નંદિતા છુટાછેડા લેશે

પોતાના નેચરલ અને જીવંત અભિનયને સાબિત કરી ચૂક્યા પછી 'ફિરાક' જેવી ચર્ચિત ફિલ્મ બનાવનારી નંદિતા દાસ પોતાના બીજા પતિથી પણ જુદી થવા જઈર રહી છે. જેને માટે દાસ અને તેના પતિએ દિલ્લીની જાણીતી પટિયાલા હાઉસ કોર્ટમા અરજી કરી છે. બંનેયે 22 ડિસેમ્બર 2002ના રોજ લગ્ન કર્યા હતા. હવે છુટાછેડાનુ કારણ તેમણે પરસ્પર તાલમેલનો અભાવ બતાવતા કહ્યુ છે કે તેઓ પહેલાથી જ જુદા રહે છે, અને હવે કાયદેસર છુટાછેડા ઈચ્છે છે. આ બંને જણે છુટાછેડા માટે સંયુક્ત રૂપે અરજી કરી છે. નંદિતાના પતિ સૌમ્ય સેન જાણીતા જાહેરાત નિર્માતા છે અને કલકત્તાથી પોતાનો બિઝનેસ ચલાવે છે. અરજી મળ્યા પછી કોર્ટે બંનેના નિવેદન લીધા છે, અને નિયમાનુસાર બંનેને છ મહિના પછી આવવાનુ કહ્યુ છે.