મુખ પૃષ્ઠ > મનોરંજન > બૉલીવુડ > કલાકારોની પ્રોફાઇલ
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
કરોડોના રજનીકાંત
જન્મદિવસ વિશેષ

W.D
રજનીકાંત ઉર્ફ શિવાજીરાવ ગાયકવાડની લોકપ્રિયતા અને તેના પારિશ્રમિક પર નજર નાખીએ તો હિન્દી ફિલ્મ ઉદ્યોગના બધા ટોચના કલાકારો તેમની સામે નાના લાગે છે. ત્રણે ખાન નાયકો સિવાય જો એક્શન કિંગ અક્ષય કુમારનુ પારિશ્રમિક પણ જોડવામાં આવે તો રજનીકાંતની કમાઈ વધુ જોવા મળે છે.

કોન ફિલ્મોત્સવની મોટા ભાગની રિપોર્ટ મુજબ રજનીકાંત અભિનીત છેલ્લી ફિલ્મ ચંદ્રમુખી વિશ્વની સૌથી વધુ આવક કરનારી ફિલ્મમાં સમાવવામાં આવી છે. વિદેશમાં આ ફિલ્મએ 25 લાખ ડોલર કમાવ્યા. આ આધાર પર કોન સિને સમારંભના આયોજકોની નજર રજનીકાંત અભિનીત ફિલ્મો પર ગઈ. પારિશ્રમિકની દ્રષ્ટિએ રજનીકાંત એશિયામાં જેકી ચેન પછી સૌથી વધુ પૈસા કમાવનારા કલાકાર છે.

ટિકીટ બારી પર આ બેતાજ બાદશાહની કમાણી કરવાનો અંદાજ પણ જુદો જ છે. રજનીકાંતે પોતાની મેગા હિટ ફિલ્મ 'ચંદ્ર મુખી' માત્ર 1001ની શુકન જેટલી રકમ પર જ સાઈન કરી હતી. નિર્માતા સાથે કરાર કર્યો હતો કે જો ફિલ્મ સફળ થશે તો યોગ્ય પારિશ્રમિક સિવાય થનારા ફાયદાના 50 ટકા ભાગ નાયક એટલેકે રજનીકાંતને આપવામાં આવશે. આ આધારે 'ચંદ્રમુખી' ને માટે આ દક્ષિણ ભારતીય કલાકારને 17 કરોડનું પારિશ્રમિક મળ્યુ.

પોતાની ફિલ્મ 'શિવાજી' માટે રજનીકાંત પારિશ્રમિકની હરીફાઈમાં બધા કલાકારોથી આગળ નીકળી ગયા. આ વખતે તેમને 20-25 કરોડ સુધી ધન મળ્યુ છે. ચઢતી ઉંમર હોવા છતાં કોઈ કલાકારને આટલી રકમ મળવી એક આશ્ચર્ય છે. રજનીકાંતે તાજેતરમાં જ કેટલીક ફિલ્મોમાં વિવિધ રંગના પાત્રની સફળતાપૂર્વક નિભાવ્યા. તે મુથુમાં સેવક, અન્નમલાઈમાં દૂધ વિક્રેતા, ભાષામાં રિક્ષા ચલાવનાર, દકપતિમાં ડોન અને બાબામાં ઠગના રૂપમાં જોવા મળ્યા.

જાપાનમાં તેમની ફિલ્મ 'મુથુ' એ એટલી ધૂમ મચાવી કે કેટલાય જાપાનીઓ તેમને મળવા ભારત આવી પહોંચ્યા. આજે પણ રજનીકાંત જાપાનીઓની પહેલી પસંદ છે. ભૂમિકા પસંદ કરવાની બાબતે રજનીકાંત હંમેશા સજાગ રહે છે. એક તમિલ ફિલ્મનો પ્રસ્તાવ તેમણે એટલા માટે નકારી દીધો કે તેની રાજનીતિક કથાવસ્તુ તેમને ગમી નહોતી.

દક્ષિણમાં અભિનેતાઓને પૂજવાની પરંપરા છે. પણ એમ,જી.આર, શિવાજી ગણેશન, એન.ટી.આર જેવા કલાકારો દક્ષિણ ભારતની બહાર પોતાની ઓળખાણ ન બનાવી શક્યા. અંધા કાનૂન, હમ, ચાલબાજ, ગિરફતાર, જેવી એકાદ-બે ફિલ્મોમાં નજર આવનારા હિન્દી સિનેમામાં રજનીકાંતને સફળતા વધુ નથી મળી.

W.D
રજનીકાંતમ કમલ નયન

રજનીકાંત નામનો અર્થ થાય છે રાતને અલૌકિક કરનારો પ્રકાશ. મહારાષ્ટ્ર રોડવેઝની બસોમાં પરિચાલકના રૂપમાં પોતાનુ કેરિયર શરૂ કરનારા રજનીકાંતનુ અસલી નામ શિવાજીરાવ ગાયકવાડ છે. સિનેમા પ્રત્યે પ્રેમ તેમને ચેન્નઈની ફિલ્મ ઈંડસ્ટ્રી સુધી લઈ ગયો. દક્ષિણ ભારતીય દર્શક તેમના મૈનરિજ્મના ધેલા રહ્યા છે.

ડદાં પર હીરોના રૂપમાં રજનીકાંતે વધુમાં વધુ રોબિન હુડ જેવી ફિલ્મો નિભાવી છે, અર્થાત શ્રીમંતોનો દુશ્મન, ગરીબોનો મસીહા. ચશ્મા પહેરીને અને સિગરેટ સળગાવવાનો ખાસ અંદાજ રજનીકાંતને સુપર સ્ટાર બનાવી ગયો. જીવનના ઉત્તરાર્ધમાં આ મહાન કલાકારે ઈશ્વરની ઉપાસનામાં લગાડી દેવામાં આવ્યા છે. તેઓ કેસરી રંગના કપડાં પહેરવા પસંદ કરે છે.
ઘણું બધુ
ટ્રેજેડી કિંગ દિલીપસાહેબનો બર્થ-ડે
રોમાંસિંગ વિથ દેવ આનંદ
બાળપણના એક બાપુજી હતા......
સુષ્મિતા સેન આજે 33 વર્ષમાં પ્રવેશી
અશોક કુમાર
હું હિન્દુસ્તાનનો શહેનશાહ પણ છુ - પૃથ્વીરાજ કપૂર