થોડા દિવસો પહેલા એશ્વર્યાના મોઢામાંથી એક વાત શુ નીકળી માનો એ વાતને પાંખો મળી ગઈ, અને એ વાત ચારે બાજુ ફેલાય ગઈ. વાત એમ હતી કે એશ્વર્યા પોતાના નજીકના મિત્રો સાથે ચર્ચા કરી રહી હતી જેમાં તે કેટલીક મહત્વપૂર્ણ ફિલ્મો છુટી જવાની ચર્ચા કરી રહી હતી. એશન કહેવા મુજબ પ્રખ્યાત નિર્દેશક મણિરત્નમની ફિલ્મ 'મુંબઈ' તેણે એ માટે ન કરે કારણે કે એ વખતે તે મિસ ઈંડિયાની હરીફાઈની તૈયારીમાં વ્યસ્ત હતી. ત્યારબાદ એશ્વર્યા દ્વારા મનાઈ થતા ફિલ્મ 'મુંબઈ'માં મનીષા કોઈરાલાને લેવામાં આવી અને જેવુ કે બધા જાણે જ છે એક મનીષાએ આ ફિલ્મમાં ધૂમ મચાવી દીધી હતી.
IFM
એટલુ જ નહી મનીષાને એશ દ્વારા છોડવામાં આવેલ બે ફિલ્મો વધુ મળી. જેમાં શંકરની 'હિન્દુસ્તાની (તમિલમાં ઈંડિયન) અને સંજય લીલા ભંસાલીની 'ખામોશી'. મનીષાએ આ ફિલ્મોમાં પણ ગજબનુ કામ કર્યુ હતુ. હવે થોડી વાર માટે વિચારે લઈકે આ ફિલ્મોમા એશ્વર્યા રાય હોત તો આ ફિલ્મો કેવી હોત ? આ અંગેની ચર્ચા બોલીવુડમાં ચાલી રહી છે.