'માઈ નેમ ઈઝ એંથોની ગોન્જાલવેજ' થી પોતાના ફિલ્મી સફરની શરૂઆત કરનારા અભિનેતા નિખિલ ત્રિવેદી કંઈક બદલાયેલા લુકમાં નજરે ચડશે.
હકીકતમાં નિખિલ આજકાલ મણિરત્નમની એશ્વર્યા રાય અને અભિષેક બચ્ચન સ્ટારર ફિલ્મ 'રાવણ' માં કામ કરી રહ્યાં છે. સમાચાર છે કે, ફિલ્મના એક સ્પેશ્યલ શૂટ માટે મણિએ નિખિલના વાળ કપાવી નાખ્યાં. જો કે, પહેલા નિખિલે વાળ કાપવવા માટે આનાકાની કરી પરંતુ અંતે મણિના કહેવા પર તેમને વાળ કપાવવા જ પડ્યાં.
જાહેર છે કે, મણિરત્નમ ઈંડસ્ટ્રીનું સૌથી મોટું નામ છે અને તેના અલગ અંદાજના કારણે જ તમામ સ્ટાર તેની સાથે કામ કરવા માટે ઉત્સુક રહે છે. એવામાં જો નિખિલને વાળ કપાવાની કીમત પર તેમની સાથે કામ કરવાનો મૌકો મળી ગયો, તો તે કોઈ નુકસાનનો સોદો નથી.