પાંચ ઓડિશન પછી કામ મળ્યુ

પોતાનુ સ્થાન બનાવવા માટે સંઘર્ષ કરી રહેલ અભિનેરી ગૌહર ખાને ફિલ્મ 'રોકેટસિંહ..'એ ઘણો સહારો આપ્યો છે. ફિલ્મ તો ફ્લોપ ગઈ પરંતુ ગૌહરના અભિનયની ચર્ચા થઈ. અત્રે એ ઉલ્લેખનીય છે કે આ ફિલ્મમાં ગૌહરે રિસેપ્શનિસ્ટનો રોલ ભજવ્યો હતો. બિંદાસ બોલનારી આ રિસેપ્શનિસ્ટ સાફ દિલની છે. અને ફિલ્મના હીરો એટલે કે રણબીર કપૂર પ્રત્યે લાગણી ધરાવે છે. ગૌહરે પોતાનુ ચરિત્ર એ રીત ભજવ્યુ છે કે યશરાજ ફિલ્મ્સના મુખ્ય પ્રણેતા યશ ચોપડાએ પણ તેમના વખાણ કર્યા છે. એ સમયને યાદ કરતા ગૌહર કહે છે કે તેઓ મારી તમામ પ્રશંશા ઉપર લાગનારી ફ્રેમ જેવા છે. એ જાણવુ રસપ્રદ છે કે રોલ મેળવવા ગૌહરને ખૂબ જ સંઘર્ષ અને હરીફાઈ કરવી પડી હતી. તે માટે તેમને પાંચ ઓડિશન થયા હતા. ત્યારે તેમની પસંદગી કરવામાં આવી. આને પણ તેઓ પોતાની મોટી સફળતા માને છે. હવે એક અભિનેત્રી તરીકે પોતાને વધુ સારી અભિનેત્રી બનાવવાની વાતો કરનારી ગૌહરનુ કહેવુ છે કે - ટેલેંટ હોય તો ચાલે જ છે. જોઈએ હવે આવનારી ફિલ્મોમા તે પોતાનુ કેવુ ટેલેંટ બતાવે છે.