- પાચન ક્રિયાની ખરાબીને લીધે શ્વાસ દુર્ગંધયુક્ત થઈ જાય છે. તેનાથી છુટકારો મેળવવા માટે પાંચ મુનક્કા અને પાંચ ઈલાયચીના દાણાને છોલીને મોઢામાં મુકવાથી શ્વાસની દુર્ગંધ દૂર થાય છે.
- અજીર્ણ, કફની ખરાબી, અપચાને લીધે મોઢામાંથી વાસ આવતી હોય તો દરરોજ નિયમિત 10 ગ્રામ મુનક્કા ખાવા જોઈએ.
- ચાંગેરીના ચાર પાંચ પાનને પાનની જેમ મોઢામાં રાખવાથી શ્વાસની દુર્ગંધથી છુટકારો મેળવી શકાય છે.
- 10 ગ્રામ ધાણાને નિયમિત ચાવવાથી પણ મોઢાની વાસ દૂર થાય છે.