ફળો પુષ્ટિકારક તો હોય જ છે પણ તેની સાથે સાથે વિટામીન અને પ્રાકૃતિક ખનીજોથી ભરેલા હોય છે. જે આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ ઉપયોગી હોય છે. આના અભાવથી શરીરમાં થોડીક નબળાઈ આવી જાય છે. ફળોની અંદર જે પચેલુ ભોજન રહે છે તેને ખાતા અને તેનો રસ પીતાની સાથે જ શરીરમાં સ્ફુર્તિ આવી જાય છે અને થકાવટ દૂર થઈ જાય છે. ફળોના માધ્યમ વડે અન્ય ભોજન પણ સરળતાથી પચી જાય છે. ઘણાં બધા ફળોની અંદર પેપ્ટીન નામનો એક ખાદ્ય પદાર્થ હોય છે જે ભોજનનું પાચન કરવામાં મદદ કરે છે. ફળોનો રસ ઝડપથી પચી જતો હોવાને લીધે બાળકો માટે ઘણો ઉપયોગી છે. ટામેટા અને સંતરાનો રસ પીવડાવવાથી બાળકોને સ્વાસ્થ્યમાં ખુબ જ લાભ થાય છે. ફળોના રસ કૃમિનાશક હોય છે. તેમના ઉપયોગથી આપણા શરીરમાં રહેલા કિટાણુ નષ્ટ થઈ જાય છે કેમકે ફળોની અંદર સાઈટિક અમ્લ હોય છે અને તેમના સંપર્કમાં આવીને કીટાણું એક સેકંડ માટે પણ ઉભા નથી રહી શકતાં. લીંબુ અને ખાટા ફળોનો રસ તો આ કામને વધારે ઝડપથી કરે છે. |