મહેસાણામાં બાળકો દ્વારા અનેરી બાળ પારાયણ બોચસણવાસી શ્રી અક્ષરપુરૂષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા પવિત્ર શ્રાવણ માસમાં મહેસાણા શહેરમાં જુદા જુદા વિસ્તારમાં બાળકો દ્વારા બાળ પરાયણના અદ્દભૂત કાર્યક્રમો યોજાયા. પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજની પ્રેરણાથી મહેસાણા શહેરના જુદા જુદા વિસ્તારો જેવા કે 1) અક્ષર પુરૂષોત્તમ સ્વામિનારાયણ મંદિર, રાધનપુર ચાર રસ્તા 2) બજાર વિસ્તાર સંસ્કારધામ, ધોબી ઘાટ રોડ 3) જય આશીર્વાદ સોસાયટી નાગલપુર 4) તુલસી સંસ્કારધામ, રાધનપુર રોડ 5) ગોકુલપાર્ક ટેનામેંટ, ગંજ બજાર પાછળ, મહેસાણામાં બાળ પરાયણનું આયોજન કરવામાં આવ્યુ હતુ. |
|