<?xml version="1.0" encoding="UTF-8"?>
<rss version="2.0" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:atom="http://www.w3.org/2005/Atom">
  <channel>
    <title><![CDATA[શ્રાવણ વિશેષ]]></title>
    <link>https://gujarati.webdunia.com/1040812000</link>
    <description><![CDATA[હિન્દુ ધર્મના સૌથી પવિત્ર શ્રાવણ માસનું મહત્વ અનેરૂ છે. જે અંતર્ગત વેબ દુનિયા દ્વારા ભક્તિ, વ્રત, ઉપવાસ, શિવ ઉપાસના સહિત વિગતોને સ્પેશિયલ પેજમાં સમાવી છે.]]></description>
    <copyright>Copyright webdunia.com</copyright>
    <lastBuildDate>Tue, 11 Aug 2026 23:44:48 +0530</lastBuildDate>
    <language>en-us</language>
    <image>
      <title>શ્રાવણ વિશેષ</title>
      <url>https://gujarati.webdunia.com/1040812000</url>
      <link>https://gujarati.webdunia.com/1040812000</link>
    </image>
    <atom:link href="https://gujarati.webdunia.com/rss/1040812000-1021212.rss" rel="self" type="application/rss+xml"/>
    <item>
      <title><![CDATA[સોળ સોમવારની વાર્તા-2]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/1040812000/સોળ-સોમવારની-વાર્તા-2-108080100031_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/1040812000/સોળ-સોમવારની-વાર્તા-2-108080100031_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[એક નગરમાં એક ધનીક વ્યાપારી રહેતો હતો. ખુબ જ દૂર સુધી તેનો વ્યાપાર ફેલાયેલો હતો. નગરમાં તે વ્યાપારીનું ખુબ જ માન સન્માન હતું. આટલુ બધું હોવા છતાં પણ તે વ્યાપારી મનથી ખુબ જ દુ:ખી હતો. કેમકે તે વ્યાપારીને એક પણ પુત્ર ન હતો. દિવસ રાત તેને એક જ]]></description>
      <content:encoded><![CDATA[<!--Image--><p><table style='margin: 3px 8px 0px 0px;' cellspacing='0' cellpadding='0' border='0' Align=Left><tr><td valign='top'><img src='/gu/articles/0808/01/images/img1080801031_1_1.jpg' Alt='' Border=0  HSPACE=4 VSPACE=4 class='imgArticle_New'></td></tr><tr><td class='imgSource'><table width='100%' cellpadding='0' cellspacing='0' border='0'><tr><td align='left'></td><td valign='top' align='right'>W.D</td></tr></table></td></tr></table></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>એક નગરમાં એક ધનીક વ્યાપારી રહેતો હતો. ખુબ જ દૂર સુધી તેનો વ્યાપાર ફેલાયેલો હતો. નગરમાં તે વ્યાપારીનું ખુબ જ માન સન્માન હતું. આટલુ બધું હોવા છતાં પણ તે વ્યાપારી મનથી ખુબ જ દુ:ખી હતો. કેમકે તે વ્યાપારીને એક પણ પુત્ર ન હતો. દિવસ રાત તેને એક જ ચિંતા થતી હતી કે તેના મૃત્યું બાદ તેના વ્યાપારનું શું થશે? તેની આટલી બધી મિલ્કત કોણ સંભાળશે? પુત્ર મેળવવાની ઇચ્છાથી તે દર સોમવારે ભગવાન શિવની પૂજા કરતો હતો.    </font><br/> <font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>તે વ્યાપારીની ભક્તિ જોઇને એક દિવસ પાર્વતીએ ભગવાન શિવને કહ્યું કે હે પ્રભુ ! આ વ્યાપારી તમારો સાચો ભક્ત છે અને તે તમારી ભક્તિ પણ ખુબ જ કરે છે. તો તમે આ વ્યાપારીની મનોકામના પૂર્ણ કરો. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ભગવાન શિવે કહ્યું કે હે પાર્વતી આ સંસારમાં બધાને તેના કર્મોને અનુસાર જ ફળ મળે છે. તે છતાં પણ પાર્વતી માન્યા નહિ અને ભગવાનને કહ્યું કે તમારે આની ઇચ્છા પૂર્ણ કરવી જ પડશે. તે તમારો ખુબ જ સારો ભક્ત છે. અને તમારી ખુબ જ ભક્તિ કરે છે. તો તમારે તેને પુત્ર પ્રાપ્તિનું વરદાન આપવું જ પડશે.  </font><br/><font  style='font-size:11pt; color:#000000'>પાર્વતીનો આટલો બધો આગ્રહ જોઈને ભગવાન શિવે કહ્યું કે તમારા આગ્રહ પર હુ તે વ્યાપારીને પુત્ર પ્રાપ્તિનું વરદાન આપુ છું. પરંતુ તેનો પુત્ર 16 વર્ષથી વધારે નહી જીવે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>તે રાત્રે ભગવાને તે વ્યાપારીના સપનામાં દર્શન આપીને તેને પુત્ર પ્રાપ્તિનું વરદાન આપ્યું અને તેને તે પણ જણાવ્યું કે તારો પુત્ર 16 વર્ષથી વધું નહી જીવે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ભગવાનનું વરદાન મેળવીને વ્યાપારી ખુબ જ ખુશ થયો પરંતુ તેના પુત્રની મૃત્યુંની વાત સાંભળીને તેની ખુશી ઓછી થઈ ગઈ. વ્યાપારીએ પહેલાની જેમ જ સોમવારનું વ્રત વિધિપૂર્વક ચાલું રાખ્યું. થોડાક સમય બાદ તેના ઘરે એક સુંદર પુત્રનો જન્મ થયો. તેને ખુબ જ ધામધુમથી પુત્ર જન્મનો સમારોહ ઉજવ્યો. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>વ્યાપારીને પુત્ર જન્મની ખુશી ન હતી કેમકે તેને તેના પુત્રના અલ્પ આયુષ્યની ખબર હતી. આ રહસ્ય તેના ઘરમાં તેના સિવાય કોઇ નહોતુ જાણતું. તેના પુત્રનું નામ વિદ્વાન બ્રાહ્મણોએ અમર રાખ્યું હતું. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>જ્યારે અમર 12 વર્ષનો થયો ત્યારે તેને ભણવા માટે વારાણસી મોલવાનો નિર્ણય કર્યો. વ્યાપારીએ તેના મામા દિપચંદને બોલાવીને કહ્યું કે અમરને શિક્ષા માટે વારાણસી મુકતાં આવો. અમર અને તેન મામા  વારાણસી માટે નીકળી પડ્યાં. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>લાંબી યાત્રા બાદ અમર અને તેના મામા એક નગરમાં આવી પહોચ્યા. તે નગરના રાજાની પુત્રીના લગ્ન હોવાથી આખા નગરને શણગારવામાં આવ્યું હતું. ચોક્કસ સમય પર જાન તો આવી પરંતુ વરરાજાના પિતા ખુબ જ ચિંતિત હતાં કેમકે તેનો પુત્ર એક આંખે કાણો હતો. અને તેને એ બાબતનો ડર હતો કે જો આ વાત રાજાને ખબર પડી ગઈ તો તે લગ્નની ના પાડી દેશે અને તેની બદનામી થઈ જશે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>વરના પિતાએ અમરને જોયો તો તેઓના મગજમાં એક વિચાર આવ્યો કે આ છોકરાને વરરાજા બનાવીને તેને રાજકુમારી સાથે પરણાવી દઈએ વિવાહ પુર્ણ થયા બાદ તેને ઘણુ બધું ધન આપીને વિદાય કરી દઈશ અને રાજકુમારીને મારા નગરમાં લઈ આવીશ. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>વરના પિતાએ અમરના મામા સાથે આ બાબતની વાત કરી તો તેને ધનની લાલચમાં આવીને વરના પિતાની વાત સ્વીકારી લીધી. અમરને વરરાજાના કપડા પહેરાવીને તેના લગ્ન રાજકુમારી સાથે કરી દીધા.    </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>અમર જ્યારે પાછો આવી રહ્યો હતો ત્યારે તે આ વાત છુપાવી શક્યો નહી તેથી તેને રાજકુમારીની ઓઢણી પર લખી દીધું કે રાજકુમારી તમારા લગ્ન તો મારી સાથે થયાં છે હુ તો વારાણસીમાં શિક્ષા મેળવવા માટે જઈ રહ્યો છુ. હવે તમારે જે નવયુવકની પત્ની બનવાનું છે તે તો એક આંખે કાણો છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>જ્યારે રાજકુમારીએ આ ઓઢણી પર લખેલું લખાણ વાંચ્યું ત્યારે તેને તે કાણા છોકરા સાથે જવાની ના પાડી દીધી. રાજાએ આ બધી વાતને જાણીને રાજકુમારીને પોતાના મહેલમાં જ રાખી લીધી. બીજી બાજું અમર તેના મામા સાથે વારણસી પહોચી ગયો અને ભણવાનું શરૂ કરી દીધું.  </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>જ્યારે અમર 16 વર્ષનો થયો ત્યારે તેને એક યજ્ઞ કર્યો અને યજ્ઞની પૂર્ણાહૂતિ બાદ તેને બ્રાહ્મણોને ભોજન કરાવ્યું અને અન્ન તેમજ વસ્ત્રનું દાન કર્યું. રાત્રે અમર સૂઇ ગયો તો ભગવાનના વરદાન મુજબ ઉંઘમાં જ તેના પ્રાણ ચાલ્યા ગયાં. સવારે તેના મામાએ તેને મૃત જોઇને રોકકળ ચાલુ કરી દીધી. આ જોઇને આજુબાજુના લોકો એકઠા થઈ ગયાં અને તેઓએ પણ દુ:ખ પ્રગટ કર્યું.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>મામાનો રુદનનો અવાજ બાજુમાંથી પસાર થતાં શિવ અને પાર્વતીએ સાંભળ્યો અને પાર્વતીએ ભગવાન શિવને કહ્યું કે મારાથી આનું રુદન સહન થતું નથી તો તમે આ વ્યક્તિનું દુ:ખ અવશ્ય દૂર કરો.  </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>તો ભગવાન શિવે જણાવ્યું કે આ તે જ વ્યાપારીનો પુત્ર છે જેને મે 16 વર્ષના આયુષ્યનું વરદાન આપ્યુ હતું. તેનું આયુષ્ય તો પુરૂ થઈ ગયું. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>પાર્વતીએ ભગવાન શિવને ફરીથી નિવેદન કર્યું કે હે પ્રભુ! તમે  આ છોકરાને ફરીથી જીવતદાન આપો. નહીતર તેના માતા-પિતા તેના પુત્રના મૃત્યુંને કારણે રોઇ રોઇને પોતાના પ્રાણ આપી દેશે. અને આ છોકરાના પિતા તો તમારા અનન્ય ભક્ત છે. તે વર્ષોથી સોમવારનું વ્રત કરીને તમારો ભોગ લગાવે છે. પાર્વતીના આગ્રહને કારણે ભગવાને તે છોકરાને ફરીથી જીવતદાન આપ્યું. થોડીક જ વારમાં તે જીવત થઈ ગયો. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>શિક્ષા પુરી કરીને અમર તેના મામા સાથે પોતાના નગર તરફ ચાલી નીકળ્યો. બંન્ને ચાલતાં ચાલતાં તે જ નગરમાં પહોચ્યાં જ્યાં અમરના લગ્ન થયાં હતાં. તે નગરમાં પણ અમરે યજ્ઞનું આયોજન કર્યું. પાસેથી પસાર થતાં ત્યાંના રાજાએ તે યજ્ઞનું આયોજન જોયું. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>રાજાએ અમરને તરત જ ઓળખી લીધો અને યજ્ઞ પુરો થયાં બાદ રાજા અમર અને તેના મામાને પોતાની સાથે મહેલમાં લઈ ગયો. થોડાક દિવસ સુધી રાજાએ તેઓને પોતાની પાસે રાખ્યાં અને ત્યાર બાદ તેઓને ઘણુ બઘું ધન આપને રાજકુમારી સાથે વિદાય કર્યા. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>દિપચંદે નગરમાં પહોચીને એક દૂતને ઘરે મોકલ્યો અને પોતાના આગમનની સુચના આપી. પોતાના છોકરાને જીવીત પાછો ફરવાની સુચના મળવાથી વ્યાપારી ખુબ જ ખુશ થઈ ગયો.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>વ્યાપારી અને તેની પત્ની બંન્ને જણાએ પોતાને એક રૂમમાં બંધ કરીને ખાવા-પીવાનું છોડી દીધું હતું અને નિશ્ચય કર્યો હતો કે જો પુત્રના મૃત્યુંના સમાચાર મળશે તો તેઓ બંન્ને જણા પણ પોતાના પ્રાણ ત્યાગી દેશે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>વ્યાપારી પોતાની પત્ની અને મિત્રો સાથે નગરના દ્રાર પર પહોચ્યો. પોતાના છોકરાના લગ્નના</font><br/><font  style='font-size:11pt; color:#000000'>સમાચાર સાંભળીને તેની ખુશીનું ઠેકાણુ ન રહ્યું. તે જ રાત્રે ભગવાન શિવે વ્યાપારીના સપનામાં આવીને કહ્યું કે તારી ભક્તિ જોઈને અને તુ સોમવારનું વ્રત ખુબ જ ભાવપૂર્વક કરતો હોવાથી હુ તારા પર પ્રસન્ન થયો છુ તેથી તારા પુત્રને લાંબી ઉંમરનું વરદાન આપુ છું. વ્યાપારી આ સાંભળીને ખુબ જ ખુશ થયો. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>સોમવારનું વ્રત કરવાને કારણે વ્યાપારીના ઘરમાં ખુશીઓ પાછી આવી. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>શાસ્ત્રોમાં પણ કહેવામાં આવ્યું છે કે જે વ્યક્તિ સોમવારનું વ્રત વિધિપૂર્વક કરશે અને તેની વાર્તા સાંભળશે તો તેની બધી જ ઇચ્છાઓ પૂર્ણ થશે. </font>]]></content:encoded>
      <pubDate>Fri, 01 Aug 2008 17:48:23 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 19:50:59 +0530</updatedDate>
      <category><![CDATA[Shravan special]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[ॐ ના જપનો ચમત્કાર]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/1040812000/ॐ-ના-જપનો-ચમત્કાર-108080100025_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/1040812000/ॐ-ના-જપનો-ચમત્કાર-108080100025_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[લંડન. હિન્દુ ધર્મશાસ્ત્રોનાં અનુસાર પૃથ્વીની ઉત્પત્તિના સમયે નીકળેલ પહેલી ધ્વની હતી ॐ જેને આકાશ, પાતાળ અને ધરતી સહિત સમસ્ત જગતને ગુંજતું કરી દીધું હતું. 

આ પવિત્ર ધ્વનિની મહિમા અને તેના પ્રભાવને આજે આખી દુનિયા માની રહી છે.]]></description>
      <content:encoded><![CDATA[<!--Image--><p><table style='margin: 3px 8px 0px 0px;' cellspacing='0' cellpadding='0' border='0' Align=Left><tr><td valign='top'><img src='/gu/articles/0808/01/images/img1080801025_1_1.jpg' Alt='' Border=0  HSPACE=4 VSPACE=4 class='imgArticle_New'></td></tr><tr><td class='imgSource'><table width='100%' cellpadding='0' cellspacing='0' border='0'><tr><td align='left'></td><td valign='top' align='right'>W.D</td></tr></table></td></tr></table></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>લંડન. હિન્દુ ધર્મશાસ્ત્રોનાં અનુસાર પૃથ્વીની ઉત્પત્તિના સમયે નીકળેલ પહેલી ધ્વની હતી </font><font style='font-size:11pt;'>ॐ </font><font style='font-size:11pt;'>જેને આકાશ, પાતાળ અને ધરતી સહિત સમસ્ત જગતને ગુંજતું કરી દીધું હતું. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આ પવિત્ર ધ્વનિની મહિમા અને તેના પ્રભાવને આજે આખી દુનિયા માની રહી છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>અમેરીકા, બ્રિટન, ઓસ્ટ્રેલીયા જેવા દેશોમાં </font><font style='font-size:11pt;'>ॐ </font><font style='font-size:11pt;'>નાં માધ્યમથી ફ્ક્ત શારીરિક વિકાર જ દૂર નથી થતો પરંતુ નશાની લતમાં ડૂબેલા યુવાનોને પણ સાચી રાહ પર લાવવા માટે આ પવિત્ર ધ્વનિનો પ્રયોગ કરવામાં આવી રહ્યો છે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>હમણાં જ બ્રિટનનાં એક સાયન્સ જરનલમાં પ્રકાશિત એક રિપોર્ટમાં સ્પષ્ટ રૂપથી </font><font style='font-size:11pt;'>ॐ </font><font style='font-size:11pt;'>નું મહત્વ સ્વીકારવામાં આવ્યું હતું. ચિકિત્સા વિજ્ઞાનીઓએ દાવો કર્યો છે કે ઘણી આંતરીક બીમારીઓ કે જેનો ઇલાજ આજ સુધી આજ સુધી મેડીકલ સાયન્સમાં પણ ઉપલબ્ધ નથી તે રોગોમાં ફક્ત </font><font style='font-size:11pt;'>ॐ </font><font style='font-size:11pt;'>ના જાપથી જ આશ્ચર્યજનક ફાયદો જોવા મળ્યો છે. ખાસ કરીને પેટ, મગજ અને હદયને લગતી બિમારીઓમાં ॐનું મંત્રોચ્ચારણ રામબાણ ઇલાજ સાબિત થયો છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>પરીક્ષણ કેવી રીતે કર્યું:- રિચર્ડ અને એક્સપેરીમેંન્ટ ઇંસ્ટીટ્યુટ ઓફ ન્યૂરોસાઇંસનાં પ્રમુખ પ્રો. જે. મોર્ગન અને અન્ય સહયોગીઓ દ્વારા સાત વર્ષથી હિન્દુ ધર્મ પ્રતિક ॐના પ્રભાવોનું અધ્યયન કરવામાં આવી રહ્યું હતું. આ વચ્ચે તેઓએ મગજ અને હદયની અલગ અલગ બિમારીઓથી પીડાતા 2500 પુરૂષો અને 2000 મહિલાઓ પર પરિક્ષણ કર્યું હતું.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આ બધા દર્દીઓને ફક્ત તે દવાઓ જ આપવામાં આવી હતી જે તેઓનું જીવન બચાવવા માટે ઉપયોગી હતી બાકીની બધી જ દવાઓ બંધ કરી દેવાઇ હતી. દરરોજ આ લોકોને સવારે 6 થી 7 એક કલાક માટે સાફ, સ્વચ્છ અને ખુલ્લા વાતાવરણમાં યોગ્ય પ્રશિક્ષકો દ્વારા </font><font style='font-size:11pt;'>ॐ </font><font style='font-size:11pt;'>નો જાપ કરાવવામાં આવ્યો. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આ વચ્ચે તેઓને અલગ અલગ ધ્વનિઓ અને આવૃત્તિઓમાં </font><font style='font-size:11pt;'>ॐ </font><font style='font-size:11pt;'>નો જાપ કરવાનું કહ્યું. દર ત્રણ મહિને મગજ અને હદય સિવાય આખા શરીરનું સ્કેનીગ કરવામાં આવ્યુ. ચાર વર્ષ સુધી સતત આવું કર્યા બાદ રિપોર્ટ મળ્યો તે ચોકાવનાર હતો. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>લગભગ 70 ટકા પુરૂષો અને 82 ટકા મહિલાઓમાં </font><font style='font-size:11pt;'>ॐ </font><font style='font-size:11pt;'>નો જાપ શરૂ કરતા પહેલાં બિમારીની જે સ્થિતિ હતી તેમાં 90 ટકા સુધીનો ધટાડો જોવા મળ્યો. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>જ્યારે </font><font style='font-size:11pt;'>ॐ </font><font style='font-size:11pt;'>ના જાપની ઘણા લોકો પર દસ ટકા જ અસર થઇ હતી. આનું કારણ જણાવતાં પ્રો. મોર્ગને જણાવ્યું હતું કે જે લોકોને વધું ફાયદો નથી થયો તેઓની બિમારી છેલ્લી અવસ્થા સુધી પહોચી ગઇ હતી. એટલા માટે તેઓ સંપૂર્ણ રીતે સ્વસ્થ થઇ શક્યા ન હતાં. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આ સિવાય એક બીજો મહત્વપૂર્ણ પ્રભાવ પણ સામે આવ્યો નશાથી મુક્તિનો. નશાની લત લાગેલ લોકોને પણ નિયમિત રૂપે </font><font style='font-size:11pt;'>ॐ </font><font style='font-size:11pt;'>ના જાપથી નશાની લત દૂર થઇ ગઇ હતી. પ્રો. મોર્ગને સુલજાવ આપ્યો છે કે સ્વસ્થ વ્યક્તિ દરરોજ </font><font style='font-size:11pt;'>ॐ </font><font style='font-size:11pt;'>ના જાપ દ્વારા બિમારીઓને દૂર રાખે શકે છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>કેવી રીતે થયો ફાયદો:-</font><br/><font  style='font-size:11pt; color:#000000'>પ્રો. મોર્ગન જણાવે છે કે અલગ અલગ આવૃત્તિઓ અને ધ્વનિઓના ઉતાર ચડાવને કારણે ઉત્પન્ન થનાર કંપનો મૃત કોષીકાઓને ફરીથી જીવીત કરે છે અને નવી કોશીકાઓનું નિર્માણ કરે છે. </font><font style='font-size:11pt;'>ॐ </font><font style='font-size:11pt;'>ના જાપથી માથાથી લઇને નાક, ગળુ, હદય અને પેટમાં તીવ્ર તરંગોનો સંચાર થાય છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આ કારણે આખા શરીરમાં લોહીનો સંચાર પણ વ્યવસ્થીત થાય છે. વધુ પડતી બિમારીઓ લોહીની ખરાબીને કારણે ઉત્પન્ન થાય છે એટલા માટે </font><font style='font-size:11pt;'>ॐ </font><font style='font-size:11pt;'>નો જાપ લોહીની ખામીઓને દૂર કરીને શરીરમાં સ્ફૂર્તિ લાવે છે.  </font>]]></content:encoded>
      <pubDate>Fri, 01 Aug 2008 17:25:51 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 19:50:59 +0530</updatedDate>
      <category><![CDATA[Shravan special]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[શ્રી શિવ ચાલીસા]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/1040812000/શ્રી-શિવ-ચાલીસા-108080100024_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/1040812000/શ્રી-શિવ-ચાલીસા-108080100024_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[જય ગિરિજાપતિ દીનદયાલ
સદા કરત સંતન પ્રતિપાલા

ભાલ ચન્દ્રમા સોહત નીકે
કાનન કુંડલ નાગફની કે 

અંગ ગૌર સિર ગંગ બહાયે
મુળ્ડમાલ તન ક્ષાર લગાયે

વસ્ત્ર ખાલ બાઘમ્બર સોહે
છવિ કો દેખી નાગ મુનિ મોહે]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:11pt; color:#8000FF'></font><br/><font  style='font-size:11pt; color:#8000FF'>દોહ</font><font style=' color:#FF0080;'>ા</font><font style=' color:#000000;'></font><br/><font  style='font-size:11pt; color:#FF0080'></font><br/><font  style='font-size:11pt; color:#FF0080'>જય ગણેશ ગિરિજા સુવન, મગંલ મૂલ સુજાન </font><br/><font  style='font-size:11pt; color:#FF0080'>કહત અયોધ્યાદાસ તુમ, દેઉ અભય વરદાન.</font><font style=' color:#000000;'></font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>જય ગિરિજાપતિ દીનદયાલ</font><br/><font  style='font-size:11pt; color:#000000'>સદા કરત સંતન પ્રતિપાલા</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ભાલ ચન્દ્રમા સોહત નીકે</font><br/><font  style='font-size:11pt; color:#000000'>કાનન કુંડલ નાગફની કે </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>અંગ ગૌર સિર ગંગ બહાયે</font><br/><font  style='font-size:11pt; color:#000000'>મુળ્ડમાલ તન ક્ષાર લગાયે</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>વસ્ત્ર ખાલ બાઘમ્બર સોહે</font><br/><font  style='font-size:11pt; color:#000000'>છવિ કો દેખી નાગ મુનિ મોહે</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>મૈના માતુ કી હવે દુલારી</font><br/><font  style='font-size:11pt; color:#000000'>વાન અંગ સોહત છવિ ન્યારી</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>કર ત્રિશુલ સોહત છવિ ભારી</font><br/><font  style='font-size:11pt; color:#000000'>કરત સદા શત્રુન ક્ષયકારી</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>નંડિ ગણેશ સોહૈ તહં કૈસે</font><br/><font  style='font-size:11pt; color:#000000'>સાગર મધ્ય કમલ હૈ જૈસે</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>કાર્તિક શ્યામ ઔર ગણરાઉ </font><br/><font  style='font-size:11pt; color:#000000'>યા છવિ કો કહી જાત ન કાઉ  </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>દેવન જબહી જાય પુકારા</font><br/><font  style='font-size:11pt; color:#000000'>તબ હી દુ:ખ પ્રભુ આપ નિવારા </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>કિયા ઉપદ્રવ તારક ભારી</font><br/><font  style='font-size:11pt; color:#000000'>દેવન સબ મિલિ તુમહી જુહારી</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>તુરત ષડાયન આપ પઠાયઉ</font><br/><font  style='font-size:11pt; color:#000000'>લવ નિમેષ મહં મારિ ગિરાયઉ</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આપ જલંધર અસુર સંહારા</font><br/><font  style='font-size:11pt; color:#000000'>સુયશ તુમ્હાર વિદિત સંસારા</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ત્રિપુરાસુન સન યુધ્ધ મચાઈ</font><br/><font  style='font-size:11pt; color:#000000'>તબ હી કૃપા કર લીન બચાઈ</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>કિયા તપહિ ભાગીરથ ભારી</font><br/><font  style='font-size:11pt; color:#000000'>પૂર્વ પ્રતિજ્ઞા તાસુ પુરારી</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>દાનિન મહં તુમ સમ કોઉ નાહી </font><br/><font  style='font-size:11pt; color:#000000'>સેવક સ્તુતિ કરત સદાહી</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>દેવ માહી મહીમા તબ ગાઈ</font><br/><font  style='font-size:11pt; color:#000000'>અકથ અનાદિ ભેદ નહી પાઈ</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>પ્રગટી ઉદધિ મંથન તે જ્વાલા</font><br/><font  style='font-size:11pt; color:#000000'>જરત સુરાસુર ભએ વિહાલા</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>કીન્હ દયા તહં કરી સહાઈ</font><br/><font  style='font-size:11pt; color:#000000'>નીલકંઠ તવ નામ કહાઈ</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>પૂજન રામચંન્દ્ર જબ કીન્હા</font><br/><font  style='font-size:11pt; color:#000000'>જીત કે લંક વિભીષણ દીન્હા</font><br/>  <font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>સહસ કમલ મે હો રહે ઘારી</font><br/><font  style='font-size:11pt; color:#000000'>કીન્હ પરીક્ષા તબહી પુરારી</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>એક કમલ પ્રભુ રાખેઉ જોઈ</font><br/><font  style='font-size:11pt; color:#000000'>કમલ નયન પૂજન ચહં સોઈ</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>કઠિન ભક્તિ દેખી પ્રભુ શંકર</font><br/><font  style='font-size:11pt; color:#000000'>ભયે પ્રસન્ન દિયે ઈચ્છિત વર</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>જય જય જય અનંત અવિનાશી</font><br/><font  style='font-size:11pt; color:#000000'>કરત કૃપા સબકે ઘટ વાસી</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>દુષ્ટ સકલ નિત મોહી સતાવે</font><br/><font  style='font-size:11pt; color:#000000'>ભ્રમત રહૌ મોહી ચેન ન આવે</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ત્રાહી ત્રાહી મે નાથ પુકારો</font><br/><font  style='font-size:11pt; color:#000000'>યે હી અવસર મોહી આન ઉબારો</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>લૈ ત્રિશુલ શત્રુન કો મારો</font><br/><font  style='font-size:11pt; color:#000000'>સંકટ તે મોહી આન ઉબારો</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>માતા-પિતા ભ્રાતા સબ હોઈ</font><br/><font  style='font-size:11pt; color:#000000'>સંકટ મે પૂછત નહી કોઈ</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>સ્વામી એક હૈ આસ તુમ્હારી</font><br/><font  style='font-size:11pt; color:#000000'>આય હુરહુ મમ સંકટ ભારી</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ધન નિર્ધન કો દેત સદા હી</font><br/><font  style='font-size:11pt; color:#000000'>જો કોઈ જાંચે સો ફલ પાહી</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>અસ્તુત કેહી વિધિ કરૈ તુમ્હારી</font><br/><font  style='font-size:11pt; color:#000000'>ક્ષમહૂ નાથ અબ ચૂક હમારી</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>શંકર હો સંકટ કે નાશન</font><br/><font  style='font-size:11pt; color:#000000'>મંગલ કારણ વિધ્ન વિનાશન</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>યોગી યતિ મુનિ ધ્યાન લગાવે</font><br/><font  style='font-size:11pt; color:#000000'>શારદ નારદ શીશ નવાવૈ</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>નમો નમો જય નમ: શિવાય</font><br/><font  style='font-size:11pt; color:#000000'>સુર બ્રહ્માદિક પાર ન પાય</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>જો યહ પાઠ કરે મન લાઈ</font><br/><font  style='font-size:11pt; color:#000000'>તા પર હોતે હૈ શમ્ભુ સહાઈ</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ઋનીયા જો કોઈ હો અધિકારી</font><br/><font  style='font-size:11pt; color:#000000'>પાઠ કરે સો પાવન હારી</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>પુત્ર હોન કી ઈચ્છા જોઈ</font><br/><font  style='font-size:11pt; color:#000000'>નિશ્ચય શિવ પ્રસાદ તેહિ હોઈ</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>પંડિત ત્રયોદશી કો લાવે</font><br/><font  style='font-size:11pt; color:#000000'>ધ્યાનપૂર્વક હોમ કરાવે</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ત્રયોદશી વ્રત કરે હમેશા</font><br/><font  style='font-size:11pt; color:#000000'>તાકે તન નહી રહે ક્લેશા </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ધૂપ દીપ નૈવેદ ચઢાવે</font><br/><font  style='font-size:11pt; color:#000000'>શંકર સમ્મુખ પાઠ સુનાવે</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>જન્મ જન્મ કે પાપ નસાવે</font><br/><font  style='font-size:11pt; color:#000000'>અંતધામ શિવપુર મે પાવે</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>કહૈ અયોધ્યાદાસ આસ તુમ્હારી</font><br/><font  style='font-size:11pt; color:#000000'>જાનિ સકલ દુખ હરહુ હમારી</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>દોહા- </font><br/><font  style='font-size:11pt; color:#000000'>નિત નેમ કર પ્રાત હી, પાઠ કરો ચાલીસા</font><br/><font  style='font-size:11pt; color:#000000'>તુમ મેરી મનોકામના, પૂર્ણ કરો જગદીશા</font><br/><font  style='font-size:11pt; color:#000000'>મગસિર ઉઠી હેમંત ઋતુ, સંવત ચૌસઠ જાન</font><br/><font  style='font-size:11pt; color:#000000'>સ્તુતિ ચાલીસા શિવહીં, પૂર્ણ કીન કલ્યાણ </font>]]></content:encoded>
      <pubDate>Fri, 01 Aug 2008 17:25:22 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 19:50:59 +0530</updatedDate>
      <category><![CDATA[Shravan special]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[નટરાજ સ્તુતિ]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/1040812000/નટરાજ-સ્તુતિ-108080100023_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/1040812000/નટરાજ-સ્તુતિ-108080100023_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[સત સૃષ્ટિ તાંડવ રચયિતા
નટરાજ રાજ નમો નમ:...

હે આદ્ય ગુરૂ શંકર પિતા
નટરાજ રાજ નમો નમ:...]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:12pt; color:#000000'></font><br/><!--Image--><p><table style='margin: 3px 8px 0px 0px;' cellspacing='0' cellpadding='0' border='0' Align=Left><tr><td valign='top'><img src='/gu/articles/0808/01/images/img1080801023_1_1.jpg' Alt='' Border=0  HSPACE=4 VSPACE=4 class='imgArticle_New'></td></tr><tr><td class='imgSource'><table width='100%' cellpadding='0' cellspacing='0' border='0'><tr><td align='left'></td><td valign='top' align='right'>W.D</td></tr></table></td></tr></table></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'>સત સૃષ્ટિ તાંડવ રચયિતા</font><br/><font  style='font-size:11pt; color:#000000'>નટરાજ રાજ નમો નમ:...</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>હે આદ્ય ગુરૂ શંકર પિતા</font><br/><font  style='font-size:11pt; color:#000000'>નટરાજ રાજ નમો નમ:... </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ગંભીર નાદ મૃંદંગના ધબકે ઉરે બ્રહ્માડના</font><br/><font  style='font-size:11pt; color:#000000'>નિત હોત નાદ પ્રચંડના </font><br/><font  style='font-size:11pt; color:#000000'>નટરાજ રાજ નમો નમ:... </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>શિર જ્ઞાન ગંગા ચંદ્રમા ચિદબ્રહ્મ જ્યોતિ લલાટ માં</font><br/><font  style='font-size:11pt; color:#000000'>વિષનાગ માલા કંઠ માં</font><br/><font  style='font-size:11pt; color:#000000'>નટરાજ રાજ નમો નમ:...</font><br/> <font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>તવશક્તિ વામાંગે સ્થિતા હે ચંદ્રિકા અપરાજીતા</font><br/><font  style='font-size:11pt; color:#000000'>ચહુ વેદ જ્ઞાન સંહિતા</font><br/><font  style='font-size:11pt; color:#000000'>નટરાજ રાજ નમો નમ:... </font>]]></content:encoded>
      <pubDate>Fri, 01 Aug 2008 17:24:59 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 19:50:59 +0530</updatedDate>
      <category><![CDATA[Shravan special]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[શિવ સ્તુતિ]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/1040812000/શિવ-સ્તુતિ-108080100021_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/1040812000/શિવ-સ્તુતિ-108080100021_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[શંભુ શરણે પડી, માંગુ ઘડી રે ઘડી,
કષ્ટ કાપો, દયા કરી દર્શન શિવ આપો. 
તમે ભક્તોના દુ:ખ હરનારા, 
શુભ સૌનું સદા કરનારા;
હુ તોમંદ મતિ, તારી અકળ ગતિ,
કષ્ટો કાપો, દયા કરી દર્શન શિવ આપો. શંભુ..]]></description>
      <content:encoded><![CDATA[<!--Image--><p><table style='margin: 3px 8px 0px 0px;' cellspacing='0' cellpadding='0' border='0' Align=Left><tr><td valign='top'><img src='/gu/articles/0808/01/images/img1080801021_1_1.jpg' Alt='' Border=0  HSPACE=4 VSPACE=4 class='imgArticle_New'></td></tr><tr><td class='imgSource'><table width='100%' cellpadding='0' cellspacing='0' border='0'><tr><td align='left'></td><td valign='top' align='right'>W.D</td></tr></table></td></tr></table></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>શંભુ શરણે પડી, માંગુ ઘડી રે ઘડી,</font><br/><font  style='font-size:11pt; color:#000000'>કષ્ટ કાપો, દયા કરી દર્શન શિવ આપો. </font><br/><font  style='font-size:11pt; color:#000000'>તમે ભક્તોના દુ:ખ હરનારા, </font><br/><font  style='font-size:11pt; color:#000000'>શુભ સૌનું સદા કરનારા;</font><br/><font  style='font-size:11pt; color:#000000'>હુ તોમંદ મતિ, તારી અકળ ગતિ,</font><br/><font  style='font-size:11pt; color:#000000'>કષ્ટો કાપો, દયા કરી દર્શન શિવ આપો. શંભુ..</font><br/><font  style='font-size:11pt; color:#000000'>આપો ભક્તિમાં ભાવ અનેરો, </font><br/><font  style='font-size:11pt; color:#000000'>શિવ ભક્તિમાં ધર્મ ઘણેરો;</font><br/><font  style='font-size:11pt; color:#000000'>પ્ર્ભુ તમે પૂજો દેવી પાર્વતી પૂજો,</font><br/><font  style='font-size:11pt; color:#000000'>કષ્ટો કાપો દયા કરી દર્શન શિવ આપો.શંભુ..</font><br/><font  style='font-size:11pt; color:#000000'>અંગે ભસ્મ સ્મશાનની ચોળી,</font><br/><font  style='font-size:11pt; color:#000000'>સંગે રાખો સદા ભૂત ટોળી;</font><br/><font  style='font-size:11pt; color:#000000'>ભાલે તિલક કર્યું, કંઠે વિષને ધર્યું,</font><br/><font  style='font-size:11pt; color:#000000'>અમૃત આપો, દયા કરી દર્શન શિવ આપો. શંભુ..</font><br/><font  style='font-size:11pt; color:#000000'>નેતિ નેતિ જ્યાં વેદ કહે છે,</font><br/><font  style='font-size:11pt; color:#000000'>મારુ ચિતડુ ત્યાં જાવા ચહે છે,</font><br/><font  style='font-size:11pt; color:#000000'>સારા જગમાં છે તુ, વસુ તારામાં હુ,</font><br/><font  style='font-size:11pt; color:#000000'>શક્તિ આપો, દયા કરી દર્શન શિવ આપો. શંભુ..</font><br/><font  style='font-size:11pt; color:#000000'>હુ તો એકલ પંથી પ્રવાસી,</font><br/><font  style='font-size:11pt; color:#000000'>છતાં આત્મા કેમ ઉદાસી;</font><br/><font  style='font-size:11pt; color:#000000'>થાક્યો મથી રે મથી, કારણ મળતુ નથી,</font><br/><font  style='font-size:11pt; color:#000000'>સમજણ આપો, દયા કરી દર્શન શિવ આપો. આપો..</font><br/><font  style='font-size:11pt; color:#000000'>આપો દ્રષ્ટીમાં તેજ અનોખું,</font><br/><font  style='font-size:11pt; color:#000000'>સારી સૃષ્ટીમાં શિવરૂપ દેખું;</font><br/><font  style='font-size:11pt; color:#000000'>મારા મનમાં વસો, આવી હૈયે હસો,</font><br/><font  style='font-size:11pt; color:#000000'>શાંતિ સ્થાપો,દયા કરી દર્શન શિવ આપો. શંભુ..</font><br/><font  style='font-size:11pt; color:#000000'>ભોળૉઆ શંકર ભવ દુ:ખ કાપો, </font><br/><font  style='font-size:11pt; color:#000000'>નિત્ય સેવાનું શુભ ધન મને આપો,</font><br/><font  style='font-size:11pt; color:#000000'>ટાળો માન-મદ, ગાળો સર્વ સદા,</font><br/><font  style='font-size:11pt; color:#000000'>ભક્તિ આપો, દયા કરી દર્શન શિવ આપો. શંભુ..</font><br/><font  style='font-size:11pt; color:#000000'>અંગે શોભે છે રુદ્રની માળા,</font><br/><font  style='font-size:11pt; color:#000000'>કંઠે લટકે છે ભોરિંગ કાળા,</font><br/><font  style='font-size:11pt; color:#000000'>તમે ઉમિયા પતિ, અમને આપો મતિ;</font><br/><font  style='font-size:11pt; color:#000000'>કષ્ટ કાપો, દયા કરી દર્શન શિવ આપો. શંભુ..</font>]]></content:encoded>
      <pubDate>Fri, 01 Aug 2008 17:23:37 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 19:50:59 +0530</updatedDate>
      <category><![CDATA[Shravan special]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[પ્રદોષ નૃત્ય]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/1040812000/પ્રદોષ-નૃત્ય-108080100020_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/1040812000/પ્રદોષ-નૃત્ય-108080100020_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[એક સમયની વાત છે ભગવાન શિવના તાંડવ નૃત્યમાં સમ્મેલિત થવા માટે બધા જ દેવગણ કૈલાસ પરવત પર હાજર થયા. 

જગતજનની માતા ગૌરી ત્યાં દિવ્ય રત્નસિહાસન પર બેસીને પોતાની અધ્યક્ષતામાં તાંડવનું આયોજન કરાવવા માટે ઉપસ્થિત હતાં.

દેવર્ષી નારદ પણ તે નૃત્ય કાર્યક્રમમાં]]></description>
      <content:encoded><![CDATA[<!--Image--><p><table style='margin: 3px 8px 0px 0px;' cellspacing='0' cellpadding='0' border='0' Align=Left><tr><td valign='top'><img src='/gu/articles/0808/01/images/img1080801020_1_1.jpg' Alt='' Border=0  HSPACE=4 VSPACE=4 class='imgArticle_New'></td></tr><tr><td class='imgSource'><table width='100%' cellpadding='0' cellspacing='0' border='0'><tr><td align='left'></td><td valign='top' align='right'>W.D</td></tr></table></td></tr></table></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>એક સમયની વાત છે ભગવાન શિવના તાંડવ નૃત્યમાં સમ્મેલિત થવા માટે બધા જ દેવગણ કૈલાસ પરવત પર હાજર થયા. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>જગતજનની માતા ગૌરી ત્યાં દિવ્ય રત્નસિહાસન પર બેસીને પોતાની અધ્યક્ષતામાં તાંડવનું આયોજન કરાવવા માટે ઉપસ્થિત હતાં.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>દેવર્ષી નારદ પણ તે નૃત્ય કાર્યક્રમમાં સમ્મેલિત થવા માટે ત્રણેય લોકનું પરિભ્રમણ કરીને ત્યાં પહોચ્યાં હતાં. થોડીવારમાં ભગવાન શિવે ભાવ-વિભોર થઈને તાંડવ નૃત્ય શરૂ કર્યું. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>બધા જ દેવી અને દેવતાઓ તે નૃત્યમાં સહયોગી થઈને જુદા જુદા પ્રકારના વાજિંત્રો વગાડવા લાગ્યાં. વીણા વાદિની મા સરસ્વતી વીણા વાદન કરવા લાગ્યાં, વિષ્ણુ ભગવાન મૃદંગ વગાડવા લાગ્યાં, બ્રહ્માજી હાથેથી તાલ આપવા લાગ્યાં અને લક્ષ્મીજી ગાવા લાગ્યાં. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>બીજા દેવો ગંધર્વ, કિન્નર, યક્ષ, ઉરગ, પન્નગ, સિધ્ધ, અપ્સરાઓ, વિદ્યાધર વગેરે ખુબ જ ભાવ વિભોર થઈને ભગવાન શિવની ચારે તરફ થઈને તેઓની સ્તુ તિમાં તલ્લીન થઈ ગયાં. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ભગવાન શિવે તે પ્રદોષકાળમાં તે બધી જ દિવ્ય વિભૂતિઓની સામે ખુબ જ અદભુત, લોક-વિસ્મયકારી તાંડવ નૃત્યનું પ્રદર્શન કર્યું. તેઓના અંગ-સંચાલન-કૌશલ, મુદ્રા-લાઘવ, પગ, હાથ, કમર, ગરદનની સામે સુનુશ્ચિત વિલોલ-હિલ્લોલના પ્રભાવથી બધાના મન અને નેત્રો એકદમ ચંચળ થઈ ગયાં. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>બધાએ નટરાજ ભગવાન શિવજીના આ નૃત્યનાં વખાણ કર્યાં. ભગવતી મહાકાળી તો તેમના પર ખુબ જ પ્રસન્ન થઈ ગયાં. તેઓએ શિવજીને કહ્યું કે ભગવાન આજના તમારા આ નૃત્યથી મને ઘણો આનંદ થયો છે તેથી હુ ઇચ્છુ છુ કે તમે મારી જોડેથી કઈક વરદાન માંગો.    </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>તેમની વાતો સાંભળીને લોકહિતકારી આશુતોષ ભગવાન શિવે નારદજીની પ્રેરણાથી કહ્યું- હે દેવી ! આ તાંડવ નૃત્યના જે આનંદથી તમે અને દેવગણો તેમજ દિવ્ય લોકના પ્રાણીઓ જેનાથી આનંદીત થઈ રહ્યાં છે તેના આનંદથી પૃથ્વીના પ્રાણીઓ વંચીત રહી જાય છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આપણા ભક્તોને પણ આ સુખ પ્રાપ્ત નથી થતું. તેથી તમે એવું કરે કે પૃથ્વીના પ્રાણીઓને પણ આના દર્શન પ્રાપ્ત થાય. પરંતુ હવે હુ તાંડવથી મુક્ત થઈને ફકત રાસ જ કરવા માંગું છુ. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ભગવાન શિવની વાત સાંભળીને તાત્કાલીક ભગવતી મહાકાળીએ બધા જ દેવતાઓને જુદા જુદા રૂપોમાં પૃથ્વી પર અવતાર લેવાનું કહી દીધું. ભગવાન પોતે પણ શ્યામસુંદર શ્રી કૃષ્ણનો અવતાર લઈને વૃદાવનમાં પધાર્યા. ભગવાન શ્રી શિવજીએ વ્રજમાં શ્રી રાધાના રૂપે અવતાર ગ્રહણ કર્યો હતો.  અહીંયા આ બંન્નેએ મળીને દેવદુર્લભ,અલૌકિક રાસ-નૃત્યનુ આયોજન કર્યું હતું. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ભગવાન શિવની નટરાજની ઉપાધી અહી શ્રી કૃષ્ણને પ્રાપ્ત થઈ. પૃથ્વીના બધા જ પ્રાણીઓ આ રાસને જોઇને આનંદ-વિભોર થઈ ગયાં. અને ભગવાન શિવની ઇચ્છા પૂર્ણ થઈ ગઈ.         </font>]]></content:encoded>
      <pubDate>Fri, 01 Aug 2008 17:22:48 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 19:50:59 +0530</updatedDate>
      <category><![CDATA[Shravan special]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[શિવજીની આરતી]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/1040812000/શિવજીની-આરતી-108080100018_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/1040812000/શિવજીની-આરતી-108080100018_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[જય શિવ ઓંકારા, ભજ જય શિવઓંકારા
બ્રહ્મા વિષ્ણુ સદાશિવ (2) અર્ધાગી ધારા. ॐ હર હર હર મહાદેવ 
અકાનન ચતુરાનન, પંચાનન રાજે, શિવ પંચાનન...
હંસાનન ગરૂડાસન (2) વૃષવાહન સાજે, જય શિવ]]></description>
      <content:encoded><![CDATA[<!--Image--><p><table style='margin: 3px 8px 0px 0px;' cellspacing='0' cellpadding='0' border='0' Align=Left><tr><td valign='top'><img src='/gu/articles/0808/01/images/img1080801018_1_1.jpg' Alt='' Border=0  HSPACE=4 VSPACE=4 class='imgArticle_New'></td></tr><tr><td class='imgSource'><table width='100%' cellpadding='0' cellspacing='0' border='0'><tr><td align='left'></td><td valign='top' align='right'>W.D</td></tr></table></td></tr></table></p><!--endImage-->   <font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>જય શિવ ઓંકારા, ભજ જય શિવઓંકારા</font><br/><font  style='font-size:11pt; color:#000000'>બ્રહ્મા વિષ્ણુ સદાશિવ (2) અર્ધાગી ધારા. </font><br/>     <font  style='font-size:11pt; color:#000000'>ॐ </font><font style='font-size:11pt;'>હર હર હર મહાદેવ </font><br/><font  style='font-size:11pt; color:#000000'>અકાનન ચતુરાનન, પંચાનન રાજે, શિવ પંચાનન...</font><br/><font  style='font-size:11pt; color:#000000'>હંસાનન ગરૂડાસન (2) વૃષવાહન સાજે, જય શિવ </font><br/><font  style='font-size:11pt; color:#000000'>દો ભુજ ચાર ચતુર્ભુજ, દસ ભુજ અતિ સોહે, શિવ દસ ભુજ...</font><br/><font  style='font-size:11pt; color:#000000'>તીનો રૂપ નિરખતાં (2) ત્રિભુવન જન મોહે, જય શિવ </font><br/><font  style='font-size:11pt; color:#000000'>અક્ષમાલા વનમાલા રુણ્ડમાલા ધારી, શિવ રુણ્ડમાલા...</font><br/><font  style='font-size:11pt; color:#000000'>ચંદન મૃગમદ સોહે (2) ભાલે શુભ કારી, </font><font style='font-size:11pt;'>ॐ </font><font style='font-size:11pt;'>જય શિવ </font><br/><font  style='font-size:11pt; color:#000000'>શ્વેતાંબર પીતામ્બર, વાધામ્બર અંગે, શિવ વાઘામ્બર... </font><br/><font  style='font-size:11pt; color:#000000'>સનકાદિક બ્રહ્માદિક (2) ભુતાદિક સંગે, </font><font style='font-size:11pt;'>ॐ </font><font style='font-size:11pt;'>જય શિવ </font><br/><font  style='font-size:11pt; color:#000000'>લક્ષ્મીવર ગાયત્રી, પાર્વતી સંગે, શિવ પાર્વતી.. </font><br/><font  style='font-size:11pt; color:#000000'>અર્ધાંગી અરુ ત્રિભંગી (2) સિર સોહત ગંગે, </font><font style='font-size:11pt;'>ॐ </font><font style='font-size:11pt;'>જય શિવ </font><br/><font  style='font-size:11pt; color:#000000'>કરકે મધ્ય કમંડલ, ચક્ર ત્રિશૂલ ધર્તા, શિવ ચક્ર.. </font><br/><font  style='font-size:11pt; color:#000000'>જગકર્તા, જગભર્તા (2) જગકા સંહર્તા, </font><font style='font-size:11pt;'>ॐ </font><font style='font-size:11pt;'>જય શિવ </font><br/><font  style='font-size:11pt; color:#000000'>બ્રહ્મા વિષ્ણુ સદાશિવ જાનત અવિવેકા, શિવ જાનત..</font><br/><font  style='font-size:11pt; color:#000000'>પ્રણવ અક્ષર મધ્યે (2) યે તીનો એકા, </font><font style='font-size:11pt;'>ॐ </font><font style='font-size:11pt;'>જય શિવ </font><br/><font  style='font-size:11pt; color:#000000'>ત્રિગુણ શીવજી કી આરતી, જો કોઇ ગાવે, શિવ જો કોઇ.... </font><br/><font  style='font-size:11pt; color:#000000'>કહત શિવાનન્દ સ્વામી ! (2) મનવાંછિત ફલ પાવેં, </font><font style='font-size:11pt;'>ॐ </font>]]></content:encoded>
      <pubDate>Fri, 01 Aug 2008 17:21:51 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 19:50:59 +0530</updatedDate>
      <category><![CDATA[Shravan special]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[શિવને પ્રિય શ્રાવણ માસ]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/1040812000/શિવને-પ્રિય-શ્રાવણ-માસ-108080100016_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/1040812000/શિવને-પ્રિય-શ્રાવણ-માસ-108080100016_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[ભગવાન શિવના ભારતમાં બાર જ્યોતિર્લીગ છે. શિવપુરાણમાં આ બધા જ જ્યોતિર્લીંગનો ઉલ્લેખ છે. આ બાર જ્યોતિર્લીંગના દર્શન કરવાથી બધા જ તીર્થોનું ફળ પ્રાપ્ત થાય છે. 

પદ્મ પુરાણના પાતાળ ખંડના આઠમા અધ્યાયમાં જ્યોતિર્લીગો]]></description>
      <content:encoded><![CDATA[<!--Image--><p><table style='margin: 3px 8px 0px 0px;' cellspacing='0' cellpadding='0' border='0' Align=Left><tr><td valign='top'><img src='/gu/articles/0808/01/images/img1080801016_1_1.jpg' Alt='' Border=0  HSPACE=4 VSPACE=4 class='imgArticle_New'></td></tr><tr><td class='imgSource'><table width='100%' cellpadding='0' cellspacing='0' border='0'><tr><td align='left'></td><td valign='top' align='right'>W.D</td></tr></table></td></tr></table></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ભગવાન શિવના ભારતમાં બાર જ્યોતિર્લીગ છે. શિવપુરાણમાં આ બધા જ જ્યોતિર્લીંગનો ઉલ્લેખ છે. આ બાર જ્યોતિર્લીંગના દર્શન કરવાથી બધા જ તીર્થોનું ફળ પ્રાપ્ત થાય છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>પદ્મ પુરાણના પાતાળ ખંડના આઠમા અધ્યાયમાં જ્યોતિર્લીગો વિશે કહેવામાં આવ્યું છે કે જે મનુષ્ય આ દ્વાદશ જ્યોતિર્લિગના દર્શન કરે છે તેની બધીજ મનોકામનાઓ પૂર્ણ થઈ જાય છે. સ્વર્ગ અને વૈભવ જેમની કૃપાથી પ્રાપ્ત થાય છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>શિવના ત્રિશુળની એક ટોચ પર આખા કાશી વિશ્વનાથની નગરીનો ભાર છે. પુરાણોમાં એવું વર્ણન છે કે ગમે તેવો પ્રલય આવે છતાં પણ કાશીને કોઇ પણ પ્રકારનું નુકશાન નથી થતું.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ભારતમાં શિવને લગતાં ઘણા બધા ઉત્સવો ઉજવવામાં આવે છે. જેમાં શ્રાવણ માસ પણ તેનું વિશેષ મહત્વ રાખે છે. આખા શ્રાવણ માસ દરમિયાન ચાર સોમવાર, એક પ્રદોષ તેમજ એક શિવરાત્રી આ બધા યોગ એકસાથે શ્રાવણ મહિનામાં ભેગા થાય છે તેથી તે વધારે ફળ આપનાર છે. આ મહિનાના દરેક સોમવારે શિવમૂઠ ચડાવવામાં આવે છે. જે આ પ્રકારે છે- </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>પહેલા સોમવારે કાચા ચોખા એક મુઠ્ઠી, બીજા સોમવારે સફેદ તલ એક મુઠ્ઠી, ત્રીજા સોમવારે આખા મગ, ચોથા સોમવારે જવ એક મુઠ્ઠી. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>મહિલાઓ શ્રાવણ માસમાં વિશેષ પૂજા અર્ચના તેમજ વ્રત પોતાના પતિની લાંબી ઉંમર માટે કરે છે. અને તેમાંય વળી બધા જ વ્રતોમાંથી સોળ સોમવારનું વ્રત ખુબ જ શ્રેષ્ઠ છે. આ વ્રતને વૈશાખ, શ્રાવણ, કારતક, અને માગશર મહિનાના કોઇ પણ સોમવારથી ચાલુ કરી શકાય છે. આ વ્રતની સમાપ્તી સત્તરમા સોમવારે સોળ દંપત્તીને ભોજન તેમજ કોઇ બીજું દાન આપીને થાય છે. </font><br/> <font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>શિવની પૂજામાં બીલીપત્રનું ખુબ જ મહત્વ છે. શિવ દ્વારા વિષપાન કરવાથી શિવના મસ્તક પર પાણીની ધારથી જળાભિષેક ભક્તો દ્વારા કરવામાં આવે છે. શિવે ગંગાને પોતાના મસ્તક પર ધારણ કર્યાં છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>શિવનો અગીયારમો અવતાર હનુમાનના રૂપમાં થયો હતો. આખા શ્રાવણમાસ દરમિયાન શિવભક્તો દ્વારા શિવપુરાણ, શિવલીલામૃત, શિવ કવચ, શિવ ચાલીસા, શિવ પંચાક્ષર મંત્ર, શિવ પંચાક્ષર સ્ત્રોત, મહામૃત્યંજય મંત્રનો પાઠ તેમજ જપ કરવામાં આવે છે. શ્રાવણ માસમાં આ કરવાથી વધું ફળ મળે છે.  </font>]]></content:encoded>
      <pubDate>Fri, 01 Aug 2008 17:20:31 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 19:50:59 +0530</updatedDate>
      <category><![CDATA[Shravan special]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[શ્રી શીવ સ્તવન]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/1040812000/શ્રી-શીવ-સ્તવન-108080100015_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/1040812000/શ્રી-શીવ-સ્તવન-108080100015_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[વન્દે શમ્ભુઉમાપતિં વન્દે જગત્કારણં
વન્દે પન્નગભૂષણં મૃગધર વન્દે પશૂનાં પતિમ.
વન્દે સૂર્યશશાંકવહનિનયનં વન્દે મુકુન્દપ્રિયં
વન્દે ભક્તજનાશ્રયં ચ વરદં વન્દે શિવ શંકરમ.
વન્દે પંચમુખાંબુજં વિનયનં વન્દે લલાટેક્ષણં
વન્દે વ્યોમગતં જટાસુમુકુટં ...]]></description>
      <content:encoded><![CDATA[<!--Image--><p><table style='margin: 3px 8px 0px 0px;' cellspacing='0' cellpadding='0' border='0' Align=Left><tr><td valign='top'><img src='/gu/articles/0808/01/images/img1080801015_1_1.jpg' Alt='' Border=0  HSPACE=4 VSPACE=4 class='imgArticle_New'></td></tr><tr><td class='imgSource'><table width='100%' cellpadding='0' cellspacing='0' border='0'><tr><td align='left'></td><td valign='top' align='right'>W.D</td></tr></table></td></tr></table></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>વન્દે શમ્ભુઉમાપતિં વન્દે જગત્કારણં</font><br/><font  style='font-size:11pt; color:#000000'>વન્દે પન્નગભૂષણં મૃગધર વન્દે પશૂનાં પતિમ.</font><br/><font  style='font-size:11pt; color:#000000'>વન્દે સૂર્યશશાંકવહનિનયનં વન્દે મુકુન્દપ્રિયં</font><br/><font  style='font-size:11pt; color:#000000'>વન્દે ભક્તજનાશ્રયં ચ વ</font><font style='font-size:12pt;'>ર </font><font style='font-size:11pt;'>દં વન્દે શિવ શંકરમ.</font><br/><font  style='font-size:11pt; color:#000000'>વન્દે પંચમુખાંબુજં વિનયનં વન્દે લલાટેક્ષણં</font><br/><font  style='font-size:11pt; color:#000000'>વન્દે વ્યોમગતં જટાસુમુકુટં ચંદ્રાર્ધગંગાધરમ.</font><br/><font  style='font-size:11pt; color:#000000'>વન્દે ભસ્મકૃત- ત્રિપુંડ્રજટિલં વંદેડષ્ટમૂર્ત્યાત્મકં</font><br/><font  style='font-size:11pt; color:#000000'>વન્દે ભક્તજનાશ્રયં ચ વરદં વંદે શિવં શકંરમ.</font>]]></content:encoded>
      <pubDate>Fri, 01 Aug 2008 17:19:36 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 19:50:59 +0530</updatedDate>
      <category><![CDATA[Shravan special]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[મહામૃત્યંજય જપ]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/1040812000/મહામૃત્યંજય-જપ-108080100013_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/1040812000/મહામૃત્યંજય-જપ-108080100013_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[મહામૃત્યુંજય મંત્ર જપવાથી અકાળ મૃત્યુનો ભય ટળી જાય છે અને આરોગ્યતાની પ્રાપ્તિ થાય છે. સ્નાન કરતી વખતે શરીર પર પાણી નાંખતા સમયે આ મંત્રનો જપ કરવાથી સ્વાસ્થ્યને લાભ થાય છે. દૂધને જોતા જોતા આ મંત્રનો જાપ કર્યા બાદ તે દુધને પીવાથી યૌવનની]]></description>
      <content:encoded><![CDATA[<!--Image--><p><table style='margin: 3px 8px 0px 0px;' cellspacing='0' cellpadding='0' border='0' Align=Left><tr><td valign='top'><img src='/gu/articles/0808/01/images/img1080801013_1_1.jpg' Alt='' Border=0  HSPACE=4 VSPACE=4 class='imgArticle_New'></td></tr><tr><td class='imgSource'><table width='100%' cellpadding='0' cellspacing='0' border='0'><tr><td align='left'></td><td valign='top' align='right'>W.D</td></tr></table></td></tr></table></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ત્ર્યંબકમ યજામહે સુગન્ધિ પુષ્ટિવર્ધનમ</font><br/><font  style='font-size:11pt; color:#000000'>ઉર્વારૂકમિવ બન્ધનાન્મૃત્યોર્મુક્ષીય મામૃતાત.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>મહામૃત્યુંજય મંત્ર જપવાથી અકાળ મૃત્યુનો ભય ટળી જાય છે અને આરોગ્યતાની પ્રાપ્તિ થાય છે. સ્નાન કરતી વખતે શરીર પર પાણી નાંખતા સમયે આ મંત્રનો જપ કરવાથી સ્વાસ્થ્યને લાભ થાય છે. દૂધને જોતા જોતા આ મંત્રનો જાપ કર્યા બાદ તે દુધને પીવાથી યૌવનની સુરક્ષામાં સહાયતા થાય છે. સાથે સાથે આ મંત્રનો જાપ કરવાથી ઘણી અડચણો પણ દૂર થાય છે. નીચે લખેલી પરિસ્થિતિની અંદર પણ આ મંત્રનો જાપ કરવામાં આવે છે. </font><br/> <font  style='font-size:11pt; color:#000000'></font><br/>1) <font  style='font-size:11pt; color:#000000'>કોઈ મોટા રોગથી પીડિત હોવા પર </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/>2) <font  style='font-size:11pt; color:#000000'>જમીન-મિલ્કતના ભાગલાની સંભાવના હોય તો</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/>3) <font  style='font-size:11pt; color:#000000'>રાજ્ય કે મિલ્કતના જવાનો ભય હોય</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/>4) <font  style='font-size:11pt; color:#000000'>ધન-હાનિનો ભય હોય</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/>5) <font  style='font-size:11pt; color:#000000'>નાડીદોષ અને ષડષ્ટ વગેરે આવતાં હોય</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/>6) <font  style='font-size:11pt; color:#000000'>મન ધાર્મિક કાર્યોથી વિમુક્ત થઈ ગયું હોય</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/>7) <font  style='font-size:11pt; color:#000000'>રાષ્ટ્રનું વિભાજન થઈ ગયું હોય</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/>8) <font  style='font-size:11pt; color:#000000'>મનુષ્યની અંદર પરસ્પર ઝઘડા થઈ રહ્યાં હોય</font>]]></content:encoded>
      <pubDate>Fri, 01 Aug 2008 17:18:53 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 19:50:59 +0530</updatedDate>
      <category><![CDATA[Shravan special]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[દ્વ્રાદશ જ્યોતિર્લિંગ સ્તુતિ]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/1040812000/દ્વ્રાદશ-જ્યોતિર્લિંગ-સ્તુતિ-108080100007_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/1040812000/દ્વ્રાદશ-જ્યોતિર્લિંગ-સ્તુતિ-108080100007_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[સૌરાષ્ટ્રે સોમનાથં ચ, શ્રી શૈલે મલ્લિકાર્જુનમ,
ઉજ્જયિન્યાં મહાકાલમ ॐ કારમ અમલેશ્વરમ.
પરલ્યાં વૈદ્યનાથં ચ, ડાકિન્યાં ભીમશંકરમ,
સેતુબન્ધૈ તુ રામેશં, નાગેશં દારુકાવને.
વારાણસ્યાં તુ વિશ્વેશં ત્ર્યંબકં ગૌમતીતટે,
હિમાલયે તુ કેદારં, ધુશ્મેશં તુ શિવાલયે.]]></description>
      <content:encoded><![CDATA[<!--Image--><p><table style='margin: 3px 8px 0px 0px;' cellspacing='0' cellpadding='0' border='0' Align=Left><tr><td valign='top'><img src='/gu/articles/0808/01/images/img1080801007_1_1.jpg' Alt='' Border=0  HSPACE=4 VSPACE=4 class='imgArticle_New'></td></tr><tr><td class='imgSource'><table width='100%' cellpadding='0' cellspacing='0' border='0'><tr><td align='left'></td><td valign='top' align='right'>W.D</td></tr></table></td></tr></table></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>સૌરાષ્ટ્રે સોમનાથં ચ, શ્રી શૈલે મલ્લિકાર્જુનમ,</font><br/><font  style='font-size:11pt; color:#000000'>ઉજ્જયિન્યાં મહાકાલમ </font><font style='font-size:11pt;'>ॐ </font><font style='font-size:11pt;'>કારમ અમલેશ્વરમ.</font><br/><font  style='font-size:11pt; color:#000000'>પરલ્યાં વૈદ્યનાથં ચ, ડાકિન્યાં ભીમશંકરમ,</font><br/><font  style='font-size:11pt; color:#000000'>સેતુબન્ધૈ તુ રામેશં, નાગેશં દારુકાવને.</font><br/><font  style='font-size:11pt; color:#000000'>વારાણસ્યાં તુ વિશ્વેશં ત્ર્યંબકં ગૌમતીતટે,</font><br/><font  style='font-size:11pt; color:#000000'>હિમાલયે તુ કેદારં, ધુશ્મેશં તુ શિવાલયે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'>એતાનિ જ્યોતિર્લિગાનિ, સાયંપ્રાત: પઠેન્નર:,</font><br/><font  style='font-size:11pt; color:#000000'>સપ્તજન્મકૃતં પાપં સ્મરણેન વિનશ્યતિય.</font>]]></content:encoded>
      <pubDate>Fri, 01 Aug 2008 17:18:15 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 19:50:59 +0530</updatedDate>
      <category><![CDATA[Shravan special]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[સોળ સોમવારની વાર્તા]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/1040812000/somnar-vrat-katha-108080100026_1.html</link>
      <guid>https://gujarati.webdunia.com/article/1040812000/somnar-vrat-katha-108080100026_1.html</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[( આ વ્રતની શરૂઆત શ્રાવણ મહિનાના સોમવારથી કરવામાં આવે છે.  આ વ્રત કરનારે સોમવારે શીવજીના મંદિરે જઈને ભાવ પૂર્વક ઉમા-મહેશની પૂજા કરવી. તે દિવસે એકટાણુ કરવું અને વાર્તા કહેતી વખતે અને સાંભળતી વખતે હાથમાં ચોખા રાખવા.)]]></description>
      <content:encoded><![CDATA[<!--Image-->
<p>
	<table align="Left" border="0" cellpadding="0" cellspacing="0" style="margin: 3px 8px 0px 0px;">
		<tbody>
			<tr>
				<td valign="top">
					<img alt="" border="0" class="imgArticle_New" hspace="4" src="/gu/articles/0808/01/images/img1080801026_1_1.jpg" vspace="4" /></td>
			</tr>
			<tr>
				<td class="imgSource">
					<table border="0" cellpadding="0" cellspacing="0" width="100%">
						<tbody>
							<tr>
								<td align="left">
									 </td>
								<td align="right" valign="top">
									W.D</td>
							</tr>
						</tbody>
					</table>
				</td>
			</tr>
		</tbody>
	</table>
</p>
<!--endImage--><br />
( <font style="font-size:11pt; color:#000000">આ વ્રતની શરૂઆત શ્રાવણ મહિનાના સોમવારથી કરવામાં આવે છે. આ વ્રત કરનારે સોમવારે શીવજીના મંદિરે જઈને ભાવ પૂર્વક ઉમા-મહેશની પૂજા કરવી. તે દિવસે એકટાણુ કરવું અને વાર્તા કહેતી વખતે અને સાંભળતી વખતે હાથમાં ચોખા રાખવા.)</font><br />
<font style="font-size:11pt; color:#000000">વાર્તા: </font><br />
<br />
<font style="font-size:11pt; color:#000000">શીવ અને પાર્વતી સોગઠા રમવા બેઠા હતાં પરંતુ કોઇ હારતુ નહોતુ એટલામાં જ એક બ્રાહ્મણ ત્યાં આવ્યો તેથી શિવજીએ તેને કહ્યુ કે બ્રાહ્મણ તમે નિર્ણય કરવાનો છે હારેલાને હાર્યો કહેજો અને જીતેલાને જીતેલો. </font><br />
<br />
<font style="font-size:11pt; color:#000000">પહેલી વખતે સોગઠા નાંખ્યાં તો બ્રાહ્મણે કહ્યું કે શિવજી જીત્યાં બીજી વખત પણ તેવું જ કહ્યું અને ત્રીજી વખત પણ તેણે એવું જ કહ્યું કેમકે તે શિવના કોપથી બચવા માંગતો હતો. પરંતુ પાર્વતી ગુસ્સે થઈ ગયાં અને તેને શ્રાપ આપ્યો કે જા તને રક્ત પિત્તિયો અને કોઢ થશે. </font><br />
<br />
<font style="font-size:11pt; color:#000000">જોત જોતામાં તો બ્રાહ્મણના આખા શરીરે કોડ નીકળી ગયાં અને પરૂ પણ વહેવા લાગ્યું. તે હિમાલય પરથી રડતો રડતો નીચે ઉતરતો હતો ત્યારે રસતામાં ગાય મળી તેને પુછયુ કે ક્યાં જાવ છો તમે? તો બ્રાહ્મણે જવાબ આપ્યો કે મને મા પાર્વતીનો કોપ લાગ્યો છે તેનું નિવારણ કરવા જાઉ છું. </font><br />
<br />
<font style="font-size:11pt; color:#000000">ત્યારે ગાયે કહ્યું કે મારુ દુ:ખ પણ સાંભળતાં જાવ મારા આંચળ ફાટુ ફાટુ થાય છે પરંતુ મારૂ દૂધ કોઇ પીતુ નથી વાછરદા પણ ધાવતા નથી તો એવા કયા પાપ કર્યા છે?તેનું નિવારણ પણ પૂછતાં આવજો. </font><br />
<br />
<font style="font-size:11pt; color:#000000">ત્યાર બાદ તેમને ઘોડો મળ્યો તેને પણ બ્રાહ્મણની વાત સાંભળી પોતાનુ દુ:ખ જણાવ્યું કે મારે પીઠ પર મોતીના પલાણ છે પરંતુ મારી પર કોઇ સવારી કરતું નથી. મે એવા તે કયા પાપ કર્યા હશે તેનું નિવારણ પણ પુછતાં આવજો. </font><br />
<br />
<font style="font-size:11pt; color:#000000">ત્યાર બાદ આગળ જતાં તેઓ અક આંબા નીચે આરામ કરવા બેઠા તો આંબો પન બોલ્યો કે હે બ્રાહ્મણ મારા સવાશેરના ફળ ખાનાર વ્યક્તિ મોતને શરણે થાય છે તો તેનું નિવારણ પુછતાં આવજો. </font><br />
<br />
<font style="font-size:11pt; color:#000000">જ્યારે તેઓ તળાવે પાણી પીવા ગયાં ત્યારે એક મગર ત્યાં આવ્યો અને કહેવા લાગ્યો કે મારા રુવે રુવે બળતરા થાય છે પાણીમાં રહું કે બહાર બળતરા તો ઓછી થતી જ નથી. તો મારા પાપનું પણ નિવારણ પુછતાં આવજો. </font><br />
<br />
<font style="font-size:11pt; color:#000000">શરીરે પરૂ નીતરતું હતું અને બ્રાહ્મણ ઘોર જંગલમાં જઈને એક પગ પર ઉભો રહીને તપસ્યા કરવા લાગ્યો. કાંઇ પણ ખાધા કે પીધા વીના તે શિવજીના જાપ કરવા લાગ્યો. ભગવાન શિવ તેના ઘોર તપ પર પ્રસન્ન થઈને બોલ્યા કે માંગ માંગ જે જોઈએ તે આપુ. </font><br />
<br />
<font style="font-size:11pt; color:#000000">તો બ્રાહ્મણે કહ્યું કે હે પ્રભુ મારા કોઢનું નિવારણ કરો. તો ભગવાને કહ્યું કે જા તુ શ્રધ્ધાપૂર્વક સોમવારનું વ્રત કરજે તારૂ દુખ દુર થઈ જશે. </font><br />
<br />
<font style="font-size:11pt; color:#000000">બ્રાહ્મણે પુછ્યુ કે વ્રત કેવી રીતે થાય છે તે જરા મને જણાવો. ત્યારે શિવે જણાવ્યું કે શ્રાવણના પ્રથમ સોમવારે દોરાની સેરે ચાર ગાંઠો વાળવી, પીળા પટે દોરો બાંધી મારા દર્શન કરવા અને એકટાણુ કરવું. કારતક માસના શુક્લ પક્ષે સોળ સોમવાર પુરા થાય એટલે સવા શેર ઘઊંના લાડવા બનાવીને તેના ચાર ભાગ કરી એક ભાગ પૂજારીને, બીજો ભાગ બાળકોને, ત્રીજો ગાયને અને ચોથાથી કીડીઓના નગરા પુરવા. જો આ તુ વ્રત શ્રધ્ધાપૂર્વક કરીશ તો તારી કાયા કંચન જેવી થઈ જશે. </font><br />
<br />
<font style="font-size:11pt; color:#000000">ત્યાર બાદ બ્રાહ્મણે રસ્તામાં મળેલ ગાય, ઘોડો, તળાવ, આંબો, મગર વગેરેના દુ:ખ વિશે જણાવ્યું અને તેઓના દુ:ખન આ નિવારણ વિશે પુછ્યુ તો ભગવાને કહ્યુ-</font><br />
<br />
<font style="font-size:11pt; color:#000000">હે બ્રાહ્મણ જે ગાય તને મળી હતી તે ગયાં જન્મમાં સ્ત્રી હતી. તેને ધાવતા બાળકોને તરછોડ્યા હતાં તેથી આ જન્મમાં તેનું દૂધ કોઇ પીતુ નથી. તુ તેના દૂધથી મારી પૂજા કરજે તો તેનુ દુ:ખ દૂર થશે. </font><br />
<br />
<font style="font-size:11pt; color:#000000">ત્યાર બાદ શિવે ઘોડા વિશે જણાવતાં કહ્યું તે ગયાં જન્મમાં એક વણીક હતો. તેને ગયાં જન્મમાં ઘણા લોકોને છેતરીને લુટ્યાં હતાં તેથી આ જન્મમાં તેની આવી હાલત થઇ છે. તુ મારૂ નામ લઈ તેની પર સવારી કરજ એતો તેનું દુ:ખ દૂર થઈ જશે.</font><br />
<br />
<font style="font-size:11pt; color:#000000">ત્યાર બાદ શિવે આંબાનું દુ:ખનુ નિવારણ કરતાં કહ્યું કે ગયાં જન્મમાં એક કપટી કંજુસ હતો અને તેને સાચાનું ખોટુ અને ખોટાનું શાચુ કરી ધન ભેગુ કર્યું હતું તેથી તેની આવી હાલત હતી. તુ તેના નીચે ખાડો ખોદીશ તો તને ધનનાં ઘડા મળશે તેનાથી તુ પરબ બંધાવજે અને ગરીબોને દાન કરજે. તો તેના ફળ અમૃત જેવા થઈ જશે.</font><br />
<br />
<font style="font-size:11pt; color:#000000">મગર વિશે પણ જણાવ્યું કે તે ગયાં જન્મમાં એક બ્રાહ્મણ હતો અને તે ખુબ જ વિદ્વાન હતો પણ તેને કોઇને વિધ્યાનું દાન કર્યું નહિ તેથી તેના રુવે રુવે બળતરા થાય છે. તુ બીલીપત્રને તેની આંખોને અડકાળીને તેને પ્રસાદ આપજે તો તેની બળતરા શાંત થઈ જશે.</font><br />
<br />
<font style="font-size:11pt; color:#000000">બ્રાહ્મણે પાછા ફરતી વખતે બધાના પાપનું નિવારણ કર્યું જે રીતે શિવજીએ કહ્યું હતું તેમ જ કર્યું તો તે બધાને તેમાંથી મુક્તિ મળી ગઈ. અને શિવજીના કહ્યાં પ્રમાણે તેને સોળ સોઅવારનું વ્રત કર્યું તો તેનું દુ:ખ પણ દૂર થઈ ગયું. અને તેની કાયા ફરીથી કંચન જેવી થઈ ગઈ.</font><br />
<br />
<font style="font-size:11pt; color:#000000">આ રીતે સોળ સોમવારનું વ્રત કરવાથી દરેકની મનોકામના પૂર્ણ થઈ જાય છે. અને ભગવાન શિવ સદાય તેમની પર કૃપાયમાન રહે છે.</font><br />
<br />
<font style="font-size:11pt; color:#000000">વધું બીજી વાર્તા આવતા સોમવારે.</font><br />]]></content:encoded>
      <pubDate>Fri, 01 Aug 2008 17:17:00 +0530</pubDate>
      <updatedDate>Mon, 27 Sep 2021 08:58:44 +0530</updatedDate>
      <category><![CDATA[Shravan special]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
  </channel>
</rss>
