે. લંડન કે અમેરિકા જઈને વસેલા ભારતીય અને તેમાંય ખાસ કરીને ગુજજુ યુવક-યુવતીઓને થેપલાં-ઢોકળાં, વતનની મીટ્ટી અને ગરબાની સાથે સાથે જો બીજુ કશું ખાસ યાદ આવતું હોય તો તે છે, ઉત્તરાયણ... સાતથી દસ હજાર ડોલરનો ખર્ચોપાડીને પણ બે-ત્રણ વર્ષે એક વાર અમદાવાદમાં ઉત્તરાયણ કરવા આવતા ધેલા એનઆરઆઈ ગુજરાતીઓ પણ છાતી ઠોકીને કહે છે ભાઈ ઉત્તરાયણ તો અમદાવાદની જ. આવા ગુજરાતીઓને વતનની ઉત્તરાયણ ઉજવીને જંગ જીત્‍યાની લાગણી અનુભવાતી હોય છે.</font><br/><!--Image--><p><table style='margin: 3px 8px 0px 0px;' cellspacing='0' cellpadding='0' border='0' Align=Right><tr><td valign='top'><img src='/gu/articles/0801/18/images/img1080118013_1_2.jpg' Alt='' Border=0  HSPACE=4 VSPACE=4 class='imgArticle_New'></td></tr><tr><td class='imgSource'><table width='100%' cellpadding='0' cellspacing='0' border='0'><tr><td align='left'>PR</td><td valign='top' align='right'>P.R</td></tr></table></td></tr></table></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આ અંગે જણાવતાં તાજેતરમાં જ લંડનના લેસ્‍ટરથી અમદાવાદ આવેલા કપિલ હિરપરા કહે છે કે, લંડન હોય કે અમેરિકા, ત્‍યાં વસતા ગુજરાતીઓ ત્‍યાં દિવાળી, નવરાત્રિ, હોળી-ધૂળેટી જેવા તહેવારો ઉજવે છે પરંતુ તેમાં ‘ભારતમાં ઉત્‍સવ ઉજવતા હોઇએ તેવી મજાતો નથી જ આવતી. વધુમાં તે ઉમેરે છે કે, ત્‍યાં અમે કેટલાક ઉત્‍સવો ઉજવીએ છીએ. પરંતુ ઉત્તરાયણ ઉજવી શકતા નથી. તે માટે તો અમદાવાદ જ આવવું પડે !</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>તો વળી આવો જ કાંઈક સૂર અમેરિકાના હ્યુસ્‍ટનથી આવેલા જીગ્નેશ પટેલના પણ છે. તે કહે છે કે, અમારે ત્‍યાં ગ્રેટર હ્યુસ્‍ટન ગુજરાતી સમાજ ઉત્તરાયણની ઉજવણીનો કાર્યક્રમ યોજે છે. પરંતુ તેમાં ભાગ્‍યે જ લોકો ભાગ લે. લગભગ ફલોપ શો જ લાગે. આ વાતમાં ઉમેરો કરતાં અમેરિકા લેસ્‍ટરથી આવેલા હેમંત અમીન કહે છે કે ત્‍યાં અગાશી પર જઇ પતંગ ચગાવી શકય નથી. કારણ કે મકાનોની બાંધણી જ ઉત્તરાયણ કરવાને યોગ્‍ય હોતી નથી. બીજું જાન્‍યુઆરીમાં ત્‍યાં માઇનેસ ડિગ્રીમાં ટેમ્‍પેરેચર હોય. આવી કડકડતી ઠંડીમાં કોઇ પતંગ ચગાવવા મેદાન પર પણ જાય નહીં. આ સરચાઇ સ્‍વીકારી અમે લોકો સમય મળે ઉત્તરાયણ કરવા ભારત તેમાંય વતન અમદાવાદ આવીએ છીએ. પરદેશથી આવેલા ત્રણે અમદાવાદવાસીઓનું કહેવું છે કે ઉત્તરાયણ તો અમદાવાદની જ. આ ઉત્તરાયણની મજા લૂંટવા અમે અઠવાડિયું-દસ દિવસ અહીં આવીએ છીએ. જેની પાછળ 7000 ડોલરથી 10,000 ડોલરનો ખર્ચો થાય છે. પરંતુ તે ખર્ચ ગૌણ લાગે.</font><font style='font-size:12pt;'></font><br/><!--Image--><p><table style='margin: 3px 8px 0px 0px;' cellspacing='0' cellpadding='0' border='0' Align=Left><tr><td valign='top'><img src='/gu/articles/0801/18/images/img1080118013_1_3.jpg' Alt='' Border=0  HSPACE=4 VSPACE=4 class='imgArticle_New'></td></tr><tr><td class='imgSource'><table width='100%' cellpadding='0' cellspacing='0' border='0'><tr><td align='left'>PR</td><td valign='top' align='right'>P.R</td></tr></table></td></tr></table></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>કપિલ હિરપરા બે વર્ષ બાદ, જીગ્નેશ પટેલ સાત વર્ષ બાદ અને હેમંત અમીન આઠ વર્ષ બાદ ઉત્તરાયણ કરવા આવ્‍યા છે. કપિલે તો ઉત્તરાયણ કરવા પોતાની રજાઓ વધારી છે. કપિલ હિરપરા આઇટી ડિગ્રી ધરાવે છે. જીગ્નેશ કમ્‍પ્‍યૂટર એન્‍જિનિયર છે. જયારે હેમંત અમીન બી.કોમ છે. આ ત્રણે યુવાનો અમદાવાદ છોડી પરદેશ ગયા ત્‍યાં સુધી દર વર્ષ્‍ો ઉત્તરાયણની મજા લૂંટતા હતા. કપિલ તો સુરતના ભગવાનદાસનો દોરો લઇ આવ્‍યો છે. આ ત્રણે ઉત્તરાયણના બે દિવસ દરમિયાન એકવાર શહેરમાં બાજવાડા, ઘડિયાળી પોળ કે રાવપુરામાં જઇ ઉત્તરાયણ કરશે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>કપિલ કહે છે કે લેસ્‍ટરમાં કોઇ ઉત્તરાયણ કરતું નથી. જીગ્નેશ કહે છે કે અમારે ન્‍યૂ જર્સીમાં જાન્‍યુઆરીમાં માઇનસ ડિગ્રીમાં ટેમ્‍પરેચર હોય છે. બહાર મેદાનમાં જઇ પતંગ ન ઉડાડાય ત્‍યારે અજય કહે છે કે હ્યુસ્‍ટનમાં છૂટા છવાયા લોકો પતંગ ચગાવે. પરંતુ ઉત્તરાયણ જેવું વાતાવરણ તો લાગે જ નહીં. આ સરચાઇ ઘ્‍યાનમાં રાખી અમે ઉત્તરાયણ કરવા અમદાવાદ આવ્‍યા છીએ. ઉત્તરાયણ તો વતન અમદાવાદની જ આવી મજા વિશ્વમાં બીજે કયાંય મળે નહીં.</font>]]></content:encoded>
      <pubDate>Fri, 18 Jan 2008 17:40:38 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 19:30:18 +0530</updatedDate>
      <category><![CDATA[Sankranti]]></category>
      <authorname>એજન્સી</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[ગુજરાતમાં ઉત્તરાયણની જોરદાર ઉજવણી]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/sankranti/ગુજરાતમાં-ઉત્તરાયણની-જોરદાર-ઉજવણી-108011600019_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/sankranti/ગુજરાતમાં-ઉત્તરાયણની-જોરદાર-ઉજવણી-108011600019_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[ઉત્તરાયણની રાજયભરના શહેરોમાં રંગેચંગે ઉજવણી વચ્ચે કેટલાંક અનિચ્છનીય બનાવો બન્યા હતા. જેમાં પતંગના દોરાથી ગળું કપાવાથી તેમ જ ધાબા પરથી પટકાતા ત્રણ બાળકો સહિત છ જણાના મોત થયા હતા તેમજ 15થી વધુને ઇજા થઇ હતી....]]></description>
      <content:encoded><![CDATA[<!--Image--><p><table style='margin: 3px 8px 0px 0px;' cellspacing='0' cellpadding='0' border='0' Align=Left><tr><td valign='top'><img src='/gu/articles/0801/16/images/img1080116019_1_1.jpg' Alt='' Border=0  HSPACE=4 VSPACE=4 class='imgArticle_New'></td></tr><tr><td class='imgSource'><table width='100%' cellpadding='0' cellspacing='0' border='0'><tr><td align='left'>PTI</td><td valign='top' align='right'>PTI</td></tr></table></td></tr></table></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>અમદાવાદ(વેબદુનિયા) રાજ્યભરમાં પતંગના આકાશી યુધ્ધના નજારા વચ્ચે લોકોએ ત્રણ દિવસ ઉત્તરાયણની ઉત્સાહભેર ઉજવણી કરી હતી. ઉત્તરાયણની ઉજવણીએ જાણે શહેરોના જનજીવનને પણ સ્થગિત કરી નાંખ્યુ હતુ. હોટલો,રેસ્ટોરન્ટો અને ખાણીપીણીની લારીઓને બાદ કરતા શહેરમાં બે દિવસ ધંધા રોજગાર જાણે ઠપ્પ થઈ ગયા હતા. ઉત્તરાયણની રાજયભરના શહેરોમાં રંગેચંગે ઉજવણી વચ્ચે કેટલાંક અનિચ્છનીય બનાવો બન્યા હતા. જેમાં પતંગના દોરાથી ગળું કપાવાથી તેમ જ ધાબા પરથી પટકાતા ત્રણ બાળકો સહિત છ જણાના મોત થયા હતા તેમજ 15થી વધુને ઇજા થઇ હતી. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ઉતરાયણના ત્રણેય દિવસ પવનનો પણ સથવારો મળ્યા હોવાથી પતંગશોખીનોને જલ્સા થઈ ગયા હતા. દિવસના મોટાભાગના સમય દરમ્યાન પવન સાનૂકુળ રહ્યો હોવાથી શહેરોનુ આકાશ રંગબેરંગી પતંગોથી છવાયેલુ રહ્યુ હતુ. ઉત્તરાયણ પર્વના બે દિવસ અગાઉ પતંગ દોરાની શહેરીજનોએ જબ્બર ખરીદી કરી હતી અને એટલા જ ઉત્સાહથી ઉત્તરાયણની ઉજવણી પણ કરી હતી. સોમવારે તો ઓફીસો અને કચેરીઓમાં પણ રજા હોવાથી લોકો સવારથી જ ઉજવણીના મૂડમાં આવી ગયા હતા. અગાસીઓ, ધાબાઓ અને છાપરાઓ પર લોકો ચઢી ગયા હતા. બપોર સુધીમાં તો આખુ શહેર અગાસીઓ અને છાપરાઓ પર ઠલવાઈ ગયુ હતુ. વાતાવરણ કાપ્યો છે....ના પોકારો સાથે ગાજી ઉઠયુ હતુ. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>અગાસીઓ પર પતંગરસિયાઓએ ગોઠવેલી ડી.જે.સીસ્ટમ અને સ્પીકરોમાંથી વાગતા ધૂમધડાકાભર્યા સંગીત સાથેના ફિલ્મીગીતોએ લોકોનો રોમાંચ અને ઉત્સાહ વધારી દીધો હતો. અગાસી પર ઠેર ઠેર ઉંધીયા પાર્ટીઓ,ખાણી પીણીની અને દારુની મહેફીલો જામી ગઈ હતી. દિવસ દરમ્યાન મોટાભાગના શહેરીજનો ધાબા પર જ રહ્યા હતા. ઉત્તરાયણની જેમ મંગળવારે વાસી ઉત્તરાયણના દિવસે પણ આ જ પ્રકારના દ્રશ્યો સર્જાયા હતા. ત્રીજા દિવસે પણ લોકોએ મોટાભાગનો સમય અગાસીઓ અને ધાબાઓ પર જ પસાર કર્યો હતો. આના કારણે શહેરનુ જનજીવન સતત ત્રીજા દિવસે પણ લગભગ ઠપ્પ રહ્યું હતુ. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ઉત્તરાયણની ઉજવણીમાં આખો દિવસ અગાસીઓ પર પસાર કરનાર લોકોએ સાંજ ઢળ્યા બાદ હોટલો, રેસ્ટોરન્ટો અને ખાણી પીણીની લારીઓ તરફ દોટ મુકી હતી તો કેટલાકે ઓર્ડર આપીને અગાસી પર જ જમવાની મઝા માણી હતી. હોટલો અને રેસ્ટોરન્ટોના સંચાલકો માટે ઉત્તરાયણના બંને દિવસ રાબેતા મુજબ કમાણી કરાવનારા પુરવાર થયા હતા. લોકોએ એક એક કલાક સુધી વેઈટીંગમાં રાહ જોઈને પણ બહાર જ જમવાનુ પસંદ કર્યુ હતુ.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ઉત્તરાયણને ધ્યાનમાં રાખીને શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે કડક પોલીસબંદોબસ્ત રાખવામાં આવ્યો હતો. પોલીસે ઉત્તરાયણ પર્વ દરમ્યાન સતત પેટ્રોલીંગ ચાલુ રાખીને પરિસ્થિતિ પર નજર રાખી હતી.</font><br/><!--Image--><p><table style='margin: 3px 8px 0px 0px;' cellspacing='0' cellpadding='0' border='0' Align=Right><tr><td valign='top'><img src='/gu/articles/0801/16/images/img1080116019_1_2.jpg' Alt='' Border=0  HSPACE=4 VSPACE=4 class='imgArticle_New'></td></tr><tr><td class='imgSource'><table width='100%' cellpadding='0' cellspacing='0' border='0'><tr><td align='left'>ND</td><td valign='top' align='right'>N.D</td></tr></table></td></tr></table></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#FF0000'></font><br/><font  style='font-size:11pt; color:#FF0000'>ઉત્તરાયણમાં પડવાથી અને ગળું કપાતાં 6ના મોત-15થી વધુ ઘાયલ - </font><font style=' color:#000000;'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ઉત્તરાયણની રાજયભરના શહેરોમાં રંગેચંગે ઉજવણી વચ્ચે કેટલાંક અનિચ્છનીય બનાવો બન્યા હતા. જેમાં પતંગના દોરાથી ગળું કપાવાથી તેમ જ ધાબા પરથી પટકાતા ત્રણ બાળકો સહિત છ જણાના મોત થયા હતા તેમજ 15થી વધુને ઇજા થઇ હતી. જે પૈકી વાડીફળિયાના જરીના વેપારીના 11 ર્વિષય પુત્રનું પતંગ લેવાની લ્હાયમાં ધાબા પરથી પટકાતા અને ઉધનાના આશાસ્પદ વિદ્યાર્થીનું પતંગના દોરાથી ગળું કપાયા બાદ થયેલા અકસ્માતમાં કરૂણ મોત થયું હતું.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આ ઉપરાંત ઉત્તરાયણના બે દિવસોમાં ગળું કપાતા તેમજ ધાબા પરથી પટકાતા ઇજા પામવાના અસંખ્ય બનાવો બન્યા હતા. જેઓએ ખાનગી હોસ્પિટલમાં સારવાર લીધી હતી. </font>]]></content:encoded>
      <pubDate>Wed, 16 Jan 2008 18:15:32 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 19:30:18 +0530</updatedDate>
      <category><![CDATA[Sankranti]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[ઉત્તરાયણમાં સૂર્ય ઉપાસનાનું મહત્વ છે !]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/sankranti/ઉત્તરાયણમાં-સૂર્ય-ઉપાસનાનું-મહત્વ-છે-108011500006_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/sankranti/ઉત્તરાયણમાં-સૂર્ય-ઉપાસનાનું-મહત્વ-છે-108011500006_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[પ્રાચીનકાળથી સૂર્યઉપાસનાનું મહત્તવ રહેલું છે. વિશ્વના સૌથી પ્રાચીન ગ્રંથ ગણાતા ઋગ્વેદમાં  સૂર્ય માટે 'પતંગ' શબ્દ વપરાયો છે. આર્યોસૂર્યતત્ત્વની પ્રાચીન કાળથી ઉપાસના કરતા હતા. વેદકાળમાં સૂર્યને લગતા અનેક મંત્રો પણ પ્રાપ્ત થાય છે. પ્રાચીન ગ્રંથો]]></description>
      <content:encoded><![CDATA[<!--Image--><p><table style='margin: 3px 8px 0px 0px;' cellspacing='0' cellpadding='0' border='0' Align=Left><tr><td valign='top'><img src='/gu/articles/0801/15/images/img1080115006_1_1.jpg' Alt='' Border=0  HSPACE=4 VSPACE=4 class='imgArticle_New'></td></tr><tr><td class='imgSource'><table width='100%' cellpadding='0' cellspacing='0' border='0'><tr><td align='left'>ND</td><td valign='top' align='right'>N.D</td></tr></table></td></tr></table></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>પ્રાચીનકાળથી સૂર્ય ઉપાસનાનું મહત્વ રહેલું છે. વિશ્વના સૌથી પ્રાચીન ગ્રંથ ગણાતા ઋગ્વેદમાં  સૂર્ય માટે 'પતંગ' શબ્દ વપરાયો છે. આર્યોસૂર્યતત્ત્વની પ્રાચીન કાળથી ઉપાસના કરતા હતા. વેદકાળમાં સૂર્યને લગતા અનેક મંત્રો પણ પ્રાપ્ત થાય છે. પ્રાચીન ગ્રંથો મુજબ સૂર્ય પાસે  કલ્યાણ તથા અમંગળ, દરિદ્રતા અને રોગ દૂર થાય તેની માગણી કરવામાં આવી છે. સૂર્ય  મકર રાશિમાં પ્રવેશ કરે છે તેને મકરસંક્રાંતિ કહે છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>જયોતિષશાસ્ત્ર મુજબ આ સંક્રાંતિમાં સૂર્યપૂજા-ઉપાસનાનું વિશેષ મહત્ત્વ રહેલું છે. સૂર્ય મકરમાં  પ્રવેશતાં કમુરતા પૂર્ણ થાય છે અને લગ્નાદિ માંગલિક કાર્યોનો પ્રારંભ થાય છે. ગ્રહોના અગ્રણી એવા ભગવાન આદિત્યનો રોગનિવૃત્તિ કરનાર અને આયુષ્ય આપનાર દેવ  તરીકે પણ ઉલ્લેખ જોવા મળે છે. જયોતિષશાસ્ત્રના અભ્યાસીઓ મુજબ શનિ-યમ સૂર્યપુત્ર  હોવાથી ભગવાન ભાસ્કરના ઉપાસકો પર શનિદેવ અને યમરાજાની પણ </font><font style='font-size:11pt;'>ક</font><font style='font-size:11pt;'>òપા રહે છે.  મકરસંક્રાંતિના દિવસે સૂર્યપૂજા માટે આદિત્ય, મિત્ર, અર્ક, માર્તણ્ડ, ખગ, દિવાકર, ભાસ્કર  સહિત 108થી માંડીને સહસ્ત્ર નામ જોવા મળે છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>અમદાવાદના પ્રખ્યાત ભવિષ્યવેત્તા મહેશભાઇ ત્રીવેદીએ જણાવ્યું છે કે, વિક્રમ સંવત-2064માં  મકરસંક્રાંતિ તા.15મી જાન્યુઆરીએ મનાવાશે, કેમ કે સૂર્યનો મકર રાશિમાં પ્રવેશ તા.14મીએ  રાત્રે 12.07વાગ્યે થયો હતો. માટે આજે તા.15મીના સૂર્યોદયથી સંક્રાંતિ પુણ્યકાળનો પ્રારંભ  થયો. પદ્મપુરાણ અનુસાર સૂર્યદેવ બાળસ્વરૂપ ધારણ કરીને 12 મહિનામાં 12 રાશીઓમાં  સંક્રમણ કરતા રહે છે. આ સંક્રમણને સંક્રાંતિ કહે છે. ધન, મિથુન, મીન, કન્યા રાશીની સંક્રાંતિને  ષડશીતિ કહે છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>વૃષભ-વૃશ્વિક-કુંભ અને સિંહ રાશીની સંક્રાંતિને વિષ્ણુપદી સંક્રાંતિ કહે છે. ષડશીતિ નામની  સંક્રાંતિમાં કરેલા પુણ્યકર્મનું ફળ 86,000 ગણું અને વિષ્ણુપદીમાં કરેલા પુણ્યકર્મ લાખગણું  અને ઉત્તરાયણ અથવા દક્ષિણાયન આરંભના સમયે કરેલા પુણ્ય કોટિ-કોટિ ગણું ફળ આપે છે.  પુરાણો અનુસાર સંક્રાંતિના દિવસે સૂર્યસ્તોત્રનું પઠન કરવાથી લક્ષ્મી સ્થિર રહે છે. સૂર્યોદય  પહેલાં સ્નાનાદિથી પવિત્ર થઈ પૂજા કરવાથી તલમિશ્રિત જળથી સૂર્યાઘ્ર્ય આપવાથી કોઢ અને  આંખસંબંધી રોગો, અસાઘ્ય રોગ, દરિદ્રતા દૂર થાય છે અને આરોગ્યની પ્રાપ્તિ થાય છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>જ્યારે જયોતિષાચાર્ય આશિષભાઇ વ્યાસે જણાવ્યું હતું કે, આદિત્ય ગ્રહોના રાજા છે અને પ્રત્યક્ષ  દેવ છે. જેની ઉપાસના આરાધનાથી રોગ-દરિદ્રતા દૂર થાય છે અને કોર્ટ-કચેરી-રાજકીય  કાર્યોમાં સફળતા મળે છે. વહેલી સવારે ઋષિમુનિઓ સ્નાન કરી માર્તણ્ડ દેવની ઉપાસના  કરતા હોય છે, જેથી તેઓનું આયુષ્ય લાંબું હતું. આજે પણ સંતો-ધર્મપ્રેમીઓ સવારે  સૂર્યનારાયણ દેવને અઘ્ર્ય આપે છે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>પૂષ્ણ્વ્યદેવની આરાધનાથી રોગ ઉપર વિજય થાય છે. જેમને અન્ય ગ્રહોની પીડા હોય તો  ‘આદિત્યહૃદય સ્તોત્ર’નો પાઠ, સૂર્યસ્તુતિ, ગાયત્રી ઉપાસના કરી વ્યકિત પોતાના દુ:ખનું  નિવારણ જાતે જ કરી શકે છે. જે જાતકની કુંડળીમાં સૂર્ય નીચનો હોય કે ખાડામાં હોય તેમણે  સવારે સ્નાન કરી ગાયત્રીમંત્ર સાથે સૂર્યનારાયણને અઘ્ર્ય આપવો જેનાથી ગતિ-કીર્તિ-આરોગ્ય  વર્ષ દરમિયાન ઉત્તમ રહે છે. સૂર્ય ઉપાસનાથી નોકરિયાતોને નોકરીમાં શાંતિ-બઢતી અને કીર્તિ  મળે છે, જયારે ધંધા-રોજગાર સાથે સંકળાયેલા લોકોને ધંધામાં બરકત આવે છે. </font><br/><font  style='font-size:11pt; color:#FF00FF'></font><br/><font  style='font-size:11pt; color:#FF00FF'>મહાભારતમાં ભીષ્મે ઉત્તરાયણના દિવસે દેહ છોડયો હતો - </font><font style=' color:#000000;'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ઉત્તરાયણનું વિશેષ મહત્ત્વ હોવાથી મહાભારત કાળમાં ભીષ્મએ ઉત્તરાયણમાં જ દેહ છોડવાનું  પસંદ કર્યું હતું, એમ કહી જયોતિષાચાર્ય વાસુદેવભાઈ વી.શાસ્ત્રીએ જણાવ્યું કે સંક્રાંતિકાળ  દરમિયાન સૂર્યઉપાસના કરવાથી આત્મશકિત જાગૃત થાય છે. સંક્રાંતિના પુણ્યકાળમાં ‘હ્રીં  સૂર્યાય નમ: મંત્રનો જાપ કરવાથી દરેક ક્ષેત્રે પ્રગતિ થાય છે અને તેજસ્વિતામાં વૃદ્ધિ થાય છે.  વિધાર્થીઓ સૂર્યગાયત્રી મંત્રનો જાપ કરે તો વિધામાં </font><font style='font-size:11pt;'>વ</font><font style='font-size:11pt;'>òદ્ધિ અને તન-મનની શકિતમાં પણ  વિકાસ થાય છે. </font><br/><font  style='font-size:11pt; color:#FF0000'></font><br/><font  style='font-size:11pt; color:#FF0000'>ઉત્તરાયણમાં સૂર્યસ્નાન કરો - </font><font style=' color:#000000;'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ભારતીય ઋષિમુનિઓએ વ્રત-તહેવારો સાથે આયુર્વેદને પણ વણી લીધું છે. માટે આયુર્વેદ  શાસ્ત્ર મુજબ અત્યારે શિશિર ઋતુ ચાલી રહી છે. તેમાં શેરડી-તલ-ગોળ-મમરાનો લાડુ જેવા  મધુર પદાર્થોસ્વાસ્થ્ય માટે સારા હોવાથી મકરસંક્રાંતિના દિવસે તલની ચીકી વગેરે ખાવામાં  આવે છે. જૉ કે તેમાં શરદી-કરમિયા કે ડાયાબિટિસના દર્દીઓને આનાથી દૂર રહેવું જૉઈએ.  ઉપરાંત તલના તેલની માલિશ કરીને સૂર્યસ્નાન કરવાથી શરીરની સ્વસ્થતા જળવાઈ રહે છે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>વિજ્ઞાન મુજબ સૂર્યપ્રકાશથી વિટામિન-ડી મળે છે અને ચામડી સુંવાળી બને છે,  હાડકા-દાંત-વાળ-નખ મજબૂત બને છે અને યોગાનુયોગ આ દિવસે પતંગોત્સવ નિમિત્તે બધા  અગાસી ઉપર જ રહેતા હોવાથી સૂર્યસ્નાન આપોઆપ થઈ જાય છે એમ આયુર્વેદાચાર્ય  પ્રવીણભાઈ હીરપરાએ જણાવ્યું છે.</font>]]></content:encoded>
      <pubDate>Tue, 15 Jan 2008 15:11:09 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 19:30:18 +0530</updatedDate>
      <category><![CDATA[Sankranti]]></category>
      <authorname>એજન્સી</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[એ કાપ્યો..કાપ્યો.. લપેટ.. લપેટ..]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/sankranti/એ-કાપ્યો-કાપ્યો-લપેટ-લપેટ-108011500001_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/sankranti/એ-કાપ્યો-કાપ્યો-લપેટ-લપેટ-108011500001_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[વર્ષો પછી ગુજરાતીઓને શનિવાર, રવિવારની બોનસ રજા સાથે  સોમવારે અને મંગળવારે ઉત્તરાયણ અને બુધવારે વાસી ઉત્તરાયણનો એમ પાંચ દિવસનો મકરસક્રાંતિનો તહેવાર માણવા મળ્યો હોઇ પતંગરસિયાઓ ખુશખુશાલ થઇ ગયા છે. પતંગરસિક યુવાવર્ગે....]]></description>
      <content:encoded><![CDATA[<!--Image--><p><table style='margin: 3px 8px 0px 0px;' cellspacing='0' cellpadding='0' border='0' Align=Left><tr><td valign='top'><img src='/gu/articles/0801/15/images/img1080115001_1_1.jpg' Alt='' Border=0  HSPACE=4 VSPACE=4 class='imgArticle_New'></td></tr><tr><td class='imgSource'><table width='100%' cellpadding='0' cellspacing='0' border='0'><tr><td align='left'>ND</td><td valign='top' align='right'>N.D</td></tr></table></td></tr></table></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>અમદાવાદ (વેબદુનિયા) વર્ષો પછી ગુજરાતીઓને શનિવાર, રવિવારની બોનસ રજા સાથે  સોમવારે અને મંગળવારે ઉત્તરાયણ અને બુધવારે વાસી ઉત્તરાયણનો એમ પાંચ દિવસનો મકરસક્રાંતિનો તહેવાર માણવા મળ્યો હોઇ પતંગરસિયાઓ ખુશખુશાલ થઇ ગયા છે. પતંગરસિક યુવાવર્ગે તો વળી, શનિવારથી જ પતંગ ચગાવી ઉત્તરાયણ પહેલાના દિવસોમાં ખેંચીને પેચ કાપવાના દાવની અજમાઇશ કરી લીધી છે કે જેથી ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણમાં તેમના પતંગનો સિતારો બુલંદ રહે. કેટલાક પતંગરસિયાઓએ તો વળી, આજથી જ ત્રણ દિવસ માટે ટેપ, ટીવી, વીસીડી અને સ્પીકરો ધાબાઓ પર ગોઠવી લેટેસ્ટ સુપરહિટ ગીતોનો મારો ચલાવી શહેરોભરમાં ઉત્તરાયણના પર્વનું મોજું ફેલાવી દીધું છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>બીજી બાજુ, શનિવાર - રવિવારની બે દિવસની રજામાં બજારમાં પતંગરસિયાઓની પતંગ-દોરી, ગુંદરપટ્ટી, આંગળીરક્ષક આવરણો, તુક્કલ વગેરેની ખરીદી માટે છેલ્લી ઘડીની પડાપડી કરી હતી. ખાસ કરીને અમદાવાદના કાલુપુર ટંકશાળ, દિલ્હી દરવાજા અને રાયપુર સહિતના કેટલાક જૂનાં ને જાણીતાં સ્થળોએ મોડી રાત સુધી ખરીદીના દ્રશ્યો સર્જાયાં હતાં.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>હિંદુ ધર્મના તહેવારોમાં ઉત્તરાયણનો તહેવાર કંઇક વિશેષ અને અનોખો એટલા માટે છે કે,  આ પર્વમાં નાના આબાલથી માંડી વૃદ્ધ સૌકોઇ તેની ઉજવણીમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે  જોડાયેલા હોય છે. અલબત્ત, બાળકો અને યુવાવર્ગ માટે તો બધા તહેવારોમાં ઉત્તરાયણ સૌથી  પ્રિય તહેવાર હોય છે. કારણ કે, ખુલ્લા આકાશમાં મુક્ત મને પતંગ ચગાવી, ધીરે ધીરે ઢીલ  છોડી, બીજા પતંગોની સ્પર્ધામાં પોતાની પતંગ બચાવવાની અને તે માટે અન્યની પતંગ  કાપવાની ગળાકાપ હરીફાઇની મજા કંઇક ઔર હોય છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આ વખતે વર્ષો પછી ઉત્તરાયણ અને વાસીઉત્તરાયણના તહેવાર બે દિવસ પહેલા શનિ-રવિની રજા એકસાથે આવી છે. પાંચ દિવસની ઉત્તરાયણ માણવા મળતા યુવાવર્ગ તો જાણે પતંગ-દોરીમય બની તેની ઉજવણીમાં વ્યસ્ત બન્યો છે. શહેરભરમાં ઠેર-ઠેર ખૂણેખૂણેથી  સંભળાતા હોટ ફેવરિટ અને લેટેસ્ટ સુપરહિટ ગીતોની સુમધુર ધૂનો અને સંગીતના વાતાવરણે  જાણે નગરમાં ઉત્તરાયણમય મોજાનો પ્રવાહ ફૂંકયો હતો.</font><font style='font-size:12pt;'></font><br/><!--Image--><p><table style='margin: 3px 8px 0px 0px;' cellspacing='0' cellpadding='0' border='0' Align=Right><tr><td valign='top'><img src='/gu/articles/0801/15/images/img1080115001_1_2.jpg' Alt='' Border=0  HSPACE=4 VSPACE=4 class='imgArticle_New'></td></tr><tr><td class='imgSource'><table width='100%' cellpadding='0' cellspacing='0' border='0'><tr><td align='left'>ND</td><td valign='top' align='right'>N.D</td></tr></table></td></tr></table></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આ વર્ષના નાગરિકોના હોટ ફેવરિટ ગીતોની ધૂનોમાં ભુલભુલૈયા ફિલ્મનું ગીત હરે રામ..હરે  રામ.., હરે ક્રિશ્ના..હરે રામ, ઓમ્ શાંતિ ઓમ્ ફિલ્મનું દર્દે ડિસ્કો...દર્દે ડિસ્કો તેમ જ ઓમ્ શાંતિ  ઓમ્ ટાઇટલ સોંગ, સાંવરિયાનું જબ સે તેરે નૈના તેમ જ સાંવરિયા ટાઇટલ સોંગ, વેલકમ ફિલ્મનું ટાઇટલ સોંગ વેલકમ્...વેલકમ્.., હે બેબી ફિલ્મનું ટાઇટલ હે..બેબી..બેબી.., ટોપ પર  રહ્યા છે. તો બીજી બાજુ, પોપ સોંગ અને ઇંગ્લિશ રેપ સોંગની બોલબાલા પણ દર વખતની  જેમ બરકરાર રહેવા પામી છે. કયાંક કયાંક તો વળી, જૂના ગુજરાતી ગીતો ઓઢણી ઉડુ..ઉડુ..ને  ઊડી જાય, ઢોલા મારૃના ટાઇટલ સોંગ અને સનેડો..સનેડો..સહિતના ગીતોની સૂરાવલિ રેલાતી  હતી.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ઉત્તરાયણની મજા બગડે નહીં તે માટે પતંગરસિયાઓએ શનિ-રવિની રજામાં છેલ્લી ઘડીની  ખરીદી માટે પડાપડી કરી પતંગ-દોરી ઉપરાંત ગુંદરપટ્ટી, આંગળીરક્ષક આવરણ, પેપરરોલ,  તુક્કલ, પીપુડા- વ્હીસલ, બેટરીયુકત હોર્ન, ગોગલ્સ, ટોપી, સહિતના મનોરંજનની વસ્તુઓની   ખરીદી કરી હતી. એક બાજુ પતંગરસિયાઓ પતંગ-દોરીની ખરીદીમાં વ્યસ્ત રહ્યા હતા તો  બીજી બાજુ, ઘરની મહિલાઓએ ઉત્તરાયણના તહેવાર માટે ખાસ તલસાંકળી, તલના લાડુ,  મમરાના લાડુ, સીંગચીકી, ગુલાબજાંબુ, સહિતની મનભાવન ખાદ્યચીજો તૈયાર કરવા ઉપરાંત  બોર, શેરડી અને જમરૂખની ખરીદી કરી લીધી હતી. </font>]]></content:encoded>
      <pubDate>Tue, 15 Jan 2008 12:29:51 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 19:30:18 +0530</updatedDate>
      <category><![CDATA[Sankranti]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[રાજ્યમાં ત્રણ દિવસ ઉત્તરાયણનો જલસો]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/sankranti/રાજ્યમાં-ત્રણ-દિવસ-ઉત્તરાયણનો-જલસો-108011200028_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/sankranti/રાજ્યમાં-ત્રણ-દિવસ-ઉત્તરાયણનો-જલસો-108011200028_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[દર વર્ષની 14મી જાન્‍યુઆરીએ આવતું ઉત્તરાયણ પર્વ ચાલુ વર્ષમાં 15મી જાન્‍યુઆરીએ  ઉજવાશે તેવું જયોતિષોએ જણાવતાં પતંગ રસિયામાં અનેરો આનંદ છવાઇ ગયો છે કારણ કે, પહેલા બે દિવસ જ ઉત્તરાયણ ઉજવવા મળતી હતી પરંતુ આ વર્ષે તો ત્રણ દિવસ ગુજરાતીઓ છત પર...]]></description>
      <content:encoded><![CDATA[<!--Image--><p><table style='margin: 3px 8px 0px 0px;' cellspacing='0' cellpadding='0' border='0' Align=Left><tr><td valign='top'><img src='/gu/articles/0801/12/images/img1080112028_1_1.jpg' Alt='' Border=0  HSPACE=4 VSPACE=4 class='imgArticle_New'></td></tr><tr><td class='imgSource'><table width='100%' cellpadding='0' cellspacing='0' border='0'><tr><td align='left'>PR</td><td valign='top' align='right'>P.R</td></tr></table></td></tr></table></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>દર વર્ષની 14મી જાન્‍યુઆરીએ આવતું ઉત્તરાયણ પર્વ ચાલુ વર્ષમાં 15મી જાન્‍યુઆરીએ  ઉજવાશે તેવું જયોતિષોએ જણાવતાં પતંગ રસિયામાં અનેરો આનંદ છવાઇ ગયો છે કારણ કે, પહેલા બે દિવસ જ ઉત્તરાયણ ઉજવવા મળતી હતી પરંતુ આ વર્ષે તો ત્રણ દિવસ ગુજરાતીઓ છત પર જલસા કરશે. ઉત્તરાયણ 14મીએ ઉજવાય કે 15મીએ પરંતુ મોટાભાગના જુવાનિયાઓએ હમણાંથી જ ઉત્તરાયણ પર્વની પૂર્વ તૈયારીઓ આરંભી દીધી છે અને પસંદગીની દોરીઓ ખરીદી રહ્યા છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>વેટના દર વધતાં ચાલુ વર્ષે દોરીની કિંમતમાં વધારો થયો હોવા બાબતે અમદાવાદના વેપારીઓએ જણાવ્‍યું હતું કે, "ચાલુ સાલે દોરી પર વેટ વધારવામાં આવ્‍યો હોવાથી દોરીની  કિંમતમાં વધારો થયો છે. જોકે, પતંગ રસિયાઓ કોઇપણ ભોગે ઉત્તરાયણની ઉજવણી કરતાં  જ હોય છે. જેના કારણે વેટની અસર બજાર પર પડશે નહીં."</font><font style='font-size:12pt;'></font><br/><!--Image--><p><table style='margin: 3px 8px 0px 0px;' cellspacing='0' cellpadding='0' border='0' Align=Right><tr><td valign='top'><img src='/gu/articles/0801/12/images/img1080112028_1_2.jpg' Alt='' Border=0  HSPACE=4 VSPACE=4 class='imgArticle_New'></td></tr><tr><td class='imgSource'><table width='100%' cellpadding='0' cellspacing='0' border='0'><tr><td align='left'>ND</td><td valign='top' align='right'>N.D</td></tr></table></td></tr></table></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>શહેરના લાલદરવાજા વિસ્‍તારમાં પતંગનો વેપાર કરતાં મનોજભાઇ અગ્રવાલે જણાવ્‍યું હતું કે,  "શહેરમાં પતંગોનો સ્‍ટોક આવી ગયો છે. જેમાં 100થી વધુ સ્‍ટોલો પર પતંગ-દોરીનું વેચાણ  ચાલુ થઇ ગયું છે." તેમણે વધુમાં ઉમેર્યું હતું કે "પતંગ બજારમાં આ વર્ષે ચાંદ, બટર ચીલ, ત્રિવેણી ચીલ, વેલકમ-2008, ક્રિકેટર ધોનીના પોસ્‍ટરવાળી પતંગ, ફિલ્‍મીસ્‍ટારોમાં અમિતાભ બરચન અને શાહરૂખ ખાનના પોસ્‍ટરોવાળી અલગ-અલગ વેરાઇટીમાં પતંગો મળી રહી છે. તેમાંય ગરવી ગુજરાતના પોસ્‍ટરવાળી પતંગોએ આકર્ષણ જમાવ્‍યું છે. આ સિઝન 15 દિવસ ચાલે છે. આ વર્ષે શહેરમાં અંદાજે 25 લાખની પતંગો ચગશે."</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>શહેરના બાપુનગર વિસ્‍તારમાં પતંગનો સ્‍ટોલ ધરાવતાં વિપુલભાઇ પટેલે જણાવ્‍યું હતું કે,  "પતંગ બજારમાં ચીન બનાવટની પતંગો પણ જો વા મળે છે. જેમાં બાજ, વિમાન, સ્‍પાઇડર  મેન જેવી પતંગો કાપડ જેવા મટિરિયલ્‍સમાં મળે છે. આ પતંગને ખોલીને ઉડાડી શકાય છે  અને વાળીને મૂકી પણ શકાય છે. પરંતુ તેને ચગાવવા અડધો કિલોમીટર પતંગના રસિયાને  દોડવું પડે છે."</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>વળી તેની કિંમત પણ એક પતંગની રૂ.200થી 250 ની હોય છે. એટલે તેની બજારમાં ખાસ  માગ રહેતી નથી. જયારે પતંગની દોરીમાં છ અને નવ તારની દોરી રિયાસત, પાન્‍ડા, ધૂમ  મેંદાની નવરંગ જેવી વેરાઇટીઝ દોરીઓ રૂ.330થી રૂ.550ના ભાવે સ્‍ટીલની ફિરકીઓમાં મળી  રહી છે.</font>]]></content:encoded>
      <pubDate>Mon, 14 Jan 2008 11:29:15 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 19:30:18 +0530</updatedDate>
      <category><![CDATA[Sankranti]]></category>
      <authorname>એજન્સી</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[રાજ્યભરમાં જોરસોરથી ઉત્તરાયણનો પ્રારંભ]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/sankranti/રાજ્યભરમાં-જોરસોરથી-ઉત્તરાયણનો-પ્રારંભ-108011400003_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/sankranti/રાજ્યભરમાં-જોરસોરથી-ઉત્તરાયણનો-પ્રારંભ-108011400003_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[ગુજરાતભરમાં ઉત્તરાયણ પર્વની શાનદાર ઉજવણી થઇ રહી છે. પતંગપ્રેમીઓ પર જાણે ઉત્તરાયણનો ઉન્માદ છવાઈ ગયો હોય તેવો માહોલ આજે પ્રાંતઃકાળથી ચારે તરફ નજરે પડી રહ્યો હતો. તેમાં પણ ગઇકાલે રવિવારની રજા હોવાથી રાજ્યભરમાં ગઇકાલથી જ ઉત્તરાયણની ઉજવણી શરુ થઈ ગઈ છે...]]></description>
      <content:encoded><![CDATA[<!--Image--><p><table style='margin: 3px 8px 0px 0px;' cellspacing='0' cellpadding='0' border='0' Align=Left><tr><td valign='top'><img src='/gu/articles/0801/14/images/img1080114003_1_1.jpg' Alt='' Border=0  HSPACE=4 VSPACE=4 class='imgArticle_New'></td></tr><tr><td class='imgSource'><table width='100%' cellpadding='0' cellspacing='0' border='0'><tr><td align='left'>ND</td><td valign='top' align='right'>N.D</td></tr></table></td></tr></table></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ગુજરાતભરમાં આજે અને કાલે મંગળવારે ઉત્તરાયણ પર્વની શાનદાર ઉજવણી થઇ રહી છે. પતંગપ્રેમીઓ પર જાણે ઉત્તરાયણનો ઉન્માદ છવાઈ ગયો હોય તેવો માહોલ આજે પ્રાંતઃકાળથી ચારે તરફ નજરે પડી રહ્યો હતો. તેમાં પણ ગઇકાલે રવિવારની રજા હોવાથી રાજ્યભરમાં ગઇકાલથી જ ઉત્તરાયણની ઉજવણી શરુ થઈ ગઈ છે. અગાસીઓ અને ધાબાઓ પર ગઇકાલથી જ લોકો ચઢી ગયા હતા અને શહેરના આકાશમાં રંગબેરંગી પતંગો છવાઈ ગઈ છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ઉત્તરાયણ ગુજરાતીઓનો મનગમતો તહેવાર છે. લોકોએ છેલ્લા બે દિવસથી જે રીતે પતંગો અને દોરાની ખરીદી કરી છે તે જોતાં તેમ લાગે છે કે ગુજરાતીઓ ઉત્તરાયણની ઉજવણી  કરવામાં કોઈ કચાશ રાખવા માંગતા નથી. આજે પણ ઉત્તરાયણ પહેલાના આખરી દિવસે  પતંગ અને દોરાની ધૂમ ખરીદી ચાલુ રહી હતી. ગુજરાતના પતંગબજારોમાં મધરાતના બે વાગ્યા સુધી ભારે ભીડના દ્રશ્યો જોવા મળ્યા હતા.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>શહેરોની અગાસીઓ પર આજથી જ ડી.જે.સિસ્ટમો ગોઠવાઈ ગઈ હતી.ધૂમધડાકાભેર વાગતા ફિલ્મી ગીતોએ ઉત્તરાયણના માહોલની આજથી જ જમાવટ કરી દીધી હતી.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ઉત્તરાયણના બે દિવસ પતંગ ચગાવવા માટે પવન અનૂકુળ રહે તેમ લાગી રહ્યું છે.  રવિવારે સવારથી જ પવન ફૂંકાયો હતો. આજે અને મંગળવારે જો આ પ્રકારનો જ પવન રહ્યો તો પતંગરસિકોને પંતગ ચગાવાવના જલ્સા થઈ જશે. ગુજરાતના આકાશમાં આજે અને  આવતીકાલે જોરદાર પતંગ યુધ્ધ જામશે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ઉત્તરાયણ પર્વના બે દિવસ યુવા વર્ગ માટે પતંગ ચગાવવાની સાથે સાથે લેટેસ્ટ ફેશનના  કપડા પહેરવાના પણ હશે. અગાસીઓ અને ધાબાઓ પર ટોપી અને ગોગલ્સ પહેરીને ઝૂમતાં  યૌવનના કારણે ફેશન પરેડના દ્રશ્યો જોવા મળશે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>અગાસીઓને લોકોએ ખાણીપીણીની મહેફિલો અને ઉંધિયા પાર્ટી માટે તૈયાર કરી નાંખી છે. આજે છેલ્લી ઘડીએ મોંઘા ભાવે પણ લોકોએ દારુ ખરીદવા માટે ભારે દોડધામ કરી હતી. આજે અગાસીઓ પર ખાણી પીણીની મહેફિલો સાથે દારુની પણ ઠેર ઠેર મહેફિલો જામશે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ઉત્તરાયણનો તહેવાર હવે લોકો માટે અનેક પ્રકારના તહેવારની ઉજવણી સમાન બની રહ્યો  છે. લોકો ઉત્તરાયણના બંને દિવસ દિવાળીની યાદ અપાવે તે રીતે ફટાકડા ફોડીને ઉત્તરાયણને  વિદાય આપશે. હોટલો અને રેસ્ટોરન્ટો,ખાણી પીણીની લારીઓ તથા ફરસાણની દુકાનો માટે આ બે દિવસ કમાણીના સાબિત થશે તો બીજી તરફ ઉત્તરાયણની ઉજવણીના માહોલના કારણે  અન્ય તમામ વેપાર ધંધા લગભગ ઠપ્પ રહેશે.શહેરના રસ્તાઓ પર પણ પ્રમાણમાં ઓછી  અવરજવર જોવા મળશે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>બીજી તરફ પતંગ ઉડાડવાની મોજ સાથે ફટાકડાની આતશબાજીનો ક્રેઝ પણ યુવા વર્ગમાં હોય  તેથી રોશનીમય ફટાકડાઓની તથા ધાબા ઉપર રેડીમેડ નાસ્તાની મોજ માણી શકે તે માટે  ફાસ્ટફુડના નાસ્તાઓની પણ ખરીદી ઉતરાયણના આ પર્વની પુર્વ સંઘ્યાએ રવિવારે બજારોમાં  દ્રશ્યમાન થતી હતી. શહેરમાં આ પર્વને લઇને શેરડી, ચીકી તેમજ ગેસના ફુગ્ગાઓની  ખરીદીમાં પણ તેજી જણાઇ હતી. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>વડનગરનાં લોકો ૭૫ હજારનું ઉંધીયુ ઝાપટી જશે - ઐતિહાસીક અને સંગીત નગરી ગણાતા વડનગરમાં સ્વીટ માર્ટવાળા વેપારીઓ દ્વારા ઉત્તરાયણના પર્વ માટે એક હજારથી વધુ કિલો ઉંધીયુ તૈયાર કરાઇ રહ્યું છે. આ સ્વીટ માર્ટવાળા વેપારીએ જણાવ્યું હતું કે, પર્વની સવાર થતાં જ ઉંધીયાની ખરીદી શરૂ થશે અને દર વર્ષે નગરમાં અંદાજે રૂ. 75 હજારથી લાખનું ઉંધીયુ ખવાય છે. ઉલ્લેખનીય છે કે, વડનગરની પ્રખ્યાત માંજો પાયેલી દોરી ખરીદવા અમદાવાદ સહિત ગુજરાતમાંથી પતંગ રસિયાઓ રવિવારે ઉમટયા હતા.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ઓમ શાંતિ ઓમ સહિત રિમીકસ ગીતો ફેવરીટ રહેશે ઉત્તરાયણના દિવસે પતંગ અને દોરા  સાથે સંગીતની મજા માણવાનો પણ પતંર રસિકોમાં ક્રેઝ વધતો જાય છે. આ માટે ટેપ તથા  સીડીના તાલે પતંગરસિકો ધાબા ઉપર ઝુમી ઉઠે છે. આ અંગે ઓડિયો કેસેટ સીડીના વેપારીએ  જણાવ્યું હતું કે પતંગરસિયાઓ ઉત્તરાયણમાં ગીત-સંગીતની ધૂનો સાથે અને આનંદની  ચીચીયારીઓ તથા મનગમતા ગીતો સાથે પતંગ ઉડાડવાની મજા લુટતા હોય છે. આ વર્ષે  પતંગ રસીયાઓ ઓમ શાંતિ ઓમ, ભુલ ભુલૈયા, સાવરિયા, વેલકમ સહિત રિમિકસ ગીતોની  કેસેટો પતંગ રસિયાઓ ભાડેથી અને કેટલાક ખરીદીને લઇ ગયા છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>પતંગની મજા સાથે સાવધાની જરૂરી - </font><br/><font  style='font-size:11pt; color:#000000'>ઉતરાયણના આનંદ ઉલ્લાસના આ પર્વમાં ખાસ કરીને હાની ન પહોંચે તે માટે આ ઉજવણી  દરમિયાન સોમવારે આખો દિવસ ધાબા ઉપર સુર્ય પ્રકાશમાં રહેવાથી આંખમાં એલર્જી થતી  હોય છે જેથી ચશ્મા પહેરવા હિતાવહ છે. જયારે સમયાંત્તરે ઉતરાયણના દિવસે આંખ માટે  સ્ટીરોઇડના ટીંપા અસરકારક છે. સાથે સાથે પતંગ ઉડાવવામાં વિડીયો-ઓડિઓની પટ્ટીઓનો  ઉપયોગ ન કરવો અને ખાસ કરીને મોટર સાઇકલ કે સ્કુટરના આગળના ભાગે નાના બાળકને  લઇને આ પર્વના દિવસે મુસાફરી કરતા હોય ત્યારે પતંગની દોરી ગળાના ભાગ આગળથી  પસાર થતા રકતવાહિનીને ગંભીર અસર થાય છે તે સમયે એકદમ વાહન થંભાવી દેવું અને  અકસ્માતથી સાવધ રહેવું.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ઉત્તરાયણ પર્વ નિમિત્તે કોઈ અનિચ્છીનય બનાવ ના બને તે માટે સંવેદનશીલ વિસ્તારોમાં  પોલીસ રાઉન્ડ ધી ક્લોક પેટ્રોલિંગ સાથે પરિસ્થિતિ પર નજર રાખશે.</font>]]></content:encoded>
      <pubDate>Mon, 14 Jan 2008 11:04:09 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 19:30:18 +0530</updatedDate>
      <category><![CDATA[Sankranti]]></category>
      <authorname>એજન્સી</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[આજે નહી કાલે ઉત્તરાયણ - જ્યોતિષ]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/sankranti/આજે-નહી-કાલે-ઉત્તરાયણ-જ્યોતિષ-108011400001_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/sankranti/આજે-નહી-કાલે-ઉત્તરાયણ-જ્યોતિષ-108011400001_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[વિક્રમ સંવત-2064માં એટલે કે આ વર્ષે ઉત્તરાયણ તા. 14ના બદલે તા. 15મીના રોજ ઉજાવવામાં આવે છે. દાન-ધર્મ અને તપ માટે સંક્રાતિ પુણ્યકાળનું મહત્ત્વ હોવાથી  જ્યોતિષીઓના મતે સૂર્ય આજે રાત્રે 12.07 વાગ્યે ધન રાશી છોડીને મકરમાં પ્રવેશ કરનાર  હોવાથી તા.15મી..]]></description>
      <content:encoded><![CDATA[<!--Image--><p><table style='margin: 3px 8px 0px 0px;' cellspacing='0' cellpadding='0' border='0' Align=Left><tr><td valign='top'><img src='/gu/articles/0801/14/images/img1080114001_1_1.jpg' Alt='' Border=0  HSPACE=4 VSPACE=4 class='imgArticle_New'></td></tr><tr><td class='imgSource'><table width='100%' cellpadding='0' cellspacing='0' border='0'><tr><td align='left'>PTI</td><td valign='top' align='right'>PTI</td></tr></table></td></tr></table></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>વિક્રમ સંવત-2064માં એટલે કે આ વર્ષે ઉત્તરાયણ તા. 14ના બદલે તા. 15મીના રોજ  આવતીકાલે ઉજાવવામાં આવે છે. દાન-ધર્મ અને તપ માટે સંક્રાતિ પુણ્યકાળનું મહત્ત્વ હોવાથી  જ્યોતિષીઓના મતે સૂર્ય આજે રાત્રે 12.07 વાગ્યે ધન રાશી છોડીને મકરમાં પ્રવેશ કરનાર  હોવાથી તા. 15મી ના સૂર્યોદયથી સંક્રાંતિ પુણ્યકાળનો પ્રારંભ થશે. આથી યુવાનો આજે અને  કાલે એમ બે દિવસ ઉત્તરાયણ તહેવારની મજા માણશે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>અન્ય એક કારણ મુજબ સૂર્ય ઉત્તરાયણ કરે ત્યારે આપણે મકરસંક્રાતિ કરે છે અને તેના કારણે  તેની શક્તિમાં વધારો થાય છે, કે જેની ભારત પર પણ અસર થાય છે. સુર્ય એક વર્ષમાં 12  રાશીઓમાંથી પસાર થાય છે. એક રાશીમાંથી બીજી રાશીમાં સુર્ય જાય તેને સંક્રાતિ કહેવામાં  આવે છે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>જ્યારે સુર્ય ધનુમાંથી મકર રાશીમાં સંક્રાત થાય છે તેને મકરસંક્રાતિ કહેવાય છે. આમ  ભૌગોલિક રીતે વાત કરીએ તો સુર્ય દક્ષિણની જગ્યાએ ઉત્તર તરફ ગતિ કરે છે. સુરજ 72  વર્ષમાં એક અંસ આગળ વધે છે. હવે 2080 સુધી 15મી જાન્યુઆરીના રોજ મકરસંક્રાતિ  મનાવવામાં આવશે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ખાસ વાત એ છે કે હિન્દુઓના બાકી ઉત્સવો ચંન્દ્ર રાશીના પ્રમાણે મનાવવામાં આવે છે જ્યારે  મકરસંક્રાતિ સુર્ય રાશી પ્રમાણે મનાવવામાં આવે છે. નોંધનિય જેવી વાત એ છે કે, ઇ.સ280માં  21મી ડિસેમ્બરના રોજ મકરસંક્રાતિ મનાવવામાં આવી હતી.</font>]]></content:encoded>
      <pubDate>Mon, 14 Jan 2008 10:32:14 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 19:30:18 +0530</updatedDate>
      <category><![CDATA[Sankranti]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[20 ફૂટની વિશાળ પતંગોમાં મોદી દેખાયા]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/sankranti/20-ફૂટની-વિશાળ-પતંગોમાં-મોદી-દેખાયા-108011200024_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/sankranti/20-ફૂટની-વિશાળ-પતંગોમાં-મોદી-દેખાયા-108011200024_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[આ વર્ષે ગુજરાતમાં 12 ફૂટ ઊંચી અને 8 ફૂટ પહોળી મહાકાય પતંગ અમદાવાદ અને અંકલેશ્વરમાં મુસ્લિમ કારીગરોએ બનાવી છે અને ઉતરાયણનાં દિવસે આકાશમાં તેનું અનેરૂ આકર્ષણ ઉભુ થશે. પરંપરાગત રીતે મુસ્‍લિમ કારીગરો દ્વારા તૈયાર કરવામાં આવેલી આ એન્‍ટીક...]]></description>
      <content:encoded><![CDATA[<!--Image--><p><table style='margin: 3px 8px 0px 0px;' cellspacing='0' cellpadding='0' border='0' Align=Left><tr><td valign='top'><img src='/gu/articles/0801/12/images/img1080112024_1_1.jpg' Alt='' Border=0  HSPACE=4 VSPACE=4 class='imgArticle_New'></td></tr><tr><td class='imgSource'><table width='100%' cellpadding='0' cellspacing='0' border='0'><tr><td align='left'>PTI</td><td valign='top' align='right'>PTI</td></tr></table></td></tr></table></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>અમદાવાદ (ભાષા) આ વર્ષે ગુજરાતમાં 12 ફૂટ ઊંચી અને 8 ફૂટ પહોળી મહાકાય પતંગ અમદાવાદ અને અંકલેશ્વરમાં મુસ્લિમ કારીગરોએ બનાવી છે અને ઉતરાયણનાં દિવસે આકાશમાં તેનું અનેરૂ આકર્ષણ ઉભુ થશે. પરંપરાગત રીતે મુસ્‍લિમ કારીગરો દ્વારા તૈયાર કરવામાં આવેલી આ એન્‍ટીક પતંગને નાઈલોનની દોરી વડે 200 ફૂટ આકાશમાં ઉડાવવામાં આવનાર છે. આ બન્ને પતંગોમાંથી અમદાવાદની પતંગમાં વેલકમ 2008 સુત્ર લખવામાં આવ્યું છે અને બન્ને બાજુએ મોદીની છબી ચિતરવામાં આવી છે, જ્યારે અંકલેશ્વરમાં બનેલી પતંગમાં પણ મોદી તો છે જ સાથે જીતેગા ગુજરાતનું સુત્ર લખવામાં આવ્યું છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ઊંધીયુ જલેબી અને ચીકીના સ્‍વાદ સાથે પતંગ રસીકો ઉતરાયણના દિવસે મનમુકીને આકાશી  યુઘ્‍ધ ખેલનાર છે. ડી.જે.ના ધમધમાટ વરચે યુવાનીયાઓએ ધમાલ મસ્‍તી સાથે ઉતરાયણનો  પર્વ મનાવવા માટેની સંપુર્ણ તૈયારીઓ કરી નાંખી છે. માર્કેટમાં દોરી પતંગનું વેચાણ પણ  વધી ચુકયું છે. આ સંજો ગોમાં અંકલેશ્વરમાં ઉતરાયણના દિવસે 12 ફૂટ ઊંચી અને 8 ફૂટ  પહોળી પતંગ આકાશમાં આકર્ષણ જમાવનાર છે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>અંકલેશ્વરના પીરામણનાકા પાસે રહેતા અને છેલ્લા 19 વર્ષથી પતંગ બનાવવાનો ધંધો કરનાર  મુસ્‍લિમ પરિવારના સગાભાઈઓ યુનુસભાઈ અને મુઈનભાઈ પણ પરંપરાગત રીતે નગરમાં  સૌથી મોટી પતંગ બનાવી તેને આકાશમાં ચગાવવા માટે ઉત્‍સુક બન્‍યા છે. આ બે ભાઈઓએ  ત્રણ દિવસમાં 35 જીલેટીન પન્નાની, 500 ગ્રામ સોલ્‍યુશન અને 20 ફૂટના વાંસ માંથી 12 ફૂટ  ઊંચી અને 8 ફૂટ પહોંળી વિશાળકાય પતંગ તૈયાર કરી છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>તેઓ ઉતરાયણના દિવસે બપોરના અઢી વાગ્‍યાના સુમારે આદર્શ કેળવણી મંડળ સ્‍કુલના  ધાબા પરથી આ વિશાળ પતંગને નાઈલોનની દોરી વડે 200 ફૂટ આકાશમાં ચગાવનાર છે.  દિવ્‍ય ભાસ્‍કર સાથેની ટેલિફોનીક વાતચીતમાં પતંગ બનાવનાર મુઈનભાઈએ જણાવ્‍યું હતું કે  વર્ષોથી અમે ઉત્તરાયણના સમયે એક મોટી પતંગ બનાવી રહ્યા છે. આ વખતે અમે મુખ્‍યમંત્રી  નરેન્‍દ્રમોદીના પોસ્‍ટરવાળી પતંગ તૈયાર કરી છે. આ અગાઉ રાજીવગાંધી, જવાહરલાલ નહેરૂ  વગેરે નેતાઓનાં પોસ્‍ટરવાળી મોટી પતંગો બનાવી છે.</font>]]></content:encoded>
      <pubDate>Sat, 12 Jan 2008 16:50:46 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 19:30:18 +0530</updatedDate>
      <category><![CDATA[Sankranti]]></category>
      <authorname>ભાષા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[ઉત્તરાયણ-પતંગનો વિવિધ ઇતિહાસ]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/sankranti/ઉત્તરાયણ-પતંગનો-વિવિધ-ઇતિહાસ-108011200022_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/sankranti/ઉત્તરાયણ-પતંગનો-વિવિધ-ઇતિહાસ-108011200022_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[ઉત્તરાયણ એટલે પતંગ ચગાવવાનો તહેવાર, આપણા તહેવારો મોટા ભાગે ધર્મ સાથે સંકળાયેલા હોય છે, પરંતુ પતંગનો એજ જ એવો તહેવાર છે કે જેમાં ધર્મ સાથે કોઈ લેવાદેવા નથી. દુનિયાના અનેક દેશોમાં પતંગ ઉડાવવામાં આવે છે અને તેની પાછળ અનેક માન્‍યતાઓ જોડાયેલી છે...]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ઉત્તરાયણ એટલે પતંગ ચગાવવાનો તહેવાર, આપણા તહેવારો મોટા ભાગે ધર્મ સાથે સંકળાયેલા હોય છે, પરંતુ પતંગનો એજ જ એવો તહેવાર છે કે જેમાં ધર્મ સાથે કોઈ લેવાદેવા નથી. દુનિયાના અનેક દેશોમાં પતંગ ઉડાવવામાં આવે છે અને તેની પાછળ અનેક માન્‍યતાઓ જોડાયેલી છે. જેના વિશે આપણે વધુમાં જાણીએ </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>પતંગનો ઇતિહાસ - </font><br/><font  style='font-size:11pt; color:#000000'>સૌપ્રથમ પતંગ કયા દેશમાં બની હતી ? તે બાબતથી તમે અપરિચિત હશો, ખરું ને ? પરંતુ કહેવાય છે કે, બે હજાર વર્ષ પહેલાં ચીનના ખેડૂતે પોતાની હેટ પવનથી ઊડી ન જાય તે માટે હેટને પતંગ બાંધી રાખી હતી. ચાઈનીઝ જનરલ હુઆન થેંગ હુએ સૈન્‍યની વ્‍યૂહરચના બનાવીને અંતરનો અંદાજો મેળવીને પોતાના સૈન્‍યને શહેરની અંદર પ્રવેશ કરાવીને જીત મેળવી હતી.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ચીનથી કોરિયા અને સમગ્ર એશિયા તથા ભારતમાં જુદા જુદા પ્રકારની પતંગો પ્રચલિત થઈ અને તેને ઉડાવવા પાછળના વિવિધ સાંસ્‍કૃતિક હેતુઓ પણ જોડાવા લાગ્‍યા. સાતમી સદીમાં બૌદ્ધ સાધુઓ દ્વારા પતંગ જાપાનમાં પહોંચી. તેઓ પતંગનો ઉપયોગ શેતાની શક્‍તિને ડામવા માટે અને પોતાના ફળદ્રુપ પાકને સુરક્ષિત રાખવા માટે કરતા હતાં. એના સમયગાળા દરમિયાન જાપાનમાં પતંગને સૌથી વધુ પ્રસિદ્ધિ મળી હતી.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ભારતમાં પતંગ ઊડવાનો પુરાવો 1500માં મોગલ કાળના એક ચિત્રમાં મળ્‍યો. જેમાં એક પ્રેમીને પોતાની કેદી પ્રેમિકાને પતંગ દ્વારા યુક્‍તિપૂર્વક સંદેશો મોકલતો દર્શાવ્‍યો છે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>માઈક્રોનેશિયાના લોકો પાંદડાંની પતંગનો ઉપયોગ માછલી પકડવાના સાધન તરીકે કરતાં હતાં. પોલિનેશિયનોની લોકવાયકા પ્રમાણે બે દેવતાઈ ભાઈઓએ મનુષ્‍યને પતંગનો ખ્‍યાલ આપ્‍યો હતો.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/>13<font  style='font-size:11pt; color:#000000'>મી સદીના અંતમાં માર્કોપોલોએ યુરોપમાં પતંગની કહાણી પહોંચાડી હતી 16મી અને 17મી સદીમાં જહાજના સહેલાણીઓ જાપાન અને મલેશિયાની પતંગો લાવ્‍યા. યુરોપિયન સંસ્‍કૃતિમાં પતંગે કુતૂહલ જગાવ્‍યું હતું. 18મી અને 19મી સદીમાં વૈજ્ઞાનિક સંશોધનો માટે પતંગનો ઉપયોગ વાહન અને સાધનો તરીકે થવા લાગ્‍યો.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>બેન્‍જામિન ફ્રેંકલિન અને અલેકઝાન્‍ડર વિલ્‍સે પવન અને હવામાનની વધુ માહિતી મેળવવા માટે પતંગનો ઉપયોગ કર્યો હતો. સર જ્‍યોર્જ કેલી, સેમ્‍યુઅલ લેન્‍ગલી, લોરેન્‍સ હારગ્રેવ, અલેકઝાન્‍ડર ગ્રેહામ બેલ અને વ્રેટ બ્રધર્સે પતંગો સાથે વિવિધ પરીક્ષણો કર્યાં અને એરોપ્‍લેનના વિકાસમાં ફાળો આપ્‍યો હતો. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન બ્રિટિશ, ફ્રાન્‍સ, ઇટાલી અને રશિયન આર્મી પતંગનો પ્રયોગ કરીને દુશ્‍મનોની જાણકારી મેળવીને તેઓ પોતાના જવાનોને એરોપ્‍લેનમાંથી તાત્‍કાલિક માહિતી પહોંચાડવા માટે કર્યો હતો.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>બીજા વિશ્વયુદ્ધમાં અમેરિકન નૌકાદળે પતંગના અન્‍ય ઉપયોગો શોધ્‍યા. હેરી સાઉલની બેરેજ પતંગે એરોપ્‍લેનોને તેમના લક્ષ્યથી વધુ પડતા નીચા ઊડતાં અટકાવ્‍યા. દરિયામાં ખોવાઈ ગયેલા અથવા ભૂલા પડેલા પાઈલોટ ગીબ્‍સને ગર્લ બોક્‍સ પતંગ દ્વારા પોતાની ભાળ આપી હતી. પાઉલ ગારબરે બનાવેલી ટારગેટ પતંગમાં જડેલા મોટા હીરાને કારણે દરિયામાં રહેલા એરક્રાફ્‍ટને ઓળખી શકાતા હતા.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>વૈજ્ઞાનિકસંશોધનો અને શોધોને કારણે હવે મિલિટરીમાં પતંગોનો ઉપયોગ ઘટયો છે. 50 વર્ષ પહેલાં જોવા મળતી પતંગોમાં નવા મટીરિયલ્‍સનો પ્રયોગ કરીને તેને નવું રૃપ આપવામાં આવ્‍યું. નાયલોન, ફાઈબર ગ્‍લાસ, કાર્બન પેપરનો પ્રયોગ કરીને તેને કલરફુલ બનાવવામાં આવી.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>પતંગની શોધનો દાવો કરનાર ગ્રીકો અને ચીનાઓની માન્‍યતા એવી છે કે, પ્રથમ પતંગ  બનાવનાર  પુરુષ  હકીમલુકમાન હતા. ઇસવીસનના આરંભના અરસામાં ચીનના હળવંશી સમ્રાટના રાજ્‍ય પર જંગલી મોગલો ચડી આવ્‍યા હતા. તે રાજાના દરબારમાં હુઆગ થેંગ નામનો એક વિચક્ષણ વિદ્વાન દરબારી હતો. તેણે ભમરા જેવી અનેક પતંગો ચડાવી તેમ જ ભમરા જેવા ગુંજારવ માટે તેણે પતંગમાં મોટા ભૂંગળાં ગોઠવ્‍યાં હતાં. મોગલો અંધારી રાતે આકાશમાં થતાં રહસ્‍યમય અવાજથી જંગલી દુશ્‍મનો ડરી ગયા અને તેઓ ભાગી ગયા. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ચીન, કોરિયા અને જાપનમાં પતંગનો ઉપયોગ જાહેરખબર માટે કરવામાં આવતો હતો. બેઈજિંગ (ચીન)ની પૂર્વે આવેલા તીઆન જિલ નામના એક પતંગ ઉસ્‍તાદે અનેક આકારના પતંગની શોધ કરી હતી, તેની ડિઝાઈનોની આજે પણ નકલ કરવામાં આવે છે. સૌ પ્રથમ ચીનમાં ડ્રેગન નામનો પતંગ બનાવવામાં આવ્‍યો હતો. તે 30 સે.મી. વ્‍યાસવાળા પતંગમાં 24 નાના-નાના પતંગોના તોરણ બનાવવામાં આવ્‍યા હતા. આ પતંગ આકાશમાં સતત ગોળ  ગોળ ફરતો રહે છે. ચીની ફિલ્‍મ નિર્માતા જિન કુગોંગ અઠંગ પતંગ પ્રેમી હતો. તેણે 1958માં પતંગ પર એક ફિલ્‍મ પણ બનાવી હતી.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ચીનના રૃઢિ અને રિવાજ મુજબ છોકરો સાત વર્ષનો થાય ત્‍યારે તેના ભવિષ્‍યને રૃંધતા અનિષ્ટ આત્‍માઓને દૂર ઉડાડી દેવામાં આવે છે જેથી કરીને છોકરાને ભવિષ્‍યમાં નડે નહીં તે માટે તેઓ મોટી પતંગ પર એકડો થઈ શકે એટલો દોર ચડાવવામાં આવે છે, પછી પ્રાર્થના  સાથે તેને આકાશમાં છોડી દેવામાં આવે છે. પતંગ ઉપલા વાતાવરણના પ્રબળ પવનની પાંખે  ચઢીને દૂર દૂર જતી રહે છે અને તે સાથે બાળકને નડતા અમંગળ તત્ત્વો પણ દૂર દૂર ફેંકાઈ જાય છે.</font>]]></content:encoded>
      <pubDate>Sat, 12 Jan 2008 16:29:40 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 19:30:18 +0530</updatedDate>
      <category><![CDATA[Sankranti]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[ઉત્તરાયણમાં પક્ષીઓનું આવી બને છે !]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/sankranti/ઉત્તરાયણમાં-પક્ષીઓનું-આવી-બને-છે-108011200020_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/sankranti/ઉત્તરાયણમાં-પક્ષીઓનું-આવી-બને-છે-108011200020_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[ઉત્તરાયણનો સૌથી વધુ શોખ ગુજરાતી પ્રજામાં જ જોવા મળે છે. પરંતુ પતંગ ઉડાવવાના ચસકામાં તેઓ ભૂલી જાય છે કે પતંગનો માંજો  અનેક પક્ષીઓ માટે ફાંસીનો ફંદો પણ બની શકે છે. પતંગના ધારદાર માંજાથી અનેક પક્ષીઓ ગંભીર રીતે જખમી થાય છે તો કેટલાંક મૃત્‍યુ પામે છે....]]></description>
      <content:encoded><![CDATA[<!--Image--><p><table style='margin: 3px 8px 0px 0px;' cellspacing='0' cellpadding='0' border='0' Align=Left><tr><td valign='top'><img src='/gu/articles/0801/12/images/img1080112020_1_1.jpg' Alt='' Border=0  HSPACE=4 VSPACE=4 class='imgArticle_New'></td></tr><tr><td class='imgSource'><table width='100%' cellpadding='0' cellspacing='0' border='0'><tr><td align='left'>PTI</td><td valign='top' align='right'>PTI</td></tr></table></td></tr></table></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ઉત્તરાયણનો સૌથી વધુ શોખ ગુજરાતી પ્રજામાં જ જોવા મળે છે. પરંતુ પતંગ ઉડાવવાના ચસકામાં તેઓ ભૂલી જાય છે કે પતંગનો માંજો  અનેક પક્ષીઓ માટે ફાંસીનો ફંદો પણ બની શકે છે. પતંગના ધારદાર માંજાથી અનેક પક્ષીઓ ગંભીર રીતે જખમી થાય છે તો કેટલાંક મૃત્‍યુ પામે છે. પતંગના દોરાથી અટકીને મૃત્‍યુ પામનારાં પક્ષીઓમાં કબૂતર, પોપટ, કાગડા વગેરેનું પ્રમાણ વધુ છે કારણ કે, મકરસંક્રાંતિના દિવસે આકાશ ચારેકોર અવનવી તેમ જ રંગબેરંગી પતંગો જ જોવા મળે છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/>15 <font  style='font-size:11pt; color:#000000'>જાન્‍યુઆરી સુધી મુંબઈના વિવિધ ભાગોમાંથી પક્ષી બચાવવા માટેના કોલ આવે છે. બોરીવલી સ્‍થિત સમકિત જૈન યુવક મંડળ છેલ્લાં ચાર વર્ષથી ખડેપગે જખમી થયેલાં પક્ષીઓને સારવાર આપે છે. મકરસંક્રાંતિના દિવસે આ મંડળના 500 સભ્‍ય મુંબઈના કેટલાક વિસ્‍તારોમાં ખડેપગે ઊભા રહે છે. કોલ આવતાં જ તેઓ ઘટનાસ્‍થળે પહોંચીને જખમી થયેલાં પક્ષીઓને તાત્‍કાલિક સારવાર આપી ઉગારી લે છે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>હજી સુધી આ મંડળે લગભગ 2000થી વધુ જખમી થયેલાં પક્ષીઓને સારવાર આપી તેઓને જીવનદાન આપ્‍યું છે. આ વખતે મકરસંક્રાંતિના દિવસે મંડળે પક્ષીઓની સારવાર માટે દસ કેન્‍દ્ર શરૂ કયાષ્ટ છે, જેમાં વિરાર, નાલાસોપારા, ભાયંદર, દહિસર, બોરીવલી પૂર્વ અને પિશ્ચમ, કાંદિવલી (પ.), મલાડ (પ.), અંધેરી અને કોલાબાથી ભાયખલાના વિસ્‍તારો સાંકળી લેવામાં આવ્‍યા છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>મંડળના એક સભ્‍યએ જણાવ્‍યું હતું કે દર વર્ષે અમારી સાથે પરેલ સ્‍થિત વેટરનરી કોલેજના 21 ડોકટરો હોય છે. આ ડોકટરોને જે વિસ્‍તારમાં કેન્‍દ્ર ખોલાયાં છે ત્‍યાં મૂકવામાં આવે છે, જેથી જખમી થયેલાં પક્ષીઓને યોગ્‍ય સમયે સારવાર મળે છે. જો  પક્ષીઓની હાલત ખરાબ હોય તો મંડળ બોરીવલી ખાતે દોલતનગરમાં જૈન દેરાસરની બાજુમાં સુરક્ષિત જગ્‍યામાં મૂકે છે. પક્ષીઓ સ્‍વસ્‍થ થયા બાદ તેઓને ઉડાડી મૂકવામાં આવે છે. આવા 70થી વધુ કોલ બે-ત્રણ વર્ષથી પીએડબ્‍લ્‍યુએસ (પ્‍લાન્‍ટ એનિમલ વેલફેર એસો.)ને પણ આવે છે અને તેઓ પણ ખડેપગે જખમી થયેલાં પક્ષીઓને સારવાર આપે છે. </font>]]></content:encoded>
      <pubDate>Sat, 12 Jan 2008 16:29:19 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 19:30:18 +0530</updatedDate>
      <category><![CDATA[Sankranti]]></category>
      <authorname>નઇ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[ઉત્તરાયણમાં બાળકોની ભાવતી વાનગી]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/sankranti/ઉત્તરાયણમાં-બાળકોની-ભાવતી-વાનગી-108011200017_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/sankranti/ઉત્તરાયણમાં-બાળકોની-ભાવતી-વાનગી-108011200017_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[સીંગદાણાને સારી રીતે શેકી લો. બળવા ન જોઈએ. હવે તેના છાલટા કાઢી તેને અધકચરા વાટી લો. એક કઢાઈમાં ઘી ગરમ કરી તેમાં ગોળ નાખી હલાવો. ગોળ ઓગળી જાય કે તેમાં વાટેલા સીંગદાણા નાખી દો.]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:12pt; color:#000000'></font><br/><!--Image--><p><table style='margin: 3px 8px 0px 0px;' cellspacing='0' cellpadding='0' border='0' Align=Left><tr><td valign='top'><img src='/gu/articles/0801/12/images/img1080112017_1_1.jpg' Alt='' Border=0  HSPACE=4 VSPACE=4 class='imgArticle_New'></td></tr><tr><td class='imgSource'><table width='100%' cellpadding='0' cellspacing='0' border='0'><tr><td align='left'></td><td valign='top' align='right'>W.D</td></tr></table></td></tr></table></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#FF0080'>સીંગદાણાની ચીક</font><font style=' color:#000000;'>ી</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>સામગ્રી - 500 ગ્રામ સીંગદાણા, 500 ગ્રામ ગોળ, બે ચમચી ઘ</font><font style='font-size:11pt;'>ી. 100 ગ્રામ તલનો ભૂકો, સુકોમેવો વાટેલો એક કપ. </font><font style='font-size:11pt;'></font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>રીત - સીંગદાણાને સારી રીતે શેકી લો. બળવા ન જોઈએ. હવે તેના છાલટા કાઢી તેને અધકચરા વાટી લો. એક કઢાઈમાં ઘી ગરમ કરી તેમાં ગોળ નાખી હલાવો. ગોળ ઓગળી જાય કે તેમાં વાટેલા સીંગદાણા નાખી </font><font style='font-size:11pt;'>અને તલનો ભુકો અને સુકોમેવો નાખ</font><font style='font-size:11pt;'>ી દો. હવે એક થાળીની પાછળ ઘી લગાવી આ મિશ્રણને પાથરીને વેલણ વડે વણો, તમે જેટલી પાતળી સીંગદાણાની ચીકી બનાવવા માંગતા હોય તેટલી પાતળી વણી શકો છો. ઠંડી થયા પછી તેને તોડી લો. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/>(<font  style='font-size:11pt; color:#000000'>નોંધ - સીંગદાણાની ચીકી કડક કરવી હોય તો ગોળના પાકને થોડો બ્રાઉન થવા દેવો, પણ ધીમા તાપે કારણકે ગોળ વધુ બ્રાઉન થશે તો બળી જશે. )</font><br/><font  style='font-size:11pt; color:#FF0080'></font><br/><font  style='font-size:11pt; color:#FF0080'>મમરાનો લાડુ</font><font style=' color:#000000;'></font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>સામગ્રી - 500 ગ્રામ મમરા, 500 ગ્રામ ગોળ, 5-6 દાણા ઈલાયચી, એક ચમચી ઘી. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>રીત - મમરાને સાફ કરી મુકો. એક કઢાઈમાં ઘી ગરમ કરી, તેમા ગોળને ઝીણો સમારી નાખી દો, સતત હલાવતા રહો, ગોળ સારી રીતે ઓગળી જાય કે તેમાં ઈલાયચીનો પાવડર નાખો.  એક મોટા તપેલામાં મમરા નાખી તેમાં ગોળને નાખી દો. સારી રીતે હલાવો. ગોળ બધા મમરા પર ચઢી જાય કે ગરમા ગરમ જ લાડુ વાળો. હાથમાં થોડુ પાણી લગાવીને લાડુ વાળવાથી ઝડપથી લાડું વડાશે. </font><br/></font>]]></content:encoded>
      <pubDate>Sat, 12 Jan 2008 15:27:48 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 19:30:18 +0530</updatedDate>
      <category><![CDATA[Sankranti]]></category>
      <authorname>કલ્યાણી દેશમુખ</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[આં.પતંગ મહોત્સવથી હોટલો હાઉસફુલ]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/sankranti/આં-પતંગ-મહોત્સવથી-હોટલો-હાઉસફુલ-108011200016_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/sankranti/આં-પતંગ-મહોત્સવથી-હોટલો-હાઉસફુલ-108011200016_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[ગુજરાત સરકાર તા. 11થી 15 જાન્યુઆરી સુધી આંતરરાષ્ટ્રીય પતંગોત્સની ઉજવણી કરી રહ્યું છે ત્યારે દેશ-વિદેશથી ખૂબ મોટી સંખ્યામાં મહેમાનો ઉમટી પડયા છે. તેના કારણે શહેરની મોટાભાગની હોટેલસ પહેલાં જ બુક થઈ ચુકી છે. ખૂબ મોટી સંખ્યામાં ભારત અને વિદેશોમાંથી...]]></description>
      <content:encoded><![CDATA[<!--Image--><p><table style='margin: 3px 8px 0px 0px;' cellspacing='0' cellpadding='0' border='0' Align=Left><tr><td valign='top'><img src='/gu/articles/0801/12/images/img1080112016_1_1.jpg' Alt='' Border=0  HSPACE=4 VSPACE=4 class='imgArticle_New'></td></tr><tr><td class='imgSource'><table width='100%' cellpadding='0' cellspacing='0' border='0'><tr><td align='left'>PR</td><td valign='top' align='right'>P.R</td></tr></table></td></tr></table></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ગુજરાત સરકાર તા. 11થી 15 જાન્યુઆરી સુધી આંતરરાષ્ટ્રીય પતંગોત્સની ઉજવણી કરી રહ્યું છે ત્યારે દેશ-વિદેશથી ખૂબ મોટી સંખ્યામાં મહેમાનો ઉમટી પડયા છે. તેના કારણે શહેરની મોટાભાગની હોટેલસ પહેલાં જ બુક થઈ ચુકી છે. ખૂબ મોટી સંખ્યામાં ભારત અને વિદેશોમાંથી લોકો પતંગોત્સવને માણવા માટે ભારતમાં આવી રહ્યાં છે. આથી જે લોકો મકરસંક્રાતિ માટે અમદાવાદ જવા માંગે છે તેમના માટે અમદાવાદની હોટલોમાં રહેવાની સમસ્યા સર્જાઈ શકે છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આ અંગે ગુજરાતના આરોગ્ય, પ્રવાસન અને વિદેશોમાં રહેતાં ગુજરાતીઓ બાબતોના મંત્રી જયનારાયણ વ્યાસે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા યોજાનારા પતંગોત્સવમાં અંદાજે પાંચ હજાર વિદેશોમાં રહેતાં ભારતીયો ભાગ લેશે અને તેમણે અમદાવાદમાં 233 ફાઈવસ્ટાર હોટેલસ અને અન્ય કેટેગરીની હોટેલસની 600 રૂમ બુક કરાવી છે. </font><br/><!--Image--><p><table style='margin: 3px 8px 0px 0px;' cellspacing='0' cellpadding='0' border='0' Align=Right><tr><td valign='top'><img src='/gu/articles/0801/12/images/img1080112016_1_2.jpg' Alt='' Border=0  HSPACE=4 VSPACE=4 class='imgArticle_New'></td></tr><tr><td class='imgSource'><table width='100%' cellpadding='0' cellspacing='0' border='0'><tr><td align='left'>PR</td><td valign='top' align='right'>P.R</td></tr></table></td></tr></table></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આ વર્ષે પતંગોત્સવને લઈને ભારે ઉત્સાહ એ કારણે પણ છે કે આ વખતે રાજ્ય સરકારે પાંચ  કેટેગરીમાં મોટા ઈનામોની જાહેરાત કરી છે. આ વખતે પંતગોત્સવની થીમ "ગુજરાત ઈન  આફ્રિકા" છે. આફ્રિકાના દેશોમાં અંદાજે 12 લાખ ગુજરાતી મુળના લોકો છે અને ત્યાં રહેતાં  ગુજરાતીઓના સંઘર્ષને ધ્યાનમાં રાખીને આ થીમ નક્કી કરવામાં આવી છે.</font>]]></content:encoded>
      <pubDate>Sat, 12 Jan 2008 13:14:43 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 19:30:18 +0530</updatedDate>
      <category><![CDATA[Sankranti]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[તલની સ્પેશ્યલ વાનગીઓ]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/sankranti/તલની-સ્પેશ્યલ-વાનગીઓ-108011200015_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/sankranti/તલની-સ્પેશ્યલ-વાનગીઓ-108011200015_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[વાટેલી તલમાં કોપરાનુ છીણ, ચારોળી, ખાંડ, ઈલાયચી બધાને ભેળવી લો. મેદાને ચાળી લો અને તેમાં એક ચમચી ઘી નું મોણ નાખીને પૂરી જેવો લોટ બાંધી લો. નાની નાની પૂરી વણો અને તેમાં ભરાવન ભરી ઘૂઘરાનો આકાર આપી તૈયાર કરી લો. હવે એક કઢાઈમાં ઘી ગરમ કરો અને ધીમા તાપે]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:11pt; color:#FF00FF'></font><br/><font  style='font-size:11pt; color:#FF00FF'>તલના ઘૂઘરા </font><font style='font-size:11pt; color:#000000;'></font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>સામગ્રી - 500 ગ્રામ મેંદો, 250 ગ્રામ ખાંડ, 100 ગ્રામ તલ સેકેલી અને અધકચરી વાટેલી. કોપરાનું છીણ 50 ગ્રામ, 50 ગ્રામ ચારોળી, ઈલાયચી વાટેલી એક ચમચી, તળવા માટે ઘી. </font><br/><font  style='font-size:12pt; color:#000000'></font><br/><!--Image--><p><table style='margin: 3px 8px 0px 0px;' cellspacing='0' cellpadding='0' border='0' Align=Left><tr><td valign='top'><img src='/gu/articles/0801/12/images/img1080112015_1_1.jpg' Alt='' Border=0  HSPACE=4 VSPACE=4 class='imgArticle_New'></td></tr><tr><td class='imgSource'><table width='100%' cellpadding='0' cellspacing='0' border='0'><tr><td align='left'></td><td valign='top' align='right'>N.D</td></tr></table></td></tr></table></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'>વિધિ - વાટેલી તલમાં કોપરાનુ છીણ, ચારોળી, ખાંડ, ઈલાયચી બધાને ભેળવી લો. મેદાને ચાળી લો અને તેમાં એક ચમચી ઘી નું મોણ નાખીને પૂરી જેવો લોટ બાંધી લો. નાની નાની પૂરી વણો અને તેમાં ભરાવન ભરી ઘૂઘરાનો આકાર આપી તૈયાર કરી લો. હવે એક કઢાઈમાં ઘી ગરમ કરો અને ધીમા તાપે ઘૂઘરાને તળી લો, ગરમા ગરમ ખાવ અને ખવડાવો. </font><br/><font  style='font-size:11pt; color:#FF00FF'></font><br/><font  style='font-size:11pt; color:#FF00FF'>તલ-ખજૂરના લાડુ. </font><font style=' color:#000000;'></font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>સામગ્રી - 250 ગ્રામ તલ સેકેલા અને અધકચરા વાટેલા, 500 ગ્રામ ખજૂર ધોઈને વાટેલી, 1 કપ મગજતરી, 1 કપ નારિયલ છીણેલુ, 1 ટી સ્પૂન ઈલાયચી પાવડર.</font><font style='font-size:12pt;'></font><br/><!--Image--><p><table style='margin: 3px 8px 0px 0px;' cellspacing='0' cellpadding='0' border='0' Align=Right><tr><td valign='top'><img src='/gu/articles/0801/12/images/img1080112015_1_2.jpg' Alt='' Border=0  HSPACE=4 VSPACE=4 class='imgArticle_New'></td></tr><tr><td class='imgSource'><table width='100%' cellpadding='0' cellspacing='0' border='0'><tr><td align='left'></td><td valign='top' align='right'>N.D</td></tr></table></td></tr></table></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>વિધિ - ખજૂરન પેસ્ટમા તલ, નારિયળ, ઈલાયચી, મગજતરી આ બધાને સારી રીતે ભેળવી લો. હવે આના નાના-નાના લાડુ વાળી લો. આ લાડુ સ્વાદિષ્ટ, તરત બનનારા અને પૌષ્ટિક છે. </font><br/><font  style='font-size:11pt; color:#FF00FF'></font><br/><font  style='font-size:11pt; color:#FF00FF'>તલગોળની મઠરી</font><font style=' color:#000000;'></font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>સામગ્રી - તલ 100 ગ્રામ, ગોળ 100 ગ્રામ, બાજરીનો લોટ 250 ગ્રામ, ઘી. </font><br/><font  style='font-size:12pt; color:#000000'></font><br/><!--Image--><p><table style='margin: 3px 8px 0px 0px;' cellspacing='0' cellpadding='0' border='0' Align=Left><tr><td valign='top'><img src='/gu/articles/0801/12/images/img1080112015_1_3.jpg' Alt='' Border=0  HSPACE=4 VSPACE=4 class='imgArticle_New'></td></tr><tr><td class='imgSource'><table width='100%' cellpadding='0' cellspacing='0' border='0'><tr><td align='left'></td><td valign='top' align='right'>N.D</td></tr></table></td></tr></table></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'>વિધિ - ગોળને 1/2 કપ પાણીમાં ઓગાળી લો. બાજરીના લોટને ચાળી લો. અડધી ચમચી ઘીનું મોણ અને તલ નાખી લોટ બાંધી લો. હવે પ્લાસ્ટિકની શીટની મદદથી નાની નાની મઠરી બનાવી લો. ચાકૂ વડે તેમાં વચ્ચે કાપા મૂકો અને ઘી ગરમ કરી તળી લો. પૂરી કૂરકૂરી થાય ત્યાં સુધી તળો. ગરમા ગરમ તલ-ગોળની મઠરી પૌષ્ટિક, સ્વાદિષ્ટ અને ઘણા દિવસો સુધી ખરાબ નથી થતી. </font><br/><font  style='font-size:11pt; color:#FF00FF'></font><br/><font  style='font-size:11pt; color:#FF00FF'>તલની શાહી બરફી </font><font style=' color:#000000;'></font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>સામગ્રી - 3 વાડકી સેકેલી અને અધકચરી વાટેલી તલ, 2 વાડકી ખાંડ, 1 વાડકી માવો, 1 વાડકી સુકોમેવો વાટેલો, એક ચમચી ઈલાયચી પાવડર, કેસરના 20-25 રેસા ગુલાબજળમાં પલાળેલા. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>વિધિ - માવાને થોડો સેકી લો પછી ખાંડ ભેળવો. ખાંડ ઓગળે ત્યાં સુધી ફરી સેકો. તલ, મેવા અને ઈલાયચી, કેસર ભેળવો. ઘટ્ટ થાય ત્યાંરે ચીકાશ લગાડેલ થાળીમાં પાથરી દો અને એક સરખુ કરી દો. વર્ક લગાવો અને મનપસંદ આકારમાં કાપીને સર્વ કરો. </font>]]></content:encoded>
      <pubDate>Sat, 12 Jan 2008 12:54:01 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 19:30:18 +0530</updatedDate>
      <category><![CDATA[Sankranti]]></category>
      <authorname>નઇ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[શરીરને ગુણકારી તલ]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/sankranti/શરીરને-ગુણકારી-તલ-108011200014_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/sankranti/શરીરને-ગુણકારી-તલ-108011200014_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[ઠંડીની ઋતુમાં તલ ખાવાથી શરીરને ઉર્જા મળે છે. તલ ત્રણ પ્રકારના હોય છે-કાળા, સફેદ અને લાલ. પરંતુ તેમાંથી કાળા તલ ખુબ જ શ્રેષ્ઠ હોય છે. 

તલની અંદર પ્રોટીન, કેલ્શીયમ અને લોમ્પ્લેક્ષ વધારે પ્રમાણમાં મળી આવે છે. તલના...]]></description>
      <content:encoded><![CDATA[<!--Image--><p><table style='margin: 3px 8px 0px 0px;' cellspacing='0' cellpadding='0' border='0' Align=Left><tr><td valign='top'><img src='/gu/articles/0801/12/images/img1080112014_1_1.jpg' Alt='' Border=0  HSPACE=4 VSPACE=4 class='imgArticle_New'></td></tr><tr><td class='imgSource'><table width='100%' cellpadding='0' cellspacing='0' border='0'><tr><td align='left'>ND</td><td valign='top' align='right'>N.D</td></tr></table></td></tr></table></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ઠંડીની ઋતુમાં તલ ખાવાથી શરીરને ઉર્જા મળે છે. તલ ત્રણ પ્રકારના હોય છે-કાળા, સફેદ અને લાલ. પરંતુ તેમાંથી કાળા તલ ખુબ જ શ્રેષ્ઠ હોય છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>તલની અંદર પ્રોટીન, કેલ્શીયમ અને લોમ્પ્લેક્ષ વધારે પ્રમાણમાં મળી આવે છે. તલના સેવનથી માનસિક દુર્ઘટના તેમજ તણાવ દૂર થાય છે. પચાસ ગ્રામ તલ દરરોજ ખાવાથી કેલ્શીયમની આવશ્યકતા પુર્ણ થાય છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>દરરોજ દાંત સાફ કરવા માટે એક મોટી ચમચી તલ ખાવ તેનાથી દાંત મજબુત થાય છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>વાળ અકાળે સફેદ થઈ જાય અને ખરવા લાગે તો તલનું સેવન કરો. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>દરરોજ બે ચમચી કાળા તલ ચાવીને ખાવ અને ઠંડુ પાણી પીવો. નિયમિત આનું સેવન કરવાથી મસા ઠીક થઈ જાય છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>તલ પીસીને શુધ્ધ ઘી અને કપૂરની સાથે આને ભેળવીને બળેલી જગ્યાએ આનો લેપ કરો. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>કબજીયાત થવા પર પચાસ ગ્રામ તલ પીસીને તેની અંદર થોડુક ગળ્યું ભેળવીને ખાવ. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>બાળક સુતી વખતે પેશાબ કરતું હોય તો પીસેલા કાળા તલને ગોળની સાથે ભેળવીને લાડુ બનાવી તેને રોજ રાત્રે એક લાડુ ખવડાવી દો. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>તલ અને સાકરને પાણીમાં ઉકાળીને પીવો આનાથી ખાંસી દૂર થઈ જાય છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>એક ચમચી કાળા તલ ચાવીને તેની ઉપર નવાયું પાણી પીવાથી પેટનો દુ:ખાવો ઓછો થઈ જાય છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>તલના તેલમાં હીંગ અને સુંઠ નાંખીને ગરમ કરેલા તેલની માલિશ કરવાથી કમરનો દુ:ખાવો, સાંધાનો દુ:ખાવો અને કોઈ પણ અંગ જકડાઈ ગયું હોય તો તેમાં રાહત થાય છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>તલના તેલમાં થોડુક સિંધાલુણ ભેળવીને મોઢાના ચાંદાની અંદર લગાવવાથી તે જલ્દી મટી જાય છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ફાટેલી એડીઓમાં ગરમ તેલની અંદર સીંધાલુણ અને મીણ ભેળવીને લગાવવાથી ફાયદો થાય છે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>તલને પીસીને માખણની સાથે ભેળવીને નિયમીત રીતે ચહેરા પર લગાવવાથી રંગ સાફ થાય છે અને ચહેરા પરના ખીલ અને કાળા ડાઘ દૂર થાય છે.   </font>]]></content:encoded>
      <pubDate>Sat, 12 Jan 2008 12:34:12 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 19:30:18 +0530</updatedDate>
      <category><![CDATA[Sankranti]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[વિવિધ રાજ્યોમાં ઉજવાતી મકરસંક્રાંતિ]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/sankranti/વિવિધ-રાજ્યોમાં-ઉજવાતી-મકરસંક્રાંતિ-108011200013_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/sankranti/વિવિધ-રાજ્યોમાં-ઉજવાતી-મકરસંક્રાંતિ-108011200013_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[ગુજરાતમાં મકરસંક્રાતિનો તહેવાર ખુબ જ ધામધૂમથી ઉજવાય છે. આ દિવસે ગુજરાતમાં પતંગ ચગાવવાનું વધારે મહત્વ છે. આખો દિવસ લોકો ખુબ જ મોજ મસ્તી કરે છે. આ દિવસે  ગુજરાતમાં દરેક માણસ પોતાની અગાસી પર હોય છે અને ફક્ત પુરૂષો જ નહિ...]]></description>
      <content:encoded><![CDATA[<!--Image--><p><table style='margin: 3px 8px 0px 0px;' cellspacing='0' cellpadding='0' border='0' Align=Left><tr><td valign='top'><img src='/gu/articles/0801/12/images/img1080112013_1_1.jpg' Alt='' Border=0  HSPACE=4 VSPACE=4 class='imgArticle_New'></td></tr><tr><td class='imgSource'><table width='100%' cellpadding='0' cellspacing='0' border='0'><tr><td align='left'>ND</td><td valign='top' align='right'>N.D</td></tr></table></td></tr></table></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ગુજરાતમાં મકરસંક્રાતિનો તહેવાર ખુબ જ ધામધૂમથી ઉજવાય છે. આ દિવસે ગુજરાતમાં પતંગ ચગાવવાનું વધારે મહત્વ છે. આખો દિવસ લોકો ખુબ જ મોજ મસ્તી કરે છે. આ દિવસે  ગુજરાતમાં દરેક માણસ પોતાની અગાસી પર હોય છે અને ફક્ત પુરૂષો જ નહિ પરંતુ મહિલાઓ પણ પગંત ચગાવે છે. પછી ભલેને એ નાનું બાળક હોય કે ઘરડો વ્યક્તિ. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>મકરસંક્રાંતિને ગુજરાતમાં ઉત્તરાયણ કહેવાય છે. ઉત્તરાયણ એટલે તે દિવસથી સૂર્ય ઉત્તરની તરફ રાયણ કરે છે. તેથી આ દિવસને ઉત્તરાયણ તરીકે ઓળખવામાં આવે છે. મકરસંક્રાંતિના દિવસથી દિવસ લાંબો થાય છે એટલે કે દરરોજ થોડોક થોડોક વધે છે. આ દિવસે ગુજરાતની અંદર દાન આપવાનું પણ વધારે મહત્વ છે. તેથી લોકો દાન પણ કરે છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આ દિવસે ગુજરાતના યુવાનોની મજા તો કંઈ અલગ જ હોય છે. દરેક યુવાન પોતાની અગાસી પર પોતાના મિત્રો અથવા પોતાના પરિવારજનો સાથે મળીને ખુબ ઉત્સાહપૂર્વક આ તહેવાર ઉજવે છે. યુવાનોમાં તો જાણે પતંગ ચગાવવાની હરીફાઈ થતી હોય તેવું લાગે છે. યુવાનો એકબીજાનો પતંગ કાપ્યા બાદ ખુબ જ જોરથી બુમો પાડે છે અને ઘણી જગ્યાએ તો નગારા અને ઢોલ લઈ આવે છે જેથી કરીને બુમો પાડવાની જ્ગ્યાએ ઢોલ-નગારા વગાડે છે. બાળકોની પણ મજા અલગ હોય છે અને વયોવૃધ્ધની પણ. ટુંકમાં આ દિવસ બધાને માટે મજાનો હોય છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>મકરસંક્રાંતિના દિવસે પતંગ ચગાવવાની સાથે સાથે લોકો તલપાપડી, બોર, શેરડી વગેરેની મજા માણે છે. આ દિવસે ગુજરાતની અંદર બીજું કંઈ પણ પ્રખ્યાત છે તે છે ઉંધિયુ. ગુજરાતના દરેક ઘરમાં આ દિવસે ઉંધિયું બને છે અને તેની સાથે જલેબીની પણ મજા લે છે. આખો દિવસ ખુશીથી પસાર કર્યા બાદ રાત્રે પણ લોકો ખુશી ઉજવે છે. રાત્રે આકાશમાં પતંગની સાથે તુક્કલ ચગાવે છે. આમ ગુજરાતમાં ખુબ જ ધામધુમથી મકરસંક્રાતિની ઉજવણી થાય છે. </font><font style='font-size:12pt;'></font><br/><!--Image--><p><table style='margin: 3px 8px 0px 0px;' cellspacing='0' cellpadding='0' border='0' Align=Right><tr><td valign='top'><img src='/gu/articles/0801/12/images/img1080112013_1_2.jpg' Alt='' Border=0  HSPACE=4 VSPACE=4 class='imgArticle_New'></td></tr><tr><td class='imgSource'><table width='100%' cellpadding='0' cellspacing='0' border='0'><tr><td align='left'>W.D</td><td valign='top' align='right'>W.D</td></tr></table></td></tr></table></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>પોંગલ </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>તમિલનાડુમાં મકરસંક્રાતિને પોંગલના રૂપમાં ઉજવે છે. સૌર પંચાગ અનુસાર આ તહેવાર પહેલી તારીખે આવે છે. તમિલનાડુની અંદર પોંગલ ખાસ કરીને ખેડુતો માટેનો તહેવાર છે. પોંગલ સામાન્ય રીતે ત્રણ દિવસ સુધી ઉજવાય છે. પહેલા દિવસે કચરાને એકત્રિત કરીને સળગાવવામાં આવે છે બીજા દિવસે લક્ષ્મીની પૂજા થાય છે અને ત્રીજા દિવસે પશુ ધનની પૂજા કરવામાં આવે છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>પોંગલના દિવસે સ્નાન કર્યા બાદ ખુલ્લા આંગણમાં માટીના નવા વાસણની અંદર ખીર બનાવવામાં આવે છે. જેને પોંગલ કહેવાય છે. ત્યાર બાદ સૂર્ય ભગવાનને નૈવેધ ચડાવ્યા બાદ ખીરને બધા પ્રસાદનાં રૂપમાં ગ્રહણ કરે છે. આ દિવસે પુત્રીનું અને જમાઈનું ઘરે સ્વાગત કરવામાં આવે છે. ત્રીજા દિવસે ખેડુતો પોતાના પશુઓને ખુબ જ સુંદર રીતે શણગારીને તેમનું સરઘસ કાઢે છે.</font><br/>      <font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>લોહડી</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>લોહડી શીખ પરિવારો માટે ખુબ જ મહત્વનો તહેવાર છે. લોહડી મકરસંક્રાતિના એક દિવસ પહેલાં ઉજવવામાં આવે છે. દરેક વખતે 13 જાન્યુઆરીએ દરેક પંજાબી પરિવારમાં આ તહેવાર ઉજવવામાં આવે છે અને તે દિવસે આનો વિશેષ ઉત્સાહ હોય છે. વળી આ ઉત્સાહ ત્યારે બમણો થઈ જાય છે જ્યારે આ દિવસે ઘરની અંદર નવી વહું કે નવા જન્મેલા બાળકની પહેલી લોહડી હોય. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આ દિવસે બાળકોમાં પણ ખુબ જ ઉત્સાહ રહે છે. મોડી રાત્રે ખુલ્લી જગ્યાએ આગ સળગાવવામાં આવે છે. આખો પરિવાર અગ્નિની ચારે તરફ પ્રદક્ષિણા કરે છે. ત્યાર બાદ બધાને પ્રસાદ વહેચવામાં આવે છે. પ્રસાદની અંદર મુખ્ય રીતે તલ, ગજક, ગોળ, મગફળી અને મકાઈની ધાણી વહેચવામાં આવે છે. </font><font style='font-size:12pt;'></font><br/><!--Image--><p><table style='margin: 3px 8px 0px 0px;' cellspacing='0' cellpadding='0' border='0' Align=Left><tr><td valign='top'><img src='/gu/articles/0801/12/images/img1080112013_1_3.jpg' Alt='' Border=0  HSPACE=4 VSPACE=4 class='imgArticle_New'></td></tr><tr><td class='imgSource'><table width='100%' cellpadding='0' cellspacing='0' border='0'><tr><td align='left'>PTI</td><td valign='top' align='right'>PTI</td></tr></table></td></tr></table></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આગ લગાવ્યા બાદ તેની આસપાસ ચોખા, સાકરીયા અને રેવડી વેરવામાં આવે છે જેને ત્યાં હાજર રહેલા લોકો ઉઠાવે છે. એવી માન્યતા છે કે જે વ્યક્તિ આગની વચ્ચેથી ધાણી કે મગફળી ઉઠાવે છે તેની ઈચ્છા પૂર્ણ થાય છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ત્યાર બાદ નાચ-ગાનનો કાર્યક્ર્મ શરૂ થાય છે. મોડી રાત્રી સુધી આ કાર્યક્રમ ચાલે છે અને તેમાં ખાસ કરીને મક્કે કી રોટી અને સરસોનું સાગ બનાવવામાં આવે છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આ રીતે આખો પરિવાર હસતા-ગાતા લોહડીની ઉજવણે કરે છે અને તેમનું આખુ વર્ષ આવી રીતે જ પસાર થાય તેવી પ્રાર્થના કરે છે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>મકરસંક્રાંતિ </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>મહારાષ્ટ્રમાં આ દિવસે મહિલાઓ પોતાના પતિના દિર્ધાયુ માટે પ્રાર્થના કરે છે તેમજ ઘરની સુખ શાંતિ માટે મકરસંક્રાંતિથી વસંત પંચમી તેમજ ચૈત્ર માસના આખા મહિના સુધી હલ્દી કંકુનું આયોજન કરે છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>મકરસંક્રાંતિના દિવસે વિવાહીત મહિલાઓ અરસ પરસ એકબીજાને હલ્દી કંકુનો ચાંલ્લો લગાવે છે, તલથી બનાવેલી મીઠાઈ ખવડાવે છે અને મહેમાન મહિલાઓને સુહાગની વસ્તુઓ ભેટ સ્વરૂપે આપે છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આ દિવસે દાન આપવાનું વિશેષ મહત્વ હોય છે તેથી દાન પણ કરવામાં આવે છે અને બ્રાહ્મણોને ભોજન પણ કરાવવામાં આવે છે.      </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/>  <font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આ રીતે દરેક ધર્મના લોકો જુદી જુદી રીતે મકરસંક્રાંતિની ઉજવણી કરે છે. તહેવાર તો એક બહાનું છે હકીકતમાં તો આ એક ખુશી ઉજવવાની રીત છે. તે બહાને સંબંધીઓ એકબીજાની વધું નજીક આવે છે.  </font>]]></content:encoded>
      <pubDate>Sat, 12 Jan 2008 12:28:15 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 19:30:18 +0530</updatedDate>
      <category><![CDATA[Sankranti]]></category>
      <authorname>પારૂલ ચૌધરી</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[ઉઠતા રહો ઉપર....પતંગની જેમ]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/sankranti/ઉઠતા-રહો-ઉપર-પતંગની-જેમ-108011200011_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/sankranti/ઉઠતા-રહો-ઉપર-પતંગની-જેમ-108011200011_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[પતંગો મુક્તઆકાશમાં ઉડતી, સરસરાતી, લહેરાતી, ગુંલાટો મારતી, સુંદર, સજીલી પતંગો, કેટલાય રંગોની પતંગો, અવનવા નામની પતંગો ચાપટ, આઁખેદાર, પટીયલ, વગેરે તમને લોભાવતી નથી ?]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>પતંગના આકાશમાં પહોંચવાનો અર્થ થાય છે કે તમે મેદાનમાં આવીને બાંયો ચડાવીને તૈયાર છો. તમારી એક પતંગ છે અને ચારેબાજુ પ્રતિદ્વંદીઓ આવે છે. પતંગની ચારે બાજુથી ઘેરવામાં આવે છે. પણ પેચ લડાવવાની હિમંત કોઈ એક પતંગ કરે છે. આ કબડ્ડીનું મેદાન નથી કે કોઈ એકને અડકીને તમે તમારા ઘર તરફ પાછા જાવ. આ એ મેદાન છે જ્યાં કરો કે મરોની લડાઈ લડવાની હોય છે. તમારી પતંગ કપાશે અથવા તો એની જે તમારી સાથે પેચ લડાવી બેસ્યો છે.</font><br/><font  style='font-size:12pt; color:#000000'></font><br/><!--Image--><p><table style='margin: 3px 8px 0px 0px;' cellspacing='0' cellpadding='0' border='0' Align=Left><tr><td valign='top'><img src='/gu/articles/0801/12/images/img1080112011_1_1.jpg' Alt='' Border=0  HSPACE=4 VSPACE=4 class='imgArticle_New'></td></tr><tr><td class='imgSource'><table width='100%' cellpadding='0' cellspacing='0' border='0'><tr><td align='left'></td><td valign='top' align='right'>W.D</td></tr></table></td></tr></table></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'>પતંગો મુક્તઆકાશમાં ઉડતી, સરસરાતી, લહેરાતી, ગુંલાટો મારતી, સુંદર, સજીલી પતંગો, કેટલાય રંગોની પતંગો, અવનવા નામની પતંગો ચાપટ, આઁખેદાર, પટીયલ, વગેરે તમને લોભાવતી નથી ? રંગીન કાગળ પર એક નાનકડી શોધ કેટલાક લોકો માટે સમયને વેડફવો હોઈ શકે, પણ આશા અને વિશ્વાસ આકાંક્ષા અને સંકલ્પ અને પ્રેમ તથા સ્વપ્નની ભાવુક પતંગ દરેક યુગના માણસે ઉડાવી છે, અને ઉડાવી રહ્યા છે. આજે પણ કેટલાય લોકો એવા છે કે જેમની યાદોના સમુદ્રમાં એક આ પતંગને બહાને બહુ બધુ બહાર નીકળે છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>કેટલીય કમજોર આંખોમાં એ પતંગમયી ભૂતકાળ આજે પણ થરથરે છે. કેટલાય લોકોએ એને મુઠ્ઠીમાં બાંધી રાખ્યુ છે. મુઠ્ઠી વારંવાર ખુલે છે અને એ મીઠી યાદો શબ્દોમાં બંધાઈને, ગાલમાં સજીને અતીતના આકાશમાં ઉંચે ઉડવાને માટે વ્યાકુળ થઈ જાય છે અને જ્યારે કોઈએ જાણવા માટે હાથ પસાર્યા તો શુ તે સાચવી શક્યા તે યાદો ? આંગળીના તીરાડોમાંથી  સરકવા માંડી ! સાચી જ વાત છે ને કે યાદોને સમેટવા માટે પાલવ પણ મોટો જોઈએ. </font><br/><font  style='font-size:12pt; color:#000000'></font><br/><!--Image--><p><table style='margin: 3px 8px 0px 0px;' cellspacing='0' cellpadding='0' border='0' Align=Right><tr><td valign='top'><img src='/gu/articles/0801/12/images/img1080112011_1_2.jpg' Alt='' Border=0  HSPACE=4 VSPACE=4 class='imgArticle_New'></td></tr><tr><td class='imgSource'><table width='100%' cellpadding='0' cellspacing='0' border='0'><tr><td align='left'></td><td valign='top' align='right'>W.D</td></tr></table></td></tr></table></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'>પતંગોના પણ નામ હોય છે - 'ચાપટ, ચરકટ, આઁખેદાર, પટિયલ, ઢાલ,ચીલી અને બીજા ન જાણે કેટલા નામ હોય.  જ્યાં દોરી સૂતવામાં આવે છે ત્યાં ના દ્રશ્યોમાં કોઈ ફોડીને કાઁચ વાટી રહ્યા હોય, તો કોઈ રંગને ભેળવી રહ્યો હોય. કોઈના હાથમાં રીલ હોય છે, કોઈ દોરાને રંગમાં ડૂબાડી ચરખામાં લપેટી રહ્યા છે.  </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>પહેલાના જમાનામાં તો પતંગો ઉડાવવાની મજા જ અલગ હતી. લોકો પતંગો પર શાયરી કરીને પતંગો ઉડાવતા હતા. અને શાયરી પણ આજકાલની શાયરી જેવી હલકી નહોતી. આજકાલ તો ગીત જ એટલા બોરિંગ લાગે છે કે એક વાર સાંભળ્યા પછી બીજીવાર સાંભળવાની ઈચ્છા નથી થતી. આજકાલ મકરસંક્રાંતિનો મતલબ મોટા અવાજે ડીજે વગાડવું, પતંગના બહાને અડોસ-પડોસની છોકરીઓને તાકવી અને પતંગો પર ફાલતુ વાતો લખીને પડોશીની અગાશીમાં જાણી જોઈને ફસાવી દેવી. એવુ નથી કે બધા યુવાનો આવા  જ હોય છે. આજે પણ રચનાત્મક વિચારો ધરાવતા યુવાનો છે. જે પતંગને શણગારીને ઉડાવે છે. કદી કેસેટની ખૂબ ટેપ લાંબી લટકાવી દે છે તો કદી કાગળની લાંબી કાપલીઓ કાપીકાપેને ચિપકાવી દે છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>જેમ જેમ સાંજ ઢળતી જાય તેમ તેમ પતંગ ઉડાવવાનો જોશ વધતો જાય છે. થોડુક અંધારુ થાય કે પતંગ સાથે તુક્કલ બાંધી દેવામાં આવે, આ દ્રશ્ય બહુ જ રમણીય લાગે છે. એવુ લાગે છે કે જાણે ખુલ્લા આકાશમાં દીવાઓ ઉડી રહ્યા છે. </font><br/><font  style='font-size:12pt; color:#000000'></font><br/><!--Image--><p><table style='margin: 3px 8px 0px 0px;' cellspacing='0' cellpadding='0' border='0' Align=Left><tr><td valign='top'><img src='/gu/articles/0801/12/images/img1080112011_1_3.jpg' Alt='' Border=0  HSPACE=4 VSPACE=4 class='imgArticle_New'></td></tr><tr><td class='imgSource'><table width='100%' cellpadding='0' cellspacing='0' border='0'><tr><td align='left'></td><td valign='top' align='right'>W.D</td></tr></table></td></tr></table></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'>આપણે બધા પોતાના સ્વાર્થની ઉંચાઈઓ પર પહોંચવાની હરીફાઈ કરીએ છીએ. દેશના વિકાસની પતંગ, દેશના શાંતિની પતંગ અને રાષ્ટ્ર જાગૃતિની પતંગને સફેદ આકાશના છેડે મોકલવા કયારે હરીફાઈ કરીશુ. જેને આગળ પાછળ, ડાબા-જમના કે આસ-પડોસની કોઈ 'દુશ્મન પતંગ' કાપી ન શકે. અને જો કોઈ વગર કારણે અટકે તો તેને પૂરી હિમંતથી કાપી નાખીએ અને એક સાથે બોલી ઉઠીએ એ કાપ્યો છે...... </font>]]></content:encoded>
      <pubDate>Sat, 12 Jan 2008 12:08:24 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 19:30:18 +0530</updatedDate>
      <category><![CDATA[Sankranti]]></category>
      <authorname>નઇ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[આકાશમાં ભરાશે મેળો]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/sankranti/આકાશમાં-ભરાશે-મેળો-108011200008_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/sankranti/આકાશમાં-ભરાશે-મેળો-108011200008_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[આ વખતે મકરસંક્રાંતિ પર આકાશમાં કલાકારોની સાથે સાથે મોદી પણ પેચ લડાવતા જોવા મળશે. ક્યાંક બાળકોની મનગમતી ફિલ્મ 'તારે જમીન પર' ના આમીર અને દર્શિલ તો ક્યાક 'રિટર્ન ઓફ હનુમાન'ના હનુમાન પેચ લડાવતા જોવા મળશે. આ વર્ષે ક્રિકેટરો પણ આકાશમાં ઉડતા જોવા મળશે.]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:12pt; color:#000000'></font><br/><!--Image--><p><table style='margin: 3px 8px 0px 0px;' cellspacing='0' cellpadding='0' border='0' Align=Left><tr><td valign='top'><img src='/gu/articles/0801/12/images/img1080112008_1_1.jpg' Alt='' Border=0  HSPACE=4 VSPACE=4 class='imgArticle_New'></td></tr><tr><td class='imgSource'><table width='100%' cellpadding='0' cellspacing='0' border='0'><tr><td align='left'></td><td valign='top' align='right'>N.D</td></tr></table></td></tr></table></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'>આ વખતે મકરસંક્રાંતિ પર આકાશમાં કલાકારોની સાથે સાથે મોદી પણ પેચ લડાવતા જોવા મળશે. ક્યાંક બાળકોની મનગમતી ફિલ્મ 'તારે જમીન પર' ના આમીર અને દર્શિલ તો ક્યાક 'રિટર્ન ઓફ હનુમાન'ના હનુમાન પેચ લડાવતા જોવા મળશે. આ વર્ષે ક્રિકેટરો પણ આકાશમાં ઉડતા જોવા મળશે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/> <font  style='font-size:11pt; color:#000000'>ભારતીય ક્રિકેટ ટીમે ટ્વેંટી-20 વર્લ્ડ કપ જીતીને જે ઈતિહાસ રચ્યો છે તેનો ખુમાર આજે પણ લોકોની અંદર ભરેલો છે. આ વર્ષે મોદી પ્રત્યેનો પ્રેમ ગુજરાતીઓએ ચૂંટણી દ્વારા તો બતાવી દીધો જે હવે આકાશમાં ઉડતો પણ જોવા મળે તો નવાઈ નહી પામશો. અહીં વાત થઈ રહી છે ઉત્તરાયણમાં આકાશમાં ઉડનારી પતંગોની. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આ વખતે પક્ષીઓની આકૃતિવાળી પતંગો પણ આકર્ષણુ કેન્દ્ર બનશે. અવનવી પતંગો જોઈને રસ્તે ચાલતા લોકોના પગ એકાએક બે ઘડી માટે થંભી જાય છે. ઉત્તરાયણની શરૂઆત તો હમણાંથી જ થઈ ગઈ છે. ગલી ગલીના નાકે ચરખામાં દોરી સૂતતા કારીગરોની ત્યાં ભીડ જોવા મળે છે. લોકો પતંગોના તહેવારને લઈને એટલા ઉત્સાહિત છે કે હમણાથી જ ઉત્તરાયણના દિવસે કંઈ અગાશી પર જઈને પેચ લડવા તેના પ્લાન બનાવી રહ્યા છે. ઉત્તરાયણના દિવસ માટે સુરતી દોરાની માંગ વધુ હોય છે.  માંજા બનાવવા માટે કાઁચ, સાબુદાણા, ભીંડીના બીજ, ઈસબગોલની ભૂસૂ, મૂસળી વગેરે જેવી કેટલીય વસ્તુઓનો ઉપયોગ થાય છે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>શ્વેત આકાશમાં ધરતીનાં પ્રેમ પત્ર સ્વરૂપ પતંગોને ઉડાડીને વિવિધ રંગી પતંગોથી આકાશને રંગવાનો અનોખો તહેવાર ઉત્તરાયણ એટલો લોકપ્રિય છે કે હવે ઉત્તરાયણ નિમિતે વૈશ્વિકસ્તરની પતંગ સ્પર્ધાઓ દ્રારા ગુજરાતીઓની સાથેસાથે વિદેશીઓ પણ ગુજરાતમાં વિશાળ સ્તરે તેની ઉજવણી કરે છે.</font><br/><font  style='font-size:12pt; color:#000000'></font><br/><!--Image--><p><table style='margin: 3px 8px 0px 0px;' cellspacing='0' cellpadding='0' border='0' Align=Right><tr><td valign='top'><img src='/gu/articles/0801/12/images/img1080112008_1_2.jpg' Alt='' Border=0  HSPACE=4 VSPACE=4 class='imgArticle_New'></td></tr><tr><td class='imgSource'><table width='100%' cellpadding='0' cellspacing='0' border='0'><tr><td align='left'></td><td valign='top' align='right'>N.D</td></tr></table></td></tr></table></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'>દર વર્ષની 14મી જાન્યુઆરીએ ઉજવનારો તહેવાર કહેવાય છે કે હવે 15 જાન્યુઆરીના રોજ ઉજવાશે. પણ તમને લાગે છે કે લોકો 14મીજાન્યુઆરીએ પતંગ હાથમાં નહી લે ? અરે જે ગુજરાતીઓ 1લી જાન્યુઆરીથી જ ઉત્તરાયણની શરૂઆત કરી નાખે છે તે આટલા વર્ષોથી ઉત્તરાયણ તરીકે ઉજવતા દિવસને કેવી રીતે ખાલી જવા દેશે ? આ વખતે ઉત્તરાયણ ચાર દિવસ સુધી ઉજવાશે. 13 તારીખે આવ્યો રવિવાર એટલે લોકો પતંગ ઉડાવવાનુ રિહર્સલ કરશે, 14મી એ પરંપરાગત રીતે ઉજવાતી આવી હોવાથી ઉજવશે અને 15મીએ આ વખતે સર્વને ઉત્તરાયણની રજા રહેશે તેથી ઉજવશે.</font><font style='font-size:11pt;'>અને બીજા દિવસે વાસે ઉતરાયણ તો આપણે કરવાની જ હોય.  </font>]]></content:encoded>
      <pubDate>Sat, 12 Jan 2008 11:49:54 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 19:30:18 +0530</updatedDate>
      <category><![CDATA[Sankranti]]></category>
      <authorname>કલ્યાણી દેશમુખ</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[પતંગની જેમ ગુજરાત આભે આંબે-મોદી]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/sankranti/પતંગની-જેમ-ગુજરાત-આભે-આંબે-મોદી-108011200009_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/sankranti/પતંગની-જેમ-ગુજરાત-આભે-આંબે-મોદી-108011200009_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[અમદાવાદના શાહીબાગ પોલીસ સ્ટેડિયમ ખાતે તૈયાર કરાયેલા 18માં આંતરરાષ્ટ્રીય પતંગ  મહોત્સવમાં "આફ્રિકામાં ગુજરાત" થીમ પેવેલિયન અને એડવેન્ચર સ્પોટ્ર્સ, ફૂડ કોર્ટનું ઉદ્ઘાટન  તા. 11ના રોજ કરતા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, પતંગ જેમ આભમાં..]]></description>
      <content:encoded><![CDATA[<!--Image--><p><table style='margin: 3px 8px 0px 0px;' cellspacing='0' cellpadding='0' border='0' Align=Left><tr><td valign='top'><img src='/gu/articles/0801/12/images/img1080112009_1_1.jpg' Alt='' Border=0  HSPACE=4 VSPACE=4 class='imgArticle_New'></td></tr><tr><td class='imgSource'><table width='100%' cellpadding='0' cellspacing='0' border='0'><tr><td align='left'>PR</td><td valign='top' align='right'>P.R</td></tr></table></td></tr></table></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>અમદાવાદ (</font><font style='font-size:11pt;'>એજંસી) </font><font style='font-size:11pt;'>અમદાવાદના શાહીબાગ પોલીસ સ્ટેડિયમ ખાતે તૈયાર કરાયેલા 18માં આંતરરાષ્ટ્રીય પતંગ  મહોત્સવમાં "આફ્રિકામાં ગુજરાત" થીમ પેવેલિયન અને એડવેન્ચર સ્પોટ્ર્સ, ફૂડ કોર્ટનું ઉદ્ઘાટન  તા. 11ના રોજ કરતા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, પતંગ જેમ આભમાં નવી  ઊંચાઈને આંબે છે તેમ ગુજરાત પણ વિકાસની નવી ઊંચાઈઓને આંબે એવી ભાવના છે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ગુજરાતમાં પ્રવાસનના વિકાસ માટે રાજય સરકારે ઇવેન્ટ બેઝ ટુરિઝમ પર ભાર મૂકયો છે.  એટલે જ પતંગમહોત્સવના માઘ્યમથી સમગ્ર દુનિયામાં ગુજરાતની વિશિષ્ટ ઓળખ ઊભી  કરવાનો પ્રયાસ કરાયો છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/>"<font  style='font-size:11pt; color:#000000'>આફ્રિકામાં ગુજરાત" થીમ પેવેલિયનની મુલાકાત લઈને મોદીએ જણાવ્યું હતું કે, આફ્રિકાના  દેશોમાં ગુજરાતીઓ કયારે પહોંચ્યા, મહાત્મા ગાંધીજીનું જીવન અને આફ્રિકાને શું સંબંધ રહ્યો  એવા તમામ વિષયો દ્વારા લોકજાગૃતિ કેળવવાનો પ્રયાસ કરાયો છે અને વિશેષ કરીને આપણા  પૂર્વજોએ વિશ્વના દેશોમાં પહોંચીને પોતાના સાહસનો પરિચય કરાવ્યો છે, તેમણે આપણને  સામથ્ર્યનો અનુભવ કરાવ્યો છે. આવા થીમ પેવેલિયનથી આપણે આપણા પૂર્વજોના પરાક્રમને  વિશ્વ સમક્ષ મુકીએ છીએ અને નવાં પરાક્રમો કરવા માટે આપણે આપણી જાતને સજજ કરીએ.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/>1896<font  style='font-size:11pt; color:#000000'>માં આપણા ગુજરાતીઓએ યુગાન્ડામાં 45 ડિગ્રીની ઊંચાઇએ 1000 કિ.મી લાંબી  રેલવેલાઇન નાખવામાં મહત્ત્વનું યોગદાન આપ્યું છે. આ સામથ્ર્ય અને સફળતા ઇજનેરી  ચમત્કારનું બેનમૂન ઉદાહરણ છે. આ ગુજરાત માટે ગૌરવ અને સ્વાભિમાનની વાત છે. આવી  વાતોમાંથી પ્રેરણા લઇને આપણે આપણી જાતને સુસજજ કરવાની છે. </font><br/><!--Image--><p><table style='margin: 3px 8px 0px 0px;' cellspacing='0' cellpadding='0' border='0' Align=Right><tr><td valign='top'><img src='/gu/articles/0801/12/images/img1080112009_1_2.jpg' Alt='' Border=0  HSPACE=4 VSPACE=4 class='imgArticle_New'></td></tr><tr><td class='imgSource'><table width='100%' cellpadding='0' cellspacing='0' border='0'><tr><td align='left'>PR</td><td valign='top' align='right'>P.R</td></tr></table></td></tr></table></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>મુખ્યમંત્રીએ એડવેન્ચર સ્પોર્ટ્સ થીમ પેવેલિયનનું રિબિન કાપી ઉદ્ઘાટન કર્યું ત્યારે સાહસિક  રમતોનો આનંદ માણતાં બાળકોએ હર્ષોનાંદથી તેમનું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે સ્કૂલ ગેમ  ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા યોજાયેલી સ્કેટિંગની સ્પર્ધાના ચંદ્રક વિજેતા બાર જેટલા  વિધાર્થીઓનું પુષ્પગુચ્છથી મુખ્યમંત્રીશ્રીએ સન્માન કરી આ રમતવીરોને પ્રોત્સાહિત કર્યા હતા. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>એડવેન્ચર થીમ પેવેલિયનમાં ખાસ કરીને ટ્રી કલાઇમ્બિંગ, મિલિટરી તાલીમનો અનુભવ  કરાવતા એસોલ્ટ કોર્ટમાં સ્પાઇડર નેટ, બર્મા પુલ, વેલી-ક્રોસિંગ ઉપરાંત મોટર બાઇકિંગ અને  જાતે હલેસાં મારીને હોડી ચલાવતાં બાળકોને મુખ્યમંત્રીએ કયાકિંગ સ્પોટ્ર્સમાં નિહાળ્યા હતા.  આ ઉપરાંત ઝોરબીનમાં સ્થિતિ સ્થાપક ગોળાની અંદર ગોઠવાઇને ગોળ ગોળ ગબડતા  ગોળાની સાથે ગબડતાં બાળકોના આનંદને મુખ્યમંત્રીએ માણ્યો હતો. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>મોદીએ ફૂડ કોર્ટમાં સામાન્ય નાગરિકોની સાથે જ એક રાઉન્ડ ટેબલ પર બેઠક લઇને પરંપરાગત ગુજરાતી વાનગીઓનો સ્વાદ માણ્યો હતો. તેમણે સૌ પ્રથમ ઢોકળા અને બટાટાં-મરચાનાં ભજિયાં ચાખ્યા હતા. પછી ઉત્તરાયણ સ્પેશિયલ ઊંધિયું ખાધું હતું. છોલે-પુરીના છોલે પણ તેમણે ચાખ્યા હતા અને છેલ્લે થોડું ખીચું ટેસ્ટ કર્યું હતું. મોદી સાથે પ્રવાસનમંત્રી જયનારાયણભાઈ વ્યાસ અને પ્રવાસન નિગમના ચેરમેન કમલેશભાઈ પટેલ પણ હતા. મોદીએ વાનગીઓને રસપૂર્વક માણ્યા પછી પાણી પીતાં પહેલાં તરત તેના બિલ ચૂકવવાની તયારી બતાવી હતી. આમ, મોદીએ વાનગીઓનો સ્વાદ માણ્યા પછી તરત બિલના ચુકવણાની ચિંતા કરી હતી.</font>]]></content:encoded>
      <pubDate>Sat, 12 Jan 2008 11:45:33 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 19:30:18 +0530</updatedDate>
      <category><![CDATA[Sankranti]]></category>
      <authorname>એએનઆઇ</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[જીવનમાં સંબંધોની પતંગ-દોરી]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/sankranti/જીવનમાં-સંબંધોની-પતંગ-દોરી-108011200007_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/sankranti/જીવનમાં-સંબંધોની-પતંગ-દોરી-108011200007_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[તહેવારોથી ભરેલા અમારા દેશમાં દરેક તહેવાર પોતાની ખાસ ઓળખ રાખે છે. સાથે સાથે કોઈ ચોક્કસ નામ દરેક તહેવારનું પ્રતીક બની જાય છે. મકરસંક્રાંતિની વાત કરીએ તો તલ-ગોળના લાડુ, તલ પાપડી, ઉંધિયુ વગેરેની સ્વાદ અને સોડમ આપણા મોઢામાં આવી જાય છે.]]></description>
      <content:encoded><![CDATA[<!--Image--><p><table style='margin: 3px 8px 0px 0px;' cellspacing='0' cellpadding='0' border='0' Align=Left><tr><td valign='top'><img src='/gu/articles/0801/12/images/img1080112007_1_1.jpg' Alt='' Border=0  HSPACE=4 VSPACE=4 class='imgArticle_New'></td></tr><tr><td class='imgSource'><table width='100%' cellpadding='0' cellspacing='0' border='0'><tr><td align='left'></td><td valign='top' align='right'>W.D</td></tr></table></td></tr></table></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'>તહેવારોથી ભરેલા અમારા દેશમાં દરેક તહેવાર પોતાની ખાસ ઓળખ રાખે છે. સાથે સાથે કોઈ ચોક્કસ નામ દરેક તહેવારનું પ્રતીક બની જાય છે. મકરસંક્રાંતિની વાત કરીએ તો તલ-ગોળના લાડુ, તલ પાપડી, ઉંધિયુ વગેરેની સ્વાદ અને સોડમ આપણા મોઢામાં આવી જાય છે. આપણને સૌથી વધુ જે આકર્ષિત કરે છે તે છે આસમાનમાં છવાયેલી રંગબિરંગી પતંગો.  જો જીવનની ફિલસૂફી અને સંબંધોને જોડીને જોઈએ તો લાગે છે કે પતંગ આપણને ઘણી વાતો શીખવાડે છે. </font><br/><font  style='font-size:11pt; color:#00FF40'></font><br/>><font  style='font-size:11pt; color:#000000'>પતંગોની જેમ જ જીવનમાં વિવિધ રંગો હોય છે, ખુશી, દુ:ખ, મેળવવું, ખોવું, આશ્ચર્ય, બીક વગેરે. </font><br/><font  style='font-size:11pt; color:#FF80C0'></font><br/>><font  style='font-size:11pt; color:#000000'>જીવનમાં આપણે પણ પતંગની જેમ આકાશને આંબવાની અને ખૂબ ઉપર જવાની ઈચ્છા રાખીએ છીએ. </font><br/><font  style='font-size:11pt; color:#0000FF'></font><br/>><font  style='font-size:11pt; color:#000000'>જેવી રીતે વાટેલા કાઁચ અને અને ગુંદરથી સૂતાયેલા માઁજાની પતંગ સરળતાથી નથી કપાતી તેવી જરીતે પ્રેમ અને વિશ્વાસથી સૂતાયેલા સંબંધો પણ  મજબૂત હોય છે. </font><br/><font  style='font-size:11pt; color:#FF8000'></font><br/>> <font  style='font-size:11pt; color:#000000'>દોર વગરની પતંગ બેકાર છે, મતલબ જીંદગીના સંબંધો પણ એકબીજાની મદદ વગર અધૂરા છે. </font><font style='font-size:12pt;'></font><br/><!--Image--><p><table style='margin: 3px 8px 0px 0px;' cellspacing='0' cellpadding='0' border='0' Align=Right><tr><td valign='top'><img src='/gu/articles/0801/12/images/img1080112007_1_2.jpg' Alt='' Border=0  HSPACE=4 VSPACE=4 class='imgArticle_New'></td></tr><tr><td class='imgSource'><table width='100%' cellpadding='0' cellspacing='0' border='0'><tr><td align='left'></td><td valign='top' align='right'>N.D</td></tr></table></td></tr></table></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#FF00FF'></font><br/>> <font  style='font-size:11pt; color:#000000'>પતંગ ઉડાવવી એ એકના હાથની વાત નથી, ફીરકી પકડવાવાળો અને ખેંચ આપવાવાળો સાથે જોઈએ. </font><br/><font  style='font-size:11pt; color:#0080FF'></font><br/>> <font  style='font-size:11pt; color:#000000'>પતંગ હવાના જોર સાથે વહે છે. આપણે પણ બધાને અનુકૂળ આવે તેવુ જીવન જીવીએ તો જીંદગી સરળ બની જાય છે. </font><br/><font  style='font-size:11pt; color:#008040'></font><br/>> <font  style='font-size:11pt; color:#000000'>પતંગ જેવા સંબંધોમાં પેચ ન લડાવો કપાવવાની બીક રહે છે. </font><br/><font  style='font-size:11pt; color:#C0C0C0'></font><br/>><font  style='font-size:11pt; color:#000000'>કમાન તૂટી તો સમજો પતંગ કપાઈ ગઈ. જીવનમાં સંબંધોની કમાનને તૂટવા ન દો. એટલી જ વાળો જેટલી એમાં લચક હોય. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/>> <font  style='font-size:11pt; color:#000000'>પતંગની પૂંછડીથી તેનુ બેલેંસ હોય છે, જીવનમાં ધેર્ય એ પૂછડીનું કામ કરે છે. જેટલુ આપણે ધેર્ય રાખીશુ તેટલુ જ સંબંધોમાં બેલેંસ રહેશે. </font><br/><font  style='font-size:11pt; color:#FFFF00'></font><br/>> <font  style='font-size:11pt; color:#000000'>ક્યારેક ક્યારેક પતંગોમાં ઢીલ પણ આપવી પડે છે. જીવનમાં હંમેશા તણાવમાં ન રહો, થોડી ઢીલ આપતા રહો, જેથી જીન્દગી સ્મૂથ ચાલતી રહે. </font><br/><font  style='font-size:11pt; color:#8080C0'></font><br/>> <font  style='font-size:11pt; color:#000000'>પતંગ ઉડાડવામાં ઘણીવાર  કેટલીયવાર હાથોમાં કટ વાગે છે, જીંદગીમાં પણ કેટલીય વાર ખુશીની ઉડાણની સાથે ગમના કટ પણ વાગે છે. </font><br/><font  style='font-size:11pt; color:#FF80C0'></font><br/>> <font  style='font-size:11pt; color:#000000'>ફીરકી પકડનાર અને પતંગ ઉડાવનારા વચ્ચે યોગ્ય તાલમેલ જરૂરી છે. આ જ તાલમેલ સંબંધોમાં પણ બનેલો હોવો જોઈએ. </font><br/><font  style='font-size:11pt; color:#FF0080'></font><br/>> <font  style='font-size:11pt; color:#000000'>પતંગ કેટલીય ઉપર ઉડી જાય ફીરકી નીચે જ રહે છે, આપણે પણ કેટલીય ઉંચાઈ પર પહોંચી જઈએ પગ તો જમીન પર જ ટકી રહે છે.</font><br/><font  style='font-size:12pt; color:#000000'></font><br/><!--Image--><p><table style='margin: 3px 8px 0px 0px;' cellspacing='0' cellpadding='0' border='0' Align=Left><tr><td valign='top'><img src='/gu/articles/0801/12/images/img1080112007_1_3.jpg' Alt='' Border=0  HSPACE=4 VSPACE=4 class='imgArticle_New'></td></tr><tr><td class='imgSource'><table width='100%' cellpadding='0' cellspacing='0' border='0'><tr><td align='left'></td><td valign='top' align='right'>N.D</td></tr></table></td></tr></table></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'>ક્યારેક પતંગ કપાઈ પણ જાય છે, એટલેકે જીવનમાં પણ અસફળતા આવી જાય છે પણ એ એક અસફળતાને આપણી હાર ન માનીને પાછી નવી પતંગને છૂટ આપીને નવુ આકાશ આપીએ તો તે અવશ્ય આકાશની ઉંચાઈઓને આંબી જશે. </font>]]></content:encoded>
      <pubDate>Sat, 12 Jan 2008 11:31:08 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 19:30:18 +0530</updatedDate>
      <category><![CDATA[Sankranti]]></category>
      <authorname>નઇ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[ઉડી રે મારી પતંગ......]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/sankranti/ઉડી-રે-મારી-પતંગ-108011200005_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/sankranti/ઉડી-રે-મારી-પતંગ-108011200005_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[ઉમંગને ઉછાળતી, આકાશને આંબતી
વાદળોના આકાશમાં હલેસા મારતી
ઉડી ઉડી રે પતંગ મારી ઉડી રે......]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:12pt; color:#000000'></font><br/><!--Image--><p><table style='margin: 3px 8px 0px 0px;' cellspacing='0' cellpadding='0' border='0' Align=Left><tr><td valign='top'><img src='/gu/articles/0801/12/images/img1080112005_1_1.jpg' Alt='' Border=0  HSPACE=4 VSPACE=4 class='imgArticle_New'></td></tr><tr><td class='imgSource'><table width='100%' cellpadding='0' cellspacing='0' border='0'><tr><td align='left'></td><td valign='top' align='right'>N.D</td></tr></table></td></tr></table></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'>ઉમંગને ઉછાળતી, આકાશને આંબતી</font><br/><font  style='font-size:11pt; color:#000000'>વાદળોના આકાશમાં હલેસા મારતી</font><br/><font  style='font-size:11pt; color:#000000'>ઉડી ઉડી રે પતંગ મારી ઉડી રે......</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>કાપ્યો છે... કાપ્યો છે.... કહીને સૌ પતંગોને કાપતી </font><br/><font  style='font-size:11pt; color:#000000'>કદી મને આગળ પાછળ ડોલાવતી</font><br/><font  style='font-size:11pt; color:#000000'>જુઓ કેવી ઘેલી પતંગ મારી ઉડી રે......</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>પેલો ચાપટ પણ ગયો</font><br/><font  style='font-size:11pt; color:#000000'>પેલી આંખેદાર કપાઈ</font><br/><font  style='font-size:11pt; color:#000000'>કેવી સૌને પાણી પીવડાવતી ઉડી રે....</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>કદી ઝાડમાં અટકતી</font><br/><font  style='font-size:11pt; color:#000000'>કદી મારા ધબકારા વધારતી </font><br/><font  style='font-size:11pt; color:#000000'>મને અગાશીમાં દોડાવતી કેવી ઉડી રે.......</font><br/><font  style='font-size:11pt; color:#000000'>ઉડી ઉડી રે પતંગ મારી ઉડી રે......</font>]]></content:encoded>
      <pubDate>Sat, 12 Jan 2008 10:59:31 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 19:30:18 +0530</updatedDate>
      <category><![CDATA[Sankranti]]></category>
      <authorname>કલ્યાણી દેશમુખ</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[મકરસંક્રાંતિ શબ્દના વિવિધ અર્થ]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/sankranti/મકરસંક્રાંતિ-શબ્દના-વિવિધ-અર્થ-108011200004_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/sankranti/મકરસંક્રાંતિ-શબ્દના-વિવિધ-અર્થ-108011200004_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[માનવનું જીવન પણ પ્રકાશ અને અંધકારથી ધેરાયેલુ છે. તેના જીવનનું વસ્ત્ર કાળા અને સફેદ તંતુઓથી વણેલું છે. મકરસંક્રાંતિના દિવસે માનવીનએ પણ સંક્રમણ કરવાનો શુભ સંકલ્પ કરવાનો હોય છે.]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:12pt; color:#000000'></font><br/><!--Image--><p><table style='margin: 3px 8px 0px 0px;' cellspacing='0' cellpadding='0' border='0' Align=Left><tr><td valign='top'><img src='/gu/articles/0801/12/images/img1080112004_1_1.jpg' Alt='' Border=0  HSPACE=4 VSPACE=4 class='imgArticle_New'></td></tr><tr><td class='imgSource'><table width='100%' cellpadding='0' cellspacing='0' border='0'><tr><td align='left'></td><td valign='top' align='right'>N.D</td></tr></table></td></tr></table></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#FF0080'>મકરસંક્રાંતિ એટલે પ્રકાશનો અંધારા પર વિજય  </font><font style=' color:#000000;'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>માનવનું જીવન પણ પ્રકાશ અને અંધકારથી ધેરાયેલુ છે. તેના જીવનનું વસ્ત્ર કાળા અને સફેદ તંતુઓથી વણેલું છે. મકરસંક્રાંતિના દિવસે માનવીનએ પણ સંક્રમણ કરવાનો શુભ સંકલ્પ કરવાનો હોય છે. માનવ જીવનમાં ફેલાયેલા અજ્ઞાન, શંકા, અંધશ્રધ્ધા, જડતા, કુસંસ્કાર વગેરે અંધકારના લક્ષણો છે. માનવીને અજ્ઞાનને જ્ઞાનથી, ખોટા શકને વિજ્ઞાનથી, અંધશ્રધ્ધાને બરાબરની શ્રધ્ધાથી, જડતાને ચેતનથી અને કુસંસ્કારોને સંસ્કારના સર્જન દ્વારા હટાવવાનું છે. આ જ તેના જીવનની સાચી સંક્રાંતિ કહેવાશે. </font><br/><font  style='font-size:11pt; color:#FF0080'></font><br/><font  style='font-size:11pt; color:#FF0080'>સંક્રાંતિ એટલેકે ચારેબાજુ ક્રાંતિ.</font><font style=' color:#000000;'></font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ક્રાતિમાં ફક્ત પરિસ્થિતિ પરિવર્તનની આકાંક્ષા હોય છે જ્યારે કે સંક્રાંતિમાં બરાબરની પરિસ્થિતિ સ્થાપવાની ઈચ્છા હોય છે. જેને માટે ફક્ત સંદર્ભ જ નહી પરંતુ માનવીના મનના સંકલ્પોને પણ બદલવાના હોય છે. આ કાર્ય વિચાર ક્રાંતિથી જ શક્ય છે. ક્રાંતિમાં હિંસાને મહત્વ આપવાનું હોય છે, પરંતુ સંક્રાંતિમાં સમજદારીને મહત્વ હોય છે. અહિંસાનો અર્થ 'પ્રેમ કરવો' છે જે સંક્રાંતિમાં તો પળ-પળમાં અને કણ-કણમાં પ્રવાહિત થતો જોવા મળે છે. સંક્રાંતિનો અર્થ માથુ કાપવો નથી પરંતુ મસ્તકમાં રહેલા વિચારોને બદલવાનો છે અને આજ સાચો વિજય છે. </font><br/><font  style='font-size:11pt; color:#FF0080'></font><br/><font  style='font-size:11pt; color:#FF0080'>સંક્રાંતિ એટલે સંગક્રાંતિ </font><font style=' color:#000000;'></font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આ દિવસે માનવીને સંગમુક્ત થવાનો સંકલ્પ કરવો જોઈએ. કામ,ક્રોધ, લોભ,મોહ, મદ,મત્સર વગેરે વિકારોના પરિણામોથી બને ત્યાં સુધી મુક્ત રહેવાનો સંકલ્પ કરવો જોઈએ. સંગમુક્તિથી આપણે ક્ષણે ક્ષણે મુક્ત બનવું જોઈએ. અર્થાત મુક્ત જીવનના લોકોનો સંગ કરવો જોઈએ. આવા જીવનમુક્ત લોકો જ અમારી ક્રાંતિને યોગ્ય દિશા, રસ્તો અને મર્ગદર્શન આપી શકે છે. </font>]]></content:encoded>
      <pubDate>Sat, 12 Jan 2008 10:52:54 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 19:30:18 +0530</updatedDate>
      <category><![CDATA[Sankranti]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[ઉત્તરાયણનું મહત્વ]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/sankranti/ઉત્તરાયણનું-મહત્વ-108011200003_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/sankranti/ઉત્તરાયણનું-મહત્વ-108011200003_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[ઉત્તરાયણનો ઉત્સવ કુદરતનો ઉત્સવ છે. પોષ મહિનામાં સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે તેથી આ ઉત્સવને મકરસક્રાંતિ કહે છે. આ દિવસે સૂર્ય પૃથ્વીની પરિક્રમા કરવાની દિશા બદલે છે, થોડો ઉત્તર તરફ ઢળતો જાય છે. તેથી આ કાળને ઉત્તરાયણ પણ કહે છે.]]></description>
      <content:encoded><![CDATA[<!--Image--><p><table style='margin: 3px 8px 0px 0px;' cellspacing='0' cellpadding='0' border='0' Align=Left><tr><td valign='top'><img src='/gu/articles/0801/12/images/img1080112003_1_1.jpg' Alt='' Border=0  HSPACE=4 VSPACE=4 class='imgArticle_New'></td></tr><tr><td class='imgSource'><table width='100%' cellpadding='0' cellspacing='0' border='0'><tr><td align='left'></td><td valign='top' align='right'>N.D</td></tr></table></td></tr></table></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'>ઉત્તરાયણનો ઉત્સવ કુદરતનો ઉત્સવ છે. પોષ મહિનામાં સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે તેથી આ ઉત્સવને મકરસક્રાંતિ કહે છે. આ દિવસે સૂર્ય પૃથ્વીની પરિક્રમા કરવાની દિશા બદલે છે, થોડો ઉત્તર તરફ ઢળતો જાય છે. તેથી આ કાળને ઉત્તરાયણ પણ કહે છે. સૂર્યના સંક્રમણની સાથે-સાથે જીવનનું પણ સંક્રમણ સંકળાયેલુ છે. તેથી આ ઉત્સવનું સાંસ્કૃતિક દ્રષ્ટિએ પણ અનોખુ મહત્વ છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/>'<font  style='font-size:11pt; color:#000000'>તમસો મા જ્યોતિર્ગમય' અંધકારમાંથી પ્રકાશની તરફ પ્રયાણ કરવાની વૈદિક ઋષિઓની પ્રાર્થના આ દિવસના સંકલ્પિત પ્રયત્નોની પરંપરાથી સાકાર થવી શક્ય છે. કર્મયોગી સૂર્ય પોતાના ક્ષણિક આનંદને ખંખેરીને અંધકાર પર આક્રમણ કરવાનો આ શુભ દિવસે દ્રઢ સંકલ્પ કરે છે. આ દિવસથી અંધકાર ધીરે ધીરે ઓછો થતો જાય છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>સારા કામ કરવાના શુભ દિવસોની શરૂઆત થાય છે. ધાર્મિક હિન્દૂ પ્રાર્થના કરે છે કે મકરસંક્રાંતિના પછી જ પોતાનું મૃત્યુ થાય. યમરાજ(મૃત્યુ)ને ઉત્તરાયણની શરૂઆત સુધી રોકવાવાળા ઈચ્છામરણી ભીષ્મ પિતામહ આ વાતનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>અગ્નિ, જ્યોતિ અને પ્રકાશથી યુક્ત ગતિ અર્થાત શુક્લ ગતિ અને કુહરા અને અંધકારથી યુક્ત ગતિ અર્થાત કૃષ્ણ ગતિ, આ દ્રષ્ટિએ જોઈએ તો ઉત્તરાયણમાં મૃત્યુની આકાંક્ષા એટલેકે તેજસ્વી અને પ્રકાશમય મૃત્યુની આકાંક્ષા છે. ધુમ્મસ જેવુ કાળુ અને અંધારા જેવુ ભયભીત જીવન માનવને નિકૃષ્ટ મૃત્યુની તરફ ખેંચીને લઈ જાય છે. </font>]]></content:encoded>
      <pubDate>Sat, 12 Jan 2008 10:47:15 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 19:30:18 +0530</updatedDate>
      <category><![CDATA[Sankranti]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[ગુજરાતમાં આંતરરાષ્ટ્રીય પતંગમહોત્‍સવ શરૂ]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/sankranti/ગુજરાતમાં-આંતરરાષ્ટ્રીય-પતંગમહોત્‍સવ-શરૂ-108011100026_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/sankranti/ગુજરાતમાં-આંતરરાષ્ટ્રીય-પતંગમહોત્‍સવ-શરૂ-108011100026_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં આજથી એટલે કે તા.11થી 15 જાન્‍યુઆરી દરમિયાન 18મો  આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્‍સવ યોજાઇ રહ્યો છે. શહેરના પોલીસ સ્‍ટેડિયમ ખાતે યોજાનારા આ  પતંગ મહોત્‍સવ-2008ની સાથે વિશ્વ ગુજરાતી પરિવાર મહોત્‍સવ પણ યોજાઇ રહ્યો છે....]]></description>
      <content:encoded><![CDATA[<!--Image--><p><table style='margin: 3px 8px 0px 0px;' cellspacing='0' cellpadding='0' border='0' Align=Left><tr><td valign='top'><img src='/gu/articles/0801/11/images/img1080111026_1_1.jpg' Alt='' Border=0  HSPACE=4 VSPACE=4 class='imgArticle_New'></td></tr><tr><td class='imgSource'><table width='100%' cellpadding='0' cellspacing='0' border='0'><tr><td align='left'>PTI</td><td valign='top' align='right'>PTI</td></tr></table></td></tr></table></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં આજથી એટલે કે તા.11થી 15 જાન્‍યુઆરી દરમિયાન 18મો  આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્‍સવ યોજાઇ રહ્યો છે. શહેરના પોલીસ સ્‍ટેડિયમ ખાતે યોજાનારા આ  પતંગ મહોત્‍સવ-2008ની સાથે વિશ્વ ગુજરાતી પરિવાર મહોત્‍સવ પણ યોજાઇ રહ્યો છે. આજે  શુક્રવારે સાંજે 5 વાગ્યે મુખ્‍યમંત્રી નરેન્‍દ્ર મોદીએ "ગુજરાત ઇન આફ્રિકા" થીમ પેવેલિયન,  એડવેન્‍ચર સ્‍પોર્ટસ અને ફૂડ કોર્ડને જાહેર જનતા માટે ખુલ્લું મુક્યું છે. જયારે આ વખતે સૌ  પ્રથમ વખત દેશ-વિદેશના પતંગબાજોની એક અનોખી પતંગ હરીફાઇ આવતીકાલ શનિવારે  યોજાશે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>રવિવારે સવારે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્‍સવનું વિધિવત ઉદ્દઘાટન રાજયપાલ નવલકિશોર  શર્મા કરશે અને એ વખતે રંગારંગ કાર્યક્રમથી મહોત્‍સવનો પ્રારંભ થશે. ઉત્તરાયણના દિવસે  પતંગબાજો અમદાવાદમાં જુદી જુદી જગાએ પતંગની મજા માણશે અને બીજા દિવસે સુરત  તથા રાજકોટ ખાતે પોતાના કૌશલ્‍યનું પ્રદર્શન કરશે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>પ્રવાસન મંત્રી જયનારાયણ વ્‍યાસ અને પ્રવાસન નિગમના અઘ્‍યક્ષ કમલેશ પટેલે જણાવ્‍યું હતું  કે, આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્‍સવ 2008માં 145 પતંગબાજો ભાગ લેશે. 24 દેશોના 69  પતંગબાજો તેમજ ગુજરાત, ભારતનાં જુદાં જુદાં રાજયોમાંથી 76 પતંગબાજો વિવિધ પતંગો  અને પતંગબાજીનું પ્રદર્શન કરશે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ફ્રાન્‍સ, નેધરલેન્‍ડ, ડેનમાર્ક, સિંગાપોર, મલેશિયા, જાપાન, તાઇવાન, ઇન્‍ડોનેશિયા, યુ.કે.,  ઓસ્‍ટ્રેલિયા, કંબોડિયા, જર્મની, થાઇલેન્‍ડ, સાઉથ આફ્રિકા, બેિલ્‍જયમ, દક્ષિણ કોરિયા,  આર્જેન્‍ટીના, તુર્કી વગેરે દેશોમાંથી પતંગબાજો આવ્‍યા છે. ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, કણાર્ટક,  દિલ્‍હી, રાજસ્‍થાનના પતંગબાજો ભાગ લેશે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આ પતંગ મહોત્‍સવમાં આકર્ષણનું કેન્‍દ્ર ઊભું કરવા આ વખતે સરકારે હરીફાઇનું આયોજન કર્યું  છે. જેમાં પાંચ જુદા જુદા પ્રકારની હરીફાઇનું આયોજન ઘડી કાઢવામાં આવ્‍યું છે. જેમાં  આંતરરાષ્ટ્રીય કક્ષામાં જુદી જુદી પ્રકારની પ્રિન્‍ટેડ પતંગો, વિદેશી કોલાજથી તૈયાર કરેલા  પતંગો, સૌથી નાની પતંગો તેમજ દેશી ફાઇટર પતંગોની હરીફાઇનો સમાવેશ થાય છે. આ  તમામ પતંગબાજો ભાગ લઇ શકશે. રાષ્ટ્રીય પતંગબાજો માટે વિદેશી ટાઇપની પ્રિન્‍ટેડ અને  કોલાજ કરેલા પતંગોની હરીફાઇનું પણ આયોજન છે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/>30 <font  style='font-size:11pt; color:#000000'>વિદેશી અને 35 ભારતીય પતંગબાજોએ આ હરીફાઇ માટે પોતાની નોંધણી કરાવી છે.  તેના જજ તરીકે પતંગ નિષ્‍ણાત ભાનુભાઇ શાહ, દિલીપ કાપડિયા, ફ્રાન્‍સના લીડોવીક પેટ્રીટ,  નેધરલેન્‍ડના પીટરસન, કેનેડાના સ્‍કાય મોરિસન રહેશે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>પોલીસ સ્‍ટેડિયમના પરેડ ગ્રાઉન્‍ડમાં થીમ પેવેલિયનની સાથે એડવેન્‍ચર સ્‍પોર્ટસનું આયોજન  સ્‍પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા કરાયું છે. પંદર જેટલા સ્‍ટોલ ફૂડ કોર્ટ છે. 12મીએ સાંજે  સદાકાળ ગુજરાત સાંસ્‍કશ્ચતિક કાર્યક્રમ મુખ્‍યમંત્રીની ઉપસ્‍થિતિમાં ખુલ્લો મુકાશે. જેમાં  દેશવિદેશના ગુજરાતીઓને પ્રોત્‍સાહિત કરવા અને એક જ પ્‍લેટફોર્મ પર વિશ્વ ગુજરાતી  પરિવાર મહોત્‍સવનું આયોજન કરાયું છે.</font><br/><font  style='font-size:11pt; color:#FF00FF'></font><br/><font  style='font-size:11pt; color:#FF00FF'>પતંગ મહોત્સવના મુખ્ય મહેમાન કેન્‍યાના કોન્‍સ્‍યુલેટ - </font><font style=' color:#000000;'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આ વર્ષે રવિવારે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્‍સવમાં આફ્રિકાખંડના વિવિધ રાજદ્વારી  મહાનુભાવોની સાથે દિલ્‍હી સ્‍થિત કેન્‍યાના કોન્‍સ્‍યુલેટ કબોરિયા, યુગાન્‍ડાના ડે. હાઇકમિશનર  નિમિષા માધવાણી, રવાન્‍ડા વગેરે ખાતેથી પણ રાજદ્વારીઓ આવનાર છે. રવિવારે ભાગવત  વિધાપીઠના વિધાર્થીઓના આદિત્‍ય સ્‍મૃતિથી આ મહોત્‍સવની શરૂઆત થશે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'>જુદી જુદી શાળાના દસ હજાર વિધાર્થીઓ સૂર્યવંદના કરશે ત્‍યારે રાજયપાલ અને મુખ્‍યમંત્રી  પણ હાજર હશે. બાબા રામદેવ પણ સવિશેષ ઉપસ્‍થિત રહેશે. કદમ્‍બ સંસ્‍થા દ્વારા ગગન રંગ  કાર્યક્રમ રજૂ થશે. આખો દિવસ પતંગબાજો પોતાના વિવિધ આકર્ષક પતંગોની કલાબાજી  પ્રદર્શિત કરશે.</font><br/><font  style='font-size:11pt; color:#FF0000'></font><br/><font  style='font-size:11pt; color:#FF0000'>સોમવારે હેરિટેજ પ્રદર્શન યોજાશે - </font><font style=' color:#000000;'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આંતરરાષ્ટ્રીય પતંગબાજો માટે હેરિટેજ વોકનું આયોજન સ્‍વામિનારાયણ મંદિરથી માણેકચોક  સુધી યોજાશે. દેશ વિદેશના પતંગબાજો કામેશ્વરની પોળ, મોતીભાઇની ખડકી, વાધેશ્વરી પોળ,  નાગરકૂઇની પોળ, મણિનગર વગેરે સ્‍થળે જશે. મંગળવારે પતંગબાજો સુરત અને રાજકોટ  ખાતે પોતાના પતંગોનું નિદર્શન કરશે.</font>]]></content:encoded>
      <pubDate>Fri, 11 Jan 2008 20:14:48 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 19:30:18 +0530</updatedDate>
      <category><![CDATA[Sankranti]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
  </channel>
</rss>
