અમરચિત્રકથા | કાવ્ય | વાર્તા | બાળકોના જોક્સ | નોલેજ
મુખપૃષ્ઠ » વિવિધ » બાળ જગત » નોલેજ » જાણો ભારતના 24 અણમોલ રત્નોને

વેબદુનિયા ડેસ્ક

અગણિત વીર યોદ્ધાઓ આપનારી આપણી ભારતની માટીમાં આજે પણ ઘણા બહાદુરો પેદા કરવાનો દમ છે આ વાતનું જીવંત ઉદાહરણ બન્યા છે એ 24 બાળકો જેમણે પોતાના જીવના જોખમે બીજાનો જીવ બચાવ્યો છે. જેમાથી કેટલાકે તો બીજાને બચાવવા માટે પોતાનો જીવ પણ આપી દીધો. આ બાળકોને 23 જાન્યુઆરીના રોજ પ્રધાનમંત્રીના હાથે બહાદુરીના પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા અને સાથે જ તેમણે ગણતંત્ર દિવસની પરેડમાં ભાગ લેવાની તક પણ આપવામાં આવી.

આ વર્ષે રાષ્ટ્રીય વીરતા પુરસ્કાર જીતનારા આ બહાદુર બાળકો ગણતંત્ર પરેડ દરમિયાન રાજપથ પર ફુલોના હારથી સજાયેલી ઓપન જીપમાં શાનથી નીકળ્યા.

ભારતના પ્રથમ પ્રધાનમંત્રી જવાહર લાલ નેહરુના સમયથી શરૂ કરવામાં આવેલ આ પુરસ્કારોને જીતનારા બાળકો થોડા વર્ષ પહેલા સુધી હાથી પર સવાર થઈને પરેડમાં ભાગ લેતા હતા. પરંતુ છેલ્લા બે વર્ષથી હવે આ બાળકો ફૂલોથી સજાયેલ ઓપન જીપની સવારી કરે છે.

સાહસ અને આત્મવિશ્વાસની જે મિસાલ આ બાળકોએ કાયમ કરી છે તે માટે તેમને આખો દેશ સલામ કરે છે. આવો જાણીએ આ 24 બહાદુર બાળકો કોણ છે.

W.D


1. કપિલ સિંહ નેગી (ઉત્તરાખંડ)
2. ઓમ પ્રકાશ યાદવ (ઉત્તરપ્રદેશ)
3. કુ. મિત્તલ મહેન્દ્રભાઈ પટોદિયા (ગુજરાત)
4. સ્વ. આદિત્ય ગોપાલ (અરુણાંચલ પ્રદેશ)
5. ઉમા શંકર (દિલ્લી)
6. કુ.અંજલી સિંગ ગૌતમ (છત્તીસગઢ઼)
7. યંદામ અમરા ઉદય કિરણ (આંધ્રપ્રદેશ)
8. સુથ્રાપુ શિવા પ્રસાદ (આંધ્રપ્રદેશ)
9. રંજન પ્રધાન (છત્તીસગઢ઼)
10. કુ. શીતલ સાદવી સલૂજા (છત્તીસગઢ઼)
11. કુ. દિવ્યાબેન માનસંગભાઈ ચૌહાન (ગુજરાત)
12. સંદેશ પી હેગડ઼ે (કર્નાટક)
13. કુ. સિંધુશ્રી બીએ (કર્નાટક)
14. મનમોહન નિશાધ વીપી (કેરલ)
15. સાહસદ કે (કેરલ)
16. અંશિફ સીકે (કેરલ)
17. જૉનસન તોરંગબામ (મણિપુર)
18. ક્ષેત્રીમયૂમ રાકેશ સિંહ (મણિપુર)
19. સ્વ. સી લાલદુહાવ્મા (મિજોરમ)
20. કુ. પ્રસન્નતા (ઉડ઼ીસા)
21. ‍દુંગર સિંહ (રાજસ્થાન)
22. જી પરકેશ્વરન (તમિલનાડૂ)
23. સ્વ. કુ. લવલી વર્મા (ઉત્તરપ્રદેશ)
24. સ્વ. કુ. સૌધિતા બર્મન (પ. બંગાલ)
WebduniaWebdunia