<?xml version="1.0" encoding="UTF-8"?>
<rss version="2.0" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:atom="http://www.w3.org/2005/Atom">
  <channel>
    <title><![CDATA[સ્વતંત્રતા પર્વ]]></title>
    <link>https://gujarati.webdunia.com/independence-day-09</link>
    <description><![CDATA[અંગ્રેજો સામે જંગ છેડ્યા બાદ ભારતને મળેલી આઝાદીની વધુ વિગતો જાણે સ્વતંત્રતા પર્વના આ વિશેષ પેજ પર....]]></description>
    <copyright>Copyright webdunia.com</copyright>
    <lastBuildDate>Tue, 09 Jun 2026 22:52:44 +0530</lastBuildDate>
    <language>en-us</language>
    <image>
      <title>સ્વતંત્રતા પર્વ</title>
      <url>https://gujarati.webdunia.com/independence-day-09</url>
      <link>https://gujarati.webdunia.com/independence-day-09</link>
    </image>
    <atom:link href="https://gujarati.webdunia.com/rss/independence-day-09-1021312.rss" rel="self" type="application/rss+xml"/>
    <item>
      <title><![CDATA[દેશને સારો બનાવવા સંઘર્ષ જરૂરી]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/independence-day-09/દેશને-સારો-બનાવવા-સંઘર્ષ-જરૂરી-109081400026_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/independence-day-09/દેશને-સારો-બનાવવા-સંઘર્ષ-જરૂરી-109081400026_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[આપણો દેશ દુનિયાનો સૌથી મોટો લોકતંત્ર દેશ છે અને તેને આઝાદીને 60 વર્ષ પૂર્ણ થયાં છે અને આપણે અત્યારે કેવું અનુભવી રહ્યાં છીએ? શું આપણે ખુશ છીએ કે દુ:ખી છીએ? આપણે નિરાશા અને દુ:ખોથી ભરેલા છીએ કે ગૌરવપૂર્ણ છીએ? વર્ષોથી ચાલ્યાં આવતાં આપણા પારંપારિક ...]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:11pt; color:#000000'></font><br/><!--Image--><p class="wdp_articleLImg"><p><img src='/gu/articles/0908/14/images/img1090814026_1_1.jpg' alt=''  HSPACE=4 VSPACE=4 border="0" class="wdp_img" /></p><p class="wdp_imgSrc"><p class="wdp_left"></p>N.D</p></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'>આપણો દેશ દુનિયાનો સૌથી મોટો લોકતંત્ર દેશ છે અને તેને આઝાદીને 60 વર્ષ પૂર્ણ થયાં છે અને આપણે અત્યારે કેવું અનુભવી રહ્યાં છીએ? શું આપણે ખુશ છીએ કે દુ:ખી છીએ? આપણે નિરાશા અને દુ:ખોથી ભરેલા છીએ કે ગૌરવપૂર્ણ છીએ? વર્ષોથી ચાલ્યાં આવતાં આપણા પારંપારિક તહેવાર હોળી, દિવાળી, ઈદ, ક્રિસમસ વગેરેને આપણે સામાજીક તહેવારના રૂપમાં વર્ષોથી ઉજવતાં આવી રહ્યાં છીએ અને લોકો આ તહેવારોના બહાને પોતાનું મન થોડુક હલ્કુ કરી લે છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/>15<font  style='font-size:11pt; color:#000000'>મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી પણ આપણા રાષ્ટ્રીય તહેવાર છે જે કદાચ હજું સુધી સામાજીકતા ગ્રહણ નથી કરી શક્યાં. એવું પણ બની શકે છે થોડાક દિવસો પછી તે પણ આપણા સમાજની ઔપચારિકતા બની જાય. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આપણે જોઈએ છીએ કે આપણા એક અરબ કરતાં પણ વધારે વસ્તી ધરાવતાં દેશમાં કેટલા લોકો આ તહેવારને પોતાના દિલથી ઉજવે છે? તેને બીજા તહેવારોની દ્રષ્ટિથી જ જુએ છે? તો માત્ર 20 ટકા લોકો જ છે જે આને પોતાના દિલથી અને શાનથી ઉજવે છે. નહિતર 80 ટકા લોકો તો.. બસ.. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આ તહેવાર આજે 60 વર્ષ પછી પણ લોકોના મગજનો એક જરૂરી ભાગ નથી બની શક્યાં. સમાજની વ્યવસ્થામાં બધી જ જગ્યાએ વ્યાપેલ ભ્રષ્ટાચાર અને રાજનીતિક વ્યક્તિઓની બેશર્મીના વિશે કંઈ કહેવાની જરૂરત નથી લાગતી. જે આનો ફાયદો ઉઠાવી શકે છે તેના ચહેરા પર હાસ્ય છે અને જે આના પીડિત છે તે ખોખલા થઈ ગયેલા છીએ. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>તમને એમ લાગતું હશે કે દેશને સારો બનાવવા માટે સંઘર્ષ કેમ કરવો પડે? તો દરેક સારી વસ્તુને પ્રાપ્ત કરવા માટે થોડોક સંઘર્ષ જેમ જરૂરી છે તેમ આપણે આપણા દેશને પણ સારો બનાવવા માટે દરેકે થોડોક સંઘર્ષ તો કરવો જરૂરી છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આપણા જનજીવનને સંચાલિત કરનાર રાજ્ય અને રાષ્ટ્રની વ્યવસ્થા છે. આપણે ન ઈચ્છતાં હોઈએ છતાં પણ કોર્ટ-કચેરીઓ, પોલીસ અને કાયદાના નિયમોને પ્રમાણે જીવવું પડે છે. આજે લોકો ભુખમરાને કારને આત્મહત્યાઓ કરી રહ્યાં છે, પોતાની જમીન વેચી રહ્યાં છે. પ્રચાર માધ્યમો દ્વારા આપણે જોઈએ છીએ કે દેશ કેટલી ઝડપથી પ્રગતિ કરી રહ્યો છે. આગામી થોડાક વર્ષોમાં આપણો દેશ એક મહાસત્તા તરીકે ઓળખાશે ? </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આપણી ચારો તરફ થોડીક નજર નાંખીશું તો ખબર પડશે કે દુનિયા કેટલી ઝડપથી બદલાઈ રહી છે. આંખનો પલકારો થાય ત્યાર સુધીમાં તો કશુક નવું બની જાય છે. ટેકનોલોજી કેટલી ઝડપથી વધી રહી છે. પહેલાં પીવાનું પાણી ભરવા માટે દૂર જવું પડતું હતું હવે તે ઘરે બેસીને મળી જાય છે અને ઘરે બેસીને પણ ન મળે તો દુકાનમાં પાણીના પાઉચ તો અવશ્ય મળી જશે. પરંતુ હા તેના માટે તમારૂ ખીસ્સુ ગરમ હોવું જરૂરી છે. અને જેનું ન હોય તેની તે જાણે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>અત્યારે શિક્ષણ પણ એક પ્રોફેશનલ વ્યવસાય બની ગયું છે જેમની પાસે પૈસા છે તે તેમના બાળકોને સારી સ્કુલમાં ભણાવી શકે છે અને જેમની પાસે નથી તેમના બાળકો હોશિયાર હોવા છતાં પણ પાછળ રહી જાય છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/> <font  style='font-size:11pt; color:#000000'>ભારત આટલું બધું આગળ વધવા છતાં પણ તેમાં બેકારોની સંખ્યા વધારે છે. બજાર આખુ વિલાસિતથી ભરેલું છે પરંતુ લોકોના ઘરોમાં ખાવાના ફાંફા પડે છે. ચર્ચામાં અપરાધ આગળ રહે છે. આજે આ બધું કે કઈ પણ થઈ રહ્યું છે તેની અંદર આપણે પણ ભાગીદાર છીએ. આપણા હકો પર જો આપણે યોગ્ય નથી થઈ શકતાં તો તે કોઈ બીજાના ખાતામાં જમા થાય છે. હવે દસ કરોડ લોકોની જવાબદારી ફક્ત 10 કે 20 લાખ ચતુર અને ચાલાક લોકોના ખોળામાં અટકેલી છે. </font><br/><font  style='font-size:12pt; color:#000000'></font><br/><!--Image--><p class="wdp_articleRImg"><p><img src='/gu/articles/0908/14/images/img1090814026_1_2.jpg' alt=''  HSPACE=4 VSPACE=4 border="0" class="wdp_img" /></p><p class="wdp_imgSrc"><p class="wdp_left"></p>N.D</p></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'>જ્યારે આપણે પ્રજાસત્તાક દિવસ પર ત્રિરંગો લહેરાવીએ છીએ ત્યારે આપણને આ ત્રિરંગા માટે પોતાની શહીદી આપનાર શહીદોની પણ યાદ આવવી જોઈએ. દિલ્હીના લાલ કિલ્લા પર લહેરાતો ઝંડો, આપણી પંચાયત કે નગરપાલિકાના કાર્યાલય પર લહેરાતા ઝંડાથી કઈ અલગ નથી. આ જ આપણું રાજ્ય અને દેશ છે જેને વેચવાના પ્રયત્નો ચાલી રહ્યાં છે. થોડુક આપણે વિચારીએ કે આની અંદર આપણે તો ક્યાય ભાગીદાર નથી ને. જો આપણે આને એક પ્રતિકના રૂપમાં લઈએ તો આપણે રાષ્ટ્રના એક સારા એવા સિપાહી બની શકીએ છીએ. જેને ફક્ત પોતાના રાષ્ટ્ર માટે, તેની ખુશી માટે, અને એક સારો સમાજ બનાવવા માટે જ લડવાનું છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આજે આપણે જે કંઈ પણ છીએ , ગમે તે પદ પર છીએ, એક નાગરીકની રીતે કામ કરી રહ્યાં છીએ અને આપણે જો આપણી મુશ્કેલીઓને કારણે હેરાન રહીશું તો માનસિક ચર્ચાઓથી ઘેરાયેલા રહીશું અને જો આપણે સંઘર્ષ કરીશું તો એક મહાન ભારત બનાવી શકીશું.  </font><br/> </font>]]></content:encoded>
      <pubDate>Fri, 14 Aug 2009 17:40:44 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 20:47:00 +0530</updatedDate>
      <category><![CDATA[independence day  09]]></category>
      <authorname>પારૂલ ચૌધરી</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[ગાંધી અને ગાંધીગીરી]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/independence-day-09/ગાંધી-અને-ગાંધીગીરી-109081400025_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/independence-day-09/ગાંધી-અને-ગાંધીગીરી-109081400025_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[ગાંધીજીને ભલે આજે લોકો ભૂલી રહ્યા હોય પરંતુ તેમના વિચારો આજે મોટાભાગના લોકોને ગમે છે. તેમના આદર્શો, તેમની વાતોને પોતાના જીવનમાં અપનાવવી એ સરળ વાત નથી. ગાંધી કે વ્યક્તિ નથી વિચાર છે. એ વ્યક્તિ જેના વિશે કહેવાય છે કે તેઓ પૂર્ણત: ક્રાતિકારી હતા અને ...]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:11pt; color:#000000'></font><br/><!--Image--><p class="wdp_articleLImg"><p><img src='/gu/articles/0908/14/images/img1090814025_1_1.jpg' alt=''  HSPACE=4 VSPACE=4 border="0" class="wdp_img" /></p><p class="wdp_imgSrc"><p class="wdp_left"></p>N.D</p></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'>ગાંધીજીને ભલે આજે લોકો ભૂલી રહ્યા હોય પરંતુ તેમના વિચારો આજે મોટાભાગના લોકોને ગમે છે. તેમના આદર્શો, તેમની વાતોને પોતાના જીવનમાં અપનાવવી એ સરળ વાત નથી. ગાંધી કે વ્યક્તિ નથી વિચાર છે. એ વ્યક્તિ જેના વિશે કહેવાય છે કે તેઓ પૂર્ણત: ક્રાતિકારી હતા અને જેમણે આઝાદીની લડાઈ લડવાની એક કઠણ શૈલી શોધી હતી, જેની મૌલિકતાની આખી દુનિયામાં કોઈ મિસાલ નથી. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ગાંધીજીના પથ પર ચાલવાથી જીવનમાં મૂલ્યો સ્થાપિત થાય છે, પરંતુ તેમના પથ પર ચાલવુ સરળ નથી. આપણે બધાએ 'લગે રહો મુન્નાભાઈ' જોવી ગમી. તેમા સંજય દત્તે અપનાવેલો રસ્તો પણ ગમ્યો, પરંતુ શુ આજે આપણામાંથી કોઈનામાં એ માર્ગ અપનાવવાની હિમંત છે. આજે તો મુખ્ય વાત એ કે કોઈપણ વ્યક્તિને પ્રેમથી બોલતા નથી આવડતુ. કાંઈ પણ કહેવુ હોય તો ગુસ્સાથી જ કહેશે. એકવાર, બે વાર પછી જો સામેવાળી વ્યક્તિએ વાત ન સાંભળી તો હિંસા પર ઉતારુ થઈ જશે. આવા મગજના લોકો શુ કદી ગાંધીના પથ પર ચાલી શકે ખરા ? ગાંધીજી જો આવા મગજના હોત તો અંગ્રેજો સહી સલામત પાછા ફરી શકત નહી. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>સાચુ કહો તો ગાંધીજી ભારતીયતાના પ્રતિક હતા, કારણ કે તેમણે સામાન્ય માણસની આત્મનિર્ભરતા, સરળતા, નૈતિકતા, કર્તવ્યનિષ્ઠા, સાદગી અને સહજતાને પોતાના જીવનમાં ઉતારવાની કોશિશ કરી હતી, પરંતુ તેને કોઈના પર આદર્શ બનાવીને થોપવાનો કદી પ્રયત્ન નહોતો કર્યો. આ વાતને ગાંધીજીએ એક વ્યક્તિથી ઉપર ઉઠીને એક વિચાર બનાવી દીધો. તેથી જ તો ભલે તેઓ આજે આપણી વચ્ચે હાજર નથી, પરંતુ તેમના વિચાર આજે પણ કાયમ છે. </font><br/><font  style='font-size:12pt; color:#000000'></font><br/><!--Image--><p class="wdp_articleRImg"><p><img src='/gu/articles/0908/14/images/img1090814025_1_2.jpg' alt=''  HSPACE=4 VSPACE=4 border="0" class="wdp_img" /></p><p class="wdp_imgSrc"><p class="wdp_left"></p>IFM</p></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'>આપણે જ્યારે પણ એતિહાસિક દ્રષ્ટિએ કોઈ વ્યક્તિના વિશે વાત કરીએ છીએ તો એ વ્યક્તિના જીવનકાળની પરિસ્થિતિઓનુ ભાન હોવુ ખૂબ જ જરૂરી છે. આજે આઝાદીના છ દસકા બાદ પણ શહેરોમાં ચમક દમક વધી ગઈ છે પરંતુ અપરાધોમાં થનારો વધારો, સમાજમાં ફેલાતો અસંતોષ, સતત થઈ રહેલી આતંકવાદની ઘટનાઓ, તૂટી રહેલા સામાજિક મૂલ્યો અને સતત નૈતિક પતનની આ પ્રક્રિયામાં ફરીથી આપણે ગાંધીજી તરફ જ જોવુ પડશે. તેમના વિચારોને અપનાવવા પડશે, કારણ કે આજનો ભૌતિકવાદી યુગ, ગાધીગીરી યુગ જ છે, પરંતુ જરૂર છે ફક્ત ગાંધીજીએ બતાવેલ માર્ગ પર ચાલવાની. </font><br/> <font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>લગે રહો મુન્નાભાઈમાં પણ ગાંધીજીના આદર્શને સામાન્ય માણસની જીંદગીમાં ઉતારવામાં આવ્યા છે તેને આદર્શ બનાવીને થોપવામાં નથી આવ્યા. જો તમે પણ તેમના વિચારોને પોતાના જીવનમાં ઉતારીશુ તો તમારી સમસ્યાઓનુ સમાધાન સરળતાથી મળી શકશે. </font>]]></content:encoded>
      <pubDate>Fri, 14 Aug 2009 17:39:54 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 20:47:00 +0530</updatedDate>
      <category><![CDATA[independence day  09]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[ભારતવાસી હોવાનુ ગૌરવ કરીએ]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/independence-day-09/ભારતવાસી-હોવાનુ-ગૌરવ-કરીએ-109081200036_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/independence-day-09/ભારતવાસી-હોવાનુ-ગૌરવ-કરીએ-109081200036_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[શીદ ભારતવાસી કહેવાતા શરમ કરીએ
જેવો છે એવો દેશ છે આપણો કેમ ન ગર્વ કરીએ
આવો ભારતવાસી હોવાનુ ગૌરવ કરીએ]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:11pt; color:#000000'></font><br/><!--Image--><p class="wdp_articleLImg"><p><img src='/gu/articles/0908/12/images/img1090812036_1_1.jpg' alt=''  HSPACE=4 VSPACE=4 border="0" class="wdp_img" /></p><p class="wdp_imgSrc"><p class="wdp_left"></p>N.D</p></p><!--endImage--> <!--Image--><p class="wdp_articleRImg"><p><img src='/gu/articles/0908/12/images/img1090812036_1_2.jpg' alt=''  HSPACE=4 VSPACE=4 border="0" class="wdp_img" /></p><p class="wdp_imgSrc"><p class="wdp_left"></p>N.D</p></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>શીદ ભારતવાસી કહેવાતા શરમ કરીએ</font><br/><font  style='font-size:11pt; color:#000000'>જેવો છે એવ</font><font style='font-size:11pt;'>ો, </font><font style='font-size:11pt;'>દેશ છે આપણો કેમ ન ગર્વ કરીએ</font><br/><font  style='font-size:11pt; color:#000000'>આવો ભારતવાસી હોવાનુ ગૌરવ કરીએ </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ક્યા મળશે તમને આટલો પ્રેમ એનો વિચાર કરીએ</font><br/><font  style='font-size:11pt; color:#000000'>પોતાની ધરતી માટે વહાવ્યુ લોહી તેમને નમન કરીએ</font><br/><font  style='font-size:11pt; color:#000000'>આવો ભારતવાસી હોવાનુ ગૌરવ કરીએ </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>જ્યા નારી પૂજાય છે દેવીના રૂપે તેને વંદન કરીએ </font><br/><font  style='font-size:11pt; color:#000000'>નહી મળે આવી સંસ્કૃતિ, આના સંસ્કારો માથે ધરીએ</font><br/><font  style='font-size:11pt; color:#000000'>ભારતવાસી હોવાનુ આવો ગૌરવ કરીએ </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>કોઈ કહે આપણા દેશ વિશે ખરાબ તો કેમ નરમ રહીએ</font><br/><font  style='font-size:11pt; color:#000000'>દેશ-પ્રેમની તાકત બતાવી તેમનુ મસ્તક ઝુકાવીએ</font><br/><font  style='font-size:11pt; color:#000000'>આવો ભારતવાસી હોવાનુ ગૌરવ કરીએ </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>જ્યાં રામ-રહીમ વસે છે, જ્યાં નાનક-જીજસના બંદા હસે છે</font><br/><font  style='font-size:11pt; color:#000000'>તે પાવન ધરતીને શીશ ઝુકાવી વંદન કરીએ</font><br/><font  style='font-size:11pt; color:#000000'>આવ</font><font style='font-size:11pt;'>ો </font><font style='font-size:11pt;'>ભારતવાસ</font><font style='font-size:11pt;'>ી </font><font style='font-size:11pt;'>હોવાન</font><font style='font-size:11pt;'>ુ </font><font style='font-size:11pt;'>ગૌર</font><font style='font-size:11pt;'>વ </font><font style='font-size:11pt;'>કરી</font><font style='font-size:11pt;'>એ </font><font style='font-size:11pt;'></font><br/></font>]]></content:encoded>
      <pubDate>Wed, 12 Aug 2009 17:21:29 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 20:47:00 +0530</updatedDate>
      <category><![CDATA[independence day  09]]></category>
      <authorname>કલ્યાણી દેશમુખ</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[સ્વતંત્રતા પછી આપણે શુ મેળવ્યુ ? શુ ગુમાવ્યુ ?]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/independence-day-09/સ્વતંત્રતા-પછી-આપણે-શુ-મેળવ્યુ-શુ-ગુમાવ્યુ-109081200035_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/independence-day-09/સ્વતંત્રતા-પછી-આપણે-શુ-મેળવ્યુ-શુ-ગુમાવ્યુ-109081200035_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[નાનો મોટો વ્યવસાય શરૂ કર્યા બાદ કેટલા સમય સુધી કોઇ તેની બેલેન્સ શીટ ના તપાસે? એક મહિનો, બે મહિના, ત્રણ મહિના...વધુમાં વધુ એક વર્ષ....બે વરસ...પછી શુ? ગમે તેવો બિઝનેશમેન પણ પોતાની બેલેન્સશીટ તપાસવા બેસી જ જાય. અને આટલા સમયમાં શુ મેળવ્યું એના આંકડા ...]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:11pt; color:#000000'></font><br/><!--Image--><p class="wdp_articleLImg"><p><img src='/gu/articles/0908/12/images/img1090812035_1_1.jpg' alt=''  HSPACE=4 VSPACE=4 border="0" class="wdp_img" /></p><p class="wdp_imgSrc"><p class="wdp_left"></p>N.D</p></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'>નાનો મોટો વ્યવસાય શરૂ કર્યા બાદ કેટલા સમય સુધી કોઇ તેની બેલેન્સ શીટ ના તપાસે? એક મહિનો, બે મહિના, ત્રણ મહિના...વધુમાં વધુ એક વર્ષ....બે વરસ...પછી શુ? ગમે તેવો બિઝનેશમેન પણ પોતાની બેલેન્સશીટ તપાસવા બેસી જ જાય. અને આટલા સમયમાં શુ મેળવ્યું એના આંકડા લગાવે.આપણા સૌની પણ આવી જ એક ફરજ છે. જે આપણે સૌ અકબરી લોટાની જેમ વિસરી ગયા હોય તેમ લાગે છે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ભારતરૂપી દુનિયાના સૌથી મોટા લોકતંત્રની આજે આપણે સૌ દેશવાસીઓ 61મી સ્વતંત્રતાની વર્ષગાંઠ ઉજવવા જઇ રહ્યા છીએ ત્યારે આઝાદીના છ-છ દાયકા સુધી આપણે શુ મેળવ્યું, શુ ગુમાવ્યું? એ જોવાની આપણી નૈતિક ફરજ નથી?</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આજે આપણે ખુલી હવામાં શ્વાસ લઇ રહ્યા છીએ તો એ અસંખ્ય શહીદો અને સ્વતંત્રતા સંગ્રામના નરબંકાઓની બલિદાનને આભારી છે. તેઓએ આઝાદીના બીજ રોપ્યાઅને પોતાના લોહીથી તેનું સિંચન કર્યું હતું. જે બીજ આજે આઝાદીના 61 વર્ષોમાં વિશાળ વટવૃક્ષનું રૂપ લઇ ચુક્યું છે અને આપણે તેના મીઠા ફળ ચાખી રહ્યા છીએ. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આઝાદીના આ વર્ષોમાં હિન્દુસ્તાને તમામ ક્ષેત્રોમાં વિકાસ કર્યો છે. વિજ્ઞાન હોય કે પછી કૃર્ષિ, સાહિત્ય હોય કે ખેલ, તાજેતરમાં ઓલિમ્પિક ખેલમાં પણ અભિનવ બિન્દ્રાએ ઇતિહાસ રચી સુવર્ણ ચંદ્રક મેળવી દેશને ગૌરવ અપાવ્યું છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આજે ઘણા ખરા ક્ષેત્રોમાં દેશનો તિરંગો લહેરાઇ રહ્યો છે ત્યારે આ બધાની વચ્ચે આપણે ઘણું બધુ ગુમાવ્યું પણ છે. સમાનતાવાદી દ્રષ્ટિકોણ, નૈતિક મૂલ્યો, ધાર્મિક સહિષ્ણુતા, પરસ્પરનો પ્રેમ અને ભાઇચારો સહિત ઘણું બધુ. આમાંથી કેટલીક એવી બાબતો છે કે જે મુદ્દે જો હમણાં નહીં વિચારીએ તો કદાચ આપણે ઘણું બધુ ગુમાવી બેસીશું.....જેમ કે....</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>અંગ્રેજોની ગુલામીમાંથી છુટેલા આપણે ધીમે ધીમે અંગ્રેજીના ગુલામ બની રહ્યા છીએ, બાળકોને અંગ્રેજી શિક્ષણ અપાવવાનો મોહ આપણી માતૃભાષા અને રાષ્ટ્ર ભાષાને પતાવી દેશે. આપણે જાગીશુ ત્યારે કદાચ ઘણું મોડુ થઇ ચુંક્યુ હોય તો નવાઇ નહીં, કારણ કે આજે આપણી આંખો આગળ માત્ર એ.બી.સી.ડી જ દેખાય છે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>અંગ્રેજી અફસરોની ચુંગાલમાંથી છુટેલા આપણે આઝાદીના છ દાયકા બાદ પણ ગુલામી વેઠી રહ્યા છીએ. એ ગુલામી પછી ગંદા રાજકારણની હોય કે પછી ગંદા સમાજની હોય. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>કેટલાક કટ્ટરપંથીઓના રવાડે ચડી આપણે આપણા જ ઘરને અંદરથી સળગાવી રહ્યા છીએ. તેની ઉપર પથ્થરમારો કરી રહ્યા છીએ. બોમ્બ ફોડી રહ્યા છીએ. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ચંદ રૂપિયાની લાલચ કે પછી ભૂતકાળની કોઇ ઘટનાનો બદલો વાળવાની આપણી માનસિકતાને પગલે આપણે આંતકીઓના હાથા બની દેશદ્રોહ તરફ વળ્યા છીએ. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>બોલીવુડ, હોલીવુડ કે પછી પશ્વિમિ ફેશનના નામે આપણે નગ્નતાને અપનાવી રહ્યા છીએ, જાણતા અજાણતા આપણે ઘરની આબરૂને આપણે બજારમાં લઇ જઇ રહ્યા છીએ. પોપ મ્યુઝિકના નામે આપણી દિકરીઓ ક્યાંય ખોટા હાથોમાં તો નથી સરકી રહીને? </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આ બધી બાબતો તપાસવાનો કે એના ઉપર વિચાર કરવાનો સમય પાકી ગયો હોય એવું નથી લાગતું? </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આપણા વડવાઓએ લોહી સિંચી આપેલી આઝાદીને આમ વેડફી દેવી યોગ્ય ગણાશે? શુ આવતી પેઢીને સંસ્કાર વગરની અને અંદરથી ખોખલી કરી કોઇની ગુલામ બનાવવી છે? ના. તો કોની રાહ જોઇ રહ્યા છો? </font><br/><font  style='font-size:12pt; color:#000000'></font><br/><!--Image--><p class="wdp_articleRImg"><p><img src='/gu/articles/0908/12/images/img1090812035_1_2.jpg' alt=''  HSPACE=4 VSPACE=4 border="0" class="wdp_img" /></p><p class="wdp_imgSrc"><p class="wdp_left"></p>N.D</p></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'>આ બધી સમસ્યાઓ વચ્ચેથી દેશને કેવી રીતે વિકાસના પંથે, શાંતિના માર્ગે આગળ લાવી શકાય. આઝાદ ભારતની 61મી વર્ષગાંઠે આપ શુ વિચારો છો? આ વર્ષોંમાં આપણે શુ મેળવ્યું અને શુ ગુમાવ્યુ? </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>વિચાર કરો. બેસો કોમ્પ્યુટર સામે અને પ્રગટ કરો તમારા વિચારો, જો આ વિચારોમાંથી કોઇને નવી દિશા મળશે તો રાષ્ટ્રોત્સવની સાચી ઉજવણી કરી લેખાશે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>વેબદુનિયાના તમામ વાંચકોને સ્વતંત્રતા દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. </font>]]></content:encoded>
      <pubDate>Wed, 12 Aug 2009 17:21:09 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 20:47:00 +0530</updatedDate>
      <category><![CDATA[independence day  09]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[શુ આપણે ખરેખર સ્વતંત્ર છીએ ?]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/independence-day-09/શુ-આપણે-ખરેખર-સ્વતંત્ર-છીએ-109081200034_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/independence-day-09/શુ-આપણે-ખરેખર-સ્વતંત્ર-છીએ-109081200034_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[આજની આપણા દેશની પરિસ્થિતિ જોઈને પ્રશ્ન થાય છે કે શુ આપણે ખરેખર સ્વતંત્ર છીએ ? આપણે આજે પણ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે નેતાઓના, ઓફિસરોના કે કેટલાક અસામાજીક તત્વોના ગુલામ છીએ.  આ ગુલામી આપણે જાતે જ સ્વીકારી લીધી છે. આ ગુલામી આપણે તેમને ખુશ કરીને આપણુ ભલુ ...]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:11pt; color:#000000'></font><br/><!--Image--><p class="wdp_articleLImg"><p><img src='/gu/articles/0908/12/images/img1090812034_1_1.jpg' alt=''  HSPACE=4 VSPACE=4 border="0" class="wdp_img" /></p><p class="wdp_imgSrc"><p class="wdp_left"></p>N.D</p></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'>આજની આપણા દેશની પરિસ્થિતિ જોઈને પ્રશ્ન થાય છે કે શુ આપણે ખરેખર સ્વતંત્ર છીએ ? આપણે આજે પણ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે નેતાઓના, ઓફિસરોના કે કેટલાક અસામાજીક તત્વોના ગુલામ છીએ.  આ ગુલામી આપણે જાતે જ સ્વીકારી લીધી છે. આ ગુલામી આપણે તેમને ખુશ કરીને આપણુ ભલુ કરવાના આશયથી કરીએ છીએ અથવા તો સામનો કરવાની હિમંત ન હોવાથી ડરના ભય હેઠળ કરીએ છીએ. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>તો કહો કે શુ આપણે આઝાદ છીએ ? નહી, આપણુ ભારતવર્ષ એ ભારત નથી, જેને માટે આપણે સ્વતંત્રતાની લડાઈ લડી હતી. આ તો 2 જૂન 1947ના રોજ પસાર થયેલો એક પ્રસ્તાવ જ છે. લોર્ડ માઉંટ બેટનના વાયસરોય હાઉસમાં આપવામાં આવેલા નિર્ણયને આજે પણ આપણે માનીએ છીએ. સરદાર પટેલે ગાઁઘીજીને લખ્યુ હતુ કે તમને ભાગલા અંગે સમજાવવુ સરળ નથી. જવાબમાં ગાઁઘીજીએ કહ્યુ હતુ કે - કોંગ્રેસ માત્ર થોડાક નેતાઓની નથી. અર્થાત સ્વતંત્રતાના સપનાઓની સાથે ઉત્પન્ન નેતાઓના વિચારોનો વિરોધાભાસ આજના નેતાઓમાં નીચલા સ્તર સુધી પહોંચી ગયો છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/>15 <font  style='font-size:11pt; color:#000000'>ઓગસ્ટ 1947ના રોજ અમારા રાષ્ટ્ર નિર્માતોએ જે વિચાર્યુ હતુ તે તો ખબર નહી. પણ કદાચ આ તેમના સપનાનુ ભારત નથી. જ્યારે એક ખેડૂત કોઈ મહાજન પાસેથી પોતાની જમીન પાછી લઈ લે તો તે ખુશ થાય છે, પણ તે એ નથી જાણતો કે તેના પુત્રો એ જ જમીન માટે પરસ્પર લડશે. આપણા ક્રાંતીવીરો એ જ ખેડૂત છે અને આજના નેતાઓ અને નોકરશાહ તેમના પુત્રો. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આજે ત્યારે અફસોસ થાય છે જ્યારે આપણા નેતા આઝાદી પહેલાની પ્રશાસનિક વ્યવસ્થાને આજથી ઉત્તમ બતાવે છે. કદાચ ગુલામ ભારતમાં અધિકારી પોતાના કર્તવ્ય પ્રત્યે વધુ ઈમાનદાર હતા. આજે તો ક્લર્કથી લઈને અધિકારી સુધી ભ્રષ્ટાચાર ફેલાયેલો છે અને પ્રતિભાઓનુ દબાવવા ભાઈલાઓ રાજનેતા બની ગલીઓમાં ફરી રહ્યા છે. આમને હટાવવા હવે કોઈ મહાત્મા નહી આવે, કારણકે તેમને રોકવા માટે હજારો હાથ પહેલાથી જ હાજર છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'><b>આપણે આજે પણ ગુલામ છે થોડાક નેતાઓના.. </b></font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'><b>થોડાક ઓફિસરો અને તેમના ચમચાઓના...</b></font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'><b>શુ આવી સ્વતંત્રતાનો ઉત્સવ ઉજવવો જોઈએ ખરો ? </b></font>]]></content:encoded>
      <pubDate>Wed, 12 Aug 2009 17:20:38 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 20:47:00 +0530</updatedDate>
      <category><![CDATA[independence day  09]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[રાષ્ટ્રપ્રેમનો સંકલ્પ લઈએ]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/independence-day-09/રાષ્ટ્રપ્રેમનો-સંકલ્પ-લઈએ-109081200033_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/independence-day-09/રાષ્ટ્રપ્રેમનો-સંકલ્પ-લઈએ-109081200033_1.htm</guid>
      <media:thumbnail url="http:"/>
      <image>http:</image>
      <description><![CDATA[એમા કોઈ શંકા નથી કે સ્વાધીનતાના 62 વર્ષ પછી પણ આ આપણુ દુર્ભાગ્ય છે કે આજે પણ ભારતમાં રાષ્ટ્ર શુ છે, તેની પરિકલ્પના શુ છે, તે એક દિશા વગરની ચર્ચા બની ચૂકી છે. જ્યારે એક દેશ કેવી રીતે બને છે, તેને કોણ બનાવે છે. એ દેશ શબ્દમાં જ સુસ્પષ્ટ છે, સુપરિભાષિત ...]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:11pt; color:#000000'></font><br/><!--Image--><p class="wdp_articleLImg"><p><img src='/gu/articles/0908/12/images/img1090812033_1_1.jpg' alt=''  HSPACE=4 VSPACE=4 border="0" class="wdp_img" /></p><p class="wdp_imgSrc"><p class="wdp_left"></p>N.D</p></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'>એમા કોઈ શંકા નથી કે સ્વાધીનતાના 62 વર્ષ પછી આજે પણ ભારતમાં રાષ્ટ્ર શુ છે, તેની પરિકલ્પના શુ છે, તે એક દિશા વગરની ચર્ચા બની ચૂકી છે. જ્યારે એક દેશ કેવી રીતે બને છે, તેને કોણ બનાવે છે. એ દેશ શબ્દમાં જ સુસ્પષ્ટ છે, સુપરિભાષિત છે દેશને સમજવો હોય તો સર્વપ્રથમ તેની એકતાને સમજવી યોગ્ય રહેશે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આ એકતા છે ઘર કે પરિવાર કેવી રીતે બને છે ? જવાબ છે ઘર કે પરિવારને માટે જોઈએ એક નિશ્ચિત ચાર દિવાલથી ઘેરાયેલ ભૂ-ભાગ. પછી તે ઘરમાં રહેનારા પરિવાર વચ્ચે રાગાત્મક અને આત્મીય સંબંધ, તે ઘર-પરિવારની પોતાની પરંપરાઓ, સંસ્કાર અને સંસ્કૃતિ અને સમાન મિત્ર અને સમાન શત્રુ. આ લક્ષણ જો એક ઘર કે પરિવારમાં છે, તો આપણે તેને એક આદર્શ પરિવાર  કે આદર્શ ઘર કહીએ છીએ. બિલકુલ આ જ હકીકત કે લક્ષણ દેશ પર લાગૂ થાય છે. કારણ દેશ કોઈ માત્ર જમીનનો ટુકડો જ નથી. ભારતમાં રાષ્ટ્રની પરિકલ્પના એક અત્યંત પ્રાચીન પરિકલ્પના છે. ગંગોત્રીથી પાણી લઈને રામેશ્વરમ પર અભિષેક કરવો અને ચારો ધામની યાત્રા કરવાના સંસ્કાર આ સેતુ હિમાચલ દેશને એક સૂત્રમાં બાઁધવાની જ પરિકલ્પના છે. આ કહેવુ ખોટું હશે કે સ્વાધીનતા પછી કે અંગ્રેજોની દેનથી ભારત એક રાષ્ટ્રના રૂપમાં સ્થાપિત થયો. આ ઈતિહાસના પ્રત્યે આપણી અજ્ઞાનતાનુ વિસ્મરણનુ સૂચક છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>દેશ બને છે તેની સંસ્કૃતિથી, તેની પરંપરાઓથી, ત્યાંના રહેવાસીઓના મનમાં દેશ પ્રત્યે નિશ્ચિત ખુમારીથી. તેથી વિવિધ સંસ્કૃતિઓનો સમાવેશ કરનારો અમેરિકા દેશ પણ નાગરિકતા આપતા પહેલા પોતાના નિવાસીઓને એક લેખિત પરીક્ષામાં રાષ્ટ્રપ્રેમ સંબંધી સવાલો પૂછે છે. અમેરિકાના પૂર્વજો પ્રત્યે, અમેરિકાને સ્થાપિત કરનારાઓ વિશે.  તમારા વિચારો જો રાગાત્મક હોય તો જ અમેરિકામાં તમારે માટે સ્થાન છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આ આપણા માટે દુર્ભાગ્યની વાત છે કે સ્વતંત્રતાના છ દશકા પછી પણ ભારત આજે ઈંડિયા છે. સંજ્ઞાનુ ભાષાંતર, નામનુ ભાષાંતર એક દુર્ભાગ્યપૂર્ણ દુ:ખદાયક ઉદાહરણ છે. જેના કારણે 1929માં રાવીના તટ પર આઝાદીનો સંકલ્પ લીધા પછી 1947માં રાવી આપણી પાસે નથી. કાશ્મીર સળગી રહ્યુ છે. પૂર્વાચલમાં મિશનરી તાકતો ફૂલી ફાલી રહી છે. પંજાબ-હરિયાણાની વચ્ચે પાણીમાં આગ છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આ પરિદ્રશ્ય બદલવું આજે સમયની પહેલી માંગ છે. જેને માટે જરૂરી છે કે રાષ્ટ્રીય પ્રેમથીથી ઓતપ્રોત તાકતો એકત્ર થાય, સ્વાર્થીઓને દૂર કરો અને એક સમૃધ્ધશાળી ભારતની રચના કરો, જેનુ એમાં સામર્થ્ય  છે. આવો આ સ્વતંત્રતા દિવસ પર આપણે આ જ શુભકામના આ જ સંકલ્પ કરીએ. </font>]]></content:encoded>
      <pubDate>Wed, 12 Aug 2009 17:20:09 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 20:47:00 +0530</updatedDate>
      <category><![CDATA[independence day  09]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
  </channel>
</rss>
