સામાન્ય રીતે બાળકનો શારીરિક વિકાસ તેમજ પાચનક્રિયાને યોગ્ય બનાવવા માટે જે પોષક તત્વોની જરૂરત હોય છે તે બધા જ પોષક તત્વો મધમાં હોય છે.
મધની અંદર રોગો સામે લડવાની ક્ષમતા હોય છે. એટલા માટે આયુર્વેદમાં ચિકિત્સા શાસ્ત્રોમાં મધને માતાના દૂધ પછી સૌથી વધારે પોષક તત્વ ધારક રત્નની સંજ્ઞા આપવામાં આવી છે.
મધમાં વિટામીન 'એ' તેમજ 'બી' ભરપુર માત્રામાં હોય છે. આ સિવાય કાર્બનિક અને અકાર્બનિક તત્વોનો સંગ્રહ પણ હોય છે. જેથી કરીને મધ આ બધા તત્વોના અભાવથી થતા રોગોથી બાળકને બચાવે છે તેમજ આ તત્વોની ઉણપને પણ પુર્ણ કરે છે.
તેવા બાળકો જેમની પાચન ક્રિયા સરખી નથી હોતી તેમને દૂધ, દહી, ભાત, દલિયા, કેળા, કાકડી વગેરેની સાથે થોડીક માત્રામાં મધ આપવામાં આવે તો પાચન સરળતાથી થઈ જાય છે.