બૉલીવુડ અભિનેત્રી સેલિના જેટલીએ ગરીબીનો ડંખ વેઠ્યો છે તેની આર્થિક સ્થિતિ એટલી ખરાબ હતી કે, તેને સેનામાં ભરતી થવું પડ્યું. પોતાના જીવનના આ રહસ્યથી સેલિનાએ ખુદ પડદો ઉઠાવ્યો છે. નાના પડદાના શો રાજ પિછલે જન્મ કા માં સેલિનાએ પોતાના પાછલા જન્મનું આ રહસ્ય બતાવ્યું છે.
સેલિનાએ જણાવ્યું છે કે, તે પાછલા જન્મમાં પુરૂષ હતી. તેની આર્થિક સ્થિતિ સારી ન હતી. પોતાના પરિવારના ભરણ-પોષણ માટે તે સેનામાં ભરતી થઈ. એક યુદ્ધ દરમિયાન તેના પગમાં ડાબી તરફથી લાગેલી ઈજાથી તેનું મૃત્યુ નિપજ્યું. આ જાણીને આપને હેરાની થશે કે, સેલિના પોતાના પેટના ડાબા ભાગે આજે પણ દુખાવો અનુભવે છે.
સેલિના કહે છે કે, ગત જન્મના રહસ્ય મને હમેશા આકર્ષિત કરે છે. આ વિષય પર મે અનેક પુસ્તકો પણ લખ્યાં છે.