ગાંધીજીના અંગત સચિવ મહાદેવભાઈ દેસાઈના પુત્ર અને ગાંધીજી સ્થાપિત ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિ નારાયણભાઈ દેસાઈ બાપુના વિચારોને વિદેશમાં પહોંચાડવાના રળીયામણા સ્વપ્ન સાથે અમેરિકા રવાના થયા છે. 24, ડિસેમ્બર 1924ના રોજ જન્મેલા ગાંધીજીના આ બાબલાની ઉમર હાલમાં 84 વર્ષની છે. તેઓ છેલ્લા ઘણા વર્ષોથી ગાંધીજીના અમૂલ્ય વિચારોનો ગાંધીકથા દ્વારા ફેલાવો કરી રહ્યા છે. અત્યાર સુધી તેઓ લગભગ 56 ગાંધીકથા કરી ચૂક્યા છે....