મુખ પૃષ્ઠ > મનોરંજન > બૉલીવુડ > કલાકારોની પ્રોફાઇલ
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
બાળપણના એક બાપુજી હતા......
હરિવંશરાય બચ્ચન જન્મતિથિ વિશેષ

N.D
અમિતાભ બચ્ચનના જીવનનું 65મું વર્ષ તેમના પિતા ડૉ. હરિવંશરાય બચ્ચનના જન્મનું શતકીય વર્ષ છે. અમિતાભ પોતે યુવા પુત્ર-પુત્રીના પિતા છે. અને બે પ્રેમાળ બાળકોના નાનાજી છે. એકદમ વ્યસ્ત જીંદગી છે આવામાં અડધી સદીથી પણ જુની વાત કરવાનુ તેઓ પસંદ કરશે કે નહી, એવો સંકોચ જરૂર મનમાં થયો. પણ એક દિવસે મે કહી જ દીધુ કે અમિત થોડો સમય હોય તો આપણે બાપુજીની વાતો કરીએ. મેં જેવી આશા રાખી હતી તે મુજબ તેમણે હા પણ પાડી. એવું લાગ્યુ કે જાણે સમય રોકાઈ ગયો. અમિતજીએ જેમ જેમ ભૂતકાળની ગલીઓમાં જવાનું શરૂ કર્યુ તેમ તેમ તે તેમાં વધુને વધુ ઉંડા ઉતરતા ગયા.

અમિતાભનું કહેવુ છે કે હુ આને મારુ સૌભાગ્ય માનુ છુ કે મારો જન્મ માઁ અને બાપુજી જેવા માતા-પિતાના ઘરે થયો. સારા સંસ્કાર આપવાનુ શ્રેય તેમને જ જાય છે. તે બંને પોતે જુદા જુદા કુંટુબમાં જન્મ્યા હતા. મા ખૂબ શ્રીમંત અમીર સીખ કુંટુંબની દીકરી હતી, જ્યારે બાપુજી એક લોઅર મિડલ ક્લાસ ગરીબ કાયસ્થ ઘરમાં જન્મ્યા હતા. માઁ એક એકદમ આધુનિક શહેર લાહોરના વાતાવરણમાં ઉછરી હતી અને બાપુજી એક એતિહાસિક, ધાર્મિક અને સાંસ્કૃતિક અને સાહિત્યિક નગર ઈલાહાબાદમાં જીવ્યા. બંનેના પારિવારિક મૂલ્યો ઘણા ઉંચા, પવિત્ર અને વિશિષ્ટ હતા. પણ બંને હતા બે ધ્રુવો પર . એક એકદમ પશ્ચિમી અને બીજો ઠેઠ પૂરબવાસી. એકનું ભણતર અંગ્રેજી માધ્યમમાં અને બીજાની શિક્ષા હિન્દી અને ફાસસીમાં. બંનેની વચ્ચે એક વસ્તુ જરૂર હતી જે એક જેવી હતી અને તે હતી - ધાર્મિક આસ્થા. તેથી આ બંનેના મિશ્રણથી હું જે બન્યો તેના બાળપણથી જ એક કાનમાં રામચરિત માનસ ગૂંજી અને બીજા કાનમાં ગુરૂવાણી.

અમે બંને ભાઈઓ આ બે વિચારધારાઓના સુંદર મેળાપમાં ઉછર્યા હતા. ફક્ત વિચારો જ નહી મા-બાપુજી અમારી માટે એકબીજાના પૂરક પણ હતા. એક વાત યાદ આવી રહી છે. - જ્યારે અમે 17 ક્લાઈવ રોડ ઈલાહાબાદમાં રહેતા હતા. તે ઘર પાસે રાણી બેતિયાની એક મોટી હવેલી હતી. ચારે બાજુ ઊંચી-ઊચી દિવાલ હતી. કોઈ પણ અંદર જઈ શકતુ નહોતુ. ખૂબ જ રહસ્યમય લાગતી હતી તે હવેલી. મને અંદર જવાની ઘણી ઉત્સુકતા હતી. એક દિવસ ત્યાના ચોકીદારે કહ્યુ કે ચાર આના આપો તો હું અંદર જવા દઈશ. માઁ ના ડ્રેસિગ ટેબલ પર એક ડબ્બો રહેતો હતો. તેમા કેટલીક બંગડીઓ, ક્લિપ વગેરે રહેતી. કદી કદી તેમણે મેં અંદર પૈસા પણ મૂકતા જોયા હતા તેથી એક દિવસ મેં ચૂપચાપ જઈને ચાર આના ચોરી લીધા અને પેલા ચોકીદારને આપી દીધા. એ દૃષ્ટે પૈસા હજમ કરી લીધા અને અંદર જવા પણ નહી દીધા. તેનું ફ્રસ્ટ્રેશન તો થયુ ઉપરથી માઁ નો માર પણ પડ્યો. માઁ તો મારીને પોતાના કામમાં લાગી ગઈ. પણ બાપુજીને કદાચ લાગ્યુ કે બાળકને આ રીતે મારવો નહી જોઈએ. તેથી તેમને માઁ ને તો કશું નહી કહ્યુ પણ મને એકલાને બોલાવીને સમજાવ્યો કે ચોરી નહી કરવી જોઈએ. તને જ્યારે જે વસ્તુની જરૂર હોય તે અમને પૂછીને લેવી જોઈએ. અમારી પાસેથી માંગવી જોઈએ. અમે તે આપી શકીશું તો જરૂર આપીશુ. અને જો શક્ય નહી હોય તો સમજી લેજે કે અમારા હાથની વાત નથી. અને તે પણ થોડી સબર કરવી જોઈએ. તેમની આવી વાતો બાળમન પર સ્થાયી પ્રભાવ છોડી જતી હતી. અને મનમાં દુ:ખ પણ નહોતુ થતુ.

પછી તો અમિતાભને આ પ્રકારની દરેક વાતો યાદ આવવા માંડી. મેં જ્યારે તેમને યાદ દેવડાવ્યુ કે બાળપણની દરેક નાની-મોટી વાતનું ધ્યાન રાખતા જ હતા. પણ જ્યારે તે થોડા બીમાર અને અશક્ત થઈ ગયા ત્યારે પણ તેમની તાકતનો સ્તોત્ર હતા. દરેક પરેશાની વખતે તે ભલે તમારી જોડે વાત ન કરે પણ તેમનું તમારી પાસે ચૂપચાપ બેસવું જ તમારામાં શક્તિનો સંચાર કરતુ હતુ.

મે તેમને પૂછ્યુ કે તમારી શિક્ષા-દીક્ષા કોંવેંટમાં થઈ, પણ કદાચ બચ્ચનજી આના પક્ષમાં નહોતા ? ત્યારે તેમણે કહ્યુ - હા, બાપુજીની આત્મકથા વાંચતા મને ખબર પડી કે માઁ અને તેમની વચ્ચે આ વાતને લઈને વિવાદ થતો હતો. હું સમજુ છુ કે સારુ જ હતુ. જે થયુ તે સારુ થયુ. છેલ્લે અમે પણ પૂરબ અને પશ્ચિમનું બરાબર મિશ્રણ મેળવી જ લીધુ ને. બાપુજીને માતૃભાષા પ્રત્યે અતૂટ પ્રેમ હતો અને પોતાની પરિસ્થિતિઓથી સંતુષ્ટ અને કદાચ મર્યાદિત. માઁ ના વિચારો થોડા વધુ વિસ્તારીત હતા. તેમણે કદાચ આવનારા કાલની થોડો ભણકારો થઈ રહ્યો હતો. આજના ગ્લોબલ વિસ્તારને જોતા એવું લાગે છે કે માતાજીએ તે સમયે જે નિર્ણય લીધો તે સાચો હતો. વિકસિત દેશોમાંથી જે આઉટ સોર્સિગ થઈ રહી છે તે ભારતીયોને વધુ મળે છે. કારણકે આપણે હિન્દીભાષી તો છીએ જ, અને ઉપરથી અંગ્રેજીનું પણ સારું જ્ઞાન છે. ચીન અમારા કરતા વધુ વિકસીત દેશ છે પણ તેમને આટલા નથી મળતા કારણકે ત્યાં ભાષાની સમસ્યા છે.

મેં કહ્યુ - સારુ થયુ કે બચ્ચનજી માની ગયા. કારણકે માની પણ એટલા માટે ગયા કે તે કહેવાતી ભારતીયતાના લકીરના ફકીરની જેમ હિમાયતી નહોતા. તેમણે તમામ ભારતીય કુરીવાજોનો વિરોધ પણ કર્યો હતો.

અમિત બોલ્યા - બાપુજીના મનમાં એક ખાસ પ્રકારનો આક્રોશ હતો. રીતિ-રિવાજ, જાતિ-પ્રાઁતિ આ બધાથી તે ઉપર આખી દુનિયાને તે એવા રસ્તે ચાલવા મજબૂર કરે એવું નહોતા વિચારતા. તેમની વિચારધારા ખૂબ જ ડેમોક્રેટિક અને ફ્રી હતી.

અમિત પછી થોડા ગંભીર થઈને બોલ્યા - જુઓ તેઓ બોલતા ઓછુ હતા. તેમના કર્મ બોલતા હતા. તે પછી અમારા પર આધાર રાખે છે કે અમે તે કર્મોને કેટલુ સમજીએ છીએ. મનની વ્યથા પીડા, કષ્ટ, દુવિધા બધુ વ્યક્ત કરવા માટે ઈશ્વરે જ્યારે અમને કોઈ માધ્યમ, કોઈ ગુણ આપ્યા છે તો તેમાં ક્લીન થઈને પોતાની અંતરાત્માને સંભાળીને રાખવી જ જોઈએ. મારી સામે કેમેરા આવે કે મારી ક્રિએટીવીટી જાગૃત થઈને મારી દરેક પીડાનો ઉપાય પોતે જ શોધી લે છે. કેટલાંક લોકો આવું કરી પણ નથી શકતા. પીડાથી મુક્ત થવા તે અલગ અલગ માધ્યમ શોધે છે. નશો તે બધામાં સૌથી ઉપર છે. દારૂનું, સિગરેટનુ, ડ્રગ્સનુ.... આવા માણસો કમજોર હોય છે. મારું માનવુ છે કે જો ક્રિએટીવીટી નામની આ જે વસ્તુ છે તે ફક્ત કલાકારો કે સાહિત્યકારો પાસે જ નથી હોતી, તે તો મનુષ્યમાત્રની અંદર સમાયેલી છે. ઈશ્વરની આ સૌથી મોટી દેન છે, જેને ઓળખવી અને ઓળખીને તેને પ્રકાશિત કરવી એ મનુષ્યનું કામ છે. તે માટે સંઘર્ષ કરવો પડે છે.
1 | 2  >>  
ઘણું બધુ
સુષ્મિતા સેન આજે 33 વર્ષમાં પ્રવેશી
અશોક કુમાર
હું હિન્દુસ્તાનનો શહેનશાહ પણ છુ - પૃથ્વીરાજ કપૂર
નેહા ધૂપિયા
એશને ખુબ ખુબ શુભકામનાઓ
બલરાજ સહાની