સલાહ | લેખ | ઘરની શોભા | ચાઇલ્ડ કેર
મુખપૃષ્ઠ » વિવિધ » સૌંદર્ય » સલાહ » ચહેરા પર કુદરતી નિખાર લાવો
Feedback Print Bookmark and Share
 

N.D
- એક સારી ક્વોલીટીના સાબુ પર થોડીક ખાંડ ભભરાવીને ચહેરા પર થોડીક વાર સુધી ઘસો, ત્યાર બાદ પાણી વડે ચહેરો સાફ કરી લો. આ સ્ક્રબ ત્વચા પરના ડાઘને દૂર કરી દેશે.

- બે ચમચી દૂધ અને અડધી ચમચી મધમાં ઈંડુ ભેળવી લો. આને આંખોનો ભાગ છોડીને ચહેરા પર અને ગરદન પર લગાવી લો. 15 મિનિટ પછી નવાયા પાણી વડે ધોઈ લો તેનાથી કુદરતી નિખાર આવી જાય છે.

- મસૂરની દાળને રાત્રે પાણીમાં પલાળી દો. સવારે તેને પીસીને તેમાં મધ કે દહી ભેળવી લો. આને ચહેરા અને ગરદન પર સારી રીતે લગાવી દો અને 20 મિનિટ પછી ચહેરો ધોઈ લો. આનાથી ગળાની અને ચહેરાની કાળાશ દૂર થશે અને ચહેરામાં ચમક પણ આવી જશે.

- ચહેરાની મૃત ત્વચાને દૂર કરવા માટે લીંબુની છાલને સુકવીને પાવડર બનાવી લો. આ પાવડરમાં લીંબુનો રસ અને ગ્લીસરીન ભેળવી દો. આને ચહેરા પર લગાવીને 20 મિનિટ સુધી ધીમે ધીમે મસાજ કરો. ત્યાર બાદ ચહેરાને સાદા પાણી વડે ધોઈ લો.
સંબંધિત જાણકારી શોધો