<?xml version="1.0" encoding="UTF-8"?>
<rss version="2.0" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:media="http://search.yahoo.com/mrss/" xmlns:atom="http://www.w3.org/2005/Atom">
  <channel>
    <title><![CDATA[શીખ તહેવારો]]></title>
    <link>https://gujarati.webdunia.com/sikh-festivals</link>
    <description><![CDATA[વાંચો શીખ ધર્મ વિશે બધી જ માહિતી, તેમના કાયદા કાનુન, શીખ ધર્મના ગુરૂ, શીખ ધર્મ, શીખ તહેવારો વિશે ઘણી માહીતી અહીં આપેલી છે]]></description>
    <copyright>Copyright webdunia.com</copyright>
    <lastBuildDate>Thu, 18 Jun 2026 14:00:31 +0530</lastBuildDate>
    <language>en-us</language>
    <image>
      <title>શીખ તહેવારો</title>
      <url>https://gujarati.webdunia.com/sikh-festivals</url>
      <link>https://gujarati.webdunia.com/sikh-festivals</link>
    </image>
    <atom:link href="https://gujarati.webdunia.com/rss/sikh-festivals-1040205.rss" rel="self" type="application/rss+xml"/>
    <item>
      <title><![CDATA[Gurudwara Nanak Piao - ગુરુનાનક એ અહીં ખારા પાણીને મોરું પાણીમાં ફેરવવાનો ચમત્કાર]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/sikh-festivals/guru-nanak-piao-121111800004_1.html</link>
      <guid>https://gujarati.webdunia.com/article/sikh-festivals/guru-nanak-piao-121111800004_1.html</guid>
      <media:thumbnail url="https://nonprod-media.webdunia.com/public_html/_media/gu/img/article/2021-11/18/thumb/1_1/1637201143-8337.jpeg"/>
      <image>https://nonprod-media.webdunia.com/public_html/_media/gu/img/article/2021-11/18/thumb/1_1/1637201143-8337.jpeg</image>
      <description><![CDATA[Gurudwara Nanak Piao - ગુરુનાનક એ અહીં ખારા પાણીને મોરું પાણીમાં ફેરવવાનો ચમત્કાર]]></description>
      <content:encoded><![CDATA[<p>
	<p style="float: left;width:100%;text-align:center;">
		<img align="center" alt="" class="imgCont" height="592" src="https://nonprod-media.webdunia.com/public_html/_media/gu/img/article/2021-11/18/full/1637201143-8337.jpeg" style="border: 1px solid #DDD; margin-right: 0px; float: none; z-index: 0;" title="" width="740" /></p>
</p>
<p>
	Guru Nanak- કાર્તિક પૂર્ણિમાનો પવિત્ર તહેવાર માત્ર હિન્દુઓ માટે જ નહીં પરંતુ શીખો માટે પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે આ દિવસે શીખોના પ્રથમ ગુરુ નાનકનો જન્મ થયો હતો. શીખ ધર્મના અનુયાયીઓ ગુરુના પ્રકાશ પર્વની મહિનાઓ અગાઉથી તૈયારીઓ શરૂ કરી દે છે. ગુરુ નાનક જયંતિના પવિત્ર તહેવાર પર દેશના વિવિધ ગુરુદ્વારાઓમાં દિવસભર પ્રભાતફેરી અને શબદ-કીર્તન વગેરેનું આયોજન કરવામાં આવે છે. દેશના વિવિધ ગુરુદ્વારાઓમાં દિલ્હીના નાનક પ્યા ગુરુદ્વારાનું ઘણું મહત્વ છે, કારણ કે લગભગ પાંચ દાયકા પહેલા ગુરુ નાનકજી આ સ્થાન પર આવીને રોકાયા હતા. ચાલો જાણીએ આ પ્રખ્યાત ગુરુદ્વારાનો ધાર્મિક ઈતિહાસ અને મહત્વ.</p>
<p>
	 </p>
<p>
	દેશની રાજધાની દિલ્હીનું પ્રથમ ગુરુદ્વારા</p>
<p>
	દેશના દરેક ગુરુદ્વારા પોતાનામાં ખાસ છે, પરંતુ આજે અમે તમને એવા ગુરુદ્વારા વિશે જણાવીશું જેની સ્થાપના પોતે ગુરુ નાનક સાહેબે કરી હતી. એવું માનવામાં આવે છે કે જ્યારે શીખોના પ્રથમ ગુરુ નાનક 1505 માં પહેલીવાર દિલ્હી આવ્યા ત્યારે તેમણે આ ગુરુદ્વારાની સ્થાપના કરી હતી. આ જ કારણ છે કે આ પ્રખ્યાત ગુરુદ્વારા શીખ સમુદાય માટે ઘણું મહત્વ ધરાવે છે. એવું માનવામાં આવે છે કે &#39;નાનક પ્યાઉ ગુરુદ્વારા&#39; દેશની રાજધાની દિલ્હીનું પ્રથમ ગુરુદ્વારા છે.</p>
<p>
	 </p>
<p>
	આ ગુરુદ્વારાને શા માટે કહે છે નાનક પરબ </p>
<p>
	જો તમે વિચારી રહ્યા છો કે આખરે ગુરૂ નાનકજીથી સંકળાયેલા આ  આ ગુરુદ્વારાને આખરે નાનક પરબ ગુરુદ્વારા કેમ કહેવામાં આવે છે. જો ગુરુ નાનક જીના નામ સાથે પરબ જોડવાની શું જરૂર હતી, તો જાણી લો તેની પાછળ પણ એક ચમત્કારિક ઘટના જોડાયેલ છે. વાસ્તવમાં, જ્યારે ગુરુ નાનકજી પહેલીવાર દિલ્હી આવ્યા હતા, ત્યારે તેઓ આ સ્થાન પર રોકાયા હતા. કહેવાય છે કે તે સમયે અહીં રહેતા લોકોને પીવાનું પાણી નસીબ નહોતું કારણ કે અહીં જમીનમાંથી ખારું પાણી નીકળતું હતું. જેના કારણે અહીંના લોકો ખૂબ જ પરેશાન રહેતા હતા અને ઘણીવાર બીમાર રહેતા હતા. જ્યારે ગુરુ નાનકજી અહીં પહોંચ્યા તો લોકોએ તેમને આ સમસ્યા જણાવી. આ પછી ગુરુ નાનકજીએ તેમની દિવ્ય દ્રષ્ટિથી લોકોને એક જગ્યાએ કૂવો ખોદવાનું કહ્યું. આ પછી, ગુરુના ચમત્કારથી, ત્યાં મીઠુ પાણી આવ્યું અને લોકોને પીવા માટે પાણી ઉપલબ્ધ થયું. ત્યારથી, આ ગુરુદ્વારામાં લોકોને પીવા માટે ન માત્ર અમૃત જળ મળી રહ્યું છે, પરંતુ લગભગ 500 વર્ષથી સતત ચાલતો લંગર પણ લોકોની ભૂખ મિટાવવાનું કામ કરી રહ્યું છે. આ ગુરુદ્વારાને ફૂલો અને રોશનીથી શણગારવામાં આવ્યું છે.<br />
	<br />
	<br />
	(Edited By-Monica Sahu) </p>]]></content:encoded>
      <pubDate>Wed, 05 Nov 2025 00:54:00 +0530</pubDate>
      <updatedDate>Tue, 04 Nov 2025 12:14:23 +0530</updatedDate>
      <category><![CDATA[Sikh Festivals]]></category>
      <authorname>Webdunia Desk</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[Vaisakhi 2025: વૈશાખી પર કરો આ 5 કામ, ખુલશે ભાગ્યના દરવાજા]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/sikh-festivals/baisakhi-2025-125041300007_1.html</link>
      <guid>https://gujarati.webdunia.com/article/sikh-festivals/baisakhi-2025-125041300007_1.html</guid>
      <media:thumbnail url="https://nonprod-media.webdunia.com/public_html/_media/hi/img/article/2025-04/12/thumb/1_1/1744439519-7656.jpg"/>
      <image>https://nonprod-media.webdunia.com/public_html/_media/hi/img/article/2025-04/12/thumb/1_1/1744439519-7656.jpg</image>
      <description><![CDATA[Vaisakhi 2025- ભારત તહેવારોની ભૂમિ છે અને દરેક તહેવાર પોતાની સાથે પરંપરા, ભક્તિ અને સકારાત્મક ઉર્જા લઈને આવે છે.]]></description>
      <content:encoded><![CDATA[<p>
	<p style="float: left;width:100%;text-align:center;">
		<img align="center" alt="" class="imgCont" height="592" src="https://nonprod-media.webdunia.com/public_html/_media/hi/img/article/2025-04/12/full/1744439519-7656.jpg" style="border: 1px solid #DDD; margin-right: 0px; float: none; z-index: 0;" title="" width="740" /></p>
	<br />
	<br />
	Vaisakhi 2025- ભારત તહેવારોની ભૂમિ છે અને દરેક તહેવાર પોતાની સાથે પરંપરા, ભક્તિ અને સકારાત્મક ઉર્જા લઈને આવે છે. તેમાંથી એક મુખ્ય તહેવાર બૈસાખી છે, જે ખાસ કરીને પંજાબ, હરિયાણા, ઉત્તર ભારત અને શીખ સમુદાયમાં ખૂબ જ ભક્તિ સાથે ઉજવવામાં આવે છે. આ તહેવાર દર વર્ષે 13મી એપ્રિલે ઉજવવામાં આવે છે અને તે લણણીનું પ્રતીક છે.</p>
<p>
	 </p>
<p>
	<strong>ગુરુ અને માતા-પિતાના આશીર્વાદ લો</strong></p>
<p>
	વૈશાખી એ માત્ર કૃષિ ઉત્સવ જ નથી પરંતુ ખાલસા પંથની સ્થાપનાનો દિવસ પણ છે. આ દિવસ ગુરુ પ્રત્યેની ભક્તિ અને આદરનું પ્રતીક પણ છે. આ દિવસે તમારા ગુરુ, વડીલો અને માતા-પિતાના આશીર્વાદ અવશ્ય લો.</p>
<p>
	 </p>
<p>
	<strong>દાન, સેવા અને જલ સેવા કરવી</strong></p>
<p>
	વૈશાખીના દિવસે કરવામાં આવેલું દાન અત્યંત પુણ્યપૂર્ણ માનવામાં આવે છે. ખાસ કરીને આ દિવસે પાણીને લગતી વસ્તુઓ જેવી કે ઘડા, પાણીના વાસણ, છાશ, ગોળ, શરબત, ફળ વગેરેનું દાન કરવાથી અપાર પુણ્ય પ્રાપ્ત થાય છે.</p>
<p>
	 </p>
<p>
	<strong>સવારે સૂર્યોદય પહેલા સ્નાન કરવું અને સૂર્ય અર્ઘ્ય અર્પણ કરવું</strong></p>
<p>
	બૈસાખીના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં જાગવું અને સ્નાન કરવું વિશેષ પુણ્યનું ગણાય છે. શાસ્ત્રોમાં કહેવાયું છે કે વૈશાખ મહિનાની શરૂઆતમાં સ્નાન અને દાન કરવાથી હજાર ગણો લાભ મળે છે. સ્નાન કર્યા પછી સૂર્યને તાંબાના વાસણમાં પાણી, લાલ ફૂલ, ચોખા અને થોડો ગોળ અર્પિત કરવો જોઈએ. આમ કરવાથી નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે અને નોકરી અને કરિયરમાં આવતા અવરોધોમાંથી મુક્તિ મળે છે.</p>
<p>
	 </p>
<p>
	<strong>11 વાર ઓમ ઘૃણિ સૂર્યાય નમઃ નો જાપ કરતી વખતે અર્ઘ્ય ચઢાવો.</strong></p>]]></content:encoded>
      <pubDate>Sun, 13 Apr 2025 10:03:00 +0530</pubDate>
      <updatedDate>Sun, 13 Apr 2025 10:13:23 +0530</updatedDate>
      <category><![CDATA[Sikh Festivals]]></category>
      <authorname>Webdunia Desk</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[Baisakhi 2025 - વૈશાખી ક્યારે, શા માટે ઉજવાય છે]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/sikh-festivals/baisakhi-2025-when-why-baisakhi-is-celebrated-123041300023_1.html</link>
      <guid>https://gujarati.webdunia.com/article/sikh-festivals/baisakhi-2025-when-why-baisakhi-is-celebrated-123041300023_1.html</guid>
      <media:thumbnail url="https://nonprod-media.webdunia.com/public_html/_media/hi/img/hp/home-page/2017-04/13/thumb/1_1/1492073565-899.jpg"/>
      <image>https://nonprod-media.webdunia.com/public_html/_media/hi/img/hp/home-page/2017-04/13/thumb/1_1/1492073565-899.jpg</image>
      <description><![CDATA[Vaishakhi 2025- શીખોના તહેવાર વૈશાખીનું નામ વૈશાખ પરથી પડ્યું છે. પંજાબ અને હરીયાણાના ખેડૂતો સદીઓથી પાક લણ્યા બાદ નવા વર્ષની ઉજવણી કરે છે. તેને પંજાબ અને આસપાસના પ્રદેશોમાં વૈશાખીના નામે ઉજવવામાં આવે છે.]]></description>
      <content:encoded><![CDATA[<p>
	<p style="float: left;width:100%;text-align:center;">
		<img align="center" alt="" class="imgCont" height="416" src="https://nonprod-media.webdunia.com/public_html/_media/hi/img/hp/home-page/2017-04/13/full/1492073565-899.jpg" style="border: 1px solid #DDD; margin-right: 0px; float: none; z-index: 0;" title="" width="740" /></p>
</p>
<p>
	Vaishakhi 2025- શીખોના તહેવાર વૈશાખીનું નામ વૈશાખ પરથી પડ્યું છે. પંજાબ અને હરીયાણાના ખેડૂતો સદીઓથી પાક લણ્યા બાદ નવા વર્ષની ઉજવણી કરે છે. તેને પંજાબ અને આસપાસના પ્રદેશોમાં વૈશાખીના નામે ઉજવવામાં આવે છે.</p>
<p>
	 </p>
<p>
	આ તહેવાર પંજાબના સૌથી મોટા તહેવારોમાંથી એક ગણવામાં આવે છે. તે રવી પાક લણવાના આનંદના પ્રતીકરૂપે ઉજવવામાં આવે છે.</p>
<p>
	 </p>
<p>
	વૈશાખીના દિવસે જ 13 એપ્રિલ 1699ના રોજ શીખોના ધર્મગુરૂ ગોવિંદસિંહજીએ ખાલસા સંપ્રદાયની સ્થાપના કરી હતી. શીખ લોકો આ તહેવારને સામૂહિક જન્મદિવસ તરીકે પણ ઉજવે છે.</p>
<p>
	 </p>
<p>
	પ્રકૃતિનો નિયમ છે કે જ્યારે પણ કોઈ જુલમ અને અત્યાચાર તેની પરાકાષ્ઠાએ પહોંચે છે તો તેને દૂર કરવાનો ઉપાય પણ કોઈને કોઈ રીતે મળી જ જાય છે. મોગલ શાસક ઔરંગઝેબનો જુલમ, અન્યાય અને અત્યાચાર પરાકાષ્ઠાએ પહોંચી ગયો અને શ્રી ગુરૂ તેગ બહાદુરજી દિલ્હીના ચાંદની ચોકમાં શહીદ થયા ત્યારે ગુરૂ ગોવિંદસિંહજીએ તેમના અનુયાયીઓને એકઠા કરીને ધર્મ અને માનવતાના આદર્શોની રક્ષા કરવા સદા તૈયાર રહેવા ખાલસા પંથની સ્થાપના કરી.</p>
<p>
	 </p>
<p>
	રૂઢિચુસ્ત રીતરીવાજોથી તે વખતના લોકો નિર્બળ અને કાયર થઈ ચૂક્યા હતા. લોકોની કાયરતાનું એક કારણ તેમની માનસિક ગુલામી પણ હતી. જેમને નીમ્ન વર્ગના અને તુચ્છ ગણવામાં આવતા હતા તેવા લોકોમાં ગુરૂ ગોવિંદસિંહજીએ આત્મરક્ષણ માટેની શક્તિનો સંચાર કર્યો.</p>
<p>
	 </p>
<p>
	આ રીતે 13 એપ્રિલ 1699ના દિવસે શ્રીગઢ સાહેબ આનંદપુર ખાતે ગુરૂ ગોવિંદસિંહજીએ ખાલસા પંથની સ્થાપના કરીને અત્યાચારનો અંત આણ્યો. ગર્વ માત્ર અજ્ઞાની વ્યક્તિને જ હોય એવું નથી. ઘણીવાર જ્ઞાની અને સમજુ વ્યક્તિ પણ તેના જ્ઞાન માટે ગર્વ કરે છે. ગર્વીલો વ્યક્તિ એકદમ સુક્ષ્મ જણાતી બાબત માટે પણ ગર્વ કરે છે. જ્ઞાની, ધ્યાની, ગુરૂ, ત્યાગી અને સંન્યાસી હોવાનો ગર્વ ઘણીવાર એકદમ પ્રબળ થાય છે.</p>
<p>
	 </p>
<p>
	ગુરૂ ગોવિંદસિંહજી આ વાત સારી રીતે જાણતા હતા. તેથી તેમણે પોતાનું ગુરૂ તરીકેનું પદ ત્યજી દિધું અને ગુરૂ ગાદી ગુરૂગ્રંથ સાહિબને સોંપીને વ્યક્તિપૂજાના મહિમાને ખતમ કરી નાંખ્યો.</p>
<p>
	 </p>
<p>
	હિન્દુઓ પણ વૈશાખીની તહેવારને નવા વર્ષની શરૂઆત તરીકે ઉજવે છે. હિન્દુઓ આ દિવસે પવિત્ર સ્નાન અને પૂજા કરીને તેની ઉજવણી કરે છે. એવું માનવામાં આવે છે કે સદીઓ પહેલા દેવી ગંગા આ ધરતી પર ઉતર્યા હતા. તેની સ્મૃતિરૂપે હિન્દુઓ ગંગા કિનારે પરંપરાગત સ્નાન કરવા એકઠા થાય છે. કેરલમાં આ તહેવાર વિશુ તરીકે ઉજવાય છે. </p>]]></content:encoded>
      <pubDate>Sun, 13 Apr 2025 09:59:00 +0530</pubDate>
      <updatedDate>Sun, 13 Apr 2025 10:03:28 +0530</updatedDate>
      <category><![CDATA[Sikh Festivals]]></category>
      <authorname>Webdunia Desk</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[Guru Nanak Jayanti 2024: ગુરુ નાનક જયંતિને કેમ કહેવામાં આવે છે પ્રકાશ પર્વ ? જાણો શીખ ધર્મના સ્થાપકના એ મુખ્ય ઉપદેશો જે આજે પણ છે પ્રાસંગિક]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/sikh-festivals/guru-nanak-jayanti-2024-124111500007_1.html</link>
      <guid>https://gujarati.webdunia.com/article/sikh-festivals/guru-nanak-jayanti-2024-124111500007_1.html</guid>
      <media:thumbnail url="https://nonprod-media.webdunia.com/public_html/_media/gu/img/article/2021-11/18/thumb/1_1/1637201143-8337.jpeg"/>
      <image>https://nonprod-media.webdunia.com/public_html/_media/gu/img/article/2021-11/18/thumb/1_1/1637201143-8337.jpeg</image>
      <description><![CDATA[ગુરુ નાનક જયંતિનો પવિત્ર તહેવાર 15 નવેમ્બર 2024 ના રોજ ઉજવવામાં આવશે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ ગુરુ નાનક દેવ દ્વારા આપવામાં આવેલા કેટલાક મહત્વપૂર્ણ ઉપદેશો વિશે.]]></description>
      <content:encoded><![CDATA[<p>
	<p style="float: left;">
		<img align="" alt="" class="imgCont" height="592" src="https://nonprod-media.webdunia.com/public_html/_media/gu/img/article/2021-11/18/full/1637201143-8337.jpeg" style="border: 1px solid #DDD; margin-right: 10px; padding: 1px; float: left; z-index: 0;" title="" width="740" /></p>
</p>
<p>
	<strong>Guru Nanak Jayanti 2024:</strong> ગુરુ નાનક જયંતિ શીખ ધર્મના પ્રથમ ગુરુ અને સ્થાપક ગુરુ નાનક દેવ જીના જન્મદિવસની યાદમાં ઉજવવામાં આવે છે. કેલેન્ડર મુજબ, આ તહેવાર દર વર્ષે કાર્તિક પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. વર્ષ 2024 માં, ગુરુ નાનક જયંતિનો તહેવાર 15 નવેમ્બરના રોજ વિશ્વભરમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવશે. ગુરુ નાનક દેવજીનો જન્મ 1469માં તલવંડી (હાલના પાકિસ્તાનમાં આવેલા નનકાના સાહિબ)માં થયો હતો. ગુરુ નાનક દેવે તેમના જીવનકાળ દરમિયાન એકતા, પ્રેમ અને સેવાનો સંદેશ આપ્યો હતો. તેમણે સમાજમાં રહેલી બુરાઈઓને દૂર કરવાનો પણ પ્રયાસ કર્યો. આવી સ્થિતિમાં, આજે અમે તમને ગુરુ નાનક દેવના કેટલાક મહત્વપૂર્ણ ઉપદેશો વિશે માહિતી આપીશું અને તમને એ પણ જણાવીશું કે ગુરુ નાનક જયંતિને શા માટે પ્રકાશ પર્વ કહેવામાં આવે છે.</p>
<p>
	 </p>
<p>
	ગુરુ નાનકના મુખ્ય ઉપદેશો:</p>
<p>
	 </p>
<p>
	-  એક ઓમકાર: શીખ ધર્મના પ્રથમ ગુરુ નાનક દેવજીએ શીખવ્યું કે ભગવાન એક છે, અને તે દરેક જગ્યાએ હાજર છે. તેમનો “એક ઓમકાર” નો સંદેશ જણાવે છે કે દુનિયામાં જે કંઈ છે તે માત્ર એક ભગવાનની જ ભેટ છે. આપણે બધા એ એક ભગવાનના સંતાન છીએ. એક ઓમકાર દ્વારા નાનક દેવજી પણ આપણને સંદેશ આપે છે કે આપણે ભેદભાવથી દૂર રહેવું જોઈએ અને દરેક મનુષ્યમાં ભગવાનને જોવું જોઈએ.</p>
<p>
	 </p>
<p>
	- નામ જાપઃ નાનક દેવજીએ પણ ભગવાનના નામનો જાપ કરવાનો સંદેશ આપ્યો છે. તેમનું માનવું હતું કે ભગવાનનું નામ સ્મરણ કરવાથી વ્યક્તિના જીવનમાં અંધકાર દૂર થાય છે અને જીવનમાં સુખ-શાંતિ આવે છે. નામનો જાપ કરવાથી વ્યક્તિ દયા અને પ્રેમનો પાઠ પણ શીખે છે.</p>
<p>
	 </p>
<p>
	- ઈમાનદારી સાથે કામ કરવુંઃ ગુરુ નાનકજી માનતા હતા કે દરેક વ્યક્તિએ કોઈ પણ કામ ઈમાનદારીથી કરવું જોઈએ. ઈમાનદારી અને મહેનતથી કમાયેલા પૈસાનો ઉપયોગ હંમેશા આશીર્વાદ આપે છે. આ સાથે, પ્રમાણિકતાથી કામ કરવાથી વ્યક્તિમાં સંતોષ અને આત્મવિશ્વાસની લાગણી પણ જાગૃત થાય છે. તેથી વ્યક્તિએ હંમેશા કામ પ્રત્યે ઈમાનદાર રહેવું જોઈએ.</p>
<p>
	 </p>
<p>
	- વંડ છકો: ગુરુ નાનક જીની એક મહત્વપૂર્ણ ઉપદેશ એ છે કે આપણે હંમેશા અન્યની સેવા કરવી જોઈએ અને આપણે જે પૈસા કમાઈએ છીએ તેમાંથી કેટલાક દાનમાં આપવું જોઈએ.  “વંડ છકો” એટલે તમારી કમાણીનો અમુક હિસ્સો જરૂરિયાતમંદ લોકોને આપવો.  આમ કરવાથી સમાજમાં સમાનતા વધે છે.</p>
<p>
	 </p>
<p>
	- ભાઈચારો: ગુરુ નાનકજીએ તેમના સમગ્ર જીવન પર ભાર મૂક્યો હતો કે કોઈની સાથે ભેદભાવ ન કરવો જોઈએ. તમામ લોકોમાં સમાનતા હોવી જોઈએ. સમાજને જાતિ, ધર્મ અને વર્ગના આધારે વિભાજિત ન કરવો જોઈએ. તેમણે કહ્યું કે તમામ મનુષ્ય સમાન છે અને ભગવાનની નજરમાં દરેકને સમાન પ્રેમ અને સન્માન મળવું જોઈએ.</p>
<p>
	 </p>
<p>
	- માયા મોહથી મુક્તિ: નાનક દેવજી માનતા હતા કે આપણે ક્યારેય ભૌતિક વસ્તુઓ સાથે જોડાયેલા ન રહેવું જોઈએ. આપણે આત્માનો વિકાસ કરીને ભક્તિના માર્ગે આગળ વધવું જોઈએ. તો જ આદર્શ સમાજની સ્થાપના થઈ શકે.</p>
<p>
	 </p>
<p>
	- હંમેશા મહિલાઓનું કરો સન્માન : ગુરુ નાનક દેવજીએ મહિલાઓનું સન્માન કરવા અને તેમને સમાનતા આપવા પર ભાર મૂક્યો છે. ગુરુ નાનક દેવજી ઇચ્છતા હતા કે સ્ત્રીઓને ક્યારેય નીચું ન જોવું જોઈએ અને સ્ત્રીઓને પુરૂષો જેટલું જ સન્માન મળવું જોઈએ. મતલબ કે નાનક દેવ પણ લિંગ ભેદભાવના વિરોધી હતા.</p>
<p>
	 </p>
<p>
	- આજે પણ જો ગુરુ નાનક દેવના આ શબ્દોનું પાલન કરવામાં આવે તો સમાજમાં ઘણા સારા બદલાવ જોવા મળી શકે છે. એટલા માટે નાનકદેવજીના ઉપદેશોને વર્તમાન સમયમાં પણ પ્રાસંગિક કહેવું ખોટું નથી.</p>
<p>
	 </p>
<p>
	ગુરુ નાનક જયંતિને પ્રકાશ પર્વ કેમ કહેવામાં આવે છે:</p>
<p>
	 </p>
<p>
	ગુરુ નાનક જયંતિને "પ્રકાશ પર્વ" તરીકે પણ ઓળખવામાં આવે છે. આ પ્રસંગે શીખ ધર્મના લોકો ગુરુદ્વારાઓમાં કીર્તન, કથા અને લંગર વગેરેનું પણ આયોજન કરે છે. શીખ ધર્મના લોકો ગુરુ પર્વના દિવસે "નગર કીર્તન" કરે છે, જેમાં ગુરુ નાનક દેવજીના ઉપદેશો કહેવામાં આવે છે. ગુરુ નાનક જયંતિને પ્રકાશ પર્વ કહેવામાં આવે છે કારણ કે નાનક દેવે સમાજમાં ફેલાયેલા અજ્ઞાન અથવા અંધકારને દૂર કરવા માટે તેમના જીવનભર પ્રયાસ કર્યા હતા.  ગુરુ નાનક દેવે હંમેશા તેમના જ્ઞાનથી સમાજને પ્રકાશવાન  કરવાનો પ્રયાસ કર્યો, તેથી જ ગુરુ નાનક જયંતિને પ્રકાશના તહેવાર તરીકે ઉજવવામાં આવે છે.</p>]]></content:encoded>
      <pubDate>Fri, 15 Nov 2024 07:49:00 +0530</pubDate>
      <updatedDate>Fri, 15 Nov 2024 07:56:04 +0530</updatedDate>
      <category><![CDATA[Sikh Festivals]]></category>
      <authorname>Webdunia Desk</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[Guru Nanak Jayanti- ગુરૂ નાનક જયંતિ- જાણો શુ કરવું]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/sikh-festivals/guru-nanak-jayanti-2021-what-do-121111800003_1.html</link>
      <guid>https://gujarati.webdunia.com/article/sikh-festivals/guru-nanak-jayanti-2021-what-do-121111800003_1.html</guid>
      <media:thumbnail url="https://nonprod-media.webdunia.com/public_html/_media/gu/img/article/2021-11/18/thumb/1_1/1637203049-5096.jpeg"/>
      <image>https://nonprod-media.webdunia.com/public_html/_media/gu/img/article/2021-11/18/thumb/1_1/1637203049-5096.jpeg</image>
      <description><![CDATA[ગુરૂ નાનક જયંતિ- જાણો શુ કરવું]]></description>
      <content:encoded><![CDATA[<p>
	<p style="float: left;width:100%;text-align:center;">
		<p style="position:relative;display: inline-block;color: #fff;">
			<img align="center" alt="" class="imgCont" height="592" src="https://nonprod-media.webdunia.com/public_html/_media/gu/img/article/2021-11/18/full/1637203049-5096.jpeg" style="border: 1px solid #DDD; margin-right: 0px; float: none; z-index: 0;" title="" width="740" /></p>
	</p>
</p>
<p>
	ગુરૂ નાનક જયંતિ- શીખ ધર્મમાં ઈશ્વર માત્ર એક જ છે એવું માનવામાં આવે છે અને તેમાં શીખ ધર્મના દશેય ગુરૂઓની જન્મ જયંતિને હર્ષોલ્લાસભેર ઉજવવામાં આવે છે. તેમાં પણ શીખ ધર્મના પહેલા ગુરૂ એવા ગુરૂ નાનક સાહેબની જયંતિનું વિશેષ મહત્વ છે. ગુરૂઓનો જન્મ દિવસ ગુરૂ પૂરબ તરીકે પણ ઓળખાય છે.</p>
<p>
	 </p>
<p>
	શીખ ધર્મના સંસ્થાપક ગુરૂ નાનક દેવનો જન્મ 20 ઓક્ટોબર 1469ના રોજ કારતક સુદ પૂનમની તિથિએ લગભગ એક વાગીને ચાલીસ મિનીટે પાકિસ્તાનના શેખુપુરા જીલ્લાના રાય ભોઈ દી તલવંડી ખાતે થયો હતો. તેમના જન્મ દિવસના ઉપલક્ષ્યમાં દર વર્ષે કાર્તક સુદ પૂનમના દિવસે ગુરૂ નાનક જયંતિ મનાવવામાં આવે છે.</p>
<p>
	 </p>
<p>
	તેમનો જન્મ રાત્રિના સમયે થયો હોઈ ગુરૂ નાનક જયંતિની રાત્રે જાગરણ કરવામાં આવે છે. ધાર્મિક દ્રષ્ટીએ આ તહેવારને શીખોનો સૌથી મહત્વનો તહેવાર માનવામાં આવે છે. શ્રદ્ધાળુઓ રાત્રે કિર્તન અને સત્સંગ કરે છે.</p>
<p>
	ગુરૂ મહારાજના પ્રકાશ (જન્મ) સમયે ફૂલોનો વરસાદ કરે છે તેમજ ફટાકડા ફોડે છે અને સામૂહિક પ્રાર્થના કરે છે. પ્રભાતકાળમાં શ્રદ્ધાળુઓ સ્નાનાદિ કરીને પાંચ વાણીનો &#39;નીત નેમ&#39; એટલે કે દૈનીક પ્રાર્થના કરીને ગુરૂદ્વારા સાહેબમાં ગુરૂ નાનકદેવજીને વંદન કરે છે.</p>
<p>
	 </p>
<p>
	આ દિવસે પોતાની મહેનતની કમાણીનો દસમો ભાગ ગરીબો અને ધાર્મિક કાર્યોમાં અર્પણ કરવાનો તેમજ લંગરમાં જઈને સેવા કરવાનો ખાસો મહિમા છે.</p>
<p>
	ગુરૂ નાનકદેવજીએ નીષ્ઠાવાન શીખ લોકોને ત્રણ નિયમોનું પાલન કરવાનું કહ્યું છે. એ ત્રણ નિયમો છે ઈશ્વરની આરાધના, મહેનતની કમાણી અને ગરીબોને દાન.</p>
<p>
	 </p>
<p>
	ગુરૂ નાનકજયંતિના બે દિવસ પહેલા ગુરૂદ્વારાઓમાં ગુરૂ ગ્રંથ સાહેબનો અખંડ પાઠ કરવામાં આવે છે.</p>
<p>
	 </p>]]></content:encoded>
      <pubDate>Fri, 19 Nov 2021 07:05:00 +0530</pubDate>
      <updatedDate>Fri, 19 Nov 2021 07:39:48 +0530</updatedDate>
      <category><![CDATA[Sikh Festivals]]></category>
      <authorname>Webdunia Desk</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[ગ્રુરુ નાનક જયંતિ : ગુરુનાનકજીનું પ્રકાશ પર્વ]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/sikh-festivals/guru-nanak-jayanti-gurpurab-107112400007_1.html</link>
      <guid>https://gujarati.webdunia.com/article/sikh-festivals/guru-nanak-jayanti-gurpurab-107112400007_1.html</guid>
      <media:thumbnail url="https://nonprod-media.webdunia.com/public_html/_media/gu/img/article/2021-11/18/thumb/1_1/1637201143-8337.jpeg"/>
      <image>https://nonprod-media.webdunia.com/public_html/_media/gu/img/article/2021-11/18/thumb/1_1/1637201143-8337.jpeg</image>
      <description><![CDATA[ગુરુનાનક દેવજી શીખ ધર્મના સંસ્થાપક જ નહી પરંતુ માનવ ધર્મના ઉત્થાપક પણ હતાં. તેઓ કોઇ એક ધર્મના ગુરુ નહોતા પરંતુ આખી સૃષ્ટીના જગદગુરુ હતાં. તેમનો જન્મ પુર્વ ભારતની પાવન ધરતી પર કારતક પુર્ણિમાના દિવસે...]]></description>
      <content:encoded><![CDATA[<p style="float: left;width:100%;text-align:center;">
	<p style="position:relative;display: inline-block;color: #fff;">
		<img align="center" alt="" class="imgCont" height="592" src="https://nonprod-media.webdunia.com/public_html/_media/gu/img/article/2021-11/18/full/1637201143-8337.jpeg" style="border: 1px solid #DDD; margin-right: 0px; float: none; z-index: 0;" title="" width="740" /></p>
</p>
<br />
<!--Image-->
<p class="wdp_articleLImg">
	<span style="color: rgb(0, 0, 0); font-size: 11pt;">ગુરુનાનક દેવજી શીખ ધર્મના સંસ્થાપક જ નહી પરંતુ માનવ ધર્મના ઉત્થાપક પણ હતાં. તેઓ કોઇ એક ધર્મના ગુરુ નહોતા પરંતુ આખી સૃષ્ટીના જગદગુરુ હતાં. તેમનો જન્મ પુર્વ ભારતની પાવન ધરતી પર કારતક પુર્ણિમાના દિવસે 1469 માં લાહોરથી નજીક 40 કિલોમીટરે આવેલ તલબંડી નામના ગામમાં થયો હતો. તેમના પિતાનું નામ કલ્યાણરાય મેહતા હતું અને માતાનું નામ તૃપતાજી હતું. </span></p>
<br />
<font style="font-size:11pt; color:#000000">ભાઈ ગુરુદાસજી લખે છે કે આ સંસારના ત્રાસી ગયેલ પ્રાણીઓને સાંભળીને અકાળ પુરખ પરમેશ્વરે આ ધરતી પર ગુરુનાનકને પહોચાડ્યા. &#39;</font><font style="font-size:11pt;">सुनी पुकार दातार प्रभु गुरु नानक जग महि पठाइया।&#39; </font><font style="font-size:11pt;">તેમના આ ધરતી પર આવવા પર &#39;</font><font style="font-size:11pt;">सतिगुरु नानक प्रगटिआ मिटी धुंधू जगि चानणु होआ&#39;. </font><font style="font-size:11pt;">સત્ય છે કે નાનકનું જન્મસ્થળ અલૌકિક જ્યોતિથી ભરાઈ ગયું હતું. તેમના મસ્તકની પાસે તેજ આભા પ્રસરેલી હતી. પુરોહીત પંડિત હરદયાલે જ્યારે તેમના દર્શન કર્યા ત્યારે જ તેમને ભવિષ્યવાણી કરી દિધી હતી કે આ બાળક ઈશ્વર જ્યોતિનું સાક્ષાત અલૌકિક સ્વરૂપ છે. નાનપણથી જ ગુરુનાનકનું મન આધ્યામિક જ્ઞાન તેમજ લોક કલ્યાણના ચિંતનમાં ડુબેલ હતું. બેઠા બેઠા ધ્યાન મગ્ન થઈ જતાં હતાં અને ક્યારેક ક્યારેક આ અવસ્થા સમાધિ સુધી પહોચી જતી હતી. </font><br />
<br />
<font style="font-size:11pt; color:#000000">ગુરુનાનક દેવજીનું જીવન તેમજ ધર્મ દર્શન યુગાંતકારી લોકચિંતન દર્શન હતાં. તેમણે સાંસારિક યથાર્થથી સંબંધ નહોતો તોડ્યો. તેઓ સંસારના ત્યાગ અને સંન્યાસના વિરોધી હતાં કેમકે તેઓ સહજ યોગના હામી હતાં. તેમનું માનવું હતું કે મનુષ્ય સંન્યાસ લઈને પોતાનું તેમજ લોક કલ્યાણ કરી શકે નહી જેટલો કે તે સ્વાભાવિક અને સહજ જીવનમાં રહીને કરી શકે છે. એટલા માટે તેમણે ગૃહસ્થ ત્યાગીને ગુઆઓ, જંગલોમાં બેસવાથી પ્રભુ પ્રાપ્તિ નથી થતી પરંતુ સંસારમાં રહીને માનવ સેવા કરવીએ શ્રેષ્ઠ ધર્મ ગણાવ્યો. &#39;</font><font style="font-size:11pt;">नाम जपना, किरत करना, वंड छकना&#39; </font><font style="font-size:11pt;">સફળ ગૃહસ્થ જીવનનો મંત્ર આપ્યો. </font><br />
<br />
<font style="font-size:11pt; color:#000000">આ જ ગુરુ મંત્ર શીખ ધર્મની મુખ્ય આધારશીલા છે. એટલે સાચા મનથી ઇશ્વરનું નામ જપો, ઈમાનદારી અને પરિશ્રમથી કામ કરો તેમજ ધન દ્વારા દુ:ખી, અસહાય અને જરૂરતમંદ લોકોની સેવા કરો. ગુરુ ઉપદેશ છે કે &#39;</font><font style="font-size:11pt;">घाल खाये किछ हत्थो देह। नानक राह पछाने से।&#39; </font><font style="font-size:11pt;">આ રીતે ગુરુનાનકજીએ અન્નને શુધ્ધતા, પવિત્રતા અને સાત્વિકતા પર જોર આપ્યુ. ગુરુજી એક મર્તબા એક ગામમાં પહોચ્યાં તો તેમને બે ઘરેથી ભોજનનું નિમંત્રણ આવ્યું. એક નિમંત્રણ ગામના ધનવાન મુખીનું હતું અને બીજું નિર્ધન સુથારનું હતું. </font><br />
<br />
<font style="font-size:11pt; color:#000000">ગુરુનાનકજીએ મુખીયાના ઘીથી બનાવેલ મીઠાઈને સ્વીકાર ન કરતાં સુથારના ઘરે બનાવેલ સુકી રોટલીઓનો સ્વીકાર કર્યો. આનાથી પર મુખીએ પોતાનું અપમાન સમજ્યું. ગુરુજીએ જ્યારે મુખીઓની રોટલીઓને નીચોવી ત્યારે તેમાંથી લોહી ટપક્યું. બીજી બાજું ખેડુતની રોટલીઓને નીચોવી તો તેમાંથી શુદ્ધ દુધની ધારા થઈ. ગુરુનાનકજી જણાવ્યું કે મુખીયાની કમાણી અનીતિ. અધર્મ, અત્યાચાર અને શોષણ દ્વારા પ્રાપ્ત કરેલ કમાણી છે જ્યારે કે સુથારનું આ અન્ન ઈમાનદારી, મહેનતની કમાણીનું હતું.</font><br />
<br />
<font style="font-size:11pt; color:#000000">તેની અંદર જરા પણ અનીતિ, અન્યાય, શોષણ અને મેલ ન હતો. કુઅન્નના પ્રભાવથી મન મેલુ, પ્રદુષિત તેમજ વિકારોથી યુક્ત થઈ જાય છે. આવું ભોજન ગમે તેટલું સ્વાદિષ્ટ હોય તે ગ્રહણ કરવા યોગ્ય નથી. શુધ્ધ, સાત્વિક, નીતિ-ધર્મનું પાલન કરતાં પ્રાપ્ત કરેલ હોય તે આહાર માણસ મનને વિકાર રહિત, નિર્મળ, પવિત્ર અને સાત્વિક બનાવે છે. આ જ રીતે ઈશ્વરીય ભાવ તેમજ ભયની સાથે પુરી ઈમાનદારી સાથે કર્મ કરવાની વાત પણ ગુરુજીએ કહી. </font><br />
<br />
<font style="font-size:11pt; color:#000000">નાનકજીએ બધા જ ધર્મોને શ્રેષ્ઠ ગણાવ્યાં છે. જરૂરત છે ધર્મના સત્ય જ્ઞાનને આત્મસાત કરીને પોતાના વ્યવહારિક જીવનમાં લાવવાનું. ગુરુજીએ ધાર્મિક તેમજ સામાજીક વિષમતાઓ પર જોરદાર પ્રહાર કર્યો. તેમણે વાણીની અંદર હિંન્દુ અને મુસલમાન બંને માટે એકાત્મકતાના બીજ રોપ્યા. તેમનું માનવું હતું કે સંપુર્ણ સૃષ્ટીના ઈશ્વર એક જ છે. આપણે બધ અતો તેના બાળકો છીએ. આપણો ધર્મ એક છે. ગુરુજી સ્વયં પણ એકેશ્વરમાં પુર્ણ વિશ્વાસ રાખે છે. તેમનો દ્રષ્તિકોણ સમન્વયવાદી હતો. </font><br />
<br />
<font style="font-size:11pt; color:#000000">તેઓ કહે છે- &#39;</font><font style="font-size:11pt;">सबको ऊँचा आखिए/ नीच न दिसै कोई।&#39;. </font><font style="font-size:11pt;">ઉંચનીચનો ભેદભાવ દુર કરવા માટે ગુરુજીએ કહ્યું કે હું સ્વયં પણ ઉંચી જાતિ કહેનારાઓની સાથે નથી પરંતુ જેમને નીચી જાતિના કહેવામાં આવે છે તેમની સાથે છું.</font><br />
<br />
<font style="font-size:11pt; color:#000000">ગુરુનાનક દેવજીનું વ્યક્તિત્વ તેમજ કૃતિત્વ જેટળું સરળ, સીધું અને સ્પષ્ટ છે કે તેનું અધ્યયન અને અનુસરણ પણ એટલું જ વ્યાવહારિક છે. </font><br />]]></content:encoded>
      <pubDate>Thu, 18 Nov 2021 07:36:00 +0530</pubDate>
      <updatedDate>Thu, 18 Nov 2021 07:36:12 +0530</updatedDate>
      <category><![CDATA[Sikh Festivals]]></category>
      <authorname>Webdunia Desk</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[અમૃત સંચાર અને શિખ ધર્મ]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/sikh-festivals/અમૃત-સંચાર-અને-શિખ-ધર્મ-108041200027_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/sikh-festivals/અમૃત-સંચાર-અને-શિખ-ધર્મ-108041200027_1.htm</guid>
      <media:thumbnail url="https://nonprod-media.webdunia.com/public_html/_media/gu/img/article/2021-11/18/thumb/1_1/1_1/1637201143-8337.jpeg"/>
      <image>https://nonprod-media.webdunia.com/public_html/_media/gu/img/article/2021-11/18/thumb/1_1/1_1/1637201143-8337.jpeg</image>
      <description><![CDATA[ખાલસા પંથનું નિર્માણ અમૃતસરથી થયું હતું. શિખોના દસમા ગુરૂ સાહેબ શ્રી ગુરૂ ગોવિંદસિંહે 1699માં અમૃતને  તૈયાર કર્યું અને ત્યાર બાદ ખાલસા પંથ બન્યો.  

શિખ ધર્મના સૌથી પહેલાં ગુરૂ ગુરૂનાનક સાહેબને શિખ ધર્મની નીવ રાખી હતી. ગુરૂનાનક દેવજીથી...]]></description>
      <content:encoded><![CDATA[<!--Image--><p><table style='margin: 3px 8px 0px 0px;' cellspacing='0' cellpadding='0' border='0' Align=Left><tr><td valign='top'><img src='/gu/articles/0804/12/images/img1080412027_1_1.jpg' Alt='' Border=0  HSPACE=4 VSPACE=4 class='imgArticle_New'></td></tr><tr><td class='imgSource'><table width='100%' cellpadding='0' cellspacing='0' border='0'><tr><td align='left'></td><td valign='top' align='right'>N.D</td></tr></table></td></tr></table></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ખાલસા પંથનું નિર્માણ અમૃતસરથી થયું હતું. શિખોના દસમા ગુરૂ સાહેબ શ્રી ગુરૂ ગોવિંદસિંહે 1699માં અમૃતને  તૈયાર કર્યું અને ત્યાર બાદ ખાલસા પંથ બન્યો.  </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>શિખ ધર્મના સૌથી પહેલાં ગુરૂ ગુરૂનાનક સાહેબને શિખ ધર્મની નીવ રાખી હતી. ગુરૂનાનક દેવજીથી લઈને પાંચમા  ગુરૂ ગુરૂઅર્જુન દેવજીએ લોકોને કર્મકાંડોથી બચાવવા પર વિશેસ ધ્યાન આપ્યું હતું. તેમણે તત્કાલીન સમાજમાં  પ્રચલિત સતિપ્રથા, જાતિ, લિંગ, રંગ, ભેદને સમાપ્ત કરવામાં પણ જોર આપ્યું હતું. તેમણે બધાની સાથે એક જેવો  જ વ્યવહાર કરવાનો અને કોઈ પણ પ્રકારનો ભેદભાવ ન કરવા પર પણ જોર આપ્યું હતું. </font><br/> <font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આ વચ્ચે સંસારમાં વધી રહેલા ઝુલ્મોને ખત્મ કરવા માટે છઠ્ઠા ગુરૂ ગુરૂહરગોવિંદજીએ ઝુલ્મોની વિરુધ્ધ લડાઈ કરી  હતી અને તલવારથી તેનો સામનો કરવાની પ્રેરણા આપી હતી. તેમણે પોતાના હાથમાં તલવાર ઉપાડી અને  અન્યાયની સામે ઉભા રહીને તેનો વિરોધ કરવાની પ્રેરણા આપી. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>નવમા ગુરૂ તેગબહાદુરજીએ કાશ્મીરના પંડિતોનો ધર્મ બચાવવા માટે દિલ્હીમાં પોતાનું માથું આપવામાં સહેજ પણ  સંકોચ નહોતો કર્યો. ગુરૂતેગબહાદુરજીના બલિદાન બાદ ગુરૂ ગોવિંદસિંહજીએ તેમની ગાદી સંભાળી હતી. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ગુરૂગોવિંદસિંહે આડંબર અને અત્યાચારની વિરુધ્ધ પોતાની લડાઈમાં તેમણે જોયું કે તેમનો સાથ આપનાર લોકોની  સંખ્યા ઘણી ઓછી છે. તેમને અનુભવ્યું કે સમય આવી ગયો છે કે તેમની ઓળખ અલગ રૂપે થાય. તે ઉપરાંત  તેમની સાથે જે લોકો જોડાય તેમનામાં શક્તિનો સંચાર પણ થાય જેથી કરીન ઝુલ્મોનો નાશ થઈ શકે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ગુરૂગોવિંદસિંહ સાહેબે 1699માં બધા જ નાનક નામ લેનારા લોકોને એક જગ્યાએ એકત્રિત કર્યાં અને એક ખુલ્લી  તલવાર લઈને બધાની સામે આવ્યાં. તેમાં હાજર રહેલાં જનસમુદાયને તેમણે કહ્યું કે જે કોઈ પણ મારો શિષ્ય  (શિખ) બનવા માંગતો હોય તે પોતાનું માથું અર્પણ કરે. તેના માટે સૌથી પહેલાં દયારામજીએ પોતાના શીશની  આહુતિ આપી અને ત્યાર બાદ અન્ય ચાર લોકોએ પણ પોતાના શીશ અર્પિત કર્યાં. આ પાંચ લોકોને આજે  પંચપ્યારા નામથી ઓળખવામાં આવે છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ગુરૂજીએ શીશા કાપ્યા પણ અને પાછા જોડી પણ દિધા. પરંતુ શીશ માંગવા પાછળનો તેમનો હેતું હતો કે જેઓ  ઝુલ્મને ખતમ કરવા માંગે છે તે પહેલાં મૃત્યુંને ગળે લગાવી લે. ત્યાર બાદ તેમણે એક લોખંડના વાસણમાં અમૃત  તૈયાર કર્યું અને આ પાંચ પ્યારાઓને પીવડાવ્યું અને તેમને અમૃતના નિયમ જણાવ્યાં.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ગુરૂજીના અનુસાર દરેક શીખના હાથમાં લોખંડનું કડું હોવું જોઈએ, જેને તેઓ પોતાના ગુરૂ દ્વારા પહેરાવેલી હથકડી  સમજે. જેથી કરીને જ્યારે પણ તેમના હાથ ખોટુ કામ કરવા માટે ઉઠે તો તે કડાને જોઈને થોભી જાય. ગુરૂજીએ  કિરપાણ ધારણ કરવાનો હુકુમ આપ્યો જેથી કરીને ગરીબ, લાચાર, અનાથ અને સ્વયંની પણ રક્ષા કરી શકાય.  ગુરૂજીએ તેમને કહ્યું કે આનો ઉપયોગ ફક્ત ઝુલ્મ રોકવા માટે જ કરવામાં આવે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ગુરૂગોવિંદસિંહે શિખોને એક અલગ ઓળખ બનાવવાનો હુકુમ આપ્યો અને તેમને વાળ વધારવાનું કહ્યું. તેમણે કહ્યું  કે કોઈ પણ શીખ પોતાના શરીરના માથાથી લઈને પગ સુધીના કોઈ પણ વાળને નહી હટાવે અને વાળને હંમેશા  દસ્તાર બાંધીને ઢાંકીને રાખશે.  </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>તેમણે આ કેશને સાચવાવા માટે કાંસકો આપ્યો જે લાકડીનો બનેલ હોય છે અને આને હંમેશા માથામાં લગાવીને  રાખવાનો આદેશ આપ્યો. ગુરૂ ગોવિંદસિંહે દરેક શીખને કછીહરા પહેરવનો હુકુમ આપ્યો. તેમણે કહ્યું કે શીખ દરેક  પારકા સ્ત્રી-પુરૂષને ભાઈ- બહેન માનશે. ખોટા રસ્તા પર જતાં પહેલાં કછીહરા તેમને ગુરૂ ગોવિંદસિંહની યાદ  અપાવશે. </font><br/> <font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ગુરૂ ગોવિંદસિંહે થોડાક નિયમ બીજા પણ જણાવ્યાં હતાં જેની અંદર પ્રમુખ છે- કયા પ્રકારના નશાનું સેવન ન કરવું  જોઈએ. પાન, તમાકુ, બીડી, સિગરેટ, ગુટકા, ભાંગ વગેરેનું સેવન ન કરવું જોઈએ. માંસનું પણ સેવન ન કરવું  જોઈએ, નીતનેમ કરવા, પોતાની કમાણીનું જ ખાવું જોઈએ, કોઈનું એઠું ન ખાવું જોઈએ, મૂર્તિ કે કબરની પૂજા ન  કરવી, પોતાની કમાણીનો દસમો ભાગ ગરીબોની સેવામાં એક ગુરૂ ઘરમાં આપવો જોઈએ વગેરે. </font>]]></content:encoded>
      <pubDate>Sun, 13 Apr 2008 09:04:17 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 19:40:14 +0530</updatedDate>
      <category><![CDATA[Sikh Festivals]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[ખાલસા પંથની સ્થાપનાનો તહેવાર વૈશાખી]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/sikh-festivals/ખાલસા-પંથની-સ્થાપનાનો-તહેવાર-વૈશાખી-107101000006_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/sikh-festivals/ખાલસા-પંથની-સ્થાપનાનો-તહેવાર-વૈશાખી-107101000006_1.htm</guid>
      <media:thumbnail url="https://nonprod-media.webdunia.com/public_html/_media/gu/img/article/2021-11/18/thumb/1_1/1_1/1_1/1637201143-8337.jpeg"/>
      <image>https://nonprod-media.webdunia.com/public_html/_media/gu/img/article/2021-11/18/thumb/1_1/1_1/1_1/1637201143-8337.jpeg</image>
      <description><![CDATA[વૈશાખી નામ વૈશાખથી બનેલ છે. પંજાબ અને હરીયાણાના ખડૂતો પાક લઈ લીધા બાદ નવા વર્ષની ખુશીની  ઉજવણી કરે છે. એટલા માટે વૈશાખી પંજાબ અને તેના આજુબાજુના પ્રદેશોનો મોટો તહેવાર છે. આ રવિ પાક થવાની  ખુશીનું પ્રતિક છે. આ દિવસે જ 13 એપ્રીલ 1699...]]></description>
      <content:encoded><![CDATA[<!--Image--><p><table cellspacing='0' cellpadding='0' border='0'  Align=Left><tr><td valign='top'><img src='/gu/articles/0710/10/images/img1071010006_1_1.jpg' Border=0 HSPACE=4 VSPACE=4 class='imgArticle'></td></tr><tr> <td  class='imgSource'><table width='100%' cellpadding='0' cellspacing='0' border='0'><tr><td align='left'>W.D</td><td valign='top'>W.D</td><td width='8'></td></tr></table></td></tr></table></p><!--endImage--> <font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>વૈશાખી નામ વૈશાખથી બનેલ છે. પંજાબ અને હરીયાણાના ખડૂતો પાક લઈ લીધા બાદ નવા વર્ષની ખુશીની  ઉજવણી કરે છે. એટલા માટે વૈશાખી પંજાબ અને તેના આજુબાજુના પ્રદેશોનો મોટો તહેવાર છે. આ રવિ પાક થવાની  ખુશીનું પ્રતિક છે. આ દિવસે જ 13 એપ્રીલ 1699 નાં દસમા ગુરૂ ગોવિંદસિંહજીએ ખાલસાપંથની સ્થાપના કરી હતી.  શીખ આ તહેવારને સામુહિક જન્મદિવસ તરીકે ઉજવે છે. </font><br/>  <font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>પ્રકૃતિનો એક નિયમ છે કે જ્યારે પણ કોઇ અન્યાય અને અત્યાચારની પરાકાષ્ઠા હોય છે તો તેને સુલઝાવવા માટે  અથવા તેના ઉપાય માટે કોઇ કારણ પણ બની જાય છે. આ નિયમાધિન જ્યારે મુગલ શાસક ઔરંગજેબ દ્વારા જુલ્મ,  અન્યાય તેમજ અત્યાચારની બધી જ સીમાઓ લગાવીને શ્રી ગુરૂ તેગ બહદુરજીને દિલ્લીમાં ચાંદની ચોક પર શહીદ  કરી દેવામાં આવ્યાં હતાં તે સમયે જ ગુરૂ ગોવિંદસિંહે પોતાના અનુયાયિઓને સંગઠિત કરીને ખાલસા પંથની સ્થાપના  કરી હતી જેનું લક્ષ્ય હતું ધર્મ અને ભલાઈના આદર્શો માટે હંમેશા તૈયાર રહેવું. </font><br/>         <font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>જુના રીત-રીવાજોથી કંટાળેલા, કમજોર અને સાહસ વિનાના થઈ ગયેલા, સદીઓની રાજનીતિક તેમજ માનસિક  ગુલામીના કારણે કાયર થઈ ગયાં હતાં. નીચી જાતિના સમજનાર લોકોને જેઓને સમાજ તુચ્છ માનતો હતો તેમને  દશમેશ પિતાએ અમૃત પીવડાવીને સિંહ બનાવી દીધા. આ રીતે 13 એપ્રીલ, 1699ના દિવસે શ્રીસગઢ સાહેબ  આનંદપુરમાં દસમા ગુરૂ ગોવિંદસિંહજીએ ખાલસા પંથની સ્થાપના કરીને અત્યાચારને સમાપ્ત કરી દીધો હતો. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>તેમણે બધી જાતિના લોકોને એક જ અમૃત પાત્રથી અમૃતના પાંચ પ્યાલા સજાવ્યાં. આ પાંચ પ્યાલા કોઇ એક જાતિ  કે કોઇ એક સ્થાનના નહોતા પરંતુ અલગ અલગ જાતિ, કુલ તે સ્થાનોના હતાં જેમને ખંડા બાટાનું અમૃત પીવડાવીને  તેમના નામની સાથે સિંહ જોડી દીધું. અજ્ઞાની જ ઘંમડી નથી હોતા પરંતુ ઘણી વખત જ્ઞાનીઓને પણ ઘમંડ આવી  જાય છે. જે પરિગ્રહ કરે છે તેમને જ ઘમંડ હોય તે જરૂરી નથી અપિગ્રહિઓને પણ ઘણી વખત ઘમંડ આવી જાય છે. </font><br/> <font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>અહંકારી ઘણી વખત બીલકુલ સુક્ષ્મ અહંકારના શિકાર બની જાય છે. ગુરૂ, જ્ઞાની, ધ્યાની અને ત્યાગી બનવાનો  અહંકાર પણ ઘણી વખત વધારે પડતો પ્રબળ બની જાય છે. આ વાત ગુરૂ ગોવિંદસિંહજી જાણતાં હતાં એટલા માટે  તેમણે ફક્ત પોતાના ગુરૂત્વને ત્યાગીને ગુરૂ ગાદી ગુરૂગ્રંથ સાહેબને સોંપી નહીં પરંતુ વ્યક્તિ પુજા પણ નિષિદ્વ કરી  દીધી. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>હિંદુઓ માટે આ તહેવાર નવાવર્ષની શરૂઆત છે. હિંદુઓ આને સ્નાન કરીને, ભોગ લગાવીને અને પુજા કરીને માને  છે. એવું કહેવામાં આવે છે કે હજારો વર્ષ પૂર્વ ગંગા આ દિવસે જ પૃથ્વી પર આવી હતી. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>કેરલમાં આ તહેવારને વિશું કહેવાય છે. આ દિવસે નવા કપડાં ખરીદવામાં આવે છે, ફટાકડા ફોડે છે અને વિશું કાની  શણગારવામાં આવે છે. આમાં ફળ, ફૂલ, અનાજ, વસ્ત્ર, સોનું વગેરેને શગારવામાં આવે છે અને સવારે તેના દર્શન  કરવામાં આવે છે. આ દર્શનની સાથે નવા વર્ષમાં સુખ, સમૃધ્ધીની પ્રાર્થના કરવામાં આવે છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>વૈશાખીના દિવસે શું કરવામાં આવે છે? </font><br/><font  style='font-size:11pt; color:#000000'>* આ દિવસે પંજાબનું પરંપરાગત નૃત્ય ભાંગડા કરવામાં આવે છે અને ગિદ્દા કરવામાં આવે છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'>* સાંજે આગની આજુબાજુ બેસીને લોકો નવા પાકની ખુશી ઉજવે છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'>* આખા દેશમાં શ્રધ્ધાળુઓ ગુરૂદ્વારામાં પ્રાર્થના માટે ભેગા થાય છે. મુખ્ય સમારોહ આનંદપુર સાહીબમાં થાય છે જ્યાં  પંથની શરૂઆત કરવામાં આવી હતી. </font><br/><font  style='font-size:11pt; color:#000000'>* સવારે 4 વાગ્યે ગુરૂ ગ્રંથ સાહિબને સમારોહ પુર્વે રૂમની બહાર લાવાવામાં આવે છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'>* દૂધ અને પાણીથી સ્નાન કરાવ્યાં બાદ ગુરૂ ગ્રંથ સાહીબને ગાદી પર બેસાડવામાં આવે છે. ત્યાર બાદ પંચ પ્યારે  પંચબાની ગાય છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'>* દિવસે પ્રાર્થના બાદ ગુરૂને કડા પ્રસાદનો ભોગ લગાવવામાં આવે છે.    </font><br/><font  style='font-size:11pt; color:#000000'>* પ્રસાદ લીધા બાદ બધા ગુરૂના લંગરમાં ભેગા થાય છે.  </font><br/><font  style='font-size:11pt; color:#000000'>* શ્રધ્ધાળુઓ આ દિવસે કારસેવા કરે છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'>* દિવસ દરમિયાન ગુરૂ ગોવિંદસિહજી અને પંચ પ્યારોના સન્માનમાં ભજન કરવામાં આવે છે.  </font><br/> </font>]]></content:encoded>
      <pubDate>Wed, 10 Oct 2007 09:51:49 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 19:25:21 +0530</updatedDate>
      <category><![CDATA[Sikh Festivals]]></category>
      <authorname>વેબ દુનિયા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[વૈશાખી]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/sikh-festivals/વૈશાખી-107042500006_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/sikh-festivals/વૈશાખી-107042500006_1.htm</guid>
      <media:thumbnail url="https://nonprod-media.webdunia.com/public_html/_media/gu/img/article/2021-11/18/thumb/1_1/1_1/1_1/1_1/1637201143-8337.jpeg"/>
      <image>https://nonprod-media.webdunia.com/public_html/_media/gu/img/article/2021-11/18/thumb/1_1/1_1/1_1/1_1/1637201143-8337.jpeg</image>
      <description><![CDATA[શીખોના તહેવાર વૈશાખીનું નામ વૈશાખ પરથી પડ્યું છે. પંજાબ અને હરીયાણાના ખેડૂતો સદીઓથી પાક લણ્યા બાદ નવા વર્ષની ઉજવણી કરે છે. તેને પંજાબ અને આસપાસના]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:11pt; color:#000000'>શીખોના તહેવાર વૈશાખીનું નામ વૈશાખ પરથી પડ્યું છે. પંજાબ અને હરીયાણાના ખેડૂતો સદીઓથી પાક લણ્યા બાદ નવા વર્ષની ઉજવણી કરે છે. તેને પંજાબ અને આસપાસના પ્રદેશોમાં વૈશાખીના નામે ઉજવવામાં આવે છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આ તહેવાર પંજાબના સૌથી મોટા તહેવારોમાંથી એક ગણવામાં આવે છે. તે રવી પાક લણવાના આનંદના પ્રતીકરૂપે ઉજવવામાં આવે છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>વૈશાખીના દિવસે જ 13 એપ્રિલ 1699ના રોજ શીખોના ધર્મગુરૂ ગોવિંદસિંહજીએ ખાલસા સંપ્રદાયની સ્થાપના કરી હતી. શીખ લોકો આ તહેવારને સામૂહિક જન્મદિવસ તરીકે પણ ઉજવે છે.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>પ્રકૃતિનો નિયમ છે કે જ્યારે પણ કોઈ જુલમ અને અત્યાચાર તેની પરાકાષ્ઠાએ પહોંચે છે તો તેને દૂર કરવાનો ઉપાય પણ કોઈને કોઈ રીતે મળી જ જાય છે. મોગલ શાસક ઔરંગઝેબનો જુલમ, અન્યાય અને અત્યાચાર પરાકાષ્ઠાએ પહોંચી ગયો અને શ્રી ગુરૂ તેગ બહાદુરજી દિલ્હીના ચાંદની ચોકમાં શહીદ થયા ત્યારે ગુરૂ ગોવિંદસિંહજીએ તેમના અનુયાયીઓને એકઠા કરીને ધર્મ અને માનવતાના આદર્શોની રક્ષા કરવા સદા તૈયાર રહેવા ખાલસા પંથની સ્થાપના કરી.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>રૂઢિચુસ્ત રીતરીવાજોથી તે વખતના લોકો નિર્બળ અને કાયર થઈ ચૂક્યા હતા. લોકોની કાયરતાનું એક કારણ તેમની માનસિક ગુલામી પણ હતી. જેમને નીમ્ન વર્ગના અને તુચ્છ ગણવામાં આવતા હતા તેવા લોકોમાં ગુરૂ ગોવિંદસિંહજીએ આત્મરક્ષણ માટેની શક્તિનો સંચાર કર્યો. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આ રીતે 13 એપ્રિલ 1699ના દિવસે શ્રીગઢ સાહેબ આનંદપુર ખાતે ગુરૂ ગોવિંદસિંહજીએ ખાલસા પંથની સ્થાપના કરીને અત્યાચારનો અંત આણ્યો. ગર્વ માત્ર અજ્ઞાની વ્યક્તિને જ હોય એવું નથી. ઘણીવાર જ્ઞાની અને સમજુ વ્યક્તિ પણ તેના જ્ઞાન માટે ગર્વ કરે છે. ગર્વીલો વ્યક્તિ એકદમ સુક્ષ્મ જણાતી બાબત માટે પણ ગર્વ કરે છે. જ્ઞાની, ધ્યાની, ગુરૂ, ત્યાગી અને સંન્યાસી હોવાનો ગર્વ ઘણીવાર એકદમ પ્રબળ થાય છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ગુરૂ ગોવિંદસિંહજી આ વાત સારી રીતે જાણતા હતા. તેથી તેમણે પોતાનું ગુરૂ તરીકેનું પદ ત્યજી દિધું અને ગુરૂ ગાદી ગુરૂગ્રંથ સાહિબને સોંપીને વ્યક્તિપૂજાના મહિમાને ખતમ કરી નાંખ્યો.</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>હિન્દુઓ પણ વૈશાખીની તહેવારને નવા વર્ષની શરૂઆત તરીકે ઉજવે છે. હિન્દુઓ આ દિવસે પવિત્ર સ્નાન અને પૂજા કરીને તેની ઉજવણી કરે છે. એવું માનવામાં આવે છે કે સદીઓ પહેલા દેવી ગંગા આ ધરતી પર ઉતર્યા હતા. તેની સ્મૃતિરૂપે હિન્દુઓ ગંગા કિનારે પરંપરાગત સ્નાન કરવા એકઠા થાય છે. કેરલમાં આ તહેવાર વિશુ તરીકે ઉજવાય છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>કઈ રીતે વૈશાખીનો તહેવાર ઉજવવામાં આવે છે ?</font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આ દિવસે પંજાબમાં લોકો ભાંગડા અને ગીદ્દા નૃત્ય કરીને ઉજવણી કરે છે. સાંજે લોકો અગ્નિ પાસે એકઠા થઈને નવા પાકની ઉજવણી કરે છે. આખા દેશમાં શ્રદ્ધાળુઓ ગુરદ્વારામાં જઈને પ્રાર્થના કરે છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આનંદપુર સાહેબ ખાતે જ્યાં ખાલસા સંપ્રદાયની સ્થાપના કરવામાં આવી હતી ત્યાં મુખ્ય ઉજવણી કરવામાં આવી છે. સવારે 4 વાગ્યે ગુરૂ ગ્રંથ સાહેબને ઉત્સાહભેર બહાર લાવવામાં આવે છે. દૂધ અને જળથી પ્રતીકાત્મક સ્નાન કરાવ્યા બાદ ગુરૂ ગ્રંથ સાહેબને તખ્ત પર મૂકવામાં આવે છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ત્યારબાદ પંચવાણીની સ્તુતિ ગાવામાં આવે છે. દિવસે પ્રાર્થના પૂરી થયા પછી ગુરૂને કડા પ્રસાદ ચઢાવવામાં આવે છે. પ્રસાદ લીધા પછી લોકો ગુરૂના લંગરમાં સામેલ થાય છે અને શ્રદ્ધાળુઓ દિવસભર કારસેવા કરે છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>સમગ્ર માનવ જાતિ માટે વૈશાખ મહિનાનું સ્નાન પવિત્ર માનવામાં આવે છે. પદ્મપુરાણમાં વૈશાખ મહિનામાં પ્રાત: સ્નાનનું મહત્વ અશ્વમેઘ યજ્ઞ સમકક્ષ માનવામાં આવે છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>વૈશાખ મહિનાની શરૂઆતથી જ શ્રદ્ધાળુઓ વ્રત કરે છે, જે પૂનમના દિવસે પૂરૂં થાય છ. આ પૂનમે જો વિશાખા નક્ષત્ર હોય તો જેવું નામ તેવા ગુણવાળી લોકોક્તિ સાચી પડે છે એવું કહેવાય છે. ખરેખર તો વિશાખા નક્ષત્રના લીધે જ તેને વૈશાખી પૂર્ણિમા કહેવાય છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આ તિથિ બુદ્ધ પૂર્ણિમા તરીકે પણ ઉજવાય છે. </font>]]></content:encoded>
      <pubDate>Sun, 03 Jun 2007 09:49:15 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 19:11:53 +0530</updatedDate>
      <category><![CDATA[Sikh Festivals]]></category>
      <authorname>પરૂન શર્મા</authorname>
    </item>
    <item>
      <title><![CDATA[ગુરૂ નાનક જયંતિ]]></title>
      <link>https://gujarati.webdunia.com/article/sikh-festivals/ગુરૂ-નાનક-જયંતિ-107042500005_1.htm</link>
      <guid>https://gujarati.webdunia.com/article/sikh-festivals/ગુરૂ-નાનક-જયંતિ-107042500005_1.htm</guid>
      <media:thumbnail url="https://nonprod-media.webdunia.com/public_html/_media/gu/img/article/2021-11/18/thumb/1_1/1_1/1_1/1_1/1_1/1637201143-8337.jpeg"/>
      <image>https://nonprod-media.webdunia.com/public_html/_media/gu/img/article/2021-11/18/thumb/1_1/1_1/1_1/1_1/1_1/1637201143-8337.jpeg</image>
      <description><![CDATA[શીખ ધર્મમાં ઈશ્વર માત્ર એક જ છે એવું માનવામાં આવે છે અને તેમાં શીખ ધર્મના દશેય ગુરૂઓની જન્મ જયંતિને હર્ષોલ્લાસભેર ઉજવવામાં આવે છે. તેમાં]]></description>
      <content:encoded><![CDATA[<font  style='font-size:11pt; color:#000000'>શીખ ધર્મમાં ઈશ્વર માત્ર એક જ છે એવું માનવામાં આવે છે અને તેમાં શીખ ધર્મના દશેય ગુરૂઓની જન્મ જયંતિને હર્ષોલ્લાસભેર ઉજવવામાં આવે છે. તેમાં પણ શીખ ધર્મના પહેલા ગુરૂ એવા ગુરૂ નાનકસાહેબની જયંતિનું વિશેષ મહત્વ છે. ગુરૂઓનો જન્મ દિવસ ગુરૂ પૂરબ તરીકે પણ ઓળખાય છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>શીખ ધર્મના સંસ્થાપક ગુરૂ નાનકદેવનો જન્મ 20 ઓક્ટોબર 1469ના રોજ કાર્તક સુદ પૂનમની તિથિએ લગભગ એક વાગીને ચાલીસ મિનીટે પાકિસ્તાનના શેખુપુરા જીલ્લાના રાય ભોઈ દી તલવંડી ખાતે થયો હતો. તેમના જન્મ દિવસના ઉપલક્ષ્યમાં દર વર્ષે કાર્તક સુદ પૂનમના દિવસે ગુરૂ નાનક જયંતિ મનાવવામાં આવે છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>તેમનો જન્મ રાત્રિના સમયે થયો હોઈ ગુરૂ નાનક જયંતિની રાત્રે જાગરણ કરવામાં આવે છે. ધાર્મિક દ્રષ્ટીએ આ તહેવારને શીખોનો સૌથી મહત્વનો તહેવાર માનવામાં આવે છે. શ્રદ્ધાળુઓ રાત્રે કિર્તન અને સત્સંગ કરે છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ગુરૂ મહારાજના પ્રકાશ (જન્મ) સમયે ફૂલોનો વરસાદ કરે છે તેમજ ફટાકડા ફોડે છે અને સામૂહિક પ્રાર્થના કરે છે. પ્રભાતકાળમાં શ્રદ્ધાળુઓ સ્નાનાદિ કરીને પાંચ વાણીનો 'નીત નેમ' એટલે કે દૈનીક પ્રાર્થના કરીને ગુરૂદ્વારા સાહેબમાં ગુરૂ નાનકદેવજીને વંદન કરે છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>આ દિવસે પોતાની મહેનતની કમાણીનો દસમો ભાગ ગરીબો અને ધાર્મિક કાર્યોમાં અર્પણ કરવાનો તેમજ લંગરમાં જઈને સેવા કરવાનો ખાસો મહિમા છે. </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ગુરૂ નાનકદેવજીએ નીષ્ઠાવાન શીખ લોકોને ત્રણ નિયમોનું પાલન કરવાનું કહ્યું છે. એ ત્રણ નિયમો છે ઈશ્વરની આરાધના, મહેનતની કમાણી અને ગરીબોને દાન.  </font><br/><font  style='font-size:11pt; color:#000000'></font><br/><font  style='font-size:11pt; color:#000000'>ગુરૂ નાનકજયંતિના બે દિવસ પહેલા ગુરૂદ્વારાઓમાં ગુરૂ ગ્રંથ સાહેબનો અખંડ પાઠ કરવામાં આવે છે. </font>]]></content:encoded>
      <pubDate>Sun, 03 Jun 2007 09:49:05 +0530</pubDate>
      <updatedDate>Tue, 08 Apr 2014 19:11:53 +0530</updatedDate>
      <category><![CDATA[Sikh Festivals]]></category>
      <authorname>પરૂન શર્મા</authorname>
    </item>
  </channel>
</rss>
