<?xml version="1.0" encoding="UTF-8"?>
<rss version="2.0" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:atom="http://www.w3.org/2005/Atom">
  <channel>
    <title><![CDATA[લોકસભા09]]></title>
    <link>https://gujarati.webdunia.com/loksabha-election-09</link>
    <description><![CDATA[કેન્દ્રમાં નવી સરકાર માટે યોજાયેલી લોકસભા ચૂંટણી 2009ની વિગતો જાણવા ક્લિક કરો ગુજરાતી વેબદુનિયા.]]></description>
    <copyright>Copyright webdunia.com</copyright>
    <lastBuildDate>Tue, 16 Jun 2026 07:53:36 +0530</lastBuildDate>
    <language>en-us</language>
    <image>
      <title>લોકસભા09</title>
      <url>https://gujarati.webdunia.com/loksabha-election-09</url>
      <link>https://gujarati.webdunia.com/loksabha-election-09</link>
    </image>
    <atom:link href="https://gujarati.webdunia.com/rss/loksabha-election-09-1021307.rss" rel="self" type="application/rss+xml"/>
    <item>
      <title><![CDATA[પીએમ ઇન વેઇટીંગ વાયા અમેરિકા....]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/loksabha-election-09/પીએમ-ઇન-વેઇટીંગ-વાયા-અમેરિકા-109041300028_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/loksabha-election-09/પીએમ-ઇન-વેઇટીંગ-વાયા-અમેરિકા-109041300028_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[ભાજપ પોતાના પ્રધાનમંત્રી પદના ઉમેદવાર લાલકૃષ્ણ અડવાણીનો જોરશોરથી પ્રચાર કરે છે કે તે પી.એમ ઇન વેઇટીંગ છે. પરંતુ ઘણાખરા ભાજપીઓને ખબર નહીં હોય કે આ પી.એમ ઇન વેઇટીંગ બલા શું છે? વાસ્તવમાં આ વેઇટીંગનો મુદ્દો અમેરિકાથી આવ્યો છે. 

જ્યાં અમેરિકી ...]]></description>
      <content:encoded><![CDATA[<!--Image--><p><table style='margin: 3px 8px 0px 0px;' cellspacing='0' cellpadding='0' border='0' Align=Left><tr><td valign='top'><img src='/gu/articles/0904/13/images/img1090413028_1_1.jpg' Alt='' Border=0  HSPACE=4 VSPACE=4 class='imgArticle_New'></td></tr><tr><td class='imgSource'><table width='100%' cellpadding='0' cellspacing='0' border='0'><tr><td align='left'></td><td valign='top' align='right'>N.D</td></tr></table></td></tr></table></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ભાજપ પોતાના પ્રધાનમંત્રી પદના ઉમેદવાર લાલકૃષ્ણ અડવાણીનો જોરશોરથી પ્રચાર કરે છે કે તે પી.એમ ઇન વેઇટીંગ છે. પરંતુ ઘણાખરા ભાજપીઓને ખબર નહીં હોય કે આ પી.એમ ઇન વેઇટીંગ બલા શું છે? વાસ્તવમાં આ વેઇટીંગનો મુદ્દો અમેરિકાથી આવ્યો છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>જ્યાં અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા કરવામાં આવે છે અને જે રાષ્ટ્રપતિ પસંદગ કરવામાં આવે છે તેને પદગ્રહણ પૂર્વે પ્રેસિડેન્ટ ઇન વેઇટીંગ કહેવામાં આવે છે. અમેરિકી પધ્ધતિ અનુસાર અડવાણીને પીએમ ઇન વેઇટીંગ કહેવામાં આવે છે. હવે જોવાનું એ રહેશે કે અડવાણી વેઇટીંગમાં જ રહે છે કે પછી......?</font>]]></content:encoded>
      <pubDate>Mon, 13 Apr 2009 11:58:23 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 20:27:26 +0530</updatedDate>
      <category><![CDATA[Election 09                                                                                         q]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[જાણીજોઇને મુદ્દો ના બનાવો.....]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/loksabha-election-09/જાણીજોઇને-મુદ્દો-ના-બનાવો-109041300024_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/loksabha-election-09/જાણીજોઇને-મુદ્દો-ના-બનાવો-109041300024_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[મનમોહનસિંહ અને અડવાણી એકબીજા ઉપર આરોપ પ્રત્યારોપ કરી રહ્યા છે. ખાસ વાત એ છે કે, બંને એકબીજાને જવાબ પણ આપી રહ્યા છે. આ મુદ્દાવિહોણા ચૂંટણી જંગમાં ગરમાવો પેદા કરવાનો પ્રયાસ છે. અડવાણી અને મનમોહન વચ્ચે આરોપ પ્રત્યારોપથી ચૂંટણીની દિશા બદલાવાની છે કે ના ...]]></description>
      <content:encoded><![CDATA[<!--Image--><p><table style='margin: 3px 8px 0px 0px;' cellspacing='0' cellpadding='0' border='0' Align=Left><tr><td valign='top'><img src='/gu/articles/0904/13/images/img1090413024_1_1.jpg' Alt='' Border=0  HSPACE=4 VSPACE=4 class='imgArticle_New'></td></tr><tr><td class='imgSource'><table width='100%' cellpadding='0' cellspacing='0' border='0'><tr><td align='left'></td><td valign='top' align='right'>N.D</td></tr></table></td></tr></table></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>મનમોહનસિંહ અને અડવાણી એકબીજા ઉપર આરોપ પ્રત્યારોપ કરી રહ્યા છે. ખાસ વાત એ છે કે, બંને એકબીજાને જવાબ પણ આપી રહ્યા છે. આ મુદ્દાવિહોણા ચૂંટણી જંગમાં ગરમાવો પેદા કરવાનો પ્રયાસ છે. અડવાણી અને મનમોહન વચ્ચે આરોપ પ્રત્યારોપથી ચૂંટણીની દિશા બદલાવાની છે કે ના મતદારો રીઝવાના છે. </font><font style='font-size:12pt;'></font><br/><!--Image--><p><table style='margin: 3px 8px 0px 0px;' cellspacing='0' cellpadding='0' border='0' Align=Right><tr><td valign='top'><img src='/gu/articles/0904/13/images/img1090413024_1_2.jpg' Alt='' Border=0  HSPACE=4 VSPACE=4 class='imgArticle_New'></td></tr><tr><td class='imgSource'><table width='100%' cellpadding='0' cellspacing='0' border='0'><tr><td align='left'></td><td valign='top' align='right'>N.D</td></tr></table></td></tr></table></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>એવામાં આમ મતદારોને સાફ જણાઇ રહ્યું છે કે, આ જાણીજોઇને મુદ્દા બનાવવાનો પ્રયાસ થઇ રહ્યો છે અને બંને એકબીજાને પોતાની ક્ષતિઓ અંગે કહી રહ્યા છે. હવે મતદારો હોંશિયાર છે અને તેમની રોજબરોજની સમસ્યાઓને આ વિવાદથી કોઇ લેવા દેવા નથી.</font><br/></font>]]></content:encoded>
      <pubDate>Mon, 13 Apr 2009 11:55:37 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 20:27:26 +0530</updatedDate>
      <category><![CDATA[Election 09                                                                                         q]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[હાથી આગળ વધી રહ્યો છે !]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/loksabha-election-09/હાથી-આગળ-વધી-રહ્યો-છે-109041200033_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/loksabha-election-09/હાથી-આગળ-વધી-રહ્યો-છે-109041200033_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[દેશમાં લોકસભાની છેલ્લી ત્રણ ચૂંટણીના પરિમામો ઉપર નજર નાંખીએ તો ભાજપ, કોંગ્રેસ સહિતની પાર્ટીઓ અપડાઉનમાં ચાલી રહી છે ત્યારે બહુજન સમાજવાદી પાર્ટીનો હાથી ધીમી પણ મક્કમ ગતિએ આગળ વધી રહ્યો છે.]]></description>
      <content:encoded><![CDATA[<!--Image--><p><table style='margin: 3px 8px 0px 0px;' cellspacing='0' cellpadding='0' border='0' Align=Left><tr><td valign='top'><img src='/gu/articles/0904/12/images/img1090412033_1_1.jpg' Alt='' Border=0  HSPACE=4 VSPACE=4 class='imgArticle_New'></td></tr><tr><td class='imgSource'><table width='100%' cellpadding='0' cellspacing='0' border='0'><tr><td align='left'></td><td valign='top' align='right'>P.R</td></tr></table></td></tr></table></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>દેશમાં લોકસભાની છેલ્લી ત્રણ ચૂંટણીના પરિમામો ઉપર નજર નાંખીએ તો ભાજપ, કોંગ્રેસ સહિતની પાર્ટીઓ અપડાઉનમાં ચાલી રહી છે ત્યારે બહુજન સમાજવાદી પાર્ટીનો હાથી ધીમી પણ મક્કમ ગતિએ આગળ વધી રહ્યો છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>હાલના રાજકારણમાં મોટા અને સર્વેસર્વા કહેવાતા ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો સત્તા માટે એક બીજાને હાથતાળી અને મ્હાત આપી રહ્યા છે. ક્યારેક કમળનું પલ્લુ ભારે બને છે તો ક્યારેક પંજો બાજી મારી જાય છે. 1999ની ચૂંટણીમાં ભાજપે વધુ બેઠકો કબ્જે કરી હતી તો 2004માં કોંગ્રેસે વધુ બેઠકો પોતાની જોળીમાં નાંખી હતી. બંનેમાંથી કોઇ પણ માટે નક્કર વાત કરી શકાતી નથી ત્યારે માયાવતીની આગેવાનીમાં ચાલી રહેલ બહુજન સમાજવાદી પાર્ટીનો હાથી ધીમી પણ મક્કમ ગતિએ આગળ અને આગળ વધી રહ્યો છે.  </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>બસપાનો ગ્રાફ દિવસે દિવસે ઉંચે ચડી રહ્યો છે. વર્ષ 1998ની ચૂંટણીમાં માત્ર 5 બેઠકો મેળવનાર બસપાએ 1999માં 14 બેઠકો તથા 2004માં 19 બેઠકો ઉપર પોતાના હાથીને બેસાડ્યો હતો. ઉત્તરપ્રદેશ વિધાનસભા તો હાથીના કબ્જામાં છે જ ત્યાં આ ચૂંટણીમાં પણ હાથી કમાલ કરી જાય તો નવાઇ નહી.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'><b>યુપી હાથીની સવારી પર !</b></font><br/><font  style='font-size:11pt; color:#000000'>એક સમયે માત્રને માત્ર ડિપોઝીટ ડુલ થવા માટે જ ચૂંટણી જંગમાં હાથીની સવારી કરતા ઉમેદવારો આજે હાથી ઉપર વિજય સરઘસ કાઢી રહ્યા છે. ધીમી પણ મક્કમ ગતિએ ચાલતા હાથીએ આજે ઉત્તરપ્રદેશમાં વિધાનસભા કબ્જે કરી છે અને લોકસભાની ચૂંટણીમાં પણ તેનો ગ્રાફ ઉંચે જઇ રહ્યો છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'><b>આ રાજ્યો મહત્વના !</b></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ભાજપ કોંગ્રેસ માટે આંધ્રપ્રદેશ, ગુજરાત, મધ્યપ્રદેશ, હરિયાણા, હિમાચલ પ્રદેશ, કર્ણાટક, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, દિલ્હી સહિતને કેટલાક રાજ્યો જાદુઇ સાબિત થઇ રહ્યા છે. આ રાજ્યો એક વખતે ભાજપને ખોબલે ખોબલે મત આપે છે તો બીજી વખતે કોંગ્રેસને પોતાના માથે બેસાડે છે. </font><font style='font-size:12pt;'></font><br/><!--Image--><p><table style='margin: 3px 8px 0px 0px;' cellspacing='0' cellpadding='0' border='0' Align=Bottom><tr><td valign='top'><img src='/gu/articles/0904/12/images/img1090412033_1_2.jpg' Alt='' Border=0  HSPACE=4 VSPACE=4 class='imgArticle_New'></td></tr><tr><td class='imgSource'><table width='100%' cellpadding='0' cellspacing='0' border='0'><tr><td align='left'></td><td valign='top' align='right'>W.D</td></tr></table></td></tr></table></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'></font><br/></font>]]></content:encoded>
      <pubDate>Sun, 12 Apr 2009 17:47:32 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 20:27:26 +0530</updatedDate>
      <category><![CDATA[Election 09                                                                                         q]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[ચૂંટણી કાર્યક્રમ, ક્યાં ક્યારે મતદાન]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/loksabha-election-09/ચૂંટણી-કાર્યક્રમ-ક્યાં-ક્યારે-મતદાન-109041100049_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/loksabha-election-09/ચૂંટણી-કાર્યક્રમ-ક્યાં-ક્યારે-મતદાન-109041100049_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[લોકસભાની 543 બેઠકો યોજાનાર પાંચ તબક્કાની ચૂંટણીમાં પહેલા તબક્કે 16મી એપ્રિલે 124 બેઠકો, બીજા તબક્કે 23મી એપ્રિલે 141 બેઠકો, ત્રીજા તબક્કે 30મી એપ્રિલે 107 બેઠકો, ચોથા તબક્કે 7મી મેએ 85 બેઠકો તથા પાંચમા તબક્કે 13મી મેએ 86 બેઠકો માટે મતદાન કરાશે. ...]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>લોકસભાની 543 બેઠકો યોજાનાર પાંચ તબક્કાની ચૂંટણીમાં પહેલા તબક્કે 124 બેઠકો, બીજા તબક્કે 141 બેઠકો, ત્રીજા તબક્કે 107 બેઠકો, ચોથા તબક્કે 85 બેઠકો તથા પાંચમા તબક્કે 86 બેઠકો માટે મતદાન કરાશે. જેમાં એક તબક્કામાં 22 રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશ, બે તબક્કામાં 8 રાજ્યો, ત્રણ તબક્કામાં 2 રાજ્યો, ચાર તબક્કામાં 1 તથા પાંચ તબક્કામાં 2 રાજ્યોની ચૂંટણી યોજાશે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'><b>આંધ્રપ્રદેશ</b></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આંધ્ર પ્રદેશની 42 બેઠકો માટે બે તબક્કામાં મતદાન  કરાશે. જેમાં 16મી એપ્રિલે 22 બેઠકો માટે જ્યારે  23મી એપ્રિલે 20 બેઠકો માટે મતદાન કરાશે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'><b>અરૂણાચલ પ્રદેશ</b></font><br/><font  style='font-size:11pt; color:#000000'>અરૂણાચલ પ્રદેશની 2 બેઠકો માટે એક તબક્કામાં  ચૂંટણી પ્રક્રિયા કરવામાં આવશે. 16મી એપ્રિલે આ 2  બેઠકો માટે મતદાન કરાશે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'><b>આસામ</b></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આસામની 14 બેઠકો માટે બે તબક્કામાં મતદાન  કરાશે. જેમાં પ્રથમ દિવસે 16મી એપ્રિલે 3 બેઠકો  માટે તથા 23મી એપ્રિલે 11 બેઠકો માટે મતદાન  યોજાશે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'><b>બિહાર</b></font><br/><font  style='font-size:11pt; color:#000000'>બિહારની 40 બેઠકો માટે ચાર તબક્કામાં ચૂંટણી  યોજાશે. જેમાં 16મી એપ્રિલે 13 બેઠકો માટે, 23મી  એપ્રિલે 13 બેઠકો માટે, 30મી એપ્રિલે 11 બેઠકો તથા  7મી એપ્રિલે 3 બેઠકો માટે મતદાન કરાશે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'><b>ગોવા</b></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ગોવાની 2 બેઠકો માટે એક તબક્કામાં ચૂંટણી થશે.  23મી એપ્રિલે આ 2 બેઠકો માટે મતદાન કરાશે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'><b>ગુજરાત</b></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ગુજરાતની 26 બેઠકો માટે એક જ તબક્કામાં ચૂંટણી  યોજાશે. 30મી એપ્રિલે આ માટે મતદાન કરાશે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/></font><font  style='font-size:11pt; color:#000000'><b>હરિયાણા</b></font><br/><font  style='font-size:11pt; color:#000000'>હરિયાણાની 10 બેઠકો માટે એક જ તબક્કામાં ચૂંટણી  યોજાશે. જે માટે 7મી મેના રોજ મતદાન કરાશે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'><b>હિમાચલ પ્રદેશ</b></font><br/><font  style='font-size:11pt; color:#000000'>હિમાચલ પ્રદેશની ચાર બેઠકો માટે એક જ  તબક્કામાં ચૂંટણી કરવામાં આવશે અને પાંચમા  તબક્કે એટલે કે 13મી મેના રોજ મતદાન કરાશે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'><b>જમ્મુ કાશ્મીર</b></font><br/><font  style='font-size:11pt; color:#000000'>જમ્મુ કાશ્મીરની છ બેઠકો માટે પાંચ તબક્કામાં  ચૂંટણી યોજવામાં આવશે. જેમાં પ્રથમ તબક્કે 16મી  એપ્રિલે 1 બેઠક, 23મી એપ્રિલે 1 બેઠક, 30મી  એપ્રિલે 1 બેઠક, 6મી મેએ 1 બેઠક તથા 13મી મેએ  છેલ્લા તબક્કે 2 બેઠકો માટે મતદાન કરાશે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'><b>કર્ણાટક</b></font><br/><font  style='font-size:11pt; color:#000000'>કર્ણાટકની 28 બેઠકો માટે બે તબક્કામાં ચૂંટણી  યોજવામાં આવશે. જેમાં બીજા તબક્કે 23મી એપ્રિલે  17 બેઠકો તથા ત્રીજા તબક્કે 30મી એપ્રિલે 11 બેઠકો   માટે મતદાન કરવામાં આવશે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'><b>કેરાલા</b></font><br/><font  style='font-size:11pt; color:#000000'>કેરાલાની 20 બેઠકો માટે એક તબક્કામાં ચૂંટણી  કરવામાં આવશે. જે માટે 16મી એપ્રિલે મતદાન  કરવામાં આવશે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'><b>મધ્યપ્રદેશ</b></font><br/><font  style='font-size:11pt; color:#000000'>મધ્યપ્રદેશની 29 બેઠકો માટે બે તબક્કામાં ચૂંટણી  કરવામાં આવશે. જેમાં બીજા તબક્કે 23મી એપ્રિલે  13 બેઠકો માટે તથા ત્રીજા તબક્કે 30મી એપ્રિલે 16  બેઠકો માટે મતદાન કરવામાં આવશે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'><b>મહારાષ્ટ્ર</b></font><br/><font  style='font-size:11pt; color:#000000'>મહારાષ્ટ્રની 48 બેઠકો માટે ત્રણ તબક્કામાં ચૂંટણી  કરવામાં આવશે. જેમાં પ્રથમ તબક્કામાં 16મી  એપ્રિલે 13 બેઠકો, 23મી એપ્રિલે 25 બેઠકો તથા  30મી એપ્રિલે 10 બેઠકો માટે મતદાન કરવામાં  આવશે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'><b>મણીપુર</b></font><br/><font  style='font-size:11pt; color:#000000'>મણીપુરની 2 બેઠકો માટે બે તબક્કામાં ચૂંટણી  કરવામાં આવશે, જેમાં 16મી એપ્રિલે 1 બેઠક તથા  23મી એપ્રિલે 1 બેઠક માટે મતદાન કરાશે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'><b></b></font><br/><font  style='font-size:11pt; color:#000000'><b>મેઘાલય</b></font><br/><font  style='font-size:11pt; color:#000000'>મેઘાલયની 2 બેઠકો માટે એક તબક્કામાં ચૂંટણી  કરવામાં આવશે. જે માટે 16મી એપ્રિલે મતદાન  કરાશે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/></font><font  style='font-size:11pt; color:#000000'><b>મિઝોરમ</b></font><br/><font  style='font-size:11pt; color:#000000'>મિઝોરમની એક બેઠક માટે 16મી એપ્રિલે મતદાન  કરાશે</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'><b>નાગાલેન્ડ</b></font><br/><font  style='font-size:11pt; color:#000000'>નાગાલેન્ડની એક બેઠક માટે પ્રથમ તબક્કે એટલે કે  16મી એપ્રિલે મતદાન કરાશે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'><b>ઓરિસ્સા</b></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ઓરિસ્સાની 21 બેઠકો માટે બે તબક્કામાં ચૂંટણી  કરવામાં આવશે. જેમાં પહેલા તબક્કે 16મી એપ્રિલે  10 બેઠકો તથા બીજા તબક્કે 23મી એપ્રિલે 11 બેઠકો  માટે મતદાન કરવામાં આવશે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'><b>પંજાબ</b></font><br/><font  style='font-size:11pt; color:#000000'>પંજાબની 13 બેઠકો માટે બે તબક્કામાં ચૂંટણી  કરવામાં આવશે. ચોથા તબક્કે 7મી મેએ 4 બેઠકો  તથા પાંચમા અને છેલ્લા તબક્કે 9 બેઠકો માટે  મતદાન કરવામાં આવશે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'><b>રાજસ્થાન</b></font><br/><font  style='font-size:11pt; color:#000000'>રાજસ્થાનની 25 બેઠકો માટે એક જ તબક્કામાં  ચૂંટણી કરવામાં આવશે જે માટે ચોથા તબક્કે એટલે  કે 7મી મેએ મતદાન કરવામાં આવશે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'><b>સિક્કિમ</b></font><br/><font  style='font-size:11pt; color:#000000'>સિક્કિમની એક બેઠક માટે ત્રીજા તબક્કે 30મી એપ્રિલે મતદાન કરવામાં આવશે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'><b>તામિલનાડુ</b></font><br/><font  style='font-size:11pt; color:#000000'>તામિલનાડુની 39 બેઠકો માટે પણ એક જ તબક્કામાં ચૂંટણી યોજવામાં આવશે. જે માટે પાંચમા અને છેલ્લા તબક્કે 13મી મેએ મતદાન કરાશે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'><b>ત્રિપુરા</b></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ત્રિપુરાની 2 બેઠકો માટે એક તબક્કે ચૂંટણી યોજવામાં આવશે. જે માટે બીજા તબક્કે 23મી એપ્રિલે મતદાન કરાશે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'><b>ઉત્તર પ્રદેશ</b></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ઉત્તર પ્રદેશની 80 બેઠકો માટે પાંચ તબક્કામાં ચૂંટણી યોજવામાં આવશે. જે માટે પ્રથમ તબક્કે 16મી એપ્રિલે 16 બેઠકો, બીજા તબક્કે 23મી એપ્રિલે 17 બેઠકો, ત્રીજા તબક્કે 30મી એપ્રિલે 15 બેઠકો, ચોથા તબક્કે 7મી મેએ 18 બેઠકો તથા પાંચમા અને છેલ્લા તબક્કે 13મી મેએ 14 બેઠકો માટે મતદાન કરાશે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/></font><font  style='font-size:11pt; color:#000000'><b>પશ્વિમ બંગાળ</b></font><br/><font  style='font-size:11pt; color:#000000'>પશ્વિમ બંગાળની 42 બેઠકો માટે ત્રણ તબક્કામાં ચૂંટણી યોજવામાં આવશે. જેમાં ત્રીજા તબક્કે 30મી એપ્રિલે 14 બેઠકો, ચોથા તબક્કે 7મી મેએ 17 બેઠકો તથા પાંચમા તબક્કે 13મી મેએ 11 બેઠકો માટે મતદાન કરવામાં આવશે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'><b>છત્તીસગઢ</b></font><br/><font  style='font-size:11pt; color:#000000'>છત્તીસગઢની 11 બેઠકો માટે એક તબક્કામાં ચૂંટણી યોજવામાં આવશે. જે માટે પ્રથમ તબક્કે 16મી એપ્રિલે મતદાન કરવામાં આવશે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'><b>ઝારખંડ</b></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ઝારખંડની 14 બેઠકો માટે બે તબક્કામાં ચૂંટણી યોજવામા આવશે. પહેલા તબક્કે 16મી એપ્રિલે 6 બેઠકો તથા બીજા તબક્કે 23મી એપ્રિલે 8 બેઠકો માટે મતદાન કરાશે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'><b>ઉત્તરાંચલ</b></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ઉત્તરાંચલની પાંચ બેઠકો માટે એક તબક્કામાં ચૂંટણી યોજવામાં આવશે, જે માટે છેલ્લા તબક્કે 13મી મેએ મતદાન કરાશે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'><b>આંદોમાન, નિકોબાર</b></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આંદોમાન નિકોબારની એક બેઠક માટે પહેલા તબક્કે એટલે કે 16મી એપ્રિલે મતદાન કરવામાં આવશે,</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'><b>ચંડીગઢ</b></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ચંડીગઢની એક બેઠક માટે પણ છેલ્લા તબક્કે એટલે કે 13મી મેએ મતદાન કરવામાં આવશે,</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'><b>દાદરા નગર હવેલી</b></font><br/><font  style='font-size:11pt; color:#000000'>દાદરા નગર હવેલીની એક બેઠક માટે ત્રીજા તબક્કે એટલે કે 30મી એપ્રિલે મતદાન કરાશે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'><b>દમણ, દીવ</b></font><br/><font  style='font-size:11pt; color:#000000'>દમણ, દીવની એક બેઠક માટે પણ ત્રીજા તબક્કે એટલે કે 30મી એપ્રિલે મતદાન કરાશે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'><b>લક્ષદીપ</b></font><br/><font  style='font-size:11pt; color:#000000'>લક્ષદીપની એક બેઠક માટે પહેલા તબક્કે એટલે કે 16મી એપ્રિલે મતદાન કરવામાં આવશે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'><b>પાંડેચરી</b></font><br/><font  style='font-size:11pt; color:#000000'>પાંડેચરીની એક બેઠક માટે છેલ્લા તબક્કે એટલે કે 13મી મેએ મતદાન કરાશે. </font><br/></font>]]></content:encoded>
      <pubDate>Sat, 11 Apr 2009 16:06:53 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 20:27:26 +0530</updatedDate>
      <category><![CDATA[Election 09                                                                                         q]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[સોનિયા માટે વિકાસ એજ પ્રાથમિકતા]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/loksabha-election-09/સોનિયા-માટે-વિકાસ-એજ-પ્રાથમિકતા-109041100041_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/loksabha-election-09/સોનિયા-માટે-વિકાસ-એજ-પ્રાથમિકતા-109041100041_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[મોટા ઉપાડે લોકસભામાં ચૂંટાયા બાદ કેટલાક  સાંસદો પગ ઉપર પગ ચડાવી બેસી રહે છે કે  પછી પોતાનો વેપલો કરવા લાગી જાય છે.  પોતાના ગજવાના નહીં પરંતુ સરકારના  રૂપિયા પણ વિકાસ કાર્યોમાં વાપરતાં  અચકાતા હોય છે. પરંતુ કોંગ્રેસ અધ્યક્ષા  સોનિયા ગાંધી આ મામલે અલગ ...]]></description>
      <content:encoded><![CDATA[<!--Image--><p><table style='margin: 3px 8px 0px 0px;' cellspacing='0' cellpadding='0' border='0' Align=Left><tr><td valign='top'><img src='/gu/articles/0904/11/images/img1090411041_1_1.jpg' Alt='' Border=0  HSPACE=4 VSPACE=4 class='imgArticle_New'></td></tr><tr><td class='imgSource'><table width='100%' cellpadding='0' cellspacing='0' border='0'><tr><td align='left'></td><td valign='top' align='right'>P.R</td></tr></table></td></tr></table></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>મોટા ઉપાડે લોકસભામાં ચૂંટાયા બાદ કેટલાક  સાંસદો પગ ઉપર પગ ચડાવી બેસી રહે છે કે  પછી પોતાનો વેપલો કરવા લાગી જાય છે.  પોતાના ગજવાના નહીં પરંતુ સરકારના  રૂપિયા પણ વિકાસ કાર્યોમાં વાપરતાં  અચકાતા હોય છે. પરંતુ કોંગ્રેસ અધ્યક્ષા  સોનિયા ગાંધી આ મામલે અલગ તરી આવે  છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ભારતના પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી સાથે  લગ્ન કરનાર સોનિયા ગાંધીનો જન્મ  ઇટાલીના ટ્યૂરીન શહેરમાં એક સામાન્ય  પરિવારમાં થયો હતો. મોટા વિવાદ બાદ  1999માં પહેલી વાર અખિલ ભારતીય  કોંગ્રેસની ટીકીટ પરથી પહેલીવાર ચૂંટાયા હતા.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>રાયબરેલીથી લોકસભામાં ચૂંટાઇ આવેલા  સોનિયા ગાંધીએ વર્ષ 2004-2008 દરમિયાન  પોતાના મત વિસ્તારમાં 4.63 કરોડ રૂપિયા  વિકાસ માટે વાપર્યા છે. રસ્તા, ગલી તથા  ફુટપાથ બનાવવા માટે 124.8 લાખ, નાળા  બનાવવા 5.5 લાખ રૂપિયા, પાણી માટે 113.1  લાખ રૂપિયા, શાળા માટે 152.3 લાખ રૂપિયા,  હોલ, ધર્મશાળા 25.8 લાખ રૂપિયા, સ્મશાન  માટે 14.6 લાખ રૂપિયા, સુનામી રાહત કોષમાં  5 લાખ રૂપિયા, અન્ય 18.2 લાખ રૂપિયા મળી  કુલ 463.6 લાખ રૂપિયા વાપર્યા છે. </font>]]></content:encoded>
      <pubDate>Sat, 11 Apr 2009 15:49:54 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 20:27:26 +0530</updatedDate>
      <category><![CDATA[Election 09                                                                                         q]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[ST મતદારો વધુ સજાગ !]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/loksabha-election-09/ST-મતદારો-વધુ-સજાગ-109041000062_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/loksabha-election-09/ST-મતદારો-વધુ-સજાગ-109041000062_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[કહેવાય છે કે ભણેલા લોકો પોતાની ફરજો પ્રત્યે વધુ સભાન  હોય છે પરંતુ દેશના નાગરિક તરીકેની સૌથી મોટી ફરજ  અદા કરવામાં કહેવાતા ભણેલા લોકો કરતાં ઓછું ભણેલા  લોકો વધુ સજાગ છે.]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>કહેવાય છે કે ભણેલા લોકો પોતાની ફરજો પ્રત્યે વધુ સભાન  હોય છે પરંતુ દેશના નાગરિક તરીકેની સૌથી મોટી ફરજ  અદા કરવામાં કહેવાતા ભણેલા લોકો કરતાં ઓછું ભણેલા  લોકો વધુ સજાગ છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>લોકસભાની ચૂંટણી માથે આવી છે ત્યારે ગત બે ચૂંટણીના  મતદાનના આંકડા તરફ દ્રષ્ટિ કરીએ તો ચોંકી જવાય એમ  છે. વધુ શિક્ષણ લેતા એવા સામાન્ય જનરલ કેટેગરીના લોકો  કરતાં એસ.સી અને એસ.ટી કેટેગરીના લોકો મતદાન પ્રત્યે  વધુ જાગૃત હોવાનું જણાય છે. એમાંય એસ.ટી કેટેગરીના  લોકો મતદાન કરવામાં અવ્વલ રહ્યા છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>વર્ષ 2004માં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં રાજ્યના કુલ  33675062 મતદારો પૈકી 15213501 મતાધિકારનો ઉપયોગ  કરતાં 45.18 ટકા મતદાન થયું હતું. જેમાં જનરલ કેટેગરીના  11749504 લોકોએ મતાધિકારનો ઉપયોગ કરતાં 44.11 ટકા  મતદાન થયું હતું. એસ.ટી કેટેગરીના 1054775  લોકોએ મતદાન કરતાં 46.08 ટકા મતદાન નોંધાયું હતું.  જ્યારે 2409215 લોકોએ મતદાન કરતાં 50.75 ટકા  મતદાન નોંધાયું હતું. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/>1999<font  style='font-size:11pt; color:#000000'>ની લોકસભાની ચૂંટણીમાં પણ એસ.ટી મતદારો આગળ રહ્યા હતા. એસ.ટી મતદારોએ 52.70 ટકા મતદાન કર્યું હતું. એસ.સી મતદારોએ 47.15 ટકા તથા જનરલ કેટેગરીનું 45.99 ટકા મતદાન થયું હતું. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>અત્રે ઉલ્લેખનિય છે કે, રાજનીતિક જાણકારો આ ફેક્ટરને કોંગ્રેસ તરફી ગણાવે છે અને કહે છે કે, એસ.સી, એસ.ટી કેટેગરીમાં થતા વધુ મતદાનથી કોંગ્રેસને વધુ ફાયદો થાય છે. </font>]]></content:encoded>
      <pubDate>Fri, 10 Apr 2009 17:13:24 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 20:27:26 +0530</updatedDate>
      <category><![CDATA[Election 09                                                                                         q]]></category>
      <authorname>હરેશ સુથાર</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[હુ છુ પીએમની રેસમાં - પવાર]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/loksabha-election-09/હુ-છુ-પીએમની-રેસમાં-પવાર-109041000036_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/loksabha-election-09/હુ-છુ-પીએમની-રેસમાં-પવાર-109041000036_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ શરદ પવારે આજે આ વાતનો સંકેત આપ્યો હતો કે, તે પણ પ્રધાનમંત્રી પદની રેસમાં છે અને ચૂંટણી બાદની ગઠબંધનની સ્થિતિમાં તેમને વામદળોનું સમર્થમ મળવાની આશા છે.]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ શરદ પવારે આજે આ વાતનો સંકેત આપ્યો હતો કે, તે પણ પ્રધાનમંત્રી પદની રેસમાં છે અને ચૂંટણી બાદની ગઠબંધનની સ્થિતિમાં તેમને વામદળોનું સમર્થમ મળવાની આશા છે.</font><font style='font-size:11pt;'></font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>પવારે કહ્યું કે મનમોહનસિંહ માત્ર કોંગ્રેસના પ્રધાનમંત્રી પદના ઉમેદવાર છે પરંતુ તેમણે આ વાતનો જવાબ આપ્યો ન હતો કે, જો કેન્દ્રમાં ત્રિશંકુ સરકાર બને તો વામપંથી દળ નેતૃત્વ માટે કોઇ શરત રાખશે કે કેમ. </font><font style='font-size:11pt;'></font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>પોતાને પ્રધાનમંત્રી પદની દોડમાં હોવાનો સંકેત આપતાં તેમણે કહ્યું હતું કે, આ પરિસ્થિતિ વિદ્યાલય અને કોલેજ જેવી છે. જ્યાં 60 ટકા ગુણ થીયરી અને 40 ટકા ગુણ પ્રેક્ટિકલના છે. ત્રીજા મોર્ચાને ગુણ પ્રેક્ટિકલથી મળશે. </font><font style='font-size:11pt;'></font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>સમાચાર એજન્સી સાથેની મુલાકાતમાં તેમણે કહ્યું હતું કે, મારા જેવા વિદ્યાર્થીઓ વિદ્યાલયમાં અભ્યાસ દરમિયાન જાદુઇ આંકડો પાર કરવા માટે હંમેશા પ્રેક્ટિકલ પરીક્ષાના ગુણ ઉપર નિર્ભર રહેતા હતા. મને લાગે છે કે, આજે સ્થિતિ બદલાઇ રહી છે. મારા માન્યા મુજબ ચૂંટણી બાદના દ્રશ્યમાં વામ મોર્ચાને અલગ રાખી નહીં શકાય,</font>]]></content:encoded>
      <pubDate>Fri, 10 Apr 2009 12:59:51 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 20:27:26 +0530</updatedDate>
      <category><![CDATA[Election 09                                                                                         q]]></category>
      <authorname>ભાષા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[કોંગ્રેસે નવસારીમાં ઉમેદવાર બદલ્યો]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/loksabha-election-09/કોંગ્રેસે-નવસારીમાં-ઉમેદવાર-બદલ્યો-109041000033_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/loksabha-election-09/કોંગ્રેસે-નવસારીમાં-ઉમેદવાર-બદલ્યો-109041000033_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[ભાજપના સીઆર પાટીલના સામે ટક્કર લેવા માટે કોંગ્રેસે  અગાઉ જાહેર કરેલા મહિલા ઉમેદવારને સ્થાને ફેરબદલી કરી નવા ઉમેદવારની જાહેરાત કરી છે.]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ભાજપના સીઆર પાટીલના સામે ટક્કર લેવા માટે કોંગ્રેસે  અગાઉ જાહેર કરેલા મહિલા ઉમેદવારને સ્થાને ફેરબદલી કરી નવા ઉમેદવારની જાહેરાત કરી છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>કોંગ્રેસ અગાઉ નવસારીની બેઠક પરથી ભાવનાબેનનું નામ જાહેર કર્યું હતું. જોકે ભાજપે આ બેઠક પરથી સહકારી અગ્રણી તથા એક સમયે બેંક કૌભાંડમાં સંડોવાયેલા એવા સી.આર.પાટીલની જાહેરાત કરતાં ચૂંટણી પહેલા જ કોંગ્રેસના પાયા ધ્રુજી ઉઠ્યા હતા  અને મહિલા ઉમેદવારને બદલે ધનસુખ રાજપૂતના નામની જાહેરાત કરવામાં આવી હતી. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આ અંગે પ્રદેશ પ્રમુખ સિધ્ધાર્થ પટેલે જણાવ્યું હતું કે, અગાઉ પણ સબળ ઉમેદવાર જ મુક્યા હતા. જોકે ભાજપના સી.આર.પાટીલને તમામ મામલે મજબૂત ટક્કર આપવા માટે આ ફેરફાર કરવામાં આવ્યો છે. </font>]]></content:encoded>
      <pubDate>Fri, 10 Apr 2009 12:41:59 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 20:27:26 +0530</updatedDate>
      <category><![CDATA[Election 09                                                                                         q]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[ભાજપી નેતાઓ નેનોમાં !]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/loksabha-election-09/ભાજપી-નેતાઓ-નેનોમાં-109041000029_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/loksabha-election-09/ભાજપી-નેતાઓ-નેનોમાં-109041000029_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[દેશ સહિત સમગ્ર વિશ્વમાં ચર્ચાસ્પદ બનેલી લાખેરી કાર નેનોનો સહારો ગુજરાત ભાજપે પણ લીધો છે. ભાજપને ચૂંટણી પ્રચારનો નવતર પ્રયોગ કર્યો છે. ભાજપી નેતાઓના ફોટાવાળુ નેનો કારનું પેન સ્ટેન્ડ મોડલ બહાર મુકાયું છે.]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>દેશ સહિત સમગ્ર વિશ્વમાં ચર્ચાસ્પદ બનેલી લાખેરી કાર નેનોનો સહારો ગુજરાત ભાજપે પણ લીધો છે. ભાજપને ચૂંટણી પ્રચારનો નવતર પ્રયોગ કર્યો છે. ભાજપી નેતાઓના ફોટાવાળુ નેનો કારનું પેન સ્ટેન્ડ મોડલ બહાર મુકાયું છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>હાઇટેક પ્રચારમાં માનતા ભાજપે ફરી એકવાર પોતાની બુધ્ધિ લગાડી છે અને લોકોની લાગણીને મતોમાં પરિવર્તિત કરવા માટે નેનોનું પેન સ્ટેન્ડ બનાવ્યું છે. અડવાણી, મોદી સહિતના અગ્રણી ભાજપી નેતાઓના ફોટાવાળા આ નેનો કારના અંદાજે 25 હજાર જેટલા પેન સ્ટેન્ડ તૈયાર કરાયા છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>સુંદર રમકડાં જેવું આ પેન સ્ટેન્ડ બાળકો સહિત ઓફિસ વર્ગ તથા વેપારી વર્ગમાં પણ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. </font>]]></content:encoded>
      <pubDate>Fri, 10 Apr 2009 12:14:19 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 20:27:26 +0530</updatedDate>
      <category><![CDATA[Election 09                                                                                         q]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[કોંગ્રેસ 440 બેઠકો પર લડશે]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/loksabha-election-09/કોંગ્રેસ-440-બેઠકો-પર-લડશે-109041000027_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/loksabha-election-09/કોંગ્રેસ-440-બેઠકો-પર-લડશે-109041000027_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[આ વખતની લોકસભા ચૂંટણી મુશ્કેલરૂપ રહેશે એવો સ્વીકાર કરતાં કોંગ્રેસના વ્યૂહ રચનાકાર જયરામ રમેશે કહ્યું હતું કે, આ વખતની ચૂંટણીમાં કોંગ્રેસ 440 બેઠકો પરથી જંગ લડશે.]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આ વખતની લોકસભા ચૂંટણી મુશ્કેલરૂપ રહેશે એવો સ્વીકાર કરતાં કોંગ્રેસના વ્યૂહ રચનાકાર જયરામ રમેશે કહ્યું હતું કે, આ વખતની ચૂંટણીમાં કોંગ્રેસ 440 બેઠકો પરથી જંગ લડશે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ગત લોકસભા કરતાં આ વખતે વધુ આશાવાદ વ્યક્ત કરતાં તેમણે કહ્યું હતું કે, ગત ચૂંટણીમાં 543 પૈકી કોંગ્રેસે 417 બેઠકો ઉપર ઉમેદવારી કરી હતી. જ્યારે આ વખતે 440 બેઠકો ઉપર ઉમેદવારી કરાશે. સાથોસાથ ગત ચૂંટણીમાં કોંગ્રેસ 145 બેઠકો ઉપર વિજયી થઇ હતી. જે આંકડો આ વખતે વધુ જશે અને કોંગ્રેસ પુનઃ સરકાર બનાવશે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>વધુમાં તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસના અગાઉના ચૂંટણી ઢંઢેરાના 85 ટકા વચનો અમલમાં મુકી દેવાયા છે પરંતુ આપણા દેશમાં ચૂંટણીઓ માત્ર સિધ્ધિઓના આધાર ઉપર લડાતી નથી. જાતિ ગણતરી પણ મહત્વનો ભાગ ભજવે છે.</font>]]></content:encoded>
      <pubDate>Fri, 10 Apr 2009 12:05:27 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 20:27:26 +0530</updatedDate>
      <category><![CDATA[Election 09                                                                                         q]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[જયલલિતા-વૈકા વચ્ચે સમજૂતી]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/loksabha-election-09/જયલલિતા-વૈકા-વચ્ચે-સમજૂતી-109041000023_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/loksabha-election-09/જયલલિતા-વૈકા-વચ્ચે-સમજૂતી-109041000023_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલી વાટાઘાટોને પગલે ગઇકાલે જયલલિતાના અન્નાદ્રમુક અને વૈકોના એમડીએમકે વચ્ચે સમજૂતી થઇ છે. જે અંતર્ગત વૈકાની પાર્ટી ચાર બેઠકો ઉપર ચૂંટણી લડશે.]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલી વાટાઘાટોને પગલે ગઇકાલે જયલલિતાના અન્નાદ્રમુક અને વૈકોના એમડીએમકે વચ્ચે સમજૂતી થઇ છે. જે અંતર્ગત વૈકાની પાર્ટી ચાર બેઠકો ઉપર ચૂંટણી લડશે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આ સમજૂતીને પગલે જયલલિતાના નેતૃત્વમાં અન્નાદ્રમુકે બેઠકોની વહેંચણીની કવાયત પૂર્ણ કરી લીધી છે અને તે પીએમકે, સીપીઆઇ, સીપીઆઇ(એમ), એમડીએમકે સહિતના સાથી પક્ષો સાથે ચૂંટણી લડશે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>તામિલનાડુમાં લોકસભાની 39 બેઠકો ઉપર ચૂંટણી લડવામાં આવશે. બેઠકોની થયેલી સમજૂતી અનુસાર અન્નાદ્રમુક 23, પીએમકે 6, ડીએમકે 4, સીપીઆઇ 3, સીપીઆઇ(એમ) 3 બેઠકો ઉપર ચૂંટણી લડશે. </font>]]></content:encoded>
      <pubDate>Fri, 10 Apr 2009 11:56:27 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 20:27:26 +0530</updatedDate>
      <category><![CDATA[Election 09                                                                                         q]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[મહેસાણામાં 1984નો રેકોર્ડ અકબંધ !]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/loksabha-election-09/મહેસાણામાં-1984નો-રેકોર્ડ-અકબંધ-109041000015_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/loksabha-election-09/મહેસાણામાં-1984નો-રેકોર્ડ-અકબંધ-109041000015_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[ભાજપ માટે મહેસાણાની બેઠકનું મહત્વ ઘણું બધું છે. દેશમાં  જ્યારે 1984માં ભાજપ માત્ર બે બેઠકો ઉપર વિજયી બન્યું હતું  ત્યારે એમાં એક બેઠક મહેસાણાની હતી. સાથોસાથ એ સમયે  72.81 ટકા જંગી મતદાન થયું હતું જે રેકોર્ડ આજે પણ  અકબંધ રહ્યો છે.]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ભાજપ માટે મહેસાણાની બેઠકનું મહત્વ ઘણું બધું છે. દેશમાં  જ્યારે 1984માં ભાજપ માત્ર બે બેઠકો ઉપર વિજયી બન્યું હતું  ત્યારે એમાં એક બેઠક મહેસાણાની હતી. સાથોસાથ એ સમયે 72.81 ટકા જંગી મતદાન થયું હતું જે રેકોર્ડ આજે પણ  અકબંધ રહ્યો છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>મહેસાણાને રાજકીય લેબોરેટરી કંઇ એમ જ કહેવામાં નથી  આવતું. મહેસાણાએ આના નક્કર પુરાવા પણ આપ્યા છે. દેશમાં જ્યારે ભાજપ પા...પા....પગલી માંડી રહ્યું હતું ત્યારે  મહેસાણાના મતદારાએ પહેલ કરી ભાજપને માથે બેસાડ્યું  હતું. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/>1984<font  style='font-size:11pt; color:#000000'>માં આ ફેરફાર થયો હતો. ભાજપના ઉમેદવાર ડો. એ.કે.પટેલે પોતાના પ્રતિસ્પર્ધીને જંગી મતોથી હાર આપી  ભાજપનો કેસરીયો લહેરાવ્યો હતો. આ બેઠકના મતદારોએ  પણ ખોબલે ખોબલે મત આપ્યા હતા અને 72.81 ટકા જેટલું  મતદાન થયું હતું. જે આજે પણ રેકોર્ડ સમાન છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ડો.એ.કે.પટેલે ત્યાર બાદ સતત પાંચ ટર્મ સુધી પાછું વળીને  જોયું ન હતું અને ત્યારબાદ આટલું જંગી મતદાન પણ ક્યારેય થયું નથી. સાથોસાથ ડો.એ.કે. પટેલ બાદ આ બેઠક ઉપર ભાજપનો વિજય થયો નથી. છેલ્લી બે ટર્મમાં કોંગ્રેસના પટેલ જીવાભાઇ તથા પટેલ આત્મારામભાઇ મગનભાઇ અનુક્રમે 2004 તથા 1999માં વિજયી બન્યા હતા. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/>1977<font  style='font-size:11pt; color:#000000'>માં 65.21 ટકા, 1980માં 65.41 ટકા, 1984માં 72.81  ટકા, 1989માં 66.86, 1991માં 45.42, 1996માં 45.12,  1998માં 71.47, 1999માં 57.64 ટકા તથા 2004માં 56.26  ટકા મતદાન થયું છે. જેમાં સૌથી વધુ મતદાન ડો.  એ.કે.પટેલની એન્ટ્રી વખતે 1984માં 72.81 ટકા તથા છેલ્લી  ટર્મ વખતે 1998માં 71.47 ટકા થયું હતું. </font>]]></content:encoded>
      <pubDate>Fri, 10 Apr 2009 11:13:16 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 20:27:26 +0530</updatedDate>
      <category><![CDATA[Election 09                                                                                         q]]></category>
      <authorname>હરેશ સુથાર</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[ચૂંટણી પરિણામો આંખો ઉઘાડનારા હશે]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/loksabha-election-09/ચૂંટણી-પરિણામો-આંખો-ઉઘાડનારા-હશે-109041000014_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/loksabha-election-09/ચૂંટણી-પરિણામો-આંખો-ઉઘાડનારા-હશે-109041000014_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[દેશમાં જ્યારે સમ ખાવા પુરતી ભાજપની બે બેઠકો આવી  હતી ત્યારે મહેસાણા બેઠક ઉપરથી ભારે મતોથી વિજયી  બનેલા ડો. એ.કે.પટેલ ભારપૂર્વક માની રહ્યા છે કે, મતદારો  હવે ખોટી વાતોથી ભ્રમિત નહીં થાય અને ચૂંટણી પરિણામો  આંખો ઉઘાડનારા હશે.]]></description>
      <content:encoded><![CDATA[<!--Image--><p><table style='margin: 3px 8px 0px 0px;' cellspacing='0' cellpadding='0' border='0' Align=Left><tr><td valign='top'><img src='/gu/articles/0904/10/images/img1090410014_1_1.jpg' Alt='' Border=0  HSPACE=4 VSPACE=4 class='imgArticle_New'></td></tr><tr><td class='imgSource'><table width='100%' cellpadding='0' cellspacing='0' border='0'><tr><td align='left'></td><td valign='top' align='right'>PIB</td></tr></table></td></tr></table></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>દેશમાં જ્યારે સમ ખાવા પુરતી ભાજપની બે બેઠકો આવી  હતી ત્યારે મહેસાણા બેઠક ઉપરથી ભારે મતોથી વિજયી  બનેલા ડો. એ.કે.પટેલ ભારપૂર્વક માની રહ્યા છે કે, મતદારો  હવે ખોટી વાતોથી ભ્રમિત નહીં થાય અને ચૂંટણી પરિણામો  આંખો ઉઘાડનારા હશે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>જીત માટે ભાજપના દ્વાર ખોલનાર અને 1984થી 1998 સુધી  સતત પાંચ ટર્મમાં વિજયી બનનાર ડો. એ.કે. પટેલે વેબ  દુનિયા સાથેની એક મુલાકાતમાં ભાજપ ઉપર નિશાન સાધતાં  તેમણે કહ્યું હતું કે, હવે મતદારો જાગી ગયા છે અને વિચાર  કરી રહ્યા છે કે આ એજ પાર્ટી છે કે જે અગાઉ મૂલ્યોની વાતો  કરતી હતી. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>વધુમાં તેમણે કહ્યું હતું કે, આ વખતના ચૂંટણી  પરિણામો આંખો ઉઘાડનારા હશે. હવે લોકોને ઉલ્લુ બનાવી  નહીં શકાય. લોકો હવે સમજી ગયા છે કે દેખાય છે એ બધુ  સોનું નથી. કમનસીબીથી લોકો બનાવટી વાતોમાં આકર્ષાઇ  ગયા હતા જે હવે લોકો જાણી ગયા છે. </font>]]></content:encoded>
      <pubDate>Fri, 10 Apr 2009 11:09:47 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 20:27:26 +0530</updatedDate>
      <category><![CDATA[Election 09                                                                                         q]]></category>
      <authorname>હરેશ સુથાર</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[મારા મુદ્દાઓ મારી કલાની નજીક છે-મલ્લિકા]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/loksabha-election-09/મારા-મુદ્દાઓ-મારી-કલાની-નજીક-છે-મલ્લિકા-109040900061_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/loksabha-election-09/મારા-મુદ્દાઓ-મારી-કલાની-નજીક-છે-મલ્લિકા-109040900061_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[હું રાજકારણમાં બેશક ખૂબ મોડી આવી છું,પણ છેલ્લાં 25 વર્ષોથી પોતાની કલાનાં માધ્યમથી  મુદ્દાઓને લોકો સુધી પહોચાડતી રહી છું.]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>હું રાજકારણમાં બેશક ખૂબ મોડી આવી છું,પણ છેલ્લાં 25 વર્ષોથી પોતાની કલાનાં માધ્યમથી  મુદ્દાઓને લોકો સુધી પહોચાડતી રહી છું.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આ કહેવું છે પ્રખ્યાત નૃત્યાંગના અને અડવાણીની સામેનાં અપક્ષ ઉમેદવાર મલ્લિકા સારાભાઈનું.  ઈસરોનાં અંતરીક્ષ કાર્યક્રમનાં પ્રણેતા વિક્રમ સારાભાઈની દિકરી અને જાણીતી નૃત્યાંગના મલ્લિકા  ભાજપનાં વડાપ્રધાન પદનાં ઉમેદવાર લાલકૃષ્ણ અડવાણી સામે પોતાનું ભાવિ અજમાવી રહી છે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>મલ્લિકા છેલ્લાં 25 વર્ષથી મહિલા સશક્તિકરણ, સામાજિક ન્યાય અને માનવાધિકાર જેવા સામાજિક મુદ્દા  પર વાત કરવા પોતાની કલાનો ઉપયોગ કરી રહ્યાં છે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>વર્ષ 2002નાં ગોધરાકાંડ બાદ મલ્લિકા મોદીની કટ્ટર આલોચક બની ગઈ છે. મલ્લિકાનું કહેવું છે કે  ભ્રષ્ટાચાર, વંશવાદથી લોકો કંટાળી ગયા છે. તેમજ તેથી હવે ઈમાનદાર લોકો રાજકારણમાં આવે, તે  જરૂરી છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>મલ્લિકાઓ કહ્યું કે ગાંધીનગર બેઠક પરથી ચાર વખત લોકસભાની ચુંટણી લડનાર અડવાણી સામે  લડવાનો નિર્ણય એટલાં માટે કર્યો કારણ કે તેમાં અમદાવાદ શહેરનો કેટલોક ભાગ પણ સામેલ છે. જે  વિસ્તારમાં હું છેલ્લાં 54 વર્ષથી રહું છું. જ્યારે અડવાણી છેલ્લાં 20 વર્ષથી રહે છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>મલ્લિકા છેલ્લાં 15 દિવસથી ચુંટણી પ્રચાર કરી રહી છે. તેમજ સમર્થન મેળવવા માટે ઝુંપડપટ્ટીઓ અને  ગામડાંઓમાં ફરી રહી છે. તેમજ મલ્લિકાએ જણાવ્યું કે મને હિન્દુ હોવાનો ગર્વ છે. પણ મારી ઓળખ  એક નૃત્યાંગના તરીકે વધુ સારી છે. </font>]]></content:encoded>
      <pubDate>Thu, 09 Apr 2009 18:43:06 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 20:27:26 +0530</updatedDate>
      <category><![CDATA[Election 09                                                                                         q]]></category>
      <authorname>ભાષા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[ટાઈટલર-સજ્જનને ફાંસી આપો-અકાલી]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/loksabha-election-09/ટાઈટલર-સજ્જનને-ફાંસી-આપો-અકાલી-109040900060_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/loksabha-election-09/ટાઈટલર-સજ્જનને-ફાંસી-આપો-અકાલી-109040900060_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[શિરોમણિ અકાલી દળનાં સદસ્યોએ શીખ વિરોધી તોફાનોમાં સામેલ જગદીશ ટાઈટલર અને  સજ્જનકુમારનાં પૂતળાંને ફુંકીને, તે બંનેને ફાંસી આપવાની માંગ કરી છે.]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>શિરોમણિ અકાલી દળનાં સદસ્યોએ શીખ વિરોધી તોફાનોમાં સામેલ જગદીશ ટાઈટલર અને  સજ્જનકુમારનાં પૂતળાંને ફુંકીને, તે બંનેને ફાંસી આપવાની માંગ કરી છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>શિરોમણિ અકાલી દળનાં અધ્યક્ષ ગુરપાલસિંહે જણાવ્યું હતું કે આ બંને નેતાઓ 1984માં કેટલાંય નિર્દોષ  શીખોની કત્લેઆમ કરી હતી. તેથી સીબીઆઈ તેમને ક્લીનચીટ કેવી રીતે આપી શકે છે. તેનો વિરોધ  કરીને તેમણે ફરીથી તટસ્થ તપાસ કરીને, બંને નેતાઓને ફાંસી આપવાની માંગ કરી હતી.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આ ઉપરાંત, જગદીશ ટાઈટલર અને સજ્જનકુમાર વિરૂધ્ધ શીખોનો ગુસ્સો દિવસેને દિવસે વધી રહ્યો છે.  દિલ્હીમાં કોર્ટની બહાર શીખોએ ધરણાં યોજ્યા હતા. તેમજ પંજાબમાં પણ ઠેરઠેર રેલ રોકો અને રસ્તા  રોકો દેખાવો યોજવામાં આવે છે. </font>]]></content:encoded>
      <pubDate>Thu, 09 Apr 2009 18:42:50 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 20:27:26 +0530</updatedDate>
      <category><![CDATA[Election 09                                                                                         q]]></category>
      <authorname>ભાષા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[ટાઈટલરે ઉમેદવારી પાછી ખેંચી]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/loksabha-election-09/ટાઈટલરે-ઉમેદવારી-પાછી-ખેંચી-109040900059_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/loksabha-election-09/ટાઈટલરે-ઉમેદવારી-પાછી-ખેંચી-109040900059_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[1984માં શીખ વિરોધી તોફાનોમાં આરોપી અને સીબીઆઈની ભલામણ બાદ કોર્ટે જેને નિર્દોષ છોડ્યા છે, તે દિલ્હી ઉત્તર પૂર્વનાં ઉમેદવાર જગદીશ ટાઈટલરે પોતાની ઉમેદવારી પાછી ખેંચી લીધી છે.]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:11pt; color:#000000'></font><br/>1984<font  style='font-size:11pt; color:#000000'>માં શીખ વિરોધી તોફાનોમાં આરોપી અને સીબીઆઈની ભલામણ બાદ કોર્ટે જેને નિર્દોષ છોડ્યા છે, તે દિલ્હી ઉત્તર પૂર્વનાં ઉમેદવાર જગદીશ ટાઈટલરે પોતાની ઉમેદવારી પાછી ખેંચી લીધી છે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>પત્રકાર પરિષદને સંબોધિત કરતાં ટાઈટલરે જણાવ્યું હતું કે મીડિયાએ આ કેસને બરાબર સમજ્યો જ નથી. કોર્ટે મને 1999માં જ ક્લીનચીટ આપી દીધી હતી. પણ મારી સામે આવેલી અરજી બાદ સીબીઆઈએ ફરીથી તપાસ કરીને રીપોર્ટ કોર્ટને સોંપ્યો હતો. તેથી મને બીજી વખત કોર્ટ પણ ક્લીનચીટ આપી દીધી છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આ પ્રસંગે ટાઈટલરે કેટલાંક પુરાવાઓ પણ રજુ કર્યા હતા. તેમણે પોતાનો પક્ષ રાખવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ ટાઈટલરે પોતાનું ઉમેદવારી પત્ર પાછુ ખેંચવાની જાહેરાત કરી હતી. </font>]]></content:encoded>
      <pubDate>Thu, 09 Apr 2009 18:42:35 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 20:27:26 +0530</updatedDate>
      <category><![CDATA[Election 09                                                                                         q]]></category>
      <authorname>ભાષા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[પ્રજા રાજ્યમનાં પ્રવક્તાએ પાર્ટી છોડી]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/loksabha-election-09/પ્રજા-રાજ્યમનાં-પ્રવક્તાએ-પાર્ટી-છોડી-109040900058_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/loksabha-election-09/પ્રજા-રાજ્યમનાં-પ્રવક્તાએ-પાર્ટી-છોડી-109040900058_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[લોકસભાની ચુંટણી પહેલાં ચિરંજીવીની પાર્ટીને જોરદાર ફટકો પડ્યો છે. કારણ કે પાર્ટીનાં પ્રવક્તા પારાકલા પ્રભાકરે પાર્ટીને ઝેરી વૃક્ષ કહીને તેનાથી અલગ થવાનો નિર્ણય જાહેર કર્યો છે.]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>લોકસભાની ચુંટણી પહેલાં ચિરંજીવીની પાર્ટીને જોરદાર ફટકો પડ્યો છે. કારણ કે પાર્ટીનાં પ્રવક્તા પારાકલા પ્રભાકરે પાર્ટીને ઝેરી વૃક્ષ કહીને તેનાથી અલગ થવાનો નિર્ણય જાહેર કર્યો છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>પારાકલા પ્રભાકરે કહ્યું કે તે પાર્ટીનાં સંસ્થાપક સદસ્ય પૈકીનો એક છે. પ્રજા રાજ્યમને એક રાજકીય પાર્ટી તરીકેનાં દસ્તાવેજ પર મેં સહી કરેલી છે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>તેમણે કહ્યું કે શરૂઆતમાં મને એમ કે પાર્ટી સારી રીતે કામ કરશે. પણ પાર્ટી બન્યા બાદ તે તેના ઉદ્દેશ્ય પર ચાલવામાં નિષ્ફળ રહી છે. તેથી હું પાર્ટી છોડી રહ્યો છું.</font>]]></content:encoded>
      <pubDate>Thu, 09 Apr 2009 18:42:14 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 20:27:26 +0530</updatedDate>
      <category><![CDATA[Election 09                                                                                         q]]></category>
      <authorname>ભાષા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[અમરસિંહ સપા નહીં છોડે]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/loksabha-election-09/અમરસિંહ-સપા-નહીં-છોડે-109040800056_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/loksabha-election-09/અમરસિંહ-સપા-નહીં-છોડે-109040800056_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[વરિષ્ઠ સપા નેતા અમરસિંહે સમાજવાદી પાર્ટી પ્રત્યે નારાજગી વ્યક્ત કર્યા બાદ તેઓ પોતાના  વક્તવ્યથી પલટી ગયા હતા, અને કહ્યું હતું  કે તે ક્યારેય સપા છોડશે નહીં.]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>વરિષ્ઠ સપા નેતા અમરસિંહે સમાજવાદી પાર્ટી પ્રત્યે નારાજગી વ્યક્ત કર્યા બાદ તેઓ પોતાના  વક્તવ્યથી પલટી ગયા હતા, અને કહ્યું હતું  કે તે ક્યારેય સપા છોડશે નહીં.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>મોડીરાત્રે પોતાના ઘર પર બોલાવેલા પત્રકારોને સંબોધતા અમરસિંહે જણાવ્યું હતું કે પાર્ટી છોડવાનો  તેમનો કોઈ ઈરાદો નથી. હું દુનિયા છોડી શકુ છું, પણ પાર્ટી નહીં. તેમણે કહ્યું હતું કે મુલાયમસિંહ સાથે  તેમને ભાવનાત્મક સંબંધ છે. તેથી તેમના માટે હું ચપ્પલ ખાવા પણ તૈયાર છું. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>અમરસિંહે કહ્યું કે જે પણ સમાજવાદી પાર્ટી છોડીને જાય છે, તે માટે મને જવાબદાર ગણવામાં આવે છે.  મને ખબર નથી પડતી કે આવું કેમ થાય છે. તેમણે કહ્યું કે આઝમ ખાન, સલીમ શેરવાની અને બેની  પ્રસાદ વર્મા પાર્ટીમાં હોય, મંત્રી હોય કે મંત્રી પદ પર  નહોય, પણ હું પાર્ટી માટે કામ કરતો રહ્યો.  તેમછતાં મને બલીનો બકરો બનાવવામાં આવી રહ્યો છે. તેમણે આઝમ ખાન સાથે સંબંધ બગડ્યા  હોવાની વાતનો ઈન્કાર કર્યો હતો. </font>]]></content:encoded>
      <pubDate>Wed, 08 Apr 2009 17:46:14 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 20:27:26 +0530</updatedDate>
      <category><![CDATA[Election 09                                                                                         q]]></category>
      <authorname>ભાષા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[સોનિયાને જેટલીનો જવાબ]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/loksabha-election-09/સોનિયાને-જેટલીનો-જવાબ-109040800055_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/loksabha-election-09/સોનિયાને-જેટલીનો-જવાબ-109040800055_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[ભાજપનાં નેતા અરૂણ જેટલીએ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીનાં તે વક્તવ્યને હાસ્યાસ્પદ  ગણાવ્યું કે જેમાં તેમણે કહ્યું હતું કે ભાજપ ડો.મનમોહનસિંહને નબળા વડાપ્રધાન કહીને દેશનું અપમાન  કરી રહ્યાં છે.]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ભાજપનાં નેતા અરૂણ જેટલીએ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીનાં તે વક્તવ્યને હાસ્યાસ્પદ  ગણાવ્યું કે જેમાં તેમણે કહ્યું હતું કે ભાજપ ડો.મનમોહનસિંહને નબળા વડાપ્રધાન કહીને દેશનું અપમાન  કરી રહ્યાં છે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>તેમણે કહ્યું હતું કે ફક્ત ભાજપ જ નહીં, પણ અનેક દેશ પણ ડો.સિંહને નબળા વડાપ્રધાન માને છે.  જેટલીએ કહ્યું કે શક્ય છે કે સોનિયા ગાંધીને ખબર નથી કે વિશ્વ ડો.સિંહને નબળા વડાપ્રધાન ગણે છે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>રવિવારે વારાણસીમાં કોંગ્રેસ અધ્યક્ષ દ્વારા વારાણસીમાં આ અંગે ટીપ્પણી કરી હતી. જેનો જવાબ આપતાં  જેટલીએ જણાવ્યું હતું કે એક પ્રસિદ્ધ અખબારે ડો.સિંહ માટે લખ્યુ છે કે તે વડાપ્રધાન તો છે, પણ તેમની  પાસે પાવર નથી. </font>]]></content:encoded>
      <pubDate>Wed, 08 Apr 2009 17:44:48 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 20:27:26 +0530</updatedDate>
      <category><![CDATA[Election 09                                                                                         q]]></category>
      <authorname>ભાષા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[અવિજિત નક્ષત્રનું નેતાઓને મોહ]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/loksabha-election-09/અવિજિત-નક્ષત્રનું-નેતાઓને-મોહ-109040800054_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/loksabha-election-09/અવિજિત-નક્ષત્રનું-નેતાઓને-મોહ-109040800054_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[એનડીએનાં વડાપ્રધાન પદનાં ઉમેદવાર લાલકૃષ્ણ અડવાણી બુધવારે 12.39 કલાકે વિજય  મૂહૂર્તમાં ઉમેદવારી પત્રક ભર્યુ હતું. અડવાણી ઉપરાંત ગુજરાત ભાજપનાં મોટાભાગનાં ઉમેદવારોએ  વિજયમૂહૂર્તમાં જ ઉમેદવારી પત્રક ભરવાનો આગ્રહ રાખ્યો હતો.]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:11pt; color:#000000'></font><br/> <font  style='font-size:11pt; color:#000000'>એનડીએનાં વડાપ્રધાન પદનાં ઉમેદવાર લાલકૃષ્ણ અડવાણી બુધવારે 12.39 કલાકે વિજય  મૂહૂર્તમાં ઉમેદવારી પત્રક ભર્યુ હતું. અડવાણી ઉપરાંત ગુજરાત ભાજપનાં મોટાભાગનાં ઉમેદવારોએ  વિજયમૂહૂર્તમાં જ ઉમેદવારી પત્રક ભરવાનો આગ્રહ રાખ્યો હતો. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>પણ આ વિજય મૂહૂર્ત શુ છે. તે સમજવા રામાયણમાં રામ અને રાવણનું યુદ્ધ યાદ કરવુ પડે. એક  માન્યતા મુજબ જે સમયે રામે રાવણનો વધ કર્યો તે સમય બપોરનાં 12.39 કલાક હતા. તેથી તે  સમયને વિજય મૂહૂર્ત ગણવામાં આવે છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>લોકશાહીમાં પોતાના હરીફ ઉમેદવારને હરાવવા માટે વિજયમૂહૂર્તમાં ઉમેદવારી પત્રક ભરવાની પરંપરા  રહી છે. જો કે હવે તો કોંગ્રેસનાં ઉમેદવારો પણ વિજયમૂહૂર્તમાં ઉમેદવારી પત્રક ભરવા આતુર જણાતા  હતા.</font>]]></content:encoded>
      <pubDate>Wed, 08 Apr 2009 17:43:24 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 20:27:26 +0530</updatedDate>
      <category><![CDATA[Election 09                                                                                         q]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[કાળુ ધન લાવીને રહીશું-અડવાણી]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/loksabha-election-09/કાળુ-ધન-લાવીને-રહીશું-અડવાણી-109040800053_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/loksabha-election-09/કાળુ-ધન-લાવીને-રહીશું-અડવાણી-109040800053_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[પોતાનું ઉમેદવારી પત્ર ભર્યા બાદ અડવાણીએ ઉપસ્થિત કાર્યકરોને જણાવ્યું હતું કે તેમની સરકાર વિદેશી બેન્કોમાં જમા કાળુ નાણું લાવીને રહેશે.]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>પોતાનું ઉમેદવારી પત્ર ભર્યા બાદ અડવાણીએ ઉપસ્થિત કાર્યકરોને જણાવ્યું હતું કે તેમની સરકાર વિદેશી બેન્કોમાં જમા કાળુ નાણું લાવીને રહેશે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>પોતાના ચુંટણી કાર્યાલયને ખુલ્લું મુકતાં અડવાણીએ જણાવ્યું હતું કે યુપીએ સરકાર તમામ મોરચે નિષ્ફળ રહી છે. તેમજ લોકો હવે એનડીએ તરફ આશા રાખીને બેઠા છે. ત્યારે હું નાગરિકોને આશ્વાસન આપુ છું કે એનડીએ સત્તામાં આવશે, તો તે દેશનું કાળુ નાણું પાછુ લાવશે. અને, તેનો ઉપયોગ દેશનાં વિકાસનાં કામમાં કરશે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આ પ્રસંગે તેમણે ઉલ્લેખ કર્યો હતો કે જર્મન સરકારે કાળુ નાણું ધરાવતાં લોકો પર દબાણ બનાવીને કાળુ નાણુ ધરાવતા લોકોનુ લિસ્ટ આપવા બેન્કને જણાવ્યું હતું. તેમજ આ લિસ્ટમાંથી કોઈ દેશને માહિતી જોઈતી હોય તો તે લઈ શકે તેવી ઓફર પણ કરી હતી. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આ સભામાં પુરૂષોત્તમ રૂપાલાએ પણ યુપીએ સરકાર પર ચાબખાં માર્યા હતા. તેમણે કોંગ્રેસ ગરીબોનો હાથ પકડનારી નહીં પણ હાથ છોડાવનારી પાર્ટી ગણાવી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સહિત ભાજપનાં વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા હતા. </font>]]></content:encoded>
      <pubDate>Wed, 08 Apr 2009 17:41:11 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 20:27:26 +0530</updatedDate>
      <category><![CDATA[Election 09                                                                                         q]]></category>
      <authorname>ભાષા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[નેનોઃગુજરાતમાં ગુડ, બંગાળમાં બેડ]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/loksabha-election-09/નેનોઃગુજરાતમાં-ગુડ-બંગાળમાં-બેડ-109040700039_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/loksabha-election-09/નેનોઃગુજરાતમાં-ગુડ-બંગાળમાં-બેડ-109040700039_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[ભારતીય રાજકારણમાં પ્રથમવાર કોઈ વાહન રાજકીય મુદ્દો બની ગયો છે. એક પક્ષ તેના દ્વારા લાભ કમાવવા માંગે છે, તો બીજો પક્ષ તેનાથી થનારા નુકસાન અંગે જનતાની વચ્ચે જાય છે. આમ પીપલ્સ કાર, રાજકારણીઓ માટે એજન્ડા કાર બની ગઈ છે.  એક પક્ષ માટે ઈકોનોમિક મુદ્દો છે, ...]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ભારતીય રાજકારણમાં પ્રથમવાર કોઈ વાહન રાજકીય મુદ્દો બની ગયો છે. એક પક્ષ તેના દ્વારા લાભ કમાવવા માંગે છે, તો બીજો પક્ષ તેનાથી થનારા નુકસાન અંગે જનતાની વચ્ચે જાય છે. આમ પીપલ્સ કાર, રાજકારણીઓ માટે એજન્ડા કાર બની ગઈ છે.  એક પક્ષ માટે ઈકોનોમિક મુદ્દો છે, તો બીજા પક્ષ માટે પોલીટીકલ મુદ્દો બની ગઈ છે. આ અંગે તપાસ કરીને રીપોર્ટ આપ્યો છે, અમારા રીપોર્ટર <b>દેવાંગ મેવાડાએ.....</b></font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'><b>ઈતિહાસઃ</b></font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ટાટા મોટર્સની પીપલ્સ ગાડી નેનો સિંગુર થી સાણંદ આવી ગઈ છે. સિંગુરમાં નેનોને માર મળ્યો હતો, પણ સાણંદમાં તેનો માવો મળી રહ્યો છે. એટલે કે સિંગુર ઘણી મુસીબતોનો સામનો કરવો પડ્યો છે.પણ સાણંદમાં તેના માટે લાલ જાજમ પાથરવામાં આવ્યા છે. એટલે કે કોમ્યુનિસ્ટનાં દુર્ગ એવા પશ્ચિમી બંગાળથી નેનો કાર બહાર તો આવી ગઈ છે. પણ લોકસભાની ચુંટણીમાં નેનો પ્રચારનો મુખ્ય મુદ્દો બની ગયો છે. એકતરફ સીપીએમ જેવી સામ્યવાદી પાર્ટી નેનો પ્રોજેક્ટ જવાથી રાજ્યને થયેલા નુકસાની અંગે જનતાને સમજાવી રહી છે. તો તૃણમુલ કોંગ્રેસની ફાયરબ્રાન્ડ નેતા મમતા બેનર્જી ખેડૂતોને પોતાની કિંમતી જમીન જવાથી થનારા નુકસાનને લઈને જનતા વચ્ચે જઈ રહી છે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'><b>હકીકતઃ</b></font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>પણ સાચી વાત કંઈ બીજી જ છે. કોમ્યુનિસ્ટોનાં દુર્ગ એટલે કિલ્લા એવા પશ્ચિમ બંગાળમાં છેલ્લાં 30 વર્ષોથી સરકાર ચાલે છે. કોઈપણ પક્ષ તેને હરાવી તો શું, હલાવી પણ શક્યું નથી. જ્યોતિ બસુએ પોતાનાં કાર્યકાળમાં જમીન સુધારા, મજૂરોને હક્ક તેમજ પંચાયતી રાજ જેવા પગલાં ભરીનેરાજ્યનાં ગામડાઓને સ્વાવલંબી બનાવ્યા હતા. પણ સમયની સાથે રાજ્યની વસ્તી વધતી રહી. જમીનનાં ટુકડા થતાં રહ્યાં. બેરોજગારી વધતી રહી. ત્યારે 2001માં બુદ્ધદેવ ભટ્ટાચાર્યએ સત્તા સંભાળી. બુદ્ધદેવને સીપીએમમાં ઉદારમતવાદી ગણવામાં આવે છે. તેણે રાજ્યની આર્થિક સ્થિતિ જોઈ. બેરોજગારી દૂર કરવાનાં ઉપાયરૂપે રાજ્યમાં ઉદ્યોગોને આકર્ષવા લાગ્યા. જેમાં સલીમ અને નેનો જેવા મોટો પ્રોજેક્ટો મળ્યા. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>પણ આ પ્રોજેક્ટો માટે ફળદ્વુપ જમીનની ફાળવણી કરવા અંગે સીપીએમનાં નિર્ણયને લઈને નંદીગ્રામ અને સિંગુરમાં લોકોમાં અસંતોષ ફાટી નીકળ્યો. કહેવાય છે કે આ વિરોધ તૃણમુલ કોંગ્રેસે કર્યો હતો. પણ સાચી હકીકત તો એ છે કે સીપીએમમાં કટ્ટરવાદી એવા વર્ધમાન જૂથને બુદ્ધદેવની ઉદારમતવાદી અને મૂડીવાદી છબી પસંદ નહતી. તેમણે જ પોતાની કોમ્યુનિસ્ટ સરકાર વિરૂદ્ધ ચળવળ ચલાવી અને તૃણમુલને આડકતરી રીતે સપોર્ટ આપ્યો. આ ઉપરાંત 30 વર્ષથી જે રાજ્યમાં જમીન સુધારણા અને રક્ષણનાં કામ ચાલતાં હોય, ત્યાં ઉદ્યોગો માટે લાલ જાજમ પાથરવા માટે થોડો સમય જોઈએ. પણ બુદ્ધદેવ સરકારે તાત્કાલિક ધોરણે અમલ કરવાનો પ્લાન કર્યો. જેના કારણે લોકોની અંદર પણ રોષ ફાટી નીકળ્યો. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'><b>કોમ્યુનિસ્ટની કાલ....</b></font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>કારણ કે સામ્યવાદી સામાન્ય રીતે મૂડીવાદી વિરોધી હોય છે. તેમાં બુદ્ધદેવની ઉદ્યોગો તરફી નીતિઓએ સામ્યવાદીઓ હજમ કરી શક્તાં હતા. આમ બે વાંદરાઓનાં ઝઘડામાં બિલાડી લાભ લઈ જાય, તેમ સીપીએમનાં આંતરીક ઝઘડામાં તૃણમુલની મમતા રાજકીય લાભ લઈ રહી છે. ત્રણ દાયકામાં બંગાળમાં ઔદ્યોગિક ક્ષેત્રે કંગાલીયત પર આવી ગયું હતું. તેથી તેણે રાજ્યનું ઔદ્યોગિકીકરણ કરવાનો મોકો ગુમાવી દીધો છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>છેલ્લાં ત્રણ દાયકાથી કોલકાતાની અલીમુદ્દીન સ્ટ્રીટમાં કે જ્યાં સીપીએમનું હેડક્વાર્ટર આવેલું છે. તેમાં જમીન, મજૂર અને પંચાયતીરાજનાં હિમાયતી એવા માર્ક્સવાદીઓ પાર્ટીમાં મૂડીવાદી એટલે કે અમેરિકા તરફી વલણ ક્યારેય સ્વીકાર્યું નથી. તો બીજી બાજુ બુદ્ધદેવની લાર્જર ધેન પાર્ટીની ઈમેજ પણ નેનો પ્રોજેક્ટ હટાવવામાં મહત્ત્વપૂર્ણ સાબિત થઈ. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'><b>તટસ્થ વાત...</b></font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>નેનોને લઈને સીપીએમ અને તૃણમુલ બંને પોતાનો મત રાખ્યો છે. બંને એમ કહે છે કે તેઓ નેનોની વિરોધમાં નથી. આ અંગે જાણીતા અખબાર ધ સ્ટેટ્સમેનનાં પત્રકાર ઉદય બસુનાં જણાવ્યા મુજબ તૃણમુલને પ્રારંભિક રીતે ગમે તેટલો ફાયદો ઉઠાવી લીધો હોય, પણ ચુંટણીમાં સીપીએમને વફાદાર એવા ગ્રામીણ વિસ્તારમાં કેવી રીતે પ્રચાર કરશે તે જોવું રસપ્રદ રહેશે. તો સીપીએમ તો આ મુદ્દાને પોતાની છબી બદલવાની તક તરીકે જોઈ રહી છે. પણ ધ સ્ટેટ્સમેનનાં વરિષ્ઠ પત્રકાર ઉદય બાસુનાં જણાવ્યા મુજબ તૃણમુલે સીપીએમનાં ગઢ એવા ગ્રામીણ વિસ્તારોમાં પોતાની પકડ મજબૂત કરવા લાગી છે. સીપીએમ હાલ પોતાની વિચારધારાને બદલવા અંગે મુંઝવણમાં આવી ગઈ છે. સીપીએમ માટે યુદ્ધ જીતવા જતાં ગઢ હારવા જેવી સ્થિતિ પેદા થઈ છે.  ઔદ્યોગિકીકરણ કરવાની કોશિશમાં તે પોતાની પરંપરાગત વોટબેન્ક ગુમાવી રહી છે. બાસુનાં જણાવ્યા મુજબ લોકસભાની ચુંટણીમાં તૃણમુલ કોંગ્રેસ પોતાનો દેખાવ સુધારી શકે છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'><b>નેનો ગુજરાતમાં....</b></font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>નેનો પ્રોજેક્ટ ગુજરાતમાં આવવાની સાથે સ્વયંભૂ રીતે લોકોમાં ઉત્સાહનો સંચાર થયો હતો. ઠેર ઠેર મોદી અને રતન ટાટાનાં પોસ્ટર લગાવવામાં આવ્યા હતા. જે સાબિત કરે છે કે ભાજપનાં નેતાઓ સ્થાનિક સ્તરે નેનો પ્રોજેક્ટનો પોતાના ફાયદા માટે ઉપયોગ કરશે. </font>]]></content:encoded>
      <pubDate>Tue, 07 Apr 2009 14:55:32 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 20:27:26 +0530</updatedDate>
      <category><![CDATA[Election 09                                                                                         q]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[લાલુની ધરપકડનો આદેશ]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/loksabha-election-09/લાલુની-ધરપકડનો-આદેશ-109040700038_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/loksabha-election-09/લાલુની-ધરપકડનો-આદેશ-109040700038_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[જો હું ગૃહમંત્રી હોત તો 17 કરોડ મુસલમાનોની લાગણી દુભાવવા  બદલ વરૂણ ગાંધી પર બુલડોઝર ફેરવી નાંખત....એવા ભાષણ બાદ રેલ્વે  મંત્રી લાલુ પ્રસાદ યાદવ બરાબર ફસાયા છે. કિશનગંજ કોર્ટે લાલુ યાદવને ધરપકડ કરવાનો આદેશ  કર્યો છે.]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>જો હું ગૃહમંત્રી હોત તો 17 કરોડ મુસલમાનોની લાગણી દુભાવવા  બદલ વરૂણ ગાંધી પર બુલડોઝર ફેરવી નાંખત....એવા ભાષણ બાદ રેલ્વે  મંત્રી લાલુ પ્રસાદ યાદવ બરાબર ફસાયા છે. કિશનગંજ કોર્ટે લાલુ યાદવને ધરપકડ કરવાનો આદેશ કર્યો છે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>લાલુ યાદવે સોમવારે કિશનગંજની ચુંટણી સભામાં વરૂણ ગાંધી પર બરાબર વરસી પડ્યા હતા. તેમણે  જણાવ્યું હતું કે જો હું ગૃહમંત્રી હોત અને વરૂણ ગાંધીએ ભડકાઉ ભાષણ આપ્યું હોત તો  તેની પર  બુલડોઝર ફેરવી નાંખત. આ ભાષણ બાદ સ્થાનિક ચુંટણી અધિકારીએ લાલુ યાદવ વિરૂદ્ધ ચુંટણી આચારસંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ પોલીસ ફરિયાદ કરી હતી. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આ અંગે કિશનગંજ કોર્ટે મંગળવારે કાર્યવાહી હાથ ધરી હતી. તેમણે તાત્કાલિક રીતે વરૂણ ગાંધી વિરૂદ્ધ ભડકાઉ ભાષણ આપવા બદલ આરજેડી પ્રમુખ લાલુ પ્રસાદ યાદવની ધરપકડ કરી હતી.</font>]]></content:encoded>
      <pubDate>Tue, 07 Apr 2009 14:55:03 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 20:27:26 +0530</updatedDate>
      <category><![CDATA[Election 09                                                                                         q]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[લાલુ વિરૂદ્ધ કેસ દાખલ]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/loksabha-election-09/લાલુ-વિરૂદ્ધ-કેસ-દાખલ-109040700025_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/loksabha-election-09/લાલુ-વિરૂદ્ધ-કેસ-દાખલ-109040700025_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[પોતાની ચુંટણી સભામાં વરૂણ ગાંધીને બુલડોઝર નીચે કચડી નાંખ્યો હોત તેમ ભડકાઉ ભાષણ  કરનાર આરજેડી સુપ્રિમો અને રેલમંત્રી લાલુ પ્રસાદ યાદવ વિરૂદ્ધ પોલીસ કેસ નોંધવામાં આવ્યો છે.]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:11pt; color:#000000'></font><br/> <font  style='font-size:11pt; color:#000000'>પોતાની ચુંટણી સભામાં વરૂણ ગાંધીને બુલડોઝર નીચે કચડી નાંખ્યો હોત તેમ ભડકાઉ ભાષણ  કરનાર આરજેડી સુપ્રિમો અને રેલમંત્રી લાલુ પ્રસાદ યાદવ વિરૂદ્ધ પોલીસ કેસ નોંધવામાં આવ્યો છે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>લાલુએ કિશનગંજ ખાતે ચુંટણી સભામાં જણાવ્યું હતું કે મુસલમાનો વિરૂદ્ધ ભાષણ કરનાર વરૂણ ગાંધી  વિરૂધ્ધ કડક પગલાં ભરવા જોઈએ. જો હું દેશનો ગૃહમંત્રી હોત તો વરૂણ ગાંધીને બુલડોઝરની નીચે  કચડાવી નાંખ્યો હોત.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આ ટીપ્પણીને લઈને ભાજપ અને જનતા દળ યુનાઈટેડે વાંધો ઉઠાવ્યો હતો. અને ચુંટણી પંચને ફરીયાદ  કરી હતી. જેને લઈને ચુંટણી પંચે લાલુનાં ભાષણની વીડિયો ટેપ મંગાવીને તપાસ કરી હતી. જેમાં  લાલુનાં ભડકાઉ ભાષણને ચુંટણી પંચે ગંભીરતાથી લીધુ હતુ. અને, તેને આચારસંહિતાનું ઉલ્લંઘન ગણીને તેની વિરૂધ્ધ ફરિયાદ દાખલ કરવાનો નિર્ણય કર્યો છે.</font>]]></content:encoded>
      <pubDate>Tue, 07 Apr 2009 11:44:38 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 20:27:26 +0530</updatedDate>
      <category><![CDATA[Election 09                                                                                         q]]></category>
      <authorname>ભાષા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[નીતીશ એનડીએનો સાથ છોડશે ?]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/loksabha-election-09/નીતીશ-એનડીએનો-સાથ-છોડશે-109040700015_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/loksabha-election-09/નીતીશ-એનડીએનો-સાથ-છોડશે-109040700015_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[જનતાદળ યૂનાઈટેડના નેતા અને બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર પણ નવીન પટનાયકની જેમ  એનડીએનો સાથ છોડી શકે છે.]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>જનતાદળ યૂનાઈટેડના નેતા અને બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર પણ નવીન પટનાયકની જેમ  એનડીએનો સાથ છોડી શકે છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>એક સમાચાર ચેનલને આપેલી મુલાકાતમાં જણાવ્યું કે ચૂંટણી બાદના વિકલ્પ ખુલ્લા છે અને તે  પરિણામો બાદની સ્થિતિઓને જોઈને નિર્ણય લેશે કે તે કોની સાથે જશે. નીતિશના આ નિવેદનથી  રાજકીય વર્તુળોમાં ઉથલપથલ મચી જવા પામી છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>પ્રચાર માટે મોદીની જરૂર નહીં </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>એટલું જ નહીં નીતીશે ભાજપને આંચકો આપતા જણાવ્યું છે કે બિહારમાં નરેન્દ્ર મોદીના પ્રચારની  જરૂરિયાત નથી. તેમણે કહ્યું કે બિહારમાં એનડીએ મજબૂત છે. આ નિવેદનથી નીતીશનો ઈશારો સ્પષ્ટ  થઈ જાય છે કે તેમણે ભાજપનો સાથ ગમ્યો નથી. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>બીજી તરફ નરેન્દ્ર મોદી વિશે ભાજપનું કહેવું છે કે મોદી હાલ ઘણા વ્યસ્ત છે અને હાલ ભાજપ અને  એનડીએ શાસિત રાજ્યોમાં ચૂંટણી પ્રચાર કરવાનો તેમનો કોઈ કાર્યક્રમ નથી. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>મોદી પશ્વિમ ભારતનાં ભાજપનાં પ્રભારી છે અને તેમનું વધુ ધ્યાન મહારાષ્ટ્ર અને ગુજરાત પર છે. તે  ઝારખંડ અને અસમ જેવાં રાજ્યોમાં પ્રવાસ કરશે, જ્યાં ભાજપનું શાસન નથી.</font>]]></content:encoded>
      <pubDate>Tue, 07 Apr 2009 10:46:03 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 20:27:26 +0530</updatedDate>
      <category><![CDATA[Election 09                                                                                         q]]></category>
      <authorname>ભાષા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[રાબડીદેવી સામે ફરિયાદની ધમકી]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/loksabha-election-09/રાબડીદેવી-સામે-ફરિયાદની-ધમકી-109040700014_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/loksabha-election-09/રાબડીદેવી-સામે-ફરિયાદની-ધમકી-109040700014_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[મુખ્યમંત્રી નીતિશકુમાર અને રાજ્યનાં જેડીયુના પ્રમુખ રાજીવ રંજનસિંહ લલન સામે વાંધાજનક સૂચનો  કરવા બદલ જેડીયુએ બિહારની ભૂતપૂર્વ મુખ્યમંત્રી રાબડીદેવી સામે બદનક્ષીનો દાવો કરવાની ધમકી  આપી છે. ચૂંટણીપંચ સમક્ષ ફરિયાદ કરવાની પણ ચેતવણી આપવામાં આવી છે.]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>મુખ્યમંત્રી નીતિશકુમાર અને રાજ્યનાં જેડીયુના પ્રમુખ રાજીવ રંજનસિંહ લલન સામે વાંધાજનક સૂચનો  કરવા બદલ જેડીયુએ બિહારની ભૂતપૂર્વ મુખ્યમંત્રી રાબડીદેવી સામે બદનક્ષીનો દાવો કરવાની ધમકી  આપી છે. ચૂંટણીપંચ સમક્ષ ફરિયાદ કરવાની પણ ચેતવણી આપવામાં આવી છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>જેડીયુનાં રાષ્ટ્રીય પ્રવક્તા શિવાનંદ તિવારીએ જણાવ્યું હતું કે આચારસંહિતાનાં ભંગ બદલ ચૂંટણીપંચ  સમક્ષ જવામાં આવશે. તેમણે એમ પણ કહ્યું હતું કે રાબડી દેવીના સૂચનો ખૂબ જ ગંભીર પ્રકારના છે.  કાયદાકીય નિષ્ણાતો સાથે વાતચીત કર્યા બાદ બદનક્ષીનો કેસ દાખલ કરવામાં આવશે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>જનતાદળ(યુ) દ્વારા રાબડી દેવી વિરુદ્ધ ચૂંટણી પંચ સમક્ષ ફરિયાદ કરવામાં આવી હતી અને તેમના  ભાષણની વીડિયો ટેપ પણ પંચને મોકલી દેવા હતી, જેની ચૂંટણી પંચ દ્વારા તપાસ કરવામાં આવી  હતી. પંચના આદેશને પગલે પોલીસે રાબડી સામે એફઆઇઆર દાખલ કરી હતી.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>રાબડી દેવી એક ચૂંટણી સભા દરમિયાન તેમના ભાષણમાં કહ્યું હતું કે લલનસિંહ નીતીશકુમારના સાળા  છે અને નીતીશકુમાર લલનસિંહના સાળા છે. એટલે જ બન્ને ગમે ત્યાં એકબીજાનો હાથ પકડીને ફરતા  રહે છે. ઉલ્લેખનીય છે કે નીતિશકુમાર અને લલનસિંહ એકબીજાના સંબંધી નથી, પરંતુ રાબડી દેવીએ  ગેરવાજબી શબ્દ તરીકે જ બન્નેને સાળા તરીકે ઉલ્લેખ કર્યો હતો. જેને પગલે આ એફઆઇઆર દાખલ કરવામાં આવી છે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>જનતાદળ(યુ)ના રાષ્ટ્રીય પ્રવક્તા શિવાનંદ તિવારીએ કહ્યું હતું કે બિહાર પર સાત વર્ષથી વધુ સમય  સુધી શાસન કરનારી રાબડી દેવી જેવી નેતા આ પ્રકારના શબ્દોનો પ્રયોગ કરે તે આશ્ચર્યજનક છે</font>]]></content:encoded>
      <pubDate>Tue, 07 Apr 2009 10:44:38 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 20:27:26 +0530</updatedDate>
      <category><![CDATA[Election 09                                                                                         q]]></category>
      <authorname>ભાષા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[નફીસા લખનઉથી સપાની ઉમેદવાર]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/loksabha-election-09/નફીસા-લખનઉથી-સપાની-ઉમેદવાર-109040600043_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/loksabha-election-09/નફીસા-લખનઉથી-સપાની-ઉમેદવાર-109040600043_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[ભૂતપૂર્વ મિસ ઈન્ડીયા, ફિલ્મ અભિનેત્રી અને સામાજિક કાર્યકર્તા નફીસા અલી રવિવારે લખનઉ લોકસભા સીટથી સમાજવાદી પાર્ટીની ઉમેદવાર જાહેર કરવામાં આવી છે.]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ભૂતપૂર્વ મિસ ઈન્ડીયા, ફિલ્મ અભિનેત્રી અને સામાજિક કાર્યકર્તા નફીસા અલી રવિવારે લખનઉ લોકસભા સીટથી સમાજવાદી પાર્ટીની ઉમેદવાર જાહેર કરવામાં આવી છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>સપાના નવનિયુક્ત મહાસચિવ અને ફિલ્મ અભિનેતા સંજય દત્ત તથા અમરસિંહે અહીં પત્રકાર પરિષદમાં નફીસા અલીના લખનઉ સીટથી ઉમેદવાર હોવાની જાહેરાત કરી. પત્રકાર પરિષદમાં સંજય દત્તે કહ્યું કે તે આ સીટથી પાર્ટીના જાહેર ઉમેદવાર હતાં તેથી તેમનો આ વિશેષાધિકાર બને છે કે નવા ઉમેદવારને જાહેરાત તેઓ જ કરે. અમરસિંહના આમ કહ્યાં બાદ સંજય દત્તે ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની આ પરંપરાગત સીટથી નફીસા અલીના નામની જાહેરાત કરી. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>સંજય દત્તે કહ્યું કે, તેમની પત્ની માન્યતાએ નફીસા અલીનું નામ સુચવ્યું હતું જેણે પાર્ટીએ માની લીધુ. ચૂંટણી રાજનીતિમાં આવેલી નફીસા લોકસભાની 2004 ની ચૂંટણીમાં દક્ષિણ કોલકાતા સીટથી કોંગ્રેસની ઉમેદવાર હતી. તેણે કોંગ્રેસ સાથે નાતો તોડ્યો અને હવે તે સપાની ઉમેદવાર છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>સંજય દત્તને સુપ્રીમ કોર્ટથી ચૂંટણી લડવાની મંજૂરી ન મળ્યાં બાદ સમાજવાદી પાર્ટીને આ સીટથી ઉમેદવાર નક્કી કરવામાં થોડો સમય લાગ્યો. એ માનવામાં આવી રહ્યું છે કે, ગત ત્રણ એપ્રિલના રોજ રાષ્ટ્રીય જનતા દળ અધ્યક્ષ લાલૂ પ્રસાદ યાદવ, લોક જનશક્તિ પાર્ટી અધ્યક્ષ રામ વિલાસ પાસવાન અને સપા અધ્યક્ષ મુલાયમ સિંહ યાદવની ઉપસ્થિતિમાં ઉમેદવારના નામની જાહેરાત થશે. સપાના સુત્રોએ કહ્યું કે ઉમેદવાર તરીકે ફિલ્મ અભિનેત્રી નગ્મા સહિત કેટલાક અન્ય નામો પર પણ ચર્ચા થઈ. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>લખનઉ લોકસભા સીટ પર ત્રીજા ચરણમાં 30 એપ્રિલના રોજ ચૂંટણી યોજાવાની છે તથા અહીં નામાંકનની પ્રક્રિયા ગત બે એપ્રિલથી શરૂ થઈ ગઈ છે. બહુજન સમાજ પાર્ટીના પ્રત્યાક્ષી ભૂતપૂર્વ કેન્દ્રિય  મંત્રી અખિલેશ દાસે  ફોર્મ ભર્યું હતું. તે ગત વર્ષે કોંગ્રેસથી ત્યાગપત્ર આપીને બસપામાં શામેલ થયાં હતાં. તે પાર્ટીના રાજ્યસભાના સદસ્ય પણ છે. ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર લાલજી ટંડન મંગળવારે પોતાનું નામાંકન દાખલ કરશે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>દરમિયાન કોંગ્રેસ સચિવ પરવેઝ હાશમીએ કહ્યું છે કે નફીસા અલી લખનઉ સીટથી ટીકિટ ઈચ્છી રહી હતી. પણ પાર્ટી કોઈ સ્થાનીય વ્યક્તિને ઉમેદવાર બનાવવા ઈચ્છતી હતી. </font><br/> </font>]]></content:encoded>
      <pubDate>Mon, 06 Apr 2009 14:23:02 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 20:27:26 +0530</updatedDate>
      <category><![CDATA[Election 09                                                                                         q]]></category>
      <authorname>ભાષા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[ત્રિમૂર્તિ બનાવશે પ્રધાનમંત્રી]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/loksabha-election-09/ત્રિમૂર્તિ-બનાવશે-પ્રધાનમંત્રી-109040600041_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/loksabha-election-09/ત્રિમૂર્તિ-બનાવશે-પ્રધાનમંત્રી-109040600041_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[સમાજવાદી પાર્ટીના પ્રમુખ મુલાયમ સિંહ યાદવે જણાવ્યું છે કે વડાપ્રધાન કોણ બનશે એ ઉત્તર પ્રદેશ અને બિહાર મળીને નક્કી કરશે.]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>સમાજવાદી પાર્ટીના પ્રમુખ મુલાયમ સિંહ યાદવે જણાવ્યું છે કે વડાપ્રધાન કોણ બનશે એ ઉત્તર પ્રદેશ અને બિહાર મળીને નક્કી કરશે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>તેણે કહ્યું મને લાલૂ યાદવ અને રામવિલાસ પાસવાનને જે ઠીક લાગશે તે જ વડાપ્રધાનની ખુરશી પર બેસશે. આગ્રા નજીક જેતપુરમાં ચૂંટણી સભા લેવા માટે આવેલા મુલાયમસિંહ યાદવે કહ્યું કે ચૂંટણી બાદ જ વડાપ્રધાન નક્કી કરવામાં આવશે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>તેમણે કહ્યું અમે ત્રણેય એક મંચ પર એટલા માટે આવ્યાં છીએ કે, અમે ગરીબો અને પછાત લોકો માટે અવાજ ઉપાડી શકીએ. ઉત્તરપ્રદેશ અને બિહાર જ સૌથી વધારે સાંસદ ચૂંટીને લોકસભામાં જાય છે. અમે લોકો જ દેશની સરકારનું ભવિષ્ય નક્કી કરીએ છીએ .</font>]]></content:encoded>
      <pubDate>Mon, 06 Apr 2009 14:19:40 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 20:27:26 +0530</updatedDate>
      <category><![CDATA[Election 09                                                                                         q]]></category>
      <authorname>ભાષા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[અમરસિંહને અંડરવર્લ્ડની ધમકી]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/loksabha-election-09/અમરસિંહને-અંડરવર્લ્ડની-ધમકી-109040600040_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/loksabha-election-09/અમરસિંહને-અંડરવર્લ્ડની-ધમકી-109040600040_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[સમાજવાદી પાર્ટીનાં મહાસચિવ અમરસિંહને અંડરવર્લ્ડ ડોન છોટા રાજને જાનથી મારી નાંખવાની ધમકી આપી છે. આ ધમકી બાદ અમરસિંહની સુરક્ષા વધારી દેવામાં આવી છે.]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>સમાજવાદી પાર્ટીનાં મહાસચિવ અમરસિંહને અંડરવર્લ્ડ ડોન છોટા રાજને જાનથી મારી નાંખવાની ધમકી આપી છે. આ ધમકી બાદ અમરસિંહની સુરક્ષા વધારી દેવામાં આવી છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>છોટા રાજને ફોન કરીને અમરસિંહને જાનથી મારી નાંખવાની ધમકી આપી છે. અમરસિંહ મુસ્લિમોમાં હક્કમાં ઘણાં આગળ રહે છે. તેમજ મુસલમાનો વચ્ચે તે ઘણો લોકપ્રિય છે. તેથી છોટા રાજને તેને મુસ્લિમો પ્રત્યે પોતાનું વર્તન બદલવા અથવા મરવા માટે તૈયાર રહેવાની ધમકી આપી છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>હાલમાં અમરસિંહને વાય કેટેગરીની સુરક્ષા મળી રહી છે. પણ ધમકી બાદ તેની સુરક્ષાને લઈને ફરીથી ચર્ચા શરૂ કરી દેવામાં આવી છે. તેમજ સુરક્ષા વધારી દેવામાં આવી છે. </font>]]></content:encoded>
      <pubDate>Mon, 06 Apr 2009 14:17:49 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 20:27:26 +0530</updatedDate>
      <category><![CDATA[Election 09                                                                                         q]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[100 કરોડનો સમાજવાદી!]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/loksabha-election-09/100-કરોડનો-સમાજવાદી-109040600039_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/loksabha-election-09/100-કરોડનો-સમાજવાદી-109040600039_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[સમાજવાદી પાર્ટીનાં મુંબઈ ઉત્તર પશ્ચિમથી ઉમેદવાર અબુ આઝમી દેશનો સૌથી અમીર ઉમેદવાર બની ગયો છે. તેમણે ચુંટણીનું નામાંકન ભરતી વખતે પોતાની સંપત્તિ જાહેર કરી છે.]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>સમાજવાદી પાર્ટીનાં મુંબઈ ઉત્તર પશ્ચિમથી ઉમેદવાર અબુ આઝમી દેશનો સૌથી અમીર ઉમેદવાર બની ગયો છે. તેમણે ચુંટણીનું નામાંકન ભરતી વખતે પોતાની સંપત્તિ જાહેર કરી છે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>અબુ આઝમીએ પોતાની સંપત્તિ 100 કરોડ જાહેર કરતાં રાજકીય નેતાઓની આંખો પહોળી થઈ ગઈ હતી. કારણ કે અત્યાર સુધી ભલભલા ઉદ્યોગપતિ કે ભ્રષ્ટાચાર રાજકીય વ્યક્તિએ પણ પોતાની સંપત્તિ આટલી બધી જાહેર કરી નથી. સોનિયા ગાંધીએ પણ બેન્કમાં પોતાની નામે 50 લાખ રૂપિયા હોવાની જાહેરાત કરી છે. જ્યારે બીજી સંપત્તિ જેમાં પારિવારીક ઘર, જમીન અલગ છે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આમ અબુ આઝમી સૌથી અમીર ઉમેદવાર બની ગયો છે. તેમણે પોતાની સંપત્તિમાં હોટલ, રેસ્ટોરન્ટ, પોતાની કંપની તેમજ દક્ષિણ મુંબઈમાં જમીનોનો પણ સમાવેશ થાય છે. આ જાહેરાત બાદ સામાન્ય લોકો રાજકારણી પ્રત્યે શંકાની નજરે જોવા લાગ્યા છે. </font>]]></content:encoded>
      <pubDate>Mon, 06 Apr 2009 14:15:31 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 20:27:26 +0530</updatedDate>
      <category><![CDATA[Election 09                                                                                         q]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[નિરૂપમ સામે કોંગ્રેસમાં ભડકો]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/loksabha-election-09/નિરૂપમ-સામે-કોંગ્રેસમાં-ભડકો-109040500043_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/loksabha-election-09/નિરૂપમ-સામે-કોંગ્રેસમાં-ભડકો-109040500043_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[મુંબઈ ઉત્તરની બેઠક પરથી કોંગ્રેસનાં ઉમેદવાર સંજય નિરૂપમને લઈને કોંગ્રેસમાં બળવો શરૂ થઈ ગઈ છે.  તેના વિરોધમાં એક ધારાસભ્યે રાજીનામું આપી દીધું છે.]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>મુંબઈ ઉત્તરની બેઠક પરથી કોંગ્રેસનાં ઉમેદવાર સંજય નિરૂપમને લઈને કોંગ્રેસમાં બળવો શરૂ થઈ ગઈ છે.  તેના વિરોધમાં એક ધારાસભ્યે રાજીનામું આપી દીધું છે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ઉત્તર મુંબઈથી કોંગ્રેસે સંજય નિરૂપમની પસંદગી કરી હતી. આ બેઠક પરથી પહેલાં ગોવિંદા ચુંટાઈ આવ્યો હતો.  પણ આ વખતે કોંગ્રેસે સંજય નિરૂપમને ટીકિટ આપી છે. તેના વિરોધમાં ઉત્તર મુંબઈ ક્ષેત્રનાં ધારાસભ્ય પી.યુ.મહેતા તથા બીએમસીનાં 10 કોર્પોરેટરોએ કોંગ્રેસનાં હાઈકમાન્ડને પોતાના રાજીનામા આપી દીધા છે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ધારાસભ્ય મહેતાએ જણાવ્યું હતું કે સંજય નિરૂપમ જેવા માણસો કે જે વર્ષો સુધી શિવસેનામાં રહી ચુક્યા છે. તેને ટીકિટ આપીને પાર્ટીએ પ્રામાણિક કાર્યકર્તાઓનું અપમાન કર્યું છે. તેથી તેમણે બધાંએ રાજીનામું આપી દીધું છે. મહેતાએ પોતાને ટીકિટ મળે તેવી માંગ પણ કરી હતી. ઉલ્લેખનીય છે કે મુંબઈ ઉત્તર પરથી ભાજપે વરિષ્ઠ નેતા રામ નાઈકને ઉભા રાખ્યા છે.</font>]]></content:encoded>
      <pubDate>Sun, 05 Apr 2009 14:54:15 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 20:27:26 +0530</updatedDate>
      <category><![CDATA[Election 09                                                                                         q]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[એનડીએનાં અધુરા કામ પુરા કરીશું-અડવાણી]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/loksabha-election-09/એનડીએનાં-અધુરા-કામ-પુરા-કરીશું-અડવાણી-109040500042_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/loksabha-election-09/એનડીએનાં-અધુરા-કામ-પુરા-કરીશું-અડવાણી-109040500042_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[એનડીએનાં વડાપ્રધાન પદનાં દાવેદાર લાલકૃષ્ણ અડવાણીએ દાવો કર્યો છે કે કોંગ્રેસનાં વડપણ નીચે યુપીએ સરકારે વિકાસ અને સુરક્ષાને લઈને કંઈ કામ કર્યુ નથી.]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>એનડીએનાં વડાપ્રધાન પદનાં દાવેદાર લાલકૃષ્ણ અડવાણીએ દાવો કર્યો છે કે કોંગ્રેસનાં વડપણ નીચે યુપીએ સરકારે વિકાસ અને સુરક્ષાને લઈને કંઈ કામ કર્યુ નથી.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>સોલાપુરનાં પંઢરપુરમાં આયોજિત એક ચુંટણી રેલીને સંબોધિત કરતાં અડવાણીએ યુપીએ સરકારની નીતિરીતિ અંગે ટીકા કરી હતી. તેમજ આંતરીક સુરક્ષાને લઈને કોંગ્રેસ ઉપર પ્રહારો કર્યા હતા.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>તેમજ અડવાણીએ જણાવ્યું હતું કે જો એનડીએ સત્તા પર આવશે, તો તે પોતાના અધુરી પરિયોજનાઓને પુર્ણ કરવા પર ભાર મુકશે. તેમજ યુપીએ સરકારની નિષ્ફળ નીતિઓને જનતા સમક્ષ ખુલ્લી મુકશે. </font>]]></content:encoded>
      <pubDate>Sun, 05 Apr 2009 14:53:03 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 20:27:26 +0530</updatedDate>
      <category><![CDATA[Election 09                                                                                         q]]></category>
      <authorname>ભાષા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[કોંગ્રેસ-એનસીપી જોડાણમાં ભંગાણ]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/loksabha-election-09/કોંગ્રેસ-એનસીપી-જોડાણમાં-ભંગાણ-109040500041_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/loksabha-election-09/કોંગ્રેસ-એનસીપી-જોડાણમાં-ભંગાણ-109040500041_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[લોકસભાની ચુંટણી પહેલાં ગુજરાતમાં કોંગ્રેસને ઝટકો આપતાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીએ આઠ બેઠકો પર પોતાના ઉમેદવારોની ઘોષણા કરી દીધી છે. તેથી એવા સંકેતો મળ્યા છે કે રાજ્યમાં બંને પાર્ટી વચ્ચેનું જોડાણ તુટી ગયું છે.]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>લોકસભાની ચુંટણી પહેલાં ગુજરાતમાં કોંગ્રેસને ઝટકો આપતાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીએ આઠ બેઠકો પર પોતાના ઉમેદવારોની ઘોષણા કરી દીધી છે. તેથી એવા સંકેતો મળ્યા છે કે રાજ્યમાં બંને પાર્ટી વચ્ચેનું જોડાણ તુટી ગયું છે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ગઠબંધન તુટવા અંગે કોંગ્રેસ પર આરોપ લગાવતાં એનસીપીનાં પ્રદેશ પ્રમુખ જયંત પટેલે રાજ્યની આઠ બેઠકો પર પોતાનાં ઉમેદવારોની ઘોષણા કરી દીધી છે. તેમણે જણાવ્યુ હતું કે કોંગ્રેસે પોતાની મરજી મુજબ ચાલી રહી છે. તેણે 26 પૈકી 25 બેઠકો પર પોતાનાં ઉમેદવારો ઉભા રાખ્યા છે. ફક્ત સુરતની બેઠક છોડી રાખી છે. જ્યારે અમે રાજકોટ અને અમદાવાદ- પશ્ચિમની બેઠક માંગી હતી. પણ હવે અમે તમામ બેઠકો પર ચુંટણી લડીશું.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>એનસીપીએ 2002ની વિધાનસભા ચુંટણીમાં રાજ્યની 15 બેઠકો પર પોતાની અસર પાડી હતી. બંને પાર્ટી ધર્મનિરપેક્ષતાનાં નામે ભેગી થઈ હતી. પણ ફરીથી અલગ થઈ રહી છે. કોંગ્રેસનાં પ્રવક્તા અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે આ દુર્ભાગ્યપૂર્ણ વાત છે. પણ આ ગઠબંધન મતદાનને કોઈ રીતે પ્રભાવિત નહીં કરે. </font>]]></content:encoded>
      <pubDate>Sun, 05 Apr 2009 14:51:27 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 20:27:26 +0530</updatedDate>
      <category><![CDATA[Election 09                                                                                         q]]></category>
      <authorname>ભાષા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[અમરસિંહનાં મોટાભાઈ ભાજપમાં જોડાયા]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/loksabha-election-09/અમરસિંહનાં-મોટાભાઈ-ભાજપમાં-જોડાયા-109040500040_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/loksabha-election-09/અમરસિંહનાં-મોટાભાઈ-ભાજપમાં-જોડાયા-109040500040_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[સમાજવાદી પાર્ટીનાં મહાસચિવ અમરસિંહનાં ભાઈ અને વરિષ્ઠ કોંગ્રેસી નેતા અરવિન્દ સિંહ તથા સપાનાં નેતા અને પૂર્વ સાંસદ રામબખ્શસિંહ વર્મા પોતાના સમર્થકો સાથે ભાજપમાં જોડાયા છે.]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>સમાજવાદી પાર્ટીનાં મહાસચિવ અમરસિંહનાં ભાઈ અને વરિષ્ઠ કોંગ્રેસી નેતા અરવિન્દ સિંહ તથા સપાનાં નેતા અને પૂર્વ સાંસદ રામબખ્શસિંહ વર્મા પોતાના સમર્થકો સાથે ભાજપમાં જોડાયા છે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>પ્રદેશ ઉપાધ્યક્ષ હ્રદયનાથ દિક્ષીતનાં જણાવ્યા મુજબ રાજયનાં મુખ્યાલય ખાતે આયોજિત એક સમારોહમાં અરૂણ જેટલી તથા રાષ્ટ્રીય પ્રવક્તા સિદ્ધાર્થનાથ સિંહની હાજરીમાં પાર્ટીમાં સામેલ કરવામાં આવશે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>દીક્ષિતે ભાજપનો જનાધાર વધ્યો હોવાનો દાવો કરીને જણાવ્યું હતું કે વિવિધ દળોનાં કેટલાંય પૂર્વ ધારાસભ્યો અને નેતાઓ ભાજપમાં સામેલ થઈ ચુક્યાં છે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>કોંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા અરવિંદસિંહે જણાવ્યું હતું કે કોંગ્રેસ પર તૃષ્ટિકરણનો આરોપ લગાવતાં જણાવ્યું હતું કે કોંગ્રેસને દેશની આંતરિક સુરક્ષાની કંઈ પડી નથી. તેમજ તેમણે કોંગ્રેસને આતંકવાદનું પોષક ગણાવ્યું હતું.  જ્યારે સપાનાં પૂર્વ સાંસદ રામબખ્શસિંહ વર્માએ જણાવ્યુ હતું કે પાર્ટીમાં સરમુખ્યતારશાહી ચાલે છે. </font>]]></content:encoded>
      <pubDate>Sun, 05 Apr 2009 14:49:41 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 20:27:26 +0530</updatedDate>
      <category><![CDATA[Election 09                                                                                         q]]></category>
      <authorname>ભાષા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[LTTEની કરૂણાનિધિને ધમકી]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/loksabha-election-09/LTTEની-કરૂણાનિધિને-ધમકી-109040500039_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/loksabha-election-09/LTTEની-કરૂણાનિધિને-ધમકી-109040500039_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[તામિલનાડુનાં મુખ્યમંત્રી એમ.કરૂણાનિધિ અને તેમના પરિવારને  શુક્રવારે એક ધમકીભર્યો કાગળ મળ્યો હતો.]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>તામિલનાડુનાં મુખ્યમંત્રી એમ.કરૂણાનિધિ અને તેમના પરિવારને  શુક્રવારે એક ધમકીભર્યો કાગળ મળ્યો હતો.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>શહેરનાં પોલીસ કમિશ્નર કે.રાધાકૃષ્ણનનાં જણાવ્યા મુજબ આ કાગળ પર લિટ્ટેનો સિમ્બોલ હતું. જેમાં મુખ્યમંત્રી અને તેમના પરિવારને જાનથી મારી નાંખવાની ધમકી આપવામાં આવી હતી.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>તેમણે કહ્યું હતું કે મુખ્યમંત્રીને પહેલાંથી જ ઝેડ કક્ષાની સુરક્ષા આપવામાં આવી રહી છે. પણ ચુંટણીને ધ્યાનમાં રાખીને વધુ સાવધાની વર્તવામાં આવી રહી છે.</font>]]></content:encoded>
      <pubDate>Sun, 05 Apr 2009 14:48:01 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 20:27:26 +0530</updatedDate>
      <category><![CDATA[Election 09                                                                                         q]]></category>
      <authorname>ભાષા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[પવારનાં મોદી બાદ વરૂણ પર પ્રહારો]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/loksabha-election-09/પવારનાં-મોદી-બાદ-વરૂણ-પર-પ્રહારો-109040500038_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/loksabha-election-09/પવારનાં-મોદી-બાદ-વરૂણ-પર-પ્રહારો-109040500038_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[મરાઠા નેતા શરદ પવાર નરેન્દ્ર મોદી બાદ ભાજપનાં કટ્ટરવાદી નેતા અને જેલમાં બંધ વરૂણ ગાંધીની પાછળ પડ્યા છે. તેમણે જણાવ્યું હતું કે વરૂણ ગાંધીએ નરેન્દ્ર મોદી જેટલો જ ખતરનાક છે.]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>મરાઠા નેતા શરદ પવાર નરેન્દ્ર મોદી બાદ ભાજપનાં કટ્ટરવાદી નેતા અને જેલમાં બંધ વરૂણ ગાંધીની પાછળ પડ્યા છે. તેમણે જણાવ્યું હતું કે વરૂણ ગાંધીએ નરેન્દ્ર મોદી જેટલો જ ખતરનાક છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>પૂણે ખાતે એનસીપીની ચુંટણી સભાને સંબોધિત કરતાં શરદ પવારે જણાવ્યું હતું કે વરૂણ બહારથી ભલે ગાંધી દેખાય, પણ અંદરથી નરેન્દ્ર મોદી છે. એટલે કે તે મોદીની જેમ કટ્ટરવાદી છે. તેમજ તેમણે વરૂણને દેશની એકતા માટે ખતરો ગણાવ્યો હતો.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>છેલ્લાં કેટલાંક સમયથી મરાઠા નેતા શરદ પવાર અને નરેન્દ્ર મોદી વચ્ચે વાકયુદ્ધ ચાલી રહ્યું છે. જેમાં હવે વરૂણ ગાંધીનો પણ સમાવેશ થયો છે. આ પ્રસંગે તેમણે ભાજપનાં વરિષ્ઠ નેતા અડવાણીની પણ આલોચના કરી હતી. જેલમાં બંધ વરૂણ ગાંધી અંગે અડવાણીએ જણાવ્યું હતું કે વરૂણને જોઈને મને જયપ્રકાશ નારાયણની યાદ આવી ગઈ. તેના પર ટીપ્પણી કરતાં શરદ પવારે જણાવ્યું હતું કે જયપ્રકાશ નારાયણ કટ્ટરવાદી નેતા નહતા. અને, અડવાણી તેની સરખામણી જયપ્રકાશ સાથે કરે, તે વાત બરાબર નથી. </font>]]></content:encoded>
      <pubDate>Sun, 05 Apr 2009 14:46:35 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 20:27:26 +0530</updatedDate>
      <category><![CDATA[Election 09                                                                                         q]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[મેનકા પ્રત્યે મને સહાનુભૂતિ-અમરસિંહ]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/loksabha-election-09/મેનકા-પ્રત્યે-મને-સહાનુભૂતિ-અમરસિંહ-109040500037_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/loksabha-election-09/મેનકા-પ્રત્યે-મને-સહાનુભૂતિ-અમરસિંહ-109040500037_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[ઉત્તર પ્રદેશની મુખ્યમંત્રી માયાવતી અને ભાજપનાં નેતા મેનકા ગાંધી વચ્ચે ચાલી રહેલા વાકયુદ્ધ પર ટીપ્પણી કરતાં સમાજવાદી પાર્ટીનાં નેતા અમરસિંહે જણાવ્યું હતું કે તેમને મેનકા ગાંધી પ્રત્યે સહાનુભૂતિ છે.]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ઉત્તર પ્રદેશની મુખ્યમંત્રી માયાવતી અને ભાજપનાં નેતા મેનકા ગાંધી વચ્ચે ચાલી રહેલા વાકયુદ્ધ પર ટીપ્પણી કરતાં સમાજવાદી પાર્ટીનાં નેતા અમરસિંહે જણાવ્યું હતું કે તેમને મેનકા ગાંધી પ્રત્યે સહાનુભૂતિ છે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>માયાવતી અને મેનકા ગાંધી વચ્ચે ચાલી રહેલાં વાકયુદ્ધ અંગે ટીપ્પણી કરતાં અમરસિંહે જણાવ્યું હતું કે મેનકા ગાંધી પ્રત્યે સહાનુભૂતિ છે. પણ માયાવતી અંગે હું કોઈ ટીપ્પણી કરીશ નહીં.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ઉલ્લેખનીય છે કે મેનકા ગાંધીએ માયાવતીની આલોચના કરતાં જણાવ્યું હતું કે રાજકીય ઈરાદા સાથે તેમના દિકરા વરૂણ ગાંધીને ચુંટણી દરમિયાન જેલમાં રાખવાનો નિર્ણય કર્યો હતો.</font>]]></content:encoded>
      <pubDate>Sun, 05 Apr 2009 14:45:17 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 20:27:26 +0530</updatedDate>
      <category><![CDATA[Election 09                                                                                         q]]></category>
      <authorname>ભાષા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[માયાવતીનો મેનકાને જવાબ]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/loksabha-election-09/માયાવતીનો-મેનકાને-જવાબ-109040400040_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/loksabha-election-09/માયાવતીનો-મેનકાને-જવાબ-109040400040_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[વરૂણ ગાંધીનાં મુદ્દે તેની માતા મેનકાએ શુક્રવારે કરેલી ટીપ્પણીનો જવાબ બસપા સુપ્રિમોએ જણાવ્યું હતું કે લાગણી સમજવા માટે માતા બનવાની જરૂર નથી.]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>વરૂણ ગાંધીનાં મુદ્દે તેની માતા મેનકાએ શુક્રવારે કરેલી ટીપ્પણીનો જવાબ બસપા સુપ્રિમોએ જણાવ્યું હતું કે લાગણી સમજવા માટે માતા બનવાની જરૂર નથી.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>શુક્રવારે મેનકા ગાંધી વરૂણને મળવા એટા ગયા હતા. જ્યા તેમને વરૂણને મળતા રોકવામાં આવ્યા હતા. તેથી મેનકાએ જણાવ્યું હતું કે માયાવતી મા હોત તો તેને ખબર પડત કે દિકરાની મળવાની લાગણી કેવી હોય છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આ ટીપ્પણીનો જવાબ આપતાં માયાવતીએ જણાવ્યું હતું કે લાગણી સમજવા માટે માતા બનવું જરૂરી નથી. મધર ટેરેસા પણ માતા ન હતા. આ સાથે માયાવતીએ ઉમેર્યું હતું કે જો મેનકાએ પોતાના દિકરાને સારા સંસ્કાર આપ્યા હોત તો, તેને આ દિવસ જોવાનો વારો આવ્યો  ન હોત.</font>]]></content:encoded>
      <pubDate>Sat, 04 Apr 2009 14:32:50 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 20:27:26 +0530</updatedDate>
      <category><![CDATA[Election 09                                                                                         q]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[કોંગ્રેસની ચેતાવણીથી પવાર ડર્યા]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/loksabha-election-09/કોંગ્રેસની-ચેતાવણીથી-પવાર-ડર્યા-109040400039_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/loksabha-election-09/કોંગ્રેસની-ચેતાવણીથી-પવાર-ડર્યા-109040400039_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[વડાપ્રધાન બનવાની લાલસાને લઈને યૂપીએ છોડીને થર્ડ ફ્રંટનો હાથ પકડવાની વાત કરનારા રાકાંપા નેતા શરદ પવાર આજે અચાનક બદલી ગયા અને તેમણે થર્ડ ફ્રંટમાં શામેલ થવાથી ઈનકાર કરી દીધો.]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>વડાપ્રધાન બનવાની લાલસાને લઈને યૂપીએ છોડીને થર્ડ ફ્રંટનો હાથ પકડવાની વાત કરનારા રાકાંપા નેતા શરદ પવાર આજે અચાનક બદલી ગયા અને તેમણે થર્ડ ફ્રંટમાં શામેલ થવાથી ઈનકાર કરી દીધો.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>પવાર આજે ઓરિસ્સામાં યોજાનારી થર્ડ ફ્રંટની બેઠકમાં શામેલ થવાના હતાં જેને લઈને રાજનીતિમાં હડકંપ મચી ગયો હતો. કોંગ્રેસે પવારને ચેતાવણી આપી હતી કે, તે થર્ડ ફ્રંટની બેઠકમાં શામેલ થઈને ઠીક નહીં કરે. કોંગ્રેસની ચેતાવણી બાદ પવારે ખરાબ વિમાનનો હવાલો આપતા ર્થડ ફ્રંટની બેઠકમાં જવાથી ઈનકાર કરી દીધો અને કહ્યું કે, તે યુપીએમાં જ બનેલા રહેશે. </font>]]></content:encoded>
      <pubDate>Sat, 04 Apr 2009 14:30:57 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 20:27:26 +0530</updatedDate>
      <category><![CDATA[Election 09                                                                                         q]]></category>
      <authorname>ભાષા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[ભાજપનો ઘોષણાપત્ર જાહેર]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/loksabha-election-09/ભાજપનો-ઘોષણાપત્ર-જાહેર-109040400037_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/loksabha-election-09/ભાજપનો-ઘોષણાપત્ર-જાહેર-109040400037_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[ભારતીય જનતા પાર્ટીએ 11 વર્ષ બાદ પોતાનો પ્રથમવાર ચુંટણી ઢંઢેરો બહાર પાડ્યો હતો. જેમાં ગરીબો, મધ્યમવર્ગ, મહિલાઓ અને કર્મચારી દરેકને ખુશ કરવા માટેની જાહેરાત કરી છે. તેમજ  રામનવમીનાં દિવસે જાહેર કરેલા ચુંટણીઢંઢેરામાં રામ મંદિર બનાવવાની ઘોષણા અને 377ની ...]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:11pt; color:#000000'></font><br/> <font  style='font-size:11pt; color:#000000'>ભારતીય જનતા પાર્ટીએ 11 વર્ષ બાદ પોતાનો પ્રથમવાર ચુંટણી ઢંઢેરો બહાર પાડ્યો હતો. જેમાં ગરીબો, મધ્યમવર્ગ, મહિલાઓ અને કર્મચારી દરેકને ખુશ કરવા માટેની જાહેરાત કરી છે. તેમજ  રામનવમીનાં દિવસે જાહેર કરેલા ચુંટણીઢંઢેરામાં રામ મંદિર બનાવવાની ઘોષણા અને 377ની કલમ નાબૂદ કરવાની પોતાની ઘોષણાનો પુર્નરોચ્ચાર કર્યો છે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ભાજપનાં અધ્યક્ષ રાજનાથસિંહ, વડાપ્રધાન પદનાં દાવેદાર એલ.કે.અડવાણી સહિત અન્ય નેતાઓની હાજરીમાં ચુંટણી ઢંઢેરાને જાહેર કરવામાં આવ્યો હતો. આ ઘોષણાપત્ર પાર્ટીનાં વરિષ્ઠ સભ્ય મુરલી મનોહર જોષીએ તૈયાર કર્યુ છે. ભાજપે પણ ગરીબોને સસ્તા ભાવે અનાજ આપવાની જાહેરાત કરી છે. જેમાં બીપીએલનાં લાભાર્થીઓને બે રૂપિયો કિલો ઘઉં, મધ્યમવર્ગીય લોકોને સસ્તા દરે લોન, ત્રણ લાખ સુધીની આવક ધરાવતા લોકોને આવકવેરામાં છુટ આપવાની જાહેરાત કરી હતી. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>તો પોતાનાં જુનાં મુદ્દા રામ મંદિરનાં નિર્માણ, 377ની કલમની નાબૂદી, સેતુસમુદ્રમની જગ્યાએ અન્ય માર્ગ, દરેક નાગરિકને ઓળખપત્ર આપવાની જાહેરાત કરી હતી. તેમજ દરેક ગામને ઈન્ટરનેટ કનેક્ટીવીટી, લાડલી લક્ષ્મી યોજના, ભામાશા યોજના જેવી રાજ્યસ્તરે સફળ યોજનાઓને રાષ્ટ્રીય સ્તરે લાગુ પાડવામાં આવશે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>તો આ સાથે તેણે ઈન્ફ્રાસ્ટ્રકચર ક્ષેત્ર જેવા કે રસ્તા, વિજળી, સિંચાઈ, પાણી અને મકાનમાં વધુ નાણાં રોકાવાની પણ જાહેરાત કરી હતી. તેમજ વિદેશી બેન્કોમાં પડેલાં ભારતીયનાં નાણાંને પાછા લાવીને તેનો દેશનાં વિકાસમાં ઉપયોગ કરવાની પણ જાહેરાત કરી હતી. </font>]]></content:encoded>
      <pubDate>Sat, 04 Apr 2009 14:23:59 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 20:27:26 +0530</updatedDate>
      <category><![CDATA[Election 09                                                                                         q]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[જશવંત દાર્જીલિંગથી ઉમેદવાર!]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/loksabha-election-09/જશવંત-દાર્જીલિંગથી-ઉમેદવાર-109040400036_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/loksabha-election-09/જશવંત-દાર્જીલિંગથી-ઉમેદવાર-109040400036_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[ભાજપનાં વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી જશવંતસિંહને પશ્ચિમ બંગાળની દાર્જીલિંગ બેઠક પરથી ઉમેદવાર બનાવાય તેવી સંભાવના છે.]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:11pt; color:#000000'></font><br/> <font  style='font-size:11pt; color:#000000'>ભાજપનાં વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી જશવંતસિંહને પશ્ચિમ બંગાળની દાર્જીલિંગ બેઠક પરથી ઉમેદવાર બનાવાય તેવી સંભાવના છે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>પાર્ટીનાં વડાપ્રધાન પદનાં ઉમેદવાર લાલકૃષ્ણ અડવાણીએ ગુરૂવારે ગોરખાલેન્ડ જનમુક્તિ મોર્ચાનાં નેતાઓ અને જશવંત સાથે અલગ-અલગ બેઠક કરી હતી. તેમજ દાર્જીલિંગથી જાહેર થયેલા ઉમેદવાર દાવા શેરપા જશવંતસિંહ માટે મેદાનમાંથી હટી જવાની તૈયારી દર્શાવી છે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>પાર્ટીનાં પૂર્વોત્તરનાં પ્રભારી એસ એસ અહલુવાલિયાએ જણાવ્યું હતું કે દાર્જીલિંગનાં હાલનાં ઉમેદવાર દાવા શેરપા અને ગોરખાલેન્ડ જનમુક્તિ મોર્ચાનાં બિમલ ગુરૂમે ગુરૂવારે અડવાણી સાથે બેઠક કરી હતી. જેમાં બંનેએ જશવંતસિંહને દાર્જીલિંગથી ચુંટણી લડવાની ઈચ્છા દર્શાવી હતી.</font>]]></content:encoded>
      <pubDate>Sat, 04 Apr 2009 14:11:29 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 20:27:26 +0530</updatedDate>
      <category><![CDATA[Election 09                                                                                         q]]></category>
      <authorname>ભાષા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[નિવૃત આઈપીએસ સૈયદ ભાજપમાં જોડાયા]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/loksabha-election-09/નિવૃત-આઈપીએસ-સૈયદ-ભાજપમાં-જોડાયા-109040300022_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/loksabha-election-09/નિવૃત-આઈપીએસ-સૈયદ-ભાજપમાં-જોડાયા-109040300022_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[ગુજરાતમાં વર્ષ 2002 માં ફાટી નીકળેલા રમખાણો દરમિયાન હુમલાનો ભોગ બનનારા નિવૃત આઈપીએસ અધિકારી અબ્દુલ્લાહ ઈબ્રાહીમ સૈયદે અચાનક ભાજપનો હાથ પકડીને પાર્ટીમાં જોડાવાની જાહેરાત કરી સૌને આશ્વર્યમાં નાખી દીધા છે. બીજી તરફ એ વાત પણ સિદ્ધ થઈ ગઈ છે કે ...]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ગુજરાતમાં વર્ષ 2002 માં ફાટી નીકળેલા રમખાણો દરમિયાન હુમલાનો ભોગ બનનારા નિવૃત આઈપીએસ અધિકારી અબ્દુલ્લાહ ઈબ્રાહીમ સૈયદે અચાનક ભાજપનો હાથ પકડીને પાર્ટીમાં જોડાવાની જાહેરાત કરી સૌને આશ્વર્યમાં નાખી દીધા છે. બીજી તરફ એ વાત પણ સિદ્ધ થઈ ગઈ છે કે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પણ લોકસભાની ચૂંટણીમાં પોતાની છબીને પુન: વિસ્તારીત કરવા માટે તનતોડ મહેનત કરી રહ્યાં છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>એક મુલાકાત દરમિયાન સૈયદે ભાજપમાં જોડાવા પાછળનું કારણ જણાવતા કહ્યું હતું કે હું મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના કારણે ભાજપમાં જોડાયો છું. મોદી પણ એ જ જિલ્લાંના વતની છે, જ્યાંનો હું વતની છું. તે એક જ એવા વ્યક્તિ છે જે જાણે છે કે તેઓ શું કહી રહ્યાં છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>મહેસાણા જિલ્લાના ગંગવાડા ગામના વતની સૈયદ ગત વર્ષે મે માસમાં એડિશનલ ડીજીપીનાં પદેથી નિવૃત થયાં હતાં. માર્ચ 2002 માં અમદાવાદના વેજલપુર વિસ્તારમાં સર્જાયેલા રમખાણો દરમિયાન ઉશ્કેરાયેલા ટોળાએ તેમની પોલીસ વેન પર પથ્થરમારો કર્યો હતો. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>સૈયદ એ ઘટનાને યાદ કરતા કહે છે કે, ' હું ભગવાનનો આભારી છું જેમણે એ દિવસે મારો જીવ બચાવ્યો હતો. હું કેટલાક ગાંડા માણસો વચ્ચે ઘેરાઈ ગયો હતો જેમનું ભાજપ પાર્ટી સાથે કંઈ લેણ-દેણ ન હતું. જીવ બચાવવા માટે મેં મારી સર્વીસ રિવોલ્વરમાંથી ઓપન ફાયર કર્યું અને બાદમાં ટોળુ વિખેરાઈ ગયું. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>સૈયદે કહ્યું કે, તેમણે તાજેતરમાં એક શુભચિંતક બનીને ભાજપના વડાપ્રધાન પદના દાવેદાર લાલકૃષ્ણ અડવાણીને એક પત્ર લખ્યો હતો. પત્રમાં તેમણે કહ્યું કે, ભાજપે તેમના જેવા શિક્ષિત મુસ્લિમોની પાર્ટીમાં નિમણૂક કરવી જોઈએ. થોડા માસ બાદ તેઓ સેવાનિવૃત થઈ ગયાં આ અરસામાં પ્રદેશ ભાજપા અધ્યક્ષ પરસોતમ રૂપાલાનો એક ફોન આવ્યો જેમણે કહ્યું કે, પાર્ટીમાં તેમની નિયત સમયે નિમણૂક થશે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>સૈયદે કહ્યું કે, તેઓ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને એ સમયેથી ઓળખે છે જ્યારે તેઓ મહેસાણા પોલીસ અધિક્ષકના રૂપમાં કાર્યરત હતાં. ભાજપ સાથે તેમનો પહેલેથી જ ઝુકાવ રહ્યો છે.  </font>]]></content:encoded>
      <pubDate>Fri, 03 Apr 2009 11:44:24 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 20:27:26 +0530</updatedDate>
      <category><![CDATA[Election 09                                                                                         q]]></category>
      <authorname>ભાષા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[પવારના નિશાને નરેન્દ્ર મોદી]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/loksabha-election-09/પવારના-નિશાને-નરેન્દ્ર-મોદી-109040300021_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/loksabha-election-09/પવારના-નિશાને-નરેન્દ્ર-મોદી-109040300021_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[એનસીપીના અધ્યક્ષ શરદ પવારે ગુજરાતના મુખ્યમંત્રી પર ફરી નિશાનો સાધ્યો છે. તેમણે કહ્યું હતું કે તેઓ મહારાષ્ટ્રને બીજુ ગુજરાત નહીં બનવા દે.]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>દક્ષિણ આફ્રીકાએ ગ્રોઈનની ઈજાથી પીડીત સ્ટાર ખેલાડી જોક કૈલિસને ઓસ્ટ્રેલિયાની સામે પ્રથમ વનડે ક્રિકેટ મેચમાં આરામ આપવાનો નિર્ણય લેવામાં  આવ્યો છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>કત્પાન સ્મિથના હવાલાથી એએપીએ કહ્યુ કે જોક પ્રથમ વનડે નહી રમી શકે. હાલમાં તે પૂર્ણ રીતે સ્વસ્થ નથી.  </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>કૈલિસે કેપટાઉન ટેસ્ટમાં સ્મિથના સ્થાને કપ્તાની કરી હતી. આ જ મેચમાં તેમને ઈજા પહુચી હતી. </font>]]></content:encoded>
      <pubDate>Fri, 03 Apr 2009 11:41:20 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 20:27:26 +0530</updatedDate>
      <category><![CDATA[Election 09                                                                                         q]]></category>
      <authorname>ભાષા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA["ભાજપા ગઠબંધન રાજનીતિની જનની"]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/loksabha-election-09/ભાજપા-ગઠબંધન-રાજનીતિની-જનની-109040300020_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/loksabha-election-09/ભાજપા-ગઠબંધન-રાજનીતિની-જનની-109040300020_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[ભાજપ ગઠબંધન રાજનીતિની જનની ગણાવતા પાર્ટીનાં વડાપ્રધાન પદનાં ઉમેદવાર લાલકૃષ્ણ અડવાણીએ કહ્યું છે કે ભાજપ જોડાણ ધર્મ નિભાવવાનું  જાણે છે.]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>દક્ષિણ આફ્રીકાએ ગ્રોઈનની ઈજાથી પીડીત સ્ટાર ખેલાડી જોક કૈલિસને ઓસ્ટ્રેલિયાની સામે પ્રથમ વનડે ક્રિકેટ મેચમાં આરામ આપવાનો નિર્ણય લેવામાં  આવ્યો છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>કત્પાન સ્મિથના હવાલાથી એએપીએ કહ્યુ કે જોક પ્રથમ વનડે નહી રમી શકે. હાલમાં તે પૂર્ણ રીતે સ્વસ્થ નથી.  </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>કૈલિસે કેપટાઉન ટેસ્ટમાં સ્મિથના સ્થાને કપ્તાની કરી હતી. આ જ મેચમાં તેમને ઈજા પહુચી હતી. </font>]]></content:encoded>
      <pubDate>Fri, 03 Apr 2009 11:37:20 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 20:27:26 +0530</updatedDate>
      <category><![CDATA[Election 09                                                                                         q]]></category>
      <authorname>ભાષા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[CPMનાં ચુંટણી પ્રચારમાં નેનો સામેલ]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/loksabha-election-09/CPMનાં-ચુંટણી-પ્રચારમાં-નેનો-સામેલ-109040300019_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/loksabha-election-09/CPMનાં-ચુંટણી-પ્રચારમાં-નેનો-સામેલ-109040300019_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[પશ્વિમ બંગાળમાં વિપક્ષી તૃણમુલ કોંગ્રેસના પ્રભાવને ઓછો કરવા અને પાર્ટીની ઉદ્યોગવિરોધી છબીને નાબુદ કરવા માર્ક્સવાદી કોમ્યુનિસ્ટ પાર્ટીએ પોતાના ચૂંટણી પ્રચારમાં નેનો અને પ્રદેશના ઔદ્યોગિકરણનાં વિષયને પ્રમુખતાથી ઉપાડ્યો છે.]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>પશ્વિમ બંગાળમાં વિપક્ષી તૃણમુલ કોંગ્રેસના પ્રભાવને ઓછો કરવા અને પાર્ટીની ઉદ્યોગવિરોધી છબીને નાબુદ કરવા માર્ક્સવાદી કોમ્યુનિસ્ટ પાર્ટીએ પોતાના ચૂંટણી પ્રચારમાં નેનો અને પ્રદેશના ઔદ્યોગિકરણનાં વિષયને પ્રમુખતાથી ઉપાડ્યો છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>પ્રદેશમાં વિભિન્ન સ્થાનો પર પોતાના ચુંટણી પ્રચારમાં મુખ્યમંત્રી બુદ્ધદેવ ભટ્ટાચાર્યએ નેનો મુદ્દા પર તૃણમૂલ કોંગ્રેસ પર જોરદાર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે નેનો યોજના રાજ્યમાં આવી હોત તો 6 હજાર લોકોને નોકરી મળી હોત, અને બીજા ઘણી પ્રકારનાં રોજગારીનાં અવસર પણ પેદા થયા હોત.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>પોતાની સરકારની ઉદ્યોગ સમર્થક છબી રજુ કરતા સીપીએમ નેતાએ કહ્યું કે પ્રદેશ સરકારનાં ઔદ્યોગિકરણ વિરુદ્ધ તૃણમૂલ કોંગ્રેસે હંમેશા નકારાત્મક રાજનીતિ તરફ માર્ગ જામ કરી દીધા છે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>તો બીજીબાજુ કોંગ્રેસ અને તૃણમૂલે ડાબેરીઓનાં પાછલા રેકોર્ડ પર પ્રશ્ન ઉભા કર્યા અને આશ્વર્ય પ્રગટ કર્યુ કે પશ્વિમ બંગાળ એક સમય ઉદ્યોગના મામલામાં નંબર એક પ્રદેશ ગણાતો હતો તથા ડાબેરીઓના શાસનકાળ દરમિયાન પ્રદેશનું એ ગૌરવ કેમ નષ્ટ થઈ ગયું. </font><br/> </font>]]></content:encoded>
      <pubDate>Fri, 03 Apr 2009 11:33:50 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 20:27:26 +0530</updatedDate>
      <category><![CDATA[Election 09                                                                                         q]]></category>
      <authorname>ભાષા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[મુલાયમની અરજી પર સુનાવણી સ્થગિત]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/loksabha-election-09/મુલાયમની-અરજી-પર-સુનાવણી-સ્થગિત-109040300018_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/loksabha-election-09/મુલાયમની-અરજી-પર-સુનાવણી-સ્થગિત-109040300018_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[સુપ્રીમ કોર્ટે બુધવારે આવક કરતા વધારે સંપત્તિ રાખવા પર સીબીઆઈની તપાસ વિરૂદ્ધ દાખલ સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ મુલાયમ સિંહ યાદવની અરજી પર સુનાવણી પાંચ મે સુધી સ્થગિત કરી દીધી હતી.]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:11pt; color:#000000'></font><br/> <font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>સુપ્રીમ કોર્ટે બુધવારે આવક કરતા વધારે સંપત્તિ રાખવા પર સીબીઆઈની તપાસ વિરૂદ્ધ દાખલ સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ મુલાયમ સિંહ યાદવની અરજી પર સુનાવણી પાંચ મે સુધી સ્થગિત કરી દીધી હતી. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ન્યાયમૂર્તિ અલ્તમસ કબીર તથા એચએલ દતૂની ખંડપીઠે આ નિર્ણય એટલા માટે લીધો હતો કે બ્યૂરોની તપાસ સંબંધી અદાલતના આદેશની વૈધતા પર નિર્ણય મે મહિનાના પહેલા સપ્તાહ સુધીમાં આવવાનો છે. યાદવે ન્યાયાલયના અગાઉના એ નિર્દેશ પર પ્રશ્ન ઉઠાવતા પુન: અરજી દાખલ કરી હતી જેમાં એક જનહીત અરજીમાં ઉલ્લેખ કરેલી આવક કરતા વધારે સંપત્તિની પ્રાથમિક તપાસનો આદેશ આપવામાં આવ્યો હતો. વકીલ તથા કોંગ્રેસ કાર્યકર્તા વિશ્વનાથ ચતુર્વેદીએ મુલાયમ સિંહ અને તેમના પરિવારની આવક કરતા વધારે સંપત્તિ રાખવાની તપાસની માંગણી કરી હતી. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>અરજીકર્તાની દલીલ છે કે દિલ્હી પોલીસ એસ્ટેબ્લિશમેંટ કાયદાને અંતર્ગત ફક્ત કેન્દ્ર સરકાર જ સંબંધિત રાજ્ય સરકારોની સહમતિથી સીબીઆઈ તપાસના આદેશ આપી શકે છે. </font>]]></content:encoded>
      <pubDate>Fri, 03 Apr 2009 11:30:58 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 20:27:26 +0530</updatedDate>
      <category><![CDATA[Election 09                                                                                         q]]></category>
      <authorname>ભાષા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[કાશીરામ કોંગ્રેસનો સફળ દાવ !]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/loksabha-election-09/કાશીરામ-કોંગ્રેસનો-સફળ-દાવ-109040100060_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/loksabha-election-09/કાશીરામ-કોંગ્રેસનો-સફળ-દાવ-109040100060_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[ભાજપે ભડકી જેમને પોતાનાથી અળગા કર્યા છે એવા સુરતની બેઠકના વર્તમાન સાંસદ સભ્ય કાશીરામ રાણાને કોંગ્રેસે પોતાના પંજામાં બેસાડી ધારદાર રાજકીય સોગઠી મારી છે. ભાજપના અસંતુષ્ટોને લઇને ગત વિધાનસભામાં કોંગ્રેસને કારમી હારનો સામનો કર્યો હતો. પરંતુ આ રાજકીય ...]]></description>
      <content:encoded><![CDATA[<!--Image--><p><table style='margin: 3px 8px 0px 0px;' cellspacing='0' cellpadding='0' border='0' Align=Left><tr><td valign='top'><img src='/gu/articles/0904/01/images/img1090401060_1_1.jpg' Alt='' Border=0  HSPACE=4 VSPACE=4 class='imgArticle_New'></td></tr><tr><td class='imgSource'><table width='100%' cellpadding='0' cellspacing='0' border='0'><tr><td align='left'></td><td valign='top' align='right'>P.R</td></tr></table></td></tr></table></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ભાજપે ભડકી જેમને પોતાનાથી અળગા કર્યા છે એવા સુરતની બેઠકના વર્તમાન સાંસદ સભ્ય કાશીરામ રાણાને કોંગ્રેસે પોતાના પંજામાં બેસાડી ધારદાર રાજકીય સોગઠી મારી છે. ભાજપના અસંતુષ્ટોને લઇને ગત વિધાનસભામાં કોંગ્રેસને કારમી હારનો સામનો કર્યો હતો. પરંતુ આ રાજકીય વિશ્વેષકોનું ગણતરી સુરતની બેઠક અને કાશીરામ માટે કંઇ અલગ કહી રહ્યું છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>રાજકીય અગ્રણીઓનું માનવું છે કે, કાશીરામ રાણા કોંગ્રેસ માટે સફળ સાબિત થશે. તેઓ સતત છ વાર ભાજપ તરફથી જીતતા આવ્યા છે અને આ વખતે પણ કોંગ્રેસ તરફથી જીતી જાય તો નવાઇ નહીં. કેટલાક રાજકીય નિષ્ણાતોનો એટલે સુધી પણ કહે છે કે, કાશીરામ એ ભાજપના જોરે નહીં પરંતુ પોતાના જોરે જીતતા આવ્યા છે. કાશીરામ પાસે મોટી મતબેંક છે. વધુમાં તેઓ ઓબીસીમાંથી આવે છે જે તેમને કોંગ્રેસમાં વધુ અનુકૂળ આવશે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આ બેઠકની અગાઉની ચૂંટણીનો ભૂતકાળ તપાસીએ તો કાશીરામે તેમના હરીફને બમણા મતોથી હાર આપી છે. વર્ષ 2004માં તેમણે 59.69 ટકા મત મેળવ્યા હતા જ્યારે તેમના પ્રતિસ્પર્ધી ચન્દ્રવદન પીઠાવાળાને માત્ર 39.89 ટકા મત મળ્યા હતા. 1999માં કાશીરામને 68.82 ટકા જ્યારે પ્રતિસ્પર્ધી રૂપિન પટચિગારને માત્ર 28.35 ટકા, 1998માં કાશીરામને 65.16 ટકા તથા પ્રતિસ્પર્ધી ઠાકોરભાઇ નાયકને 30.07 ટકા, 1996માં તેમને 61.07 ટકા તથા પ્રતિસ્પર્ધી મનુભાઇને 32.68 ટકા તથા 1991માં તેમને 56.24 ટકા તથા પ્રતિસ્પર્ધી ચૌધરી સચદેવને 38.46 ટકા, 1989માં કાશીરામને 62.75 ટકા તથા પ્રતિસ્પર્ધી સીડ.ડી.પટેલને 34.33 ટકા મત મળ્યા હતા. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>જ્યારે 1984માં તેઓ હાર્યા હતા ત્યારે કોંગ્રેસના વિજયી ઉમેદવાર પટેલ છગનભાઇને 53.71 ટકા મત મળ્યા હતા જ્યારે કાશીરામ રાણાને 44.23 ટકા મત મળ્યા હતા. હવે જોવાનું એ રહેશે કે બે દાયદાથી ભાજપ તરફથી જીતનો સ્વાદ ચાખનાર આ વખતે હરીફ પાટલીમાં બેસી ભાજપને કેવો સ્વાદ ચખાડે છે તે....</font><br/><font  style='font-size:11pt; color:#0000FF'></font><br/><font  style='font-size:11pt; color:#0000FF'><b>સુરતની બેઠકનું લોકસભા ચૂંટણી ચિત્</font><font style=' color:#000000;'>ર</font><font style=' color:#FF0080;'></b></font><br/><font  style='font-size:11pt; color:#FF0080'><b>વર્ષ	મતદાન	ભાજપ		મત ટકામાં	કોંગ્રેસ		મતટકામા</font><font style=' color:#000000;'>ં</b></font><br/>2004<font  style='font-size:11pt; color:#000000'>	37.7	કાશીરામ રાણા	59.69	ચન્દ્રવદન પીઠાવાળા	39.89</font><br/>1999<font  style='font-size:11pt; color:#000000'>	32.26	કાશીરામ રાણા	68.82	રૂપિન પટચિગાર	28.35</font><br/>1998<font  style='font-size:11pt; color:#000000'>	47.14	કાશીરામ રાણા	65.16	ઠાકોરભાઇ નાયક	30.07</font><br/>1996<font  style='font-size:11pt; color:#000000'>	33.5	કાશીરામ રાણા	61.07	મનુભાઇ કોટડીયા	32.68</font><br/>1991<font  style='font-size:11pt; color:#000000'>	43.22	કાશીરામ રાણા	56.24	ચૌધરી સચદેવ	38.46</font><br/>1989<font  style='font-size:11pt; color:#000000'>	54.36	કાશીરામ રાણા	62.75	સી.ડી પટેલ	34.33</font><br/>1984<font  style='font-size:11pt; color:#000000'>	60.37	કાશીરામ રાણા	44.23	પટેલ છગનભાઇ	53.71</font>]]></content:encoded>
      <pubDate>Wed, 01 Apr 2009 17:32:08 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 20:27:26 +0530</updatedDate>
      <category><![CDATA[Election 09                                                                                         q]]></category>
      <authorname>હરેશ સુથાર</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[ગાંધીનગરમાં તો કમળ જ ખીલે !]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/loksabha-election-09/ગાંધીનગરમાં-તો-કમળ-જ-ખીલે-109033100065_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/loksabha-election-09/ગાંધીનગરમાં-તો-કમળ-જ-ખીલે-109033100065_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[15મી લોકસભા માટે સ્વયંવર ખુલ્લો મુકાયો છે. મૂરતિયા બની ઉમેદવારો લાઇનમાં ઉભા છે. મતદારો ફુલહારની માળા લઇ મતદાનની 30મી તારીખની રાહ જોઇ રહ્યા છે ત્યારે ગુજરાતના પાટનગર એવા ગાંધીનગરની બેઠકની વાત કરીએ તો આ બેઠક ઉપર ભાજપનો દબદબો જોવા મળી રહ્યો છે.

છેલ્લા ...]]></description>
      <content:encoded><![CDATA[<!--Image--><p><table style='margin: 3px 8px 0px 0px;' cellspacing='0' cellpadding='0' border='0' Align=Left><tr><td valign='top'><img src='/gu/articles/0903/31/images/img1090331065_1_1.jpg' Alt='' Border=0  HSPACE=4 VSPACE=4 class='imgArticle_New'></td></tr><tr><td class='imgSource'><table width='100%' cellpadding='0' cellspacing='0' border='0'><tr><td align='left'></td><td valign='top' align='right'>W.D</td></tr></table></td></tr></table></p><!--endImage-->  <font  style='font-size:11pt; color:#000000'></font><br/>15<font  style='font-size:11pt; color:#000000'>મી લોકસભા માટે સ્વયંવર ખુલ્લો મુકાયો છે. મૂરતિયા બની ઉમેદવારો લાઇનમાં ઉભા છે. મતદારો ફુલહારની માળા લઇ મતદાનની 30મી તારીખની રાહ જોઇ રહ્યા છે. ગુજરાતના પાટનગર એવા ગાંધીનગરની બેઠકની વાત કરીએ તો અહીં ભાજપનો દબદબો પ્રવર્તી રહ્યો છે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>છેલ્લા ત્રણ દાયકામાં યોજાયેલ લોકસભાના નવ ચૂંટણી જંગ ઉપર નજર નાંખીએ તો આ બેઠક ઉપર છ વાર ભાજપનું કમળ ખીલ્યું છે એની સામે માત્ર ત્રણ વાર પંજો હાવી થયો છે. 1989થી લઇને 2004 સુધી સતત આ બેઠક ઉપર ભાજપનો કેસરિયો લહેરાયો છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>અહીંના મતદારો ભાજપને માત્ર જીતાડતા જ નથી પરંતુ પાર્ટીમાં વિશ્વાસ પણ વ્યક્ત કરે છે એ એમના મતદાનથી સાબિત થાય છે. 1989થી અહીં ભાજપને કોંગેસ કરતાં અંદાજે બમણો પ્રજામત મળતો આવે છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/>1989<font  style='font-size:11pt; color:#000000'>માં કોંગેસને 30.33 ટકા મત મળ્યા હતા એની સામે ભાજપને 66.22 ટકા, 1891માં કોંગ્રેસને 37.56 ટકા, ભાજપને 57.97 ટકા તથા 1996માં કોંગ્રેસને 27.63 ટકા તથા ભાજપને 66.38 ટકા, 1998માં કોંગ્રેસને 29.26 ટકા, ભાજપને 59.86 ટકા તથા 1999માં કોંગ્રેસને 35.65, ભાજપને 61.14 ટકા તથા 2004માં કોંગ્રેસને 35.36 ટકા ભાજપને 61.04 ટકા પ્રજામત મળ્યો હતો. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ઉમેદવારોની વાત કરીએ તો શંકરસિંહ વાધેલાએ આ બેઠક ભાજપની જોળીમાં નાંખવાની શરૂઆત કરી હતી. જે આજ લગી ભાજપના કમળમાં સચવાઇ રહી છે. 1989માં ભાજપ તરફથી ચૂંટણી જંગ લડનાર શંકરસિંહ વાધેલાએ કોંગ્રેસના કોકિલા વ્યાસને અડધા મતોથી હાર આપી. એ પછી આ બેઠક ઉપર 1991માં લાલકૃષ્ણ અડવાણી આવ્યા હતા. જે કોંગ્રેસી પ્રતિસ્પર્ધી જી.આઇ.પટેલ સામે ભારે મતોથી જીત્યા હતા. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ત્યારબાદ 1996માં આ બેઠકથી ચૂંટણી લડનાર અટલ વિહારી વાજપાઇએ પણ કોંગ્રેસી ઉમેદવાર પોપટલાલ પટેલને કારમી હાર આપી હતી. ત્યાર બાદ ફરી એકવાર 1998 તથા 2004માં આ બેઠક લાલકૃષ્ણ અડવાણીના હાથમાં આવી હતી તેમણે કોંગ્રેસના પી.કે.દત્તા તથા ભૂતપૂર્વ ચૂંટણી કમિશ્નર ટી.એન.શેષાનને હરાવ્યા હતા. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આમ ભાજપનો ગઢ મનાતી આ બેઠક ઉપર આ વખતે ફરી જીતનું પુનરાવર્તન કરવા માટે લાલકૃષ્ણ અડવાણી મેદાનમાં આવ્યા છે તો સામે પક્ષે કોંગ્રેસના ઉમેદવાર સુરેશ પટેલ, અપક્ષ મલ્લિકા સારાભાઇ રણચંડી બની યુધ્ધ મેદાનમાં ઉતર્યા છે. આ ત્રણેય મહારથીઓને લીધે આ વખતે ત્રિપાંખીયો જંગ ખેલાયો છે. હવે જોવાનું એ રહે છે કે, કોણ કોને ટક્કર આપે છે. </font>]]></content:encoded>
      <pubDate>Tue, 31 Mar 2009 17:39:08 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 20:21:25 +0530</updatedDate>
      <category><![CDATA[Election 09                                                                                         q]]></category>
      <authorname>હરેશ સુથાર</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[ભાજપને 47 કોંગ્રેસને 40 ટકા પ્રજામત !]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/loksabha-election-09/ભાજપને-47-કોંગ્રેસને-40-ટકા-પ્રજામત-109033100054_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/loksabha-election-09/ભાજપને-47-કોંગ્રેસને-40-ટકા-પ્રજામત-109033100054_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[લોકસભાની ચૂંટણીના નગારા પીટાઇ રહ્યા છે, રાજકીય પક્ષોના કાર્યકરો આળસ મરડી ઉભા જોશમાં આવી રહ્યા છે. ભાજપ કોંગ્રેસ બેઉ  મેદાન મારી જવાના દાવા કરી રહ્યા છે. પરંતુ વાસ્તવિકતા કંઇક અલગ જ છે. ગત લોકસભાની ચૂંટણીના પરિણામો ઉપર નજર કરીએ  તો બંનેમાંથી કોઇ માટે ...]]></description>
      <content:encoded><![CDATA[<!--Image--><p><table style='margin: 3px 8px 0px 0px;' cellspacing='0' cellpadding='0' border='0' Align=Left><tr><td valign='top'><img src='/gu/articles/0903/31/images/img1090331054_1_1.jpg' Alt='' Border=0  HSPACE=4 VSPACE=4 class='imgArticle_New'></td></tr><tr><td class='imgSource'><table width='100%' cellpadding='0' cellspacing='0' border='0'><tr><td align='left'></td><td valign='top' align='right'>N.D</td></tr></table></td></tr></table></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>લોકસભાની ચૂંટણીના નગારા પીટાઇ રહ્યા છે, રાજકીય પક્ષોના કાર્યકરો આળસ મરડી ઉભા જોશમાં આવી રહ્યા છે. ભાજપ કોંગ્રેસ બેઉ  મેદાન મારી જવાના દાવા કરી રહ્યા છે. પરંતુ વાસ્તવિકતા કંઇક અલગ જ છે. ગત લોકસભાની ચૂંટણીના પરિણામો ઉપર નજર કરીએ  તો બંનેમાંથી કોઇ માટે પણ આ ચૂંટણી જંગ સરળ નથી. ભાજપને 47 તથા કોંગ્રેસને 40 ટકાનો પ્રજામત મળ્યો છે. જો કોમવાદ. સગાવાદ, જ્ઞાતિવાદ કે પછી અન્ય કોઇ વાદનું ફેક્ટર કામ કરી જાય તો પરિણામ કંઇ ઓર હશે !</font><font style='font-size:12pt;'></font><br/><!--Image--><p><table style='margin: 3px 8px 0px 0px;' cellspacing='0' cellpadding='0' border='0' Align=Left><tr><td valign='top'><img src='/gu/articles/0903/31/images/img1090331054_1_2.jpg' Alt='' Border=0  HSPACE=4 VSPACE=4 class='imgArticle_New'></td></tr><tr><td class='imgSource'><table width='100%' cellpadding='0' cellspacing='0' border='0'><tr><td align='left'></td><td valign='top' align='right'>N.D</td></tr></table></td></tr></table></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ગત ચૂંટણીના આંકડાનું પૃથ્થકરણ કરીએ તો ચોંકાવનારી વિગતો જાણવા મળે છે. 26 બેઠકો પૈકી 14 ઉપર કમળ ખીલ્યું હતું તો 12  બેઠકો પંજાના હાથમાં આવી હતી. જેમાં દસેક બેઠકો તો એવી છે જેમાં પાતળી સરસાઇ જોવા મળી હતી. જો બેઠકો ઉપર મતોનું  ધ્રુવીકરણ થાય તો આ ચૂંટણીનું પરિણામ કંઇક અલગ આવી શકે એમ છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>રાજ્યના 1,52,13,501 મતદારોએ મતાધિકારનો ઉપયોગ કરતાં 45.18 ટકા મતદાન થયું હતું. જેમાંથી 72,04,915 મતોએ કમળ  ખીલવતાં ભાજપને 47.36 ટકા પ્રજામત મળ્યો હતો. જ્યારે સામે પક્ષે 12 બેઠકો ઉપર જીત મેળવનાર કોંગ્રેસને 68,48,560 મત સાથે  40.01 ટકા પ્રજામત મળ્યો હતો.</font><br/> <font  style='font-size:11pt; color:#000000'></font><br/>26 <font  style='font-size:11pt; color:#000000'>બેઠકો પૈકી નવ બેઠકો ઉપર 5 ટકાથી ઓછી, સાત બેઠકો ઉપર 5થી10 ટકા, પ બેઠકો ઉપર 10થી15 ટકા તથા 5 બેઠકો ઉપર  15થી20 ટકાની સરસાઇ જોવા મળી હતી. જેમાં સૌથી ઓછી સરસાઇ દાહોદની બેઠક ઉપર માત્ર 0.07 ટકા જ રહી હતી જ્યારે સૌથી  વધુ લીડ માંડવી બેઠક ઉપર 26.89 ટકા લીડ રહી હતી. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/>5 <font  style='font-size:11pt; color:#000000'>ટકાથી ઓછી સરસાઇવાળી નવ બેઠકોમાં પાંચ ભાજપ તથા ચાર કોંગ્રેસના ફાળે છે. જેમાં ભાજપની દાહોદ બેઠક ઉપર તો હાર-જીત  વચ્ચે માત્ર 361 (0.07 ટકા) મતનું જ અંતર હતું. બરોડામાં 6603 તથા પોરબંદરમાં 5703 (1.16 ટકા) મતની સરસાઇ હતી. જ્યારે  પાટણમાં 23624 (4.39 ટકા) તથા ધંધુકામાં 22794 (4.41 ટકા) હતી તો સામે પક્ષે કોંગ્રેસના કબ્જાવાળી અમરેલી બેઠક ઉપર માત્ર  2030 (0.43 ટકા) મતનો જ તફાવત હતો. બનાસકાંઠાની બેઠક ઉપર 6928 (1.08 ટકા) તથા જામનગરમાં 5593 (1.29 ટકા) તથા  મહેસાણાની બેઠક ઉપર 14511 (2.09 ટકા) મતોની સરસાઇ હતી. </font><font style='font-size:11pt;'></font><br/> <font  style='font-size:11pt; color:#000000'></font><br/>5<font  style='font-size:11pt; color:#000000'>થી 10 ટકા સરસાઇવાળી 7 બેઠકો પૈકી ભાજપને 3 તથા કોંગેસને 4 બેઠક</font><font style='font-size:11pt;'>ો </font><font style='font-size:11pt;'>છે. જેમાં ભાજપની કચ્છ બેઠકમાં 6.32 ટકા,  સુરેન્દ્રનગરમાં 7.45 ટકા તથા ગોધરામાં 10 ટકા સરસાઇ રહી હતી. કોંગ્રેસના વિજયવાળી સાબરકાંઠા બેઠક ઉપર 6.1 ટકા, જુનાગઢમાં  6.21 ટકા, વલસાડમાં 6.45 ટકા તથા છોટા ઉદેપુરમાં 6.51 ટકા તફાવત હતો. 10થી 15 ટકાની સરસારઇવાળી 5 બેઠકોમાં ભાજપની ભરૂચ બેઠક ઉપર 10.61 ટકા તથા અમદાવાદ બેઠક ઉપર 14.45 ટકા લીડ રહી  હતી. જ્યારે કોંગ્રેસની આણંદમાં 10.33 ટકા, ખેડામાં 12.58 ટકા તથા કપડવંજમાં 13.34 ટકા સરસાઇ હતી. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/>15<font  style='font-size:11pt; color:#000000'>થી 20 ટકા સરસાઇવાળી 5 બેઠકોમાં ભાજપે 4 બેઠકોની સામે કોંગ્રેસની માત્ર એક જ બેઠક છે. ભાજપની સુરત બેઠક ઉપર 16.80  ટકા, ભાવનગર 18.08 ટકા, ગાંધીનગર 25.68 તથા રાજકોટ બેઠક ઉપર 26.73 ટકા તફાવત હતો. જયારે કોંગ્રેસની એક માત્ર  માંડવીની બેઠક ઉપર સૌથી વધુ લી઼ડ 26.89 ટકા સર્જાઇ હતી. વધુ લીડથી જીતેલી આ બેઠકો જીત માટે નક્કર કહી શકાય બાકી બેઠકો  ગમે તે ઘડીએ નવું સમીકરણ બતાવે એમ છે.</font>]]></content:encoded>
      <pubDate>Tue, 31 Mar 2009 15:46:50 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 20:21:25 +0530</updatedDate>
      <category><![CDATA[Election 09                                                                                         q]]></category>
      <authorname>હરેશ સુથાર</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[મુલાયમસિહંને નોટિસ]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/loksabha-election-09/મુલાયમસિહંને-નોટિસ-109033000051_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/loksabha-election-09/મુલાયમસિહંને-નોટિસ-109033000051_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[મૈનપુરીની મહિલા જિલ્લાધિકારી વિરૂધ્ધ આપત્તિજનક વાતો કરવાના મામલે સપા પ્રમુખ મુલાયમસિહં યાદવે ચૂંટણી આયોગે નોટિસ પાઠવી છે. વળી ચૂંટણી પંચે અધિકારીઓને નિર્દેશ આપ્યા છે કે,એવા ઉમેદવારો ઉપર કડી નજર રાખવામાં આવે કે જે અધિકારીઓને ડરાવવા, ધમકાવવા તથા ...]]></description>
      <content:encoded><![CDATA[<!--Image--><p><table style='margin: 3px 8px 0px 0px;' cellspacing='0' cellpadding='0' border='0' Align=Left><tr><td valign='top'><img src='/gu/articles/0903/30/images/img1090330051_1_1.jpg' Alt='' Border=0  HSPACE=4 VSPACE=4 class='imgArticle_New'></td></tr><tr><td class='imgSource'><table width='100%' cellpadding='0' cellspacing='0' border='0'><tr><td align='left'></td><td valign='top' align='right'>N.D</td></tr></table></td></tr></table></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>મૈનપુરીની મહિલા જિલ્લાધિકારી વિરૂધ્ધ આપત્તિજનક વાતો કરવાના મામલે સપા પ્રમુખ મુલાયમસિહં યાદવે ચૂંટણી આયોગે નોટિસ પાઠવી છે. વળી ચૂંટણી પંચે અધિકારીઓને નિર્દેશ આપ્યા છે કે,એવા ઉમેદવારો ઉપર કડી નજર રાખવામાં આવે કે જે અધિકારીઓને ડરાવવા, ધમકાવવા તથા કાયદાને પોતાના હાથમાં લઇ રહ્યા છે. ચૂંટણી કમિશ્નર એસ વાય કુરેશીએ કહ્યું હતું કે, અધિકારીઓને નિર્દેશ આપવામાં આવ્યા છે કે, મીડિયા રિપોર્ટ પર પણ કડી નજર રાકવામાં આવે. જેથી એવા ઉમેદવારો સામે કાર્યવાહી કરી શકાય જે નિષ્પક્ષ ચૂંટણી યોજવામાં વિધ્નો ઉભા કરી રહ્યા છે.</font>]]></content:encoded>
      <pubDate>Mon, 30 Mar 2009 15:45:04 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 20:21:25 +0530</updatedDate>
      <category><![CDATA[Election 09                                                                                         q]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[મલ્લિકાનો અનોખો ફેંસલો]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/loksabha-election-09/મલ્લિકાનો-અનોખો-ફેંસલો-109033000050_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/loksabha-election-09/મલ્લિકાનો-અનોખો-ફેંસલો-109033000050_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[ગાંધીનગરથી ભાજપના લાલકૃષ્ણ અડવાણીની વિરૂધ્ધમાં લોકસભાની ચૂંટણી લડી રહેલ અપક્ષ ઉમેદવાર મલ્લિકા સારાભાઇએ પોતાની આવક અને ખર્ચાની જાહેરાત માટે નવો કીમિયો અપનાવ્યો છે. ચૂંટણી દરમિયાન તેમને મળનાર ફંડ અને થનાર ખર્ચની તમામ વિગતો તે પોતાની વેબસાઇટ ઉપર રજુ ...]]></description>
      <content:encoded><![CDATA[<!--Image--><p><table style='margin: 3px 8px 0px 0px;' cellspacing='0' cellpadding='0' border='0' Align=Left><tr><td valign='top'><img src='/gu/articles/0903/30/images/img1090330050_1_1.jpg' Alt='' Border=0  HSPACE=4 VSPACE=4 class='imgArticle_New'></td></tr><tr><td class='imgSource'><table width='100%' cellpadding='0' cellspacing='0' border='0'><tr><td align='left'></td><td valign='top' align='right'>N.D</td></tr></table></td></tr></table></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ગાંધીનગરથી ભાજપના લાલકૃષ્ણ અડવાણીની વિરૂધ્ધમાં લોકસભાની ચૂંટણી લડી રહેલ અપક્ષ ઉમેદવાર મલ્લિકા સારાભાઇએ પોતાની આવક અને ખર્ચાની જાહેરાત માટે નવો કીમિયો અપનાવ્યો છે. ચૂંટણી દરમિયાન તેમને મળનાર ફંડ અને થનાર ખર્ચની તમામ વિગતો તે પોતાની વેબસાઇટ ઉપર રજુ કરનાર છે. તેઓ પોતાના પ્રતિદ્વંદ્વી લાલકૃષ્ણ અડવાણી તરફથી પણ આવી અપેક્ષા રાખે છે. આનાથી પણ આગળ તેઓનું તો માનવું એમ છે કે, દરેક ઉમેદવાર આ રીતે પોતાના ખર્ચા અને આવકની વિગતો જાહેર કરે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/></font>]]></content:encoded>
      <pubDate>Mon, 30 Mar 2009 15:44:43 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 20:21:25 +0530</updatedDate>
      <category><![CDATA[Election 09                                                                                         q]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[ઉદ્વવ ઠાકરે વિરૂધ્ધ ફરિયાદ]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/loksabha-election-09/ઉદ્વવ-ઠાકરે-વિરૂધ્ધ-ફરિયાદ-109032800016_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/loksabha-election-09/ઉદ્વવ-ઠાકરે-વિરૂધ્ધ-ફરિયાદ-109032800016_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[શિવસેનાના કારોબારી પ્રમુખ ઊદ્ધવ ઠાકરે અને ભાજપના રાજયપ્રમુખ નીતિન ગડકારી સામે રેલી દરમિયાન વડાપ્રધાન સામે વાંધાજનક નિવેદનો કરવા બદલ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. 

પોલીસે જણાવ્યું હતું કે, મધ્યમ મુંબઇમાં શ્વાનમિલ કંપાઉન્ડ ખાતે ૨૦મી માર્ચના દિવસે તેમના ...]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>શિવસેનાના કારોબારી પ્રમુખ ઊદ્ધવ ઠાકરે અને ભાજપના રાજયપ્રમુખ નીતિન ગડકારી સામે રેલી દરમિયાન વડાપ્રધાન સામે વાંધાજનક નિવેદનો કરવા બદલ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>પોલીસે જણાવ્યું હતું કે, મધ્યમ મુંબઇમાં શ્વાનમિલ કંપાઉન્ડ ખાતે ૨૦મી માર્ચના દિવસે તેમના ભાષણમાં કરવામાં આવેલા નિવેદન બદલ ઠાકરે અને ગડકરી સામે એફઆઇઆર દાખલ કરવામાં આવી છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આચારસંહિતા ભંગના સંદર્ભમાં ફરિયાદ કરવામાં આવી હતી. કલેકટરની ઓફિસમાં અહેવાલ દાખલ કરવામાં આવ્યા બાદ ફરિયાદ કરવામાં આવી હતી. ઠાકરે અને ગડકરી સામે જે કલમો લગાવવામાં આવી છે તે જામીનપાત્ર છે.</font>]]></content:encoded>
      <pubDate>Sat, 28 Mar 2009 12:03:30 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 20:21:25 +0530</updatedDate>
      <category><![CDATA[Election 09                                                                                         q]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[હારેલી બાજી રમે છે લાલુ-પાસવાન !]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/loksabha-election-09/હારેલી-બાજી-રમે-છે-લાલુ-પાસવાન-109032700031_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/loksabha-election-09/હારેલી-બાજી-રમે-છે-લાલુ-પાસવાન-109032700031_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[વાદળ બંધાયને ટમરા બોલવાના ચાલુ થઇ જાય એમ ચૂંટણી આવે ને ગઠબંધનો શરૂ થાય. પરંતુ એમાં કેટલાક ગઠબંધનો એવા હોય છે કે જેમનો ધ્યેય માત્ર દબાણ બનાવવાનો હોય છે. ચાંર દિન કી ચાંદની ફીર અંધેરી રાત જેવો જ ઘાટ આવા ગઠબંધનોનો પણ થાય છે. આવા ગઠબંધનો ચૂંટણી પુરી થયા ...]]></description>
      <content:encoded><![CDATA[<!--Image--><p><table style='margin: 3px 8px 0px 0px;' cellspacing='0' cellpadding='0' border='0' Align=Left><tr><td valign='top'><img src='/gu/articles/0903/27/images/img1090327031_1_1.jpg' Alt='' Border=0  HSPACE=4 VSPACE=4 class='imgArticle_New'></td></tr><tr><td class='imgSource'><table width='100%' cellpadding='0' cellspacing='0' border='0'><tr><td align='left'></td><td valign='top' align='right'>N.D</td></tr></table></td></tr></table></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>વાદળ બંધાયને ટમરા બોલવાના ચાલુ થઇ જાય એમ ચૂંટણી આવે ને ગઠબંધનો શરૂ થાય. પરંતુ એમાં કેટલાક ગઠબંધનો એવા હોય છે કે જેમનો ધ્યેય માત્ર દબાણ બનાવવાનો હોય છે. ચાંર દિન કી ચાંદની ફીર અંધેરી રાત જેવો જ ઘાટ આવા ગઠબંધનોનો પણ થાય છે. આવા ગઠબંધનો ચૂંટણી પુરી થયા બાદ એવા વિસરાઇ જવાય છે કે શોધ્યા યાદ આવતા નથી. આવા ગઠબંધનોથી રાજકીય સમીકરણોમાં કોઇ ફેરફાર થતો નથી. કેહવાતા મેનેજમેન્ટ ગુરૂ લાલુ પ્રસાદ યાદવ, રામવિલાસ પાસવાન અને મુલાયમ પણ હાલમાં કંઇ આવું જ કરી રહ્યા છે. આ બધાની વચ્ચે કંઇ આવું જ ગઠબંધન રચાયું છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ઉત્તર પ્રદેશ તથા બિહારના રાજકારણના ભૂતકાળ ઉપર નજર નાંખીએ તો સ્પષ્ટ ચિત્ર સામે આવી જાય છે. ઉત્તર પ્રદેશમાં લાલુ પ્રસાદ યાદવના રાષ્ટ્રીય જનતા દળ (રાજદ) અને રાવિલાસ પાસવાનના લોક જનશક્તિ પાર્ટી (લોજપા)નો જનાધાર નામ માત્રનો જ છે. તાજી પાકેલી ખિચડીથી ઉત્તર પ્રદેશમાં મુલાયમને બેઠકોના મામલે ભાગ્યે જ ફાયદો થઇ શકે એમ છે. આ માત્ર એક ચોક્કસ પાર્ટીને સંદેશ આપવાનો પ્રયાસ છે. રાજનીતિના આ માંધાતાઓએ એક મંચ ઉપર એકઠા થઇને એક તીરથી બે નિશાન તાકવાનો પ્રયાસ કર્યો છે. પહેલો કોંગ્રેસ ઉપર દબાણ લાગુ કરવાનો તથા બીજો મુસ્લિમ વોટ બેંકની સામે ભાજપનો યોગ્ય વિકલ્પ સાબિત કરવાનો પ્રયાસ.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આંકડાઓનું ગણિત આ જનાધારની પોલ પણ ખોલી રહ્યું છે. ગત લોકસભામાં સપા બિહારમાં 32 બેઠકો ઉપર ચૂંટણી લડ્યું હતું અને એમાંથી 31 બેઠકો ઉપર તેની ડિપોઝીટ ડુલ થઇ હતી. જ્યાં યુપીએ અને રાજગ વચ્ચે મત માટે લડાઇ થઇ અને મતોનું એવું ધ્રુવીકરણ થયું કે સપા ક્યાંય ખોવાઇ ગયું. બિહારની 32 બેઠકો ઉપર સપાને માત્ર 6,84,200 મત મળ્યા હતા જે કુલ મતદાનના માત્ર 2.33 ટકા જ છે. આ મત બેંક એ કોઇ સ્થાઇ નથી. આજ પ્રકારે લાલુના રાજદએ ઉત્તર પ્રદેશમાં 10 બેઠકો ઉપર ચૂંટણી લડી અને તમામ બેઠકો ઉપર ડિપોઝીટ ગુમાવી. લાલુની પાર્ટીને ઉત્તર પ્રદેશમાં કુલ 38,153 મત મળ્યા જે કુલ મતદાનના 0.07 ટકા છે. લોક જન શક્તિ પાર્ટીએ ત્રણ બેઠકો ઉપર ઉમેદવાર ઉભા રાખ્યા. જેમાં બેએ ડિપોઝીટ ગુમાવી. લોજપાને કુલ 1,39,145 મત મળ્યા હતા. આ આંકડા બતાવે છે કે લાલુ મુલાયમ અને પાસવાનનું ગઠબંધન બેઠકો વધારવા-ઘટાડવા મામલે ભાગ્યે જ કોઇ અસર બતાવે તેમ છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ઉત્તર પ્રદેશમાં રાજદના જનાધારની કુંડળી વાંચનારા પંડિતો જાણે છે કે, અહીં ચૂંટણી ના લડી રાજદ પ્રમુખે કોઇ વિશેષ બલિદાન આપ્યું નથી. લાલુ અને પાસવાન પાસે ઉત્તર પ્રદેશમાં ખોવા માટે કંઇ નથી. ઠીક આ રીતે સપા પાસે પણ બિહારમાં રાજકીય સમીકરણો ઉલટફેર કરવા માટે કોઇ ખાસ જનાધાર નથી. લાલુ અને પાસવાને આ અગાઉ પણ ઉત્તર પ્રદેશમાં જનાધાર મેળવવાનો પ્રયાસ કર્યો છે. પરંતુ તેના કોઇ ખાસ પરિણામો સારા મળ્યા નથી. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>પાસવાને દલિત વોટ બેંક પોતાની જોળીમાં લેવા માટે ઇન્ડિયન જસ્ટીસ પાર્ટીના ઉદીત રાજ સાથે સમજુતી કરી હતી. પરંતુ અહીંની દલિત બેંક માયાવતીના પ્રભાવમાંથી હજુ પણ બહાર આવી શકી નથી. હવે જોવાનું એ રહે છે કે, આ ગઠબંધન પણ કેટલુ અસરકારક સાબિત થાય છે....</font>]]></content:encoded>
      <pubDate>Fri, 27 Mar 2009 15:37:26 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 20:21:25 +0530</updatedDate>
      <category><![CDATA[Election 09                                                                                         q]]></category>
      <authorname>હરેશ સુથાર</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[કોંગ્રેસનો અનોખો કીર્તિમાન]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/loksabha-election-09/કોંગ્રેસનો-અનોખો-કીર્તિમાન-109032700025_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/loksabha-election-09/કોંગ્રેસનો-અનોખો-કીર્તિમાન-109032700025_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[લોકસભાની ચૂંટણીમાં રાજસ્થાનમાં કોંગ્રેસનો એક એવો અનોખો કીર્તિમાન છે કે જે અન્ય કોઇ રાજ્યમાં જોવા મળ્યો નથી. 1984ની લોકસભાની ચૂંટણીમાં રાજસ્થાનની તમામ 25 બેઠકો ઉપર પોતાનો પંજો લગાવ્યો હતો. પરંતુ એના બાદ 1989માં થયેલી ચૂંટણીમાં કોંગ્રેસની તમામ 25 ...]]></description>
      <content:encoded><![CDATA[<!--Image--><p><table style='margin: 3px 8px 0px 0px;' cellspacing='0' cellpadding='0' border='0' Align=Left><tr><td valign='top'><img src='/gu/articles/0903/27/images/img1090327025_1_1.jpg' Alt='' Border=0  HSPACE=4 VSPACE=4 class='imgArticle_New'></td></tr><tr><td class='imgSource'><table width='100%' cellpadding='0' cellspacing='0' border='0'><tr><td align='left'></td><td valign='top' align='right'>P.R</td></tr></table></td></tr></table></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>લોકસભાની ચૂંટણીમાં રાજસ્થાનમાં કોંગ્રેસનો એક એવો અનોખો કીર્તિમાન છે કે જે અન્ય કોઇ રાજ્યમાં જોવા મળ્યો નથી. 1984ની લોકસભાની ચૂંટણીમાં રાજસ્થાનની તમામ 25 બેઠકો ઉપર પોતાનો પંજો લગાવ્યો હતો. પરંતુ એના બાદ 1989માં થયેલી ચૂંટણીમાં કોંગ્રેસની તમામ 25 બેઠકો ઉપર સફાયો થયો હતો. આમાં નોંધનીય વાત તો એ છે કે, આ બંને વખતે રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર હતી અને મુખ્યમંત્રી તરીકે શિવચરણ માથુર હતા. </font>]]></content:encoded>
      <pubDate>Fri, 27 Mar 2009 14:39:38 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 20:21:25 +0530</updatedDate>
      <category><![CDATA[Election 09                                                                                         q]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
  </channel>
</rss>
