- ખજુરના ઝાડમાંથી રસ કાઢીને 'નીરા' બનાવવામાં આવે છે આને જો તરત જ પીવામાં આવે તો આ ખુબ જ પૌષ્ટિક અને બળવર્ધક હોય છે અને થોડોક સમય રાખીને પછી પીવામાં આવે તો દારૂ બની જાય છે, પરંતુ આ દારૂ નુકશાન કરે છે. આના રસથી ગોળ પણ બનાવવામાં આવે છે. આનો ઉપયોગ વા અને પિત્તનું શમન કરવા માટે કરવામાં આવે છે.
- દમના રોગીને દરરોજ સવાર અને સાંજ 2-2 ખારેક એકદમ ચાવી ચાવીને ખાવી જોઈએ. આનાથી ફેફસાઓને તાકાત મળે છે અને કફ તેમજ શરદીનો પ્રકોપ પણ ઓછો થઈ જાય છે.
- ખારેકમાંથી ઠળિયા કાઢીને તેને દૂધમાં ઉકાળીને ગાઢી કરી લો. ખારેક ગળી જાય એટલે સુકા મેવા નાંખીને એકદમ મિક્સ કરી લો. આ દૂધ વધતાં બાળકો માટે ખુબ જ ગુણકારી છે.