વરસાદની ઋતુમાં છ બિમારીઓથી ખાસ બચવું જોઈએ- મેલેરિયા, ડેંગ્યું, ઝાડા-ઉલ્ટી, ટાયફોડ, પીડિયો અને ખરજવા જેવા ચામડીના રોગોથી. આ સિવાય ઝેરીલા જીવ-જંતુઓના ડંખ પણ ઘણાં લોકોને હેરાન કરે છે. સાપ કરડવાનો અને કુતરા કરડવાનો પણ ભય આ ઋતુમાં સૌથી વધારે રહે છે. આ બધા જ રોગો થવાનું મુખ્ય કારણ છે વરસાદને લીધે હવામાનમાં આવેલ ભેજનું પ્રમાણ, ખાડા-ખાબોચિયામાં પાણી ભરાવાને લીધે ઝડપથી બેક્ટેરિયા ઉત્પન્ન થાય છે. આવી ઋતુમાં જ્યાં હવાની અંદર જ બેક્ટેરિયા અને રોગજનિક કિટાણુંઓ ફેલાઈ રહ્યાં હોય ત્યાં કોઈ પણ બિમાર થઈ શકે છે. બાળકો માટે આ ઋતુ વરસાદના ટીંપાની મજા માણવા માટેની હોય છે પરંતુ તેની સાથે સાથે બિમારીઓની ચેતવણી પણ આપે છે. |