હૃદય રોગીઓ માટે એક સારા સમાચાર છે કે હવે દરરોજ પાંચથી છ ગોળી ખાવાની કોઈ જ જરૂરત નથી. સાથે સાથે હવે દવાઓની સાઈડ ઈફેક્ટની પણ કોઈ જ ચિંતા નથી. અમદાવાદમાં આવેલ ફાર્માસ્યુટિકલ કંપની જાઈડસ કેડિલા હવે ઝડપથી બજારમાં એક નવી દવા લાવી રહી છે 'પોલીકેપ'. આ દવા 'પોલીકેપ' એસ્પિરિન અને કોલેસ્ટ્રોલ ઓછી કરનાર દવા સ્ટિટિન સિવાય હાઈપરટેંશન રોધી ત્રણ દવાઓનું એક સફળ મિશ્રણ છે. આનાથી કોરોનરી ડિસીઝનું જોખમ 62 ટકા તેમજ સ્ટ્રોકનો ભય 48 ટકા ઓછો થઈ જશે. હૃદયરોગ વિશેષજ્ઞ ડો. સલીમ યુસુફે કહ્યું છે કે અત્યાર સુધી આ દવાના બીજા તબક્કાનું જ પરિક્ષણ કરવામાં આવ્યું છે. ત્રીજા તબક્કાનું પરિક્ષણ હજી બાકી છે. પરંતુ કંપની ત્રીજા તબક્કાનું પરિક્ષણ કરતાં પહેલા જ આ દવાને બજારમાં લાવવાનો નિર્ણય કરી ચુકી છે. કેમકે આની અંદર જેટલી પણ દવાઓનું મિશ્રણ છે, તેનો વર્ષોથી આખી દુનિયામાં ઉપયોગ થઈ રહ્યો છે. આ દવા તે લોકો માટે છે જે પહેલાથી જ હૃદયરોગની દવાઓ ખાઈ રહ્યાં છે. આ દવા દમના રોગી, હાઈ બ્લડપ્રેશર કે ગૈસ્ટરાઈટિસના દર્દીઓ માટે નથી. |