સદાબહાર હીરો દેવઆનંદની ફિલ્મ 'ગાઈડ'(1965)ને કોનના આંતરરાષ્ટ્રીય ફિલ્મ સમારંભના ક્લાસિક સેક્શનમાં બતાવવામાં આવશે. મે માં થનારા આ કાર્યક્રમમાં દેવઆનંદ ખાસ કરીને હાજર રહેશે.
પંચ્યાશી વર્ષના દેવ સાહેબના મુજબ આ ફિલ્મ તેમના સમયમાં ખૂબ આગળના થીમ પર બની હતી. જ્યારે આ ફિલ્મ રજૂ થઈ હતી ત્યારે દેહ્સના પવિત્રતાવાદીઓએ ખૂબ જ ધાંધલ કરી હતી. આર. કે નારાયણના ઉપન્યાસ પર આધારિત આ ફિલ્મ હિન્દીની સાથે અંગ્રેજીમાં પણ બની હતી.
દેવને અફસોસ છે કે ફિલ્મના નિર્દેશક અને તેમના ભાઈ વિજય આનંદ આ દુનિયામાં નથી. જો તેઓ હોત તો આ સન્માન મેળવીને ખૂબ જ ખુશ થતા. દેવ આનંદ હાલ પોતાની ફિલ્મ 'ચાર્જશીટ'ના નિર્માણમાં વ્યસ્ત છે. મર્ડર-મિસ્ટ્રી પર આધારિત આ ફિલ્મ ભ્રષ્ટાચાર પર તીખો પ્રહર કરે છે.
|