વિવેક યોગની શરણમાં

જ્યારે માણસની જીંદગી અશાંતિથી ભરાય જાય છે ત્યારે એ શાંતિની શોધમાં જાય છે. વિવેક ઓબેરોયનુ મન અશાંત રહેવા લાગ્યુ તો એ યોગની શરણમાં ભાગ્યા. યોગ કર્યો અને તેમનુ મન શાંતિથી ભરાય ગયુ. વિવેકનુ કહેવુ છે કે તેઓ પહેલા કરતા વધુ શાંત અને સ્ફૂર્તિવાન અનુભવી રહ્યા છે. વિવેકનુ મન અશાંત કેમ હતુ ? સલમાન સાથે પંગો, ફ્લોપ ફિલ્મોનો ઢગલો અને સૌથી મોટી વાત એશ્વર્યા રાય સાથે સંબંધ તૂટવો. હવે આટલી બધી મુસીબતો ભેગી થઈ જાય તો આપણા હીરોનુ મન કેવી રીતે શાંત રહી શકે છે.