નવી દિલ્હી. બોલીવુડ અભિનેત્રી રાની મુખર્જીએ કહ્યું કે, તેમના લગ્નને લઈને ઘણી અફવાઓ ઉડાળવામાં આવી રહી છે કેમકે આવા સમાચાર જાણ્યા બાદ તેમની પાસે કામ લઈને આવતાં ઘણાં નિર્માતાઓ પોતાના મનને બદલી દે છે.
ખાનગી સમાચાર ચેનલના જણાવ્યાનુસાર રાનીનું કહેવું છે કે, લગ્નને લઈને સતત ત્રણ વર્ષથી અફવાઓ ઉડી રહી છે. આ પ્રકારની અફવાઓને લીધે તેમના કેરિયર પર અસર પડ છે.
જાણકારી મળ્યાં મુજબ રાનીને કહ્યું હતું કે, તે તેમના પરિવારમાં એકમાત્ર છોકરી છે તેથી તેના લગ્ન ખુબ જ ધામધુમથી થશે. વધારેમાં જણાવતાં તેણે કહ્યું હતું કે, યોગ્ય જીવન સાથી મળી જશે ત્યારે તે લગ્ન કરી લેશે પરંતુ સાથે સાથે કામ પણ કરતી રહેશે.