રાકેશ રોશનની ફિલ્મ 'ક્રેજી 4' પહેલા તો સંગીતની ચોરીના બાબતે મુશ્કેલીમાં આવી ગઈ હતી અને અદાલતની બહાર બે કરોડના સમજૂતીથી રજૂ થઈ શકી.
હવે દિલ્લીના ડોક્ટરોએ ફિલ્મના પાત્રને લઈને ધણા સવાલોથી ધેરી લીધી છે. ફિલ્મનુ એક પાત્ર ગંગાધર(રાજપાલ યાદવ)નુ મગજ ઈતિહાસમાં ભટકતુ રહે છે. આજાદી મળે ધણા વર્ષો થઈ ગયા છે અને તેને ખબર જ નથી. તે સીજોફ્રેનિયાની બીમારીથી પીડિત છે.
ડોક્ટરોનુ તર્ક છે કે આ બીમારી લાંબી ચાલવાવાળી અને ખૂબ તકલીફ આપનારી હોય છે, જ્યારે કે આ ફિલ્મમાં તેને હાસ્યાસ્પદ અને ચાલુ રીતે બતાવી છે. સીજોફ્રેનિયા જેવી ગંભીર બીમારીને મજાક તરીકે બતાવવાને કારણે તે લોકોનુ દિલ દુ:ખી શકે છે જેમના કુંટુંબમાં કોઈ સભ્ય આનો શિકાર બનેલો છે.
તેમના મુજબ ફિલ્મવાળાઓએ સાવધાનીપૂર્વક, પોતાની ફિલ્મોમાં આ પ્રકારની ગંભીર બીમારીઓને દર્શાવવી જોઈએ.
|