- ખોડાને લીધે જો વાળ ખરતાં હોય તો એક ચમચી ત્રિફળા ચુર્ણ એક કપ નવાયા પાણીની સાથે લો કે 500 મિલી. ગ્રામ ત્રિફળાની ગોળી લો. આવું રાત્રે સુતી વખતે બે મહિના સુધી કરવું. - જો તમારૂ શરીર દુ:ખતુ હોય તો તેલની માલિશ કરાવડાવો. શરીર પર દરરોજ સ્નાન કરવાના અડધો કલાક પહેલાં નીચેથી ઉપરની તરફ તેલની માલિશ કરો. - ખીલથી બચવા માટે મસુરની દાળને ઘીમાં શેકી લો. ઠંડુ થાય એટલે તેમાં દૂધ ભેળવી લો અને આ રીતે પેસ્ટ તૈયાર કરો. આને ચહેરા પર લગાવો. તે સુકાઈ જાય એટલે તેને ધોઈ લો. આવું એક થી બે મહિના સુધી કરો. |