મંગળવાર, 23 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. દશેરા
Written By
Last Updated : સોમવાર, 16 ડિસેમ્બર 2019 (13:49 IST)

રાવણ પાસે તો અમાપ સમૃદ્ધિ હતી, યુદ્ધની શકિત હતી અને જબરી વિદ્યા હતી...રાવણ વિશે જાણવા જેવુ

ભારતમાં રાવણ વિષે પ્રવર્તતી માન્યનતા અને રામાયણમાં રાવણ વિષે જે કાંઇ કહેવાયું છે તેનાં કરતાં કેટલીયે વિસ્મ યજનક વાતો શ્રીલંકામાં તાજેતરમાં પ્રગટ થયેલા ‘રાવણ, કિંગ ઓફ લંકા' નામના ગ્રન્થેમાં દર્શાવાઇ છે. એમાંથી જે એક સૌથી ચોંકાવનારી વાત વિભીષણે જો દગો ન દીધો હોત અને યુધ્ધ ની ગુપ્ત હકીકતો દુશ્મનનને જણાવી દીધી ન હોય તો રામ રાવણને પરાજિત ન કરી શક્યાન હતો !
 
આ ગ્રન્થમાં એવું જણાવાયું છે કે રાવણ મહાન શાસનકર્તા હતો અને તેણે પોતાની વિશિષ્ટહ આવડત, કુનેહ વડા પ્રચીન શ્રીલંકા અર્થાત લંકાનગરી)ના વૈભવી અને વિરાટ સામ્રાજય ઉપર રાજ કર્યુ હતું. અહેવાલ પ્રમાણે રામાયણના આ વિલન વિષે લખાયેલા આ પુસ્તેકમાં તેના લેખક મિરાન્ડોુ ઓબેસોકરોએ જણાવ્યુંે છે કે, ૧૭૪ પાનાનાં આ પુસ્તાકમાં વર્ણવાયેલ બાબતો એક વખતના પાનવૃક્ષના પાંદડાં ઉપર લખાતાં લખાણોના આધારે તથા પુરાતત્વીયય અવશેષોના આધારે આકલનબધ્ધન કરવામાં આવી છે. અને પુરાવા રૂપ પ્રાચીન લખાણોની પણ આમાં મહત્વ‍ની ભુમીકા છે.
 
આ પુસ્તંક એવું દર્શાર્વે છે કે, રાવણનું મહારાજય દુરદુરના પ્રદેશો સુધી વિસ્તારેલું હતું એવું અગાધ સંશોધન દ્વારા જાણી શકાયું હતું. એ વિરાટ નગરીમાં અત્યાુરનાં નુવારા ઇલીયા, બદુલીયા, પોળોનારુવા, અનુરાધાપુરા, કેન્ડીટ, મોનારાગુડા, પાતાળે અને ચિલોનો સમાવેશ થયો હતો.